CIA ALERT

Alert Archives - Page 504 of 519 - CIA Live

July 21, 2018
women.jpg
1min14600

મહિલાઓ ઘરના કામમાં જેટલી ચીવટ રાખે છે એટલી હેલ્થની કેમ નથી રાખતી?

ડાયટ પ્રત્યેની બેદરકારીનાં ગંભીર પરિણામો આવી શકે છે

૨૦૧૭ના ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ અનુસાર ૫૧ ટકા ભારતીય મહિલાઓ એનીમિક અને બાવીસ ટકા મહિલાઓ ઓવરવેઇટ છે. ૧૪૦ દેશોમાં હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે આપણા દેશમાં મહિલાઓ હેલ્ધી ફૂડ લેતી નથી એમ છતાં તેમનું વજન વધારે છે. આખો દિવસ રસોડામાં વિવિધ વાનગીઓ બનાવવામાં વ્યસ્ત રહેતી મહિલાઓ પોતાના માટે સ્વાસ્થ્યવર્ધક આહાર બનાવવામાં આળસ કરે છે.

વાસી અને વધેલું ખાવાની આદત

ભારતીય મહિલાઓ કુપોષિત છે એ વાત સો ટકા સાચી છે. આપણા દેશમાં મહિલાઓ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બહુ જ બેદરકાર છે. એમાંય ખાસ કરીને ગુજરાતી મહિલાઓ તો સાવ જ કૅરલેસ છે. આપણે ત્યાં મહિલાઓને વધેલી રસોઈ ખાવાની ટેવ ધરાવતી હોય છે, જેના કારણે ૪૫ની વય પછી તેમને સાંધાના દુખાવાનો સામનો કરવો પડે છે. મોટા ભાગની મહિલાઓ સવારની વધેલી રસોઈ ખાય છે જે સદંતર ખોટું છે. રસોઈ બનાવ્યા બાદ એને બે કલાકમાં ખાઈ લેવી જોઈએ, ત્યાર બાદ ખાવાથી કોઈ ફાયદો નથી થતો. એમાં રહેલાં ન્યુટ્રિશ્યસ તkવો નષ્ટ થઈ જાય છે. મહિલાઓ હસબન્ડ અને બાળકોની જેટલી કાળજી લે છે એના કરતાં અડધી કાળજી પણ પોતાના માટે નથી લેતી.

ન્યુટ્રીશ્યસ ઇન્ટેકનો સદંતર અભાવ

શરીરમાં પ્રોટીનની ઊણપનું કારણ મહિલાઓ દૂધ નથી પીતી. વેજિટિરિયન લોકોએ તો દૂધને પ્રાથમિકતા આપવી જ જોઈએ, કારણ કે એમાંથી જ તેમને આવશ્યક પ્રોટીન મળે છે. મેં તો મહિલાઓને દૂધ પીતી જોઈ જ નથી. દૂધને તો તેઓ સાવ અવૉઇડ જ કરે છે. દૂધ ઉપરાંત સોયબીન પણ ખાઈ શકાય. પ્રોટીનની ઊણપના લીધે મેનોપૉઝ પિરિયડ દરમ્યાન શરીરમાં બીજા રોગો ઘર કરી જાય છે.

પોતાની પાછળ ખર્ચ કરવામાં મહિલાઓ નથી માનતી. ઘરમાં નટ્સ અને ફ્રૂટ્સ જેવો પૌષ્ટિક આહાર ઘરમાં પડ્યા હોવા છતાં બાળકોને ખવડાવે છે, પણ પોતે નથી ખાતી. સિંગદાણા જેવી વસ્તુ ખાવામાં પણ જાણે બલિદાન આપતી હોય છે, આવી માનસિકતાને કારણે પ્રૌઢાવસ્થા સુધી મોટા ભાગની મહિલાઓ જીવન પૂરું થઇ ગયાની લાગણી અનુભવે છે.

મહિલાઓમાં આહાર પ્રત્યે જાગ્રતતા લાવવા કાઉન્સિલર્સ દ્વારા માર્ગદર્શિત કરવાની જરૂર છે. મહિલા મંડળોએ પણ એ દિશામાં ચોક્કસ કાર્યક્રમો ઘડી કાઢવા જોઇએ. મહિલાઓ શું ખાવું એના કરતાં શું ન ખાવું એટલું પણ જો સમજી જાય તો ઘણાબધા પ્રશ્નો સૉલ્વ થઈ જાય.

સવારનો નાસ્તાની પરંપરા જાણે નાબૂદ હોય

આપણે ત્યાં મહિલાઓ સવારના બ્રેકફાસ્ટને ગંભીરતાથી નથી લેતી. સવારના ઊઠ્યા પછી બે કલાકની અંદર હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. પ્રોટીન અને કૅલ્શિયમથી ભરપૂર નાસ્તો ન કરવાને કારણે નાની વયે વાળ ખરવાની અને ઘૂંટણના દુખાવાની સમસ્યા ઊભી થાય છે. સવારે ફણગાવેલાં કઠોળ અને બદામ લેવાની ટેવ પાડવી જોઈએ. એનાથી મોટા ભાગના પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય. સવારના નાસ્તાને ગંભીરતાથી ન લેવો એ ખૂબ ખરાબ કહેવાય. ડ્રાયફ્રૂટ્સ ન ખાવાં હોય તો સિંગ-ચણા ખાવાં જોઈએ અને સૅલડને પ્રાધાન્ય આપવું જોઈએ. રસોઈ માપસર બનાવો તો વધેલી વાનગીઓ ખાવી ન પડે.
ઘરમાં ડ્રાયફ્રૂટ્સ હાથવગાં હોવા છતાં નથી ખાતી. મને એમ થાય કે એમાં વળી શું ખાવું. આ વાત મને એકલીને જ નહીં તમામ મહિલાઓને લાગુ પડે છે. મહિલાઓનો સ્વભાવ બદલાતો નથી એટલે હેરાન થાય છે.

મહિલાઓએ સવારના નાસ્તાની અવગણના પણ ન કરવી જોઈએ. આખો દિવસ કામ કરવાની શક્તિ સવારના નાસ્તામાંથી પ્રાપ્ત થાય છે. સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો જોઈએ. ડ્રાયફ્રૂટ ન ખાવાં હોય તો સિંગ-ચણા ખાવાં જોઈએ જેથી પ્રોટીન મળી રહે. લીલી શાકભાજી અને સૅલડને પ્રાધાન્ય આપવું જોઈએ. મહિલાઓ પરિવારનું જે રીતે ધ્યાન રાખે છે એ જ રીતે પોતાના આહાર પ્રત્યે ધ્યાન આપે તો બધી સમસ્યા ઉકેલાઈ જાય એમ છે. ઘરના કામમાંથી પરવાર્યા બાદ છેક દસ વાગ્યે નાસ્તો કરે છે. નાસ્તો સવારે ઊઠ્યા બાદ બે કલાકની અંદર કરી લેવો જોઈએ. નાસ્તામાં બદામ અને સ્પ્રાઉટેડ બીન્સ લેવાં જોઈએ. શરીરમાં કૅલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ જળવાઈ રહે એ ખાસ જોવું જોઈએ. સવારે ઊઠતાંવેંત કોગળા કર્યા વગર બે ગ્લાસ પાણી પીવાથી આખો દિવસ ફ્રેશ ફીલ થાય છે અને ઍસિડિટીની સમસ્યાથી છુટકારો મળે છે. માસિક દરમ્યાન તો ડાયટ પર વધારે ફોકસ કરવું જોઈએ. ન્યુટ્રિશ્યસ ફૂડ લેવાથી અનેક સમસ્યાઓ દૂર થશે અને વજન પણ નહીં વધે. મહિલાઓ જે હોય એ ખાઈ લે છે અને એ પણ સમયની પરવા કર્યા વગર જેના કારણે વજન વધી જાય છે અને પછી એને ઘટાડવા ખર્ચો કરે છે અથવા ડાયટ ફૉલો કરે છે, પરંતુ પહેલેથી ધ્યાન નથી આપતી. ભારતની મોટા ભાગની મહિલાઓનો આ પ્રૉબ્લેમ છે. પહેલેથી જ જો પ્રૉપર ફૂડ લેવામાં આવે તો વજન વધે જ નહીં એ વાત તે સમજતી નથી. હાલમાં શિયાળાની મોસમમાં લીલી શાકભાજી અને આમળાં સહેલાઈથી મળી રહે છે. મહિલાઓએ ડાયટમાં એનો સમાવેશ કરવો જોઈએ. આપણા દેશમાં મહિલાઓએ સ્વાસ્થ્યની કાળજી લેવાની ખરેખર બહુ જ જરૂર છે.’

કૅલ્શિયમ અને પ્રોટીન ઇન્ટેક વધારવા જોઇએ

હાઉસવાઇફ હોય કે વર્કિંગવુમન મહિલાઓને આખો દિવસ ફૅમિલીની ચિંતા રહે છે. ચિંતા અને સ્ટ્રેસને કારણે તે આહાર તરફ ધ્યાન નથી આપી શકતી જેના કારણે શરીરમાં કૅલ્શિયમ અને પ્રોટીનની ખામી વર્તાય છે. કૅલ્શિયમની ઊણપને લીધે હાડકાં નબળાં પડી જાય છે જેના કારણે નાની ઉંમરમાં વાળ ખરવાની તકલીફથી લઈને ઘૂંટણના દુખાવાની સમસ્યાથી પીડાય છે.

ફિટનેસ પ્રત્યે બદરકાર

મહિલાઓ એક્સરસાઇઝની પણ અવગણના કરે છે. પૌષ્ટિક આહારની સાથે એક્સરસાઇઝ પ્રત્યે ધ્યાન આપવાની એટલી જ જરૂર છે. મહિલાઓએ સવારના નાસ્તાને અવૉઇડ ન કરવો જોઈએ. સામાન્ય રીતે મહિલાઓ ઊઠતાંવેંત ચા પીએ છે અને રોજિંદા કામમાં ઓતપ્રોત થઈ જાય છે.

વેજિટેરિયન લોકોએ દૂધ અને સોયબીન તો ખાસ ખાવાં જોઈએ એમાંથી જ પ્રોટીન પ્રાપ્ત થાય છે. આ વાત જાણવા છતાં મેં ક્યારેય મહિલાઓને દૂધ પીતી જોઈ નથી. આપણે ત્યાં મહિલાઓને વધેલી રસોઈ ખાવામાં ઇન્ટરેસ્ટ હોય છે. તેમને શું ખાવું જોઈએ એ શીખવાની જરૂર નથી, પરંતુ શું ન ખાવું જોઈએ એ સમજવાની ખાસ જરૂર છે. એટલું જો સમજી જાય તો બધા પ્રૉબ્લેમ આપમેળે સૉલ્વ થઈ જાય.

July 21, 2018
pareshdahanani.png
1min5710

ઉના તાલુકાના માણેકપુર ગામના અસરગ્રસ્તો માટે ખોલવામાં આવેલાં જાહેર રસોડામાં કોંગ્રેસી નેતા પરેશ ધાનાણીએ ભજીયા તળનારને ઉઠાડીને પોતે ભજીયા તળવા બેસી ગયા હતા. સામાન્ય વ્યક્તિત્વનો પરિચય કરાવતા તેમણે ભજીયા તળીને ખવડાવવાની પ્રવૃતિને પણ માણી હતી.

તેમણે સૌરાષ્ટ્રના પૂર અસરગ્રસ્ત વિસ્તાર માણેકપુરથી ખત્રીવાડા ગામની મુલાકાતે જતી વખતે રસ્તામાં પાણીમાં તણાઈ આવેલાં બાવળિયા સહિતના ઝાડનો પણ નિકાલ કરવાની પ્રવૃતિ પણ કરી હતી.

July 21, 2018
online.jpg
1min5560

શહેરમાં ગણેશોત્સવ અને નવરાત્રી દરમિયાન મંડપ બાંધવા માટે બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની મંજૂરી લેવી આવશ્યક હોય છે તેમ જ આ અંંગેની અરજી કરતી વખતે તેની સાથે મુંબઈ પોલીસ અને ટ્રાફિક પોલીસનું નોઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) પણ આવશ્યક હોય છે. આ પ્રક્રિયામાં ઘણો સમય વેડફાતો હોવાથી હવે પાલિકાએ મુંબઈ પોલીસના સહકારથી આ મંજૂરી પ્રક્રિયા મરાઠી અને અંગ્રેજી આ બંને ભાષામાં ઑનલાઇન કરવામાં આવી છે.

ગણેશોત્સવ અને નવરાત્રીમાં સાર્વજનિક મંડપ ઊભા કરવા માટે પાલિકાની મંજૂરી આવશ્યક છે. આ અંગેની મંજૂરી લેવા માટે સંબંધિત મંડળને પાલિકાના કાર્યલયમાં જાતે જઇને અરજી આપવી પડી છે. તેમ જ આ અરજી રજૂ કરતી વખતે તેની સાથે મુંબઈ પોલીસ અને ટ્રાફિક પોલીસની એનઓસી પણ આપવી પડે છે. તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશન અને ટ્રાફિક પોલીસની ઑફિસના ધક્કા ખાવા પડે છે. નાગરિકોની સુવિધા માટે ‘ઇઝ ઑફ ડુઇંગ’ અંતર્ગત પાલિકાએ ઓનલાઇન સેવા ઉપલબ્ધ કરાવી છે. ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ પાલિકાની વેબસાઇટ www.mcgm.gov.in પર જવાનું રહેશે. વેબસાઇટના હોમ પેજ પર ‘ઓનલાઇન સેવા’ આ વિકલ્પ પર માઉસ પોઇન્ટર મૂકતા ‘ડ્રોપ ડાઉન મેનુ’ દેખાશે. તેમાં 14માં નંબર પર ‘પરીક્ષણ’ (મેન્ટેનન્સ) આ લિન્ક છે. આ લિન્ક પર ‘માઉસ પોઇન્ટર’ મૂકતા પાંચમાં નંબર પર ‘ગણપતિ/નવરાત્રી’ની લિન્ક દેખાશે. આ લિન્ક પર ક્લિક કરવા પર એક વેબપેજ ખૂલશે, તેના પર ઓનલાઇન અરજી કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે, એવું પાલિકાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.

July 21, 2018
water1.jpg
1min4880

રાજ્યના કુલ 203 જળાશયો પૈકી 14 જળાશયો 100 ટકાથી વધુ, 25 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે, 24 જળાશયો 50 થી 70 ટકા, 50 જળાશયો 25 થી 50 ટકા તેમ જ 90 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે.

ઉતર ગુજરાતના 15 જળાશયોમાં 28.90 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 48.90 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 27.01 ટકા, કચ્છના 20 જળાશયોમાં 10.09 ટકા અને સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં 44.37 એમ રાજયમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 32.94 ટકા એટલે 1,83,311 મીટર ઘન ફૂટ છે.

રાજ્યના જળ સંપત્તિ વિભાગના તા.20/07/2018ના રોજ સવારે 8-00 વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના 18 જળાશયો હાઇએલર્ટ, 11 જળાશયો એલર્ટ તેમજ 9 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝૂજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-3 અને ફુલઝર-1, ભાવનગરનું રોજકી અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી અને હીરણ-2, જૂનાગઢનું મધુવંતિ, પોરબંદરનું અમીરપુર તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી, જામનગરનું કંકાવટી અને જૂનાગઢનું અંબાજલ એમ કુલ 18 જળાશયો હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજયના કુલ 11 જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય 9 ડેમો માટે ચેતવણી આપવામાં આવી છે. સરદાર સરોવર જળાશયમાં હાલમાં 1,32,752 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની 39.74 ટકા છે. જયારે રાજયના કુલ 203 જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ 1,83,311 એમ.સી.એફ.ટી. છે જે કુલ સંગ્રહ શક્તિના 32.94 ટકા છે.

July 21, 2018
Jio-Fiber-Broadband-2-1024x576.jpg
1min7390

રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ હોમ બ્રોડબેન્ડ સર્વિસિસનું કોમર્શિયલ લોન્ચિંગ કરે તેના ઘણા સમય પહેલાં જ ગ્રાહકોને લાભ મળવાનું શરૂ થઈ ગયું છે. જીઓ ચાલુ વર્ષના અંતે તેની મહત્ત્વાકાંક્ષી ફાઇબર-ટુ-ધી-હોમ (FTTH) સર્વિસિસ લોન્ચ કરે તેની પહેલાં ભારતી એરટેલ અને સરકારી કંપની BSNLએ જંગી ડિસ્કાઉન્ટ સાથેના આક્રમક પ્રાઇસિંગ પ્લાન લોન્ચ કર્યા છે.

દેશની નં 1 ટેલિકોમ કંપની અને નં 2 વાયર્ડ બ્રોડબેન્ડ કંપની એરટેલે પોતાના 25 લાખ એક્ટિવ વાયર્ડ બ્રોડબેન્ડ ગ્રાહકોને જાળવી રાખ‌વા માટે ચૂપચાપ તગડા ડિસ્કાઉન્ટની ઓફર શરૂ કરી દીધી છે.

વાયર્ડ બ્રોડબેન્ડ માર્કેટની નં 1 કંપની BSNLએ પોતાના 92 લાખ હોમ બ્રોડબેન્ડ ગ્રાહકોને જાળવી રાખવા માટે આક્રમક બનીને ₹777 અને ₹1,277ના માસિક FTTH પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાનમાં અનુક્રમે 50 Mbps અને 100 Mbpsની સ્પીડ સાથે 500 GB અને 750 GB ડેટા મળે છે. આટલું પણ ઓછું હોય તેમ BSNL ગ્રાહકોને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ સાથેના પ્રમોશનલ પેક (90 દિવસની વેલિડિટી સાથેના) પસંદ કરવાની પણ ઓફર કરી રહી છે.

એરટેલના સિનિયર અધિકારીએ જણાવ્યું કે, “અમે 89 શહેરોમાં વાયર્ડ બ્રોડબેન્ડ સર્વિસિસ આપીએ છીએ અને ત્યાંના ગ્રાહકો છ મહિના અને એક વર્ષ માટે હોમ બ્રોડબેન્ડ પેક (300 Mbps સુધીની સ્પીડ) ખરીદે તો અનુક્રમે 15 ટકા અને 20 ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ.” કંપની આ ડિસ્કાઉન્ટ હમણાં સુધી માત્ર હૈદરાબાદમાં આપતી હતી.

ભારતી એરટેલને આ અંગે મોકલવામાં આવેલી પ્રશ્નોત્તરીનો કોઈ જવાબ મળ્યો નહોતો. વાયર્ડ બ્રોડબેન્ડ સર્વિસિસ માટે એરટેલ અને BSNL દ્વારા અપનાવવામાં આવેલી આક્રમક યોજના સ્પષ્ટ સંકેત આપે છે કે, રિલાયન્સ જીઓના લોન્ચિંગને ધ્યાનમાં રાખીને બંને હરીફોએ પોતપોતાના ગ્રાહકો જાળવી રાખવાની સ્ટ્રેટેજી અપનાવી છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ગીગાફાઇબર બ્રાન્ડ હેઠળ હાઈ-સ્પીડ હોમ બ્રોડબેન્ડ સર્વિસિસ આપવાની યોજના જાહેર કરી છે, જેની હેઠળ તે 1,100 શહેરોમાં પ્રથમ તબક્કામાં જ પાંચ કરોડ ગ્રાહકો મેળવવાનો ટાર્ગેટ ધરાવે છે.

જીઓની હોમ બ્રોડબેન્ડ સર્વિસિસનું રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટથી શરૂ થશે. એનાલિસિસ મેસનના પાર્ટનર અને હેડ (ઇન્ડિયા, સાઉથ એશિયા) રોહન ધામીજાએ જણાવ્યું હતું કે, “એરટેલ અને BSNL માત્ર ડિસ્કાઉન્ટ દ્વારા જીઓને હરાવી નહીં શકે. તેમણે રિલાયન્સ જીઓની આગામી હોમ બ્રોડબેન્ડ સર્વિસિસ જેવી સર્વિસ આપવા માટે તેમનું FTTH કવરેજ ઝડપભેર વિસ્તારવું પડશે.”

બ્રોકરેજ HSBCને અપેક્ષા છે કે, રિલાયન્સ જીઓ મહિને ₹700થી ઓછી કિંમતમાં 100 GBનો હાઈ-સ્પીડ ડેટા આપીને સમગ્ર હોમ બ્રોડબેન્ડ માર્કેટમાં ખળભળાટ મચાવશે તો એરટેલ પર નજીકના ગાળા માટે અર્નિંગ્સ દબાણ ઊભું થશે.

July 21, 2018
pc-1.jpg
1min8390

છેલ્લાં સાડાત્રણ વર્ષમાં ઍરફોર્સનાં દુર્ઘટનાગ્રસ્ત ઍરક્રાફ્ટની યાદી જાહેર

દેશમાં ઍરફોર્સનાં ફાઇટર ઍરક્રાફ્ટ તૂટી પડવાની ઘટનાઓ જાણે કે સામાન્ય થઈ ગઈ છે. ગયા જૂન મહિનામાં બે જૅગ્વાર અને સુખોઈ ઍરક્રાફ્ટ તૂટી પડ્યાં હતાં. તા.19મી જુલાઇ 2018ના દિવસે પણ ઍરફોર્સનું મિગ-૨૧ ઍરક્રાફ્ટ હિમાચલ પ્રદેશમાં તૂટી પડ્યું હતું.

જૂન અને જુલાઈના બે મહિનામાં ત્રણ ફાઇટર ઍરક્રાફ્ટ તૂટી પડવાની ઘટના તો સામાન્ય છે, પણ જો સુખોઈ અને મિગના ક્રૅશ થવાની ઘટનાઓ પર નજર નાખીએ તો ચોંકાવનારા આંકડાઓ સામે આવે છે. લોકસભામાં તા.19મી જુલાઇએ છેલ્લાં સાડાત્રણ વર્ષમાં ઍરફોર્સની દુર્ઘટનાનો શિકાર થયેલાં ઍરક્રાફ્ટની એક યાદી જાહેર કરવામાં આવી હતી.

આ યાદીમાં લાખો રૂપિયાનાં ઍરક્રાફ્ટ તૂટી પડવાના આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા જ હતા, પરંતુ ઍરક્રાફ્ટની સાથે જ શહીદ થનારા ઍરફોર્સના અધિકારીઓ અને જવાનોના આંકડાઓ ચોંકાવનારા છે. દેશમાં છેલ્લાં ૪૫ વર્ષમાં ૪૬૫ મિગ ઍરક્રાફ્ટ તૂટી પડ્યાં છે અને એ પણ દુશ્મન સામે લડ્યા વિના જ. યુદ્ધના મેદાનમાં તૂટી પડનારાં ઍરક્રાફ્ટની સંખ્યા માત્ર 11 છે. ૯૪૬ મિગ ઍરક્રાફ્ટમાંથી બે ૧૯૬૫ની લડાઈમાં, આઠ ૧૯૭૧ની લડાઈમાં અને એક ૧૯૯૯માં કારગિલની લડાઈમાં ક્રૅશ થયું છે.

ઍરફોર્સનાં 8 સુખોઈ ઍરક્રાફ્ટ પણ ક્રૅશ થઈ ચૂક્યાં છે. હેલિકૉપ્ટર્સમાં ચેતક અને MI-૧૭ જેવાં હેલિકૉપ્ટર ક્રૅશ થઈ ચૂક્યાં છે. એક MI-૧૭ હેલિકૉપ્ટર તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ક્રૅશ થયું હતું. ૨૦૧૭ના માર્ચમાં પણ રાજસ્થાનમાં એક હેલિકૉપ્ટર તૂટી પડ્યું હતું.

બચેલાં ઍરક્રાફ્ટમાંથી કેટલાંક સરકાર દૂર કરવા વિચારી રહી છે, જ્યારે ૧૩૮ મિગ-૨૧ અપગ્રેડ કર્યા બાદ ૨૦૨૨ સુધી ઉડાડવામાં આવશે. મિગના સ્થાને સરકાર HAL દ્વારા તૈયાર કરવામાં આવેલા તેજસને લાવવાની વાત કરી રહી છે. જોકે હાલમાં તેજસ પણ વિવાદમાં સપડાયું છે.

July 20, 2018
milk2.jpg
1min6200

મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે ખેડૂતોની લિટરદીઠ રૂ. 25નો ભાવ આપવાની માગ સ્વીકારી લીધી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ડેરી ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેરી ડેવલપમેન્ટ પ્રધાન મહાદેવ જાનકરના નિવેદન અનુસાર પાઉચમાં પૅક કરવામાં આવતા દૂધ માટે કોઈ સબ્સિડી આપવામાં આવશે નહીં. આ ઉપરાંતના દૂધને સરકાર રૂ. 5ની સબ્સિડી આપશે. આ સબ્સિડી દૂધ પુરવઠો ઉપલબ્ધ કરનાર અથવા પ્રક્રિયા કરનાર સંસ્થામાંથી એકને જ મળશે. જે દૂધનો પાઉડર ઉત્પાદિત કરે છે તેઓ જો રૂ. પાંચની સબ્સિડીનો લાભ લેશે તો તેમને પાઉડર પર મળતી આયાત માટે મળતી મદદનો લાભ મળશે નહીં, તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

દૂધના ભાવમાં લિટરદીઠ પાંચના વધારાની માગ સાથે શરૂ થયેલું આંદોલન ચાર દિવસ ચાલ્યું હતું. મુંબઈમાં તેની સીધી અસર જોવા મળી નથી, કોલ્હાપુર, સોલાપુર, બુલઢાણા, પુણે તેમ જ રાજ્યના ઘણા ભાગોમાં તે હિંસક બન્યું છે. રાજ્યના અમુક જિલ્લા અને અંતરિયાળ વિસ્તારોમાં દૂધ દ્વારા ભગવાનનો અભિષેક કરવો, દૂધ રસ્તા પર ઢોળી દેવાના બનાવો બન્યા હતા.

બીજી બાજુ અમુક સ્થળોએ ખેડૂતોએ જાનવરોને પણ રસ્તા પર ઉતાર્યાં હતાં અને ચક્કાજામ કર્યો હતો. ચિખલી, સાતારા, બારામતી, નાશિક, બુલઢાણા, જાલના વગેરે જિલ્લાઓમાં આંદોલનની તીવ્રતા વધારે દેખાઈ હતી. પોલીસે લગભગ 30 જેટલા આંદોલનકારીઓને તાબામાં લીધા હતા. બૅંગલૉર નેશનલ હાઈ વૅ સહિત અમુક રસ્તાઓ પર પણ ચક્કાજામ કરવાની કોશિશ થઈ હતી.

રાજ્યમાં ચાલી રહેલા દૂધના આંદોલનની ઘણા કારણોસર ટીકા કરવામાં આવી રહી છે, પરંતુ રાજ્યના ખેડૂતોને દેશમાં સૌથી ઓછો ભાવ મળતો હોવાની હકીકત પણ સામે આવી છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ દ્વારા મળતી માહિતી અનુસાર દેશમાં દૂધ ઉત્પાદનના મહારાષ્ટ્રનો ક્રમાંક સાતમો છે, પરંતુ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રના દૂધ ઉત્પાદકોને ઓછો ભાવ મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં ગાયના દૂધ માટે ખેડૂતોને ખાનગી સેક્ટરમાં રૂ. 16 મળે છે જ્યારે સહકારી સેક્ટરમાં રૂ. 18.5થી 23 મળે છે. દેશભરમાં ડેરી ઉદ્યોગ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, તેનું એક કારણ આ પણ છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે રૂ. 29.5, કર્ણાટકમાં રૂ. 27.5- આ સાથે સરકાર રૂ. 5 સબ્સિડીરૂપે આપે છે, ઉત્તર પ્રદેશમાં રૂ. 25.6, પંજાબ રૂ. 25, મધ્ય પ્રદેશ રૂ. 25, રાજસ્થાન રૂ. 23.6 અને મહારાષ્ટ્રમાં રૂ. 18.5થી રૂ. 23 સુધી આપવામાં આવે છે. દેશમાં દૂધ ઉત્પાદનમાં રાજ્યોનો ભાગ જોઈએ તો ઉત્તર પ્રદેશ 17 ટકા, રાજ્સ્થાન 12.6 ટકા, મધ્ય પ્રદેશ 8.1 ટકા, ગુજરાત 7.7 ટકા, આંધ્ર પ્રદેશ 7.4 ટકા, પંજાબ 6.8 ટકા અને મહારાષ્ટ્ર 6.3 ટકા છે.

July 20, 2018
ca-1.jpg
1min8050

જયેશ બ્રહ્મભટ્ટ

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ સી.એ. ફાઇનલ્સ તેમજ સી.પી.ટી.ના પરીણામોની ઘોષણા કરવામાં આવી હતી. સી.એ. ફાઇનલ્સ પરીણામની વાત કરીએ તો ફક્ત ગ્રુપ એ ની પરીક્ષામાં 38696 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફક્ત 6195 પાસ થતાં ફક્ત ગ્રુપ-1નું પરીણામ 16.01 ટકા આવ્યું હતું.

ગ્રુપ-2માં કુલ 37350 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફક્ત 5075 વિદ્યાર્થીઓ પાસ થતાં ફક્ત ગ્રુપ-2નું પરીણામ 13.59 ટકા આવ્યું હતું.

27727 વિદ્યાર્થીઓએ બન્ને ગ્રુપની પરીક્ષા આપી હતી. આ પૈકી 2520 વિદ્યાર્થીઓ બન્ને ગ્રુપમાં પાસ થવામાં સફળ નિવડ્યા હતા. બન્ને ગ્રુપ પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 9.09 ટકા હતી. જ્યારે 3658 વિદ્યાર્થીઓ ફક્ત ગ્રુપ-1 પાસ કરી શક્યા અને 693 વિદ્યાર્થીઓ ફક્ત ગ્રુપ-2 પાસ કરી શક્યા છે.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે 9104 ઉમેદવારોને આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પદવી એનાયત કરવામાં આવી હતી.

 

સુરતના અનુરાગ બગરીયા નામના ઉમેદવારે 800માંથી 597 માર્કસ મેળવીને કુલ 74.63 ટકા સાથે સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હોવાની યાદી આઇ.સી.એ.આઇ. દ્વારા જાહેર કરવામાં આવી હતી.

July 20, 2018
DSC05597.jpg
2min7970

આજથી શરૂ થયેલી ટ્રક અને ટ્રાન્સપોર્ટ હડતાળના પહેલા જ દિવસે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતા વિવિધ હાઇવે તેમજ સ્ટેટ હાઇવે પરથી ટ્રક તેમજ અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો અદ્રશ્ય થઇ ગયા હતા. ટ્રક ડ્રાઇવરોએ હડતાળમાં જોડાઇને પોતાની ટ્રકો સલામત સ્થળે પાર્ક કરી દઇને સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.

દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાંથી પસાર થતા હાઇવે પર ટ્રાન્સપોર્ટ ટ્રક, ટેન્કર વગેરે જોવા નહીં મળતા ટ્રાફિક સાવ જ નહીંવત જોવા મળ્યો હતો. પ્રસ્તુત છે ટ્રક હડતાળની તસ્વીરી ઝલક

July 20, 2018
vac3.jpg
1min9120

બાળકો-વાલીઓએ ખોટી અફવાઓ અને અપપ્રચારથી ગભરાવું નહીં

સોશિયલ મીડિયા પર ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવું

સોશ્યલ મીડિયા પર ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવું

રાજ્યભરમાં માત્ર બે દિવસમાં ૧૭ લાખથી વધુ બાળકોને રસીકરણમાં આવરી લેવાયા છે, જેમાં હજુ સુધી એક પણ બાળકને આડઅસર થઇ નથી

ખોટી અફવાઓથી ન દોરવાઈને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે રસી મૂકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ

 

દેશભરમાં વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરી નિવારણ માટે ઓરી-રૂબેલા (એમ.આર.) અભિયાન હાથ ધરાયું છે. રાજ્યમાં ૧૬મી જુલાઇથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત માત્ર બે દિવસમાં જ ૧૭ લાખથી વધુ બાળકોને સફળતાપૂર્વક રસી આપવામાં આવી છે. જે પૈકી એક પણ બાળકને મોટી ગંભીર આડ અસર થઇ નથી. જેથી સોશિયલ મીડિયા પર ફેલાતી ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવું. બાળકો-વાલીઓએ અફવા અને અપપ્રચારથી ગેરમાર્ગે દોરાઇને ગભરાવાની કોઈ જરૂર નથી. આપના બાળકને અગાઉ રસી અપાવી હોય તો પણ પુન:રસી અપાવવામાં કોઇ જ વાંધો નથી. એમ.આર.ની રસી મૂકવાથી બાળકને નપુસંકતા આવે એવી તદ્દન પાયાવિહોણી અને ખોટી અફવા-માન્યતાને નજરઅંદાજ કરી બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે એમ.આર. રસી મૂકાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

દર વરસે ભારતભરમાં અંદાજિત ૪૦,૦૦૦ થી ૫૦,૦૦૦ બાળકોનું મૃત્યુ ઓરીની બિમારીને કારણે થાય છે, જેમાં મોટા ભાગના બાળકોએ આ ઓરીની રસી લીધી ન હતી. રૂબેલા એટલે કે નુરબીબીનું વાઇરસ જો સગર્ભા માતાને લાગી જાય તો તેને ગર્ભપાત થવાની સંભાવના વધી જાય છે, વળી, ગર્ભસ્થ બાળક ખોડખાપણ અને મંદબુદ્ધિવાળું પણ જન્મી શકે છે. આ રોગને અટકાવવા તમામ બાળકોને રસી આપી દેશમાથી આ વાઇરસનો પગપેસારો અટકાવવો અને તેનો નિકાલ કરવો જરૂરી છે. વર્ષ ૧૯૯૮ માં Andrew Wakefield નામના ડોક્ટરનો દાવો હતો કે MMRની રસી લેવાથી ઓટીઝમ થઈ શકે છે. આ રિપોર્ટ “The Lancet” નામના જર્નલમાં છપાયેલો હતો. જેને વર્ષ ૨૦૧૦ માં બ્રિટીશ મેડિકલ જર્નલે આ રિપોર્ટ ને તદ્દન પાયવિહીન ગણાવ્યો હતો. જાણી જોઈને રિસર્ચના ખોટા રિપોર્ટ આપવા બદલ યુ.કે. મેડિકલ કાઉન્સિલે એન્ડ્ર્યુનું લાઇસેંસ રદ કરેલું. આ અભિયાન હેઠળ, પ્રથમ બે દિવસમાં સુરત ગ્રામ્યમાં ૭૫,૮૭૨ તથા સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં ૬૨,૩૪૩ બાળકો ને એમ.આર.ની રસી આપવામાં આવી છે. જેમાં કોઈ પણ બાળક ને જરા પણ આડઅસર થઈ નથી.

સુરતની જે. બી. ડાયમંડ એન્ડ કાર્પ વિદ્યાસંકુલ, લસ્કાણામાં ૧૬ અને ૧૭ જુલાઈના રોજ ૧૧,૪૦૩ બાળકો એટલે કે ૧૦૦ ટકા બાળકોને સફળતાપૂર્વક રસી આપવામાં આવી હતી. રાજ્ય સરકારે આ પ્રકારે ઉત્સાહભેર રસીકરણ કરાવવા બદલ જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવી છે. આ શાળાની જેમ જ અન્ય તમામ શાળાઓએ તથા વાલીઓએ પરસ્પર સહયોગથી તમામ બાળકોને એમ. આર. ની રસી અચૂક અપાવવી જોઇએ એવી વિનંતી જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી છે. જરૂર જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવાયું છે. રાજ્ય સરકાર દ્વારા એમ.એમ.આર. (મીઝલ્સ, મમ્સ, રૂબેલા) નહીં પણ એમ.આર. (મીઝલ્સ, રૂબેલા) રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં વપરાતી વેકસીન આપણા દેશમાં જ બનાવવામાં આવે છે. જે રસી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના સુરક્ષાના તમામ માપદંડો પર ખરી ઉતરી છે. સમગ્ર વિશ્વમાં ૧૪૯ દેશોમાં આ રસી છેલ્લા ૪૦ વર્ષોથી આપવામાં આવે છે. આપણા દેશમાં પણ ખાનગી ડૉકટર્સ દ્વારા આ રસી ઘણા સમયથી અપાઇ રહી છે. જેથી આ રસી ખૂબ જ સુરક્ષિત છે તે પ્રમાણિત થાય છે. ઓરી રૂબેલા રસીકરણ અભિયાન દેશભરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ડબલ્યુ.એચ.ઓ. તેમજ યુનિસેફ જેવા પાર્ટનરના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કાઓ દરમિયાન ૨૦ રાજ્યોના ૯.૨ કરોડથી પણ વધારે બાળકોને સુરક્ષિત રસીકરણ કરાયું છે. આ સમગ્ર અભિયાન દરમ્યાન તાલીમબદ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા જ ઓરી રૂબેલાના રસીનું ઇન્જેકશન આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનિસેફ, યુ.એન.ડી.પી. જેવી સંસ્થાઓનું પણ માર્ગદર્શન મળ્યું છે. બાળ રોગ નિષ્ણાંતની સંસ્થા એ.ઓ.પી. અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ આ અભિયાનને સમર્થન અપાયું છે, સોશ્યલ મીડિયાપર જો કોઇ આ કેમ્પેઈન સંદર્ભે અપપ્રચાર થતો માલુમ પાડે તો જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરી અને લોકોને વાસ્તવિક બાબતથી અવગત કરવા પણ અનુરોધ કરાયો છે.