CIA ALERT

Alert Archives - Page 471 of 512 - CIA Live

September 7, 2018
cin4-1280x720.jpg
1min7870

ઓમર એનરિકે સૌથી પહેલા બેન્કની બહાર ફાયરિંગ કર્યું

US1

 

 

અમેરિકાના સિનસિનાટી શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ગુરુવારે ફાઉન્ટેન સ્ક્વેર પાસે ફિફ્થ થર્ડ બેન્કમાં એક વ્યક્તિએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં એક 25 વર્ષીય ભારતીય યુવક પણ સામેલ છે. બાકીના બે મૃતકોની ઓળખ ફિલિપ કાલ્ડરન અને રિચર્ડ ન્યૂકમર તરીકે થઈ છે. ફાયરિંગની થોડી જ ક્ષણોમાં પોલીસે ગનમેનને ઠાર કર્યો. ગનમેનની ઓળખ 29 વર્ષીય ઓમર એનરિક સાંતા તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યુ કે ગુરુવારે ઓમર એનરિકે સૌથી પહેલા બેન્કની બહાર ફાયરિંગ કર્યું. બાદમાં તે બેન્કમાં દાખલ થયો અને ગોળીબાર કર્યો. ગોળીબારમાં મૃત્યુ પામનાર ભારતીય વ્યક્તિનું નામ પૃથ્વીરાજ કંદેપી છે, તે આંધ્રપ્રદેશના ગુંટૂરનો વતની હતો. ન્યૂયોર્કમાં ભારતનો દૂતાવાસ પોલીસ અને કંદેપીના પરિવારના સંપર્કમાં છે. ઉત્તર અમેરિકામાં તેલુગુ એસોસિયેશનના અધિકારીએ કહ્યું કે કંદેપી બેન્કમાં સલાહકારના પદ પર કામ કરતા હતા. કંદેપીના શબને ભારત મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે.

September 7, 2018
paryushan-1.jpg
1min15660

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પર્યુષણનો આરંભ થઇ ગયો હતો. જૈન સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અને પર્વાધિરાજ કહેવાતા પર્યુષણનો અમદાવાદ સહિત રાજ્યભરનાં નાના મોટા દેરાસરોમાં ઉજવણી સાથે જ તપ, સાધના, આરાધનાનો દોર જામ્યો હતો. ભગવાન મહાવીરને ફૂલ, રૂ, રેશમી દોરાવી માંડીને સોનું, હીરા, મોતીની આપર્ષ આંગી કરાયા હતા શહેરના તમામ સંદો, ઉપાશ્રયોમાં સાધુ-સાધ્વીઓની હાજરીમાં મહાપર્વનો ઉજવણીની રોનક છવાઇ હતી.

જૈન સમુદાયમાં આજથી એટલે કે, 6 સપ્ટેમ્બરથી 13મી સપ્ટેમ્બરના ગુરુવાર સુધી પવાર્ધિરાજ પર્યુષણ ચાલશે. જૈનોમાં આ સૌથી મોટું 8 દિવસનું પર્વ હોય છે. દર વર્ષ ચાતુર્માસમાં ઊજવાતા પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી કહેવાય છે. સાત દિવસ સાધના અને આઠમનો અંતિમ દિવસ સિદ્વિનો માનવામાં આવે છે. દરમિયાન આજથી શરૂ થયેલા પર્યુષણના પર્વમાં દેરાસરો, ઉપાશ્રયો, સંઘોમાં સવારથી મોડી સાંજ સુધી તેની રોનક જોવા મળી હતી. આજના પર્વને લઇને શહેરના દેરાસરોમાં સવારે 5 વાગ્યાથી પ્રતિક્રમણ, ભક્તામર સ્ત્રોતનું પઠન ચાલુ થઇ ગયુ હતું. મોટેરાઓ આઠ દિવસના પૌષધ સાથે જ સાધુ જીવન પાળશે. આ સિવાય વિવિઘ સંધોમાં સિદ્વિતપ, શ્રેણી તપનું પણ આયોજન કરાયું છે.

આજના દિવસે સંધો, ઉપાશ્રયોમાં સવારથી વ્યાખ્યાન, બપોરે દેવવંધન બાદ સાંજે પ્રતિક્રમણ અને રાત્રિએ ભક્તિબાવના કરાઇ હતી. જોકે, પર્યુષણના આજના દિવસે પ્રભુ મહાવીરને આકર્ષક આંગીથી શણગારવાનો મહિમા હોય. હવે સંવત્સરી સુધી રોજે રોજ ફૂલ, રૂ, રેશમી દોરા, સોનું, હીરા-માણેક, મોતીની આંગી કરાઇ હતી.

September 7, 2018
np-1280x720.jpg
1min5120

હાર્દિક અને સરકાર વચ્ચે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની મધ્યસ્થી, આજે અમદાવાદમાં નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે મહત્વની મિટીંગ, સંભવતઃ આજે હાર્દિકના ઉપવાસ પૂરા થાય તેવી શક્યતાઓ

 

પાટીદાર આગેવાન મનાતા અને ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશ પટેલ અને ઉપવાસે ઉતરેલા હાર્દિક પટેલ વચ્ચે આજે અમદાવાદ ખાતે સમાધાનકારી બેઠક યોજાઇ રહી છે. રાજ્ય સરકાર અને હાર્દિક પટેલ બન્નેએ નરેશ પટેલની મધ્યસ્થીની વાત સ્વીકારી છે, પરીણામે આજે અમદાવાદ ખાતે હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે મિટીંગ યોજાઇ રહી છે. આ બેઠક બાદ સંભવતઃ હાર્દિક પટેલ પારણા કરે તેમ માનવામાં આવી રહ્યું છે.

છેલ્લા  14 દિવસથી ઉપવાસે ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલ આજે તા.7મી સપ્ટેમ્બર 2018ના રોજ પારણા કરી લે તેવી પ્રબળ શક્યતાઓ જોવાય રહી છે. ખોડલધામ ટ્રસ્ટના  ચેરમેન અને દિગ્ગજ પાટીદાર નેતા ગણાતા શ્રી નરેશ પટેલ મધ્યસ્થી બને તો હાર્દિક પટેલ ગ્રુપને કોઇ વાંધો ન હોવાનું મોડીરાત્રે સરકારને જણાવ્યા બાદ હવે સરકાર નરેશ પટેલને મધ્યસ્થી બનાવીને હાર્દિક સાથે વાટાઘાટ કરે તેવી સંભાવનાઓ જોવાય રહી છે. આજે શુક્રવારે બપોરે કે સાંજ સુધીમાં હાર્દિક પટેલ પારણા કરે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

પાટીદાર સમાજને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા 13 દિવસથી ઉપવાસ પર ઊતર્યો છે. હાર્દિકને મનાવીને પારણાં કરાવવા સરકાર કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે ગુરુવારે નરેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજિક શાંતિ અને હિત માટે હું મધ્યસ્થી બનવા તૈયાર છું. નરેશ પટેલના હકાર પછી સરકાર પણ તેમને મધ્યસ્થી તરીકે સ્વીકારવા તૈયાર હોવાનું લાગે છે. પાસે પણ ગુરુવારે મોડી રાત્રે નરેશ પટેલને મધ્યસ્થી બનાવવા સામે વાંધો ન હોવાનું કહ્યું હતું. આને પરિણામે શુક્રવારે નરેશ પટેલ હાર્દિકને મનાવવા પહોંચશે એવું માનવામાં આવે છે. સૂત્રોની વાત માનીએ તો હાર્દિક પટેલ આજે શુક્રવારે બપોરે પારણાં પણ કરી લે તો નવાઇ નહીં.

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ અને ખેડૂતાના પ્રશ્ર્ને લડી લેવાના મૂડમાં આવી ગયેલી કૉંગ્રેસે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળીને પાટીદાર આંદોલનકારીઓ તેમ જ ખેડૂત સમુદાય સાથે સીધો સંવાદ સ્થાપવાની હાકલ કરી હતી. વરિષ્ઠ કૉંગ્રેસી નેતાઓ અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ ઉપરાંત વિપક્ષના નેતા પરેશ ધાનાણી તથા ધારાસભ્યો સહિત કૉંગ્રેસના એક પ્રતિનિધિમંડળે ગુરુવારે સાંજે મુખ્ય પ્રધાનની ઑફિસમાં વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી અને ધરતીપુત્ર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે તેની સાથે સીધો સંવાદ સાધવા, ખેડૂતોનું દેવું માફ કરવા અને અલ્પેશ કથિરિયા સહિતના પાટીદારો સામેના ખોટા કેસો પાછા ખેંચી લેવા રજૂઆત કરી હતી. આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે એવી ચીમકી પણ આપી હતી.

હાર્દિક પટેલનું ઉપવાસ આંદોલન જ્યારે 13માં દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે કૉંગ્રેસે હવે આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે. કૉંગ્રેસના પ્રતિનિધિમંડળે ગુરુવારે સીએમ રૂપાણીની મુલાકાત લઈને તેમને આ મામલે હાર્દિક સાથે સંવાદ સાધવા તેમ જ ખેડૂતોના હિતમાં પગલાં લેવા રજૂઆત કરી હતી. એટલું જ નહીં આ મામલે રાજ્ય સરકાર 24 કલાકમાં પગલાં નહીં લે તો શુક્રવારે સવારે 11 વાગ્યાથી શનિવારે સવારે 11 વાગ્યા સુધી રાજ્યના તમામ જિલ્લામાં કૉંગ્રેસના કાર્યકરો ઉપવાસ આંદોલન કરશે અને વિરોધ વ્યક્ત કરશે. પાટીદારો માટે ઉપવાસ કરશે

September 6, 2018
h5.jpg
1min6890

છેલ્લા 13 દિવસથી ખેડૂતોના પ્રશ્ને આમરણાંત ઉપવાસે ઉતરેલા પાટીદાર (પાસ) નેતા હાર્દિક પટેલના સમર્થનમાં આજે સુરતના યુવાનોએ દેખાવો કરીને વરાછા-કાપોદ્રાની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાવી દીધી હતી. પાસના કાર્યકર્તાઓએ મિનીબજાર ખાતેની હીરાની ઓફીસો સામે પણ દેખાવો કરીને કામકાજ બંધ કરી દેવાની ફરજ પાડી હતી.

મીની બજારનું કામકાજ બંધ

આજે સવારે પાસના કાર્યકર્તાઓ વરાછા રોડના મીની હીરાબજાર ખાતે ગયા હતા અને ત્યાં જઇને સૂત્રોચ્ચાર સાથે હાર્દિક પટેલના સમર્થનમાં કામકાજ બંધ રાખવા માટે રજૂઆતો કરી હતી. મોટા ભાગના હીરા દલાલો તેમજ વેપારીઓ માર્કેટમાંથી નીકળી જતા આજે સવારે મીની બજાર ખાતે આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો.

ધારુકાવાળા શૈક્ષણિક સંકુલ પાસે વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા

(સ્કુલ યુનિફોર્મ અને માથે પાટીદાર ટોપી પહેરીને વિદ્યાર્થીઓએ સુરતના કાપોદ્રા વિસ્તારમાં દેખાવો યોજ્યા હતા)

 

 

કાપોદ્રા ધારુકાવાળા શૈક્ષણિક સંકુલમાં આવેલી કોલેજ અને સ્કુલના વિદ્યાર્થીઓ હાર્દિક પટેલના સમર્થનમાં રોડ પર આવી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. એક તબક્કે સમગ્ર વિસ્તારમાં તનાવપૂર્ણ સ્થિતિ સર્જાય જવા પામી હતી. સ્કુલ યુનિફોર્મ સાથે માથે પીળા રંગની ટોપી પહેરીને સ્કુલના વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાના સમર્થનમાં દેખાવો કર્યા હતા. પાસ સમર્થક યુવાનોના દેખાવોને પગલે ધારુકાવાળા કેમ્પસમાં ચાલતી તમામ કોલેજો તેમજ એન.એન.જે. પટેલ સ્કુલના શૈક્ષણિક કાર્યને ઘેરી અસર પહોંચી હતી.

September 6, 2018
jandhan.jpg
1min5410

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આ મુદ્દે ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે

(Symbolic Photo Of Jandhan Account Holders)

નોટબંધીના સમયગાળા પછીની બેંક અકાઉન્ટસમાં જમા કરવામાં આવેલી રકમ કાળું નાણું હતું કે નહીં એ અંગે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા તપાસનો દોર શરુ કરાયો છે. કેન્દ્ર સરકારને નોટબંધી બાદ જનધન ખાતાંમાં જમા થયેલી ૬૦ ટકા રકમ એટલે કે રૂ.400 અબજ જેટલી મસમોટી રકમ કાળુ નાણું હોય એવું લાગે છે. માલુતજારોએ જનધન અકાઉન્ટ હોલ્ડરને અમુક રકમ આપીને તેમના નાણા જનધન અકાઉન્ટસમાં ડિપોઝીટ કરાવ્યા હોવાનું જણાય આવે છે. સમગ્ર દેશમાં આ પ્રકારે કૌભાંડ આચરીને બ્લેક મની વ્હાઇટ કરી દેવાયા હોવાની શંકા કેન્દ્ર સરકારને છે.

મળતી માહિતી મુજબ  આશરે ૩.૭૦ કરોડ જેટલાં જનધન અકાઉન્ટ્સમાં આ રૂપિયા જમા થયા હોવાની શંકા છે. આવા ખાતાં ૬૦ ટકા જેટલાં છે જેમાં નોટબંધીના એક સપ્તાહ બાદ રકમ જમા થઈ હતી. ૩.૭ કરોડ જેટલાં બૅન્ક ખાતાંમાં ૨૦૧૬ની ૮ નવેમ્બરથી ૨૦૧૬ની ૩૦ ડિસેમ્બર દરમ્યાન ૪૨૨ અબજ રૂપિયા જમા થયા હતા. જાન્યુઆરી ૨૦૧૭ના સમયમાં જનધન ખાતાંમાંની રકમ ૭૦૦ અબજ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આમાંથી ૬૦ ટકાથી વધુ રકમ સામે સંદેહની નજરે જોવાય છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT) પાસે આવેલા આંકડા મુજબ પ્રથમદર્શી રીતે આ વાતને સમર્થન મળે છે. આ આંકડા ૧૮૭ રિપોર્ટિંગ એજન્સી તરફથી મળેલા છે. આ બધાની પણ તપાસ ચાલુ છે જે સમય માગી લે છે.

આ જનધન યોજનાનાં અકાઉન્ટ્સની અને તેના ડિપોઝિટર્સના પ્રોફાઇલની ચકાસણી થઈ રહી છે. આ રકમ ખરેખર તેમની છે કે બીજાની એ વિશે બારીક તપાસ હજી ચાલુ છે. આ રૂપિયા ગેરકાનૂની છે કે કેમ એ તપાસ એજન્સીઓની તપાસને કોર્ટ વૅલિડ ગણે એ પછી નક્કી કરાશે.

September 6, 2018
homosexuality.jpg
1min5370

કલમ 377 અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, બંધારણીય બેંચે કહ્યું- સમલૈંગિકતા હવે અપરાધ નહીં

કલમ 377 પર સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સંમતિથી બંધાયેલા સમલૈંગિક યૌનસંબંધોને ગુનાની શ્રેણીમાં મૂકતી કલમ 377ની માન્યતાને પડકારતી અરજીઓ પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેઓ તપાસ કરશે કે શું જીવવાના મૌલિક અધિકારમાં ‘યૌન આઝાદીનો અધિકાર’ સામેલ છે કે નહીં.

શું કહ્યું ચીફ જસ્ટિસે ?

કલમ 377 બાબતે ચુકાદો આપતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું, “કોઇપણ પોતાના વ્યક્તિત્વથી બચી શકતું નથી. સમાજ હવે વ્યક્તિગતતા
માટે ઘણો સારો છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં આપણા વિચાર-વિમર્શ વિભિન્ન પાસાઓ દર્શાવે છે.”

– “હું જે છું એ છું. પરિણામે જેવો છું તે જ સ્વરૂપમાં મારો સ્વીકાર કરવામાં આવે. સમલૈંગિક લોકોને સન્માન સાથે જીવવાનો અધિકાર છે.”

કલમ 377 શું કહે છે

– બેંચે સ્વીકાર્યું કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. લોકોએ પોતાના વિચારોમાં પરિવર્તન લાવવું પડશે. સીજેઆઇ દીપક મિશ્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકરે કહ્યું કે સમાન જાતિવાળા લોકોની વચ્ચે સંબંધ બનાવવો હવે કલમ 377 હેઠળ નહીં આવે.

– જજોએ કહ્યું કે સમાજ પૂર્વગ્રહોથી મુક્ત હોવો જોઇએ. દરેક વાદળમાં ઇંદ્રધનુષ શોધવું જોઇએ. ઉલ્લેખનીય છે કે ઇંદ્રધનુષી ધ્વજ એલજીબીટી સમુદાયનું પ્રતીક છે. સુપ્રીમ કોર્ટે આઇપીસીની કલમ 377ને મનમાની કલમ ગણાવી.

September 6, 2018
prafuldoshi.jpg
1min6910

Contact to give more details   98253 44944

સ્ત્રી રોગ અને મેટરનિટી હોમ ક્ષેત્રમાં અગ્રણી નામ ધરાવતા ડો. પ્રફુલ દોશી સામે દુષ્કર્મની પોલીસ ફરીયાદ થતાં તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

સુરતના નાનપુરામાં મી એન્ડ મમ્મી નામે પ્રસૃતિ ગૃહ તેમજ આઇ.વી.એફ. તેમજ અન્ય સ્ત્રી રોગની સારવાર માટે હોસ્પિટલ ચલાવતા ડો. પ્રફુલ દોશી અને ડો.મિત્સુ દોશી પોલીસ કાર્યવાહીથી બચવા માટે લાપતા થઇ જતા તેમનો બહોળો પેશન્ટ વર્ગ મુશ્કેલીમાં મૂકાઇ ગયો છે. અનેક ગર્ભવતી મહિલાઓના રૂટિન ચેકઅપ ખોરવાય જવા પામ્યા છે. અનેક મહિલા પેશન્ટસની એપોઇન્ટમેન્ટ કેન્સલ થઇ જવા પામી છે.

તબીબને સામાન્ય માણસો ભગવાન ગણે છે અને જ્યારે તબીબ પાસે સારવાર-ચિકિત્સા ચાલતી હોય ત્યારે દર્દીઓને તેમના પર અથાગ શ્રદ્ધા હોય છે. આવી સ્થિતિમાં ડો. પ્રફુલ દોશી સામે દુષ્કર્મની ગંભીર ફરીયાદ સામે આવતા તેમના બહોળા પેશન્ટ વર્ગમાં દ્વિધાભરી સ્થિતિ સર્જાવા પામી છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ જ્યારથી ગર્ભ ધારણ કરે ત્યારથી બાળકના જન્મ સુધી એક જ તબીબની સારવાર લેતી હોય છે આવી સ્થિતિમાં ડો. પ્રફુલ દોશી સામે ફરીયાદ થતા અનેક મહિલા પેશન્ટસની શ્રદ્ધા ડો. પ્રફુલ દોશી પરથી ડગી ગઇ છે. ડો. પ્રફુલ દોશીની સાથે તેમના પત્ની ડો.મિત્સુ દોશી પણ ભૂગર્ભમાં ઉતરી જતા કશુંક રંધાય રહ્યાની અનુભૂતિ થાય એ સ્વાભાવિક છે.

હાલ તો મી એન્ડ મમ્મી હોસ્પિટલ ખાતે તેમના આસિસ્ટન્ટ ક્લાયન્ટ્સની દેખરેખ કરી રહ્યા છે પરંતુ, તેમના બહોળા પેશન્ટ વર્ગમાં દોશી દંપતિ પ્રત્યેની શ્રદ્ધા ડગી જવા પામી છે.

ડો. પ્રફુલ દોશી પર મંગળવાર તા.4 ઓગસ્ટ 2018ની મધરાતે એક પરણિતાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. એ પછી ગઇકાલ બુધવાર તા.5 અને આજે તા.6 સપ્ટેમ્બર 2018ના રોજ ડો. પ્રફુલ દોશી અને ડો. મિત્સુ દોશી દંપતિનો કોઇ અતોપતો ન હતો. તેમનો સ્ટાફ એવું જણાવી રહ્યો છે કે તેઓ બહારગામ ગયા છે પરંતુ, હકીકતમાં ડો. પ્રફુલ દોશી પોલિસ કાર્યવાહીથી બચવા માટે અને કાયદાકીય રીતે આગળ વધવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયેલા હોય એમ જણાય આવે છે.

September 6, 2018
lowestair.jpg
1min5500
  • એતિહાદ અને ઇન્ડીગો દ્વારા ઇન્ટરનેશનલ રુટ્સના ફ્લાઇટ રેટસનું સેલ શરૂ થઇ રહ્યું છે
  • જેટ એરવેઝ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના ઘટાડેલા દરો જાહેર કરી દીધા છે

 

આંતર રાષ્ટ્રીય ફ્લાઇટ્સના દરો અત્યંત ઘટાડી દઇને હવે ભારતીય પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે. જેટ એરવેઝ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રિટર્ન ટિકીટના ભાવે અસામાન્ય રીતે ઘટાડાયા બાદ હવે એતિહાદ અને ઇન્ડીગો દ્વારા પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના દરો ઘટાડવાની ઘોષણા કરવામાં આવી છે અને આ બન્ને એરલાઇન્સની ટિકીટમાં સેલ આગામી બે દિવસમાં શરૂ થઇ રહ્યું છે. શરત ફક્ત એ છે કે ચેન્નઇથી ઉડવાનું રહેશે.

ઇન્ડીગો અને એતિહાદ દ્વારા મિડલ ઇસ્ટ કન્ટ્રીઝની ટિકીટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે જ્યારે જેટ એરવેઝ દ્વારા ડાયરેક્ટ યુરોપીયન દેશોની ફ્લાઇટ્સના દરો ઘટાડી દેવાયા છે.

જેમકે આગામી મહિનાથી ચેન્નઇ થી દુબઇની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.12 હજારથી રૂ.15 હજાર જેટલા ઘટી રહ્યા છે. એવી જ રીતે ચેન્નઇથી પેરીસની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.45 હજાર જેટલા વધુ હતા તેમાં રૂ.32 હજાર જેટલો ઘટાડો થયો છે. હવે ચેન્નઇથી પેરીસની રાઉન્ડ ટ્રીપના દરો રૂ.59 હજારથી રૂ.62 હજાર છે જે પહેલા રૂ.65 હજારથી વધુ હતા.

ડેસ્ટીનેશન         નવા દરો                       જૂના દરો

ચિકાગો           57થી 67 હજાર                60થી 75 હજાર

પેરીસ              30થી 35 હજાર                 35થી 38 હજાર

ફ્રેન્કફર્ટ            41થી 46 હજાર                 45થી 50 હજાર

લંડન               37થી 44 હજાર                 40થી 49 હજાર

દુબઇ               11થી 15 હજાર                   13થી 16 હજાર

અબુ ધાબી      17,700થી 20 હજાર         18થી 25 હજાર

વધુમાં એતિહાદ દ્વારા એવી પણ ઘોષણા કરવામાં આવી છે કે કંપની દ્વારા એરલાઇન્સના નેટવર્ક વિસ્તારમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના દરજ્જાઓમાં ઇકોનોમી ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ભારતના ટ્રાવેલ ઓપરેટર્સ પણ જણાવે છે કે ચેન્નઇથી ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન્સ પર ફરવા જવા માટેની આ સૌથી સસ્તી ઇન્ટરનેશનલ એરટિકીટ હશે.

September 5, 2018
funds.jpg
1min5760

મુંબઇ અને સુરત જેવા શહેરોમાં હાલ ગણપતિ ઉત્સવના નામે ફંડ-ફાળા ઉઘરાણાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગણપતિ ઉત્સવ માટે ફંડફાળો ઉઘરાવવા માટે યુવક મંડળો ક્યાં જોર-જુલ્મી ક્યાંક પ્રેમ-મુહોબ્બત તો ક્યાંક સ્વૈચ્છીક સહારો લેતા હોય છે પરંતુ, છેલ્લા ત્રણેક વર્ષમાં મોટા ભાગે સાર્વજનિક ગણેશોત્સવ સ્થળે ગણપતિ બેસાડતા યુવક મંડળો ફિક્સ ફાળો અને એ પણ દાબદબાણથી ઉઘરાવી રહ્યા છે અને આ પ્રવૃત્તિને કારણે જ ઘર્ષણની સ્થિતિ જોવા મળી રહી છે. વડોદરામાં ગણપતિના ફાળાની ઉઘરાણીમાં જ એક યુવાનનું મર્ડર થઇ ગયું હોવાની વિગતો જાણવા મળે છે.

વડોદરામાં યુવાનનું મર્ડર

વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે ભૈરવનગર પાસે રહેતા કેટલાક યુવાનો દ્વારા બહુચર્ચીત ઉકાજીના વાડીયામાં ગણપતિની સ્થાપના કરવામાં આવતી હોય છે. તેના માટે ફાળો ઉઘરાવવાના મામલે વિવાદમાં આ વિસ્તારના સંજુ ચંદુભાઇ કહાર, કાલુ કહાર અને અજય કહાર રવિવારે રાત્રે ઉકાજીના વાડીયામાં જ રહેતા રમેશ ઉર્ફે ટીનો રણછોડભાઇ ભોઇની સાથે બોલાચાલી થઇ હતી. જાહેર રસ્તા પર આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો હતો કે, મારામારીની સાથે આસપાસમાં ઉભી રહેલી લારીઓની તોડફોડની પણ ઘટના બની હતી. આ મામલો પોલીસ મથક સુધી પહોચી ગયો હતો. બંન્ને પક્ષે પોલીસ મથકમાં ફરીયાદ પણ નોંધાઇ હતી. પરંતુ પોલીસ પગલા ભરે તે અગાઉ તો ફરીથી સોમવારે સવારે પણ મામલો બિચક્યો હતો. એક તબક્કે તો આસપાસના લોકોએ વચ્ચે પડીને ટીના અને સંજુને છોડાવ્યા હતા. ટીનો ત્યાંથી રવાના થઇ ગયો હતો.

સુરતમાં દાદાગીરી કરીને ગણપતિ ઉત્સવના ફાળાની ઉઘરાણું

સુરત શહેરમાં અનેક માર્ગો પર ગણેશજીની સ્થાપના કરતા યુવકો દ્વારા આસપાસના દુકાનદારો, વ્યવસાયિકો પાસેથી દાદાગીરી કરીને ફંડફાળાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની અનેક ફરીયાદો ઉઠવા પામી ચૂકી છે. દુકાનદારો કે વ્યવસાયિકો ગણેશ મંડળોને તેમના માગ્યા મુજબનો ફાળો નહીં આપે તો તેના ધંધાકીય સ્થળની સાથે તોડફોડ કરવામાં આવતી હોવાની પણ ફરીયાદો ઉઠી છે. કેટલાક યુવક મંડળો દ્વારા રૂ.1100થી લઇને રૂ.10 હજાર સુધીનો ફાળો દુકાનદારો, વ્યાપારીઓ પાસેથી માંગવામાં આવી રહ્યાની બુમો ઉઠી છે. કેટલાક યુવક મંડળોએ તો ફંડ ઉઘરાણાની આખેઆખી રશીદ બુકો જ બજારમાં ફરતી કરી દીધી છે. પોતાના વિસ્તારમાંથી તો ફાળો ઉઘરાવતા હોય છે પરંતુ, મંડળો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોથી લઇને સુરત અને આજુબાજુના ગામડાઓમાંથી પણ ગણેશના નામે ફંડફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે.

September 5, 2018
HDFCergo-1.jpg
2min9180

Jayesh Brahmbhatt  98253 44944

એચડીએફસી અર્ગોએ સાઇબર જોખમ સામે રક્ષણ અપાવવા માટે એક વીમા પોલિસી લોન્ચ કરી છે. તેમાં બિનસત્તાવાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ફિશિંગ અને ઇ-મેઇલ સ્પૂફિંગ, ઇ-એક્સટોર્શન, આઇડેન્ટિટી થેફ્ટ, ઇ-રેપ્યુટેશનને નુકસાન સામે રક્ષણ આપવામાં આવશે.

આ પોલિસીમાં વ્યક્તિઓને અને તેમના પરિવારોને નાણાકીય અથવા પ્રતિષ્ઠાનું નુકસાન પહોંચાડી શકે તેવા સાયબર એટેક, સાયબર ફ્રોડ અને ડિજિટલ જોખમો સામે સંપૂર્ણ રક્ષણ આપવાનો વિકલ્પ છે. તેના હેઠળ સમ એસ્યોર્ડ ₹50,000થી લઈને એક કરોડ સુધી છે. ₹50,000ની પોલિસી ઉતરાવવાનો વાર્ષિક ખર્ચ ₹1,410 આવશે જ્યારે એક કરોડના કવર માટેનું પ્રીમિયમ ₹25,198 છે. સમ એસ્યોર્ડના 0.14 ટકાથી લઈને ત્રણ ટકા સુધી પ્રીમિયમ રહેશે.

એચડીએફસી અર્ગોના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે ભારત બીજા ક્રમનું સૌથી મોટું ઓનલાઇન માર્કેટ છે અને જોરદાર વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સાથે સાથે સાયબર રિસ્ક અને ફ્રોડના પ્રમાણમાં પણ વધારો થયો છે. આ ઇન્શ્યોરન્સ પોલિસી વ્યક્તિને આધુનિક કનેક્ટેડ લાઇફની સાથે આવતાં જોખમો સામે રક્ષણ પૂરું પાડશે. સાયબર સતામણી કે ધમકીના કારણે વ્યક્તિએ મનોવૈજ્ઞાનિકની મદદ લેવી પડે તો તેના કાઉન્સેલિંગ સત્રમાં ઉઠાવવા પડતા સત્રનો ખર્ચ આવરી લેશે. આ ઉપરાંત જોખમના કારણે કોઈ વિવાદ થાય તો તેના લીગલ ખર્ચને પણ પોલિસી હેઠળ આવરી લેવામાં આવશે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના 2016ના અહેવાલ પ્રમાણે ૨૦૧૬માં સાયબર ક્રાઇમના કેસમાં એક વર્ષમાં 6.3 ટકા વધારો થયો હતો અને 12,317 ગુના નોંધાયા હતા.

 

E@Secure Insurance Policy

The word INTERNET has turned our existence upside down. It has changed the way we work, socialize, create and share information and organize the flow of people, ideas, and things around the globe. Today, we spend much of our time on the internet surfing, shopping, sharing and even meeting new people. There is no doubt that internet has given us convenience and improved our life enormously, but at the same time it has also proven as a dangerous place which exposes us to the risks that exist in cyber space, such as the risk of damage to your e-reputation, fraudulent transactions with your credit cards, debit cards, theft of your personal information, etc.

HDFC ERGO brings to you E@Secure Insurance, a product designed to provide protection to individual customers in the event of online breach (arising directly from the use of internet) by the third parties resulting due to covered risk.

Key Features

  • Protection against cyber risks and frauds carried out from any device anywhere in the world
  • Coverage for entire family including spouse, 2 dependent children (no age limit)
  • Pays for legal advice and covers legal cost / expenses arising out of any covered risks
  • Covers unauthorized online transactions
  • Covers loss due to phishing and email spoofing
  • Covers online reputation & identity theft
  • Covers cyber bullying, internet trolling & harassment
  • Covers loss due to E-extortion
  • Covers cost for consulting psychologist
  • Various pre-determined limits to choose from