

આમ આદમી પાર્ટીના દહેરાદૂનના મેયર તરીકેના ઉમેદવાર રજની રાઉતની કહાની ફિલ્મી સ્ટાઇલથી કમ નથી
રાજ્યમાં મતદાન માટે કિન્નરોને થર્ડ જેન્ડરનું આઇ-કાર્ડ આપવામાં આવે છે, પરંતુ ઉમેદવારના આવેદનમાં માત્ર મહિલા કે પુરુષ બે જ કૉલમ છે અને ચૂંટણી-અધિકારીના આગ્રહ મુજબ આ વખતે રજની રાવતે પુરુષ બનીને ચૂંટણી લડવી પડશે.
ઉત્તરાખંડના રાજકારણમાં પ્રવેશવા માગતી આમ આદમી પાર્ટીએ આ વખતે કિન્નર રજની રાવતને દેહરાદૂનના મેયરપદની ટિકિટ આપી છે. રજની રાવત પહેલાં બે વાર દેહરાદૂનના મેયરની ચૂંટણી લડી ચૂકી છે, પરંતુ બે વાર મહિલા તરીકે ઉમેદવારી નોંધાવનારાં રજની રાવતને હવે પુરુષ તરીકે ઉમેદવારી નોંધાવવી પડી છે. ઉત્તરાખંડની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે.

૨૦૦૮ અને ૨૦૧૩માં થયેલી ચૂંટણીમાં પણ મેયરના પદ માટે કિન્નર રજની રાવતે ઉમેદવારી નોંધાવી હતી. બન્ને વખતે તેમણે મહિલા તરીકે ચૂંટણી લડી હતી. જોકે આ વખતે તેમના આવેદનપત્રમાં તેમણે પુરુષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. રજની રાવત પણ એનાથી પરેશાન છે. તેમનું કહેવું છે કે બધા જ દસ્તાવેજોમાં તેમની જાતિ સ્ત્રી તરીકે જ નોંધાઈ છે. તેઓ મહિલાઓના વેશમાં જ રહે છે અને સમાજ પણ તેમને આ જ સ્વરૂપે સ્વીકારે છે. એમ છતાં ચૂંટણી-અધિકારીના કહેવા પર તેમણે ઉમેદવારીમાં પોતાની જાતિ પુરુષ સિલેક્ટ કરવી પડી છે.

પહેલી ગુજરાતી SCI-FI ફિલ્મ ‘શોર્ટ સર્કિટ’નું ટીઝર પોસ્ટર રીલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના પોસ્ટરમાં ફક્ત એક વ્યક્તિનો હાથ દર્શાવાયો છે. આ હાથના કાંડા પર ઘડિયાળ બાંધેલી છે. અને ઘડિયાળની અંદર સમયની સાથે સાથે ફરી એનો એ જ હાથ દેખાયા કરે છે. પોસ્ટર જોયા બાદ ફિલ્મ ટાઈમ ટ્રાવેલ પર હોય તેવું લાગી રહ્યું છે. તો એક શક્યતા ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાની ગુજરાતી રિમેક હોવાની પણ છે.
આ ફિલ્મમાં RJ ધ્વનિત લીડ રોલમાં છે. તો ધ્વનિતની સાથે કિંજલ રાજપ્રિયા અને સ્મિત પંડ્યા છે. તો ઉત્કર્ષ મઝુમદાર, રાગી જાની અને અર્ચન ત્રિવેદી જેવા દમદાર એક્ટર્સની હાજરી પણ છે. ફિલ્મને ફૈઝલ હાશ્મી, ભાર્ગવની સાથે મોહસીને લખી છે. ફૈઝલ હાશ્મીએ જ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ટ્વાઈલાઈટ પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ રિલીઝ થઈ રહી છે.

જો કે ફિલ્મના ડિરેક્ટર ફૈઝલ હાશ્મીના કહેવા પ્રમાણે,’શોર્ટ સર્કિટ’ કોઈ ફિલ્મની રિમેક કે કૉપી નથી. આ એક ઓરિજિનલ સ્ટોરી છે. ફિલ્મ એક કમ્પ્યુટર એન્જિનિયરની સ્ટોરી છે. ફિલ્મનો હીરો કોઈ ટ્રેપમાં ફસાય છે પછી તેમાંથી કેવી રીતે બહાર નીકળે છે, પોતાની સમસ્યાઓ સામે લડતા સામાન્ય વ્યક્તિની આ સ્ટોરી છે. ફિલ્મ આ સંઘર્ષની વાત કરે છે.’ જો કે આ બધામાં ટેક્નોલોજી કેવી રીતે મદદ કરે છે, ફિલ્મમાં શું થાય છે તે જાણવા માટે ફિલ્મ જ જોવી પડશે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધીમેધીમે પીક પકડી રહી છે. મસાલા અને કોમેડી ફિલ્મ્સની સાથે સાથે હવે ઈન્ડસ્ટ્રીમાં નવા એક્સપેરિમેન્ટ પણ થઈ રહ્યા છે. ‘ઢ’ અને ‘રેવા’ જેવી ડિફરન્ટ ટાઈપ્સની ફિલ્મો પણ દર્શકોને પસંદ પડી છે. ત્યારે હવે ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર આવશે પહેલી ગુજરાતી સાયન્સ ફિક્શન ફિલ્મ.
Jayesh Brahmbhatt 98253 44944
નવું ન કરે તો સુરતી નહીં…આ કહેવત સુરતીઓની લાઇફ સ્ટાઇલ પરથી પ્રસ્થાપિત થઇ રહી છે. દાયકાઓથી શરદપૂર્ણિમા અને ચંદી પડવાની નાઇટ્સ હોય એટલે સુરતીઓ માટે તો જાણે ખાણી પીણીની જયાફત ઉડાડવાનો મોકો પણ હોય અને દસ્તુર તો ખાઇ-પી ને મસ્ત થવાનો તો ખરો જ. શરદપૂર્ણિમાએ દુધ-પૌંઆ ભલે નાની કટોરી ભરીને ખાતા હોય પણ તેની સાથે ભજીયા-ચટાણી અને અન્ય તમતમતી ચટાકેદાર વાનગીઓ આરોગવાનું સુરતીઓ ભૂલતા નથી અને ચંદી પડવાઓ તો ઘારી-ભૂસું ભલે નામનું હોય, પણ સુરતીઓનું આ નાઇટનું મેનુ ધમાકેદાર અને સાંભળી ને જ મોંમા પાણી લાવી દેનારું હોય છે.
ઇન શોર્ટ શરદપૂર્ણિમા કે ચંદી પડવાની ફુલ ચાંદની રાતો સુરતીઓ માટે ખાણીપીણી અને ધાંધલ-ધમાલ, પાર્ટી ઓલ નાઇટ જેવી હોય છે. આવી સ્થિતિમાં વિચારો કે કોઇ સુરતી બિલકુલ શાંત ચિત્તે ચાંદની શીતળ ઠંડક અને ટાઢા પ્રકાશમાં મેડિટેશન કરતો હોય ખરો? જે લોકો સુરતીઓનો ઓળખે છે એનો જવાબ તો બિલકુલ ના જ હોય. કે સુરતીઓ એટલિસ્ટ ચંદી પડવા કે શરદ પૂનમની રાતે તો બિલકુલ ચૂપચાપ શાંતિથી બેસીને મેડીટેશન કરે એ વાતમાં માલ નથી.
પણ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ આપને અહીં જે ફોટા બતાવી રહ્યું છે એને જોયા પછી તમારે માનવું પડશે કે તા.24મી ઓક્ટોબર 2018ના રોજ શરદ પૂર્ણિમાએ સોળે કળાએ ખીલેલા ચંદ્રની શીતળ છાયામાં સુરતીઓએ મેડીટેશન કર્યું હતું. શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં પૂજા-અભિષેક બિલ્ડિંગની ટેરેસ પર ભેગા થયેલા સુરતીઓએ શરદપૂનમની રાત્રે મસ્ત મજાનું મેડિટેશન કરીને માનસિક શાંતિ મેળવી હતી. જાણીતા સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસની આગેવાની હેઠળ આ મેડીટેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ભાગ લેનારા સુરતીઓએ પણ કંઇક નવીન અનુભૂતિ કરી હોવાનું જણાવ્યું હતું. આ સુરતીઓ એટલા ધ્યાન મગ્ન હતા કે તેઓ બધું ભૂલીને મેડીટેશનમાં મસ્ત બની ગયા હતા જે તસ્વીરોમાં જોઇ શકાય છે.
આ મેડીટેશન કેમ્પનું આયોજન કરનાર સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસ એ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું છે કે આ એક ફુલ મુન એનર્જી મેડીટેશન સિટીંગ હતી. દોઢથી બે કલાક સુધી સુરતના લોકોએ સોળે કળાએ ખીલેલા ચંદ્રનો પ્રકાશ ગ્રહણ કર્યો હતો. આ બન્ને દિવસોની રાત્રીએ ચંદ્રનો પ્રકાશ, તેજ, કિરણો જે ગણો તે એટલા ફળદાયી હોય છે કે માનવ શરીરના અનેક પ્રશ્નોને નૈસર્ગિક રીતે ઉકેલી શકે છે. સ્કીન ડિસીઝ, એલર્જી વગેરેમાં પણ શરદ પૂનમ અને ચંદી પડવાના ચંદ્રનો પ્રકાશ બહું જ ફાયદાકારક રહે છે. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા 6 વર્ષથી દર શરદ પૂનમની રાત્રે સુરતીઓ માટે આ પ્રકારના એનર્જી મેડીટેશન કેમ્પ યોજી રહ્યા છે.
.. છે ને આપણે સૌ સુરતીઓ અનપ્રિડિક્ટીબલ….

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાતે સુરતીઓએ અઠવાલાઇન્સ ખાતેના એક એપાર્ટમેન્ટના ટેરેસ પર મેડીટેશન કર્યું હતું.)

(શરદ પૂનમની રાત્રે છેલ્લા 6 વર્ષથી સુરતીઓ માટે એનર્જી મેડીટેશન કેમ્પ યોજતા સુરતના જાણીતા સ્પિરીચ્યુઅલ ટ્રેનર-અૉરો રિડર ફિરોઝ મોરકસ)

ઉડ્ડયન ઉદ્યોગની નં 1 કંપની ઇન્ડિગોએ તેના 64 ડેસ્ટિનેશન્સના નેટવર્ક માટે દિવાળી સ્પેશિયલ સેલ લોન્ચ કર્યો છે, જેની હેઠળ તે ₹899 જેટલા પ્રારંભિક ભાડામાં હવાઈટિકિટ વેચશે. ભારતની એરલાઇન કંપનીઓની બેલેન્સશીટ પહેલેથી જ ખોટમાં છે ત્યારે આવી સસ્તી ટિકિટની સ્પર્ધા વધવાને કારણે તેમની નાણાકીય મુશ્કેલી વધુ ખરાબ થઈ શકે છે. “24 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર માટે શરૂ થયેલી આ ઓફરમાં 10 લાખ સીટ આવરી લેવાઈ છે. આ ઓફર હેઠળ 8 નવેમ્બર 2018થી 15 એપ્રિલ 2019 વચ્ચેની ટિકિટો ખરીદી શકાશે, જેની પ્રારંભિક કિંમત ₹899 (ઓલ-ઇન્ક્લુઝિવ)થી શરૂ થશે.” એમ ઇન્ડિગોએ તા.24 ઓક્ટોબર 2018ના એક નિવેદનમાં જણાવ્યું હતું. ઇન્ડિગોએ પ્રવાસની પિક સીઝન દરમિયાન લોન્ચ કરેલા સેલનું અનુકરણ હરીફ એરલાઇન્સ પણ કરે તેવી શક્યતા છે.

દહેજ-ઘોઘો વચ્ચે રો-રો ફેરી સર્વિસ આડે સતત વિધ્નો આવી રહ્યા છે. અગાઉ નરેન્દ્ર મોદીએ ફક્ત મુસાફરો માટેની દહેજ-ઘોઘા વચ્ચેની રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી. એ પછી તેને બંધ કરીને માલવાહક ટ્રક, વાહનો સમેત મુસાફરોને લઇ જતી રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાનું આયોજન પૂરું કરીને ગઇ તા.12મી ઓક્ટોબર 2018ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવાનું આયોજન હતું, પણ તૈયારીઓ પૂરી ન થઇ શકતા એ તા.27મી ઓક્ટોબર 2018ના રોજ એટલે કે બે દિવસ બાદ કરવાનું આયોજન હતું. હવે તા.27મી ઓક્ટોબરે પણ રો-રો ફેરી સર્વિસ શરૂ થવા સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે કેમકે આજરોજ તા.25મી ઓક્ટોબર 2018ના રોજ ટ્રાયલ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી અને શીપ સાથેની સેફ્ટી બોટ ડૂબી જતા 7 લોકો ડુબ્યા હતા જેમાંથી 6ને બચાવી લેવાયા છે જ્યારે એક વ્યક્તિ ઘટનાના કલાકો પછી પણ મળી આવી ન હતી.

દહેજ ઘોઘા રોરો ફેરીમાં વાહનો પણ લઈ જઈ શકાય તેવું વિશાળ જહાજ સામેલ કરવામાં આવ્યું છે. દહેજ-ઘોઘા રોરો ફેરીની શીપ સાથે રહેલી સેફ્ટી બોટ આજે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ દરિયામાં અચાનક શીપથી છૂટી પડી ગઇ હતી અને કર્મચારીઓ હજુ કંઇ સમજે એ પહેલા તો એ દરિયાનાં પાણીમાં ઉંધી વળી ગઈ હતી. આ બોટમાં ૭ લોકો સવાર હતા. જેમાંથી ૬ લોકોને બચાવી લેવાયા છે. પરંતુ હજી પણ એક કર્મચારી લાપતા છે. જેની મરિન પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
લગભગ 11 હજાર જેટલા આમંત્રિતોની હાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણ પ્રસંગે તા. 31 ઓક્ટોબર 2018ના દિવસે ખુદ સરદાર વલ્લભભાઈ પટેલના પૌત્ર જ હાજર નહીં રહે તેવી શક્યતા છે. 78 વર્ષના ગૌતમભાઈ અને તેમની પત્ની વડોદરામાં રહે છે. પણ તેમનો પુત્ર કેદાર અમેરિકામાં સ્થાયી થયો હોવાથી તેઓ વડોદરા અને અમેરિકા વચ્ચે આવન જાવન કરતા રહે છે. હાલમાં પણ તેઓ અમેરિકા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ૧૫ દિવસથી સીએમઓ દ્વારા આ સમારોહમાં ગૌતમભાઈ અને તેમના પત્ની હાજર રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પણ તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. વલ્લભ વિદ્યાનગરમાં રહેતા સરદાર પટેલના ભત્રીજા મનુભાઈ પટેલના પુત્ર ભુપેન્દ્ર પટેલનુ કહેવુ છે કે તેમનો કોન્ટેક્ટ કરવાના અમારા પરિવારના તમામ પ્રયત્નો પણ નિષ્ફળ ગયા છે.
ગૌતમભાઈ આ કાર્યક્રમમાં હાજર રહે તેવુ લાગતુ નથી. એમ પણ જાહેર સમારોહથી તેઓ દુર રહેવાનુ જ પસંદ કરે છે. જોકે સરદાર પટેલ પરિવારના બીજા ૩૦ સભ્યો લોકાર્પણના કાર્યક્રમમાં હાજર રહેશે. સરદાર પટેલ પરિવારના તમામ સભ્યોને ગોલ્ડ પાસ આપવામાં આવ્યા છે જેથી તેઓ પીએમ સહિતના વીવીઆઈપીઓની સાથે બેસી શકે.
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સુરતની જાણીતી હીરાની પેઢી હરેકૃષ્ણે એક્સપોર્ટ દ્વારા ચાલુ વર્ષે પણ દિવાળી પૂર્વે તેના 600 કર્મચારીઓને મોટરકારની ચાવી અર્પણ કરવાનો કાર્યક્રમ તા.25મી ઓક્ટોબર 2018ના રોજ યોજી રહી છે.

કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ હરે કૃષ્ણ પેઢીના સ્થાપક સવજીભાઇ ધોળકીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે મોટરકાર આપવાના કાર્યક્રમને સ્કીલ ઇન્ડિયા ઇન્સેન્ટીવ મિશન નામ આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મોટરકાર એવા કર્મચારીઓને મળી રહી છે જેમણે તેમનામાં સ્કીલ ડેવલપ કરી કંપનીને ફાયદો કરાવ્યો છે. ટૂંકમાં કંપની માટે કર્મચારીઓએ કરેલી મહેનતનું પરિણામ તેઓ તેમને મોટરકાર અપાવીને કે ઘર લેવા માટેની ફિક્સ ડિપોઝિટ કરીને ચૂકવશે.

સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે કર્મચારીઓને ઇન્સેન્ટીવ માટે પસંદ કરવામાં આવેલા 600 કર્મચારીઓએ પોતાને મોટરકાર જોઇએ છે તેવી માગણી કરતા તેમણે મારુતી સેલેરીયો, મારુતી અલ્ટો અને રેનૉલ્ટ ક્વીડ કાર લઇ આપી છે. તેમણે મોટરકાર ઉત્પાદક કંપનીઓ સાથે જ સીધું ડિલિંગ કર્યું છે એટલે પ્રતિકાર 80 હજાર જેટલું જંગી ડિસ્કાઉન્ટ મળ્યું હોવાનું પણ સવજીભાઇએ કહ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ કાર્યક્રમમાં આવે એટલા માટે સંપર્ક કરાયો હતો પણ તેઓ વ્યસ્ત હોવાથી નહીં આવી શકે પણ, તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે તેઓ દિલ્હી ખાતે સુરતની હરેકૃષ્ણ એક્સપોર્ટના 4 કર્મચારીઓ જેમાં 2 દિવ્યાંગ મહિલા કર્મચારીનો સમાવેશ થાય છે તેમને ટોકન ચાવી ગીફ્ટ કરશે એ પછી સુરત ખાતે ઇચ્છાપોરમાં હરેકૃષ્ણ કંપની ખાતે બાકીના કર્મચારીઓને કાર ભેટમાં આપવામાં આવશે.
કર્મચારીઓને કાર વિતરીત કરાયા પછી કંપની તેમના વતી હપ્તો ભરશે, આ હપ્તોની રકમ એ જે તે કર્મચારીઓએ કરેલી મહેનતના બદલામાં તેમને આપવામાં આવેલું પ્રતિ માસ રૂ.6 હજારની રકમનું ઇન્સેન્ટીવ જ છે.
સવજીભાઇએ એક વાત મહત્વની એ પણ કરી કે ઇન્સેન્ટીવ પામનારા દરેક કર્મચારીઓને માગે એટલે કાર નથી આપતા પણ તેઓ પહેલા એ ચેક કરે છે કે કર્મચારી પાસે પોતાનું ઘર છે કે નહીં, ઘર ન હોય તો તેઓ પહેલા ઘર લેવા માટે ઇન્સેન્ટિવના નાણાં ઉપયોગમાં લેવાની સૂચના આપે છે, જેમની પાસે ઘર હોય તેઓને જ કાર લેવાની પરમિશન અપાય છે.
સુરતના આંગણે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિષય પર એક અત્યંત ઉપયોગી સેમિનાર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાઇ રહ્યો છે. આ સેમિનારના નિષ્કર્ષનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

કૃષિ રસાયણોના અતિરેકથી જમીન, પાણી, હવા અને ખોરાકના પ્રદૂષણો વધ્યા છે અને પર્યાવરણના પરિબળો અસમતોલ થતાં ઉભા થયેલા પ્રશ્નોનો એક માત્ર ઉકેલ સજીવ ખેતી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના બાગાયત ખાતું અને ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પાકોમાં સજીવ ખેતી ઉપર એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો છે.
આ સેમિનાર તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે 8.30 કલાકથી શરૂ કરીને સાંજે 6 કલાક સુધી ચાલશે. અઠવા કૃષિ ફાર્મ, કલામંદિર જ્વેલર્સની પાછળના ભાગે આવેલા અસ્પી શકીલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ ખાતે આ એક દિવસીય સેમિનારમાં અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયા ઉપસ્થિત રહેશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.સી. પટેલ આ સેમિનારનું ઉદઘાટન કરશે. જ્યારે ગુજરાત રાજ્યના બાગાયત નિયામક શ્રી ડો.પી.એમ. વઘાસીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના શ્રી મથુરભાઇ સવાણી, ઉદ્યોગપતિ શ્રી દેવરાજભાઇ આર. મુંજાણી અને અસ્પી, મલાડ-મુંબઇના શ્રી શરદભાઇ પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.
