CIA ALERT

Alert Archives - Page 426 of 512 - CIA Live

December 22, 2018
rajiv_gandhi-1.jpg
1min10130

૧૯૮૪નાં સિખવિરોધી રમખાણોને ધ્યાનમાં રાખતાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને એનાયત કરવામાં આવેલો ભારત રત્નનો ઇલકાબ પાછો લેવાની માગણી કરતી દરખાસ્તને દિલ્હીની વિધાનસભાએ મંજૂરી આપી હતી.

AAPના વિધાનસભ્ય જરનૈલ સિંહે રજૂ કરેલી દરખાસ્ત વૉઇસ વોટથી પસાર કરવામાં આવી હતી. દરખાસ્તમાં જણાવવામાં આવ્યું હતું કે ‘દિલ્હીની રાજ્ય સરકારે ગૃહમંત્રાલયને કડક શબ્દોમાં પત્ર લખીને જણાવવું જોઈએ કે રાષ્ટ્રીય રાજધાનીના ઇતિહાસમાં સૌથી વધારે ક્રૂર હત્યાકાંડના પીડિતો હજી ન્યાયથી વંચિત છે. રાજ્ય સરકારે ડોમેસ્ટિક વાયલન્સના કાયદામાં માનવતાવિરોધી કૃત્યો અને હત્યાકાંડોનો સમાવેશ કરવા માટે મહત્વપૂર્ણ અને જરૂરી પગલાં લેવાં જોઈએ.’ દિલ્હી હાઈ કોર્ટે સિખવિરોધી રમખાણોના કેસમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સજ્જન કુમાર તથા અન્યોને આજીવન કેદનો ચુકાદો આપ્યો હતો.

ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી સિખવિરોધી રમખાણોના બચાવમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે કોઈ વિશાળ વટવૃક્ષ તૂટે ત્યારે સ્વાભાવિક રીતે જ આસપાસની જમીન ધ્રૂજે છે. ઇન્દિરાજીની હત્યા પછી રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા. તેમને ૧૯૯૧માં ભારત રત્નનો ઇલકાબ ભારત સરકારે એનાયત કર્યો હતો. અગાઉ હરિયાણાના આરોગ્યપ્રધાન અનિલ વિજે ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણો માટે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સજ્જન કુમારને આજીવન કેદની સજાના ચુકાદાને બિરદાવતાં રાજીવ ગાંધીને મરણોત્તર સજાની માગણી કરી હતી. વિજે એ રમખાણો માટે મરણોત્તર સજારૂપે રાજીવ ગાંધીને આપવામાં આવેલાં સન્માનો, ઇનામો, પારિતોષિકો અને ઇલકાબો પાછાં લેવા અને જે યોજનાઓ, સ્ટેશનો, માર્ગો, વસાહતોને તેમનું નામ આપવામાં આવ્યું હોય એ બધાનાં નામો બદલવાની માગણી કરી હતી.

ખરેખર BJPની B ટીમ દિલ્હી વિધાનસભાએ પસાર કરેલી દરખાસ્ત બદલ કૉન્ગ્રેસે AAP સરકારની ટીકા કરી હતી. કૉન્ગ્રેસના નેતા અજય માકને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘રાજીવ ગાંધીએ દેશ માટે જીવન કુરબાન કર્યું હતું. તેમના માટે આવી માગણી કરવી ગેરવાજબી છે. ખ્ખ્ભ્નો અસલ ચહેરો આ દરખાસ્ત દ્વારા પ્રકાશમાં આવ્યો છે. હું માનતો હતો કે AAP હકીકતમાં BJPની B ટીમ છે. BJPને મદદ કરવા માટે જ AAPએ ગોવા, પંજાબ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને છત્તીસગઢની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ઉમેદવારો ઉતાર્યા હતા.’

December 22, 2018
vaccine.jpg
1min6480

ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ કર્યો બાળકોને રસી મુકાવવાનો ઇનકાર

પશ્ચિમી ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ તેમના સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મુકાવવાનો ઇનકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારના આરોગ્ય વિભાગે મદરેસાઓના સંચાલકો પાસે ત્યાં ભણતા સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મૂકવાની પરવાનગી માગી હતી, પરંતુ સંચાલકોએ એવી પરવાનગીનો ઇનકાર કર્યો હતો.

પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠના પરિસરની ૨૭૨ મદરેસામાંથી ૭૦ મદરેસાઓએ તેમ જ બિજનૌર અને મુરાદાબાદની મદરેસાઓએ બાળકોના રસીકરણ માટે પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના ઇનકારના કારણ વિશે મેરઠ જિલ્લાના વૅક્સિનેશન ઑફિસરે જણાવ્યું હતું કે ‘વૉટ્સઍપ મેસેજ દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી હતી કે ઓરી-અછબડાની રસી મુકાવવાથી છોકરાઓ નપુંસક થઈ જશે. મુસ્લિમોને નપુંસક બનાવવા માટે સરકાર તેમનાં સંતાનોને ઓરી-અછબડાની રસી મુકાવે છે.’

દેશના જુદા-જુદા પ્રાંતોમાંથી રસી મુકાવ્યા બાદ અનેક સ્ટુડન્ટ્સ બીમાર પડ્યા હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ભય ફેલાયો હતો. બાળકો બીમાર પડવા માટે વૅક્સિનેશન નહીં પણ અન્ય કોઈ કારણ હોવાનું સમજાવવાનો પ્રયાસ અમારા અધિકારીઓ કરી રહ્યા છે.’

December 22, 2018
governement_spying.jpg
1min5790

 

  • ટૅલિગ્રાફ ઍક્ટ અને 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારામાં પૂરતી સલામતી રાખવા આવી જોગવાઇ કરાઇ
  • ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર્સ (આઇએસપી), ટૅલિકમ્પ્યુનિકૅશન્સ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટીએસપી), વચેટિયા (ઇન્ટરમિડિયરીઝ)ને હાલના નિયમની સ્પષ્ટ જાણકારી આપવા આ જાહેરનામું બહાર પડાયું
  • 10 કેન્દ્રીય તપાસ ઍજન્સી માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ કમ્પ્યુટરોમાંની માહિતી પર નજર રાખી શકશે
  • કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ 69 હેઠળ કોઇપણ કમ્પ્યુટરમાં સચવાયેલી, તૈયાર કરાયેલી અને મોકલાયેલી માહિતીને આંતરી શકશે, તેના પર નજર રાખી શકશે અને તેની સાંકેતિક માહિતી ઉકેલી શકશે

સરકારે 10 કેન્દ્રીય તપાસ ઍજન્સીને કોઇપણ કમ્પ્યુટરમાંની માહિતીને આંતરવાની, તેના પર નજર રાખવાની અને તેની સાંકેતિક ભાષા ઉકેલવાની સત્તા આપતો આદેશ શુક્રવારે બહાર પાડ્યો હતો અને દાવો કર્યો હતો કે આ સત્તાનો ગેરકાયદે ઉપયોગ રોકવા આમ કરાયું છે તેમ જ માહિતી તંત્રજ્ઞાન (આઇટી) ધારા અને ટૅલિગ્રાફ ઍક્ટમાં સંબંધિત જોગવાઇ છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે

નિવેદનમાં જણાવ્યું હતું કે 20મી ડિસેમ્બર 2018ની રાત્રે બહાર પડાયેલા નવા આદેશમાં કોઇ સલામતી કે તપાસ ઍજન્સીને નવી સત્તા નથી અપાઇ. આમ છતાં, વિપક્ષો સરકારના આ પગલાંના વિરોધમાં એકત્ર થયા છે અને તેને જનતાના મૂળભૂત અધિકાર અને ગુપ્તતા ધારાનો ભંગ ગણાવ્યો હતો.

સરકારે બહાર પાડેલા આદેશ મુજબ 10 કેન્દ્રીય તપાસ ઍજન્સી માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ કમ્પ્યુટરોમાંની માહિતી પર નજર રાખી શકશે. આદેશમાં જણાવાયું હતું કે કેન્દ્રીય તપાસ ઍજન્સીઓ 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારાની કલમ 69 હેઠળ કોઇપણ કમ્પ્યુટરમાં સચવાયેલી, તૈયાર કરાયેલી અને મોકલાયેલી માહિતીને આંતરી શકશે, તેના પર નજર રાખી શકશે અને તેની સાંકેતિક માહિતી ઉકેલી શકશે.

ગૃહ મંત્રાલયે ખુલાસો કર્યો હતો કે ટૅલિગ્રાફ ઍક્ટ અને 2000ના માહિતી તંત્રજ્ઞાન ધારામાં પૂરતી સલામતી રાખવા આવી જોગવાઇ કરાઇ છે.

તેણે જણાવ્યું હતું કે કમ્પ્યુટરમાંની માહિતીને આંતરવાના, તેના પર નજર રાખવાના અને તેની સાંકેતિક માહિતી ઉકેલવાના દરેક કૅસમાં કેન્દ્રના ગૃહ સચિવની કે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર રહેશે.

માહિતી તંત્રજ્ઞાન (માહિતી આંતરવી, નજર રાખવી અને સાંકેતિક માહિતી ઉકેલવી) કાયદા, 2009ની કલમ 4 અને ટૅલિગ્રાફ ઍક્ટની જોગવાઇ મુજબ તપાસ ઍજન્સીઓને આ સત્તા અપાઇ હોવાનો સરકાર દાવો કરે છે.

સરકારે જણાવ્યું હતું કે ઇન્ટરનૅટ સર્વિસ પ્રૉવાઇડર્સ (આઇએસપી), ટૅલિકમ્પ્યુનિકૅશન્સ સર્વિસ પ્રૉવાઇડર્સ (ટીએસપી), વચેટિયા (ઇન્ટરમિડિયરીઝ)ને હાલના નિયમની સ્પષ્ટ જાણકારી આપવા આ જાહેરનામું બહાર પડાયું છે. રાજ્ય સરકારોના સંબંધિત વિભાગોને પણ 2009ના માહિતી તંત્રજ્ઞાન ધારા હેઠળ આ સત્તા અપાઇ જ છે.

માહિતી તંત્રજ્ઞાન (માહિતી આંતરવી, નજર રાખવી અને સાંકેતિક માહિતી ઉકેલવી) કાયદા, 2009ની કલમ 22માંની જોગવાઇ મુજબ માહિતી આંતરવાના, નજર રાખવાના કે સાંકેતિક માહિતી ઉકેલવાના બધા કૅસ કૅબિનેટ સચિવની અધ્યક્ષતા હેઠળની સમીક્ષા સમિતિ સમક્ષ રજૂ કરવા જરૂરી છે. આ સમિતિની બેઠક દર બે મહિને ઓછામાં ઓછી એક વખત મળવી જોઇએ. રાજ્ય સરકારોના કિસ્સામાં આવા કૅસની સમીક્ષા સંબંધિત મુખ્ય સચિવના નેતૃત્વ હેઠળની સમિતિ કરશે.

ઇન્ટૅલિજન્સ બ્યુરૉ, નાકૉર્ટિક્સ ક્ધટ્રૉલ બ્યુરૉ, એન્ફૉર્સમેન્ટ ડિરૅક્ટરેટ, (આવકવેરા વિભાગ માટે) સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ, ડિરૅક્ટરૅટ ઑફ રૅવૅન્યુ ઇન્ટૅલિજન્સ, સૅન્ટ્રલ બ્યુરૉ ઑફ ઇન્વૅસ્ટિગૅશન, નૅશનલ ઇન્વૅસ્ટિગૅશન ઍજન્સી, રિસર્ચ ઍન્ડ ઍનાલિસીસ વિંગ, (જમ્મુ અને કાશ્મીર, ઇશાન ભારત અને આસામના સર્વિસ ઍરિયામાં) ડિરૅક્ટરેટ ઑફ સિગ્નલ ઇન્ટૅલિજન્સ અને દિલ્હી પોલીસ કમિશનર મળીને 10 તપાસ ઍજન્સીને સંબંધિત સત્તા અપાઇ છે.

December 21, 2018
fogwa-1.jpg
1min11600

GST ક્રેડિટ લેપ્સના મુદ્દે ભાજપા તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ અનેક રજૂઆતો કર્યા પછી કોઇ દાદ નહીં મળતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસે મુદ્દો લઇ જવાની ધમકી ઉચ્ચારનાર ફોગવાના અશોક જીરાવાળા એન્ડ કંપની હવે ફરીથી પી.એમ. મોદીના શરણે આવી છે. 22મી ડિસેમ્બર 2018ના રોજ મળી રહેલી GST કાઉન્સિલની બેઠકમાં વિવર્સની અંદાજે રૂ.600 કરોડની ક્રેડિટ પરત મળે તેવી વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી છે.

GST ક્રેડિટનો મુદ્દો હકીકતમાં વિવર્સ ફેડરેશનના નેજા હેઠળ લડત ચલાવી રહેલા અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશિષ ગુજરાતી એન્ડ કંપની અવૈચારિક પગલાઓને કારણે વકર્યો છે. ભાજપાના સ્થાનિક આગેવાનો ખાસ કરીને નવસારીના એમ.પી. શ્રી સી.આર. પાટીલની મધ્યસ્થી, રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓની દરમિયાનગીરી અને કેન્દ્રના કેટલાક મંત્રીઓની ભલામણ બાદ વિવર્સ અને પ્રોસેસર્સ બન્ને મળીને રૂ.1500 કરોડની GST ક્રેડિટ અંગેનો પ્રશ્ન ઉકેલાય જવાની તૈયારીમાં હતો. પરંતુ, બરાબર એ જ સમયે ધીરજ ગુમાવી ચૂકેલા ફોગવાના આગેવાનો પૈકી અશોક જીરાવાળાએ એવું નિવેદન આપી દીધું કે ભાજપાના નેતાઓથી કશું નહીં થાય તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે જવું પડશે.

જાણકારો કહે છે કે અશોક જીરાવાળાના આ જ વાણી વિલાસને પગલે હજારો વિવર્સને કનડતો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન હલ થતા રહી ગયો. ભાજપી નેતાગીરીએ ગંભીર નોંધ લઇને વિવર્સને આ મુદ્દે લટકાવી રાખ્યા. આ બાબત સાથે એ પૂર્વે અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશીષ ગુજરાતીએ સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા દેખાડવાની કરેલી હરકત પણ જોડાઇ જવા પામી હતી અને વિવર્સનો પ્રશ્ન તેમના જ આગેવાનોના અપરિપક્વ વર્તનને કારણે આજે પણ ટલ્લે ચઢી રહ્યો છે.

હવે ફોગવા ફરીથી પી.એમ. નરેન્દ્ર મોદીના દરબારમાં ક્રેડિટનો પ્રશ્ન ઉકેલી આપવા ગુજારીશ કરી રહ્યું છે. હકીકતમાં ફોગવાની આ લેખિત ગુજારીશ પી.એમ. સુધી શું દિલ્હી સુધી પણ પહોંચે તો બસ છે. કેમકે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસીએશનના લેટરહેડ પર વડાપ્રધાનને ઉદ્દેશીને હાથથી લખાયેલા પત્રમાં કોઇપણ જાતના રેફરન્સ, અગાઉની રજૂઆતો ટાંક્યા વગર લખાયો છે. એવું સ્પષ્ટ જણાય આવે છે કે વડાપ્રધાનને નહીં ફક્તને ફક્ત મિડીયામાં માઇલેજ લેવા માટે આ પત્ર લખાયો છે.

વડાપ્રધાનને ફોગવાના લેટર હેડ પર આ પ્રકારે પત્ર લખાયો

અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, આશીષ ગુજરાતી અને તેમની કંપની દ્વારા ભરાયેલા આ પગલાંઓને કારણે સમગ્ર વિવર્સ આલમે સહન કરવું પડી રહ્યું છે

  • સ્મૃતિ ઇરાનીને કાળા વાવટા દેખાડવાની હરકત
  • ક્રેડિટ લેપ્સના મુદ્દે ભાજપા નેતાગીરીને ધમકાવવા માટે રાહુલ ગાંધીના નામની હૂલ આપવાની હરકત
  • કારખાનેદારોના સંગઠન ફોગવામાં ભાજપ-કોંગ્રેસનું રાજકારણ ઘૂસાડવાની હરકત
  • નક્કર નહીં પણ ઉપજાવી કાઢેલી આંકડાકીય માહિતીઓ રજૂ કરવાની અપરિપક્વ હરકત

પરીણામ શું આવ્યું

  • ફોગવા જેવા વિશાળ સંગઠનને સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જેવી સંસ્થાએ કોર્નર કરવી પડી
  • કોંગ્રેસને ક્રેડિટ આપવાની પેરવી થતાં રાજ્ય સરકારે રજૂઆતોને યોગ્ય પ્રતિસાદ ન આપ્યો
  • ટેક્સટાઇલ પોલિસીમાં વિવર્સના પ્રશ્નો ફોગવા પાસેથી નહીં પણ અન્ય સંગઠનો, આગેવાનો પાસેથી સરકારે સાંભળ્યા
  • ફોગવા એ બિનરાજકીય સંગઠન છે એવી છાપ ભૂંસાઇ અને કોંગ્રેસનું લેબલ લાગવા માંડતા ભાજપના નેતાઓએ સહાનુભૂતિ દાખવવાનું છોડી દીધું

હવે શું થશે

  • હવે શું થશે એવી કલ્પના કરવી સરળ છે. રાજ્ય સરકાર દ્વારા હાલ ડ્રાફ્ટ થઇ રહેલી નવી ટેક્સટાઇલ પોલિસીમાં સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરાયેલી રજૂઆતોને પ્રાધાન્ય અપાશે
  • પ્રોસેસર્સનો ક્રેડિટ લેપ્સનો પ્રશ્ન હલ થઇ જાય તો નવાઇ નહીં, પણ ફોગવાના આગેવાનોને કારણે સમગ્ર વિવર્સ આલમે નુકસાની વેઠવી પડે તેવી શક્યતા 
  • અશોક જીરાવાળા, મયુર ગોળવાળા અને આશીષ ગુજરાતી એન્ડ કંપની દ્વારા ફોગવામાં ઘૂસાડવામાં આવેલા ડર્ટી પોલિટીક્સને કારણે હવે ભવિષ્યમાં ફોગવાના જેન્યુઇન પ્રશ્નોને પણ કેન્દ્ર કે રાજ્ય સરકાર ગંભીરતાથી નહીં લે.
  • ફોગવાની રજૂઆતો સાચી અને નક્કર હશે તો પણ તેના પર રાજકારણનું લેબલ લગાડીને તેને ક્રેડિટ નહીં મળવા દેવાય
December 21, 2018
upsc1.jpg
2min12400

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2018ના દરમિયાન લેવામાં આવેલી યુપીએસસી મેઇન્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. (ફોરેન સર્વિસ) એટલે કે ગ્રુપ એ તથા ગ્રુપ બી માટે મેઇન્સ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોનું નામ સાથેનું લિસ્ટ અત્રે પ્રકાશિત કરવામાં આવ્યું છે.

UPSC_main_exams2018

The UPSC on Thursday, 20 December 2018, released the results of the civil services (main) examination 2018 held in September-October for selection to the Indian Administrative Service, Indian Foreign Service, Indian Police Service, among other central services.

Civil Services (Main) Examination Result (with name)

On basis of the results, the successful candidates have qualified for the personality test for selection to the IAS, IFS, IPS and other central services (Group A and Group B), an official statement said. Candidature of these candidates is provisional subject to them being found eligible in all respects.

The candidates will be required to produce the original certificates in support of their claims pertaining to age, educational qualifications, community, person with benchmark disability (PwBD), among others, at the time of their personality tests.

The results for the civil services (main) examination 2018 may be seen in the official website http://www.upsc.gov.in

The mark sheets of candidates who have not qualified will be put on the Commission’s website within 15 days from the date of publication of the final result (after conducting personality test) and will remain available for 30 days.

Personality test of these candidates is likely to commence from February 4, 2019. Personality tests will be held at the office of the Union Public Service Commission at Dholpur House, Shahjahan Road, New Delhi-110069.

December 21, 2018
Sohrabuddin.jpg
1min7760

સોહરાબુદ્દીન શેખ-તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર મામલે 13 વર્ષ પછી આજે ચુકાદ આવ્યો છે. વર્ષ 2005ના આ કેસમાં આરોપી તરીકે નોંધાયેલા 22 લોકો ને નિર્દોષ છોડી દેવાનો હુકમ કોર્ટે કર્યો છે. આરોપીઓમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ આ મામલાની સુનાવણી કરીને આજે અંતિમ ચૂકાદો આપ્યો હતો.

(File Photo of Sohrabbudin)

કેસ દરમિયાન પ્રોસિક્યુશન પાર્ટીના આશરે 92 સાક્ષીઓ ફરી ગયા. બીજેપી અધ્યક્ષ અમિત શાહ આરોપી હોવાને કારણે આ મામલો સુરખીઓમાં કહ્યો. શાહ તે સમયે ગુજરાતના ગૃહમંત્રી હતા. વર્ષ 2014માં બીજેપી અધ્યક્ષ આ મામલે આરોપમાંથી મુક્ત થઈ ગયા.

વિશેષ કોર્ટે વધુ જણાવ્યું કે તુલસીરામ પ્રજાપિતનું મર્ડર કાવતરાના ભાગરૂપે થયું હતું તે બાબત સત્ય નથી.સોહરાબુદ્દીન કેસમાં પુરતા પુરાવા નથી મળ્યા તેમજ સાંયોગિક પુરાવા પણ પુરતા નથી જેને પગલે પુરાવાના અભાવે 22 ગુનેગારોને દોષમુક્ત કરવાનો ચુકાદો સ્પેશિયલ સીબીઆઈ જજે આપ્યો હતો.

26 નવેમ્બર 2005ના અમદાવાદમાં કથિત ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખનું બોગસ એન્કાઉન્ટરમાં મર્ડર કરાયું હતું અને તેના ત્રણ દિવસ બાદ તેની પત્ની કૌસર બીની પણ હત્યા કરી તેની લાશ સગેવગે કરી દેવામાં આવી હતી. દરમિયાન આ ઘટનાના એક વર્ષ બાદ 27 ડિસેમ્બર 2006ના તુલસીરામ પ્રજાપતિને પણ ગુજરાત અને રાજસ્થાન પોલીસે છાપરી ગામની બોર્ડર નજીક બોગસ એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.

December 21, 2018
rajnish.jpg
1min4960
  • સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સરકાર સામે પડ્યા હતા
  • મુંબઈ CBI કોર્ટ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ચુકાદો આપે તે પહેલા જ રજનીશ રાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રજનીશ રાયે આ કેસમાં સરકાર સામે બાંયો ચડાવી હતી

રજનીશ રાયે લાંબા સમયથી સેવાનિવૃતિની માંગ કરી હતી. પરંતુ તે દરખાસ્ત મંજૂર ન કરવામાં આવી અને અચાનક તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મુંબઈ CBI કોર્ટે સોહરાબુદ્દીન કેસમાં આવતીકાલે ચુકાદો આપવાની છે તે પહેલા જ સરકારે નિર્ણય આપ્યો છે. ગુજરાત કેડરના IPS રજનીશ રાય CID ક્રાઈમમાં હતા અને સોહરાબુદ્દીન કેસની તપાસ કરતા હતા.

તા.19મી ડિસેમ્બર 2018ના રોજ રજનીશ રાયે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને સ્વૈચ્છિક સેવાનિવૃતિ લઈ લીધી હતી. જો કે સરકારે તેમની સેવાનિવૃતિ મંજૂર નહોતી કરી. ગૃહ મંત્રાલયે તેમની અરજી મંજૂર ન કરતા તેમણે કેંદ્રીય પ્રશાસનિક અધિકરણમાં અપીલ કરી હતી, જે બાદ કેંદ્ર અને રાજ્ય સરકારને નોટિસ આપીને જવાબ માંગ્યો હતો. જેના પર એક જાન્યુઆરી 2019ના તેના પર સુનાવણી થવાની હતી. તે પહેલા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતના સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરની તપાસ કરતા રજનીશ રાયે ગુજરાત કેડરના વરિષ્ઠ IPS ડી જી વણઝારા, IPS અભય ચુડાસમા અને રાજસ્થાન કેડરના IPS દિનેશ MNની ધરપકડ કરી હતી. જે બાદ તેની દેશભરમાં ચર્ચા થઈ હતી.

December 21, 2018
uk.png
1min4500

બ્રિટને વિઝા સિસ્ટમમાં 40 વર્ષમાં સૌથી મોટો ફેરફાર કર્યો છે. ભારતીય એન્જિનિયર્સ અને ડૉક્ટર્સનું યૂકે જવું સરળ બન્યું છે.

ઈમિગ્રેશનના નવા નિયમો પ્રમાણે હવે યૂકેમાં પ્રવેશ મેળવવા માટે સ્કિલ્ડ પ્રોફેશનલ્સ પર વધુ ભાર આપવામાં આવશે. યૂકેની સરકારે બ્રેક્ઝિટ પછી વિઝા અને ઈમિગ્રેશને સ્ટ્રેટેજીને લગતી નવી દરખાસ્તો રજૂ કરી છે. જે ભારતના વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે ખુબ જ ફાયદાકારક છે. નવી દરખાસ્ત પ્રમાણે વ્યક્તિ ક્યાંથી આવે છે તેના બદલે તેની આવડત પર વધારે ભાર મુકવામાં આવશે. ભારત અથવા અન્ય કોઈ દેશના નાગરિકને યૂરોપિયન યુનિયનના 27 દેશોના નાગરિકોને સમાન જ ગણવામાં આવશે. બ્રિટેનના વડાપ્રધાન થેરેસા મેની સરકારે બુધવારે આ જાહેરાત કરી હતી.

વર્ષ 2021થી આ પ્રસ્તાવ લાગુ પડશે. વિઝાના નિયમોના કારણે ભારતથી ખુબ જ ઓછા લોકો બ્રિટન જઈ શકતા હતા. પરંતુ હવે વિઝાના નિયમોમાં ફેરફાર બાદ બ્રિટેનમાં સૌથી વધુ ભારતીય પ્રોફેશનલ્સને કામ મળી જશે. બુધવારે જે પ્રસ્તાવ રજૂ થયો તેમાં સ્કિલ્ડ પ્રોફેનલ્સ માટે એક નવો વિઝા માર્ગ અને વર્ક પરમિટ માટે વાર્ષિક 20, 700ની સીમા ખતમ કરવાનો પ્રસ્તાવ છે. બ્રિટન યૂરોપિયન યુનિયનમાંથી બહાર થઈ જશે. જો બ્રેક્ઝિટની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, તો આ પ્રસ્તાવ 2021થી લાગુ પડશે. જેથી ભારતીયોને સૌથી વધુ લાભ મળશે. બ્રિટનના વડાપ્રધાને કહ્યું કે બ્રિટન ઈયુથી અલગ થશે અને મુક્ત વેપારનો પણ અંત આવશે.

જાણો નવા નિયમો

1. નવી દરખાસ્ત લાગુ થયા બાદ પ્રતિ વર્ષ 20,700 ઇમિગ્રન્ટ્સને વિઝા આપવામાં આવશે તે નિયમમાં પણ બદલાવ આવશે, જેનો લાભ ભારતના ડોક્ટરો અને આઇટી પ્રોફેશનલ્સને સૌથી વધુ મળશે.

2. અન્ય ક્ષેત્રોના પ્રોફેશનલ્સ માટે પણ 12 મહિનાના કામચલાઉ વિઝાનો પણ નવો નિયમ લાગુ થશે, જેથી બ્રિટનના બિઝનેસ જરૂરિયાતના આધારે સ્ટાફને ઓછા સમયગાળા માટે નોકરી આપી શકે.

3. જે લોકો 12 મહિનાના વિઝાના આધારે આવી રહ્યા છે તેઓ પોતાના પરિવારને સાથે લાવી શકશે નહીં, ઉપરાંત 12 મહિનાના વિઝા ખતમ થતાં જ અહીં રહેવાનો અધિકાર પણ પૂરો થઇ જશે.

4. પ્રોફેશનલ્સની જરૂરિયાતને પહોંચી વળવા માટે લેબર માર્કેટ દ્વારા થતી ભારેખમ પ્રોસેસનો અંત આવશે.

વિદ્યાર્થીઓ માટે ક્યા નિયમો લાગુ પડશે?

1. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ જેઓ યુકેમાં પોતાની ડિગ્રી લેવા ઇચ્છે છે અને અહીં જ કામ કરવા ઇચ્છે છે એ તમામ સ્ટુડન્ટ્સને છ મહિનાની પોસ્ટ-સ્ટડી લીવ આપવામાં આવશે, આ માસ્ટર્સ અને બેચલર્સના સ્ટુડન્ટ્સ માટે ડિગ્રી એવોર્ડિંગ પાવર તરીકે હશે. આનો મૂળ હેતુ એ છે કે, આટલા સમયગાળા દરમિયાન તેઓ કાયમી જોબ મેળવી શકે અને ત્યાં સુધી કામચલાઉ ધોરણે અન્ય સ્થળે કામ કરી શકે.

2. યુકેમાં બેચલર્સ ડિગ્રી મેળવવા આવેલા વિદ્યાર્થીઓને તેઓનો કોર્સ પૂર્ણ થાય તે પહેલાં ત્રણ મહિનાના સ્કિલ્ડ વર્કર્સ રૂટ માટે એપ્લિકેશન કરવાની છૂટ મળશે.

December 21, 2018
startups.jpg
1min4690

સરકારે જાન્યુઆરીમાં ભારતના ઊભરતા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટ-અપ ઇન્ડિયા એક્શન પ્લાન લોન્ચ કર્યો હતો. જેનો હેતુ ટેક્સ હોલિડે સહિતનાં પ્રોત્સાહન, ઇન્સ્પેક્ટર રાજ મુક્ત સિસ્ટમ અને કેપિટલ ગેઇન્સ ટેક્સમાંથી મુક્તિ આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, DIPP દ્વારા વિવિધ કેટેગરીમાં રાજ્યોને રેન્કિંગ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી પ્રગતિ અને વિકાસનાં જુદાંજુદાં પાસાંમાં રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાનો માહોલ ઊભો કરી શકાય. વધુમાં આ સિસ્ટમને કારણે વિવિધ ક્ષેત્રોમાં રાજ્યોની પ્રગતિ પર પણ સતત નજર રાખી શકાય.

નવા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિકસાવવાની બાબતમાં ગુજરાત નંબર-1 રાજ્ય બન્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP) દ્વારા રાજ્યોને અપાયેલા રેન્કિંગમાં ગુજરાતે આ સિદ્ધિ મેળવી છે. આ કેટેગરીમાં કર્ણાટક, કેરળ, ઓડિશા અને રાજસ્થાને અગ્રણી રાજ્યોની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

DIPP સેક્રેટરી રમેશ અભિષેકે તા.20મી ડિસેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું કે, “તમામ રાજ્યો આ કવાયતથી સ્ટાર્ટ-અપ્સની ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.” ઉલ્લેખનીય છે કે, નવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવા સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વિકસાવવા માટે લેવાયેલાં પગલાંને આધારે રેન્કિંગ આપવામાં આવ્યાં છે.

સમગ્ર પ્રક્રિયામાં 27 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશે ભાગ લીધો હતો. રેન્કિંગના માળખામાં ઇન્ટરવેન્શનની સાત કેટેગરી અને 38 એક્શન પોઇન્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં પોલિસી સપોર્ટ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ, સીડ ફન્ડિંગ, એન્જલ અને વેન્ચર ફન્ડિંગ તેમજ સરળ નિયમોનો સમાવેશ થાય છે.

ગુજરાત આંત્રપ્રિન્યોરલ ઇકોસિસ્ટમના નિર્માણની દિશામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. સરકારના સહયોગ, ઉદ્યોગ સાહસિકોના જુસ્સા, બેસ્ટ કો-વર્કિંગ સ્પેસ, માર્કેટ વગેરે જેવી બાબતોમાં રાજ્ય હંમેશા ટોચના ક્રમે રહ્યું છે. એક વાર ઇન્ડસ્ટ્રી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ સાથે પોતાની સમસ્યા રજૂ કરવાનો પ્રારંભ કરશે તો આપણે આગામી દિવસોમાં વધુ ઇન્ડસ્ટ્રી દ્વારા સ્વિકૃત સ્ટાર્ટ-અપ સોલ્યુશન્સ જોઇ શકીશું.

December 21, 2018
grahak.gif
1min10000

દેશમાં ગ્રાહકોના અધિકારો અને હક્કોની સુરક્ષા વધુ મજબૂત કરે તે સંદર્ભેના બિલને લોકસભામાં પસાર કરી દેવાયું છે. સર્વિસમાં ઊણપ કે ચીજ-વસ્તુમાં કોઈ નુકસાની હોય તો હવેથી ગ્રાહકોની ફરિયાદનું સત્વરે નિવારણ થઈ શકશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2018 કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986નું સ્થાન લેશે અને હવે તેને રાજ્યસભામાં પસાર કરાવવાનું રહેશે.

આ અંગેની ચર્ચામાં ગ્રાહક બાબતના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, છેલ્લાં 30 વર્ષથી આ કાયદામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નહોતો અને ગ્રાહકોના અધિકારોને વર્તમાન સમયમાં વધુ સુરક્ષિત કરવા માટે તેમાં સુધારાની આવશ્યકતા હતી. બિલમાં કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનની રચના ઉપરાંત જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે ફોરમની રચનાનો માર્ગ મોકળો થાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. ગ્રાહકોનાં હિતો, અધિકારો અને તેમના હક્કોના રક્ષણ માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને તમામ પ્રકારની સત્તા આપવામાં આવી છે.

બિલમાં ગ્રાહકોના અધિકારોનો પ્રોત્સાહન, રક્ષણ આપવા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી સ્થાપવાની સત્તા આપવામાં આવી છે.

બીજુ જનતા દળના તથાગત સતપથીએ કહ્યું હતું કે, “આ બિલમાં અમલદારશાહીને વધુ પડતી સત્તા આપી દેવામાં આવી છે, તેને સ્થાને થોડી અલગ જોગવાઈઓ હોવી જોઈતી હતી. તેમણે કહ્યું કે, બિલમાં દેશના બંધારણીય માળખાને હાનિકર્તા જોગવાઈઓ છે.” આના જવાબમાં પાસવાને જણાવ્યું હતું કે, બિલમાં આ પ્રકારની કોઈ જોગવાઈ નથી અને તેને કારણે ગ્રાહકોને લાભ થશે.આ ચર્ચામાં એનસીપી, ટીએમસી અને જેડીયુના સભ્યોએ ભાગ લીધો હતો.