Bollowood veteren Actor ધર્મેન્દ્રને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની ટીમે જણાવ્યું હતું કે તેઓ સ્વસ્થ છે અને યોગ્ય તબીબી તપાસ કરાવી શકે તે માટે તેમણે હોસ્પિટલમાં તેમનો રોકાણ લંબાવવાનું હતું.
What is happening is unforgivable! How can responsible channels spread false news about a person who is responding to treatment and is recovering? This is being extremely disrespectful and irresponsible. Please give due respect to the family and its need for privacy.
બોલીવુડના સર્વકાલીન પ્રિય સદાબહાર સુપરસ્ટાર ધર્મેન્દ્ર (Dharmendra) હવે નથી રહ્યા તેવા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ ધર્મેન્દ્ર પત્ની હેમા માલિની અને પુત્રી ઈશા દેઓલએ સમાચારને નકાર્યા છે, અને ટ્વીટર શેર કરી છે, તેઓ 89 વર્ષના છે. અહેવાલો અનુસાર, તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સુપરસ્ટાર ધર્મેન્દ્ર નિધન થયું છે તેવા સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે તેઓ હોસ્પિટલમાં હતા, ત્યારે ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ તેમની મુલાકાત લેવા પહોંચ્યા હતા, આ સાથે તેમના ચાહકોનો સમૂહ પણ તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચિંતિત અને ચિંતિત હતો. સુપરસ્ટાર ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ સોસાચીયલ મીડિયા ટ્વીટર પર પોસ્ટ શેર કરી જેથી ધર્મેન્દ્રના નિધનની અફવાઓનો અંત આવ્યો છે. લગભગ આખો દેશ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો હતો. સદાબહાર સુપરસ્ટાર છેલ્લે ધમાકેદાર ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં જોવા મળ્યો હતો, હવે એક્ટર ફિલ્મ ‘ઇક્કીસ’ માં જોવા મળશે, જેમાં તેમનું દમદાર પાત્ર જોવા મળ્યું હતું.
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 122 બેઠકનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. આ મતદાનમાં 3.70 કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ 1302 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરેરિયા અને કિશનગંજ સહિત 11 જિલ્લામાં મતદાન થશે. બધા વિસ્તાર નેપાળની સાથે સરહદ ધરાવતા ક્ષેત્ર છે.
બિહાર ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વહેલી સવારે મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 14.55% મતદાન થયું છે.
બીજા તબક્કાના મતદાનમાં કુલ ચાર લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. કુલ 45399 મતદાન મથકો પર મતદાન થશે, તેમાથી 40073 મતદાન મથક ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે. કુલ મતદાતાઓમાં અડધા ઉપરાંતના એટલે કે 2.28 કરોડ જેટલા મતદાતા 30 થી 60 વર્ષની વયના છે. જ્યારે ફક્ત 7.69 લાખ મતદાતા જ 18 થી 19 વર્ષના વયજૂથમાં છે.
122 મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા 1.75 કરોડ છે. 3.67 લાખ મતદારો સાથે નવાડા જિલ્લાની હિસુઓ બેઠક સૌથી મોટો મતવિસ્તાર છે. જ્યારે લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખીમાં સૌથી વધુ 22-22 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં 121 મતવિસ્તારોમાં 65 ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.
બીજા તબક્કામાં મોટાભાગના જિલ્લા સીમાંચલના
મોટાભાગના જિલ્લા સીમાંચલમાં આવેલા છે અને અહીં મુસ્લિમોની વસ્તી મોટાપાયા પર હોવાથી ઇન્ડિયા બ્લોકના સારા પર્ફોર્મન્સની જવાબદારી તેના શિરે છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને શાસક પક્ષના કેબિનેટ પ્રધાન બિજેન્દ્રપ્રસાદ યાદવ સળંગ રેકોર્ડ બ્રેક સળંગ આઠમી વખત તેમની સુપૌલની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે.આ જ રીતે તેમના કેબિનેટના સહયોગી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમકુમાર પણ આઠમી વખત તેમની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે. અન્ય જાણીતા ચહેરોઓમાં જોઈએ તો ભાજપના મંત્રી બેટ્ટિયાના રેણુદેવી અને છતપુરના નીરજકુમાર જેવા જાણીતા ચહેરાની પણ બરોબરની કસોટી થશે. આ સિવાય જેડીયુના લેશીસિંહની ધમદાહા, શીલા મંડલની ફુલપારસ અને ચૈનપુરમાં ઝમાખાનના બળાબળના પારખા થશે.
કયા કયા દિગ્ગજ મેદાને?
ભાજપના જ અન્ય જાણીતા ચહેરાઓમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ સળંગ પાંચમી ટર્મ માટે તેમની કટિહાર સીટ જાળવવા ચૂંટણીના જંગમાં ઉતરશે. કટિહાર જિલ્લો બલરામપુર અને કડવા વિધાનસભા બેઠકો પણ ધરાવે છે. અહીં સીપીઆઈ-એમએલના મહેબૂબ આલમ અને શકીલ એહમદ ખાન તેમની સીટ જાળવવા ત્રીજી વખત ઉતરશે.
યુરોપિયન યુનિયનમાં સમાવિષ્ટ અનેક દેશોમાં જર્મનીની મેડિકલ ડિગ્રીઓને પણ માન્યતા આપવામાં આવે છે, ખાસ કરીને સ્વીડન અને આયર્લેન્ડ જેવા દેશોમાં જર્મનીની મેડીકલ ડિગ્રીધારકો સીધી પ્રેક્ટિસ કરી શકે છે, સ્વીડન, આયર્લેન્ડ અને જર્મની ત્રણેય દેશોમાં 2030 સુધીમાં ડોક્ટરોની ઘટ 10 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે.
ભારતીય વિદ્યાર્થીઓ સસ્તા મેડીકલ એજ્યુકેશન માટે પરંપરાગત રીતે, પૂર્વી યુરોપ, રશિયા અને મધ્ય પૂર્વીય દેશોમાં જતા આવ્યા છે. જો કે, જર્મની વધુને વધુ મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે અને 2030 સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓમાં મેડીકલ એજ્યુકેશન માટે જર્મની ફેવરીટ ડેસ્ટિનેશન બની ચૂક્યું હશે. જર્મની એટલા માટે ફેવરીટ બની રહ્યું છે કેમકે જર્મની ટ્યુશન ફી-મુક્ત છે અથવા ઓછા ખર્ચે શિક્ષણ મેડીકલ એજ્યુકેશન, ઉચ્ચ-ગુણવત્તાવાળી ક્લિનિકલ તાલીમ અને તેની તબીબી ડિગ્રીઓને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રદાન છે.
વધુમાં, જર્મની લાંબા સમયથી ભારતીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓમાં એક લોકપ્રિય સ્થળ રહ્યું છે, જે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા લોકો માટે તેની આકર્ષણમાં વધારો કરે છે.
જર્મની વીઝા પોલિસી
ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા નીતિ
એવી છે કે જર્મનીના સ્ટુડન્ટ વીઝા એપ્લિકેશનથી વીઝા પ્રાપ્તિ સુધી 90 દિવસથી વધુ સમય નીકળી શકે છે. જર્મનીમાં અભ્યાસ કરવાની યોજના ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને ટાઇપ D રાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝાની જરૂર પડે છે. અરજી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આવશ્યકતાઓ શામેલ છે: શૈક્ષણિક દસ્તાવેજો ચકાસવા માટે APS પ્રમાણપત્ર (શૈક્ષણિક સિદ્ધીઓનું મૂલ્યાંકન પ્રમાણપત્ર) સબમિટ કરવું, €11,904 પાઉન્ડ પ્રતિ વર્ષ (આશરે રૂ. 12 લાખ) સાથે બ્લોક કરેલા ખાતા દ્વારા નાણાકીય સંસાધનોના પુરાવા અને ફરજિયાત આરોગ્ય વીમા કવરેજ.
૧ જુલાઈ, ૨૦૨૫થી, વિઝા રિજેક્શન સામે અનૌપચારિક અપીલ દાખલ કરવાનો અગાઉનો વિકલ્પ બંધ કરવામાં આવ્યો છે.
જે અરજદારોના વિઝા નકારવામાં આવ્યા છે તેમણે ૭૫ પાઉન્ડની ફી ચૂકવીને ફરીથી અરજી કરવી પડશે અથવા જર્મન કોર્ટ દ્વારા ઔપચારિક અપીલ કરવી પડશે.
વિલંબ અટકાવવા માટે, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોન્સ્યુલર સર્વિસીસ પોર્ટલ દ્વારા તેમની મુસાફરીની તારીખના ૩ થી ૪ મહિના પહેલા અરજી કરે, ખાતરી કરે કે પ્રવેશપત્રો અને હેતુનું વિગતવાર નિવેદન જેવા બધા દસ્તાવેજો પૂર્ણ છે.
તબીબી અભ્યાસક્રમો અને માંગમાં વિશેષતાઓ
જર્મનીની મેડીકલ ગ્રેજ્યુએશન ડિગ્રીને સ્ટેટેક્સામેન કહેવામાં આવે છે. સ્ટેટેક્સામેન (મેડીકલ ગ્રેજ્યુએશન) એ છ વર્ષનો કાર્યક્રમ છે જે જર્મન ભાષામાં હાથ ધરવામાં આવે છે, જેમાં ભાષામાં ઓછામાં ઓછી C1-લેવલની નિપુણતા જરૂરી છે. અભ્યાસક્રમ યુનિવર્સિટી-સંલગ્ન હોસ્પિટલોમાં ક્લિનિકલ એક્સપોઝર સાથે સખત શૈક્ષણિક અભ્યાસને જોડે છે.
આંતરિક દવા, સર્જરી, મનોચિકિત્સા, એનેસ્થેસિયોલોજી અને વૃદ્ધાવસ્થા જેવા સ્પેશ્યલાઇઝેશનની ખાસ ડિમાંડ છે. આ માંગ વસ્તી વિષયક વલણો સાથે સુસંગત છે, કારણ કે એવું અનુમાન છે કે 2030 સુધીમાં પ્રત્યેક 4 માંથી 1 જર્મન નાગરીક 65 વર્ષથી વધુ ઉંમરનો હશે. જર્મનીના ફેડરલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ – સ્ટેટિસ્ટિસ બુન્ડેસેમ્ટ અનુસાર, OECD દેશોમાં 400,000 થી વધુ ડોકટરોની અછત વર્તાતી હશે.
વિદ્યાર્થીઓએ મંજૂરી મેળવવા માટે Ärztliche Prüfung પાસ કરવું આવશ્યક છે, જે તેમને દવા પ્રેક્ટિસ કરવા માટે લાઇસન્સ આપે છે. ત્યારબાદ તેઓ Facharzt સ્પેશિયલાઇઝેશનને અનુસરી શકે છે, જેના માટે વધારાના 5 થી 6 વર્ષ જરૂરી છે.
અરજી માટે શ્રેષ્ઠ સમયરેખા
મે 2026 માં ધોરણ 12 પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ સમય બગાડવાનું ટાળીને તાત્કાલિક તૈયારી શરૂ કરવી જોઈએ. ઓક્ટોબર 2026 સુધીમાં ઓછામાં ઓછી B1 પ્રાવીણ્ય પ્રાપ્ત કરવા માટે APS પ્રમાણપત્ર મેળવવું અને સઘન જર્મન ભાષા તાલીમ લેવી શામેલ છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પાયાના અભ્યાસક્રમ, સ્ટુડિયનકોલેગ માટે અરજીઓ જૂન અથવા જુલાઈ 2026 સુધીમાં સબમિટ કરવી જોઈએ.
વિદ્યાર્થી નોંધણીનો ટ્રેન્ડ
જર્મનીમાં આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ રજિસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે. DAAD અને જર્મન દૂતાવાસના ડેટા અનુસાર, 2023/24 વિન્ટર સત્રમાં 49,483 ભારતીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે 2025 સુધીમાં 60,000 ને વટાવી જવાનો અંદાજ છે. 2020/21માં જર્મની જનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 28,905 હતી જેમાં 4 જ વર્ષમાં 71%નો વધારો થઇ ચૂક્યો છે.
ઓક્ટોબર 2025ના એક અંદાજ મુજબ કમસેકમ 2,000 ભારતીય વિદ્યાર્થીઓ હાલમાં જર્મનીમાં મેડીકલ એજ્યુકેશન, સ્ટેટસેક્સામેન મેડિકલ પ્રોગ્રામનો અભ્યાસ કરી રહ્યા છે.
ભારતીય વિદ્યાર્થીઓમાં લોકપ્રિય યુનિવર્સિટીઓ
ભારતીય વિદ્યાર્થીઓ ટેકનિકલ યુનિવર્સિટી ઓફ મ્યુનિક (TUM), RWTH આચેન, લુડવિગ મેક્સિમિલિયન યુનિવર્સિટી (LMU) મ્યુનિક, હમ્બોલ્ટ યુનિવર્સિટી ઓફ બર્લિન અને યુનિવર્સિટી ઓફ બોન જેવી પ્રતિષ્ઠિત જર્મન યુનિવર્સિટીઓમાં કેન્દ્રિત છે. આ યુનિવર્સિટીઓ QS વર્લ્ડ રેન્કિંગ્સ 2025માં મોખરાંનું સ્થાન ધરાવે છે અને તેમની વર્લ્ડ રેપ્યુટેશન, મજબૂત સંશોધન વાતાવરણ અને ઓછી અથવા ઝીરો ટ્યુશન ફી સાથે વિદ્યાર્થીઓને આકર્ષે છે.
ડ્યુઇસબર્ગ-એસેન યુનિવર્સિટી તેના સસ્તા શિક્ષણ અને એન્જિનિયરિંગ અને આરોગ્ય વિજ્ઞાનમાં સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે પણ લોકપ્રિયતા મેળવી રહી છે.
ભારતીય વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગનું પ્રભુત્વ ચાલુ રહે છે, પરંતુ મેડિકલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘણીવાર બર્લિનમાં ચેરિટે અને હાઇડલબર્ગ યુનિવર્સિટી હોસ્પિટલ જેવી ટોચની હોસ્પિટલો સાથે જોડાયેલી સંસ્થાઓ પસંદ કરે છે.
જર્મનીમાં મેડીકલ અભ્યાસનો ખર્ચ
ભારતીય વિદ્યાર્થીઓ અને વાલીઓ અભ્યાસ માટે જર્મની એટલા માટે પસંદ કરે છે કેમકે જર્મનીની દરેક સરકારી કોલેજો, યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે કોઇપણ પ્રકારની ટ્યુશન ફી લેવાતી નથી. મોટાભાગની જાહેર યુનિવર્સિટીઓ ટ્યુશન ફી વસૂલતી નથી, પરંતુ વહીવટી ખર્ચ અને જાહેર પરિવહનને આવરી લેતા પ્રતિ સેમેસ્ટર 100થી 350 યુરોની વચ્ચે ખર્ચ થઇ શકે છે. જોકે, બેડેન-વુર્ટેમબર્ગમાં, બિન-EU વિદ્યાર્થીઓએ પ્રતિ સેમેસ્ટર 1,500 યુરો (વાર્ષિક 3,000 યુરો) ચૂકવવા પડે છે. અપવાદોમાં TUMનો સમાવેશ થાય છે, જે બિન-EU વિદ્યાર્થીઓ માટે પ્રતિ સેમેસ્ટર 2,000થી 6,000 યુરોની વચ્ચે ચાર્જ કરે છે.
માસિક જીવન ખર્ચ 850 અને 1,200 યુરો (રૂ. 85,000 થી રૂ. 1,26,000)ની વચ્ચે હોય છે, જેમાં ભાડું (300–700 યુરો), ખોરાક (150–200 યુરો), આરોગ્ય વીમો (110–200 યુરો), પરિવહન (25–200 યુરો, ઘણીવાર સેમેસ્ટર ફીમાં શામેલ હોય છે), અને અન્ય ખર્ચાઓનો સમાવેશ થાય છે. રહેવાનો ખર્ચ અલગ અલગ હોય છે, મ્યુનિકમાં માસિક €1,000 થી €1,500 ખર્ચ થાય છે, જ્યારે લીપઝિગમાં €750 થી €1,100 વધુ સસ્તું છે.
વિદ્યાર્થીઓએ વિઝા આવશ્યકતાઓના ભાગ રૂપે વાર્ષિક 11,904 યુરો સાથે બ્લોક અમાઉન્ટ કરેલું એકાઉન્ટ જાળવવું આવશ્યક છે જેથી જીવન ખર્ચ આવરી શકાય.
પ્રવેશ પહેલાં જર્મન ભાષા તાલીમ ખર્ચમાં વધારો કરે છે, જેમાં 1,000થી 4,000 યુરોની વચ્ચેના જૂથ અભ્યાસક્રમો અને 2,000થી 7,000 યુરો સુધીના ખાનગી ટ્યુશન ખર્ચ હોય છે.
જર્મનીમાં મેડીકલ ગ્રેજ્યુએશન પછી શું
જર્મનીમાં મેડીકલ ગ્રેજ્યુએશન Staatsexamen પૂર્ણ કર્યા પછી, ભારતીય સ્નાતકો પાસે બે મુખ્ય વિકલ્પો છે. તેઓ ભારત પાછા ફરી શકે છે અને ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા (FMGE) નો પ્રયાસ કરી શકે છે, જ્યાં ડિસેમ્બર 2024 માં પાસ દર માત્ર 28.86% હતો. આ નીચો દર જર્મન તબીબી અભ્યાસક્રમ અને ભારત-વિશિષ્ટ પરીક્ષા આવશ્યકતાઓ વચ્ચેની વિસંગતતાને આભારી છે, જેના કારણે ઘણીવાર વધારાના કોચિંગની જરૂર પડે છે.
જર્મનીમાં વિદેશી ડોકટરોની સંખ્યા (make-it-in-germany.com પરથી છબી) જર્મનીમાં વિદેશી ડોકટરોની સંખ્યા (make-it-in-germany.com પરથી છબી)
વૈકલ્પિક રીતે, ઘણા સ્નાતકો જર્મનીમાં રહેવાનું પસંદ કરે છે, જ્યાં 2030 સુધીમાં ડોકટરોની માંગમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. નવા સ્નાતકો Facharztausbildung (સ્પેશ્યલાઇઝેશન) માં પ્રવેશ મેળવી શકે છે અથવા સહાયક ડોકટરો તરીકે કામ કરી શકે છે, માસિક પગાર 4,000થી 5,000 યુરોની વચ્ચે મેળવી શકે છે.
યુરોપિયન યુનિયનમાં જર્મન મેડિકલ ડિગ્રીઓને માન્યતા આપવામાં આવી છે, જેનાથી સ્વીડન અને આયર્લેન્ડ જેવા દેશોમાં પ્રેક્ટિસ શક્ય બને છે, જે બંને દેશોમાં નોંધપાત્ર હેલ્થકેર વર્કર્સની અછતનો સામનો કરવો પડે છે જે 2030 સુધીમાં EUમાં આશરે 4.1 મિલિયન હેલ્થકેર વર્કર્સની વ્યાપક અંદાજિત અછતમાં ફાળો આપે છે.
કમોસમી વરસાદન માર સહન કરી રહેલા ખેડૂતો માટે ગુજરાત સરકારે રૂ. 10,000 કરોડનું જંગી પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતોના ઊભા પાકને થયેલા પારાવાર નુકસાનને ધ્યાનમાં રાખી મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારે શુક્રવારે સાંજે આ નિર્ણય સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર જાહેર કર્યો હતો.
અગાઉ મુખ્ય પ્રધાને કૃષિ, મહેસૂલ અને નાણા વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક બોલાવી હતી. જોકે અગાઉ પણ તેમણે સતત બેઠકો કરી પરિસ્થિતિ સમીક્ષા કરી હતી. હવે સરકાર પેકેજના માપદંડો, જોગવાઈઓ વગેરેને અંતિમ રૂપ આપી દરેક પાત્ર ખેડૂતને સહાય મળી રહે તે પ્રમાણે આગળની કાર્યવાહી હાથ ધરશે.
માવઠા બાદ સરકારે સર્વે કર્યો હતો અને મુખ્ય પ્રધાન સહિત કેબિનેટના પ્રધાનોએ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. એક અહેવાલ પ્રમાણે લગભગ 42 લાખ હેક્ટરથી વધારે અને 16 હજાર ગામથી વધારે ગામોમાં નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે.
મુખ્ય પ્રધાને તેમના એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું.
આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
અગાઉ રાજ્ય સરકારે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરી હતી.
શેરબજાર માટે 7/11/25 શુક્રવાર ફરી બ્લેક ફ્રાઇડ બની રહ્યો છે. એશિયન શેરબજારના નકારાત્મક સંકેત અને FIIની વેચવાલીથી શુક્રવારે સેન્સેક્સ 161 પોઇન્ટ ઘટી 83,150 ખુલ્યો હતો. શેરબજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 82690 લેવલ નીચે ઉતરી ગયો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 25,509 લેવલથી નીચા ગેપમાં આજે 25433 ખુલ્યો હતો.
ડોલર સામે રૂપિયો ઘટાડે ખુલ્યો
શુક્રવારે યુએસ ડોલર સામે ભારતીયો રૂપિયો ઘટીને 88.66 ખુલ્યો હતો. ગુરુવારે રૂપિયાનો બંધ ભાવ 82.62 હતો.
ઈન્ફોસિસ શેર બાયબેક રેકોર્ડ ડેટ જાહેર
ઈન્ફોસિસ કંપનીએ તેના 18000 કરોડ રૂપિયાના શેર બાયબેક માટે રેકોર્ડ ડેટ 14 નવેમ્બર જાહેર કરી છે. આ તારીખ સુધી જે શેરધારકોના નામ શેરના લાભાર્થી માલિક તરીકે રજિસ્ટર ઓફ મેમ્બર ઓફ ધ કંપની કે ડિપોઝિટરીના રેકોર્ડમાં હશે, તે શેર બાયબેકમાં ભાગ લઇ શકશે. આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી મોટું શેર બાયબેક છે. આજે બીએસઇ પર ઇન્ફોસિસનો શર પોણો ટકા ઘટી 1455 રૂપિયા બોલાતો હતો.
એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. કારમાં તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. આરએફઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન કરતાં તેમના માથામાં ગોળી હોવાનું સામે આવ્યું હતું.
કામરેજના જોખા ગામે રહેતા સોનલબેન સોલંકી સુરત વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેણે 2020માં સુરત ખાતે આરટીઓ ઓફિસર તરીકે ફરજ બજાવતાં નિકુંજ ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા એકાદ વર્ષથી બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. જેના કારણે આરએફઓ માતા-પિતા અને ભાઈ સાથે રહેતા હતા.
તાજેતરમાં તેઓ તેમની પર્સનલ કારની સફાઈ કરતા હતા ત્યારે પાછળના ભાગેથી જીપીએસ ચાલુ હાલતમાં મળ્યું હતું. જે અંગે તેમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુરુવારે સવારે સોનલ સોલંકી તેમના ચાર વર્ષના પુત્ર સાથે કામરેજ જવા નીકળ્યા હતા. આ સમયે જોખાથી કામરેજ જતાં રોડ પર ફાયરિંગ થતાં માથાના ભાગે ગોળી વાગી હતી અને તેમણે કારનું સંતુલન ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી.
પોલીસે આ મામલે હાલ પરિવારજનોની પૂછપરછ કરીને બનાવનું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મહિલા આરએફઓને ગોળી વાગ્યાની ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની હતી.
Siddhant Shah of Surat donates recycled hydroponic towers, providing low-income communities with a reliable and sustainable way to earn a passive income and secure lasting financial stability.
Siddhant Shah, a student at Bhagwan Mahavir International School, designs efficient, low-cost hydroponic towers using recycled materials for marginalized communities. These units utilize minimal space and water while generating a steady income for households.
Siddhant’s journey began in 2022 when underprivileged students from a nearby high school sought his help due to their families’ financial struggles. Realizing one-time donations were only short-term relief, he set out to create sustainable, community-driven solutions. Over the course of two years, he transformed a backyard experiment into a thriving social initiative that continues to grow.
From 2022 to 2025, Siddhant’s initiative evolved from simple planters to advanced hydroponic towers, delivering 200 units to underserved families and collectively enabling them to earn ₹37 lakhs. He aims to grow AeroLands to over 500 households and scale its impact nationwide.
“We must address the economic challenges marginalized communities face and commit to reducing inequality. Our focus is self-reliance, not temporary aid. I urge action—partner, donate, or spread the word—to foster sustained, positive change,” said Siddhant Shah.
ICC મહિલા વર્લ્ડ કપ 2025ની બીજી સેમીફાઈનલમાં ગુરૂવારે (30 ઓક્ટોબર) ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ જીત સાથે જ ભારત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. હવે 2 નવેમ્બરે ભારતીય ટીમ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ટકરાશે.
ઓસ્ટ્રેલિયાએ ટીમ આ ટૂર્નામેન્ટમાં આ મેચ સિવાયની તમામ મેચ જીતી હતી, પરંતુ ભારતીય ટીમે એલીસ હીલીની ટીમનો વિજય રથ રોકી દીધો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા 49.5 ઓવર 338 રન બનાવ્યા હતા. ઓલઆઉટ થયેલા ઓસ્ટ્રેલિયાએ ભારત માટે 339 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારત માટે જેમિમાએ સદી ફટકારી અને કેપ્ટન હરમનપ્રીત સાથે ત્રીજી વિકેટ માટે 167 રનોની ભાગીદારી કરી જેનાથી ભારતે 48.3 ઓવરમાં પાંચ વિકેટ પર 341 રન બનાવીને મેચ પોતાના નામે કરી.
પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ
વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આખી ટુર્નામેન્ટમાં હાર્યું ન્હોતું પરંતુ હવે તેને બહાર કરી દેવાયું છે. સતત 25 વનડે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ભારતીય ટીમ સામે હારી છે. આ વખતે નવો દેશ વર્લ્ડ ચેમ્પિયન બનશે. બીજી તરફ પુરુષ કે મહિલા ક્રિકેટ નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 49.5 ઓવરમાં 338 રનમાં થઈ ગયું. આ મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સૌથી વધુ સ્કોર છે. ઓસ્ટ્રેલિયાએ બુધવારે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં સ્થાપિત રેકોર્ડને તોડી નાખ્યો. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં આ બીજો સૌથી વધુ સ્કોર છે. મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં સૌથી વધુ સ્કોર 2022માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલમાં બન્યો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 356 રન બનાવ્યા હતા. આ ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાં ભારત સામે પ્રથમ ઇનિંગ્સનો સૌથી મોટો સ્કોર છે. ત્યારે ભારતીય મહિલા ટીમે નોક આઉટમાં સૌથી મોટો ચેઝ કર્યો છે.
જેમિમાએ ગૌતમ ગંભીરનો રેકોર્ડ તોડ્યો
જેમિમાએ ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં અણનમ 127 રન ફટકાર્યા, જે વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની. ગંભીરે અગાઉ 2011ના વનડે વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રન બનાવીને વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં ભારત માટે સૌથી વધુ ઇનિંગ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે, જેમિમાહએ ગંભીરને પાછળ છોડી દીધો છે.
વર્લ્ડ કપમાં નોકઆઉટમાં ભારતનો સૌથી વધુ ઇનિંગ્સ (પુરુષો અને મહિલા)
ઓસ્ટ્રેલિયા સામે મહિલા વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમીમા રોડ્રિગ્ઝે શાનદાર બેટિંગ કરી હતી. બંને બેટ્સમેનોએ ભારતની ઇનિંગ્સને સ્થિર રાખી હતી. હરમનપ્રીત અને જેમિમાએ સદીની ભાગીદારી કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો. હરમનપ્રીત અને જેમીમાની ભાગીદારી મહિલા વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ હતી.
ભારતીય ટીમ ત્રીજી વખત વનડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ટીમ આ પહેલા 2005 અને 2017માં પણ ફાઈનલમાં પહોંચી હતી. ભારતે અત્યાર સુધીમાં ક્યારેય વર્લ્ડ કપની ટ્રોફી જીતી નથી અને હવે તેની પાસે ચેમ્પિયન બનવાની શાનદાર તક છે. ભારત માટે જેમિમા 134 બોલ પર 127 રન બનાવીને અણનમ રહી, જ્યારે હરમનપ્રિતે 88 બોલ પર 89 રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ અને એનાબલ સદરલેન્ડને 2-2 વિકેટ મળી.
મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર: જેમિમા
પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા પછી જેમિમાએ કહ્યું, ‘સૌ પ્રથમ, હું ભગવાનનો આભાર માનું છું કારણ કે હું એકલી આ કરી શકી ન હોત. હું જાણું છું કે ભગવાન જ મને આ મુશ્કેલ સમયમાંથી પસાર કરાવ્યો. હું મારા માતા, પિતા, મારા કોચ અને આ સમયગાળા દરમિયાન (મારા ખરાબ ફોર્મ દરમિયાન) મારા પર વિશ્વાસ રાખનારા દરેકનો આભાર માનવા માગુ છું. છેલ્લા ચાર મહિના ખરેખર મુશ્કેલ રહ્યા છે, પરંતુ તે એક સ્વપ્ન જેવું લાગે છે અને હજુ સુધી સંપૂર્ણપણે સાકાર થયું નથી.’
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (સેન્ટ્રલ) મુંબઇના ચેરમેન શ્રી કિરીટભાઇ ભાનુશાળી સમેત સમગ્ર મેનેજમેન્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સુરત સ્થિત ગુજરાત રિજિયનના ચેરમેન શ્રી જયંતિભાઇ સાવલિયા તથા સમગ્ર સ્ટાફ તરફથી તમામને દીપાવલીની અનેકાનેક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષાભિનંદન.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.