અમદાવાદમાં ભગવાનની શ્રી જગન્નાથની ભવ્યાતિભવ્ય 148મી રથયાત્રા 27/06/2026 નીકળવાની છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ના બને તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, રથયાત્રા દરમિયાન માર્ગ પર આગ કે પછી અકસ્માતની ઘટના ના બને તે માટે ફાયરવિભાગ માત્ર 2 થી 4 મિનિટમાં પહોંચી જાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન રૂટને સમયાંતરે ટ્રાફિક ફ્રી રાખવામાં આવશે. કારણ કે જો કોઈ અકસ્માતની ઘટના ના બને તે માટે પૂરતી વ્યવસ્થા થઈ શકે.
ફાયર વિભાગે એઆઈની મદદથી રોડ મેપ તૈયાર કર્યો
અમદાવાદ પોલીસ અને રાજ્ય ગૃહ પ્રધાને હર્ષ સંઘવીએ પણ રથયાત્રા રૂટનું પરિક્ષણ કર્યું હતું. રથયાત્રામાં પહેલી વખત ફાયરવિભાગે એઆઈની મદદ લીધી અને રોડ મેપ તૈયાર કર્યો છે. એઆઈ દ્વારા 13 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યાં છે. જ્યાં ફાયર વિભાગના કર્મચારીઓને તૈનાત રાખવામાં આવશે. જેથી જરૂર પડે ત્યારે સત્વરે તેમની મદદ લઈ શકાય. ફારયવિભાગ સિવાય 23,884 જવાનો પણ બંદોબસ્ત માટે ખડેપગે રહેવાના છે. આ સાથે સાથે સમગ્ર રથયાત્રા દરમિયાન ગુજરાત પોલીસે 3500 સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ પણ કરશે. તેનો અર્થ એ છે કે, રથયાત્રા પહેલા વ્યવસ્થા અને સુરક્ષાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
રથયાત્રા દરમિયાન કેટલા આ રૂટ સંપૂર્ણ રીતે બંધ રહેશે
રૂટમાં કરવામાં આવેલા આંશિક ફેરફારની તો તેમાં બસ એસપી રિંગ રોડથી ઈસ્કોન ક્રોસ રોડના બદલે ઇસ્કોન ક્રોસ રોડથી લો ગાર્ડન જશે. ભાડજ સર્કલથી નરોડા ગામ જતી બસ ભાડજ સર્કલથી સરકારી લીથો પ્રેસ જશે, જ્યારે મણિનગરથી ગોતા વસંતનગરની બસ ગોતાથી એલ.ડી. કોલેજ સુધી જશે. ઓઢવ રિંગ રોડથી એલડી સુધીની બસ આસ્ટોડિયા સુધી જશે. માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. જેથી બસમાં મુસાફરી કરતા લોકોએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું
કેટલીક જગ્યાને નો પાર્કિંગ ઝોન જાહેર કરાઈ
રથયાત્રા દરમિયાન જો તમે વાહન લઈને જવાના છો તો આ રૂટનું ખાય ધ્યાન રાખવું જેમાં ખમાસા ચાર રસ્તા, જમાલપુર ચાર રસ્તા, જમાલપુર ફૂલ બજાર, રાયખડ ચાર રસ્તા, આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલ, સારંગપુર સર્કલ, કાલુપુર સર્કલ, કાલુપુર બ્રિજ, સરસપુર, શારદાબહેન હોસ્પિટલ, અમદુપુરા, કાલુપુર સર્કલ, પ્રેમદરવાજા, દરિયાપુર દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર. સી. સ્કૂલ, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક, ગોળ લીમડા સહિત 31 જગ્યાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
તાજેતરમાં આ કમિટીની વેબસાઇટ પર મેડીકલ અને ડેન્ટલ કોર્સમાં 2025માં પ્રવેશ માટેના મિનિમમ એલેજિબિલીટી ક્રાઇટેરીયા જાહેર કરવામાં આવ્યા છે. જે જાણીને આશ્ચર્ય થાય છે. ડમી સ્કુલોને પ્રોત્સાહન મળે તેવો નિર્ણય જાહેર કરાયો છે.
મેડીકલ એડમિશન માટે આ વર્ષે ધો.12 બોર્ડની પરીક્ષામાં ફક્ત પાસ થવું જ જરૂરી છે. જે પણ વિદ્યાર્થી પાસ થશે, પછી ભલે એ એકાદ બે વિષયમાં નાપાસ થયા બાદ પૂરક પરીક્ષા આપીને પાસ થશે એ પણ મેડીકલના પહેલા વર્ષમાં પ્રવેશપાત્ર ગણાશે. અત્યાર સુધી ઓપન મેડીકલ એડમિશન માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં ઓપન કેટેગરીમાં 50 ટકા અને અનામત કેટેગરીમાં 45 ટકા ફરજિયાત હતા.
નવાઇ પમાડે એવી વાત એ પણ છે કે ડેન્ટલમાં એડમિશન માટે બોર્ડમાં 50 ટકા ઓપન કેટેગરી માટે અને 45 ટકા રિઝર્વ કેટેગરી માટે ફરજિયાત રાખવામાં આવ્યા છે. મેડીકલ અને ડેન્ટલમાં એલિજિબિલીટી ક્રાઇટેરીયામાં આ પ્રકારનો ભેદ શા કારણથી રાખવામાં આવ્યો છે તેવી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ડમી કોચિંગ ક્લાસીસોને પ્રોત્સાહન મળે તેવો નિર્ણય
ગુજરાતમાં મેડીકલ એડમિશન માટે ધો.12 બોર્ડની પરીક્ષામાં હવે માત્ર પાસ થવું જ જરૂરી છે, અત્યાર સુધી ઓપન કેટેગરી માટે ધો.12માં 50 ટકા જ્યારે રિઝર્વ કેટેગરી માટે ધો.12માં 45 ટકા માર્કસ લાવવા ફરજિયાત હતા. આ નિયમને કારણે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા, સિલેબસ, પાઠ્ય પુસ્તક વગેરે પર ધ્યાન આપતા હતા અને તેને નજરઅંદાજ કરતા ન હતા. પણ હવે 2025થી તો એવું થવાનો ભય છે કે વિદ્યાર્થીઓ હવે ધો.11-12ના પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ પર ધ્યાન જ નહીં આપે અને સીધા જ પ્રાઇવેટ કોચિંગ ક્લાસ જોઇન્ટ કરી લેશે. ડમી સ્કુલોને પ્રોત્સાહન મળે તેવો આ નિર્ણય છે.
ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનર કે.એલ. રાહુલે બીજી ઈનિંગમાં સદી ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ભારત તરફથી કુલ પાંચ સદી નોંધાઈ હતી. ભારતના ૯૩ વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જ્યારે એક જ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના બની હતી. રસપ્રદ બાબત એ છે કે, રોહિત-કોહલી જેવા ધુરંધરોની નિવૃત્તિ બાદની પ્રથમ ટેસ્ટમાં જ યુવા બેટ્સમેનોએ કૌવત બતાવતા ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતુ.
હેડિંગ્લે ટેસ્ટમાં ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કે.એલ. રાહુલે ૧૩૭ રન અને રિષભ પંતે ૧૧૮ રન નોંધાવ્યા હતા. અગાઉ ભારતની પ્રથમ ઈનિંગમાં ઓપનર જયસ્વાલે ૧૦૧, કેપ્ટન શુબ્મન ગીલે ૧૪૭ અને રિષભ પંતે ૧૩૪ રન નોંધાવ્યા હતા. ભારતે આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ૩૫૦થી વધુની કુલ સરસાઈ મેળવી લેતા મેચ પર પકડ જમાવી હતી. પંતે બંને ઈનિંગમાં સદી ફટકારનારા ભારતના સૌપ્રથમ વિકેટકિપર બેટ્સમેન તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. જ્યારે કે.એલ. રાહુલ ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય ઓપનર બન્યો હતો.
ભારતે આ સાથે હરિફ ટીમના મેદાન પરની ટેસ્ટમાં પાંચ સદી નોંધાવનારા ઓસ્ટ્રેલિયા પછીના બીજા દેશ તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. અગાઉ આવી સિદ્ધિ ૧૯૫૫માં વિન્ડિઝના જમૈકામાં રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ મેળવી હતી. જ્યારે એક જ ટેસ્ટમાં એક જ ટીમ તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના ૧૧ વર્ષ પછી બની હતી. છેલ્લે ૨૦૧૪માં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા સામે અબુ ધાબીમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો. આ સિવાય વર્ષ ૨૦૦૧માં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે મુલતાન ટેસ્ટમાં, ૨૦૦૭માં ઈંગ્લેન્ડે વિન્ડિઝ સામે લોર્ડ્ઝમાં અને ૨૦૧૩માં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ગોલ ટેસ્ટમાં આવો રેકોર્ડ સર્જ્યો હતો.
12 દિવસના ભીષણ યુદ્ધ બાદ ઈરાન અને ઈઝરાયલ સીઝફાયર માટે સહમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.
નોંધનીય છે કે ઈરાનને પરમાણુ હથિયારો બનવવાથી રોકવા માટે સૌથી પહેલા ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. જે બાદ ઈરાને મિસાઈલો અને ડ્રોનથી વળતો જવાબ આપતા ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. બાદમાં યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની એન્ટ્રી થઈ અને અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા. ગઇકાલે અમેરિકાથી બદલો લેવા માટે ઈરાને કતારમાં અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. જોકે અમેરિકાનો દાવો છે કે ઈરાને છોડેલી તમામ મિસાઈલોને હવામાં જ ધ્વસ્ત કરી દેવામાં આવી જેથી કોઈ નુકસાન થયું હતું. કતાર પર ઈરાનના હુમલાના થોડા જ કલાકોમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરી જણાવ્યું, કે ‘ઈરાન અને ઈઝરાયલ પૂર્ણ અને અંતિમ સીઝફાયર માટે રાજી થયા છે. આગામી છ જ કલાકમાં સીઝફાયર લાગુ થઈ જશે. ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે. ઈરાન દ્વારા સંઘર્ષ વિરામના પાલન બાદ આગામી 12 કલાકમાં ઈઝરાયલ પણ સીઝફાયર લાગુ કરી દેશે. આગામી 24 કલાકમાં યુદ્ધ સત્તાવાર રીતે સમાપ્ત થઈ જશે.’
પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. મતગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ ચૂકી છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. ત્યારે કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીના પરિણામ જાહેર થવાનું શરૂ થઇ ગયું છે. આ બંને બેઠકોનું પરિણામ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની કારકિર્દી પણ નક્કી કરશે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે, જો પરિણામ બદલાશે તો ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર અસર થઇ શકે છે. ભાજપ,કોંગ્રેસ અને આપે જીતના દાવા કર્યાં છે ત્યારે કડી કરતાં વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તેના પર સૌની નજર મંડાઇ છે.
રાઉન્ડ 14: આપે જંગી લીડ મેળવી, ગોપાલ ઇટાલિયા 12000 વોટથી આગળ
વિસાદરમાં આપના ઉમેદવાર સતત આગળ ચાલી રહી છે. 12મા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 12000 મતોની જંગી લીડ મેળવી લીધી છે. આપે 50676 મત મેળવ્યા છે, જ્યારે ભાજપે 40042 અને કોંગ્રેસને 4133 વોટ મળ્યા છે. મત ગણતરી સ્થળ પર કાર્યકર્તાઓનો જમાવડો જામ્યો છે.
13માં રાઉન્ડ પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કુલ વોટ 47095 થઈ ગયા છે જ્યારે ભાજપના 37417 છે. એટલે કે ગોપાલ ઈટાલિયા 9 હજાર જેટલા વોટની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે ભાજપમાં ચિંતા ઊભી થઇ છે. જ્યારે કડીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપ 27478 વોટ સાથે જીત તરફ છે.
રાઉન્ડ 12: કડીમાં આપે હાર સ્વીકારી, જાણો વિસાવદરની સ્થિતિ?
કડી-વિસાવદરની પેટા ચૂંટણીની મતગણતરીનો 12મો રાઉન્ડ પૂર્ણ થતાં કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર સ્વીકારી છે, જ્યારે ભાજપ 27478 વોટથી આગળ છે. તો બીજી તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 7232થી આગળ છે. વિસાવદરમાં આપને 42450 વોટ મળ્યા છે, જ્યારે ભાજપને 35218 અને કોંગ્રેસને 3855 મળ્યા છે.
રાઉન્ડ 10: કડીમાં ભાજપ આગળ, વિસાવદર આપ આગળ
દસમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 15,790 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 4181 મતોથી આગળ ચાલે છે
વિસાવદરમાં આપને 34781, ભાજપને 30600 જ્યારે કોંગ્રેસને માત્ર 3458 વોટ મળ્યા છે. કડીમાં 10માં રાઉન્ડના અંતે ભાજપ 15,790 મતથી આગળ
રાઉન્ડ 9: વિસાદરમાં આપનો દબદબો યથાવત, ગોપાલ ઇટાલિયા આગળ
વિસાવદરમાં 9 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઇ છે, છેલ્લા રાઉન્ડમાં આપ લીડ મેળવવામાં સફળતા મેળવી છે.
નવમા રાઉન્ડના અંતે ભાજપને 28310 વોટ, કોંગ્રેસને 3157 વોટ જ્યારે આપને 30788 મળ્યા છે.
નવમા રાઉન્ડના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 2478 મતથી આગળ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં ધોધમાર વરસાદ, આજે આ જિલ્લામાં યેલો એલર્ટ
રાઉન્ડ 8: વિસાવદરમાં બાજી પલટાઇ
વિસાવદરમાં આઠમા રાઉન્ડના અંતે આપ માટે રાહતના સમાચાર મળ્યા છે, સતત આગળ ચાલી રહેલા ભાજપને માત આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 702 મતોથીએ આગળ નીકળી ગયા છે.
રાઉન્ડ 7: જાણો કડી-વિસાવદરમાં ભાજપ-આપની સ્થિતિ?
સાતમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 13194 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 985 મતોથી આગળ ચાલે છે
કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 29870, કોંગ્રેસ 16675 અને આપને 891 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 22235, ભાજપને 23220 જ્યારે કોંગ્રેસને 2104 વોટ મળ્યા છે.
રાઉન્ડ 6: જાણો કડી-વિસાવદરની સ્થિતિ?
વિસાવદર-કડીમાં પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે.
છઠ્ઠા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 12,000 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 462 મતોથી આગળ ચાલે છે
કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 26005, કોંગ્રેસ 14047 અને આપને 795 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 19053, ભાજપને 19515 જ્યારે કોંગ્રેસને માત્ર 1800 વોટ મળ્યા છે.
રાઉન્ડ 5: વિસાવદરમાં સતત ઉથલ-પાથલ
વિસાવદરમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપ 980 મતોથી આગળ, જ્યારે કડીમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપે મજબૂત લીડ મેળવી છે.
વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપને 168881 વોટ મળ્યા, કડીમાં પાંચમા રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા 10,447 વોટથી આગળ છે.
કડીમાં ચોથા રાઉન્ડ બાદ પણ ભાજપને સતત લીડ, રાજેન્દ્ર ચાવડા 6811 વોટથી આગળ રહ્યા. જ્યારે વિસાવદરમાં પણ ભાજપે ચોથા રાઉન્ડમાં લીડ જાળવી રાખી.
રાઉન્ડ 3: કડી-વિસાવદરમાં ભાજપની મજબૂત સ્થિતિ
વિસાવદરમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને રાહત સમાચાર મળ્યા છે.
વિસાવદરમાં ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ 150 મતથી ગોપાલ ઇટાલિયાને માત આપી આગળ નીકળી ગયા છે.
ત્રીજા રાઉન્ડમાં આપના ગોપાલ ઇટાલિયાન 150 મત પાછળ છે. જ્યારે કડીમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 5752 વોટથી આગળ છે.
રાઉન્ડ 2: જાણો ભાજપ-આપ અને કોંગ્રેસની સ્થિતિ?
બીજા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયને 7719 વોટ સાથે લીડ
ભાજપના કિરીટ પટેલ 6788 વોટ સાથે બીજા ક્રમે
જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર ચાવડા 8232 વોટ સાથે બીજા રાઉન્ડમાં આગળ, કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા કરતા બમણી લીડ
પ્રથમ રાઉન્ડના અંતે શું છે સ્થિતિ?
પ્રથમ રાઉન્ડના અંતે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર 4233 વોટથી આગ, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા 2691 વોટ સાથે બીજા ક્રમે. જ્યારે વિસાવદરમાં પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા 4042 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના કિરીટ પટેલ 3097 વોટ સાથે બીજા ક્રમે છે. આ આંકડા ચૂંટણીપંચે જાહેર કર્યા હતા.
ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 જૂને ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે 54.61 ટકા અને 54.49 ટકા મતદાન થયું હતું. આપના ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કડી એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે રાજેન્દ્ર છાબડા, કોંગ્રેસે રમેશ છાબડા અને આપના જગદીશ છાબડાને ઉમેદવાર બનાવ્યા છે.
સુરત શહેરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિઃ સવારે આઠથી દસ દરમિયાન માત્ર બે કલાકમાં પોણા છ ઇંચ વરસાદને લીધે શહેરમાં ચારેકોર જળબંબાકાર.
The weir level reached 6.00 mt. at 3:00 AM, so it is closed for traffic on 23 June 2025
જો આપની કોલેજમા કે આસપાસ પાણી ભરાયેલ હોય તો આપની કક્ષાએથી વર્ગ બંધ રાખવા નિર્ણય કરી શકાય છે.. પરિસ્થિતિગત અને જો પરીક્ષા ન હોય તો વિવેકબુદ્ધિથી નિર્ણય લઈ શકાય છે જે વિદિત થાય છે કુલસચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત
રાંદેરઝોનથી સેન્ટ્રલ,કતારગામ,વરાછા કે અઠવા ઝોન જવું હોય તો જીલાની બ્રિજ,પાલ ઉમરા બ્રિજ થઈ જવા વાહનોની ભારે ભીડ, સંખ્યા બંધ વાહનો પાણીમાં ફસાયા,વાહનો બંધ થઈ જતા પગપાળા જવું પડ્યું
સુરત શહેર જિલ્લામાં આજે વહેલી સવારથી ત્રાટકેલા ભારે વરસાદે સામાન્ય જનજીવનને ઘેરી અસર પહોંચાડી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં રજા ઘોષિત કરી દેવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા ત્યાંથી તેમને ઘરે પરત મોકલવાની વ્યસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાઓ આજથી જ શરૂ થઇ છે. આ પરીક્ષાઓ રાજ્યવ્યાપી હોવાથી તેને મૌકૂફ રાખવાની સત્તા સ્થાનિક સ્તરે ન હોવાથી પરીક્ષાઓ જારી રાખવામાં આવી છે.
બીજી તરફ જૂનના ચોથા સપ્તાહના પહેલા દિવસે સોમવારે સવારે નોકરી, ધંધો, રોજગાર પર જવા નીકળેલા લોકો ભારે વરસાદને કારણે મોટી પરેશાનમાં મૂકાય ગયા હતા. શહેરના લગભગ તમામ રોડ પર ટ્રાફિક જામ અને સાથે જલ ભરાવની સ્થિતિ જોવા મળી હતી. છત્રી લઇને નીકળેલા લોકો કે પછી રેઇનકોટ પહેરીને નીકળેલા લોકો પણ સંપૂર્ણપણે ભીંજાઇ ગયા હતા તેટલું જોર વરસાદનું હતું.
Umarwada Jawaharnagar
સવારે સાડા દસ વાગ્યાથી વરસાદનું જોર વધ્યું હતું અને બેંકોથી લઇને સરકારી કચેરીઓ પર જવા નીકળેલા લોકો ક્યાંતો ભીંજાઇ ગયા હતા ક્યાંતો જ્યાં શેલ્ટર મળ્યું ત્યાં રોકાઇ ગયા હતા. નોકરી, ધંધાના સ્થળે આજે ભારે વરસાદને પગલે કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. મેઇન્ટેનન્સ સર્વિસિંગના ધંધા સાથે જોડાયેલા લોકોના કામકાજને ઘેરી અસર પહોંચી હોવાની માહિતી લોકોએ સી.આઇ.એ. લાઇવને કોલ કરીને આપી હતી.
Sarthana Jakatnaka
અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એમ રાજ્યના તમામ ઝોનમાં વરસાદ પડી ચૂક્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવમાન વિભાગે આજે સોમવારે રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
Surat Adajan Patia Video
ગુજરાતમાં ચોમાસું જામવા લાગ્યું છે ત્યારે હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સોમવારે આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છ અતિભારે વરસાદની આગાહી કરી છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫ (જીઈસીએમએસ-2025) જાહેર કરી હતી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતને વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવાનો છે. આ પોલિસીને પગલે ગુજરાતમાં રૂ.35 હજાર કરોડનું નવું જંગી મૂડીરોકાણ થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. આ નીતિની મુખ્ય વિશેષતા એ છે કે કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા મંજૂર અને સહાય પ્રાપ્ત એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે ૧૦૦ ટકા સહાય પ્રોત્સાહન મળશે. આનો અર્થ એ થાય કે ગુજરાતમાં સ્થપાનારા મેઈટીની મંજૂરી પ્રાપ્ત પ્રોજેક્ટ્સને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એમ બંને તરફથી બેવડા પ્રોત્સાહનનો લાભ મળી શકશે.
આ જીઈસીએમએસ-2025 પોલિસી કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ઈસીએમએસ) ને સંપૂર્ણપણે સુસંગત છે અને ૧૦૦ ટકા ટોપ-અપ અનુસરણ કરીને ઓછામાં ઓછા સમયમાં સહાય પ્રોત્સાહન ઉપલબ્ધ કરાવશે. એકવાર મેઈટી Ministry of Electronics and Information Technology (MeitY)જીઈસીએમએસ હેઠળ પ્રોજેક્ટ મંજૂર થયા પછી, રાજ્યમાં સ્થપાનારા પ્રોજેક્ટ્સ આપમેળે સમાન ગ્રાન્ટ-સહાયપાત્ર બનશે. કેન્દ્ર સરકાર દ્વારા સહાય ચૂકવાયાના ૩૦ દિવસની અંદર રાજ્ય સરકાર દ્વારા પણ પ્રોત્સાહન સહાય ચૂકવી દેવામાં આવશે.
ગુજરાત દેશના ઔદ્યોગિક વિકાસના લેન્ડસ્કેપમાં મેન્યુફેક્ચરિંગ હબ અને ઓટો હબ તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. રાજ્યમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ પણ કાર્યરત છે, ત્યારે આ નવી પોલિસી અપસ્ટ્રીમ ઉદ્યોગને પણ વેગ આપશે. આના પરિણામે આયાત પરની નિર્ભરતા ઘટશે અને ટેકનોલોજીકલ રેઝિલીયન્સમાં વધારો થશે. આ પોલિસી દ્વારા રાજ્યમાં ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ₹૩૫,૦૦૦ કરોડથી વધુના નવા રોકાણો આકર્ષિત કરવાનું અને વધુને વધુ ઉચ્ચ-કુશળ રોજગારનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલી આ જીઈસીએમએસ પોલિસીના પરિણામે રાજ્યમાં મલ્ટી લેયર અને એચ.ડી.આઇ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, લિથિયમ આયન સેલ, એસ.એમ.ડી. પેસિવ કમ્પોનન્ટ્સ, ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ, ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ તેમજ તેના ઉત્પાદન માટે જરૂરી વિશેષ મશીનરી સહિતના આવશ્યક ઉદ્યોગો-એકમોને રાજ્યમાં રોકાણ માટે પ્રોત્સાહન મળશે.
આ પોલિસીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપીને ટેલેન્ટ ગેપ દૂર કરવાના હેતુથી રાજ્યમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ માટે પણ ઉદાર સહયોગ આપવાનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે. તદ્અનુસાર, ગુજરાતમાં સ્થિત અને માન્ય હોય તેવી સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સ, ફિનિશિંગ સ્કુલ્સ કે એપ્લાઇડ રિસર્ચ લેબની સ્થાપના માટે રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ ₹૧૨.૫ કરોડ સુધીની મેચિંગ સહાય મળવાપાત્ર થશે. જીઈસીએમએસ અંતર્ગત ટર્નઓવર લિન્ક્ડ ઇન્સેન્ટિવ છ વર્ષના સમય સુધી પૂરું પાડવામાં આવશે. પોલિસીના હેતુઓઓ પર એક નજર કરીએ તો તેનો સૌથી પહેલો હેતું તો ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ ઉત્પાદનથી વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇન્સમાં ગુજરાતનું મજબૂત સ્થાન પ્રસ્થાપિત કરવું. સ્થાનિક કમ્પોનન્ટ અને સબ-એસેમ્બલી ઉત્પાદનને પ્રોત્સાહન આપી ઇલેક્ટ્રોનિક્સ ગ્લોબલ વેલ્યુ ચેઇન્સમાં ઉત્પાદન મૂલ્ય વૃદ્ધિથી અગ્રેસર રહીને આયાત પર નિર્ભરતા ઘટાડવી અને નિકાસમાં વધારો કરવાનો છે.
આ પોલીસીનો લાભ લેવા માટે સરકારે પાત્રતા નક્કી કરી છે. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ આ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીમાં કરવાની રહેશે. કેન્દ્ર સરકારના મેઈટી દ્વારા સહાય મંજૂર થઈ હોય અને ગુજરાતમાં કાર્યરત હોય તેવા તમામ પ્રોજેક્ટ્સને આપોઆપ આ પોલિસીનો લાભ મળશે. ગુજરાતમાં ઉત્પાદન યુનિટ સ્થાપિત કરવા ઈચ્છતા હોય અથવા પ્રગતિમાં હોય તેવા પ્રોજેક્ટ્સને પણ આનો લાભ મળશે.
સરકારે આ માટે ખાસ પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જાહેર કર્યા હતા. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮ હેઠળ સહાય મેળવતા હોય તે સિવાયના એકમો આ નીતિ હેઠળ મળતા લાભો મેળવવા માટે માન્ય રહેશે.આ નવી નીતિ હેઠળ લાભ મેળવતા એકમોને ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ નીતિ ૨૦૨૨-૨૮નો લાભ મળશે નહીં. પ્રોત્સાહન ભારત સરકારની યોજનાની શરતો અને થ્રેશોલ્ડ મુજબ રહેશે. તે ઉપરાંત વધારાના પ્રોત્સાહનો (ઇન્સેન્ટિવ્સ) જેવા કે, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ: ઇલેક્ટ્રોનિક્સ ક્લસ્ટરોમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણ અને વિકાસ માટે જરૂરિયાત આધારિત સહાય અપાશે.
ભારત સરકાર દ્વારા મંજૂર યોજનાઓ માટે સહાય ચૂકવાયા બાદ રાજ્ય સરકાર ૩૦ કાર્ય દિવસમાં સહાય ચૂકવશે. રાજ્યની આ નવી નીતિનો સમયગાળો ભારત સરકારની યોજના જેટલો જ રહેશે. ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી-૨૦૨૫નું અમલીકરણ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (જીએસઈએમ) દ્વારા કરવામાં આવશે.
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના માનદ્ ખજાનચી શ્રી CA મિતીષ મોદીએ સોમવારે તા. ૧૬ જૂન ૨૦૨૫ના રોજ મુંબઈ ખાતે ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત 6th IMC Business Connect – “Unlocking Global Market: Trade Opportunities for Indian Business” માં ઈજિપ્ત, આર્યલેન્ડ, મેક્સિકો, વિયેતનામ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, મલેશિયાના કમિશનરો / કાઉન્સિલ જનરલ તેમજ તેઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી.
સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા મુંબઈ સ્થિત ફોરેન ટ્રેડના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી આર. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, ‘ભારતીય એમએસએમઈ ઉદ્યોગો માટે વિશ્વના અનેક દેશોમાં રોકાણ માટેની વિશાળ તકો રહેલી છે. વિશ્વની વાત કરવામાં આવે તો જર્મનીના વિકાસમાં એમએસએમઈ એ મહત્વની ભૂમિકા પ્રદાન કરી છે, જીડીપીમાં ૬૦% જેટલું યોગદાન માત્ર એમએસએમઈ સેક્ટર આપે છે તેમજ ૫૮% લોકોને રોજગારી આ ક્ષેત્ર પ્રદાન કરે છે. ભારતની એમએસએમઈ સેક્ટરે ગુણવત્તા અને પ્રોડક્ટમાં ઈનોવેશનની દિશામાં વધુ ભાર આપવાની જરૂર છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પ્રોડક્ટની ગુણવત્તા, પેકેજિંગને હંમેશા ધ્યાને રાખવું આવશ્યક છે, જેથી કંપનીની બ્રાન્ડિંગ અને માર્કેટિંગ બની રહે તેમજ એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ કરી શકાય છે. આગામી પાંચ વર્ષમાં ૨૦૦ બિલીયન ડોલરનું ઈ-કોમર્સ એક્ષ્પોર્ટ કરવાનો ભારત સરકારનો લક્ષ્યાંક છે. ભારતીય ઉદ્યોગ સાહસિકોએ ભારત દ્વારા વિવિધ દેશોમાં કરવામાં આવેલા વ્યાપારિક કરારોનો લાભ લેવો જોઈએ. વિદેશમાં નવો બિઝનેસ શરૂ કરવા પહેલા ભારતીય ઉદ્યોગ સાહસિકોને તે દેશમાં મળનાર લાભો વિશે, યોજનાઓ વિશે અને માર્ગદર્શિકા વિશે સંપૂર્ણ માહિતી મેળવી લેવી જોઈએ તેમ જણાવ્યું હતું.’
મુંબઈ સ્થિત આરબ રિપબ્લિક ઓફ ઈજિપ્તના કાઉન્સલ જનરલ મિસ. દહિલલા તવાકોલે જણાવ્યું હતું કે, માઈક્રો અને સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે ઈજિપ્ત અને ભારતની વચ્ચે ખાસ એમઓયુ કરાયા છે. જેથી ભારતીય રોકાણકારો સરળતાથી ઈજિપ્તમાં બિઝનેસ માટેનું રોકાણ કરી શકે છે.
આર્યલેન્ડના કાઉન્સલ જનરલ મિસ. અનિતા કેલીએ જણાવ્યું હતું કે, આર્યલેન્ડમાં ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી, ફાર્માસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સ, એગ્રીકલ્ચર, એજ્યુકેશન અને ટુરિઝમ ક્ષેત્રે રોકાણની તકો રહેલી છે. ભારતની અનેક મોટી કંપનીઓએ આર્યલેન્ડમાં રોકાણ કર્યું છે અને તેઓએ દેશમાં બિઝનેસમાં સફળતા મેળવી છે.
મેક્સિકોના કાઉન્સલ જનરલ મિ. અડોલ્ફો જર્સિયા એસ્ટ્રડાએ જણાવ્યું હતું કે, ‘મેક્સિકો લેટિન અમેરિકાનું એક મહત્વપૂર્ણ અને સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું દેશ છે. મેક્સિકોમાં ઔદ્યોગિક ઉત્પાદન અને ઓટોમોબાઇલ્સ, ટેક્ષ્ટાઈલ, ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થકેર, આઈટી અને સેવા ક્ષેત્ર તેમજ એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોકાણની અનેક તકો રહેલી છે.’
આ ઉપરાંત મિટીંગમાં મુંબઈ સ્થિત વિયેતનામના કાઉન્સલ જનરલ મિ. લે ક્વાન્ગ બિયેન, સાઉથ એશિયાના ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કમિશનર તેમજ ઓસ્ટ્રેલિયાના કાઉન્સલ જનરલ મિસ. મેરી ઓવેરીન્ગટોન, ટ્રેડ કમિશનર તેમજ કેનેડાના કાઉન્સલ જનરલ મિસ. એલૈની ડી’સોઝા સીઆઈટીપી, ટ્રેડ કમિશનર તેમજ મલેશિયાના કાઉન્સલ જનરલ મિ. શાહરુલમિઝા ઝાકરિયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે દેશમાં રહેલી રોકાણની વિવિધ તકો વિશે માહિતી આપી હતી.
આ પ્રસંગે ચેમ્બરના માનદ્ ખજાનચી શ્રી CA મિતીષ મોદીએ ફોરેન ટ્રેડના એડિશનલ ડિરેક્ટર જનરલ શ્રી આર. કે. મિશ્રાને અને IMC ના પ્રેસિડેન્ટ ઈલેક્ટ શ્રીમતી સુનિતા રામનાથકરને ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લેવા અને દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો એક્ષ્પોર્ટમાં વૃદ્ધિ કરી શકે તે માટે માર્ગદર્શન આમંત્રણ આપ્યું હતું. જેનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.
ચેમ્બર દ્વારા પ્લેટિનમ હોલમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ‘વુમન આંત્રપ્રિન્યોર્સ એન્ડ કમ્યુનિટી લીડર્સ’ સંદર્ભે પ્રેરણાત્મક સેશન યોજાયું
મહિલાઓ પુરૂષો કરતા વધુ સહનશીલ, દયાવાન, પરિશ્રમી, નિર્લોભી અને તર્કવાન હોય છે, ગુજરાતની ૩પ યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં ૮૦% છોકરીઓ જ ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે : ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રીએ મહિલાઓને પ્રગતિ કરો, ઉન્નતિ કરો, દરેક ક્ષેત્રમાં આગળ વધો પરંતુ ભારતની સંસ્કૃતીને નહીં છોડો તેવું સૂચન પણ કર્યુ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુક્રવાર, તા. ર૦ જૂન ર૦રપના રોજ સાંજે ૪:૦૦ કલાકે ‘વુમન આંત્રપ્રિન્યોર્સ એન્ડ કમ્યુનિટી લીડર્સ’ વિષય પર પ્રેરણાત્મક સેશન યોજાયું હતું. આ સેશનમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વ્યવસાયિક અને સામાજિક ક્ષેત્રે ઉમદા કાર્ય કરનાર મહિલા સાહસિકો વિષે વાત કરી અન્ય મહિલાઓ તથા યુવા પેઢીને આત્મવિશ્વાસ અને નેતૃત્વની ભાવના સાથે જીવનમાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગસાહસિકતામાં મહિલાઓની ભૂમિકા અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું યોગદાન મહત્વનું રહયું છે. મહિલા નેતૃત્વનો વિકાસ માત્ર સામાજિક જ નહીં, પરંતુ આર્થિક અને રાષ્ટ્રવ્યાપી સ્તરે પણ અગત્યનો છે. મહિલા શક્તિ સમાજના દરેક ક્ષેત્રમાં એક નવો આયામ ઊભો કરી રહી છે. આવા કાર્યક્રમોના આયોજનોથી માત્ર પ્રેરણા જ નહીં પણ નેટવર્કિંગ, માર્ગદર્શન અને સહકારના નવા અવસરો પણ સર્જાય છે, આથી યુવા પેઢીને પ્રેરણા આપવાના હેતુથી ચેમ્બર દ્વારા આ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભારતને વિકસિત બનાવવામાં અને વિશ્વગુરુ બનાવવામાં મહિલાઓના યોગદાનને મહત્વૂર્ણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણા દેશમાં મધ્યકાલીન યુગ પછી એક મિથ્ય પ્રખ્યાત છે કે, મહિલાઓ કરતા પુરૂષો વધુ શક્તિશાળી છે, પરંતુ સત્ય એ છે કે, મહિલાઓ પુરૂષો કરતા વધુ સહનશીલ, દયાવાન, પરિશ્રમી, નિર્લોભી અને તર્કવાન હોય છે. હાલમાં ગુજરાતની ૩પ યુનિવર્સિટીઓના પદવીદાન સમારોહમાં ૮૦% છોકરીઓ જ ગોલ્ડ મેડાલિસ્ટ હોય છે.
ભારત એક સમયે વિશ્વમાં ‘સોને કી ચીડિયા’ નામથી પ્રખ્યાત હતું. તેના મૂળમાં દેશના ગામડે–ગામડે દંપતિના સહભાગીદારીથી ચાલતા કુટીર ઉદ્યોગો અને તેથી થતું આર્થિક ઉપાર્જન રહેલું હતું. એવું નથી કે મહિલાઓએ માત્ર ઉદ્યોગ કરીને જ પરિવારને આર્થિક રીતે આગળ વધાર્યું છે પણ અનેક મહિલાઓ ઘરમાં પશુપાલન અને ખેતીમાં સહભાગી થઈને દેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આપ્યું છે. ઉદ્યોગ હોય કે કોર્પોરેટ અથવા સરકારી હોદ્દાઓ પર રહેલી મહિલાઓ હંમેશા કાર્યને સફળ બનાવવા માટે અથાક પ્રયાસ કરે છે અને તે કાર્યમાં સફળતા મેળવીને જ રહે છે.
મહિલાઓ જ્યારે ઉદ્યોગમાં ઝંપલાવે છે, ત્યારે તેઓ માત્ર પોતાનો જ વિકાસ નથી કરતી, પરંતુ તેઓ અનેકો લોકોને રોજગારી આપે છે, જેથી પરિવારોનું ગુજરાન ચાલે છે અને તેઓ એક સારૂં જીવન જીવવાનું શરૂ કરે છે. હાલમાં આપણે વિદેશી પરંપરાને અનુસરવાની આંધળી દોટ લગાવીએ છીએ, પરંતુ તે દરમિયાન આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ. તેમણે મહિલાઓને પ્રગતિ કરો, ઉન્નતિ કરો, દરેક ક્ષેત્રમાં આગળ વધો પરંતુ ભારતની સંસ્કૃતીને નહીં છોડો તેવું સૂચન આપ્યું હતું. ભારતીય સંસ્કૃતી વેદની સંસ્કૃતી છે. જ્યારે એક સમૂહમાં આપણે એક જ લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કાર્ય કરતા હોય ત્યારે યાદ રાખવું જોઈએ કે, માત્ર પોતાની ઉન્નતિમાં જ નહીં, પરંતુ બધાની ઉન્નતિમાં સફળતા રહેલી હોય છે.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ સેશનમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ સેશનનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના લેડીઝ વીંગના ચેરપર્સન શ્રીમતી મયૂરીબેન મેવાવાલા અને ચેમ્બરની સમગ્ર ટીમે સેશનને સફળ બનાવવા માટે ભારે મહેનત કરી હતી.
જો બેંકો દ્વારા ખરાબ સિબિલ સ્કોર (CIBIL Score)ને કારણે તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરી હોય તો હવે ચિંતા કરવાનું કારણ નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 2025 માટે સિબિલ સ્કોરના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેને કારણે લોન લેનારાઓને સરળતા રહેશે અને બેંકો ખરાબ સિબિલ સ્કોરને કારણે તમારી લોન પણ રિજેક્ટ નહીં કરી શકે.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે બેંકોએ લોન રિજેક્ટ કરવા માટે કેટલાક નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવું પડશે અને વિના કારણ લોન રિજેક્ટ પણ નહીં કરી શકાય. જો તમે પહેલાં કોઈ જગ્યાએ લોન માટે અરજી કરી હશે અને લોન એપ્લિકેશન રિજેક્ટ થઈ હશે તો હવે તમને એ માટેનું કારણ પણ જણાવવામાં આવશે. ચાલો જાણીએ આરબીઆઈના આ નવા નિયમથી તમને શું ફાયદો થશે અને તમારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ-
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર હવે કોઈ પણ બેંક કે લોન આપનારી સંસ્થા (NBFC) કોઈ પણ કસ્ટમરની લોન ત્યારે રિજેક્ટ કરી શકશે જ્યારે એમની પાસે ચોક્કસ અને સ્પષ્ટ કારણ હશે. એટલું જ નહીં આરબીઆઈ દ્વારા કસ્ટમરને કારણ જણાવવાનું પણ ફરજિયાત બનાવી દીધું છે.
અત્યાર સુધી અનેક વખત ખરાબ સિબિલને કારણે લોન સીધી રિજેક્ટ કરી દેવામાં આવતી હતી, પરંતુ હવે જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો લોનની અરજી રિજેક્ટ કરી દેવામાં આવતી હતી. પરંતુ હવે સિબિલ સ્કોર ખરાબ હશે તો પણ બેંકે પુરા ડોક્યુમેન્ટ્સ અને કમ્યુનિકેશનના આધારે ક્લિયર ડિસિઝન આપવું પડશે.
આરબીઆઈના નવા નિયમ અનુસાર હવે માત્ર સિબિલ સ્કોલના આધારે લોન રિજેક્ટ નહીં કરી શકાય. આ સિવાયના બીજા અનેક ફેક્ટર્સ જેમ કે લોન કરનારની આવક, કરન્ટ ઈએમઆઈ લોડ, બેંકિંગ બિહેવિયર, નોકરીની સ્થિરતા જેવી તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ નવા નિયમથી એવા લોકોને ખૂબ જ રાહત મળસે જેમનો સિબિલ સ્કોર કોઈ કારણ અનુસાર ખરાબ થયો હોય પણ બાદમાં તેમણે ફાઈનાન્શિયલ સિચ્યુએશનને કન્ટ્રોલ કરી લીધી હોય.
નવા નિયમ અનુસાર જો બેંક તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરે છે તો એસએમએસ, ઈમેલ, કોલ દ્વારા રિજેક્શનનું કારણ જણાવવું જરૂરી છે. એટલું જ નહીં બેંકોએ તમામ રિજેક્ટ કરેલી લોનનો રિપોર્ટ દર મહિને આરબીઆઈને મોકલવો પડશે. આરબીઆઈ દ્વારા આ પગલું એટલે લેવામાં આવ્યું છે જેથી બેંક પોતાની મરજીથી લોકોને લોન આપવાનો કે રિજેક્ટ કરવાનો નિર્ણય ના લઈ શકે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.