CIA ALERT

Alert Archives - Page 16 of 497 - CIA Live

July 17, 2025
image-6.png
1min85

ઈરાકમાંથી આગ લાગવાની ભયાવહ ઘટના બની છે. પૂર્વીય ઇરાકના અલ-કુટ શહેરમાં એક હાઇપરમાર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગના બનાવમાં પચાસ લોકોના મોત થયાં છે. આ સાથે જ સમાચાર મળી રહ્યા છે કે અલ-કુટમાં ફાઇવ ફ્લોરની એક બિલ્ડિંગમાં આગની પ્રચંડ જ્વાળાઓ જોવા મળી હતી. આ આગની ઘટના બન્યા બાદ ફાયર ટેંડર્સ દ્વારા તેને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યા છે.

જોકે, આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું ન હતું. આ ભીષણ આગની ઘટનાના વિડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રિપોર્ટ પ્રમાણે સૌથી મોટા શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં અત્યારસુધીમાં પચાસ લોકો કાળનો કોળિયો બની ગયાં છે. ત્યાંના રાજ્યપાલે જણાવ્યું છે કે તપાસના પ્રારંભિક તારણો ૪૮ કલાકમાં જાહેર કરવામાં આવશે.

July 17, 2025
Gujarat-map.jpg
1min173

ગુજરાતમાં નવરચિત 9 મહાનગરપાલિકાઓ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા સીમાંકનના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. મનપાના આસપાસના વિસ્તારને ભેળવી સીમાંકન જાહેર કરાયું હતું. રાજ્યના નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી અને નડિયાદ સહિતના નવ શહેરોને હવે નગરપાલિકા તરીકે નહીં પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નવી ઓળખ આપવામાં આવી છે.

50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે

આ તમામ મહાપાલિકાઓમાં દરેક માટે 13 વોર્ડ અને 52 કોર્પોરેટરની બેઠકો નક્કી કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના જણાવ્યા અનુસાર, નવી રચાયેલી મનપાઓમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે અને 27 ટકા બેઠકો અન્ય પછાત જાતિ (ઓબીસી) ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી મહાનગરપાલિકા બનતા આ શહેરોની આજુબાજુના ગામડાઓ અને વધતા વિસ્તારને હવે શહેર હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. પરિણામે, વિકાસ યોજનાઓ વધુ ગતિથી અમલમાં આવી શકશે અને શહેરી વસાહતો માટે વધુ સારી જનસેવાઓ ઉપલબ્ધ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવી મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે આગામી એક વર્ષની અંદર ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. નવી રચાયેલી 9 મનપા સહિત કુલ 15 મનપાની ચૂંટણી યોજાશે. ચૂંટણી અગાઉ સીમાંકનના આદેશો જારી થતા રાજકીય રીતે પણ ગરમાવો જોવા મળી શકે છે. આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાશે. આગામી દિવસોમાં વોર્ડની હદ અને ક્યા વોર્ડમાં કેટલી બેઠક અનામત રહેશે તેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્વ કરી દેવામાં આવશે.

July 17, 2025
image-4.png
1min99

ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું એક હથ્થું શાસન છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતના લોકોએ જેમને ખોબલે ખોબલે વોટ આપીને દિલ્હી મોકલ્યા છે તેવા 26માંથી 25 સાંસદ તેમને મળતા એક વર્ષના ફંડમાંથી માત્ર ચાર ટકાનો લોકોપયોગી કર્યો છે. સાંસદોને મળતા એમપીલેડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે આ ચોંકાવનારા આંકડા જોવા મળ્યા હતા, જેમાં 26 સાંસદે 254 કરોડમાંથી માંડ 10 કરોડ રુપિયા ખર્ચ્યાં છે.

મળતી વિગતો મુજબ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતા ફંડમાંથી માત્ર 4.2 ટકા જ બજેટ વાપર્યું છે. સાંસદો તેમને મળતા એમપીલેડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કિમ) ફંડમાંથી 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી, 14 મતક્ષેત્રમાં સંસદસભ્યોએ ભલામણ કરેલાં કામોમાંથી એક પણ કામ પૂર્ણ થયું નથી. એક તરફ મતદારો તેમના ચૂંટાયેલા સ્થાનિક સાંસદ સભ્ય પાસે વિકાસની અપેક્ષા અને આશા રાખી જુદાં જુદાં કામો કરવા અરજ કરતા હોય છે, ત્યારે હકીકત જોઈએ તો સાંસદો તેમને મળેલા ફંડના 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી. કુલ ફંડનું માત્ર 4.2 ટકા ફંડ જ વપરાયું છે.

ભરુચ લોકસભાના વિસ્તારમાં સૌથી વધુ ખર્ચાયા
ભરુચ લોકસભા વિસ્તારમાં સૌથી વધુ એટલે કે 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા છે, બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા છે, જ્યારે ત્રીજા નંબરે સાબરકાંઠા સંસદીય મતક્ષેત્ર છે, જેમાં 1.08 કરોડનો ખર્ચ થયો છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 18મી લોકસભાને 1 વર્ષ પૂરું થયું, પણ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, અને નવસારી સંસદીય મતક્ષેત્રમાં એમપીલેડમાંથી હજુ સુધી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.

સંસદીય વિસ્તાર માટે વર્ષદીઠ પાંચ કરોડનું બજેટ
એમપીલેડ ફંડ યોજના અંતર્ગત દરેક સંસદસભ્યનું બજેટ વર્ષદીઠ 5 કરોડ છે, એટલે કે દર વર્ષે સંસદસભ્ય તેમના મત વિસ્તારના 5 કરોડ સુધીનાં કામોની ભલામણ કરી શકે. ત્યાર બાદ જિલ્લા આયોજનમંડળ દ્વારા આ કામો જે-તે અમલીકરણ એજન્સીને સોંપવામાં આવે છે.

3823 કામ પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયાં
એમપીલેડ 2023ની ગાઈડલાઈન અનુસાર સંસદસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવે, એના 45 દિવસમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે, પરંતુ ઉપલબ્ધ વિગતો ચકાસતાં ભલામણ થયેલાં કુલ 3823 કામ પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયાં છે, જ્યારે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ મતક્ષેત્રમાં હજુ સુધી એક પણ કામ પૂર્ણ થયું નથી. આમ 26 મત ક્ષેત્રોમાંથી 14 મતક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન એક પણ કામ કરવામાં આવ્યું નથી.

July 16, 2025
Photo_2-1280x853.jpg
2min178

જીજેઈપીસીએ જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસો વધારવા માટે 1.1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ધરાવતા સાઉદી અરેબિયાને લક્ષ્ય બનાવ્યું

 સાઉદી અરેબિયામાં વર્લ્ડ જેમ એન્ડ જ્વેલરી ફેરનું લોન્ચિંગ કર્યું
 કિંગડમ ઓફ સાઉદી અરેબિયામાં સૌપ્રથમ સમર્પિત બીટુબી જેમ એન્ડ જ્વેલરી શૉ

ભારતમાં રત્નો અને ઝવેરાતોના વેપારની સર્વોચ્ચ સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (જીજેઈપીસી) ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, રિયાધમાં ભારતના દૂતાવાસ, જેદ્દાહમાં ભારતની કોન્સ્યુલેટ જનરલ અને દુબઇ જ્વેલરી ગ્રુપના સહયોગથી 6 જુલાઇએ જેદ્દાહમાં અને 8 જુલાઈ 2025ના રોજ રિયાધમાં બે કર્ટન-રેઝર ઇવેન્ટ્સ દ્વારા સફળતાપૂર્વક SAJEX – The Saudi Arabia Jewellery Expositionનું લોન્ચિંગ કર્યું હતું.

આ બંને ઇવેન્ટ્સને ટોચના રિટેલર્સ, હોલસેલર્સ અને મેન્યુફેક્ચરર્સ સહિતના 280થી વધુ મુખ્ય સાઉદી હિતધારકો તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો હતો.

નિકાસ બજારોમાં વૈવિધ્ય લાવવા અને વણખેડાયેલી તકો ખોજવા માટેના તેના સતત પ્રયાસોનાભાગરૂપે જીજેઈપીસી 1.1 ટ્રિલિયન ડોલરનો જીડીપી ધરાવતા ગલ્ફના સૌથી મોટા અર્થતંત્ર સાઉદી અરેબિયાની વિકાસની સંભાવનાઓ અનલોક કરી રહી છે. 2024માં તેના જ્વેલરી માર્કેટનું કદ 4.56 અબજ યુએસ ડોલર હતું જે 2030 સુધીમાં વધીને 8.34 અબજ યુએસ ડોલર થવાની ધારણા છે. સાઉદી અરેબિયા સમકાલિન અને વૈભવી ઝવેરાતો માટેના મુખ્ય સ્થળ તરીકે ઝડપથી ઊભરીરહ્યું છે. યુવા, શહેરી વસ્તી અને ગતિશીલ રિટેલ માહોલ 18 કેરેટ અને 21 કેરેટ પ્લેન ગોલ્ડ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી તથા પ્રીમિયમ ડિઝાઇન આધારિત પ્રોડક્ટ્સ માટેની માંગમાં વધારો કરી રહ્યો છે. આના પરિપ્રેક્ષ્યમાં SAJEXભારત-સાઉદી અરેબિયા સંબંધોને મજબૂત બનાવવા તથા મધ્યપૂર્વ અને અન્ય પ્રદેશોમાં ભારતની જ્વેલરીની હાજરીને વિસ્તારવા માટે મહત્વનું વ્યૂહાત્મક પગલું છે.

SAJEX 2025 આઇકોનિક જેદાહ સુપરડોમ ખાતે 11થી 13 સપ્ટેમ્બર 2025 સુધી યોજાશે.

ધ વર્લ્ડ જેમ એન્ડ જ્વેલરી ફેર તરીકે સ્થિતSAJEX જ્વેલરી સેક્ટરમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના લાંબા ગાળાના સંબંધોની શરૂઆત દર્શાવે છે. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટેના ગ્લોબલ હબ ગણાતું ભારત આ પ્લેટફોર્મ પર તેની અદ્વિતીય કારીગરી, અત્યાધુનિક ડિઝાઇન અને ઉત્પાદનની નિપુણતાને ગર્વભેર દર્શાવશે. આ પ્લેટફોર્મ પરમાં ભારત, સાઉદી અરેબિયા, યુએઇ, તુર્કી, હોંગકોંગ અને લેબનોનના 250થી વધુ બુથોમાં 200થી વધુ અગ્રણી એક્ઝિબિટર્સ ભાગ લેશે. આ ઇવેન્ટમાં 2,000થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો જોવા મળશે અને ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન-સ્ટડેડ જ્વેલરી, 18 કેરેટ, 21 કેરેટ અને 22 કેરેટ પ્લેન ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી, પ્રેટ અને બ્રાઇડલ એમ બંનેમાં લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી, ગિફ્ટિંગ કલેક્શન્સ તેમજ અત્યાધુનિક જ્વેલરી ટેક્નોલોજી રજૂ થશે.

SAJEX ને બધાથી અલગ બનાવે છે તેનું લાંબા ગાળાનું વિઝન જે કિંગડમના ઉભરતા બજાર માટે જ બનાવાયેલા ખાસ બીટુબી પ્લેટફોર્મ થકી સાઉદી રિટેલર્સ અને આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો વચ્ચે કાયમી ભાગીદારી બનાવવા માટે છે. આ પ્રયાસના કેન્દ્રમાં વર્લ્ડ જ્વેલરી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ છે જે જીજેઈપીસી અને સાઉદી અરેબિયાના રોકાણ મંત્રાલય દ્વારા સંયુક્તપણે આયોજિત છે. આ ઉચ્ચ સ્તરીય ફોરમ સરકારી અગ્રણીઓ, ગ્લોબલ બ્રાન્ડ્સ, રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાંતોને સમગ્ર જ્વેલરી વેલ્યુ ચેઇનમાં વ્યૂહાત્મક તકો ખોજવા માટે સાથે લાવશે જે સાઉદી અરેબિયાને જ્વેલરી
ડિઝાઇન, ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે ભવિષ્યનું હબ બનાવે છે.

જેદ્દાહ ખાતે SAJEXના કર્ટેન રેઝરમાં જેદ્દાહ ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી ફહાદ અહેમદ ખાન સુરી,જેદ્દાહ ચેમ્બર ઓફ કોમર્સના ફર્સ્ટ વાઇસ ચેરમેન એન્જિનિયર રઇદ ઇબ્રાહિમ અલમુદૈહીમઅને જેદ્દાહ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શ્રી શેખ અલી બતારફી અલ કિંદી, જીજેઈપીસી લીડરશિપ ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

રિયાધ કાર્યક્રમમાં સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત મહામહિમ ડો. સુહેલ અજાઝ ખાન,રિયાધ ચેમ્બરના સેકન્ડ વાઇસ ચેરમેન શ્રી અજલાન સાદ અલાજલાન,એશિયન દેશો સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોના નિયામક શ્રી ફલેહ જી. અલમુતૈરીઅને સુશ્રી મનુસ્મૃતિ, કાઉન્સેલર (આર્થિક અને વાણિજ્યબાબતો), જીજેઇપીસીના ચેરમેન શ્રી કિરીટ ભણસાલી,રાષ્ટ્રીય પ્રદર્શનોના કન્વીનર શ્રી નીરવ ભણસાલીઅને જીજેઈપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સબ્યસાચી રે ઉપસ્થિત રહ્યા હતા.

આ નવી જીજેઈપીસી પહેલ વિશે સાઉદી અરેબિયારાજ્યમાં ભારતના રાજદૂત ડો. સુહેલ એજાઝ ખાને જણાવ્યું હતું કેભારત અને સાઉદી અરેબિયા વ્યૂહાત્મક અને ઊંડા મૂળિયાવાળા સંબંધો ધરાવે છેઅને SAJEX આ વિકસતા બંધનને દર્શાવે છે. તે માત્ર ભારતની ડિઝાઇન શ્રેષ્ઠતાની ઉજવણી નથી પણ લક્ઝરી સેગમેન્ટમાં ઊંડા વ્યાપારી સહયોગનો પ્રવેશદ્વાર પણ છે. આ પહેલ દ્વિપક્ષીય ભાગીદારી માટે નવા માર્ગો ખોલે છે, કારીગરી દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાનને આગળ ધપાવે છે અને સાઉદી અરેબિયાના વિઝન 2030 લક્ષ્યોમાં અર્થપૂર્ણ યોગદાન આપે છે. જવેલરી જેવા ઉચ્ચ-મૂલ્યવાળા ક્ષેત્રોમાં આર્થિક સંબંધોને મજબૂત બનાવવા તરફ આવા કેન્દ્રિત પ્રયાસો જોઈને આનંદ થાય છે.

જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી ફહાદ અહેમદ ખાન સુરીએ જણાવ્યું હતું કેSAJEX 2025 માત્ર એક પ્રદર્શન કરતાં વધુ છે. તે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતી ભાગીદારીનું પ્રતીક છે. ભારતના ઝવેરાત કારીગરીના વારસા અને લક્ઝરી રિટેલમાં સાઉદી અરેબિયાના વધતા વૈશ્વિક પ્રભાવ સાથે, આ પ્લેટફોર્મ એક જીવંત અને સહયોગી જ્વેલરી ઇકોસિસ્ટમ માટે મંચ તૈયાર કરે છે. કોન્સ્યુલેટ આ પહેલને સમર્થન આપતા ગર્વ અનુભવે છે જે ફક્ત દ્વિપક્ષીય વેપારને જ ગાઢ બનાવતી નથી પરંતુ સાંસ્કૃતિક અને વ્યાપારી તાલમેલની શક્તિનું પણ પ્રદર્શન કરે છે.

જીજેઈપીસીના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કેગતિશીલ વૈશ્વિક વેપાર વાતાવરણ વચ્ચે, SAJEX એ સાઉદી અરેબિયા જેવા ઉચ્ચ-સંભવિત બજારોમાં ભારતની જ્વેલરી એક્સપોર્ટને વિસ્તારવા તરફ એક સક્રિય પગલું છે. તેની વિકસતી લક્ઝરી રિટેલ ઇકોસિસ્ટમ, યુવા ગ્રાહકો અને ડિઝાઇન-આધારિત સોના અને હીરાના ઝવેરાત માટેની મજબૂત ભૂખ સાથે, કિંગડમ ભારતીય ઉત્પાદકો માટે એક ઉત્તેજક સીમા રજૂ કરે છે. SAJEX ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એક સહિયારી યાત્રાની શરૂઆત કરે છે અને બંને રાષ્ટ્રોને એક પ્રબળ શક્તિ તરીકે સ્થાન આપે છે.

ભારત જેમ્સ એન્ડ જ્વેલરીના અગ્રણી વૈશ્વિક સપ્લાયર તરીકે, વાર્ષિક 32 બિલિયન ડોલરની નિકાસ કરે છેઅને સાઉદી અરેબિયાનું જ્વેલરી માર્કેટ 2030 સુધીમાં લગભગ બમણું થઈને 8.34 બિલિયન યુએસ ડોલર થવાનો અંદાજ છે.આ ભાગીદારી ઉદ્યોગને ફરીથી આકાર આપવા અને સમગ્ર પ્રદેશ અને તેનાથી આગળ સહયોગ, નવીનતા અને વૃદ્ધિ માટે નવા માપદંડો સ્થાપિત કરવા માટે તૈયાર છે.

SAJEX 2025ની ખાસિયતોઃ

  • તારીખ અને સ્થળ: 11થી 13 સપ્ટેમ્બર 2025, જેદ્દાહ સુપરડોમ
  • સહભાગીઓ: 250થી વધુ બૂથ પર 200થી વધુ અગ્રણી પ્રદર્શકો
  • પ્રતિનિધિત્વ: સાઉદી અરેબિયા, ભારત, યુએઈ, તુર્કી, હોંગકોંગ, લેબનોન
  • ખરીદદારો: 2,000 થી વધુ આંતરરાષ્ટ્રીય વેપાર ખરીદદારોની અપેક્ષા છે
  • પ્રોડક્ટ રેન્જ: ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન-સ્ટડેડ જ્વેલરી, 18 કેરેટ, 21 કેરેટ અને 22 કેરેટ પ્લેન
    ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી, પ્રેટ અને બ્રાઇડલ બંનેમાં લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી, ગિફ્ટિંગ
    કલેક્શન્સ અને જ્વેલરી ટેકનોલોજી
  • સુવિધાઓ: નોલેજ ટૉક્સ, ડિઝાઇન એટેલિયર, ક્યુરેટેડ નેટવર્કિંગ, સ્ટ્રેટેજિક ટાઇ-અપ્સ, વર્લ્ડ
    જ્વેલરી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ
    SAJEX એક ગેમ-ચેન્જર બનવાની અપેક્ષા છે, ફક્ત એક ટ્રેડ પ્લેટફોર્મ તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક
    સહયોગ, નવીનતા અને રોકાણ દ્વારા રાજ્યના જેમ અને જ્વેલરી ઉદ્યોગને પરિવર્તિત કરવા માટે
    ઉત્પ્રેરક તરીકે.
July 16, 2025
Cia_business_news-1280x936.jpg
1min129

છેલ્લા 74 વર્ષથી સુરત જ નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગુણવત્તા યુક્ત દુધ પ્રોડક્ટસ સપ્લાય કરતી સુમુલ ડેરી હવે દક્ષિ ગુજરાતવાસીઓ માટે શુદ્ધતાનું પ્રતિક બની ચૂકી છે. અહીં સુમુલ ડેરીની સમગ્ર દૂધ સપ્લાયની ચેઇન છે, જે વપરાશકર્તાઓને ગેરેન્ટી આપે છે કે સુમુલનું દૂધ ક્યારેય સહેજ પણ ઉતરતી ગુણવત્તાનું નહીં હોય.

July 14, 2025
image-3-1280x852.png
1min109

વર્લ્ડ નંબર ખેલાડી જેનિક સિનરે ઈતિહાસ રચી દેતાં પહેલીવાર વિમ્બલડન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં વિજયી થઈ ટ્રોફી જીતી લીધી. સિનરે ગ્રાસકોર્ટ પર સતત બે વર્ષ સુધી ખિતાબ જીતનારા સ્પેનના કાર્લોસ અલ્કારાઝને  ત્રણ કલાક ચાલેલી ફાઈનલમાં 4-6, 6-4, 6-4, 6-4 થી હરાવીને ખિતાબ જીત્યો હતો. 

સિનરે તેની કારકિર્દીનો આ ચોથો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઈટાલિયન ખેલાડી વિમ્બલડનનું ટાઈટલ જીત્યો હતો. આ સાથે સિનરે ગત મહિને ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં અલ્કારાઝ સામેની હારનો હિસાબ ચૂકતે કરી દીધો. 

પહેલીવાર આવું થયું 

બંને વચ્ચેની ફાઈનલ મેચ એટલા માટે પણ રસપ્રદ હતી કેમ કે પહેલીવાર વિમ્બલડન મેન્સ ફાઈનલમાં બે એવા ખેલાડી સામ-સામે રમી રહ્યા હતા જેમનો જન્મ 2000ની સાલ બાદ થયું હતું. ફાઇનલની શરૂઆત અલ્કારાઝે આક્રમક અંદાજમાં કરી હતી અને પ્રથમ સેટ 6-4થી જીતી લીધો હતો. જોકે પછી તે એક પણ સેટ ન જીતી શક્યો. 

July 13, 2025
WhatsApp-Image-2025-07-13-at-15.56.49-1280x853.jpeg
1min78

સુરતના સુમુલડેરી રોડ સ્થિત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI)ની ટેસ્ટિંગ લેબોરેટરીમાં ડાયમંડ જવેલરી (નેચરલ અને લેબગ્રોન), લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન), કલર સ્ટોન તથા સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ કરી સર્ટિફિકેટની અધિકૃત કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ચિન્હ સાથે હવે આઇડીઆઇ કમર્શિયલ સર્ટિફિકેશન કરી આપશે.

ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI ) જેમ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા ડાયમંડ જવેલરી (નેચરલ અને લેબગ્રોન) , લુઝ ડાયમંડ (નેચરલ અને લેબગ્રોન), કલર સ્ટોન તથા સોનાની ગુણવત્તાની ટેસ્ટિંગ માટે ભારતનું રાષ્ટ્રીય ચિન્હ વાળા નવા ડિઝાઇન કરેલા લેબોરેટરી ટેસ્ટિંગ સર્ટિફિકેટનું અનાવરણ રાજ્યના ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ નવા લેબોરેટરી સર્ટિફિકેટ પ્રધાનમંત્રીના વિઝનને અનુલક્ષી, મેક ઇન ઇન્ડીયાને પ્રમોટ કરવા IDI દ્વારા આ પહેલ કરવામાં આવેલ છે. ભારત સરકારની ટેસ્ટ ઈન ઇન્ડિયા પહેલને પ્રોત્સાહન આપવા માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકારના માધ્યમથી ,ભારતનું રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભ સાથેનું લેબોરેટરી સર્ટિફિકેટ જેમ્સ અને જ્વેલરી સેક્ટરને IDI દ્વારા જારી કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ સંસ્થાના શ્રી દિનેશભાઈ નાવડિયાના સતત પ્રયાસોના પરિણામે શક્ય બની છે.

વધુમાં દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે, IDI દ્વારા વર્ષોથી જેમ્સ અને જ્વેલરી સેક્ટરને અત્યંત નજીવા દરે ગુણવત્તા અને વિશ્વસનીય લેબોરેટરી સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યા છે. ભારતીય જેમ ટેસ્ટિંગ લેબોરેટરીને પ્રોત્સાહન મળે તે હેતુથી, જેમ એન્ડ જ્વેલરી ટ્રેડના દરેક સભ્યોએ લેબોરેટરી સર્ટિફિકેટ ની ઊંચી વિશ્વસનીયતા અને ઝડપી સેવાઓનો લાભ લેવા માટે આપસૌને ન્રમ અપીલ છે. IDI દ્રઢ પ્રતિબદ્ધતાથી ગુણવત્તા અને પારદર્શકતાને જાળવી રાખશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

July 11, 2025
PRAZ3561-1280x854.jpg
1min367

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા દર વર્ષે આયોજિત કરવામાં આવતા પોલિશ્ડ લુઝ ડાયમંડ એક્ષ્પોની છઠ્ઠી એડિશનને આજે દેશ વિદેશના ખરીદારો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે 53 ડાયમંડ વિક્રેતાઓ, ઝવેરીઓએ પોતાના લાખો કેરેટ્સના કરોડો રૂપિયાના ઝગમગતા હીરા તેમજ ઝવેરાતનું એવું ડિસ્પ્લે કર્યું હતું કે દેશ વિદેશના ખરીદારોએ તાબડતોબ ઓર્ડરો આપવા માંડ્યા હતા. કેરેટ્સ એક્ષ્પોના ઉદઘાટન સમારોહમાં સુરતના મેયર દક્ષેશ માવાણીએ એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે જે રીતે દુબઇમાં શોપિંગ ફેસ્ટિવલ વિશ્વભરમાં વખણાય છે એની તર્જ પર સુરતમાં હીરા, કાપડ તેમજ અન્ય ઉદ્યોગકારોએ ભેગા મળીને 10-15 દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજવો જોઇએ, જેમાં સુરત મહાનગરપાલિકા, ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ સહયોગી બનશે અને એ સુરતને એક આગવી ઓળખ આપશે. સુરત મેયરના આ પ્રસ્તાવમાં રાજ્યસભાના સાંસદ અને સુરતના મોટા હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ હામી ભરતા જણાવ્યું હતું કે મેયરે રજૂ કરેલા પ્રસ્તાવ પર કામ કરીને સુરતને નવી ઓળખ આપી શકાય અને વેપાર પણ વધારી શકાય.

સુરત એરપોર્ટની સામે આવેલા અવધ યુટોપીયા ખાતે આજથી ત્રણ દિવસ માટે શરૂ થયેલા લુઝ પોલિશ્ડ ડાયમંડના કેરેટ્સ એક્ષ્પોમાં સુરત અને મુંબઇના 53થી વધુ હીરાના વિક્રેતાઓ, ઝવેરાત ઉત્પાદકોએ પોતાની એક એકથી ચઢીયાતી પ્રોડ્કટ્સ તેમજ ઝગમગતા, ચમકદાર લાખો કેરેટ્સના હીરાને ડિસ્પ્લેમાં મૂક્યા હતા. આજે પહેલા જ દિવસે વિદેશી ખરીદારો માટે અનેક આર્ટિકલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એ પૂર્વે આજે કેરેટ્સ એક્ષ્પોના ઉદઘાટન સમારોહમાં ઉદઘાટન તરીકે રાજ્યસભાના સાંસદ ગોવિંધ ધોળકિયા તેમજ મુખ્યમહેમાન તરીકે મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા.

મેયર દક્ષેશ માવાણીએ સુરતમાં યોજાતા કાપડના એક્ષ્પો, ડાયમંડ એક્ષ્પો, ઝવેરાત એક્ષ્પો વગેરેને ઉલ્લેખ કરીને એક એવો આઇડીયા રજૂ કર્યો હતો કે જેના પર કામ કરવા માટે તમામે તૈયારી દર્શાવી હતી. તેમણે કહ્યું કે સુરત શોપિંગ ફેસ્ટિવલ યોજવો જોઇએ. હીરા ઉદ્યોગ, ટેક્ષટાઇલ ઉદ્યોગે ભેગા આવવું જોઇએ, સુરત મહાનગરપાલિકા પણ તૈયાર છે અને ચેમ્બર ઓફ કોમર્સ પણ તેને સપોર્ટ કરશે. 10થી 15 દિવસનો એવો શોપિંગ ફેસ્ટિવલ યોજવો જોઇએ કે દેશના અન્ય શહેરોના લોકો, વિદેશી ખરીદારો સુરત માણવા પણ આવે અને ખરીદવા પણ આવે. મેયરે કહ્યું કે સાડી, ડ્રેસ મટિરિયલ, દાગીના વગેરે ખરીદવા સાથે સુરત જેના માટે વખણાય છે એવી વાનગીઓ પણ ખરીદારો માણી શકે અને એ ફેસ્ટિવલ બે-ચાર દિવસ નહીં પણ એકાદ બે અઠવાડીયા જેટલો લાંબો ચલાવવામાં આવે. ટૂંકમાં મેયર દક્ષેશ માવાણીએ દુબઇ શોપિંગ ફેસ્ટિવલ તરફ ઇશારો કરતા જણાવ્યું કે શોપિંગ ફેસ્ટિવલથી સુરતની નવી ઓળખ વિકસાવી શકાશે અને વેપાર વાણિજ્યનો પણ વિકાસ કરી શકાશે. શોપિંગ ફેસ્ટિવલ જો સહિયારા ધોરણે થાય તો જે તે ઉદ્યોગોનો માર્કેટીંગ, બ્રાન્ડિંગનો પણ ખર્ચો વહેંચાય જશે એટલે ઓછા ખર્ચામાં સારું આયોજન થઇ શકશે.

મેયર પછી પોતાના ઉદબોધનમાં રાજ્ય સભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ પણ મેયરના પ્રસ્તાવ પર કામ કરવામાં હામી ભરી હતી. ગોવિંદ ધોળકિયાએ કહ્યું કે શોપિંગ ફેસ્ટિવલ જેવા સહિયારા આયોજન કરવા જોઇએ. આ ઉપરાંત ગોવિંદ ધોળકિયાએ હીરા ઉદ્યોગ માટે સુરત ડાયમંડ એસોસીએશન જે પ્રકારે કામ કરી રહી છે તેવું સર્વસંમતિભર્યું કાર્ય ગુજરાતનું કોઇ વ્યાપારીક સંગઠન નથી કરી રહ્યું. 32 વર્ષમાં સુરત ડાયમંડ એસોસીએશનનો એકેય વિવાદ નથી અને પોઝિટીવ કામ કર્યે રાખ્યું છે.

કેરેટ એક્ષ્પોમાં લાખો કેરેટ્સના પોલિશ્ડ હીરાની રેન્જથી ખરીદારો ખુશ

સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું કે પહેલા દિવસે જ ખરીદારોને જોરદાર રિસ્પોન્સ જોવા મળ્યો છે. વિદેશી સાથે દેશના અનેક રાજ્યોના ખરીદારો આજે કેરેટ્સમાં હીરા ખરીદવા માટે સુરત પહોંચ્યા હતા. પહેલા દિવસે 53 વિક્રેતાઓ પોતાના સ્ટોલ્સ પર જે પ્રકારના લુઝ પોલિશ્ડ ડાયમંડની રેન્જ ડિસ્પ્લેમાં મૂકી હતી એ જોઇને ખરીદારો ઉત્સાહમાં આવી ગયા હતા. આગામી તહેવારોની સિઝન તેમજ લગ્નસરા માટે ખરીદારોને જે પ્રકારના દાગીના બનાવવાના ઓર્ડર છે તેના માટે જરૂરી પોલિશ્ડ ડાયમંડની અવનવી રેન્જ, સાઇઝ, કલર, ક્લેરિટી, પ્યોરિટી મળી રહી છે. પહેલા જ દિવસે ખરીદારોને ઉત્સાહ જોતા આ વખતે કેરેટ્સ એક્ષ્પોમાં અત્યાર સુધીના સૌથી વધુ બાયર્સ ઉમટી પડે તેવું જણાય રહ્યું હોવાનું સુરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ જગદીશ ખૂંટે જણાવ્યું હતું.

પંજાબથી ઝવેરાત ઉદ્યોગકારોનું ડેલિગેશન ખાસ સુરત પહોંચ્યું

કેરેટ્સ એક્ષ્પોમાં પોલિશ્ડ ડાયમંડની ખરીદી માટે આજે પંજાબથી ખાસ હીરા ઝવેરાત ઉદ્યોગકારોનું એક ડેલિગેશન સુરત આવ્યું હતું. આ ડેલિગેશનમાં અખિલ ભારતીય સુવર્ણકાર સંઘના પ્રમુખ કાશ્મીરસિંઘ રાજપૂત, પંજાબ સુવર્ણકાર સંઘના પ્રેસિડેન્ટ અશ્વિની કુમાર, પંજાબ સુવર્ણકાર સંઘના જોઇન્ટ સેક્રેટરી ઇન્દ્રજીતસિંઘ સહિતના ડેલિગેશને જણાવ્યું કે સુરત કાચા હીરાને પોલિશ્ડ કરતું વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે અને કોઇપણ દાગીનો કે ઝવેરાત હીરા વગર શક્ય બનતું નથી એટલે હીરા માટે સુરત આવવું જ પડે. કાશ્મીરસિંઘ રાજપૂતે કહ્યું કે કેરેટ્સ ડાયમંડ એક્ષ્પોથી સુરત અને પંજાબના ઝવેરીઓ વચ્ચે એવું જોડાણ થયું છે કે હવે એ વ્યાપારીક સંબંધ કાયમી બનશે. કેરેટ્સ એક્ષ્પોમાં ઉપલબ્ધ વિશાળ રેન્જમાં લુઝ પોલિશ્ડ ડાયમંડ્સને કારણે પંજાબના લોકોની ઝવેરાતની રેન્જ પણ વધુ ચમકદાર બનશે એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

July 11, 2025
image-2.png
1min166

એક સદીથી વધુ જૂના ‘સાર્વજનિક ગણેશોત્સવ’ને ગુરુવારે સત્તાવાર રીતે ‘મહારાષ્ટ્રનો રાજ્ય ઉત્સવ’ જાહેર કરવામાં આવ્યો હતો, સરકારે ભારપૂર્વક જણાવ્યું કે, તે આ ઉત્સવના સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. વિધાનસભામાં આ બાબતની જાહેરાત કરતા સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલારે કહ્યું હતું કે, ‘ગણેશોત્સવ ફક્ત એક ઉજવણી નથી. તે મહારાષ્ટ્રના સાંસ્કૃતિક ગૌરવ અને ઓળખનું પ્રતીક છે.’

પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સાર્વજનિક ગણેશોત્સવ (ગણેશ ઉત્સવની જાહેર ઉજવણી) 1893માં લોકમાન્ય (બાળ ગંગાધર) તિલક દ્વારા શરૂ કરવામાં આવી હતી. ‘આ ઉત્સવનો સાર સામાજિક એકતા, રાષ્ટ્રવાદ, સ્વતંત્રતાની ભાવના, આત્મસન્માન અને આપણી ભાષાના ગૌરવમાં રહેલો છે,’ એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર રાજ્ય અને રાષ્ટ્રભરમાં ગણેશોત્સવના સાંસ્કૃતિક વારસાને સાચવવા, પ્રોત્સાહન આપવા અને ઉજવણી કરવા માટે પ્રતિબદ્ધ છે.

‘કેટલાક વ્યક્તિઓએ વિવિધ કોર્ટ અરજીઓ કરીને, ઉજવણીમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરીને આ વર્ષો જૂની જાહેર પરંપરાને અવરોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહાયુતિ સરકારે ઝડપથી અને નિર્ણાયક રીતે આવા તમામ અવરોધોને દૂર કર્યા હતા,’ એમ તેમણે કહ્યું હતું. પહેલાની સરકારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ની માર્ગદર્શિકા ટાંકીને પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓ પર નિયંત્રણો લાદ્યા હતા, પરંતુ વ્યવહારુ વિકલ્પો આપ્યા નહોતા. તેમના વિભાગે આ મુદ્દાને વધુ સંતુલિત દૃષ્ટિકોણથી ઉકેલ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.

અમે પર્યાવરણને અનુકૂળ વિકલ્પો શોધવા અને પીઓપી ખરેખર પર્યાવરણ માટે હાનિકારક છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે એક વ્યાપક અભ્યાસ શરૂ કર્યો. અમે રાજીવ ગાંધી વિજ્ઞાન આયોગ દ્વારા કાકોડકર સમિતિના માધ્યમથી ઊંડાણપૂર્વક અભ્યાસ શરૂ કર્યો હતો. ‘કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે તારણોને મંજૂરી આપી હતી અને અગાઉના પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા. કોર્ટના ચુકાદા મુજબ, હવે પીઓપી મૂર્તિઓ બનાવવા, પ્રદર્શિત કરવા અને વેચાણ કરવાની મંજૂરી છે, એમ તેમણે કહ્યું હતું.

ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે ગણેશોત્સવ પર સ્પષ્ટ અને સક્રિય વલણ અપનાવ્યું છે. પુણે, મુંબઈ અને રાજ્યભરમાં ભવ્ય ઉજવણી માટે પોલીસ સુરક્ષા હોય, માળખાકીય સુવિધાઓની જરૂરિયાતો હોય કે આર્થિક સહાય હોય, મહારાષ્ટ્ર સરકાર જરૂરી ખર્ચ ઉઠાવશે, એમ તેમણે જાહેર કર્યું હતું.

હું બધા ગણપતિ મંડળોને અપીલ કરું છું કે તેઓ તેમના ઉત્સવોમાં એવા વિષયોનો સમાવેશ કરે જે આપણા સશસ્ત્ર દળોનું સન્માન કરે, સામાજિક પહેલ, ‘ઓપરેશન સિંદૂર’, રાષ્ટ્રની વિકાસલક્ષી સિદ્ધિઓને પ્રકાશિત કરે અને આપણા મહાન નેતાઓને તેમના સુશોભન પ્રદર્શનોમાં શ્રદ્ધાંજલિ આપે, એમ શેલારે કહ્યું હતું. આ વર્ષે 10 દિવસનો ગણપતિ ઉત્સવ 27 ઓગસ્ટથી શરૂ થશે.

July 10, 2025
image-1.png
1min144

અમેરિકાના રાષ્ટ્રપતિએ બુધવારે વિશ્વના દેશો પર લગાવેલી ટેરિફની યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવ્યા પહેલા જ આ ટેરિફ લાગાવવાની વાત કરી હતી. જેનો હવે અમલ શરૂ થઈ ચૂક્યો છે. વિવિધ દેશોમાં પત્ર મોકલી ટેરિફ વિશેની માહિતી આપવામાં આવી રહી છે. પરંતુ આ યાદીમાં હાલ સુધી ભારતનું નામ સામેલ થયું નથી. જે ભારત માટે રાહતના સમાચાર છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંગે ચર્ચા ચાલી રહી છે. અમેરિકાએ અત્યાર સુધી લગભગ 20 દેશોને ટેરિફ પત્રો જારી કર્યા છે. આ પગલું વૈશ્વિક વેપાર નીતિઓમાં મહત્વનો ફેરફાર દર્શાવે છે, જેની અસર વિવિધ દેશોના અર્થતંત્ર પર પડી શકે છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે છ વેપારી ભાગીદારોને ટેરિફ પત્રો મોકલ્યા અને વધુ દેશો પર આયાત ટેરિફ લાદવાની ચેતવણી આપી. અગાઉ 2 એપ્રિલે ભારતીય વસ્તુઓ પર 26 ટકા વધારાનો પારસ્પરિક ટેરિફ લાદવામાં આવ્યો હતો, જેને 9 જુલાઈ સુધી 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયને 1 ઓગસ્ટ સુધી ટાળવામાં આવ્યો છે, જોકે 10 ટકા બેઝલાઇન ટેરિફ યથાવત્ રહેશે.

સોમવારે ટ્રમ્પ સરકારે બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, મલેશિયા, થાઇલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કંબોડિયા, કઝાકિસ્તાન, લાઓસ, સર્બિયા અને ટ્યુનિશિયાનો ટેરિફ પત્રો મકલ્યા હતા. જ્યારે બુધવાર સુધીમાં લિબિયા, ઇરાક, અલ્જેરિયા (30 ટકા), મોલ્દોવા, બ્રુનેઇ (25 ટકા) અને ફિલિપાઇન્સ (20 ટકા)ને પણ ટેરિફ પત્રો મળી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે અગાઉ ભારત જેટલી ટેરિફ વસૂલે છે, તેટલી જ ટેરિફ લાદવાની વાત કરી હતી. જ્યારે દવાઓ આયાત પર 200 ટકા ટેક્સ લગાવવાની પણ ધમકી આપી હતી. જે ભારતીય દવા ઉત્પાદકો માટે ચિંતાનો વિષય છે. 2024-25માં ભારતની વૈશ્વિક દવા નિકાસમાં અમેરિકાનો હિસ્સો 31 ટકા હતો, જેનું કુલ મૂલ્ય 30 અબજ ડોલરથી વધુ હતું. 2024-25માં ભારત-અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 131.84 અબજ ડોલરનો હતો, જેમાં 86.51 અબજ ડોલરની નિકાસ અને 41.18 અબજ ડોલરનું વેપાર નોંધાયુ હતુ.