CIA ALERT

Alert Archives - CIA Live

October 16, 2025
BHUPENDRA.jpg
2min21

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.

ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.

મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા

નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.

પ્રાદેશિક સંતુલન પર ભાર

અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.

આવતીકાલે ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, ગાંધીનગરમાં મહાત્મા મંદિરે શપથ સમારોહ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. નક્કી થઇ ગયું છે કે શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.

ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે.

મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે જેના કારણે સચિવાલયમાં મંત્રીમંડળના વિસ્તરણ વાત લગભગ સાચી ઠરશે.

ગુજરાતના નવા મંત્રીમંડળમાં 23 સભ્યોને સ્થાનની શક્યતા

નવા મંત્રીમંડળમાં કુલ 23 મંત્રીઓને સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી દ્વારા મંત્રીમંડળમાં અનુભવની સાથે યુવા અને મહિલા ધારાસભ્યોને વિશેષ મહત્ત્વ આપવામાં આવે તેવી સંભાવના છે. મંત્રીમંડળમાં તમામ જાતિઓ અને પ્રદેશોને સંતુલિત પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાટીદાર સમાજમાં 4 લેઉવા પટેલ અને 2 કડવા પટેલ સહિત કુલ 6 પાટીદાર ચહેરાને સ્થાન મળી શકે છે. અન્ય પછાત વર્ગ (OBC) 4 ઠાકોર-કોળી સમાજના ધારાસભ્યોને મંત્રીપદ મળી શકે છે. 2 અનુસૂચિત જાતિ (SC) અને 2 અનુસૂચિત જનજાતિ (ST) ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવી શકે છે. 2 બ્રાહ્મણ અને 2 ક્ષત્રિય ચહેરાઓને પણ મંત્રી પદની તક મળી શકે છે. આ ઉપરાંત યુવા અને અનુભવી મહિલા ધારાસભ્યોને મહત્વ આપતાં 4 જેટલા મહિલા ધારાસભ્યો મંત્રી બની શકે છે.

પ્રાદેશિક સંતુલન પર ભાર

અમદાવાદ-ગાંધીનગરમાંથી નવા એક મંત્રી બની શકે, કચ્છ, સૌરાષ્ટ્રમાંથી 4 કેબિનેટ, 3 રાજ્યમંત્રી, મધ્ય ગુજરાતમાંથી 2 કેબિનટ, 2થી વધુ રાજ્યમંત્રી, દક્ષિણ ગુજરાતમાંથી 3 કેબિનેટ, 4 રાજ્યમંત્રી મળી શકે છે.

October 16, 2025
image-14.png
1min17

અમદાવાદને વર્ષ ૨૦૩૦ના શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળશે તે લગભગ નક્કી થઈ ગયું છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટીવ બોર્ડે  જ ગેમ્સની જનરલ એસેમ્બલીને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે અમદાવાદના નામની ભલામણ કરી છે. હાલના તબક્કે અમદાવાદ એકમાત્ર એવું શહેર છે કે, જેની ભલામણ કરવામાં આવી છે. હવે જનરલ એસેમ્બલીની મિટિંગમાં ૨૬મી નવેમ્બરે અમદાવાદના નામ પર મંજૂરની મહોર મારવાની ઔપચારિકતા જ બાકી રહી ગઈ છે. 

ભારતની સાથે ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવાની રેસમાં નાઈજીરિયાની રાજધાની અબુજા પણ હતુ. જોકે, કોમનવેલ્થ સ્પોર્ટ્સે  આફ્રિકન દેશને ૨૦૩૪ સહિતની ભાવિ ગેમ્સનું આયોજન સોંપવા માટેના દાવેદાર તરીકે સમર્થન અને વેગ આપવાની સાથે વિકસાવવાનો વ્યુહ અપનાવ્યો હતો. આ કારણે હાલની સ્થિતિમાં ગેમ્સના આયોજન માટેનું દાવેદાર એકમાત્ર અમદાવાદ જ છે. નોંધપાત્ર છે કે, કોમનવેલ્થ ગેમ્સ ૧૯૩૦માં શરુ થયો હતો અને તેની શતાબ્દી ૨૦૩૦માં પુરી થઈ રહી છે. 

કોમનવેલ્થ સ્પોર્ટ્સે એક યાદીમાં જણાવ્યું છે કે, ૨૦૩૦ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સના પ્રસ્તાવિત યજમાન શહેર તરીકે અમારું એક્ઝિક્યુટીવ બોર્ડ અમદાવાદના નામની ભલામણ કરવાનું નક્કી કર્યું છે. હવે અમદાવાદનું નામ હવે પૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ્સ મેમ્બરશીપ માટે આગળ ધપાવવામાં આવશે. જ્યારે આ અંગેનો અંતિમ નિર્ણય તારીખ ૨૬મી નવેમ્બરે ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ સ્પોર્ટ્સ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. નોંધપાત્ર છે કે, ભારતમાં ૨૦૧૦માં પણ કોમનવેલ્થ ગેમ્સનુ આયોજન થઈ ચૂક્યું છે. ત્યારે આ ગેમ્સ નવી દિલ્હીમાં આયોજીત થઈ હતી.

October 14, 2025
image-13.png
2min95

દિવાળીના પાંચ દિવસના તહેવારનું સૂંપૂર્ણ કેલેન્ડર, ધનતેરસથી લઇને ભાઇ બીજ ક્યારે છે, જાણો તારીખ અને શુભ મુહૂર્ત

દિવાળી પાંચ દિવસનો ભવ્ય તહેવાર છે. દરેક દિવસનું પોતાનું ધાર્મિક મહત્વ અને અલગ પૂજા વિધિઓ છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે સમાપ્ત થાય છે. ચાલો આ વર્ષે ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી (મહાલક્ષ્મી પૂજા), બેસતું વર્ષ (ગોવર્ધન પૂજા) અને ભાઈબીજ કઇ તારીખે આવે છે તે જાણીએ

દિવાળી હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. લોકો આખું વર્ષ આ તહેવારની આતુરતાથી રાહ જુએ છે. આ તહેવારને હવે થોડા દિવસો જ બાકી છે. દિવાળી ફક્ત રોશની અને ફટાકડાનો તહેવાર નથી, પરંતુ તે અંધકાર પર પ્રકાશ, બુરાઇ પર અચ્છાઇ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે.

ધનતેરસ – 18 ઓક્ટોબર

દિવાળી મહાપર્વની શરૂઆત આ દિવસ થાય છે. દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. લોકો નવા વાસણો, સોનું, ચાંદી અને ઘરેણાં ખરીદે છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબરને શનિવારના રોજ આવે છે.

તેરસ તિથિનો પ્રારંભ : 18 ઓક્ટોબર બપોરે 12:18 વાગ્યે
તેરસ તિથિ સમાપ્ત : 19 ઓક્ટોબર બપોરે 1:51 વાગ્યે
ધનતેરસ પૂજા મુહૂર્ત: સાંજે 7:16 થી 8:20 વાગ્યા સુધી (સમયગાળો: 1 કલાક 4 મિનિટ)
પ્રદોષ કાલ: સાંજે 5:48-રાત્રે 8:20
વૃષભ કાલ: સાંજે 7:16 -રાત્રે 9:11

કાળી ચૌદસ (નરક ચતુર્દશી) – 19 ઓક્ટોબર

નરકાસુર પર ભગવાન કૃષ્ણની જીતનું પ્રતીક છે. સ્નાન અને પૂજા કરીને બુરાઇ પર અચ્છાઇની જીતની ઉજવણી કરવામાં આવે છે. તેને કાળી ચૌદસ, નરક ચતુર્દશી અને નાની દિવાળી પણ કહેવામાં આવે છે. 2025માં કાળી ચૌદસ રવિવારને 19 ઓક્ટોબરના રોજ આવશે.

અભ્યંગ સ્નાન મુહૂર્ત – સવારે 5:13 થી 6:25
સમયગાળો – 1 કલાક 12 મિનિટ

દિવાળી – 20 ઓક્ટોબર

દિવાળી મુખ્ય તહેવાર છે. ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણના અયોધ્યા પાછા ફરવા બદલ ઉજવણી કરાય છે. ઘરોને દીવા અને રંગોળીથી શણગારવામાં આવે છે. સાંજે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશ પૂજા કરવામાં આવે છે. 2025માં મહાલક્ષ્મી પૂજા 20 ઓક્ટોબરને સોમવારે થશે.

અમાસ તિથિ શરૂ: 20 ઓક્ટોબર બપોરે 3:44 વાગ્યે
અમાસ તિથિ સમાપ્ત : 21 ઓક્ટોબર સાંજે 5:54 વાગ્યે
લક્ષ્મી પૂજા મુહૂર્ત: સાંજે 7:08 થી 8:18 સુધી (સમયગાળો 1 કલાક 11 મિનિટ)
પ્રદોષ કાલ: સાંજે 5:46 – રાત્રે 8:18
વૃષભ કાલ: સાંજે 7:08 – રાત્રે 9:03
આ પણ વાંચો – ઘરમાં ગરીબી અને આર્થિક તંગીથી મુક્તિ અપાવશે કેરીના પાનની આ યુક્તિ, ભાગ્યના દરવાજા ખુલશે

પડતર દિવસ કે ધોકો – 21 ઓક્ટોબર

આ વખતે બે અમાસ હોવાના કારણે વચ્ચે પડતર દિવસ એટલે કે ધોકો આવ્યો છે. 20 ઓક્ટોબરે દિવાળી છે અને 21 ઓક્ટોબરે ધોકો છે. 22 ઓક્ટોબરે બેસતુ વર્ષ મનાવવામાં આવશે.

બેસતુ વર્ષ અને ગોવર્ધન પૂજા – 22 ઓક્ટોબર

ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થાય છે. તેને બેસતુ વર્ષ કે ગુજરાતી નવું વર્ષ કહેવામાં આવે છે. તે દિવસે બધા એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવે છે. આ દિવસે ઉત્તર ભારતમાં ગોવર્ધન પૂજા કરાય છે. 2025માં ગોવર્ધન પૂજા 22 ઓક્ટોબરને બુધવારે થશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણએ ગ્રામજનોની રક્ષા માટે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. આ દિવસે અન્નકુટ તૈયાર કરવામાં આવે છે અને ગોવર્ધનની પૂજા કરવામાં આવે છે.

એકમ તિથિ શરૂ : 21 ઓક્ટોબર સાંજે 5:54 વાગ્યે
એકમ તિથિ સમાપ્ત : 22 ઓક્ટોબર રાત્રે 8:16 વાગ્યે
ગોવર્ધન પૂજા સવારનું મુહૂર્ત: સવારે 6:26 થી 8:42 (2 કલાક 16 મિનિટ)
સાંજે મુહૂર્ત: બપોરે 3:29 થી 5:44 (2 કલાક 16 મિનિટ)

ભાઈબીજ – 23 ઓક્ટોબર

દિવાળીના પાંચ દિવસના તહેવારનો છેલ્લો દિવસ ભાઇ બીજ છે. ભાઈ-બહેનના સંબંધને મજબૂત બનાવવાનો દિવસ છે. બહેનો તેમના ભાઈઓના લાંબા આયુષ્ય અને ખુશી માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ તેમને ભેટો આપે છે. 2025માં ભાઈબીજ ગુરુવારને 23 ઓક્ટોબરના રોજ છે.

બીજ તિથિ શરૂ : 22મી ઓક્ટોબરે રાત્રે 8:16 વાગ્યે
બીજ તિથિ સમાપ્ત : 23 ઓક્ટોબરે રાત્રે 10:46 વાગ્યે
ભાઈ દૂજ તિલક (બપોરે) સમય: બપોરે 1:13 થી 3:28 સુધી (2 કલાક 15 મિનિટ)

October 14, 2025
gold-silver.jpeg
1min24

દુનિયાના અનેક દેશો પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જંગી ટેરિફના કારણે દરેક દેશોના અર્થતંત્ર ડામાડોળ થઈ ગયા છે. વધુમાં ટ્રમ્પે ગયા સપ્તાહે ચીન પર વધારે ૧૦૦ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી છે, જેના પગલે સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયેલો છે. આ સિવાય અમેરિકામાં ચાલુ રહેલા શટ ડાઉન, ફ્રાન્સમાં રાજકીય કટોકટી તથા ડોલરમાં નબળાઈને કારણે વૈશ્વિક સોના અને ચાંદીના ભાવમાં

સપ્તાહના પ્રારંભમાં જ સોમવારે જંગી ઉછાળો જોવા મળ્યો હતો. દિલ્હી બુલિયન બજારમાં સોમવારે ચાંદી રૂ. ૧,૭૯,૦૦૦ની ટોચે પહોંચી હતી. જ્યારે અમદાવાદ સોના- ચાંદી બજારમાં ચાંદી રૂ. ૧,૭૫,૦૦૦ પહોંચી હતી મુંબઈ બુલિયન માર્કેટમાં ચાંદી રૂ. ૧,૭૫,૩૨૫ રહી હતી. જે ૩ ટકા જીએસટી સાથે રૂ. ૧,૮૦,૫૮૪ની સપાટીએ પહોંચી હતી. વિશ્વબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં પ્રતિ ઔંસ ૬૫ ડોલર વધુ ઉછળીને ૪૦૮૦ ડોલર બોલાતુ હતું. આ અહેવાલોના પગલે ઘરઆંગણે પણ ધનતેરસ પહેલા જ બન્ને કિંમતી ધાતુના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે. બીજીબાજુ, ચાંદી ઔંસ દીઠ ૫૧.૬૭ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમમાં ૪૫ ડોલર વધી ૧૬૪૨ ડોલર જ્યારે પેલેડિયમ ૪૨ ડોલર વધી ઔંસ દીઠ ૧૪૪૮ ડોલર મુકાતુ હતું. દિવાળી પૂર્વે વિશ્વ બજારમાં ભાવ ઊંચા ટકી રહ્યાનું સ્થાનિક બજારના સુત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ભાવને ટેકો મળી રહે છે.

અમદાવાદ સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૦૦ વધી ૧,૨૯,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૨૮,૭૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૫૦૦૦ વધી ૧,૭૫,૦૦૦ મુકાતા હતા. કામકાજના છેલ્લા ત્રણ દિવસમાં ચાદીમાં રૂ. ૧૫,૦૦૦નો ઉછાળો નોંધાયો છે.

મુંબઈ ઝવેરી બજારમાં કિંમતી ધાતુ વધી રહી છે. ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના સત્તાવાર ભાવ જે શુક્રવારે રૂપિયા ૧,૨૧,૫૨૫ રહ્યા હતા તે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૨૬૩૦ વધી રૂપિયા ૧,૨૪,૧૫૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૨૭,૮૭૮ બોલાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૩,૬૫૮ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. મુંબઈ ચાંદી જે શુક્રવારે જીએસટી વગર .૯૯૯ના પ્રતિ કિલો રૂપિયા ૧,૬૪,૫૦૦ હતા તે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે રૂપિયા ૧૦૮૨૫ વધી રૂપિયા ૧,૭૫,૩૨૫ મુકાતા હતા. સોમવારે જીએસટી સાથે ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૮૦,૫૮૪ કવોટ થતા હતા.

દિલ્હી સોના-ચાંદી બજાર ખાતે આજે ચાંદી રૂ. ૭૫૦૦ ઉછળીને રૂ. ૧,૭૯,૦૦૦ મુકાતી હતી. જ્યારે સોનું રૂ. ૧૯૫૦ વધીને રૂ. ૧,૨૭,૩૫૦ મૂકાતું હતું.

હમાસ-ઈઝરાયલ યુદ્ધવિરામમાં આગળ વધતા ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૫૯.૫૧ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૪ડોલરની અંદર ઊતરી પ્રતિ બેરલ ૬૩.૩૩ડોલર મુકાતું હતું. ગાઝા- ઈઝરાયલ યુદ્ધ વિરામથી મધ્ય પૂર્વના વિસ્તારો ખાતેથી ક્રુડ તેલનો પૂરવઠો વધશે તેવી ધારણાંએ ભાવમાં સ્થિરતા જળવાઈ રહી હતી.

અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર લાદેલા ટેરિફ મુદ્દે હળવું વલણ અપનાવતા અમેરિકન શેરબજારમાં આજે કામકાજના પ્રારંભે તેજી જોવા મળી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું હતું કે ચીન વિશે ચિંતા કરશો નહીં, બધું સારું થઈ જશે. યુએસએ ચીનને મદદ કરવા માંગે છે, તેને નુકસાન પહોંચાડવા નહીં. આ અહેવાલો પાછળ આજે અમેરિકન શેરબજારમાં કામકાજના પ્રારંભે ડાઉ જોન્સ ૫૯૨ પોઈન્ટ ઉછળીને ૪૬,૦૭૨ પહોંચ્યો હતો. જયારે નાસ્ડેક કમ્પોઝિટ ૪૭૩ પોઈન્ટ ઉછળીને ૨૨,૬૭૮ કાર્યરત હતો.

October 12, 2025
image-10.png
1min20

નવી દિલ્હીઃ ભારત દરેક ક્ષેત્રમાં પોતાની આગવી છાપ છોડી રહ્યું છે. પુરૂષ હોય કે મહિલા દરેક ભારતની પ્રતિભા વધારવા માટે મહેનત કરી રહ્યું છે. તેમાં શેરી સિંહે બ્યૂટી પેજન્ટમાં પોતાની સુંદરતા અને બુદ્ધિમત્તાથી વૈશ્વિક સ્તરે ભારતનો ડંકો વગાડ્યો છે. શેરી સિંહ ‘મિસિસ યુનિવર્સ’નો ખિતાબ મેળવનારી પહેલી ભારતીય મહિલા બની છે. ફિલિપિઇન્સના ઓકાડા મનિલામાં ‘મિસિસ યુનિવર્સ’ની 48મી આવૃત્તિ યોજાઈ હતી. આમાં આખા વિશ્વમાંથી કુલ 120 જેટલા સ્પર્ધકો આવ્યાં હતાં, જે દરેકને પાછળ છોડીને શેરી સિંહે મોખરે રહીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

‘મિસિસ યુનિવર્સ’ની 48મી આવૃત્તિમાં શેરી સિંહે વિજેતા બની

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ‘મિસિસ ઇન્ડિયા 2025’ જેનું યુએમબી Pageants દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જીત મેળવ્યાં બાદ શેરી સિંહે વિશ્વ કક્ષાએ ભારતનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ જેવા મુદ્દાઓ પર શેરી સિંહે ભાર મૂક્યો હતો. આ મુદ્દાઓના કારણે જજની પેનલ અને પ્રેક્ષકોને પ્રભાવિત થઈ ગયાં અને શેરી સિંહ ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતનારી પહેલી ભારતીય મહિલા બની છે.

‘મિસિસ યુનિવર્સ’ શેરી સિંહે મહિલાઓ માટે શું કહ્યું?

‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીત્યા બાદ શેરી સિંહે કહ્યું કે, ‘આ તાજ દરેક એવી મહિલાનો છે, જેણે ક્યારેય સીમાઓથી પરે જઈને સપનાં જોવાની હિંમત કરી છે. હું દુનિયાને જણાવવા માગતી હતી કે શક્તિ, દયા અને દૃઢતા જ સુંદરતાની સાચી વ્યાખ્યા છે’. ભારતીય મહિલાઓ દુનિયાના દરેક ખૂણામાં પોતાની પ્રતિભાના આધારે ભારતને ગૌરવ અપાવી શકે છે. આ વાતને ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતીને શેરી સિંહે સાબિત કરી દીધી છે.

આ દેશના સ્પર્ધકોએ પણ ભાગ લીધો હતો

‘મિસિસ યુનિવર્સ’ પેજન્ટમાં ‘મિસિસ સેન્ટ પીટર્સબર્ગ’ ફર્સ્ટ રનર-અપ, ‘મિસિસ ફિલિપિઇન્સ’ સેકન્ડ રનર-અપ, ‘મિસિસ એશિયા’ થર્ડ રનર-અપ અને ‘મિસિસ રશિયા’ ફોર્થ રનર-અપ રહી હતી. આ સાથે માર્ગારીટા આઇલેન્ડ, યુએસએ, દક્ષિણ પશ્ચિમ એશિયા, બલ્ગેરિયા, મ્યાનમાર, પેસિફિક, આફ્રિકા, યુએઈ, જાપાન અને યુક્રેનના સ્પર્ધકોએ ફાઇનલમાં તેમના દેશ અને પ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પરંતુ અંતે જીત ભારતની થઈ હતી.

કોણ છે મિસિસ યુનિવર્સ શેરી સિંહ?

‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતનારી શેરી સિંહની વાત કરવામાં આવે તો, તે ઉત્તર ભારતના એક સામાજિક કાર્યકર અને મોડેલ છે. લાંબા સમયથી મહિલા સશક્તિકરણ અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિના ક્ષેત્રમાં કામ પણ કર્યું છે. શેરી સિંહનો 24 મે, 1990 ના રોજ દિલ્હીના નોઈડાના એક નાના ગામ મકોડામાં ગુર્જર સમુદાયમાં જન્મ થયો હતો. મૂળ તે દિલ્હીની રહેવાસી છે અને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોમાં ઊંડા મૂળ ધરાવે છે. શેરીએ નવ વર્ષ પહેલાં સિકંદર સિંહ સાથે લગ્ન કર્યા હતા અને એક 7 વર્ષનો દીકરો છે. શેરી સિંહે 2024માં ‘મિસિસ ભારત યુનિવર્સ’નું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ 2025માં તેણે ‘મિસિસ ઇન્ડિયા યુનિવર્સ’નો ખિતાબ જીત્યો હતો.

October 12, 2025
image-9.png
1min24

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવાર Dt 10/12/2025 ચીન પર વધારાના ૧૦૦ ટકા ટેરિફની ધમકી આપી છે, જેને પગલે યુએસ-ચીન વચ્ચે ફરી ટ્રેડ વોરની આશંકાથી અમેરિકન સ્ટોક માર્કેટમાં મોટો કડાકો બોલાયો હતો. 

અમેરિકન શૅરબજાર એસએન્ડપી ૫૦૦માં ૨.૭૧ ટકા તૂટકા રોકાણકારોએ એક જ દિવસમાં ૧.૫૬ લાખ કરોડ ડોલર ગુમાવ્યા હતા. બીજીબાજુ જોખમી એસેટસ તરીકે ઓળખાતા મુખ્ય ક્રિપ્ટોના ભાવમાં એક જ દિવસમાં ૧૪,૦૦૦ ડોલરથી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. બિટકોઈનના ભાવ ૧.૨૨ લાખથી ગગડીને ૧.૦૮ લાખની અંદર આવી ગયા હતા. શનિવારે મોડી સાંજે બિટકોઈનનો ભાવ વધીને ૧.૧૨ લાખ ડોલર થયો હતો.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ચીન પર હાલમાં લાગુ ૩૦ ટકા ટેરિફ ઉપરાંત ૧૦૦ ટકા ટેરિફ લગાવવા અને સોફ્ટવેરની ચીનમાં નિકાસ પર પ્રતિબંધની ધમકી આપતા અમેરિકાના સ્ટોક માર્કેટમાં ભૂકંપ આવ્યો હતો. ડાઉજોન્સ ૮૭૮ પોઈન્ટ એટલે કે ૧.૯ ટકા ગગડીને ૪૫,૪૭૯.૬૦, એસએન્ડપી ૫૦૦ ૨.૭૧ ટકા તૂટીને ૬,૫૫૨.૫૧ અને નાસ્ડેક ૩.૫૬ ટકા ગગડીને ૨૨,૨૦૪.૩૨ના સ્તરે પહોંચી ગયા હતા. અમેરિકન શૅરબજારમાં એપ્રિલ પછી એક જ દિવસમાં આ સૌથી મોટો કડાકો હતો. 

ફેક્ટસેટના આંકડા મુજબ  અમેરિકન બજારો તૂટતાં એકજ દિવસમાં ૧.૫૬ લાખ કરોડ ડોલરની વેલ્યુનું ધોવાણ થઈ ગયું હતું. ટ્રમ્પની જાહેરાતથી રોકાણકારોમાં અમેરિકા અને ચીન વચ્ચે ફરી એક વખત ટ્રેડ વોર શરૂ થવાનો ગભરાટ ફેલાયો છે. બંને દેશોની ટ્રેડ વોરથી અગાઉ પણ વૈશ્વિક અર્થતંત્ર હચમચી ઉઠયું છે.

ટ્રમ્પના ટેરિફની ધમકીથી ક્રિપ્ટો બજાર પણ તૂટયું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનના ભાવ ૧,૨૨,૦૦૦  ડોલરની સપાટીએથી ગબડી ૧,૦૮,૨૦૦ ડોલરની અંદર આવી ગયો હતો. જોકે, શનિવારે મોડી સાંજે બિટકોઈનનો ભાવ ૧,૧૨,૦૦૦ ડોલર આસપાસ બોલાતો હતો. બિટકોઈનની પાછળ છેલ્લા ચોવીસ કલાકમાં અન્ય મોટી એથરમ પણ ૧૫ ટકાથી વધુ તૂટી ૩૮૦૦ ડોલરની નીચે જતો રહ્યો હતો.

જોકે, સમાપ્ત થયેલા સપ્તાહમાં બન્ને ક્રિપ્ટોએ તેમની ઓલટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી.  બિટકોઈને ૧,૨૬,૦૦૦ ડોલરથી વધુની ઓલ ટાઈમ હાઈ સપાટી દર્શાવી હતી જ્યારે એથરમ ૪૫૦૦ ડોલરથી ઉપર જોવા મળ્યો હતો. બિટકોઈનના આ કડાકાને લઈને ૧૬ લાખ જેટલા ટ્રેડરોએ એક જ દિવસમાં એકંદરે ૧૯ અબજ ડોલરનું નુકસાન કર્યું છે.  ક્રિપ્ટોના ઈતિહાસમાં એક જ દિવસમાં આટલું જંગી ધોવાણ પહેલી જ વખત જોવા મળ્યું છે. 

બજારમાં ભારે વેચવાલી આવશે તેવી ચિંતાએ આશરે ૩૦ અબજ ડોલરનું લેણ લિક્વિડેટ કરાયું હોવાની ધારણાં છે. કડાકાને પગલે ક્રિપ્ટોકરન્સીઝની માર્કેટ કેપ ૪.૩૦ ટ્રિલિયન ડોલરની રેકોર્ડ સપાટીએથી ગબડી ૩.૭૪ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. ટ્રમ્પની ટીપ્પણીથી ક્રૂડ બજાર પણ હચમચી ઉઠયું હતું. અમેરિકન ક્રૂડ ઓઈલનો ભાવ ૪.૨ ટકા અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ૩.૮ ટકા સુધી ઘટી ગયો હતો, જે મે મહિના પછી સૌથી નીચા સ્તરે છે.

October 8, 2025
image-7.png
2min38

નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ડિસેમ્બરથી ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ શરૂ થઈ જશે.

આજે ઉદ્ઘાટન થયા બાદ નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ડિસેમ્બર મહિનાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સના સંચાલન માટે સજ્જ થઈ જશે. શરૂઆતથી જ નવી મુંબઈ ઍરપોર્ટ પર એક કલાકમાં ૧૦ ફ્લાઇટનું સંચાલન થશે. ટૂંક સમયમાં જ ઍરલાઇન્સના ઑનલાઇન પોર્ટલ પર ટિકિટ-બુકિંગ માટે મુસાફરો નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટની ફ્લાઇટ માટે ‘NMI’ વિકલ્પ પસંદ કરી શકશે.

ઇમિગ્રેશન અને કસ્ટમ પ્રક્રિયાની બાબતે નવી મુંબઈ ઍરપૉર્ટની વ્યવસ્થા મુંબઈ ઍરપોર્ટ કરતાં જુદી રહેશે, નવી મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ ૧ પર સિક્યૉરિટી ચેક-ઇન પહેલાં ઇમિગ્રેશન અને કસ્ટમની પ્રક્રિયા પૂરી થઈ જશે. સાથે જ બે ઇન્ટરનૅશનલ કનેક્ટિંગ ફ્લાઇટ માટે ટ્રાન્ઝિટ પૅસેન્જરોને કસ્ટમ અને ઇમિગ્રેશનમાંથી ફરી પસાર થવું ન પડે એ માટે રૅમ્પ ટ્રાન્સફરનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

કેવી હશે નવી મુંબઈ ઍરપોર્ટની સુવિધા?

૨,૩૪,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ઊભું કરવામાં આવ્યું છે ટર્મિનલ ૧, જેમાં વાર્ષિક ૨ કરોડ મુસાફરોનું સંચાલન કરવાની ક્ષમતા છે.

૨૦૨૯માં નવી મુંબઈનું ટર્મિનલ ૨ કાર્યરત થશે, જે ૪,૦૦,૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ઊભું થશે અને વાર્ષિક ૩ કરોડ મુસાફરોનું સંચાલન કરી શકશે. તબક્કાબાર ટર્મિનલ ૩ અને ૪ કાર્યરત થયા પછી નવી મુંબઈ ઍરપોર્ટ પર દર વર્ષે ૯ કરોડ મુસાફરોનું સંચાલન સરળતાથી થઈ શકશે.

ઍરલાઇન્સ માટે ૪૨ પાર્કિંગ સ્ટૅન્ડ્સ, ચાર્ટર્ડ અને પ્રાઇવેટ ઍરક્રાફ્ટ માટે ૨૩ પાર્કિંગ સ્ટૅન્ડ અને કાર્ગો માટે ૭ પાર્કિંગની વ્યવસ્થા છે.

એન્ટ્રી પૉઇન્ટ માટે પ્રત્યેક ૪ વેસ્ટિબ્યુલસમાં  ૬ પૅસેન્જર પ્રોસેસિંગ ઈ-ગેટ હશે.

ચેક-ઇન માટે ૩ આઇલૅન્ડ, કુલ ૮૮ કાઉન્ટર ને ૨૨ સેલ્ફ-બૅગેજ ડ્રૉપ કાઉન્ટર્સ હશે.

સેલ્ફ-સર્વિસ ચેક-ઇન માટે ટર્મિનલની બહાર ૨૫ અને ટર્મિનલની અંદર ૫૦ કાઉન્ટર હશે.

ડોમેસ્ટિક માટે ૧૨ ઑટોમૅટિક ટ્રે રિટ્રાઇવલ સિસ્ટમ (ATRS) લેન અને ઇન્ટરનૅશનલ માટે ૫ લેન હશે.

બોર્ડિંગ માટે ૨૯ ઍરો બ્રિજ, ૧૦ બોર્ડિંગ ગેટ હશે.

ભારતના રાષ્ટ્રીય ફૂલ કમળ પરથી પ્રેરિત આર્કિટેક્ચર, ૧૨ કૉલમ પર પાંખડીઓના આકારમાં બનેલા ઍન્કર અને આખા કમળનું વજન ઊંચકતી ૧૭ કૉલમ.

બધા જ ગેટ ડીજી યાત્રા સાથે કનેક્ટેડ હોવાથી ઝીરો મૅન્યુઅલ ચેકની સુવિધા.

ઑટોમેટેડ કમ્યુનિકેશન સાથે સ્માર્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ.

ઑટોમેટેડ બૅગેજ હૅન્ડલિંગ સિસ્ટમ.

૨ લાઉન્જ, બ્રુઅરી અને બાર સાથે ફૂડ હૉલ.

નવી મુંબઈમાં આજે 8/10/25 સવારે ૬થી રાતે ૧૦ વાગ્યા સુધી ટ્રાફિક ડાઇવર્ઝન

નવી મુંબઈ ઍરપોર્ટના ઉદ્ઘાટન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક VVIPઓ આજે નવી મુંબઈ પહોંચશે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક-પોલીસે અમુક સૂચનાઓ આપી છે. સવારે ૬ વાગ્યાથી રાતે ૧૦ વાગ્યા સુધી ભારે વાહનોને નવી મુંબઈમાં પ્રવેશવા કે પાર્ક કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વાહનો વાશી અને ઐરોલી ટોલપ્લાઝા પર અટકાવી દેવામાં આવશે. અટલ સેતુ પરથી નવી મુંબઈમાં પ્રવેશતાં વાહનોને પણ ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. પ્રાઇવેટ બસ કે વાહનોમાં નવી મુંબઈ ઍરપોર્ટની મુલાકાતે આવનારાએ ટ્રાફિક-પોલીસે આપેલા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. નવી મુંબઈ ઍરપોર્ટ સુધીના રસ્તાઓ પર ભારે પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

October 8, 2025
image-6.png
1min21

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) ટ્રાન્ઝેકશન્સ માટે બાયોમેટ્રિક ચકાસણીનું વધુ એક સિક્યોરિટી ફીચર લોન્ચ કર્યુ છે.  ડિજિટલ પેમેન્ટ્સને વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની દિશામાં અને ગ્રાહક સગવડ વધારવાની દિશામાં લેવામાં આવેલું આ મહત્ત્વનું પગલું છે. નવા ફીચરને મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ નવા ફીચરનું ઉદઘાટન કરતાં નાણાકીય સેવા વિભાગના સચિવ નાગરાજુએ જણાવ્યું હતું કે આ સિક્યોરિટી ફીચરની મદદથી યુઝર્સ ઓન ડિવાઇસ બાયોમેટ્રિક્સ જેવા કે ફિંગર પ્રિન્ટ્સ કે ફેસિયલ રેકગ્નિશનનો ઉપયોગ કરી શકશે, આમ બાયોમેટ્રિક્સ પરંપરાગત યુપીઆઈ પિનનું સ્થાન લેશે. તેનો અમલ બુધવારે આઠમી ઓક્ટોબરથી શરૂ થઈ જશે. 

આ ઉપરાંત બાયોમેટ્રિક ચકાસણીનો ઉપયોગ યુપીઆઈ પિન રિસેટ કરવા અને એટીએમ પરથી રોકડ ઉપાડ માટે કરવા થઈ શકે છે. એનપીસીઆઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે રજૂ કરવામાં આવેલું બાયોમેટ્રિક ફ્યુચર ઓપ્શનલ ટૂલ છે, યુઝર્સે તેની ઇચ્છા હોય તો જ તેને ઉપયોગમાં લેવાનું છે. તે ફરજિયાત ધોરણે અમલી નથી. યુઝર્સ ફોન અને ટ્રાન્ઝેકશનને સલામત રાખવા વધુ સિક્યોરિટી ઇચ્છતો હોય તો આ ફીચર્સનો ઉપયોગ કરી શકે. 

તેમણે ઉમેર્યુ હતું કે એડવાન્સ ક્રિપ્ટો ગ્રાફિક ચકાસણી દ્વારા આ વ્યવહાર પૂરો કરનારી દરેક બેન્ક તેની સ્વતંત્ર રીતે ચકાસણી કરી શકશે. તેની સાથે મજબૂત ડેટા સંરક્ષણ અને આંખના પલકારામાં ચૂકવણી કરી શકશે. 

આ બાયોમેટ્રિક્સને રજૂ કરવાનું કારણ  ડિજિટલ વ્યવહારને વધુ સુલભ બનાવવાનો છે. ખાસ કરીને સીનિયર સિટિઝન્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે આ ફેરફાર કરાયો છે. આ ઉપરાંત નવા યુપીઆઈ યુઝર્સ માટે પણ તે ઉપયોગી નીવડશે. અત્યાર સુધી યુપીઆઈ પિન બનાવવા ડેબિટ કાર્ડની  વિગતો ભરવી પડતી હતી, આધાર આધારિત ફેસ રેકગ્નિશન કરવું પડતું હતું. હવે યુઝર્સ કોઈપણ કાર્ડની મદદ વગર કે જટિલ પગલાં અનુસર્યા વગર બાયોમેટ્રિક ચકાસણી કરી શકશે.

October 8, 2025
cia_multi-1280x1045.jpg
1min35

ભારતના સ્ટાર ક્રિકેટર સચિન તેંદૂલકર જેનું આયોજન કરી રહ્યા છે એ ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLની સીઝન 3ની ફાઇનલ સમેતની તમામ મેચો રમાડવા માટે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની પસંદગી કરવામાં આવી છે. ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLનો આરંભ તા.9મી જાન્યુઆરી 2026થી થશે અને તા.6 ફેબ્રુઆરી 2026એ ફાઇનલ સાથે પૂર્ણાહૂતિ થશે. ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPLના મુખ્ય આયોજક સચિન તેદૂલકર છે જ્યારે રવિ શાસ્ત્રી ચીફ મેન્ટર છે.

પત્રકાર પરીષદને સંબોધતા એસડીસીએના ડો. નૈમિષ દેસાઇ, વાઇસ પ્રેસિડેન્ટ અમિત ગજ્જર, સેક્રેટરી હિતેશ પટેલ વગેરેએ જણાવ્યું હતું કે સચિન તેદૂલકર સમેતના આયોજકોની એક ટીમે તાજેતરમાં સુરતના લાલભાઇ સ્ટેડીયમની મુલાકાત લીધી હતી અને તમામ પ્રકારની સુવિધાઓ ચકાસી હતી. એ પછી જાહેરાત કરવામાં આવી છે કે સમગ્ર ટુર્નામેન્ટની સીઝન-3 સુરતમાં રમાડવામાં આવશે. ઇન્ડીયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL T-10 એવી ક્રિકેટ ટુર્નામેન્ટ છે જે ટેનિસ બોલથી રમાય છે અને તેમાં ભાગ લેતી ટીમોના માલિકોમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન, સલમાન ખાન, હ્રિતીક રોશન, અજય દેવગન, અક્ષયકુમાર, કરીના કપૂર જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ઇન્ડીયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL T-10 સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં રમાવાની હોઇ, સ્ટેડીયમ મેનેજમેન્ટ દ્વારા અત્યારથી જ તેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ઇન્ડીયા સ્ટ્રીટ પ્રીમિયર લીગ ISPL સીઝન થ્રીમાં કુલ આઠ ટીમો ભાગ લેશે અને તેમાં રમવા માટે દેશભરમાંથી કુલ 45 લાખ યુવાઓએ નોંધણી કરાવી છે અને તેમાંથી 350 ખેલાડીઓને સિલેક્ટ કરવા માટે ગઇ તા.6 ઓક્ટોબરથી સ્ક્રીનીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

October 7, 2025
SS_Logo_Red-1280x986.png
1min134

દક્ષિણ ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટી FRC સમક્ષ Self Finance શાળા સંચાલક મંડળે એવી માંગણી કરી છે કે હાલ દિવાળીનો મહિનો ચાલી રહ્યો હોય ફી વધારવા માટેની અરજી કરવાની અંતિમ મુદત વધારી આપવામાં આવે.

સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનું એક પ્રતિનિધિ મંડળ તા.6 ઓક્ટોબરના રોજ સાંજે દક્ષિણ ગુજરાતની ફી રેગ્યુલેટરી કમિટીની કચેરી પર પહોંચ્યું હતું. શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે એવી માંગણી કરી હતી કે ફી વધારવા માટેની દરખાસ્ત કરવાની અંતિમ મુદત આગામી તારીખ 31મી ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. પરંતુ મોટાભાગના સારા સંચાલક મંડળો આ તારીખ સુધીમાં ફી વધારાની દરખાસ્ત કરી શકે તેમ નથી. કારણ કે આગામી તારીખ 18મી ઓક્ટોબર થી દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે આવી સ્થિતિમાં શાળાઓ બંધ રહેશે અને સ્ટાફ પણ રજા પર હોય તે વધારાની દરખાસ્ત થઈ શકે તેમ નથી. હાથી ફી વધારાની દરખાસ્ત માટેની અંતિમ મુદત એક મહિનો વધારીને તારીખ 30 મી નવેમ્બર કરી આપવામાં આવે.

ફ્રી રેગ્યુલેટરી કમિટી રજૂઆતો સાંભળ્યા બાદ આ અંગે લેખિત પત્ર દ્વારા માંગણી રજૂ કરવા જણાવી પોતાનો નિર્ણય બાદમાં જણાવવામાં આવશે એમ સંચાલકોને જણાવ્યું હતું.