CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 37 of 37 - CIA Live

June 1, 2018
gas.jpg
1min13800

વાગરાના રહીયાદ ગામે આવેલાં જીએનએફસીના ટીડીઆઇ પ્લાન્ટમાં ચાર વર્ષમાં ફોસ્જીન ગેસ લીકેજની ત્રીજી ઘટના સામે આવી છે. ગયા સોમવારે મોડી રાત્રે ફરી એક વખત ગેસ લીકેજ થતાં રહીયાદ ગામમાં રહેતાં 1,200થી વધારે લોકોએ જીવ બચાવવા ગામ છોડી દેવાની ફરજ પડી હતી. દરમિયાન ગેસની અસરને કારણે 45થી વધારે લોકોને બળતરા તેમ જ ઉલટીઓ થતાં તેમને ભરૂચ ખાતે આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર્સ કંપનીનો ટીડીઆઇનો પ્લાન્ટ વાગરાના રહીયાદ ગામે આવેલો છે. આ પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઝેરી ગણાતો ફોસ્જીન ગેસ લીકેજ થતાં તેની અસર નજીકમાં આવેલા રહીયાદ ગામમાં જોવા મળી હતી. રાત્રીના 12 વાગ્યા બાદ ગેસની અસર વધી જતાં લોકોએ આંખોમાં બળતરા, શ્ર્વાસોશ્ર્વાસમાં તકલીફનો અનુભવ કર્યો હતો. ગેસ લીકેજ થયો હોવાની વાત વાયુવેગે ફેલાતા ગામમાં રહેતાં 1,200થી વધારે લોકો તેમનો જીવ બચાવવા નજીકમાં આવેલા સૂવા ગામમાં પહોંચી ગયાં હતાં.

રોષે ભરાયેલા લોકોએ કંપનીના ગેટ પર ભારે હોબાળો મચાવતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. દરમિયાન ગેસની અસરનો ભોગ બનેલા લોકોની તબિયત લથડતા તેમને સારવાર માટે ભરૂચ જીએનએફસી ટાઉનશીપમાં આવેલી કંપનીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાં 45થી વધારે લોકોને સારવાર આપવામાં આવી હતી. ફેકટરી ઇન્સપેકટર તથા જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં અધિકારીઓની ટીમ રહીયાદ ગામે દોડી આવી હતી.

June 1, 2018
Mansukh-Mandaviya.jpg
1min14580

ગુજરાતના રાજકારણમાં એટલી પ્રવાહી સ્થિતિ પ્રવર્તી રહી છે કે દિલ્હી સ્થિત હાઇકમાન્ડ ગમે તે ઘડીએ મોટા ફેરફાર કરી શકે એવા મળી રહેલા સંકેતોને પગલે ભાજપાના સંગઠન તેમજ સરકાર બન્નેમાં મોટા અને ધરખમ ફેરફારો થશે તેવી અટકળો ભાજપના પ્રાદેશિક નેતાઓથી નારાજ લોકોએ આગની જેમ ફેલાવાની શરૂ કરી દીધી છે. પાછલા દિવસોમાં કોઇક  દિવસ સંગઠનમાં ફેરફાર તો કોઇક દિવસ સરકારના શિખર નેતૃત્વમાં ફેરફાર આવી રહ્યાના ન્યુઝ વાઇરલ થઇ રહ્યા છે. આવું થવાને કારણો પર મળી રહ્યા છે.

લોકસભાની ચૂંટણીને એક વર્ષનો સમય બાકી છે ત્યારે ભાજપે ચૂંટણી કમિટીની રચના કરીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી બાજુ પાટીદાર સમાજને રિજવવા માટેના પ્રયાસો પણ શરૂ કરી દેવાતા એવી અટકળો ઊભી થઈ છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને બદલીને પાટીદાર સમાજને મુખ્ય પ્રધાન પદ અપાશે.

આ અટકળો વચ્ચે વડોદરા ખાતે પહોંચેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ પત્રકારો સમક્ષ એવી સ્પષ્ટતા કરી હતી કે હું મુખ્ય પ્રધાન પદની રેસમાં નથી. મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણી જ રહેશે.

સુજલામ્ સુફલામ્ જળસંચય અભિયાનની પૂર્ણાહુતિ પ્રસંગે વડોદરાના સિંધુસાગર તળાવ ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રના રોડ, ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, શિપિંગ, કેમિકલ-ફર્ટિલાઈઝર્સ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન મનસુખ માંડવિયાના ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પત્રકારોએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમે ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાની રેસમાં છો

તેના જવાબમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, હું મુખ્ય પ્રધાનની રેસમાં નથી. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જ રહેશે. મુખ્ય પ્રધાન બદલવા અંગે જે અફવાઓ ચાલી રહી છે તે ખોટી છે. આ સિવાય વધુ કોઇ વાત તેમણે કરી ન હતી.

મુદ્દો બદલતા શ્રી માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ટેક્નિકલ ભૂલને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં એક પૈસાનો ઘટાડો થયો હતો. તેનો ખુલાસો થઈ ગયો છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે સરકાર ચિંતિત છે. પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર પર નક્કી થતાં હોય છે. આવનાર દિવસોમાં તેના પર નિયંત્રણ આવી જશે. સુઝલામ્ સુફલામ્ જળસંચય યોજના બાબતે જણાવ્યું હતું કે, આ યોજનામાં અપેક્ષા કરતા વધારે સારી કામગીરી થઈ છે. અત્યાર સુધી રાજ્યભરમાં 9 હજાર કરતા વધારે તળાવોને ઊંડા કરવાની કરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.