CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 2 of 34 - CIA Live

March 13, 2025
holika-dahan.jpg
1min181

દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. રંગોનો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના તહેવાર સાથે જોડાયેલી ભક્ત પ્રહલાદ અને હોળીકા દહનની વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ ‘હોલિકા’ અને ‘હોળી’ કહીએ છીએ તે શબ્દ કેવી રીતે અસ્તિત્વ આવ્યો તેના વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આ સાથે ગુજરાત સિવાયના રાજ્યમાં હોળીના તહેવાર માટે અલગ અલગ નામ છે. તો આવો જાણીએ આ રસપ્રદ માહિતી વીશે.

હરિયાણામાં હોળીને ‘દુલંડી’ કહેવાય છે તો પંજાબમાં હોળીને ‘હોલા મોહલ્લા’, જ્યારે બિહાર અને ઉત્તરપ્રદેશમાં હોળીનું નામ છે ‘ફાગ અને લઠમાર’, તો મહારાષ્ટ્રમાં હોળીને ‘ફાલ્ગુન પૂર્ણિમા’, અને દક્ષિણ ભારતમાં ‘કામદહન’ નામ ઓખળવામાં આવે છે.

હોળીના અલગ અલગ નામની સાથે તેની ઉજવણીની પરંપરામાં પણ વિવિધતા જોવા મળે છે. વૃંદાવનમાં ફૂલોથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણના મંદિરોમાં ભક્તો એક્બીજા પર ફુલો ફેંકી હોળી મનાવે છે. તો કેટલીક જગ્યાએ ગુલાબી કે પીળા ગુલાલનો જ ઉપયોગ કરાય છે. જ્યારે કોઈ જગ્યાએ ચંદન-કેસર ઘોળીને પાણી બનાવી તેનાથી રંગવામાં આવે છે

કોઈને કોઈ તહેવાર કે તેના નામ પાછળ ઈતિહાસ કે કથા છુપાયેલી હોય છે. આવું જ કંઈક ‘હોળી’ શબ્દ માટે છે. કહેવાય છે કે ફાગણ સુદ પૂનમે પ્રાચીન આર્યજનો નવા ઘઉં અને જુવારના ડૂંડાને હવનના અગ્નિમાં હોમીને અગ્નિહોત્રનો પ્રારંભ કરતા હતા. અનાજના ડૂંડાને સંસ્કૃતમાં ‘હોલક’ કહેવામાં આવે છે. એના પરથી ‘હોલિકા’ અને ‘હોલી’ શબ્દો આવ્યા. ગુજરાતીમાં ‘હોલી’ પરથી સમયાંતરે ‘હોળી’ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે.

હોળીની પરંપરાગત કથા-

હોળી સાથે સંકળાયેલી પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામે એક રાક્ષસ હતો. તેના કુંવરનું નામ પ્રહલાદ હતું. કુંવર પ્રહલાદ પ્રભુ ભજે એ તેમને ન ગમે. પ્રહલાદને મારી નાંખવા હિરણ્યકશ્યપની બહેન હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાઓની ચિતામાં બેઠી. ચિતા સળગાવવામાં આવી ત્યારે એક ચમત્કાર થયો. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પરંતુ પ્રહલાદ ઉગરી ગયો. આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો.

હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવી લોકો હોળીની પૂજા કરે છે, તેમાં શ્રીફ્ળ-નાળિયેર હોમે છે. અને નાના બાળકોથી માંડી વડીલો પ્રગાટાવાયેલી હોળીની પ્રદક્ષિણા કરે છે. નવ દંપતિ પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવે છે. તો મહિલાઓ પોતાના બાળકો અને પરિવારના સારા સ્વાસ્થ્યની કામના કરે છે. દિવસ દરમિયાન લોકો રાંધેલું અનાજ નથી આરોગતા, પરંતુ હારડા, ધાણી, ચણા, ખજુર ખાય છે. જ્યારે સાંજે હોળીના દર્શન કર્યા બાદ ઘરે જઈને સહપરિવાર બધા ભોજન કરે છે.

આમ હોળીનો ઉત્સવ એ ફાગણના રંગોથી આપણા જીવનને રંગીન બનાવતો, સત્યનિષ્ઠાનો મહિમા સમજાવતો, તેમજ માનવ મનમાં અને માનવ સમાજમાં રહેલી અસહ્ય પ્રવૃત્તિને બાળવાનો સંદેશ આપનારો ઉત્સવ છે.

February 26, 2025
shiva-mahadev.jpg
1min95

મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને પુજવાનો ઉત્તમ દિવસ છે. પવિત્ર શ્રાવણ માસ પછી મહાશિવરાત્રી પર્વમાં ભગવાન શિવના ભક્તો દ્વારા વિવિધ પ્રકારની પુજા તેમજ અભિષેક કરવામાં આવતાં હોય છે. ત્યારે 26/2/25ના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની ઉત્સાહપૂર્વક ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે.આ દિવસે ગાંધીનગરના શિવાલયો ઓમ નમઃ શિવાય…અને હર..હર..મહાદેવ..ના નાદથી ગુંજી ઉઠશે.

મહાકુંભનું સમાપન

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં બુધવારે મહાશિવરાત્રીના રોજ અંતિમ પવિત્ર સ્નાન કરવામાં આવશે, જે સાથે જ આ મહાકુંભનું સમાપન થશે. લાખો લોકો હાલ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જે લોકો પહોંચી ગયા છે તેમણે મંગળવારની રાત્રે 12 વાગ્યા બાદ સ્નાનનો લાભ લઇ લીધો હતો. ભારે ભીડને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રયાગરાજને નો-વિહિકલ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે, જેને પગલે કોઇ વાહનને મેળાના વિસ્તારમાં પ્રવેશવા નહીં દેવાય. બહાર જ તેને પાર્ક કરી દેવા પડશે. આ નિર્ણય મહાકુંભના સમાપન સુધી લાગુ રહેશે. અંતિમ દિવસ પૂર્વે એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, જ્યારે મહાકુંભમાં ડુબકી લગાવનારાની કુલ સંખ્યા ૬૫ કરોડને પાર પહોંચી ગઇ છે.

મંગળવારે મહાકુંભનો 4મો દિવસ હતો, જ્યારે અંતિમ અને ૪૫માં દિવસે સંતો મંત્રોચ્ચાર સાથે મહાશિવરાત્રીની પુજા કરશે. અંતિમ શાહી સ્નાનની પૂર્વ તૈયારીના ભાગરુપે સમગ્ર પ્રશાસન એલર્ટ થઇ ગયું છે, જવાબદારી સંભાળનારા અધિકારીઓએ ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી યોગીના આદેશ પર બોલાવાયેલી બેઠકમાં ડીઆઇજી, કમિશનર, કલેક્ટર સહિતના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રશાસને 48 કલાકમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અગાઉ મૌની અમાસે નાસભાગમાં ૩૦ લોકો માર્યા ગયા હતા તેવી કોઇ ઘટના ફરી ના થાય તેની તકેદારી માટે આ ઇમર્જન્સી બેઠક બોલાવાઇ હતી. સમગ્ર સ્થિતિ પર નજર રાખવા માટે વોર રૂમ શરૂ કરાયો છે.

અંતિમ દિવસે શ્રદ્ધાળુઓને પ્રયાગરાજના તમામ શિવ મંદિરોએ જવાની છૂટ અપાશે, મહાકુંભની શરૂઆત થઇ ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 45 કરોડ શ્રદ્ધાળુઓ આવશે તેવુ અનુમાન લગાવ્યું હતું, જોકે આ આંકડો 11 ફેબુ્રઆરીએ જ પાર પહોંચી ગયો હતો. હાલ આંકડો 65કરોડે પહોંચ્યો છે. હરીદ્વાર, ઉજ્જૈન, નાશીકમાં દર ચાર વર્ષે કુંભ મેળો યોજાય છે જ્યારે પ્રયાગરાજમાં દર 12 વર્ષે મહાકુંભ યોજાય છે, તેથી હવે ૧૨ વર્ષ બાદ આ મહાકુંભ યોજાશે તેને ધ્યાનમાં રાખીને હાલ અંતિમ દિવસે પણ સ્નાન કરવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. હાલ ત્રિવેણી સંગમ પર નોન-સ્ટોપ સ્નાન કરાઇ રહ્યું છે. હાલ સંગમમાં ઘાટ પર પગ મુકવાની પણ જગ્યા નથી એટલી મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા પહોંચી ગયા છે. વૃદ્ધોથી લઇને યુવા વયના, મહિલાઓથી લઇને પુરુષો, શહેરી નાગરિકોથી લઇને ગ્રામીણ વિસ્તારના લોકો એક થઇને સ્નાન કરી રહ્યા છે.

મહાકુંભમાં સાફ સફાઇ માટે ૧૫ હજાર સેનિટેશન વર્કર્સ તૈનાત કરાયા હતા, એક જ સ્થળે એક સાથે 15 હજાર લોકો દ્વારા સાફસફાઇ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે જેની ગિનિસ વર્ડ રેકોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી શકે છે અને પરીણામ ૨૭મી ફેબુ્રઆરીએ જાહેર કરાશે. ગિનિસ સાથે જોડાયેલા રિશિ નાથે કહ્યું હતું કે અમે ભાગ લેનારા તમામ વર્કર્સને કાંડે એક પટ્ટી બાંધી હતી, જેમાં યુનિક ક્યૂઆર કોડ પણ છે. તેમની કામગીરીની અમે નોંધ લીધી છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મક્કા મદિના હજ માટે દર વર્ષે 1.4 કરોડ લોકો જાય છે, વેટિકન સિટીમાં 80 લાખ લોકો જાય છે. જ્યારે બીજી તરફ માત્ર અયોધ્યામાં જ ૫૨ દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરાયું. મહાકુંભમાં પહોંચનારાઓનો આંકડો તો કરોડોમાં છે જ સાથે અન્ય ધાર્મિક સ્થળોએ પણ લાખો લોકોએ પહોંચીને અનોખો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

February 5, 2025
CiA_Live_Mahakumbh.jpg
1min96

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા.5 ફેબ્રુઆરીએ 2025ની સવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ પહોંચ્યા અને ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કર્યું. પી.એમ. મોદીની આ મુલાકાતમાંથી રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સએ એ બોધપાઠ લેવો જોઇએ કે સામાન્ય લોકોને, ભીડને ડિસ્ટર્બ કર્યા વગર પી.એમ. મોદી પ્રયાગરાજ પહોંચ્યા અને તેમણે કુંભમાં ડુબકી લગાવી રહેલા સામાન્ય લોકોને ખલેલ ન પહોંચે તે રીતે કુંભમાં ડુબકી લગાવી હતી.

આ અવસરે તેમણે મહાકુંભમાં પવિત્ર સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. આ દરમિાયન તેઓ માતા ગંગાની પૂજા અર્ચના કરી. તેમની સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી ત્યારે તેમણે ભગવા રંગના વસ્ત્રો પહેર્યા હતા. તેમના ગળા અને હાથમાં રુદ્રાક્ષની માળા પણ જોવા મળી. તેમણે મંત્રોચ્ચાર સાથે સંગમમાં ડુબકી લગાવી હતી.

આ અગાઉ પીએમ મોદીનું વિમાન જ્યારે ઉત્તર પ્રદેશના બમરૌલી એરપોર્ટ પહોંચ્યું હતું. એ સમયે તેમને આવકારવા માટે રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના બંને નાયબ મુખ્યમંત્રીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી હેલિકોપ્ટરથી પીએમ મોદી ડીપીએસના હેલિપેડ પહોંચ્યા હતા. અહીંથી તેમનો કાફલો અરૈલના વીઆઈપી ઘાટ પહોંચ્યો હતો. જ્યાંથી તેઓ બોટ દ્વારા સંગમ પહોંચ્યા હતા.

અત્રે જણાવવાનું કે મહાકુંભમાં અત્યાર સુધીમાં 38.29 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં મહાકુંભની મુલાકાત લીધી. જ્યાં તેમણે પવિત્ર સંગમ સ્થાન ખાતે સ્નાન કર્યા બાદ આસ્થાની ડૂબકી લગાવી હતી. તેમની સાથે આ સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

પીએમ મોદીના પ્રયાગરાજ પ્રવાસને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી અનુસાર પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના ઘણા વરિષ્ઠ મંત્રી પણ હાજર છે.

13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધી 14 કરોડથી વધુ શ્રદ્ધાળુ પવિત્ર ડુબકી લગાવી ચૂક્યા છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ, યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત તમામ મોટા નામ પણ સામેલ છે. આ સિવાય ઘણા દેશોના પ્રતિનિધિ પણ મહાકુંભમાં ડુબકી લગાવી ચૂક્યા છે.

February 3, 2025
gsrtc-kumbh.png
1min115

પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. અહીં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ જઈ રહ્યા છે. મહાકુંભની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશ-વિદેશમાંથી 35 કરોડથી વધુ લોકો ડૂબકી લગાવી ચૂક્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારે પ્રયાગરાજ જવા ઈચ્છુક શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં રાખીને મોટો ફેંસલો કર્યો હતો. જીએસઆરટીસીની વધુ 5 બસ શરૂ કરવામાં આવી હતી. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વવિટ કરીને માહિતી આપી હતી.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે મુખ્ય પ્રધાનના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. તા ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે.

January 28, 2025
kailash.png
1min116

ચીન ભારત સાથેના સરહદી વિવાદને ઉકેલવા અને શાંતિ તરફ વધુ એક પગલું ભરવા સંમત થયું છે. ભારત અને ચીને સોમવારે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને ચીનના મંત્રી વાંગ યી વચ્ચેની બેઠકમાં લેવામાં આવ્યો છે. હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર, કૈલાશને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે.

બંને દેશ સરહદી વિવાદને ઉકેલવા સંમત ચીન ભારત સાથેના સરહદી વિવાદને ઉકેલવા અને શાંતિ તરફ વધુ એક પગલું ભરવા સહમત થયું છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કૈલાશ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં ફરી શરૂ થશે. બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવાને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત અને ચીન લોકો વચ્ચેના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય પગલાં લેવા સંમત થયા છે.

વર્ષ 2020 છે બંધ યાત્રા કૈલાશ માનસરોવર યાત્રા 2025માં ઉનાળામાં ફરી શરૂ કરવામાં આવે તેવા સંકેતો છે. જૂન 2020માં ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ડોકલામમાં થયેલા વિવાદ બાદ આ યાત્રાને બંધ કરી દેવામાં આવી હતી. કૈલાશ માનસરોવર યાત્રા બંધ થયા બાદ ભક્તો ઉત્તરાખંડની વ્યાસ ખીણથી કૈલાશ પર્વતના દર્શન કરતાં હતા.

વર્ષ 2020 છે બંધ યાત્રા કૈલાશ માનસરોવર યાત્રા 2025માં ઉનાળામાં ફરી શરૂ કરવામાં આવે તેવા સંકેતો છે. જૂન 2020માં ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા. ડોકલામમાં થયેલા વિવાદ બાદ આ યાત્રાને બંધ કરી દેવામાં આવી હતી. કૈલાશ માનસરોવર યાત્રા બંધ થયા બાદ ભક્તો ઉત્તરાખંડની વ્યાસ ખીણથી કૈલાશ પર્વતના દર્શન કરતાં હતા.

વિદેશ મંત્રાલયે આપી માહિતી વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ઓક્ટોબરમાં કઝાનમાં થયેલી બેઠકમાં સંમતિ મુજબ, બંને પક્ષોએ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી અને સંબંધોને સ્થિર અને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી.” “પુનઃસ્થાપન માટે કેટલાક લોકો-કેન્દ્રિત પગલાં લેવા સંમતિ થઈ છે.” મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, “આ સંદર્ભમાં, બંને પક્ષોએ 2025 ના ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો.”

January 13, 2025
mahakumbh.png
1min150

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડુબકી લગાવીને શાહી સ્નાન કરશે. પરંપરા મુજબ 12 વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે જેને પગલે અગાઉ કરતા વધુ લોકો શાહી સ્નાનનો લાભ લે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 35 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકે છે.

સોમવારે મહાકુંભની શરૂઆત થાય તેના બે દિવસ પહેલા જ શનિવારે 35 લાખ શ્રદ્ધાળુઓએ અહીંયા શાહી સ્નાન કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રયાગરાજમાં મહાકુંભની વ્યવસ્થાના પરિક્ષણ માટે આવ્યા હતા. 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થઇ રહી છે જેમાં શાહી સ્નાનની તારીખો પણ જાહેર કરાઇ છે જે મુજબ 13, 14 અને 29મી જાન્યુઆરીએ એટલે કે આ મહિને ત્રણ શાહી સ્નાન થશે. ફેબુ્રઆરી મહિનામાં 3, 12 અને 26 તારીખે શાહી સ્નાન કરવામાં આવશે. મહાકુંભ 2025 અનેક રીતે અલગ માનવામાં આવે છે.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકુંભ સ્પેશિયલ સાત હજાર બસો ચલાવવાનું આયોજન ઉત્તર પ્રદેશ રોડવેઝે કર્યું છે. જ્યારે જે સ્થળે મેળાવળો ભરાઇ રહ્યો છે ત્યાં જ 550 શટલ બસો ચલાવવામાં આવશે. અહીંના આયોજન સ્થળે 28 હજારથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે. સાફ સફાઇ માટે 15 હજાર સફાઇકર્મીઓ તૈનાત કરાયા છે. શ્રદ્ધાળુઓને કોઇ અસુવિધા ના થાય તે માટે 101 સ્માર્ટ પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે. જેની એક દિવસની ક્ષમતા પાંચ લાખ વાહનોના પાર્કિંગની છે. મેળા ક્ષેત્રમાં પાણીની સુવિધા માટે 1250 કિલોમીટર લાંબી પાઇપલાઇન લગાવાઇ છે. આ ઉપરાંત ૬૭ હજાર એલઇડી લાઇટો, બે હજાર સોલર લાઇટો અને ત્રણ લાખ વૃક્ષો લગાવવામાં આવ્યા છે.

મહાકુંભનું એક મહત્વ એ પણ છે કે જે સ્થળે તે યોજાઇ રહ્યો છે ત્યાં એક કામચલાઉ મોટુ નગર ઉભુ કરાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ સ્થળે એક સમયે 50 લાખથી એક કરોડ શ્રદ્ધાળુઓને સમાવવાની ક્ષમતા છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમારના જણાવ્યા મુજબ સમગ્ર કુંભ મેળા પર ચાંપતી નજર રાખવા માટે ૫૫ પોલીસ સ્ટેશન ઉભા કરાયા છે, સુરક્ષા માટે 45000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. મહાકુંભમાં 13 અખાડા ભાગ લઇ રહ્યા છે. પ્રયાગરાજ શહેરની દિવાલો ધાર્મિક રંગે રંગવામાં આવી છે. ચાર રસ્તા પર કળશ મુકવામાં આવ્યા છે. આયોજન સ્થળે વિશાળ ગેટ લગાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે પોલીસ ડ્રોનની પણ મદદ લઇ રહી છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત આ મહાકુંભનું આયોજન થઇ રહ્યું છે જેને પગલે લાખોની સંખ્યામાં લોકો આ મેળાવળામાં એકઠા થવા જઇ રહ્યા છે. દરમિયાન અયોધ્યામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાની વાર્ષિક ઉજવણીની પણ તૈયારી ચાલી રહી છે.

મુખ્ય સચિવના જણાવ્યા મુજબ 2019માં કુંભનું આયોજન કરાયું તેની સરખામણીએ મહાકુંભનું આયોજન અનેકગણુ વિશાળ છે.

આ વખતના મેળાને ૨૫ સેક્ટરમાં વિભાજીત કરાયો છે. જ્યારે ઘાટની લંબાઇ પણ વધારીને 12 કિમી કરાઇ છે જે અગાઉ આઠ કિમી હતી. એટલુ જ નહીં 2019ના કુંભ સમયે આયોજન સ્થળનો વિસ્તાર 1291 હેક્ટર હતો જે આ વખતે વધારીને 1850 હેક્ટર રખાયો છે. આ પહેલા 3500 કરોડનો ખર્ચ થયો હતો જ્યારે આ વખતે સાત હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મહાકુંભ માટે અલગથી આ બજેટ ફાળવવામાં આવ્યું છે.

November 4, 2024
jalarambapa.jpg
1min144

રાજકોટમાં આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામ બાપાની આગામી આઠમી નવેમ્બરે 225મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિકો દ્વારા ધજા, પતાકા સહિત લગાવીને વીરપુર ધામને શણગારવાની તડામાર તૈયારીઓ શરુ કરી છે, ત્યારે ભોજન અને ભજનભક્તિનો મહાસંગમ રચાશે.

જલારામ બાપાની 225 મી જન્મજયંતિએ વીરપુર ખાતે દેશવિદેશમાં લાખોની સંખ્યામાં બાપાના ભક્તો આવશે. જેમાંથી કેટલાક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે વીરપુર સુધી પદયાત્રા કરે છે, આ સાથે અન્ય રાજ્યામાંથી પણ સંઘો અને પદયાત્રીઓએ વીરપુર આવવા માટે પ્રયાણ કર્યું છે. બાપાની જન્મજયંતિની ઉજવણીની વ્યવસ્થામાં 300 જેટલા સ્વયંસેવકો સેવા આપશે.

આ પ્રસંગે વીરપુર ગામની શોભા વધારવા માટે વીરપુરના વેપારીઓ સહિત અલગ-અલગ મિત્ર મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી આઠમી નવેમ્બરના કારકત સુદ સાતમના દિવસે જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણીની આખરી ઓપ આપવામાં આવી.

સ્થાનિકોએ કહ્યું કે, આજથી 225 વર્ષ પહેલા ચાર નવેમ્બર, 1799 અને વિક્રમ સંવંત 1856ના કારતક સુદ સાતમના દિવસે ગોંડલ પાસે વીરપુરમાં બાપાનો જન્મ થયો હતો. લાખો લોકોના હૈયે વસતા પૂ.જલારામ બાપાની જન્મજયંતિ આગામી આઠમી નવેમ્બર, કારતક સુદ સાતમના દિવસે સૌરાષ્ટ્રભરમાં ધામધૂમથી ઉજવાશે.

October 25, 2024
Dwarkadhish-Temple0-1280x1917.jpg
1min129

આગામી દિવસોમાં વર્ષના સૌથી મોટાં તહેવાર દિવાળીની શરુઆત થવા જઈ રહી છે. આ દિવસો દરમિયાન યાત્રાધામોમાં વિશેષ ઉજવણીઓ કરવામાં આવતી હોય છે. દિવાળીના પર્વની જગતમંદિર દ્વારકામાં વિશેષ ઉજવણી થવાની છે. જેને લઈને મંદિરના દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

દ્વારકાધીશ મંદિર કચેરી દ્વારા દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર સાથેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ધનતેરસના દિવસે મંદિરમાં સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે, બપોરે 1 થી 5 અનોસર એટલે કે મંદિર બંધ રહેશે, ત્યારબાદ સાંજે 5:00 વાગે ઉત્થાપન બાદ દર્શનનો લાભ મળશે. તેમ જ રાત્રે 9:45 કલાકે અનોસર બાદ મંદિર દર્શન બંધ થશે.

October 3, 2024
amba-1280x1700.jpg
1min204

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર. આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજ (ત્રીજી ઓક્ટોબર)થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે. જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. આ વખતે આસો સુદ ત્રીજ બે દિવસ છે, જ્યારે 12મી ઓક્ટોબરે નોમ અને દશેરા એક જ દિવસે મનાવાશે. અલબત્ત, અનેક સ્થળોએ 11મી ઓક્ટોબર સુધી જ ગરબાનું આયોજન કરાયું છે.

જે ચેતના, જે ઊર્જા, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, જેના દ્વારા સઘળી સૃષ્ટિની રચના છે એ શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ વ્યક્ત કરવાનો અવસર એટલે નવરાત્રિ. આજથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે.

ઉપાસના શરૂ કરવા તેમજ ઘટ સ્થાપન કરવા સવારે 6:31થી વિવિધ મુહૂર્ત છે. સવારે 6:31થી 8:01 શુભ, સવારે 11:01થી બપોરે 12:31 ચલ, બપોરે 12:31થી 2:01 લાભ, બપોરે 2:01થી ૩:30 અમૃત, સાંજે 5થી 6:30 શુભ, સાંજે 6:30થી 8 અમૃત જ્યારે રાત્રે 8થી 9:31 વાગ્યે ચલ મુહૂર્ત છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. પૃથ્વી પર જેટલા વ્રતો છે તેમાં નવરાત્રિ વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

નવરાત્રિ પૂજનથી ધન-ધાન્ય-સંતતિ, સુખ-સમૃદ્ધિ, આયુષ્ય-આરોગ્ય રક્ષણ, સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા, સુખ-સંપત્તિ -સૌભાગ્ય વગેરે લાભ થાય છે. શાસ્ત્રવિદોના મતે નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપ દૈવી શક્તિના વિજયનો ઉત્સવ. રામાયણના યુદ્ધ સમયે ભગવાન શ્રી રામે પણ નવરાત્રિના વ્રત કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા. આમ, પોતાનું શુભ ઈચ્છનારે નવરાત્રિ દરમિયાન વ્રત કરવા જોઇએ. નવરાત્રિમાં ભક્તિ કરવાથી પૂર્વજન્મના દોષ, અપરાધ તેમજ આ જન્મમાં કોઇ દ્વિધા-સંતાપ હોય તે દૂર થાય છે.

હવામાન વિભાગના મતે અમદાવાદમાં આવતીકાલે સાંજે 8 થી 6 દરમિયાન હળવા ઝાપટાં પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે અમદાવાદમાં નવરાત્રિમાં બાકીના નોરતાં દરમિયાન વરસાદની કોઇ જ સંભાવના નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ધુમી શકશે.

નવરાત્રિમાં માતાજીના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમય

શક્તિપીઠ અંબાજી : આરતી સવારે 7:30થી 8, દર્શન સવારે 8થી 11:30, રાજભોગ બપોરે 12, દર્શન બપોરે 13:30થી 4:15, આરતી સાંજે 6:30થી 7, દર્શન સાંજે 7થી 9 વાગ્યા સુધી.

ચોટીલા ચામુંડા માતાજી: પગથીયાના દ્વાર સવારે 4:30 વાગ્યે ખુલશે અને સવારે 5 વાગ્યે આરતી. સાંજની આરતી સૂર્યાસ્તના સમયે.

પાવાગઢ મંદિર : પ્રથમ-આઠમા નોરતે અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલાશે અને રાત્રિના 8 વાગ્યે બંધ થશે. આ સિવાયના નોરતામાં સવારે 5 વાગ્યે દ્વાર ખોલાશે અને રાત્રે 8 વાગ્યે બંધ થશે.

ભદ્રકાળી મંદિર અમદાવાદ: સવારે 6થી રાત્રિના 12 સુધી દર્શન થઈ શકશે. રોજ રાત્રિના 9થી 12 મંદિરના ચોકમાં ગરબાનું પણ થશે.

September 30, 2024
Navratri_9swaroop.jpg
1min230

નવરાત્રિના 9 દિવસોમાં માંના 9 સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત પણ રાખે છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર, નવરાત્રિ દરમિયાન વિધિ-વિધાનથી માં દુર્ગાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આસો મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શારદીય નવરાત્રિ શરૂ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખુબ વધારે મહત્વ હોય છે. હિન્દુ પંચાગ અનુસાર, શારદીય નવરાત્રિનો પર્વ 3 ઓક્ટોબર 2024, ગુરૂવારથી શરૂ થાય છે. શારદીય નવરાત્રિનો પર્વ 11 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે.

નવરાત્રિના પહેલા નોરતાથી કલશ સ્થાપનાનું મહાત્મ્ય છે. તેનાથી માતાજી પ્રસન્ન થાય છે. કલશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને માતૃગણનો નિવાસ માનવામાં આવે છે. તેની સ્થાપનાથી જાતકને શુભ પરિણામ મળે છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, આ વખતે કલશ સ્થાપનાનો સમય સવારે 6:15 વાગ્યાથી 7:22 વાગ્યા સુધી રહેશે. તેના સિવાય કલશ સ્થાપના અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે. અભિજીત મુહૂર્ત સવારે 11:46 મિનિટથી બપોરે 12:33 મિનિટ સુધી રહેશે. એટલે 47 મિનિટનો સમય મળશે.

જ્યોતિષાચાર્યના અનુસાર, નવરાત્રિ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ નવ રાત થાય છે. આ નવ દિવસોમાં ઉપવાસ રાખીને દુર્ગા દેવીની પૂજા કરવામાં આવે છે. દુર્ગા સપ્તસતીના પાઠ, દુર્ગા સ્ત્રત્તેત અને દુર્ગા ચાલીસાની સાથે રામ ચરિતમાનસના પણ પાઠ કરવામાં આવે છે. ભક્તિભાવથી આરાધના કરવાથી દુર્ગા માં પ્રસન્ન થાય છે. તેમણે જણાવ્યું કે, આ વખતે માતાજી પાલખીમાં આવી રહ્યા છે. નવરાત્રીની શરૂઆત ગુરુવાર અને શુક્રવારથી થાય છે, તો માનવામાં આવે છે કે માતા પાલખીમાં આવી રહ્યા છે.