CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 12 of 34 - CIA Live

March 2, 2021
Bhavnath_Mahadev.jpg
1min364

ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતો વિખ્યાત મહાશિવરાત્રીનો મેળો કોરોના સંક્રમણને લીધે મોકૂફ રાખવાની જિલ્લા કલેકટરે જાહેરાત કરી હતી. પણ સાધુ-સંતો દ્વારા પરંપરાગત જાળવવામાં આવશે.

કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને મેયર ધીરૂભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં સાધુ-સંતો ઉતારા મંડળના હાદ્દેઁદારની બેઠકમાં કલેકટરે કોરોના સંક્રમણ હોવાથી શિવરાત્રી મેળો મોકૂફ (રદ)ની જાહેરાત કરી હતી.

તેમણે ઉમેર્યું કે, શિવરાત્રી મેળાની સાધુ-સંતો દ્વારા પરંપરાગત’ જળવાશે. તેમાં આગામી તા.8 ને રવિવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ કરાશે અને શિવરાત્રીની રાત્રે’ રવેડી નીકળશે પણ તેમાં માત્ર સાધુ-સંતોજ જોડાઈ શકશે. મેળામાં સાધુ-સંતો દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં લોકોને પ્રવેશ અપાશે નહીં. આ નિર્ણયથી માત્ર પરંપરા જળવાશે. કલેકટરના આ નિર્ણયથી શિવરાત્રી મેળાની આશામાં બેઠેલાઓના અરમાનો ચકનાચૂર થઈ ગયા છે.

શિવરાત્રીનો મેળો ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ગણાવાય છે. તેથી મેળામાં વર્ષોવર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે અને પાંચ દી’’ તળેટીમાં શિવનાદ ગુંજે છે પરંતુ આ વર્ષે માત્ર સાધુ-સંતો પૂરતો મર્યાદિત રહેશે.

જૂનાગઢ મનપા દ્વારા દોઢેક માસ પહેલા તૈયારીઓ આરંભી દેવાઈ હતી. આવતીકાલ તા.2ના તળેટીમાં સ્ટોલની હરાજી કરનાર હતી પણ આ નિર્ણયથી બંધ રખાઈ છે. આ બેઠકમાં કમિશનર તુષાર, સુમેરા ઉતારા મંડળના ભાવેશ વેકરિયા ઉપસ્થિત રહ્યા હતા.’

March 2, 2021
siddhi_vinayak_pal.jpg
1min535

બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓ પણ બુદ્ધિના સ્વામી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાના આશીર્વાદ લઇ રહ્યા છે

આજરોજ મંગળવાર અને અંગારકી ચોથની તિથિ અને એ પણ ચિત્રા નક્ષત્રમાં છે, ચિત્રા નક્ષત્રના સ્વામી મંગળ છે અને એટલે જ આજના યોગને દુર્લભ માનવામાં આવે છે. આજે ગણપતિ દાદાની પૂજા અર્ચનાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સુરતના પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે આજે વહેલી સવારથી સંધ્યા આરતી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામા આવ્યું છે. આજના પર્વને લઇને પાલ સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરે સવારથી જ દર્શનાર્થીઓની ભારે ધૂમ છે. આજે દિવસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિક ભક્તો પાલ આર.ટી.ઓ.ની બાજુમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરના દર્શનાર્થે આવે તેવું મનાય છે.

આજના પર્વ અંગે વધુ માહિતી આપતા સિદ્ધિ વિનાયક મંદિર સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ચિત્રા નક્ષત્રમાં અંગારકી ચોથ અને એ પણ મંગળવારે આવી હોય તેવા સંજોગોમાં ભગવાન ગણપતિ દાદાની પૂજા અર્ચનાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે, શાસ્ત્રોમાં આ બાબતનો ઉલ્લેખ છે અને એટલે જ પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક મંદિરે આજે વહેલી સવારથી સંધ્યા આરતી સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

નીતિનભાઇએ કહ્યું કે આજે સવારે કેસર સ્નાનથી શરૂ કરીને દિવસ દરમિયાન અભિષેકાત્મક અથર્વ શિર્ષના પાઠ આખો દિવસ દરમિયાન વેદ પંડિતો દ્વારા મંદિર સંકુલમાં કરવામાં આવશે. ભગવાન શ્રી સિદ્ધિવિનાયક દાદાની આરાધના માટે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ભાવિકો આવી રહ્યા છે અને આવશે એમ મનાય છે. કોરોનાકાળ બાદ પાલ પાટીયા સ્થિત મંદિરમાં બિરાજમાન સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનો મહિમા વધ્યો છે અને આજે ખાસ યોગે મંદિરમાં આરાધનાસભર કાર્યક્રમોનું આયોજન થયું છે. તેમણે કહ્યું કે આજે સંધ્યા આરતીમાં સુરત મ્યુનિસિપલ વોર્ડ નં.9 અને 10ના નવનિર્વાચિત નગરસેવકો પણ જોડાશે. ચૂંટણી લડ્યા ત્યારે તેઓએ આ સંકલ્પ કર્યો હતો અને સંકલ્પ પૂર્તિના ભાગરૂપે તેઓ આજની આરતીમાં જોડાશે.

બોર્ડના પરીક્ષાર્થીઓ ખાસ આશીર્વાદ માટે મંદિરે આવે છે

પાલ પાટીયા સ્થિત મંદિર સંકુલમાં બિરાજમાન ભગવાન શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે ફેબ્રુઆરીથી એપ્રિલ-મે માસ દરમિયાન ખાસ વિદ્યાર્થીઓ ગણપતિ દાદાના આશીર્વાદ લેવા માટે આવે છે. આમેય ગણપતિ દાદાને બુદ્ધિના સ્વામી ગણાવાયા છે, અહીં જ્યારથી સિદ્ધિ વિનાયક દાદા બિરાજમાન છે ત્યારથી વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્વે તેમના આશીર્વાદ લેવા તેમજ બોલપેન તથા પરીક્ષાની સામગ્રી પણ અભિમંત્રિત કરાવી જાય છે. આ વખતે પણ બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ સિદ્ધિ વિનાયક દાદાના આશીર્વાદ લેવા માટે આવવાનું શરૂ થઈ ચૂક્યું છે.

March 1, 2021
Ram-Mandir2.jpg
1min653

રામ મંદિર નિર્માણ માટે છેલ્લા 44 દિવસથી ચાલી રહેલા રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં 2100 કરોડ રૂપિયાનું દાન એકત્રિત થયું છે.

શનિવારે દાન કરવા માટેનો અંતિમ દિવસ હતો. જેની શરૂઆત 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી.

આ અભિયાના શરૂઆતના સમયે 1100 કરોડ રૂપિયા એકત્રિત થવાનું અનુમાન હતું પણ જનતાની અભૂતપૂર્વ ભાગીદારીના કારણે લગભગ 1000 કરોડ રૂપિયા વધારે એકત્રિત થયા છે. શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિના કહેવા પ્રમાણે તમામ વર્ગના લોકોએ રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં આગળ વધીને ભાગ લીધો છે.

વિશેષકરીને ધર્મની દિવાલને ધ્યાને લીધા વિના દૂરના ગામોમાંથી ખૂબ દાન એકત્રિત થયું છે. તેમણે કહ્યું હતું કે, શનિવારે દાનની રકમનો આંક 2100 કરોડ રૂપિયાને પાર કરી ગયો હતો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અંદાજ લગાડવામાં આવ્યો હતો કે મંદિર બનાવવામાં 300-400 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે અને પુરૂ મંદિર બનાવવા પાછળ 1100 કરોડ રૂપિયનો ખર્ચ થશે.’

February 26, 2021
asamnagav.png
1min479
Amit Shah reached Mrityunjaya temple

આસામના નાગાવમાં વિશ્વનું સૌથી ઊંચું ૧૨૬ ફુટનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ જ્યાં બનાવવામાં આવ્યું છે એ મહામૃત્યુંજય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા અને યજ્ઞનું આયોજન છેલ્લા ચાર દિવસથી ચાલી રહ્યું છે. તા.25મી ફેબ્રુઆરીએ યોજાયેલી પૂજામાં દેશના ગૃહપ્રધાન અમિત શાહે હાજરી આપી હતી. તા.26મી ફેબ્રુઆરી 2021થી આ મંદિર સામાન્ય જનતાનાં દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

height of Shivling is 126 feet
February 23, 2021
somnath_temple-1280x720.jpg
1min1108
Get Somnath temple prasad at home now | Rajkot News - Times of India

જગવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ દેશના છેવાડાના વિસ્તારમાં રહેતા ભકતો ઘરબેઠા મેળવી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ અને પોસ્ટ વિભાગ સાથે મળીને વધુ એક સેવાનું આયોજન કર્યુ છે. આ સેવા થકી દેશભરમાં કાર્યરત દોઢ લાખ પોસ્ટ  ઓફિસમાંથી રૂ.251 નો મની ઓર્ડર કરવાથી સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘરબેઠા મેળવી શકશે. આ સેવાનું આજ ઇ-લોકાર્પણ કરવામાં આવેલ હતુ.

જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાદેવના ભકતો ઘરબેઠા ભક્તિ કરી શકે તે માટે અનેક નવી સેવાઓ અમલી બનાવી છે. હવે સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતો ઘરબેઠા સોમનાથની પ્રસાદી મેળવી શકે તે સેવાનું આજે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી અને પોસ્ટ વિભાગના રાકેશકુમારએ ઇ લોકાર્પણ કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્રના પોસ્ટ વિભાગના અધિકારીઓ હાજર રહેલ હતા. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી દેશના છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સુધી લોકો સોમનાથ મહાદેવનો પ્રસાદ ઘેર બેઠા મેળવી શકે તેવી વ્યવસ્થા પોસ્ટ  વિભાગને સાથે રાખી કરવામાં આવી છે.

સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયાસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મહાદેવમાં આસ્થા ધરાવતા ભકતોને ઘરબેઠા પ્રસાદી મળી રહે તે માટે પોસ્ટ  વિભાગ સાથે નવી સેવાનું આયોજન કરાયુ છે. જેમાં દેશભરમાં દોઢ લાખ પોસ્ટ કચેરીઓ કાર્યરત છે. દેશના કોઇપણ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મહાદેવના ભકત પોસ્ટ કચેરી મારફત રૂ.251 નો મનીઓર્ડર કરશે એટલે ત્રણથી ચાર દિવસમાં તે ભાવિકના ઘરે સોમનાથ મહાદેવની પ્રસાદીનું બોકસ પોસ્ટ વિભાગ મારફત પહોંચી જશે. પ્રસાદી બોકસમાં લાડુ અને ચિક્કીનો 400 ગ્રામનો પ્રસાદ રહેશે. હાલ આ સેવા દેશ પુરતી મર્યાદીત છે પરંતુ આગામી સમયમાં વિદેશમાં વસતા શિવ ભકતો ઘેરબેઠા પ્રસાદી મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાનું વિચાણા હેઠળ છે.

February 17, 2021
jalarambapa.jpg
1min363

વિશ્ર્વ વિખ્યાત વીરપુરમાં જલારામબાપાએ ગુરુ ભોજલરામબાપાના આશીર્વાદથી સદાવ્રત ચાલુ કર્યું હતું. જેમના ૨૦૧ વર્ષ પૂર્ણ થયાં છે. જ્યારે જલારામબાપાની જગ્યાના પૂજ્ય જયસુખરામબાપા દ્વારા મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને એકવીસ તેમજ પૂજ્ય જલારામબાપા દ્વારા સદાવ્રત શરૂ કર્યાને ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે.

શનિવાર અને મહા સુદ બીજનો સુવર્ણ દિવસ વીરપુર જલારામબાપાની જગ્યાના જયસુખરામબાપા દ્વારા એક અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો હતો કે મંદિર દ્વારા એક પણ રૂપિયાનું દાન કે ભેટ સોગાદ સ્વીકારવામાં નહિ આવે. આ ૨૧ વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓએ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રસાદીનો લાભ લીધો હશે. પૂજ્ય બાપાની જગ્યામાં દાન સ્વીકારવાનું બંધ કરવાથી બાપાના દુનિયાભરમાં ફેલાયેલા અસંખ્ય ભક્તોએ પોતપોતાના સ્થળોએ બાપાની યાદમાં અન્નક્ષેત્રોની સફળતાપૂર્વક સ્થાપના કરી અને બાપાના પ્રિય કાર્યને આગળ વધાર્યું છે. સાથે આજે પૂજ્ય જલારામ બાપાએ શરૂ કરેલા સદાવ્રતને પણ ૨૦૧ વર્ષ પૂર્ણ થયા છે. ગત વર્ષે સદાવ્રતની બસો વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. લૉકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિર આશ્રિત ભિક્ષુકો, દિવ્યાંગો તેમજ પરપ્રાંતીય મજૂરો માટે તો અન્નક્ષેત્ર ચાલુ જ રાખવામાં આવ્યું હતું. પરંતુ તે પાંચેક હજાર લોકોને મંદિર ખાતે નહીં પરંતુ તેઓ જ્યાં વસવાટ કરતા હોય ત્યાં જઈને ભોજન આપવામા આવ્યું હતું.

January 27, 2021
paus_purnima.jpg
1min543

28 જાન્યુઆરીના રોજ ગુરુવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ આવે છે. ગુરુ પુષ્ય સંયોગમાં કરવામાં આવતાં કાર્યોમાં સફળતા મળે છે. આ દિવસે કોઇપણ શુભ કામ શરૂ કરી શકાય છે. ગુરુ પુષ્ય યોગમાં કોઇપણ બિઝનેસ ડીલ કરવી ફાયદાકારક રહે છે.

જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ યોગમાં શનિ અને ગુરુ બંનેનો શુભ પ્રભાવ હોય છે એટલે લાંબા સમય સુધી ફાયદો આપનાર કામ આ યોગમાં શરૂ કરવું જોઇએ. પ્રોપર્ટીને લગતાં કાર્યો અને રૂપિયાના રોકાણ માટે પણ આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પુનમના દિવસે પૂર્ણિમા તિથિના સ્વામી અને કર્ક રાશિના અધિષ્ઠાતા ચંદ્ર દેવતાનું પૂજન અર્ચન અને ધ્યાન વિશેષ માનસિક શાંતિમાં વધારો કરનારું રહેશે. ગુરૂવાર જે વિષ્ણુ ભગવાનની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને સાથે પુષ્ય નક્ષત્ર સ્વામી શનિ દેવતા છે. તેમજ આ દિવસે શાકંભરી નવરાત્રી સમાપ્ત થાય છે. અંબાજી પ્રાગટ્ય ઉત્સવ માઘ સ્નાન આરંભ અને ગોચરમાં વેપાર-વ્યવસાય બુદ્ધિ લેખન વાચનના કારક ગ્રહ બુધનું કુંભ રાશિમાં ભ્રમણ દરમિયાન જ્યારે વક્રી થવા જઈ રહ્યા છે ત્યારે તેની અશુભ અસર ઓછી કરવા માટે બુધ ગ્રહ દેવતાના મંત્ર જાપ અને તેને લગતી વસ્તુઓનું દાન પણ ઉત્તમ રહેશે. શ્રી વિષ્ણુની ઉપાસના વિષ્ણુ સહસ્ત્ર નામાવલી સ્તોત્રના પાઠ સત્યનારાયણ ભગવાનની કથા, શ્રી સુક્ત, પુરુષ સૂક્તના પાઠ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત દુર્ગા સપ્તશતીના પાઠ અને માતા અંબાજીની ઊપાસના કરવા માટે અને ખરીદી કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ રહેશે. લીલોતરી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી શાકંભરી હોવાથી તેમની ઉપાસના અને દર્શનથી પ્રસન્નતામાં વધારો થશે.

આ દિવસે શક્ય હોય તેટલા ચંદ્રગ્રહના જપ, મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી તેમ જ ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ વિશેષ હિતકારી બની રહેશે. હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રોનું દાન તેમ જ ઔષધીઓનું દાન ખૂબ જ ફળદાયી નીવડશે. પૂનમે માતાજીની ઉપાસના કરવાથી જીવનમાં વિશેષ ફળપ્રાપ્તિ થાય છે. તેમ જ દિવસ દરમિયાન એક વાર માતાજીના દર્શન કરવા જોઈએ.

January 13, 2021
Ram-Mandir2.jpg
1min612

દાન આપીને તરત જ પાવતી માગજો : શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ

અયોધ્યામાં નિર્માણાધિન રામમંદિર ભવ્યાતિભવ્ય બને અને જે રીતે ખ્રિસ્તી સમાજ માટે વેટીકન, મુસ્લિમ સમાજ માટે મક્કા ધાર્મિક સ્થળ છે એ જ રીતે વિશ્વભરમાં પથરાયેલા હિન્દુઓ માટે અયોધ્યા રામ મંદિર આસ્થાનું પ્રતિક બને એ હેતુથી આગામી 15 જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી 2021 સુધી સુરત શહેરમાંથી દાન ઉઘરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દરેક હિન્દુ પોતાના ઘરેથી 10 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા કે પોતાની ક્ષમતા અનુસાર જે રાશિ રામ મંદિર નિર્માણ કાજે દાન આપે તેવી અપીલ કરવામાં આવી છે.

શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિએ કહ્યું કોઇને પણ દાન ઉઘરાવવાનું કામ કે સત્તા આપી નથી

રામ મંદિર નિર્માણ માટે દાન ઉઘરાવવાનું ભગીરથ કાર્ય પૂર્ણ થાય એ માટે શ્રી રામ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ, સુરતમાં વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના સમાજના મોભીઓ સાથે મિટિંગો કરી રહ્યા છે. મિટિંગમાં સમાજના મોભેદારો માંથી કોઈ પાછળ રહેવા માંગતું નથી. શતાબ્દીઓ ના સંઘર્ષ બાદ બની રહેલ આ ભવ્ય મંદિર નિર્માણમાં દરેક હોદ્દેદારો પોતાના મોટા સમર્પણ દ્વારા અગ્રેસર રહેવા ઇચ્છુક છે.

સુરતમાં ડાયમંડ, ટેક્સટાઇલ્સ, બિલ્ડર જેવી વિવિધ ઉદ્યોગ જગતમાં નિધિ સંગ્રહના પ્રયાસો ક્રિયાન્વિત થઈ ગયા છે. સમગ્ર સુરત મંદિર નિર્માણમાં સહભાગી થવા હિલોળે ચડ્યું છે. સુરતના તમામ હોસ્પિટલ, ફેક્ટરીઓ અને મોટા ઉદ્યોગકારોના શ્રમિક સમૂહને પોતાનો એક દિવસનો પગાર શ્રી રામ મંદિરના નિર્માણ માં પોતાના સમર્પણ ના રૂપમાં આપવા માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સમિતિ આહવાન કરે છે

સમિતિના અગ્રણીઓએ વિશ્વના સૌથી મોટા નિધિ સંગ્રહ અભિયાનમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે સુરતના રામપ્રિય હિન્દુ સમાજને રાશિ આપતી વખતે પાવતી / કુપનો માગવાનો આગ્રહ રાખવા જણાવે છે.

આ પ્રેસ વાર્તામાં સુરત સમિતિના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ, ડાયમંડ એસોસીએસનના માજી પ્રમુખ શ્રી બાબુભાઇ ગુજરાતી , આર.એસ.એસ. સુરતના મંત્રી કેતનભાઈ લાપસીવાલા, વી.હી.પરિષદ સુરત મહાનગર ઉપાધ્યક્ષ અને અભિયાન સમિતિ ના સદસ્ય વિક્રમસિંહજી શેખાવત ઉપસ્થિત રહ્યા હતા.

December 11, 2020
jalarambapa.jpg
1min493

વીરપુરનું જલારામ મંદિર ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મંદિરમાં બાપાના દર્શન કરવા માટે આવતા ભક્તોએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. દરેક દર્શનાર્થીઓને સ્ક્રીનિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ દરેક ભક્તોએ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

સંત જલારામબાપાના દર્શન માટે વીરપુર ગ્રામજનોની લાગણીઓને ધ્યાનમાં લઈને જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના આદેશ અનુસાર આજે ગુરૂવારથી મંગલ મંદિરનાં દ્વાર ખુલ્યાં છે. સરકારની ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અને સેનિટાઈઝેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલયથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસે જલારામબાપાના મંદિરમાં શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી હતી. દર્શન માટે શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન કરાવેલ શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવશે. મંદિરની અંદર ૬૦ વર્ષથી ઉપરના અને ૧૦ વર્ષથી નાના બાળકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. શ્રદ્ધાળુઓએ મંદિરની બહાર જ પોતાનો મોબાઈલ, પર્સ, બૂટ-ચપ્પલ સહિતની વસ્તુઓ રાખવાની રહેશે.

November 24, 2020
tulsi-vivah.jpeg
1min629

દેવઉઠી અગિયારસ એટલે કે આવતીકાલ બુધવારે શેરડીનો મંડપ સજાવીને તેમાં ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરી પૂજન કરવામાં આવશે. એકાદશીએ લગ્ન સહિત બધા માંગલિક કાર્યોની પણ શરૂઆત થઇ જશે.

हिन्दी पंचांग के अनुसार, कार्तिक मास के शुक्ल पक्ष की एकादशी तिथि को देवउठनी एकादशी होती है। इस साल कल 25 नवंबर को देवउठनी एकादशी व्रत रखा जाएगा इस दिन से भगवान विष्णु योग निद्रा से बाहर आते हैं और सृष्टि के पालनहार का दायित्व संभालते हैं। इस दिन भगवान विष्णु का शयनकाल समाप्त होता है। इस दिन व्रत का विशेष महत्व है।

આવતીકાલ તા.25મી નવેમ્બર 2020ને બુધવારે હિન્દુ પંચાંગ પ્રમાણે દેવઉઠી અગિયારસનો દિવસ આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણું નિંદરમાંથી ઉઠે છે અને આ જ દિવસે હિન્દુ સંસ્કૃતિમાં તુલસી વિવાહનો પણ ખૂબ મહિમા છે.

દેવ પ્રબોધિની એકાદશીએ તુલસી વિવાહ સાથે અક્ષય પુણ્ય મળે છે અને દરેક પ્રકારના પાપ દૂર થાય છે. દેવઉઠી અગિયારસ પર્વમાં વૈષ્ણવ મંદિરોમાં તુલસી-શાલિગ્રામ લગ્ન કરાવવામાં આવે છે. ધર્મગ્રંથોના જાણકાર પ્રમાણે આ પરંપરાથી સુખ અને સમૃદ્ધિ વધે છે.

જે ઘરમાં કન્યા ન હોય અને તેઓ કન્યાદાનનું પુણ્ય મેળવવા માંગતાં હોય તો તેઓ તુલસી વિવાદ કરીને પ્રાપ્ત કરી શકે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે સવારે તુલસીના દર્શન કરવાથી અક્ષય પુણ્ય ફળ મળે છે. સાથે જ, આ દિવસે સૂર્યાસ્ત પહેલાં તુલસીનો છોડ દાન કરવાથી પણ મહા પુણ્ય મળે છે.