CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 10 of 34 - CIA Live

September 21, 2021
prayagraj-news-narendra-giri.jpeg
1min475

પ્રયાગરાજ સ્થિત ગેસ્ટ હાઉસમાંથી અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો છે.

પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં તેઓએ કેટલાંક આરોપો પણ લગાવ્યા છે. જો કે, હજુ સુધી પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી.

થોડા સમય પહેલાં મહંત નરેન્દ્ર ગિરિનો તેમના શિષ્ય આનંદ ગિરિ સાથે વિવાદ થયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. પણ મોત પાછળનું સાચુ કારણ શું છે એ જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બાદ ફોરેન્સિક અને સ્પેશિયલ ટીમ પણ પહોંચી હતી. તેઓ વિવિધ પુરાવા એકત્ર કરી રહ્યા છે. પ્રયાગરાજ રેન્જ આઈજી કે.પી, સિંહે જણાવ્યું કે, સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે મહંતનું મોત થઈ ચૂક્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યા લાગી રહી છે. મહંત પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. સુસાઈડ નોટમાં તેઓએ કેટલાંક ખુલાસા કર્યા છે.

નરેન્દ્ર ગિરિના નિધન પર પીએમ મોદી અને સીએમ યોગી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે સમર્પિત રહેતા તેઓએ સંત સમાજની અનેક ધારાઓને એક સાથે જોડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રભુ તેમના શ્રી ચરણોમાં તેમને સ્થાન આપે. ઓમ શાંતિ. તો સીએમ યોગીએ લખ્યું કે, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિજીના નિધનથી આધ્યાત્મિક જગતમાં મોટી ખોટ પડશે. પ્રભુ રામને પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા શોકાતુર અનુયાયીઓને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

September 16, 2021
amba.jpeg
1min450

પવિત્ર ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે.

File Photo

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ કરાયો છે તેમજ તારીખ 13 સપ્ટેમ્બરથી લઇને તારીખ 25 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પગપાળા સંઘોને પણ મંજૂરી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જેઓને બાધા કે માન્યતા હોય તેમના પૂરતી જ મર્યાદિત સંખ્યામાં વ્યક્તિઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ અને સંઘને મંજૂરી આપવામાં આવી નથી. તેમજ માત્ર બાધા, આખડી, માન્યતા હોય તેઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.

અહીં નોંધનીય છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર ના આવે તેની અગમચેતીના પગલે આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. પવિત્ર ધામ અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામતી હોવાથી મંદિર બંધ રાખવા અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પગપાળા સંઘોને પણ મંજૂરી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પવિત્ર ધામ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો છેલ્લી ઘડીએ ગૃહવિભાગે રદ કરી દીધો છે.

September 10, 2021
lalbaug_2021.jpg
1min346

સમગ્ર ભારતમાં આજે ગણેશ ચતુર્થીનું પર્વ હર્ષોલ્લાસભેર ઉજવાય રહ્યુ છે. પશ્ચિમ ભારતમાં ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના શહેરોમાં ગણેશજીની હજારો પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે.

મુંબઇના વિશ્વ પ્રસિદ્ધ લાલબાગ ચા રાજા પંડાલમાં બિરાજમાન થયા શ્રી ગણપતિ બાપ્પા

ભારતમાં શાનદાર રીતે ગણેશોત્સવની દસ દિવસીય ઉજવણી શરૂ

આ વર્ષે ગણેશ ચતુર્થીનો દિવસ ઠપ્પ પડી ગયેલા વેપાર ઉદ્યોગ માટે નવા સમૃદ્ધિના દિવસો લાવશે. વિઘ્નહર્તા આવીને તમામ વિઘ્ન દૂર કરશે. વર્ષો પછી બાપ્પાની કૃપાથી અદભૂત યોગ બની રહ્યો છે.

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને શાસ્ત્રોમાં ગણેશ ચતુર્થી પણ કહેવામાં આવે છે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી પાર્વતીએ વિશ્વમાં શુભતા લાવવા માટે ભાદરવા શુક્લ ચતુર્થી તિથિએ ભગવાન ગણેશને પોતાના શરીરના મેલમાંથી જન્મ આપ્યો હતો. તેથી જ ભગવાન ગણેશનો જન્મદિવસ દર વર્ષે ભાદરવા શુક્લ ચતુર્થી પર ઉજવવામાં આવે છે. વર્ષ 2021માં ગણેશ ચતુર્થી 10 સપ્ટેમ્બરે આજે સમગ્ર ભારત વર્ષમાં હર્ષોલ્લાસભેર ઉજવાય રહી છે. આ પ્રસંગે વિઘ્નહર્તા ગણેશ પોતાની સાથે ઘણા શુભ સંયોગો પણ લાવી રહ્યા છે. આવા શુભ સંયોગમાં ગણપતિની પૂજા કરવી તમામ ભક્તો માટે ખૂબ જ શુભ રહેશે. ચાલો આપણે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી જાણીએ કે શા માટે ગણેશ ચતુર્થી હવે ખૂબ જ ખાસ છે અને આ દિવસે કયા શુભ સંયોગો કરવામાં આવે છે.

જે શુક્રવાર, 10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસથી દસ દિવસના ગણેશ ઉત્સવની શરુઆત થાય છે. આ વખતે ગણેશ ચતુર્થી ચિત્રા નક્ષત્રમાં આવી રહી છે. આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં શુક્ર સાથે રહેશે. સૂર્ય પોતાની રાશિ સિંહમાં, બુધ પોતાની રાશિ કન્યામાં, શનિ પોતાની રાશિ મકરમાં અને શુક્ર પોતાની રાશિ તુલામાં રહેશે. આ ચાર ગ્રહ પોત-પોતાની રાશિમાં રહેશે. ગુરુ કુંભ રાશિમાં રહેશે. આ રાશિમાં બે મોટા ગ્રહ ગુરુ અને શનિ વક્રી છે. આ પહેલા 59 વર્ષ પૂર્વે 3 સપ્ટેમ્બર 1962ના રોજ ગણેશ ચતુર્થી ચિત્રા નક્ષત્રમાં શરૂ થઈ હતી. તે સમયે પણ ચંદ્ર શુક્ર સાથે તુલા રાશિમાં હતો. સૂર્ય, બુધ, શુક્ર અને શનિ આ ચારેય ગ્રહ પોત-પોતાની રાશિમાં સ્થિત હતાં. આ વર્ષે પણ તે જ ગ્રહ યોગ હોવાથી બધી રાશિઓ માટે સમય અનુકૂળ રહેશે.

August 20, 2021
somnath.jpg
1min327

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.20 ઓગસ્ટ 2021ના રોજ અંદાજે રૂ.83 કરોડના ખર્ચે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરના 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મંદિરના અધિકારીઓએ આ માહિતી આપી. 

વડાપ્રધાન મોદી ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં આવેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે લહેરીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદી ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને ડિજિટલ માધ્યમથી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરશે. તેના નિર્માણમાં 30 કરોડનો ખર્ચ થશે. આ મંદિર સોમનાથ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.

તેમણે  કહ્યું હતું કે આ કાર્યક્રમ 20 ઓગસ્ટના રોજ મંદિર પરિસરના રામ મંદિર ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન મોદી ચાર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

અમિત શાહ પણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ પ્રસંગ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઓડિટોરિયમમાં હાજર રહેશે.

પ્રધાનમંત્રી જે ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તેમાં 49 કરોડના રોકાણ સાથે બાંધવામાં આવેલા –

  • એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન વોક પાથ,
  • 75 લાખ રૂપિયામાં બનાવેલ મ્યુઝિયમ અને
  • અહિલ્યાબાઈ હોલકર મંદિરના જીર્ણોદ્ધારનો સમાવેશ થાય છે.

અહિલ્યાબાઈ હોલકર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને મુખ્ય મંદિરની સામેની બાજુએ આવેલું છે. તેના નવીનીકરણ પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

July 8, 2021
rath2.jpg
1min375

અમદાવાદની 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સરકારે લીલીઝંડી આપી દીધી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠક તેની જાહેરાત કરવામાં આવી હતી. આમ રથયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાશે.

કેબિનેટની બેઠકમાં રથયાત્રાને કોરોના ગાઇડલાઇન અને અમુક શરતોને આધિન મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. બેઠકમાં એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે રથયાત્રાને લઈને ગૃહવિભાગ અને મંદિર ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે રથયાત્રાનો પ્લાન બનાવશે.

અમદાવાદ શહેરના જમાલપુર સ્થિત આવેલા જગદીશ મંદિરેથી અષાઢી બીજના રોજ નીકળતી રથયાત્રા 12 જુલાઈએ નીકળશે. મંદિરનાં સૂત્રોએ જણાવ્યું હતું કે રથયાત્રાના પ્રારંભ પહેલા વિધિ કરવામાં આવે છે. જેમાં પ્રથમ રથ આગળની ધૂળ કે માટી સોનાના તારવાળી સાવરણીથી દૂર કરીને રોડ સ્વચ્છ કરવામાં આવે છે. આ વિધિ રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવે છે ત્યારે વિજય રૂપાણી આ વિધિ કરશે. આ માટે તેમણે આમંત્રણ પણ સ્વીકાર્યું છે. જો કે રથયાત્રાની લંબાઈનો નિર્ણય શહેર પોલીસ દ્વારા કરશે.

June 22, 2021
amarnath-copy.jpg
1min463

બાબા બર્ફાનીના દર્શનની ઈચ્છા રાખી અમરનાથ યાત્રા શરૂ થવાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુને હવે આગામી વર્ષ સુધી રાહ જોવી પડશે. કોરોના વાયરસને ધ્યાને લઈને જમ્મુ કાશ્મીર પ્રશાસને ચાલુ વર્ષે અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ એલાન ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કરી દીધું છે. આ સાથે બાબા બર્ફાનીના લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉપરાજ્યપાલ (એલજી) મનોજ સિન્હાએ કહ્યું હતું કે, કોરોનાને ધ્યાને લઈને ચાલુ વર્ષે અમરનાથ યાત્રા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમરનાથ યાત્રા ચાલુ વર્ષે પ્રતિકાત્મક રહેશે. તમામ પારંપરિક વિધિ પહેલાની જેમ જ પૂરી કરવામાં આવશે. ઉપરાજ્યપાલે કહ્યું હતું કે, લોકોનું જીવન બચાવવું પણ જરૂરી છે.

વધુમાં કહેવામાં આવ્યું હતું કે, અમરનાથ શ્રાઇન બોર્ડ કરોડો શ્રદ્ધાળુઓની ભાવના સમજે છે અને તેનું ધ્યાન રાખીને સવારે અને સાંજે આરતીના લાઇવ દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરરોજ બન્ને આરતીના લાઇવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે.

આ મામલે શ્રાઇન બોર્ડના સીઈઓ નીતિશ્વર કુમારે કહ્યું હતું કે, છડી મુબારક 22 ઓગસ્ટના રોજ પવિત્ર ગુફામાં પહોંચશે. આ સાથે જ રક્ષાબંધનના દિવસે અમરનાથ યાત્રાનું સમાપન થશે.

તેમણે કહ્યું હતું કે, શ્રદ્ધાળુ www.shriamarnathjishrine.com/aartilive.html,’ લિંક મારફતે અથવા

બોર્ડની મોબાઇલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરથી http://play.google.com/store/apps/details?id=com.ncog.shriamarnath શ્રદ્ધાળુઓ લિંક મારફતે ડાઉનલોડ કરી શકશે.

June 19, 2021
jagannath.jpg
1min387

૧૦૮ ને બદલે માત્ર પાંચ કળશમાં પાણી ભરાશે

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજી મંદિરની ૧૪૪મી રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે અને રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. ૧૦૮ કળશને બદલે માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન હાજર રહેશે. ૨૪મી જૂનના દિવસે જળયાત્રા યોજાશે. ૧૪૪ મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં ૫૦ થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે.

રથયાત્રા પૂર્વે જળયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સાબદું થયું છે. જળયાત્રામાં બંદોબસ્ત માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાશે. જળયાત્રાને લઈને પોલીસ મિટિંગ યોજાશે. જેમાં જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરશે. કોવિડની ગાઈડલાઇન અને જળયાત્રાની વ્યવસ્થા માટે બેઠક કરાશે.

June 11, 2021
Mata-Temples-in-Gujarat.png
1min515

કોરોનાની બીજી લહેરને પગલે રાજ્યનાં યાત્રાધામ, મોટાં મંદિરો દર્શાનાર્થીઓ માટે બંધ રખાયાં હતાં જે હવે ભક્તો માટે ખૂલશે. સોમનાથ મહાદેવ મંદિર ૬૧ દિવસ બંધ રહ્યા બાદ ૧૧મી જૂનથી ભાવિકો દર્શન કરે એ રીતે શરૂ કરવામાં આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ દ્વારકા મંદિર પણ આજે તા.૧૧મીની વહેલી સવારથી ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. બીજી તરફ અંબાજી મંદિર ૫૭ દિવસ બાદ ૧૨ જૂનથી દર્શનાર્થીઓ માટે મૂકવામાં આવ્યું છે.

માતાજીનાં દર્શન કરવા આવનારા શ્રદ્ધાળુઓને ગર્ભગૃહ સામે ઊભા રહેવા નહિ દેવાય, તેના બદલે ચાલતાં ચાલતાં જ દર્શન કરવાં પડશે.

ડાકોરનું રણછોડરાય મંદિર, ચોટીલાનું ચામંડુા માતાજીનું મંદિર અને પાવાગઢ મંદિર ૧૧મી જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

કચ્છનું માતાના મઢનું આશાપુરા માતાજીનું મંદિર ૧૧થી ભક્તોના દર્શન માટે શરૂ કરાયું છે. ભાવનગરના ખોડિયાર મંદિર ૧૧મીથી ખૂલ્યું છે તેમજ બગદાણાનું બજરંગદાસ બાપાનું મંદિર ૧૫મી પછી ખૂલશે. વડતાલનું સ્વામિનારાયણ મંદિર અને નડિયાદનું સંતરામપુર મંદિર ૧૧મીથી ભક્તો માટે શરૂ કરવામાં આવ્યું છે.

June 8, 2021
shani_jayanti.jpg
1min483

2021ના વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, ધાર્મિક રીતે પાળવાનું નથી: કોરોનામાં રાહત મળશે

સૂર્યપુત્ર શનીની જન્મજયંતિ આપણે દર વરસે વૈશાખની અમાસના દિવસે ઉજવાય છે. આ વરસે શનિ જયંતિ વૈશાખ વદ અમાસ ગુરુવાર 10મી જૂને છે. દાયકાઓ બાદ આ વરસે આ દિવસે સૂર્યગ્રહણ હોવાથી સૂર્યગ્રહણ અને શનીજયંતિનો સંયોગ ઉભો થાય છે. શની સૂર્ય પુત્ર હોવાથી પુત્રના જન્મના દિવસે જ પિતા પર ગ્રહણની કાળી છાયા આવવાથી આવનારા દિવસોમાં કુદરતી આફતો, વાવાઝોડું, પૂર પ્રકોપ, ભૂકંપ, આગ લાગવી જેવા બનાવો બનશે. રાજકારણમાં ભારે ઉથલ પાથલ, અર્થતંત્રમાં તેજી લાવનારું તેમજ કોરોના જેવી મહામારીમાં રાહત આપશે.

મૃગશીર્ષ નક્ષત્ર અને વૃષભ રાશિમાં થનારું આ ગ્રહણ ભારતમાં દેખવાનું નહીં હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું નથી તેમજ સૂતક લાગશે નહીં. ગ્રહણ એ ખગોળીય ઘટના છે.

સૂર્યગ્રહણમાં જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના રોજ અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. સૂર્યગ્રહણ ત્રણ પ્રકારના જોવા મળે છે. જેમાં પૂર્ણ સૂર્યગ્રહણ કે ખગ્રાસ સૂર્યગ્રહણ, બીજું ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને ત્રીજા પ્રકારમાં કંકણાકૃતિ સુર્યગ્રહણ ચંદ્રએ પૃથ્વી અને સૂર્ય દૂર હોવાથી તેનો પડછાયો પૃથ્વી પર પડતો નહીં હોવાથી પણ ચંદ્ર સૂર્યની અને પૃથ્વીની લાઇનમાં આવી જતા સૂર્યનો વચ્ચેનો ભાગ ઢંકાઈ જતો હોવાથી સૂર્ય કંગન અથવા કંકણાકૃતિ જેવો દેખાય છે.

ચંદ્ર કે સૂર્યગ્રહણ જાતકની જન્મરાશિથી 1લે, 4થે, આઠમે અને બારમી રાશિમાં થાય ત્યારે તે અશુભ થાય છે. આ સુર્યગ્રહણ વૃષભ, મિથુન, તુલા અને કુંભ રાશિ માટે અશુભ ફળ આપનારું રહેશે જ્યારે કર્ક, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે શુભ ફળ આપશે.

વર્ષો પછી શની પોતાની સ્વરાશિ મકર રાશિમાં ભ્રમણ કરે છે અને ઉચ્ચનો ચંદ્ર, નીચનો મંગળનો યોગ થયો છે.

શની એ કર્મ અને ન્યાયના દેવતા હોવાથી શનીની પનોતીના જાતકો ધન, મકર, કુંભ, મિથુન, તુલા, વૃષભ રાશિના જાતકોએ શનીદેવને તેલ, કાળા અડદ, શમીના પુષ્પોથી પૂજન કરી ઓમ શં શનૈશ્વરાયના મંત્રનો જાપ કરવો. શિવપૂજા અને હનુમાનજીની પૂજા કરવાથી શનીની પીડામાંથી મુક્તિ મળે છે.

Affects of Surya Grahan on Shani Jayanti 10 june 2021: Impacts on all  zodiac signs is good or bad

દાન, જપ, તપ અને સ્નાન કરવાથી અશુભ ફળમાંથી મુક્તિ મળે છે. ગ્રહણની પીડામાંથી બચવા માટે ઘઉં, ત્રાંબુ, ચોખાનું સુપાત્રને દાન કરવું. રાશિવાર ફળ જોઈએ તો,

  • મેષ રાશિના જાતકોને બીજા સ્થાનમાં થનારું ગ્રહણ અપયશ અને નુકસાન આપે.
  • વૃષભ રાશિના જાતકોને પ્રથમ સ્થાનમાં થનારું ગ્રહણ આરોગ્ય, આર્થિક ક્ષેત્રે નોકરી ધંધા માટે અશુભ રહેશે.
  • મિથુન રાશિના જાતકોને બારમાં સ્થાનમાં થનારું ગ્રહણ સંબંધો બગાડે, ખર્ચા વધે નોકરી, ધંધા આરોગ્ય સંભાળવું.
  • કર્ક રાશિના જાતકોને અગિયારમા ભાવમાં થનારું ગ્રહણ આકસ્મિક લાભ આપે, વાણી પર નિયંત્રણ રાખવું.
  • સિંહ રાશિના જાતકોને કર્મભાવમાં થનારું ગ્રહણ નોકરી ધંધામાં આકસ્મિક લાભ આપે.
  • કન્યા રાશિના જાતકોને ભાગ્ય સ્થાનમાં થનારું ગ્રહણ ભાગ્યમાં વૃદ્ધિ, ધાર્મિક યાત્રા થાય.
  • તુલા રાશિના જાતકો માટે આઠમાં મૃત્યુ સ્થાનમાં થનારું ગ્રહણ આરોગ્ય સંભાળવું. પતિ કે પત્નીની તબિયત બગડે.
  • વૃશ્ચિક રાશિના જાતકોને સાતમાં ભાવમાં થનારું ગ્રહણ આરોગ્ય સંભાળવું, સંબધો બગડે નહીં તેમજ નકારાત્મક વિચારોથી સંભાળવું.
  • ધન રાશિના જાતકોને 6ઠા સ્થાનમાં થનારું ગ્રહણ જ્ઞાન, શિક્ષણમાં સફળતા – ઉન્નતિ આપે.
  • મકર રાશિના જાતકોને પમાં સંતાન ભાવમાં થનારું ગ્રહણ પુત્ર – સંતાનની ચિંતા કરાવે. શરીર સંભાળવું. ઉતાવળા નિર્ણયો ન લેવા.
  • કુંભ રાશિના જાતકોને 4થા સ્થાનમાં થનારું ગ્રહણ હરીફોથી સાવધ રહેવું. માતાનું સ્વાસ્થ્ય બગડે. અહંકાર ગુસ્સો ન કરવો.
  • મીન રાશિના જાતકોને ત્રીજા પરાક્રમ ભાવમાં થનારું ગ્રહણ સાહસ પરાક્રમ વધે. ભાઈ ભાડુંના સંબંધો સુધરે.
June 3, 2021
spswami.jpg
1min412

ગઢડા ગોપીનાથજી મંદિરમાં સત્તા પરિવર્તન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે છેડાયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી અને પૂર્વ કોઠારી ઘનશ્યામ સ્વામીને બે વર્ષ માટે છ જિલ્લામાંથી તડીપાર કરાતા વિવાદ વધુ ગરમાયો છે. સંસ્થાના દબાણ હેઠળ તડીપારનો હુકમ કરાયો હોવાનો એસપી સ્વામીએ આક્ષેપ કર્યો છે.

ગઢડા(સ્વામિના) મુકામે સ્વામિનારાયણ ભગવાને સ્વયં સ્થાપેલી વડતાલ ગાદી નીચે આવતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિરમા દેવ પક્ષ અને આચાર્ય પક્ષનો વિવાદ ચરમસીમાએ પહોંચતા દિન પ્રતિદિન નવા ફણગાઓ અને વિવાદ આકાર લઇ રહ્યા છે.આ બાબતે છેલ્લી ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીમાં છેલ્લા 22 વર્ષ સુધી આચાર્ય પક્ષની વહિવટી બોડી સામે દેવ પક્ષની બોડીને વિજેતા જાહેર કર્યા પછીથી એકધાર્યા વિવાદથી સાચું જાણતા હરિભક્તોની લાગણી દુભાઈ રહી છે.
સમગ્ર વિવાદ જોઈએ તો આ સંપ્રદાયમાં દેવ પક્ષ અને  આચાર્ય પક્ષના વિભાજન પછી સતત વિવાદો શરૂ રહ્યા છે. આ વિભાજનનું જાણવા મળતું મુખ્ય કારણ સંપ્રદાયમાં જે તે સમયે આચાર્ય તરીકે અજેન્દ્રપ્રસાદજી દ્વારા સંપ્રદાયના અને તેમના દ્વારા દિક્ષિત જે તે સાધુઓની નીતિ રીતિઓ તથા પ્રાઈવેટ ગુરૂકુળો અને પ્રાઈવેટ સત્તા સંપત્તિ તરફની દોટ અને કેટલાક કિસ્સાઓમાં ચારિત્ર્યના સવાલો ઉપર કસેલો સિકંજો કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સંપ્રદાયમાં ચાલી રહેલી લડાઈનાં મુખ્ય સૂત્રધારોમાં ગઢડા મંદિરનાં પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામવલલભદાસજી અને એસ.પી. સ્વામી જેવા ગણ્યા ગાંઠયા સાધુઓનો સમાવેશ થાય છે. ગઢડા મંદિરમાં કરવામાં આવેલા સત્તા પલટા સહિત અનેક બાબતોમાં મક્કમ વિરોધ સાથે અસંખ્ય કોર્ટ મેટર પણ કરવામાં આવી છે.

બંને સાધુઓને 6 જિલ્લા અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર તથા રાજકોટ માટે બે વર્ષ સુધી તડીપાર કરવાનો હુકમ બજાવી તંત્રએ મોટો ખેલ પાડી દેતા ભારે ખળભળાટ મચી જવાં પામેલ છે. આ બાબતે એસ.પી. સ્વામીએ એક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે અમારા ઉપર કોઈ એવા કેસો નહી હોવાનું અને મંદિરમાં ધૂન દરમિયાન 188 જેવી સામાન્ય ફરિયાદ હોવાનું અને પોલીસના વિવાદાસ્પદ વર્તનનો વીડિયો જાહેર થયા પછી પોલીસ વિરુદ્ધ કાર્યવાહી માટે હાઈકોર્ટમાં કરેલી ફરિયાદથી અકળાયેલા અફસરો દ્વારા ફરિયાદો પાછી ખેંચવા બાબતે અને દબાણ લાવવા માટે બીજી તદન ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનું તેમજ આ મુદ્દે અમે ન્યાયતંત્રમાં અને સરકારમાં રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતુ

ગઢડા ગોપીનાથજી દેવ મંદિર પૂર્વ બોર્ડ સલાહકાર તેમજ પૂર્વ કોઠારી સામે હદપાર મામલે પોલીસ દ્વારા તડીપારની દરખાસ્તના આધારે તડીપારનો હુકમ કર્યા હોવાનું સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ તરફથી એક નિવેદન આપવામાં આવ્યું હતું. તેમજ બચાવ માટે એસ.પી. સ્વામી અને ઘનશ્યામ સ્વામીને પૂરતી તક પણ આપવામાં આવેલ હોવાનું જણાવી એસ.પી. સ્વામી અને ઘનશ્યામસ્વામી વિરુદ્ધ 307, મારામારી સહિત 6 જેટલા નોંધાયેલા ગુન્હાના આધારે પોલીસની દરખાસ્ત મુજબ કામ કર્યાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.