
આવતા મહિને ન્યૂ ઝીલૅન્ડની ટીમ સામે રમાનારી વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ અને ઈંગ્લૅન્ડ વિરુદ્ધની પાંચ ટૅસ્ટ મૅચની શ્રેણી માટે શુક્રવારે જાહેર કરવામાં આવેલી ૨૦ સભ્યની ભારતીય ક્રિકેટ ટીમમાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, બૅટ્સમેન હનુમા વિહારી અને બૉલર મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પસંદગીકારોએ સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે અભિમન્યુ ઈશ્ર્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન અને અરઝાન નાગવાસવાલાનો ટીમમાં સમાવેશ કયો હોવાનું બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ઍપેન્ડિક્સનાં નિદાન બાદ સર્જરી કરાવનાર કે. એલ. રાહુલ તેમ જ તાજેતરમાં જ રદ કરવામાં આવેલી આઈપીએલ દરમિયાન કોરોના પૉઝિટિવ થયેલા વૃદ્ધિમાન સહાનો પણ (ફિટનેસ ક્લિયન્રને આધારે) ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ આ વરસે ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન જાડેજા અને વિહારી બંને ઈજા પામ્યા હતા.
આઉટ ઑફ ફૉર્મ કુલદીપ યાદવ અને ફાસ્ટબૉલર નવદીપ સાઈનીને સંભવિત આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં ઈંગ્લૅન્ડ માટે રવાના થનારી ટીમમાં સ્થાન આપવામાં નથી આવ્યું.
ન્યૂ ઝીલૅન્ડ સામેની વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ સધમ્પટન ખાતે ૧૮ જૂનથી તો ઈંગ્લૅન્ડ સામેની ટૅસ્ટ ૪ ઑગસ્ટથી શરૂ થશે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, શુભમ ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્ર્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ કૅપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ શિરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કે. એલ. રાહુલ (ફિટનેસ ક્લિયન્રને આધારે), વૃદ્ધિમાન સહા (વિકેટકીપર-ફિટનેસ ક્લિયન્રને આધારે).
સ્ટેન્ડ બાય પ્લેયર્સ: અભિમન્યુ ઈશ્ર્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન અને અરઝાન નાગવાસવાલા.











