CIA ALERT

રમત જગત Archives - Page 19 of 43 - CIA Live

May 8, 2021
WTC.jpg
1min383
No Hardik Pandya, Kuldeep Yadav in India's squad of 20 for WTC final and  England Tests

આવતા મહિને ન્યૂ ઝીલૅન્ડની ટીમ સામે રમાનારી વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ અને ઈંગ્લૅન્ડ વિરુદ્ધની પાંચ ટૅસ્ટ મૅચની શ્રેણી માટે શુક્રવારે જાહેર કરવામાં આવેલી ૨૦ સભ્યની ભારતીય ક્રિકેટ ટીમમાં ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, બૅટ્સમેન હનુમા વિહારી અને બૉલર મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પસંદગીકારોએ સ્ટેન્ડ બાય ખેલાડી તરીકે અભિમન્યુ ઈશ્ર્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન અને અરઝાન નાગવાસવાલાનો ટીમમાં સમાવેશ કયો હોવાનું બીસીસીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

ઍપેન્ડિક્સનાં નિદાન બાદ સર્જરી કરાવનાર કે. એલ. રાહુલ તેમ જ તાજેતરમાં જ રદ કરવામાં આવેલી આઈપીએલ દરમિયાન કોરોના પૉઝિટિવ થયેલા વૃદ્ધિમાન સહાનો પણ (ફિટનેસ ક્લિયન્રને આધારે) ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ આ વરસે ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી દરમિયાન જાડેજા અને વિહારી બંને ઈજા પામ્યા હતા.

આઉટ ઑફ ફૉર્મ કુલદીપ યાદવ અને ફાસ્ટબૉલર નવદીપ સાઈનીને સંભવિત આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં ઈંગ્લૅન્ડ માટે રવાના થનારી ટીમમાં સ્થાન આપવામાં નથી આવ્યું.

ન્યૂ ઝીલૅન્ડ સામેની વર્લ્ડ ટૅસ્ટ ચૅમ્પિયનશિપની ફાઈનલ સધમ્પટન ખાતે ૧૮ જૂનથી તો ઈંગ્લૅન્ડ સામેની ટૅસ્ટ ૪ ઑગસ્ટથી શરૂ થશે.

ભારતીય ટીમ: વિરાટ કોહલી (કૅપ્ટન), રોહિત શર્મા, શુભમ ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્ર્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઈસ કૅપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, ઈશાન્ત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ શિરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કે. એલ. રાહુલ (ફિટનેસ ક્લિયન્રને આધારે), વૃદ્ધિમાન સહા (વિકેટકીપર-ફિટનેસ ક્લિયન્રને આધારે).

સ્ટેન્ડ બાય પ્લેયર્સ: અભિમન્યુ ઈશ્ર્વરન, પ્રસિદ્ધ ક્રિષ્ના, અવેશ ખાન અને અરઝાન નાગવાસવાલા.

May 5, 2021
t20_worldcup.jpg
1min339

આ વર્ષે ભારતમાં રમાનાર ટી-20 વિશ્વ કપ યૂએઇમાં આયોજિત થઇ શકે છે. કારણ કે બીસીસીઆઇને લાગી રહ્યંy છે કે હાલની સ્થિતિમાં કોઇપણ ટીમ ભારતનો પ્રવાસ કરવા અસહજ મહેસૂસ કરી રહી છે. આ અંગનો આખરી નિર્ણય એક મહિનાની અંદર લેવામાં આવશે. સુરક્ષિત બાયો બબલ છતાં આઇપીએલ દરમિયાન કોરોના પોઝિટિવના મામલા સામે આવ્યા છે અને ટૂર્નામેન્ટ સસ્પેન્ડ થઈ ચૂકી છે. આથી ઓકટોબર-નવેમ્બરમાં 16 ટીમ વચ્ચેની ટી-20 ટૂર્નામેન્ટ (િવશ્વ કપ)ના આયોજન માટે હિચકિચાટ અનુભવી રહી છે.

રિપોર્ટ અનુસાર બીસીસીઆઇના અધિકારીની હાલમાં જ કેન્દ્ર સરકારના ટોચના પદાધિકારીઓ સાથે આ બારામાં ચર્ચા થઇ છે અને યૂએઇમાં આયોજિત કરવા પર લગભગ સહમિત બની ગઇ છે. અગાઉ બીસીસીઆઇએ ટી-20 વર્લ્ડ કપ ભારતમાં નવ સ્થળે રમાશે તેવો કાર્યક્રમ જાહેર કર્યોં હતો.

સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ નવેમ્બરમાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપી છે. આથી આ વખતે બીસીસીઆઇ કોઇ જોખમ લેવા માંગતું નથી. જેથી વિશ્વ કપ ભારત બહાર લગભગ રમાશે તે નક્કી છે. આ ઉપરાંત આવતા 6 મહિના સુધી કોઇ ટીમ ભારત પ્રવાસ ખેડવોનો નિર્ણય પણ લેશે નહીં.

May 4, 2021
ipl_suspended.jpg
1min376

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આજરોજ તા.4 મે 2021ના રોજ ઇન્ડીયન પ્રીમીયર લીગ ક્રિકેટ ચેમ્પિયનશીપ, IPL-2021ને અધવચ્ચે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસો અને કેટલાક ખેલાડીઓને પણ તેનો ચેપ લાગી જતાં આઈપીએલની આ સીઝનને સસ્પેન્ડ કરી દેવાનું નક્કી કરાયું છે.

સોમવારે અમદાવાદમાં રમાનારી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ કોરોનાને કારણે જ કેન્સલ કરી દેવામાં આવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી વરુણ ચક્રવર્તી અને બોલર સંદીપ વારિયરને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યોના જણાવ્યા અનુસાર, મંગળવારે અમિત મિશ્રા અને ઋદ્ધિમાન સાહાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો હતો. બીસીસીઆઈના અનેક અધિકારીઓ અને ફ્રેન્ચાઈઝીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

ચેન્નૈ સુપર કિંગ્સના બે સભ્યો બોલિંગ કોચ એલ. બાલાજી અને બસ ક્લીનરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સીઈઓ કાશી વિશ્વનાથનનો બીજો રિપોર્ટ સોમવારે સાંજે નેગેટિવ આવ્યો હતો. જોકે, બાલાજી અને બસ ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અનેક ઓસ્ટ્રેલિયન ખેલાડી કોરોનાના વધતા કેસને કારણે જ પોતાના દેશમાં પરત ફરી ચૂક્યા છે. જેમાં એડમ જંપા, એન્ડ્રયુ ટાય અને કેન રિચર્ડસન સામેલ હતા.

રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન લિયામ લિવિંગ્સ્ટોને પણ બાયો બબલથી કંટાળીને ઈંગ્લેન્ડ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન દિલ્લી કેપિટલ્સના સ્પીનર રવિચંદ્રન અશ્વિને પણ 25 એપ્રિલે આઈપીએલમાંથી બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આઈપીએલની સીઝન દુબઈમાં રમાઈ હતી. આ વખતે તો દેશમાં સ્થિતિ 2020થી પણ ખરાબ હોવા છતાં અનેક વિરોધ વચ્ચે પણ મુંબઈમાં 2021ની સીઝનની શરુઆત કરવામાં આવી હતી, જ્યારે કેટલીક મેચ અમદાવાદમાં રમાવાની હતી. તમામ ટીમો અમદાવાદ પહોંચી તેના થોડા જ સમયમાં બાયોબબલ હોવા છતાંય તેમની અંદર કોરોનાના કેસ આવવાનું શરુ થયું હતું. જેના કારણે આઈપીએલ પર ફરી એકવાર સવાલ ઉઠ્યા હતા.

April 30, 2021
indiavseng.jpg
1min926

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સટોડિયાને આઇબી કર્મીએ સરકારી ગાડીમાં બેસાડીને સ્ટેડિયમમાં ઘુસાડ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈવ ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા હતા. સિક્યોરિટી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હરિયાણાના બે સટોડિયાઓ મજૂર બની સ્ટેડિયમમાં ઘૂસ્યાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસને શંકા હતી કે, બંને શખસોને કોઈ સ્થાનિક લોકોએ સ્ટેડિયમમાં ઘૂસવા માટે મદદ કરી હતી ત્યારે અમદાવાદના આઇબીના પીએસઆઇ સહિત એક શખસની સંડોવણી બહાર આવી છે.

અમદાવાદ મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડની બે મેચમાં હજારોની મેદની ભેગી કરી કોરોના વધતાં બાકીની ત્રણ મેચમાં કોઈ દર્શકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ભારત ઈંગ્લેન્ડની છેલ્લી ટી-૨૦ મેચમાં જીસીએ અને પોલીસની મોટી બેદરકારી સામે આવી હતી. બે સટોડિયાઓ મજૂર બની અંદર ઘૂસ્યા હતા. પોલીસના ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત હોવા છતાં હરિયાણાના બે સટોડિયાઓ ખાનગી સપ્લાયર કંપનીના મજૂર બની અને સ્ટેડિયમમાં ઘૂસી ગયા હતા અને ટી ૨૦ મેચ પર મોબાઈલમાં સટ્ટો રમતાં હતાં. તપાસ કરતાં બંનેએ અંદર પ્રવેશ મેળવી સટ્ટો રમતાં તેમની જુગારની કલમ હેઠળ ધરપકડ કરી હતી.

આરોપીઓએ એક સપ્લાયર કંપનીના મજૂરના પાસ મેળવી તેમાં તેમના ફોટો ચોંટાડી તેઓએ પાસ મેળવ્યા હતા અને સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. જેથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને હરિયાણાના રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. બંને બેઠા હતા તે દરમ્યાનમાં એક વ્યક્તિને શંકા જતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેને પૂછતાં તેઓનું નામ પ્રિન્સ ગંભીર અને આશિષ યાદવ હોવાનું જાણવા મળ્યું. તેમની પાસેથી બે મોબાઈલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા હતા. સ્ટેડિયમમાં એક સપ્લાયરનો જે કોન્ટ્રાક્ટરના મજૂરો પાસેથી બંનેએ પાસ મેળવી લીધાં હતાં અને તેઓ પાસ લઈ મજૂર બની સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યાંથી તેઓ બેસી મેચ જોવા બેસી સટ્ટો રમતાં હતા.

બંને આરોપીઓની પૂછપરછમાં આઇબીના પીએસઆઇ અને ગોતાના વ્યક્તિની સંડોવણી બહાર આવી છે. સરકારી બોલેરામાં બેસાડી સટોડિયાઓને સ્ટેડિયમમાં પ્રવેશ અપાવ્યો હતો. પકડાયેલ આરોપી અગાઉ પણ બે વખત સ્ટેડિયમમાંથી સટ્ટો રમાડતા પકડાઈ ચૂક્યો હતો.

April 26, 2021
IPL_cia.jpg
1min380

ત્રણ મેચ બાદ હારનો ક્રમ તોડનાર પંજાબ કિંગ્સની ટીમ સોમવારે અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઇપીએલના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે જીતનો ક્રમ જાળવી રાખવાની કોશિશ કરશે. સોમવારથી હવે અમદાવાદમાં પણ આઇપીએલના મેચોનો પ્રારંભ થઇ રહ્યો છે. મોટેરા સ્ટેડિયમની પિચ બેટધરોને યારી આપશે તેવું માનવામાં આવશે. અહીં સિઝનનો આ પહેલો મુકાબલો હોવાથી બન્ને ટીમની કઠિન કસોટી થશે.

પંજાબની ટીમે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી, પણ બાદમાં તેને સતત ત્રણ હાર મળી હતી. આ પછી કેએલ રાહુલની ટીમે શુક્રવારે વર્તમાન વિજેતા મુંબઇ ઇન્ડિયન્સની ટીમને 9 વિકેટે હાર આપીને જીતની રાહ પર વાપસી કરી છે. પંજાબ હવે કેકેઆર સામે જીતના મકકમ ઇરાદે સોમવારે મેદાને પડશે. જે પાછલા ચાર મેચ સતત હારી ચૂકી છે.

પંજાબની બેટિંગ લાઇન અપ મજબૂત છે. સુકાની રાહુલ સતત શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં સામેલ છે. તેણે પાછલા મેચમાં મુંબઇ સામે અણનમ 60 રન કરીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓપનર મયંક અગ્રવાલ પણ સારા ફોર્મમાં છે. ક્રિસ ગેલે મુંબઇ વિરૂધ્ધ અણનમ 43 રન કરીને ફોર્મમાં વાપસીનો સંકેત આપી દીધો છે. જે પંજાબ માટે સારી ખબર છે. જો કે દીપક હુડ્ડા એક મેચના સારા દેખાવ બાદ તેનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો છે. યુવા સ્પિનર રવિ બિશ્નોઇ અને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી સારો દેખાવ કરી રહ્યા છે.

બીજી તરફ વિશ્વ વિજેતા ઇંગ્લેન્ડની ટીમના કપ્તાન ઇયોન મોર્ગનના સુકાનીપદ હેઠળની કેકેઆર ટીમ તેના પ્રદર્શનમાં સુધારો કરવામાં નિષ્ફળ રહી છે. તેને પાછલા મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધ 6 વિકેટે હાર સહન કરવી પડી હતી. કેકેઆરે જો હારનો ક્રમ તોડવો હશે તો તેના બેટધરોએ સારો દેખાવ કરવો પડશે. નીતિશ રાણા અને દીનેશ કાર્તિકે કેટલીક આકર્ષક ઇનિંગ રમી છે, પણ હુકમના એકકા આંદ્રે રસેલ સહિતના બીજાએ નિરાશ કર્યાં છે. યુવા અને પ્રતિભાશાળી શુભમન ગિલ પણ સંઘર્ષ કરી રહ્યો છે.તેણે પાંચ ઇનિંગમાં ફકત 80 રન કર્યાં છે. જયારે કેપ્ટન મોર્ગનના નામે પ ઇનિંગમાં માત્ર 4પ રન જ છે. બોલિંગમાં રસેલ, પ્રસિધ્ધ કૃષ્ણા અને વરૂણ ચક્રવર્તી ઠીક ઠીક પ્રદર્શન કરી રહ્યા છે.

April 18, 2021
vinesh.jpg
1min475

ઓલિમ્પિક ટિકિટ મેળવી ચૂકેલી વિનેશ ફોગાટ અને અંશુ મલિકે દમદાર પ્રદર્શન સાથે એશિયન ચેમ્પિયનશિપના ફાઇનલમાં પોતાના મુકાબલા જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ઘણા મોટા ખેલાડીઓ વિના આયોજિત આ પ્રતિયોગિતામાં વિનેશે દબદબો કાયમ રાખ્યો હતો અને 53 કિલો વર્ગમાં અંક ગુમાવ્યા વિના એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ગયા વર્ષે દિલ્હીમાં આયોજિત પ્રતિયોગિતામાં કાંસ્ય પદક જીતનારી વિનેશે ફાઇનલમાં તાઈપેની મેંગ હસિહ સામે 6-0થી બઢત મેળવી હતી. આ પ્રતિયોગિતામાં તાઇપેની મેગ સામે વિનેશની બીજી જીત છે જ્યારે અંશુએ ફાઇનલમાં બત્સેત્સેગ અલ્ટાંસેટસેગને 3-0થી પછાડીને સીનિયર વર્ગમાં વધુ એક ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં મંગોલિયન ખેલાડી પાસે અંશુના આક્રમણનો કોઈ જવાબ નહોતો. વિનેશે શરૂઆતી ચરણમાં મંગોલિયાની ખેલાડી અને તાઈપેની ખેલાડી સામે ટેકનિકલ શ્રેષ્ઠતાથી જીત મેળવી હતી જ્યારે સેમીફાઈનલમાં પ્રતિદ્વંદ્વી હુનયોન્ગ ઓહ ઈજાના કારણે રિંગમાં ઉતરી શકી નહોતી.

April 17, 2021
MI-vs-SRH.jpg
1min537

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ શનિવારે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની મજબુત ટીમ સામે રમશે. આ મેચમાં યોગ્ય ટીમ સાથે ઉતરવાનો પ્રયાસ કરશે. જેથી બે હાર બાદ જીતથી ખાતુ ખોલી શકાય. ડેવિડ વોર્નરની આગેવાનીની સનરાઈઝર્સની ટીમને ચૈન્નઈની પીચ જામી રહી નથી અને ટીમ 150ના લક્ષ્યાંકને પાર પાડવામાં પણ નાકામ રહી છે. પહેલા બે મેચમાં ટીમને લક્ષ્યનો પીછો કરવામાં પરેશાનીનો સામનો કરવો પડયો છે. તેવામાં ટીમની કમીઓ દુર કરીને ફરીથી મેદાનમાં ઉતરવાનો પ્રયાસ કરવામાં આવશે.

કેપ્ટન વોર્નરની અંતિમ ઈલેવનની પસંદગી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. જોની બેયરસ્ટો અને ઋદ્ધિમાન સહાના રૂપમાં બે વિકેટકીપરને અંતિમ ઈલેવનમાં જગ્યા આપવાનો કોઈ હેતુ પુરો થઈ રહ્યો નથી. સહા ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં લયમાં જોવા મળી રહ્યો હતો. સહા પહેલી ટૂર્નામેન્ટથી હિસ્સો છે પણ તેનો રેકોર્ડ જોવામાં આવે તો નિરંતર રન બનાવવામાં નાકામ રહ્યો છે.

ડગ આઉટમાં કેદાર જાધવ જેવા અનુભવી ખેલાડી અને પ્રિયમ ગર્ગ જઅને અભિષેક શર્માના રૂપમાં બે પ્રતિભાવાન ખેલાડીઓની હાજરીથી સહાને આ પ્રદર્શન સાથે ટીમમાં વધુ તક મળવાની શક્યતા ઓછી છે. કેદાર અને અભિષેક સાથે જો ટીમ ઉતરશે તો સ્પીન બોલિંગનો પણ વિકલ્પ મળી રહેશે. વિદેશી ખેલાડીઓમાં માત્ર વોર્નર અને રાશિદ ખાનની જ પસંદગી નક્કી છે. તેવામાં સનરાઈઝર્સને પુરી રીતે ફીટ કેન વિલિયમમ્સનની જરૂર છે. કારણ કે તે સ્પીન આક્રમણ સામે સારી બેટિંગ કરી શકે છે.

મનીષ પાંડે અને અબ્દુલ સમદે આરસીબીનીના સ્પિનર શાહબાઝ અહમદ સામે જે બેટિંગ બતાવી તેનાથી વોર્નર નિરાશ હશે. પાંડેને પણ બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી બહાર કરી દીધો છે. બીજી તરફ મુંબઈની ટીમ કોઈપણ ફેરફાર કરે તેવી શક્યતા નથી. ખાસ કરીને કોલકાતા સામે જીત મળ્યા બાદ આ શક્યતા ખુબ ઘટી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સને જો કે પોતાના બેટ્સમેન પાસેથી સારા પ્રદર્શનની આશા રહેશે કારણ કે હજી સુધી આશા પ્રમાણેનું પ્રદર્શન જોવા મળ્યું નથી.

April 14, 2021
SRH-vs-RCB.jpg
1min473

વિજય સાથે આઇપીએલની 14મી સિઝનનો પ્રારંભ કરનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઇરાદો બુધવારે રમાનાર તેના બીજા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂધ્ધ સફળતાનો આ ક્રમ જાળવી રાખવાનો રહેશે. આરસીબીએ પહેલા મેચમાં પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સને હાર આપીને તેના અભિયાનનો પ્રારંભ કર્યોં હતો. જ્યારે ડેવિડ વોર્નરના સુકાનીપદ હેઠળની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરૂધ્ધ હાર સહન કરવી પડી હતી. તેનું લક્ષ્ય પ્રથમ જીત હશે. જો કે આરસીબી સામે જીત મેળવવા માટે સનરાઇઝર્સે ચમકદાર દેખાવ કરવો પડશે.

પહેલા મેચના શાનદાર દેખાવ બાદ આરસીબીની ટીમમાં ઇન ફોર્મ ઓપનર દેવદત્ત પડીક્કલની વાપસી થશે. આથી ટીમ વધુ મજબૂત બનશે. પડીક્કલ કોરોનામુકત થયો હતો અને રમવા તૈયાર છે. પહેલા મેચમાં તે રમી શકયો ન હતો. તેણે પાછલી સિઝનમાં આરસીબી તરફથી સૌથી વધુ 473 રન બનાવ્યા હતા. આ પછી ડોમેસ્ટીક સિઝનમાં મુશ્તાક અલી ટ્રોફીમાં 218 અને વિજય હઝારે ટ્રોફીમાં 737 રન ખડકયાં હતા.

આથી કોહલી સાથે સુંદરને ઇનિંગની શરૂઆત કરી હતી. આરસીબી આવનારા મેચોમાં ઓસ્ટ્રેલિયન સ્પિનર આડમ ઝમ્પા અને મોહમ્મદ અઝહરૂદીનને ઉતારી શકે છે. આરસીબીનો બેટિંગનો દારોમદાર ફરી કપ્તાન કોહલી અને સ્ટાર ડિ’વિલિયર્સ પર હશે. કાંગારૂ ફટકાબાજ મેકસવેલ તેની ઉપયોગિતા સાબિત કરવા માંગશે. મીડિયમ પેસેર હર્ષલ પટેલે પહેલા મેચમાં 27 રનમાં પ વિકેટ લીધી હતી. તે ફરી આવું પ્રદર્શન કરવા માંગશે.

હૈદરાબાદના ઓપનર કપ્તાન ડેવિડ વોર્નર અને વિકેટકીપર રિધ્ધિમાન સાહા કેકેઆર વિરૂધ્ધ નિષ્ફળ રહ્યા હતા. બન્ને ફોર્મમાં વાપસીની કોશિશ કરશે. જોની બેયરસ્ટો લગભગ વોર્નર સાથે દાવનો પ્રારંભ કરશે. તેણે પહેલા મેચમાં અર્ધસદી કરી હતી. જ્યારે મનીષ પાંડે 44 દડામાં 61 રને નોટઆઉટ રહ્યો હતો. કેન વિલિયમ્સનનું આરસીબી સામેના મેચમાં રમવું સંભવ નથી. કારણ કે તે હજુ પૂરી રીતે ફિટ નથી. કેકેઆર સામેના મેચમાં ભુવનેશ્વર સહિતના હૈદરાબાદના મુખ્ય બોલરોએ ઘણા રનનો ખર્ચ કર્યોં હતો. તેઓ આ વખતે વિકેટ લેવા પર અને રન અટકાવવા પર ધ્યાન આપશે.કે દુનિયા ભલે કોરોના 19 વિરોધી રસીના 78 કરોડ ડોઝ આપી ચૂકી હોય પરંતુ આ મહામારીનો અંત હજુ ઘણો દૂર છે. જો કે જનઆરોગ્યલક્ષી પગલાંઓ દ્વારા તેને કાબૂ કરી શકાય છે.

ભારત સહિત દુનિયાભરમાં સંક્રમણમાં ઝડપથી થઈ રહેલા વધારા અંગે કહ્યંy કે જાહેર સ્વાસ્થ્ય ઉપાયોમાં સાતત્યની ખામીને કારણે કેસ અને મૃત્યુઆંક વધ્યો છે. ઉપરાંત દુનિયાભરમાં લોકોમાં આત્મસંતુષ્ટિ અને ભ્રમની સ્થિતી જવાબદાર છે. રસી અપાઈ રહી છે પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ કારગર ઉપાય હોવાનું તેમણે જણાવ્યું હતુ

April 13, 2021
mi_vs_kkr.jpg
1min462

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સતત આઠમી સિઝનમાં તેના પ્રારંભિક મુકાબલામાં હાર સહન કર્યાં બાદ હવે 13/4/21 મંગળવારે તેના બીજા મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે. ત્યારે વર્તમાન વિજેતા ટીમનું લક્ષ્ય જીત સાથે પોઇન્ટ ટેબલ પર ખાતું ખોલાવવાનું હશે. મુંબઇને પહેલા મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આખરી દડે હાર મળી હતી. જયારે કોલકતાએ તેના પહેલા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 10 રને હાર આપીને વિજયી પ્રારંભ કર્યોં છે.

આઇપીએલના રેકોર્ડની વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સનું પલડું હંમેશા કોલકતા નાઇટ રાઇડર્સ પર ભારે રહ્યંy છે.પાછલી પાંચ સિઝનમાં રમાયેલા 11 મુકાબલામાં મુંબઇએ 10માં જીત મેળવી છે. જયારે કેકેઆરને ફકત એક જીત જ નસીબ થઇ છે. ઓવરઓલ રેકોર્ડ જોઇએ તો બન્ને ટીમ વચ્ચે 27 મેચમાં ટકકર થઇ છે. જેમાં મુંબઇએ 21માં જીત મેળવી છે. બીજી તરફ કોકલતાને ફકત 6 મેચમાં વિજય હાથ લાગ્યો છે.

પાછલી બે સિઝનની વાત કરીએ તો કોલકતા નાઇટ રાઇડર્સ પ્લેઓફમાં પહોંચી શકી નથી. આ વખતે પ્રારંભિક મેચમાં નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કર્યું છે. જો કે પહેલા મેચમાં તેના મીડિલ ઓર્ડરમાં જોર જોવા મળ્યું ન હતું. બિગ હિટર રસેલ, કેપ્ટન મોર્ગન નિષ્ફળ રહ્યા હતા. અંતમાં અનુભવી દિનેશ કાર્તિકે 9 દડામાં 22 રન કરીને ટીમને 187 રને પહોંચાડી હતી. બોલિંગમાં કમિન્સ, રસેલ, શકીબ અને પ્રસિધ્ધ કૃષ્ણાએ સારો દેખાવ કરીને હૈદરાબાદને 177 રને અટકાવી દીધું હતું.

મુંબઇ ઇન્ડિયન્સની વાત કરીએ તો પહેલા મેચમાં આરસીબીના મીડીયમ પેસર હર્ષલ પટેલ અને આફ્રિકી સ્ટાર એબી ડિ’વિલિયર્સના શાનદાર દેખાવને લીધે આખરી દડે હાર સહન કરવી પડી હતી. ડિ’કોકની ગેરહાજરીમાં ઓપનિંગમાં ઉતરેલ ક્રિસ લિને સર્વાધિક 49 રન કર્યાં હતા. જો કે તેની ભુલને લીધે રોહિત શર્મા રનઆઉટ થયો હતો. આવતીકાલના મેચમાં ડિ’કોક વાપસી કરશે. આથી મુંબઇને કોઇ એક વિદેશી ખેલાડીને પડતો મુકવો પડશે. શાનદાર દેખાવ છતાં કદાચ લિનને બહાર બેસવાનો વારો આવી શકે છે. મુંબઇ પાસે ઇશન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, કાયરન પોલાર્ડ અને કુણાલ પંડયાના રૂપમાં મજબૂત મધ્યક્રમ છે. જે કેકેઆરની બોલિંગ લાઇનઅપ પર ભારે પડી શકે છે. બોલિંગમાં મુંબઇનો દારોમદાર ફરી એકવાર જસપ્રિત બુમરાહ અને ટ્રેંટ બોલ્ટ પર હશે. હાર્દિક હજુ બોલિંગમાં ઉપલબ્ધ નથી. આથી મુંબઇને છઠ્ઠા બોલરની ખોટ પડી રહી છે.

April 11, 2021
SRH-vs-KKR.jpg
1min396

પૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સ રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થનારા આઇપીએલ મેચમાં ટીમની અંદર યોગ્ય સંતુલન કરીને અભિયાનની સફળતાથી શરૂઆત કરવાની કોશિશ કરશે. કેકેઆરની આગેવાની આ વખતે સીમિત ઓવરોમાં સૌથી સફળ કેપ્ટનમાંથી એક ઇયોન મોર્ગન કરી રહ્યો છે. ગયા સત્રમાં દિનેશ કાર્તિકે કેપ્ટનશિપ સંભાળી હતી.

ગયા સત્રમાં કેકેઆર, સનરાઇઝર્સ અને આરસીબીના અંક સમાન હતા. કેકેઆર રન રેટમાં પાછળ રહીને સતત બીજી વખત પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નહોતી. મોર્ગન પહેલી વખત પૂર્ણકાલિન કેપ્ટનની જવાબદારી સંભાળી રહ્યો છે. તેવામાં તમામની નજર ઇંગ્લેન્ડના વિશ્વકપ વિજેતા કેપ્ટન ઉપર રહેશે. જે કેકેઆરને પ્રતિષ્ઠા પરત અપાવવા માટે પ્રતિબદ્ધ જોવા મળી રહ્યો છે.

કેકેઆર પાસે શુભમન ગીલનાં રૂપમાં શિર્ષ સ્તરમાં શાનદાર બેટ્સમેન છે જ્યારે રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા અને અનુભવી કાર્તિક રૂપે સારા ભારતીય બેટ્સમેનો છે. આ ઉપરાંત મોર્ગન પણ કોઈપણ બોલરનો સામનો કરવા સક્ષમ છે. વધુમાં હરભજન સિંહ ઉપર પણ નજર રહેશે છે પોતાના સંભવત: અંતિમ આઇપીએલમાં સારામાં સારો પ્રભાવ છોડવા માગશે.

આઇપીએલની જે ટીમોમાં નિરંતરતા રહી છે તેમાં હૈદરાબાદ પણ સામેલ છે. હૈદરાબાદ ગયા વર્ષે બીજા ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સ સામે હાર્યું હતું. તેવામાં ભુવનેશ્વર કુમારની વાપસીની હૈદરાબાદને મજબૂતી મળી છે. વધુમાં ટી નટરાજન પણ જવાબદારી સંભાળશે.

સનરાઇઝર્સ પાસે અફઘાનિસ્તાનનો રાશિદ ખાન પણ છે જ્યારે હૈદરાબાદની સાચી તાકાત ઓપનિંગ જોડી ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો છે. મધ્યક્રમમાં કેન વિલિયમસન અને મનીષ પાંડે છે જ્યારે’ સાહા પણ પોતાને સાબિત કરવા પ્રયાસ કરશે. બન્ને ટીમો વચ્ચેના મુકાબલાની વાત કરવામાં આવે તો કેકેઆરએ અત્યારસુધી 12 અને સનરાઇઝર્સે 7 મેચ જીત્યા છે.