CIA ALERT

રમત જગત Archives - Page 18 of 43 - CIA Live

June 16, 2021
WTC.jpg
1min450

ફાઇનલની ભારતીય ટીમમાં પાંચ ઝડપી બોલર ટીમમાંથી અક્ષર અને શાર્દુલ બહાર

ભારતની 1પ ખેલાડીની ટીમ:

  • રોહિત શર્મા,
  • શુભમન ગિલ,
  • ચેતેશ્વર પુજારા,
  • વિરાટ કોહલી (કેપ્ટન),
  • અંજિકયા રહાણે (વાઇસ કેપ્ટન),
  • હનુમા વિહારી,
  • ઋષભ પંત (વિકેટકીપર),
  • રિધ્ધિમાન સાહા (વિકેટકીપર),
  • રવિચંદ્રન અશ્વિન,
  • રવીન્દ્ર જાડેજા,
  • જસપ્રિત બુમરાહ,
  • ઇશાંત શર્મા,
  • મોહમ્મદ શમી,
  • ઉમેશ યાદવ અને
  • મોહમ્મદ સિરાઝ

ન્યુઝીલેન્ડ વિરૂધ્ધના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલ માટેની 1પ ખેલાડીની ભારતીય ટીમ આજે જાહેર થઇ છે. જેમાં બોલિંગ કોમ્બિનેશમાં સસ્પેન્સ જોવા મળે છે. જો કે શાર્દુલ ઠાકુર 1પ ખેલાડીની સૂચિમાંથી બહાર થઇ જતાં આખરી ઇલેવનમાં ચાર પેસરના સમાવેશની સંભાવના ઓછી થઇ છે. ટીમમાં પાંચ ઝડપી બોલર રાખવામાં આવ્યા છે. પાછલી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જોરદાર દેખાવ કરનાર સ્પિનર અક્ષર પટેલ પણ ફાઇનલની ટીમની બહાર છે. ટીમમાં હનુમા વિહારી પણ છે. જો કે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે શુભમન ગિલ હશે તે લગભગ નિશ્ચિત જણાઇ રહ્યંy છે.

ભારતની 1પ ખેલાડીની સૂચિમાં બે સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજા છે. જ્યારે બે વિકેટકીપર તરીકે ઋષભ પંત અને રિધ્ધિમાન સાહા છે. સાહાની ભૂમિકા પંતના કવર પૂરતી હશે. જો ચાર ઝડપી બોલરને તક અપાશે તો અશ્વિન-જાડેજામાંથી એક બહાર થશે અને જો ત્રણ ઝડપી બોલરને તક મળશે તો ઇશાંત અને સિરાઝમાંથી એક બહાર થશે.

June 11, 2021
euro_fixtures-1280x720.jpg
1min389

ફિફા વર્લ્ડ કપ પછીની ફૂટબોલ જગતની સૌથી વધુ લોકપ્રિય ટૂર્નામેન્ટ યૂએફા (યૂરોપીયન ફૂટબોલ ચેમ્પિયનશિપ) યૂરો કપ ટૂર્નામેન્ટનો પ્રારંભ આવતીકાલ તા. 11 જૂનથી થશે. પહેલા મેચમાં તૂર્કિની ટક્કર ઇટાલી સામે થશે. જે ભારતીય સમય અનુસાર તા.12મીએ રાત્રે 12-30 વાગ્યાથી શરૂ થશે. આ વખતે યૂરો કપમાં 24 ટીમ આમને-સામને હશે. જેમાં ચાર-ચારના છ ગ્રુપમાં રાખવામાં આવી છે. ફાઇનલ મુકાબલો 11 જુલાઇએ થશે. કોરોના મહામારીને લીધે યૂરો કપ એક વર્ષ સ્થગિત થયા બાદ હવે આ વર્ષે રમાઇ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે યૂરો કપના મેચ 11 દેશના 11 શહેરમાં રમાશે.

જેમાં અઝરબેજાનનું શહેર બાકૂ, ડેનમાર્કનું કેપનહોગન, ઇંગ્લેન્ડનું લંડન, જર્મીનનું મ્યુનિચ, હંગેરીનું બુડાપોસ્ટ, ઇટાલીનું રોમ, નેધરલેન્ડસનું એમ્સટરડેમ, રોમાનિયાનું બુખારેસ્ટ, રશિયાનું સેંટ પીટર્સબર્ગ, સ્કોટલેન્ડનું ગ્લાસ્ગો અને સ્પેનનું શહેર સેવિલ સામેલ છે.

આ વખતના યૂરો કપમાં સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટૂગલ ખિતાબ બચાવવા મેદાને પડશે. 2016માં પોર્ટૂગલે ફાઇનલમાં ફ્રાંસને હરાવીને પહેલીવાર ટ્રોફી જીતી હતી.

અત્યાર સુધીમાં 1પ યૂરો કપમાં 10 દેશ ચેમ્પિયન બન્યા છે. જર્મની અને સ્પેન સૌથી વધુ ત્રણ-ત્રણ વખત વિજેતા બન્યા છે. ફ્રાંસના નામે બે યૂરો કપ ટાઇટલ છે. જ્યારે સોવિયત યૂનિયન, ઇટાલી ચેકોસ્લોવેકિયા, નેધરલેન્ડસ, ડેનમાર્ક, ગ્રીસ અને પોર્ટૂગલ એક-એક વખત ચેમ્પિયન બન્યા છે.
24 ટીમ 6 ગ્રુપમાં છે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ પ્રી કવાર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે.

જ્યારે દરેક ગ્રુપની ત્રીજા નંબરની ટીમોમાંથી ટોચની ચાર ટીમને રાઉન્ડ-16માં એન્ટ્રી મળશે. પ્રી કવાર્ટર બાદ કવાર્ટર, સેમિ અને પછી ફાઇનલ જંગ ખેલાશે. આખરી ત્રણ મેચ લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે આવતીકાલે પહેલો મેચ રોમ ખાતે રમાશે.

June 10, 2021
engvsnz.jpg
1min353

ભારત વિરુદ્ધના ડબ્લ્યુટીસીનાં ફાઇનલ પૂર્વે ન્યુઝિલેન્ડની ટીમ ગુરુવારથી ઇંગ્લેન્ડ સામે બીજા ટેસ્ટમાં મેદાને પડશે. ત્યારે કિવિ ટીમની ચિંતામાં વધારો થયો છે. ટીમનો કેપ્ટન કેન વિલિયમ્સન નબળી ફિટનેસને લીધે બીજા ટેસ્ટની બહાર થઇ ગયો છે. સ્પિનર મિચેલ સેંટનર પર આંગળીની ઇજાને લીધે રમવાનો નથી.

એજબેસ્ટનનાં મેદાનમાં રમાનાર આ બીજા ટેસ્ટમાં કિવિઝ ટીમમાં તેના મુખ્ય ઝડપી બોલર ટ્રેંટ બોલ્ટની વાપસી થઈ શકે છે. કિવિઝ પાસે ખતરનાક ઝડપી બોલરોની ફોઝ છે. જેમાં ટિમ સાઉધી, ટ્રેંટ બોલ્ટ, નીલ વેગનાર અને કાઇલ જેમિસન છે. જેમાંથી બોલ્ટ સિવાયના કોઈ એક બોલરને ફાઇનલ પહેલા વિશ્રામ મળવાની શક્યતા છે. લોર્ડસનાં મેદાન પર રમાયેલો પહેલો ટેસ્ટ ડ્રો રહ્યો હતો. ત્રીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આથી ન્યુઝિલેન્ડની ટીમ સંભવિત જીતથી દૂર રહી હતી. યજમાન ઇંગ્લેન્ડની ટીમની નજર બેટિંગ મોરચે સુધારો કરીને આખરી ટેસ્ટ જીતી શ્રેણી 1-0થી કબજે કરવા પર રહેશે. મેચ ગુરુવારથી ભારતીય સમય અનુસાર બપોરે 3-30થી શરૂ થશે.

ન્યુઝિલેન્ડના કોચ ગેરી સ્ટિડે મેચની પૂર્વ સંધ્યા પર કહ્યંy કે તેના બોલરોએ લોર્ડ્સમાં સારી રીતે જવાબદારી નિભાવી, પણ એનો મતલબ એ નથી કે આવતીકાલના મેચમાં પણ તેમને મોકો મળશે. અમે ફાઇનલ પર નજર રાખી રહ્યા છીએ. અમારા તમામ બોલરો ફ્રેશ છે અને મેદાનમાં ઉતરાવા ઉત્સાહિત છે. મેટ હેનરી, ડગ બ્રેસવેલ અને જેકબ ડફી પણ અમારા ફ્રન્ટલાઇન બોલરો જ છે. અમારી પાસે 20 ખેલાડીની એવી ટીમ છે. જેમાં તમામ અનુભવી ખેલાડી છે.

બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ નવોદિત બોલર ઓલિ રોબિન્સનના વિવાદને ભૂલીને મેદાને પડશે. રોબિન્સનને રંગભેદ વિરોધી જૂની ટિપ્પણીના મામલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેના છાંટા અન્ય ઇંગ્લિશ ક્રિકેટરોને પણ પડી શકે છે. ઇંગ્લેન્ડની ચિંતા ટોચના ક્રમના બેટધરોની નિષ્ફળતા છે. બોલિંગમાં ઇંગ્લેન્ડની આશા ફરી અનુભવી જોડી એન્ડરસન-બ્રોડ પર વધુ નિર્ભર રહેશે.

June 9, 2021
sunil_chhetri.jpg
1min364
India captain Sunil Chhetri goes past Lionel Messi's tally of international  goals | Football News - Times of India

ભારતની ફૂટબોલ ટીમના સુકાની સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય મૅચમાં ૭૪ ગૉલ કરીને આર્જેન્ટીનાના ખેલાડી લિયોનેલ મેસીથી આગળ નીકળી ગયો હતો અને પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડો (૧૦૩ ગૉલ) પછી સૌથી વધુ ગૉલમાં બીજા ક્રમે પહોંચી ગયો હતો. ૩૬ વર્ષીય સુનીલ છેત્રીએ દોહામાં બંગલાદેશ સામે બે ગૉલ કરીને પોતાની ટીમને વિજયી બનાવી હતી.

‘ફીફા’ વર્લ્ડ કપ, ૨૦૨૨ અને એએફસી ઍશિયન કપ, ૨૦૨૩ની પ્રીલિમીનરી ક્વૉલિફાઇંગ રાઉન્ડ મૅચમાં સુનીલ છેત્રીએ આ સિદ્ધિ મેળવી હતી. ઑલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડરેશનના પ્રમુખ પ્રફુલ્લ પટેલે સુનીલ છેત્રી અને તેની ટીમની પ્રશંસા કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.

June 4, 2021
Tokyo-2020-Olympics.png
1min425

વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધ્યો છે. અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની છે અને કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. જાપાનમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે જાપાનમાં ૨૩ જૂન સુધી ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન જાપાનના ટૉક્યોમાં યોજાનારી ઑલિમ્પિક્સને લઈને ત્યાંની સરકાર તેમજ લોકો વચ્ચે વિખવાદ વધી રહ્યો છે. જાપાનના મોટા ભાગના લોકો ઈચ્છતા નથી કે, કોરોના સંક્રમણ વચ્ચે ઓલિમ્પિકનું આયોજન થાય. ત્યારે જ જાપાનની ઑલિમ્પિક્સ કમિટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. કારણકે ઑલિમ્પિક્સના ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપી દીધું છે.

ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન એક વર્ષ પહેલા થવાનું હતું પરંતુ કોરોના વાયરસને કારણે તે લંબાવવામાં આવ્યું હતું. હવે ૨૩ જૂલાઈથી જાપાનમાં ટૉક્યો ઑલિમ્પિક્સનું આયોજન થવાનું છે. પરંતુ કોરોનાના વધતા કેસને કારણે ફરી આયોજન પર સવાલો ઉઠી રહ્યાં છે. એવામાં ૧૦,૦૦૦ વૉલેન્ટિયરે રાજીનામું આપતા વધુ પ્રશ્નો થઈ રહ્યાં છે.

એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, ટૉક્યો ઑલિમ્પિક્સના આયોજન પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. કુલ ૮૦,૦૦૦ વૉલેન્ટિયર ઑલિમ્પિક્સમાં સેવા આપવાના હતા પણ આ પૈકીના ૧૦,૦૦૦ લોકોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. આ પૈકીના મોટાભાગનાનું કહેવું છે કે, અમે કોરોનાના સંક્રમણથી ચિંતિત છે. તો કેટલાકનું કહેવું છે કે, અમે રમતના આયોજનના વિરોધમાં રાજીનામા આપ્યા છે.

જાપાનની ઑલિમ્પિક્સ કમિટીનું કહેવું છે કે, ૧૦,૦૦૦ લોકોએ રાજીનામા આપ્યા છે તેનાથી આયોજન પર અસર નહીં પડે.

June 2, 2021
engvsnz.jpg
1min410

ઇંગ્લેન્ડ અને પ્રવાસી ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે લોર્ડસના ઐતિહાસિક મેદાન પર બે ટેસ્ટની શ્રેણીના પહેલા મેચનો બુધવારથી પ્રારંભ થશે. ત્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ભારત વિરૂધ્ધના ફાઇનલ પૂર્વે કિવિઝ ટીમની નજર ઇંગ્લેન્ડની ટીમને જોરદાર ટક્કર આપીને શ્રેણી કબજે કરવા પર રહેશે. જયારે યજમાન ઇંગ્લેન્ડની ટીમ તેના યુવા ખેલાડીઓના સહારે સિઝનની શરૂઆત વિજય સાથે કરવા ઇચ્છશે. આ સિરીઝમાં ઇંગ્લેન્ડની ટીમે રોટેશન પોલિસી અનુસાર તેના આઇપીએલ સ્ટાર ખેલાડીઓને વિશ્રામ આપ્યો છે.

મેચ 2/6/21, બુધવારે બપોરે 3-30થી શરૂ થશે.

ઇંગ્લેન્ડની ટીમમાં પહેલીવાર વિકેટકીપર તરીકે જેમ્સ બ્રેસી હશે. કારણ કે એલેકસ પેરી ઇજાગ્રસ્ત થયો છે. જો રૂટના સુકાનીપદ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ પાસે એન્ડરસન અને બ્રોડના રૂપમાં સૌથી અનુભવી અને સફળ ઝડપી બોલિંગ જોડી છે. બન્ને ખેલાડી પાસે કેટલાક ખાસ રેકોર્ડ રચવાની તક છે. કિવિ બોલર બોલ્ટને પહેલા ટેસ્ટમાં વિશ્રામ મળશે તેવો સંકેત કપ્તાન વિલિયમ્સને આપ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓ રમી રહ્યા છે. જ્યારે ઇંગ્લેન્ડને સ્ટોકસ, બટલર, આર્ચર સહિતના સ્ટાર ખેલાડીઓની ખોટ પડશે.

May 29, 2021
IPL_cia.jpg
1min465

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ના બીજા તબક્કાનું આયોજન હવે યુએઈમાં થશે. શનિવારે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) એસજીએમ ખાતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCIના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આ વાતની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે, IPL- 2021ની ટુર્નામેન્ટ કોરોનાને કારણે 4 મેના રોજ સ્થગિત કરવામાં આવી હતી.

IPL-2021ના પ્રથમ તબક્કામાં 29 મેચો થઈ હતી. જો કે, હવે બાકીની 31 મેચ સંયુક્ત અરબ અમીરાતમાં રમાશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ખરાબ હવામાનની અપેક્ષા રાખતા બીસીસીઆઈએ ટી 20 લીગને યુએઈમાં સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો છે. યુએઈમાં આઈપીએલ 2021ની બાકીની મેચ 19 અથવા 20 સપ્ટેમ્બર સુધી યોજાઈ શકે છે, ફાઈનલ મેચ 10 ઓક્ટોબરના રોજ યુએઈમાં રમાશે.

May 29, 2021
WTC.jpg
1min376

આઇસીસીએ 28/5/2021 ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 18 જૂનથી સાઉથમ્પટન ખાતે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલની મેચ કન્ડીશન જાહેર કરતા સ્પષ્ટ કર્યું છે કે મેચ ડ્રો કે ટાઇની સ્થિતિમાં બન્ને ટીમને સંયુકત વિજેતા જાહેર કરાશે. 18થી 22 જૂન દરમિયાન રમાનાર આ ફાઇનલ મેચ માટે કોઇ કારણોસર સમય બગડવાની સ્થિતિમાં સુરક્ષિત દિવસની વ્યવસ્થા કરી છે. જે અનુસાર 23 જૂન સુરક્ષિત દિવસ ગણાશે. આઇસીસીએ એમ પણ કહ્યંy કે આ બન્ને ફેંસલા જૂન 2018માં ટેસ્ટ ચેમ્પિયનશિપ શરૂ કર્યાં પહેલા જ લેવામાં આવ્યા હતા. સુરક્ષિત દિવસનો ઉપયોગ કોઇ કારણોસર જો મેચ અટકી ગયો હોય તો તેની ભરપાઇ માટે કરવામાં આવશે. નિર્ધારિત પાંચમા દિવસે ડ્રોની સ્થિતિમાં વધારાનો ઉપયોગ થશે નહીં. એટલે કે ફાઇનલ મેચ ફાઇટ ટૂ ફિનિશ નથી. ડ્રો અને ટાઇના પરિણામ પણ આવી શકે છે અને આવી સ્થિતિમાં બન્ને ટીમ ટ્રોફીની હકદાર બનશે.

મેચ દરમિયાન આઇસીસી રેફરી મીડિયાને અને બન્ને ટીમને બતાવશે કે સુરક્ષિત દિવસનો ઉપયોગ કયારે અને કેવા સંજોગોમાં થશે. ભારતીય ટીમ તેના ઘરેલુ મેચો એસજી બોલથી અને ન્યુઝીલેન્ડની ટીમ કુકાબુરા બોલથી રમે છે, પણ ફાઇનલ મેચ ડયૂક બોલથી રમાશે. ઇંગ્લેન્ડમાં ડયૂક બોલનો જ ઉપયોગ થાય છે. ફાઇનલમાં શોર્ટ રન, ડીઆરએસના નવા નિયમ પણ લાગુ રહેશે.

May 23, 2021
sushil_kumar_werstler.jpg
1min539

છત્રસાલ સ્ટેડિયમ મર્ડર કેસમાં વોન્ટેડ અને બે વારના ઓલિમ્પિક મેડલિસ્ટ કુસ્તીબાજ સુશીલ કુમારની રવિવારે 23/5/2021 પોલીસે દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. સુશીલ સાથે અજય કુમારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ સ્પેશ્યલ સીપી-સ્પેશ્યલ સેલ નીરજ ઠાકુરે કરી હતી. ઠાકુરે કહ્યું કે, કુસ્તીબાજ સુશીલ કુમાર અને તેના સાથીની સ્પેશિયલ સેલની ટીમે ધરપકડ કરી છે.

દિલ્હીની રોહિણી કોર્ટે મંગળવારે ઓલિમ્પિકમાં ભારત માટે બે વાર મેડલ જીતી ચૂકેલા અને હત્યા કેસના આરોપી સુશીલની આગોતરી જામીનની અરજી નામંજૂરી કરી હતી. તેનાથી એક દિવસ પહેલા દિલ્હી પોલીસે સુશીલ પર એક લાખ અને સહયોગી અજય પર 50000નું ઈનામ જાહેર કર્યું હતું. ત્યારબાદ તેઓએ આગોતરા જામીનની અરજી કરી હતી.

છત્રસાલ સ્ટેડિયમ ખાતે 4-5 મે દરમિયાન થયેલી હિંસામાં ગ્રીકો રોમન રેસલર સાગરની મોત બાદથી સુશીલ કુમાર ફરાર હતા. એક વિડીયો ફૂટેજ સામે આવ્યા છે જે મેરઠ ટોલ પ્લાઝાના હોવાનું જાણવા મળ્યું છે. સુશીલ કારની આગળની સીટ પર બેઠો જોવા મળે છે, જ્યારે એક શખ્સ કાર ચલાવી રહ્યો છે. ફૂટેજ 6 મેના હોવાનું જણાવાયું છે. પોલીસ તે યુવક અને કારની પણ તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુશીલ હરિદ્વાર સ્થિત એક બાબાની પાસે મદદ માંગવા ગયો હતો.

રેસલર સાગરનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને મળ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સાગરનું મોત નીપજ્યું હતું. લોખંડના સળિયા અથવા ડંડાથી ફટકા મારતા સાગરને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. હોસ્પિટલ પહોંચે તે પહેલા હાલત ઘણી ખરાબ થઈ હતી. સાગરના શરીર પર ઈજાના ઘણા નિશાન મળી આવ્યા છે.

સુશીલ ઉપરાંત દિલ્હી પોલીસે આ હત્યા કેસમાં અજયકુમાર સહરાવતની ધરપકડ કરવા બદલ 50,000 રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. તે રણહૌલાના કોંગ્રેસના કાઉન્સિલર સુરેશકુમાર ઉર્ફે સુરેશ પહેલવાન ઉર્ફે સુરેશ બક્કરવાળાનો પુત્ર છે. અજય દિલ્હી સરકારમાં ફિઝિકલ એજ્યુકેશન ટીચર છે, જે કોન્ટ્રાક્ટ પર હોવાનું જાણવા મળ્યું છે.

May 10, 2021
Virat_Kohli_vaccine.jpg
1min589
India Captain Virat Kohli Gets Vaccinated Against Coronavirus

કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને રસી મહત્વના મનાઈ રહ્યા છે, આવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ Dt.10/5/2021 સોમવારે લઈ લીધો છે. આ અંગે કોહલીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેક્સીન લીધાની માહિતી આપી છે. આ સાથે કોહલીએ તસવીર પણ શેર કરી છે.

કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા જલદી ઈંગ્લેન્ડ માટે રવાના થશે, જ્યાં તેણે ન્યુઝિલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે. આ પછી ભારતીય ટીમ યજમાન સાથે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમશે.

32 વર્ષના વિરાટ કોહલીએ કોરોનાની રસી લીધા બાદ લોકોને અપીલ કરી છે કે વેક્સીન લેવાની કોશિશ કરો અને સુરક્ષિત રહો. ભારતીય ટીમના અનુભવી બોલર ઈશાંત શર્માએ પણ સોમવારે કોરોનાની રસી લીધી છે, ઈશાંતે પત્ની પ્રતિમા સિંહ સાથે સોશિયિલ મીડિયા પર તસવીર શેર કરી છે.

ઈશાંત પત્ની સાથે વેક્સીનેશન સેન્ટર પહોંચ્યો હતો. ઈશાંતે ફ્રન્ટલાઈન વોરિયર્સનો આભાર માન્યો છે. આ સાથે ટીમના સિનિયર બોલર ઉમેશ યાદવ અને ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ રસીનો પહેલો ડોઝ લીધા બાદ ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે.