બ્રાઝીલ હાલ વિશ્વમાં સૌથી વધુ કોરોના પીડીત દેશોમાં અમેરીકા પછી બીજા નંબરે આવે છે. બ્રાઝીલમાં કોરોનાના 18 લાખ જેટલા કેસો છે. બ્રાઝીલમાં પણ કોરોનાને કારણે સ્કુલો બંધ છે પરંતુ, બ્રાઝીલની એક શિક્ષિકા બંધ સ્કુલો વચ્ચે પણ તેના બાળકોને મળ્યા વગર નથી રહી શક્તી અને આ શિક્ષિકાએ તેના બાળકોને ઘરે મળવા જવાની તરકીબ શોધી કાઢી. એ બાળકોને તેમના ઘરે મળવા પહોંચી જાય છે. બાળકોને હ્રદયસ્પર્શી જાદુની જપ્પી આપે છે અને બાળકોને ખુશખુશાલ કરી દે છે.
સમગ્ર વિશ્વમાં હાલ બ્રાઝીલની આ શિક્ષિકા સોશ્યલ મિડીયા સેન્સેસન બની ચૂકી છે. કોરોનાથી ડર્યા વગર, કોરોના સંક્રમણ પ્રત્યે સાવચેતી રાખીને પણ એ શિક્ષિકા બાળકોને પ્રેમથી મળે છે અને બાળકો પણ પોતાની શિક્ષિકાને દિવસો, મહિનાઓ પછી પ્રત્યક્ષ મળીને ભાવવિભોર બની રહ્યા છે.
સુરતમાં ખાસ કોવીડ-19ની ડ્યુટી માટે તૈનાત કરવામાં આવેલા આઇ.પી.એસ. અધિકારી હરેકૃષ્ણ પટેલ આજરોજ તા.23મી જુલાઇએ કોરોના સંક્રમિત હોવાના ઇલેક્ટ્રોનિક મિડીયામાં ફેલાયેલા સમાચારે સમગ્ર ગુજરાતના પોલીસ બેડા સમેત સમગ્ર સૌરાષ્ટ્રવાસી બહુલ વસતિ ધરાવતા વિસ્તારોમાં ખાસ્સી ચર્ચા જગાડી છે.
વરાછામાં કોરોના સંક્રમણ સામે જાગૃતિ લાવવા પાયાનું કામ કર્યું હરેકૃષ્ણ પટેલે
લોકોના સંક્રમણથી બચાવવા આ રીતે પોતાના સ્ટાફ સાથે પોલીસ અધિકારી હરેકૃષ્ણ પટેલ વરાછા, કતારગામ ખૂંદી વળ્યા
સુરતમાં વય મર્યાદાને કારણે નિવૃત થયેલા પોલીસ કમિશનર સતીશ શર્માની જગ્યાએ ઇન્ચાર્જ પૂર્વ પોલીસ કમિશનર તરીકે કામગીરી બજાવી ચૂકેલા અને હાલમાં ખાસ કોવીડ-19ની ડ્યુટી માટે સુરતમાં તૈનાત કરવામાં આવેલા હરેકૃષ્ણ પટેલ એક એવા આઇ.પી.એસ. અધિકારી કે જેમણે વરાછા, કતારગામ વિસ્તારોમાં સોસાયટીએ, સોસાયટીએ, ગલીઓ, મહોલ્લાઓમાં ફરી ફરીને કોરોના સંક્રમણથી મુક્ત કેવી રીતે રહી શકાય એ અંગેની સમજ આપી હતી. વરાછા કતારગામમાં હજારો લોકોને તેઓ રૂબરૂ મળ્યા અને તેમને સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા, સાફસફાઇ રાખવા જેવી બાબતોથી વાકેફ કર્યા અને તેમને કોરોના સંક્રમિત થતા બચાવ્યા છે.
સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીઓના પ્રમુખોને કોરોના સંક્રમણ અટકાવવા માટેનું માર્ગદર્શન આપવા માટે હજુ ગઇ તા.19મી જુલાઇએ જ મિટીંગ યોજાઇ હતી. જેમાં હરિકૃષ્ણ પટેલ અને સરથાણા પી. આઈ. સોલંકી અન્ય ઉચ્ચ અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
કોવીડ-19ની ડ્યુટીમાં આવ્યા પછી વરાછા કતારગામમાં દિવસ રાત સેંકડો મિટીંગો કરી
કોવીડ-19ની ખાસ ડ્યુટી માટે સુરત મૂકાયેલા આઇ.પી.એસ. હરેકૃષ્ણ પટેલે ડ્યુટી જોઇન કર્યા પછી સુરતના વરાછા, કતારગામ, કાપોદ્રા, સરથાણા, પૂણા વગેરે વિસ્તારોમાં દિવસ રાત એક કરીને અનેક મિટીંગો કરી. પગપાળા સોસાયટીઓની ગલીઓમાં, ખૂણે ખૂણે ગીચ બાંધકામો વચ્ચે જઇને લોકોને કોરોના સંક્રમણ કેવી રીતે થાય એનાથી વાકેફ કર્યા. લોકોની આદતો સુધારવાનું માર્ગદર્શન આપ્યું.
સ્નેહીઓ, મિત્રોને મળવા આવવા પણ સાફ ના પાડતા
ખુદ પોલીસ અધિકારી શ્રી હરેકૃષ્ણ પટેલ પોતે એ વાતથી વાકેફ હતા કે તેઓ જે રીતે લોકોની વચ્ચે જઇ રહ્યા છે, તેઓ સંક્રમિત થઇ શકે. સોસાયટીઓ, એપાર્ટમેન્ટોમાં, ગલીએ, મહોલ્લાઓમાં જઇને લોકોને માર્ગદર્શિત કરી રહ્યા હતા એ જોતા તેમને પણ એવો મનમાં ડાઉટ રહેતો કે તેમને પણ કદાચ સંક્રમણ થઇ શકે અને એટલે જ સુરતમાં તેમના એટલા બધા મિત્રો, સ્નેહીઓ, સગા સબંધીઓ વગેરે તેમને મળવા માટે કોલ કરતા ત્યારે તેઓ સામેથી કહેતા કે મને મળવા આવવું નહીં.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે તા.16મી જુલાઇના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે અમે હવે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ માટેના નિયમો સુધારી દીધાં છે.
નવા નિયમો મુજબ હવે ગુજરાત રાજ્યમાં હવે કોઇ પણ વ્યક્તિ માત્ર એમબીબીએસ તબીબના પ્રિસ્ક્રિપ્શનને આધારે ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે.
અમદાવાદ મેડિકલ એસોસિએશને કરેલી વિનંતીને પગલે ગુજરાત સરકારે તા.14મી જુલાઇએ મંગળવારે બહાર પાડેલાં નવા નિયમ મુજબ હવેથી સરકારી સમિતિની મંજૂરી લેવી જરૂરી રહેશે નહીં.
અગાઉના નિયમ મુજબ માત્ર એમડી ડોક્ટર અને તે પણ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દી કે અત્યંત જરૂરી હોય તેવી સર્જરી, ડાયાલિસીસ કે અન્ય આરોગ્યલક્ષી સારવાર અને પ્રસૂતિના કેસમાં જે તે દર્દીના કોરોના ટેસ્ટને પ્રિસ્ક્રાઇબ કરી શકતા હતા. આ પ્રિસ્ક્રિપ્શન જિલ્લા સ્તરની કે શહેર સ્તરની સમિતિને મોકલવાનું રહેતું અને મંજૂરી પછી ટેસ્ટ થતો હતો. હવે આ નિયંત્રણો રહેશે નહીં.
કોવીડ-19 પેન્ડેમિક શિક્ષણ ક્ષેત્રમાં એક ગુડ ન્યુઝ આવ્યા છે. આ ગુડ ન્યુઝ એ છે કે અમદાવાદ સમેત દેશમાં કાર્યાન્વિત પાંચેય નેશનલ ઇન્સ્ટીટ્યુટ્સ ઓફ ડિઝાઇન (NID)ના ડિગ્રીધારી વિદ્યાર્થીઓ હવે સીધા જ જર્મનીમાં વર્ક પરમિટ મેળવવા માટે લાયક બન્યા છે. ભારતના વાણિજ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર જર્મનીના ડેટાબેઝ અનાબિનમાં ભારતની પાંચેય એન.આઇ.ડી. કેમ્પસને સામેલ કરવામાં આવ્યા છે. અનાબિન ડેટાબેઝ જર્મની માટે એવો ડેટાબેઝ છે કે જે નોકરીદાતાઓ અને નોકરીયાતો વચ્ચે બ્રિજ બનાવે છે. અનાબિનના ડેટા બેઝમાં કોઇક ફોરેન કેમ્પસનો સમાવેશ થાય એ જે તે દેશ માટે ગૌરવવંતી બાબત ગણાય છે.
જર્મનીના ડેટાબેઝ અનાબિનમાં ભારતની સંસ્થા નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનને સામેલ કરવામાં આવતા હવે અહીંની ડિગ્રી ધરાવતા યુવાનોને જર્મનીમાં રોજગાર માટે વર્ક પરમિટ, વીઝા, જોબ, બ્લ્યુ કાર્ડ વગેરે મેળવવામાં ખૂબ સરળતા પડશે.
ભારતમાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇનનું મુખ્ય કેમ્પસ ગુજરાતના અમદાવાદ ખાતે આવેલું છે એ સિવાય અન્ય ચાર સ્થળોએ એન.આઇ.ડી. કેમ્પસ સ્થાપિત કરવામાં આવ્યા છે. એન.આઇ.ડી.ને ભારતમાં નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ભારતમાં અમદાવાદ, બેંગલુરુ, અસમ, હરીયાણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં એન.આઇ.ડી.ના કેમ્પસની સ્થાપના કરવામાં આવી છે.
ધો.12 પછી એન.આઇ.ડી.માં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવાય છે, ડિઝાઇનિંગના 6 જેટલા અલગ અલગ કોર્સ અહીં ભણાવાય છે
News in English
Students of National Institutes of Design (NID) will be able to apply easily for work permits in Germany. now as its centres have been included in the European country’s Anabin database, the commerce and industry ministry said on Wednesday, 15 July 2020.
It said Germany has opened a Central Office for Foreign Education (ZAB) which acts as the sole authority for the evaluation of foreign qualifications there. As part of their service, they maintain a database called Anabin that lists foreign degrees and higher education qualifications in relation to German diplomas and degrees.
What is Anabin Database ? anabin is a database you can use to find out how your certificate will be evaluated in Germany.
Recognition of foreign university-level qualifications in Germany is often an essential prerequisite for securing a German Work Visa, Job Seekers Visa or German Blue Card.
It said often the success of visa application is dependent on the proof that the university-level qualification acquired outside Germany is considered on par with equivalent German qualification.
Students of National Institutes of Design will be able to apply easily for work permits in Germany now as its centres have been included in the European country’s Anabin database, the commerce and industry ministry said.
“NID Ahmedabad was included in the Anabin list in 2015 and the other new NIDs have also been incorporated in this database recently. Now that all NIDs are a part of this list, its students will be able to easily apply for work permits in Germany for working in the fields relevant to their education,” it said.
The Department for Promotion of Industry and Internal Trade (DPIIT), under the ministry, has established five National Institutes of Design (NID) in India for imparting world-class design education.
While NID Ahmedabad (with campuses in Ahmedabad, Gandhinagar and Bengaluru) commenced its activities in 1961, four new NID’s in Andhra Pradesh, Haryana, Assam, and Madhya Pradesh came up in the last few years.
These NIDs are declared as Institutions of National Importance by virtue of the act of Parliament and are internationally acclaimed premier design institutes.
કોરોના રોગચાળા દરમિયાન રાજ્યની હૉસ્પિટલના આઇસીયુના દર્દીની સારવાર કરતા ડૉક્ટરોને એઇમ્સના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો માર્ગદર્શન આપશે, એવી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ અંગેનું પહેલું સત્ર લેવામાં આવ્યું હતું, જેમાં ૧૦૦૦ બેડ ધરાવતી મુંબઇની નવ અને ગોવાની એક એમ દસ હૉસ્પિટલના ડૉક્ટરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મુંબઇની હૉસ્પિટલમાં નેસ્કો ખાતેની જંબો ફેસિલિટી, સિડકો-મુલુંડની જંબો ફેસિલિટી, મલાડ ઇન્ફિનિટી મૉલ જંબો ફેસિલિટી, જીઓ ક્ધવેન્શન સેન્ટર જંબો ફેસિલિટી, એચઇ નાયર હૉસ્પિટલ, એમસીજીએમ સેવન હિલ્સ હૉસ્પિટલ, એમએમઆરડીએ બીકેસી જંબો ફેસિલિટી,એચઇ-ફેઝ ૧, મુંબઇ મેટ્રો દહિસર જંબો ફેસિલિટીનો સમાવેશ થાય છે. ગોવાની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ પણ આમાં સામેલ હતી.
ઉપરની દરેક હૉસ્પિટલના આઇસીયુમાં સેવા આપતા બે ડૉક્ટરે રાજ્યની હેલ્થ સેવાના ડિરેક્ટર જનરલ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એઇમ્સના ડૉક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.
એઇમ્સ દ્વારા કુલ ૧૭ રાજ્યના ડૉક્ટરોને માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં દિલ્હી, ગુજરાત, તેલંગણા, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, બિહાર, પ. બંગાળ, તમિળનાડુ, હરિયાણા, ઓડિશા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, ઝારખંડ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
રાજ્યમાં બોર્ડમાં ટોપર આવતા વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે સન્માનિત, બહુમાનિત કરીને તેમનો જુસ્સો વધારવામાં આવે છે. પરંતુ, મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં ધો.10માં ટોપર આવેલી વિદ્યાર્થિનીનો જુસ્સો એવી રીતે વધારવામાં આવ્યો કે થોડી ક્ષણો તો વિદ્યાર્થિનીને એવું લાગ્યું કે તેણે જોયેલું સપનું પૂરું થઇ ચૂક્યું છે.
એમ.પી.ના દેવાસ જિલ્લાના કલેક્ટરે સમગ્ર મધ્યપ્રદેશ રાજ્યમાં ત્રીજા ક્રમે અને દેવાસમાં પહેલા ક્રમે ધો.10માં પાસ થયેલી વિદ્યાર્થિનીને પોતાની ખુરશીમાં બેસાડીને તેને સિવિલ સર્વિસીઝની પરીક્ષામાં પાસ થઇને ફરી અહીં બેસવાનો જુસ્સો અપાવ્યો હતો. આ ખુશનસીબ વિદ્યાર્થિનીનું નામ યુક્તા ચૌધરી છે અને તે દેવાસમાં રહે છે. તેનું સપનું છે કે તેણે સિવિલ સર્વિસીઝની પરીક્ષા પાસ કરીને આઇ.એ.એસ. બનવું છે.
મધ્યપ્રદેશના દેવાસના કલેક્ટર ચંદ્રમૌલી શુક્લની આ પ્રકારે જુસ્સો વધારવાની રીત સોશ્યલ મિડીયામાં હાલ ખુબ વાઇરલ થઇ છે.
Yukta Choudhary of Dewas, who secured third position in MP board by obtaining 299/300 marks, had hardly imagined to realize her dream of ‘becoming collector’ in reality, even for a while, even before clearing one of the toughest UPSC exams.
યુક્તા ચૌધરી નામની મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાની ધો.10ની ટોપર વિદ્યાર્થિનીને દેવાસ કલેક્ટરે પોતાની ખુરશી ખાલી કરી તેના પર બેસાડી જુસ્સો વધાર્યો
દેવાસના કલેક્ટર ચંદ્રમૌલી શુક્લાએ કહ્યું ધો.10માં મારા તો ફક્ત 70 ટકા જ આવ્યા હતા
દેવાસ અને મધ્યપ્રદેશ બોર્ડમાં ધો.10માં ઝળહળતું પરીણામ લાવનારી યુક્તા ચૌધરી નામની વિદ્યાર્થિનીને પોતાની દેવાસ કલેક્ટરની ખુરશીમાં બેસાડીને દેવાસ કલેક્ટર ચંદ્રમૌલી શુક્લાએ કહ્યું કે મારા તો ધો.10માં ફક્ત 70 ટકા માર્કસ આવ્યા હતા. આમ છતાં, હું કલેક્ટર બની શક્યો છું. યુક્તા, તમે તમારું આઇ.એ.એસ.નું ડ્રીમ સરળતાથી પૂર્ણ કરી શકશો જો તમે તમારા લક્ષ્યાંક પ્રત્યે સજાગ, સચેત અને સંનિષ્ઠ રહેશો તો.
In Hindi
देवास कलेक्टर चंद्रमाैली शुक्ला ने 10वीं में जिले से सबसे ज्यादा अंक लाने वाली उत्कृष्ट स्कूल की छात्रा युक्ता चाैधरी काे अपनी कुर्सी पर बैठा दिया। हुआ यूं कि प्रदेश और जिले की मैरिट में अने वाले विद्यार्थियाें काे सम्मान के लिए कलेक्टर ने साेमवार सुबह कलेक्टाेरेट बुलाया था।
कलेक्टर ने जिले से सबसे ज्यादा अंक लाकर प्रदेश की मैरिट लिस्ट में तीसरे स्थान पर अाई युक्ता से पूछा-आप क्या बनना चाहती हाे। युक्ता ने कहा- आईएएस ऑफिसर। कलेक्टर ने कहा- ताे बैठाे मेरी कुर्सी पर। वे उठे और युक्ता काे अपने कुर्सी पर बैठाया। कलेक्टर ने अन्य सभी टाॅपराें का भी सम्मान किया। उत्कृष्ट प्राचार्य चंद्रावती जाधव, पूर्णिमा बिंदल, सैयद माेकीत अली, मिर्जा मुसाहिद बैग, नीरज कानूनगाे काे अच्छा रिजल्ट घाेषित हाेने पर बधाई दी। प्राचार्य जाधव ने बताया- स्कूल के बच्चाें ने इस बार गजब ही कर दिया है। पहली बार ऐसा माैका आया है कि स्कूल के 6 बच्चे टाॅप 10 में और 6 ही बच्चे जिले की टाॅप 10 में अपना स्थान बनाने में कामयाब हाे सके।
સુરત, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર અને દુનિયાભરમાં પોતાની કામગીરીને લઇને લાખો ચાહકો ઉભા કરનાર ગોવિંદ કાકા ધોળકીયાએ પોતાનો એક વિડીયો ફેસબુક પર સમસ્ત લેઉઆ પટેલ સમાજના પેજ પર પોસ્ટ કરીને કેટલીક પ્રેરકવાતો કરી છે.
સુરતની ખ્યાતનામ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદ કાકા ધોળકીયાએ હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણ અને જાગૃતિ અંગે કેટલીક પ્રેરક વાતો કરી છે. સંપૂર્ણ વિડીયો નિહાળવા નીચેની લિંક ક્લીક કરો.
સુરતની ડાયમંડ કંપની એસ.આર.કે.ના સ્થાપક શ્રી ગોવિંદ ધોળકીયાએ હાલમાં ઉદભવેલી કોવીડ-19ના સંક્રમણને લઇને કરેલી વાતો અનેક લોકોને કોરોનાથી બચાવી શકે તેવી સક્ષમ છે. તેમણે કહ્યું કે હાલમાં હીરાના કારખાનાઓમાંથી કોરોના ફેલાય રહ્યો છે એવી વાતો ઉડી છે. તેમણે દાખલાઓ અને હકીકતો સાથે જણાવ્યું છે કે હીરાના કારખાનાઓમાં નહીં પણ બિનજરૂરી રખડપટ્ટી કરવાથી કોરોના આભડી જાય છે.
ગામડે (સૌરાષ્ટ્ર) ખોટી નાસભાગથી બચો
શ્રી ગોવિંદકાકાએ કહ્યું કે હાલમાં હીરા ઉદ્યોગમાં એક અઠવાડીયાનું વેકેશન મળ્યું છે એટલે ઘણાં એવું માને છે કે લાવ ને ગામડે આંટો મારી આવું. આવું વિચારનારાએ એ પણ વિચાર કરવો જોઇએ ક્યાં તો એ ગામડે જઇને સંક્રમણ આપી આવશે અગર તો ગામડેથી એ વ્યક્તિ સંક્રમણ લઇને સુરત પરત આવશે. તેમણે કહ્યું કે બિનજરૂરી અવરજવર બંધ કરવી જોઇએ. ગલી, મહોલ્લા, સોસાયટીના નાકે બેસવાવાળા ખાસ ચેતી જાય.
અમીર, ગરીબ, મોટા, નાના કોઇને કોરોના છોડતો નથી
તેમણે કહ્યુ કે કેટલાક લોકો એવું માને છે આપણને કશું થવાનું નથી, આ લોકો બહુ જોખમી જીવન જીવી રહ્યા છે. કોરોનાએ કોઇને છોડ્યા નથી. અમીર, ગરીબ, પુરુષ, સ્ત્રી, વૃદ્ધ, બાળકો, તબીબ કોઇને પણ કોરોના થઇ શકે છે. એ માનવું ભૂલ ભરેલું છે કે કોરોના આપણને નહીં થાય.
સાંભળો કોરોના સંક્રમણ પૂર્વે ગોવિંદ કાકા પોતાના વિડીયો થકી લોકજાગૃતિ લાવી રહ્યા છે
ખુબ સરસ ગોવિંદકાકા એ વાત કરી બધા જ મિત્રો આ વિડિયો શેર જરૂર કરજો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લદ્દાખના લેહની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત જાણકારી ખૂબ જ ઓછા લોકોને હતી. શુક્રવારે સવારે જ્યારે તેઓ લેહ પહોંચ્યા ત્યારે જ લોકોને આ અંગે જાણ થઈ. મોદીના આગમન અગાઉ તે લોકોને ફક્ત એટલી જ જાણકારી હતી કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત જ લેહ આવી રહ્યા છે.
कोरोना वायरस के गंभीर संकट के बीच एक अच्छी खबर है. यह खबर कोरोना के वैक्सीन से जुड़ी है. भारत में कोविड-19 की पहली वैक्सीन कोवैक्सीन तैयार कर ली गई है. इसे भारत बायोटेक ने बनाया है. खुशखबरी यह है कि इस वैक्सीन को इंसानों पर आजमाने (ह्यूमन ट्रायल) की अनुमति मिल गई है. भारत बायोटेक को सोमवार 29 June 2020 को यह अनुमति ड्रग कंट्रोलर जनरल ऑफ इंडिया (डीसीजीआई) ने दी है.
बता दें, भारत बायोटेक हैदराबाद की फार्मा कंपनी है, जिसने कोविड की वैक्सीन बनाने का दावा किया है. कंपनी का कहना है कि ‘कोवैक्सीन’ के फेज-1 और फेज-2 के ह्यूमन ट्रायल के लिए उसे डीसीजीआई से हरी झंडी भी मिल गई है. कंपनी ने यह भी कहा है कि ट्रायल का काम जुलाई के पहले हफ्ते में शुरू किया जाएगा. भारत बायोटेक का वैक्सीन बनाने में पुराना अनुभव है. इससे पहले कंपनी ने पोलियो, रेबीज, रोटावायरस, जापानी इनसेफ्लाइटिस, चिकनगुनिया और जिका वायरस के लिए भी वैक्सीन बनाई है.
Corona से जुड़े SARS-CoV-2 स्ट्रेन को पुणे स्थित नेशनल इंस्टीट्यूट ऑफ वायरोलॉजी (एनआईवी) में अलग किया गया था. इसके बाद स्ट्रेन को भारत बायोटेक को ट्रांसफर कर दिया गया. कोवैक्सीन पहली देसी वैक्सीन है, जिसे भारत बायोटेक ने तैयार की है. हैदराबाद की जिनोम वैली में अति सुरक्षित लैब की बीएसएल-3 (बायोसेफ्टी लेवल 3) में इसे बनाया गया है.
Covaxin
कंपनी ने प्री-क्लिनिकल स्टडीज और इम्यून रेस्पॉन्स की रिपोर्ट सरकार के पास जमा कराई है. इसके बाद डीसीजीआई और Health Department ने ह्यूमन ट्रायल के फेज-1 और फेज-2 की अनुमति दी है. इसके साथ ही पूरे देश में जुलाई महीने में इस वैक्सीन का ट्रायल शुरू होने जा रहा है.
कोवैक्सीन भारत में बनाई गई पहली वैक्सीन है. इसे तैयार करने में आईसीएमआर और एनआईवी ने बड़ी भूमिका निभाई है. डीसीजीआई ने ट्रायल की मंजूरी मिलने में अहम रोल अदा किया है. भारत बायोटेक के अध्यक्ष और प्रबंध निदेशक डॉ. कृष्णा एल्ला के मुताबिक, रिसर्च एंड डेवेलपमेंट (आरएंडडी) टीम के अथक प्रयासों का ही नतीजा है कि यह काम सार्थक हो पाया है.
भारत बायोटेकने ट्वीट करके जानकारी दी
COVAXIN™, India's 1st indigenous Covid-19 vaccine, developed by Bharat Biotech successfully enters human trials.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રીનીતિન પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતની તમામ પ્રાઇવેટ લેબોરેટરીઝમાં હવેથી રુ. 2500માં કોરોનાનો ટેસ્ટ થશે. લેબ ટેકનિશિયનને ઘરે બોલાવવામાં આવે તો ત્રણ હજાર રુપિયા ચાર્જ આપવાનો રહેશે.
શ્રી પટેલે કહ્યું કે તમામ સરકારી હોસ્પિટલોમાં આ ટેસ્ટ ફ્રીમાં કરી આપવાનું ચાલુ જ છે. કોઈપણ એમડી ડોક્ટરને જો દર્દીને કોરોનાનો ટેસ્ટ કરાવવાની જરુરિયાત જણાય તો તેઓ ખાનગી લેબમાં પેશન્ટને મોકલી શકે છે.
નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોનાના ટેસ્ટના ચાર્જમાં કરાયેલો આ ઘટાડો આજથી જ લાગુ પડશે. મતલબ કે, આજથી જે પણ દર્દી ટેસ્ટ કરાવવા આવશે તેની પાસેથી આજે કરાયેલી જાહેરાત અનુસાર જ ચાર્જ વસૂલી શકાશે. જો કોઈ લેબોરેટરી તેનાથી વધુ ચાર્જ લેશે તો તેની માન્યતા રદ્ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી પણ નીતિન પટેલે ઉચ્ચારી હતી.
ગુજરાતમાં ખાનગી લેબોરેટરીમાં રોજના સરેરાશ 500 જેટલા કોરોનાના ટેસ્ટ થાય છે. અત્યારસુધી તેના માટે ચારથી સાડા ચાર હજાર રુપિયા જેટલો ચાર્જ વસૂલવામાં આવતો હતો. જોકે, સરકારે પોતાની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિનો ખાનગી લેબમાં ટેસ્ટ નહીં થઈ શકે તેવું ફરમાન જારી કર્યું હતું. આ મામલે હાઈકોર્ટમાં અપીલ થતાં અમદાવાદમાં જો એમડી ડોક્ટર જણાવે તો ખાનગી લેબમાં ટેસ્ટ થઈ શકશે તેવી જાહેરાત કરાઈ હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.