CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 11 of 44 - CIA Live

May 12, 2022
sunstroke.jpg
1min455

ગુજરાતમાં મે મહિનામાં સૂર્યનારાયણ દેવ જાણે કોપાયમાન થયા હોય તેમ રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓ અને શહેરોમાં ૪૩થી ૪૭ ડિગ્રી વચ્ચે રહેતા બપોરના સમયે ગરમ પવનોથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા હતા. બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૭ ડિગ્રી આસપાસ નોંધાયું હતું. રાજ્ય હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીનો પારો ૪૮ સુધી પહોંચવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ હોવાથી તંત્રએ બાળકો અને વૃદ્ધોને કામવગર ઘરની બહાર ન નીકળવા સૂચનો કર્યાં હતા.

શહેરમાં બુધવારે મહત્તમ તાપમાનનો પારો એક સમયે ૪૭ ડિગ્રી પર પહોંચી ગયો હતો. ગુરુવારે તાપમાનનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચશે તો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. શહેરીજનો ગરમીથી બચવા ક્યાં જવું અને શું કરવું એ વિચારતા થઈ ગયા હતા. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદમાં બુધવારે સવારથી જ બપોર જેવી ગરમી શરૂ થઈ ગઈ હતી. સાંજના પાંચ વાગ્યા સુધીમાં પણ સૂરજે પોતાનો પ્રકોપ બતાવવાનું યથાવત્ રાખ્યું હતું.

સુકા પવન અને કાળઝાત્ ગરમી વચ્ચે અમદાવાદના રસ્તાઓ સૂમસામ બન્યા હતા. બપોરના બે વાગતા સુધી તો ગરમીએ ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં આવતીકાલે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તો તાપમાનનો પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચવાની શક્યાતા છે.

બીજી તરફ રાજ્યના ૧૩ શહેરોમાં તાપમાન પારો  રેકોર્ડ ૪૬ને પાર થઈ ગયું હતું. જ્યારે વડોદરા, મહેસાણા, હિંમતનગર, ગોધરા, ખેડબ્રહ્મા, નડિયાદ, ધોળકામાં  ગરમીનો પારો ૪૫ ડિગ્રીએ નોંધાયો હતો. સુરેન્દ્રનગર, બોટાદમાં ૪૪ ડિગ્રી અને ભાવનગર, અમરેલીમાં પારો ૪૩ ડિગ્રી જૂનાગઢ, રાજકોટમાં ૪૨ ડિગ્રીએ તાપમાન પારો નોંઘાયો હતો રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો ૪૪થી ૪૫ ડિગ્રી આસપાસ રહેતા અનેક જિલ્લાઓ અને શહેરોમાં એકાએક ઊચો જતા બપોરના સમયે ગરમ લૂ જેવા પવનો ફૂકાતા લોકો રીતસર ગરમીથી શેકાઈ રહ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીને કારણે બપોરના સમયે અનેક શહેરમાં કરફ્યુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યમાં ઉત્તર-પશ્ર્ચિમના પવનો શરૂ થયો હતો, જેની અસરથી ગરમીનો પારો અચાનક વધતા રવિવારથી અમદાવાદ  સહિત રાજ્ય ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થયો હતો અને મોટાભાગના શહેરોમાં પારો ૪૫ ડિગ્રી ઉપર રહ્યો હતો. જ્યારે બુધવારે Dt.11/5/22 રેકોડ બ્રેક ગરમી ૪૭ ડિગ્રી અમદાવાદમાં નોંધાઈ હતી. અમદાવાદમાં Dt.11/5/22 બુધવારે બપોરે ૨ વાગ્યા સુધી તો ગરમી પીક પર પહોંચી ગઈ હતી અને ૪૭ ડિગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. આ સ્થિતિમાં મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. હજી પણ Dt.12/5/22 ગુરુવારે આ રીતે જ ગરમીનો પારો ૪૮ ડિગ્રીએ પહોંચે તો નવાઈ નહીં. તેમ સૂત્રોએ જણાવ્યુ હતું. 

રાજ્યના અનેક શહેરોમાં બેકાબુ સૂર્યપ્રકોપ થતાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થતા ગરમીથી છૂટકારો મેળવવા લોકો લીબું પાણી, છાસ, ઠંડા પીણા તરફ વળ્યા હતા. રાજ્યમાં ભારે ગરમીના કારણે ઝાડાઉલટીના બાર હજારથી વધુ કેસો, ૧૫૦૦ જેટલા હિટસ્ટ્રકના કેસો ઉપરાંત લૂ લાગવાના પણ સૌથી વધારે કેસો નોંધાયાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જેના કારણે જિલ્લાભરની સરકાર અને ખાનગી હૉસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.  

દરમિયાન અમદાવાદ શહેરમાં એકાએક ગરમી વધી જતાં હિટસ્ટ્રોકના, ઝાડા ઉલ્ટીના અને બીપીના વધી જવાના કેસોમાં વધારો નોંધાતા અમદાવાદની અસારવા સિવિલ અને સોલા સિવિલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓથી ઉભરાયા હતા. જ્યારે ખાનગી હૉસ્પિટલોમાં પણ અનેક લોકો સારવાર માટે લાઈનો લગાવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગે ભારે ગરમીની આગાહીને પગલે લોકોને લીબું પાણી, છાસ, તેમ જ શુદ્ધ ખોરાક આરોગવાની સાથે વધુ પ્રમાણમાં પાણી પીવાની અને કામવગર વદ્ધોએ બહાર ન જવા તેમ જ સુતરાઉ કપડા પહેરવા જેવા સૂચનો કર્યા હતા.

May 11, 2022
surat_police.jpg
1min598

પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં ઘૂસણખોરી કરતા 6 બાંગ્લાદેશી નાગરિકોને સુરતના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ બાંગ્લાદેશી નાગરિકોના ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવનારની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે ત્રણ મહિલા અને ત્રણ પુરુષ મળી કુલ 6 બાંગ્લાદેશીને ઘૂસણખોરી કરતા ઝડપી પાડયા છે તેમજ 4 વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત રેલવે પોલીસનો સ્ટાફ આજે પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન સુરત રેલવે સ્ટેશન પર ત્રણ મહિલા અને ત્રણ પુરુષો શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યા હતા. દરમિયાન પોલીસની નજરમાં આવતા આ 6 લોકો બાંગ્લાદેશથી સુરત આવ્યા હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. આ મામલે તપાસ કરતા તેઓની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા મળી આવ્યા ન હતા અને ઘૂસણખોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હાલમાં આયન ત્રણ રસ્તા પાસે બાંગ્લાદેશ ખાતે રહેતા પરવેઝ આઇબા મીરડા, નયોન મોસીયર મૌલા, બીસ્ટી અખ્તર આફતર સોરદાર, ફાતેમા ખાનુન અનવર મૌલા તથા ફરઝાન ઉર્ફે બીઠી રૂકોલ ફોરાજીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ બારડોલીના ઉપલી બજાર પાસે રહેતા અને ખોટું આધારકાર્ડ બનાવનાર જાબીર ફીરોઝ પટેલની પણ પોલીસે ધરપકડ કરી આવા ખોટા દસ્તાવેજો બનાવી આપનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરત રેલવે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે, ગેરકાયદેસર રીતે તેઓ ભારતની બોર્ડર ક્રોસ કરી હતી. તેઓ પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા ન હતા. તેઓની પાસેથી ઇન્ડિયાના આધારકાર્ડ મળી આવ્યાં હતાં તે ખોટી રીતે બનાવ્યા હતા. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેય મહિલાને દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાની શક્યતા પણ રહેલી છે. આ ગુનામાં 4ને વોન્ટેડ જાહેર કરાયા છે. 

May 11, 2022
Arvind-kejriwal.jpg
1min426

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તા.11/5/22ના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેમના સ્વાગતની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના મુખ્યમાર્ગો પર ઠેર-ઠેર આપના ઝંડાઓ જોવા મળી રહ્યાં છે તેમજ શાત્રી મેદાન ખાતે પણ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.

કેજરીવાલનું આવતીકાલે બપોરે 2.45 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર આગમન થશે ત્યાંથી તે સીધા હોટલ ઇમ્પિરિયલ પેલેસમાં રોકાણ કરશે. અહીં તેઓ સામાજિક સંગઠનો સાથે મુલાકાત કરશે બાદમાં સાંજે 7 વાગ્યે શાસ્ત્રીમેદાન ખાતે એક જનસભા સંબોધશે જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડશે. રાજકોટમાં જ તેઓ રાત્રી રોકાણ કરશે અને તા.12ના રોજ દિલ્હી જવા રવાના થશે.

દરમિયાન Dt.10/5/22 આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા રાજકોટની મુલાકાતે આવ્યાં હતાં. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ગુજરાતની અંદર આમ આદમીની પાર્ટી ગ્રાઉન્ડ લેવલથી દિવસે ને દિવસે મજબૂત બની રહી છે, ગુજરાતને ઘણા વર્ષો પછી એક વિકલ્પની રાજનીતિ મળી છે.

11/5/22 અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યાં છે ત્યારે આપના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.’ ઈટાલિયાએ આવતીકાલના કાર્યક્રમમાં કેજરીવાલ ઉપર ભાજપના નેતાઓ-કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવે તેવી ભીતિ પણ વ્યક્ત કરી તમામને રાઉન્ડ અપ કરવાની માગણી પણ પોલીસ સમક્ષ કરી હતી.
પત્રકાર પરિષદમાં આપના શહેર પ્રમુખ શિવલાલ બારસિયા, નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા, રાજભા ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

May 10, 2022
shivkumar.jpg
1min609

દિગ્ગજ ભારતીય સંગીતકાર અને સંતૂર વાદક પંડિત શિવકુમાર શર્માનું મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે મંગળવારે નિધન થયું છે. 84 વર્ષના મહાન સંગીતકારે આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા હતા. 

છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા. ભારતીય સંગીતને તેમની વિશિષ્ટ શૈલીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી હતી. પંડિત 

શિવ કુમાર શર્માનું ફિલ્મ જગતમાં પણ મહત્વનું યોગદાન હતું. બોલિવૂડમાં ‘શિવ-હરિ’ (શિવ કુમાર શર્મા અને હરિ પ્રસાદ ચૌરસિયા)ની જોડીએ ઘણા હિટ ગીતોને સંગીત આપ્યું છે. શ્રીદેવી પર ચિત્રિત કરાયેલા ગીત ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં’નું સંગીત આ હિટ જોડીએ જ કમ્પોઝ કર્યું હતું. 

દુર્ગા જસરાજે અર્પી શ્રદ્ધાંજલી 

નિર્માતા અને અભિનેત્રી દુર્ગા જસરાજે આ નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આજે પ્રકૃતિનું સંગીત શાંત થઈ ગયું છે. બાપુજી પંડિત જસરાજ જી પછી હવે શિવ ચાચાજીની અચાનક વિદાય એ મારા માટે બેવડી દુખદાયી ક્ષણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંડિતજીના પિતા ઈચ્છતા હતા કે પંડિત શિવકુમાર શર્મા જમ્મુ અથવા શ્રીનગરમાં AIRમાં કામ કરે. તેઓ ઈચ્છતા હતા કે સરકારી નોકરી દ્વારા ભવિષ્ય સુરક્ષિત કરે પરંતુ પંડિતજીની મનશા કઈંક અલગ જ હતી. એકવાર તે ઘર છોડીને માત્ર એક સંતૂર અને ખિસ્સામાં માત્ર પાંચસો રૂપિયા લઈને બોમ્બે આવ્યા અને આજે તેઓ દુનિયામાં અલગ છાપ છોડીને ગયા છે. તેમણે પોતે જ ઈન્ટરવ્યુમાં આ આ વાત કહી હતી.

May 9, 2022
dolor_vs_rupee.jpg
1min643

Dated 9/5/22 at 10.30am

આજે ડોલર સામે રૂપિયો 77.17 ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ પટકાયો હતો. શુક્રવારે ડોલર સામે રૂપિયો 76.98 થઈ 76.92 બંધ આવ્યો હતો જે આજે ખુલતા બજારે, શેરબજારમાં કડાકો બોલતા 77.17ની સૌથી નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે.

ભારતમાં શેરબજારમાં છેલ્લા સાત મહિનાથી વિદેશી રોકાણકારો વેચાણ કરી રહ્યા છે. ભારતની નિકાસ વધી છે પણ તેના કરતાં આયાત વધારે તીવ્રતાથી વધી રહી છે એટલે ડોલરની માંગ વધી છે. સાત મહિનામાં ભારતમાં ફોરેક્સ રિઝર્વ 48 અબજ ડોલર જેટલા ઘટી ગયા છે જેના લીધે પણ રૂપિયા ઉપર દબાણ વધી રહ્યું છે 

અમેરિકન ડોલરનું છ ટોચના ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ અત્યારે 104.03ની સપાટીએ છે જે છેલ્લા 20 વર્ષની સૌથી ઊંચી સપાટી છે.

May 8, 2022
lpg_cylinder.jpg
1min685

સરકારી ઓઈલ કંપનીઓએ માત્ર છ સપ્તાહમાં બીજી વખત ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦નો વધારો કર્યો છે, જેને પગલે દેશના મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગઈ છે. ગુજરાતમાં પણ દોઢ મહિનામાં એલપીજી સિલિન્ડરનો ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થતાં કિંમત રૂ. ૧,૦૦૦ને પાર થયો છે. અગાઉ, ૧૯ કિલોના કોમર્શીયલ સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૨.૫નો વધારો થતા કિંમત રૂ. ૨૩૫૫ને પાર થઈ હતી.

સરકારે ઘરેલુ રાંધણગેસ પરની સબસિડી પરોક્ષ રીતે ખતમ કરતા એલપીજીના ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયા છે. એલપીજીના ભાવમાં વધારો  શનિવારથી અમલી કરાયો છે. આ વધારાના પગલે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં ૧૪.૨ કિલોના ઘરેલુ રાંધણ ગેસનો ભાવ રૂ. ૧,૦૦૦ને પાર થઈ ગયો છે. નવેમ્બર-૨૦૨૦માં કોરોના કાળ વખતે રાંધણગેસ બાટલાનો ભાવ રૂ.૬૦૦ હતો, જે જૂન-૨૦૨૧માં વધીને રૂ.૮૧૪ થયો હતો. પેટ્રોલ, ડીઝલ, એલપીજી સહિતની પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી અને ૧૫મી તારીખે ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. જોકે, માર્ચ ૨૦૨૨માં ૨૨મી તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની સાથે ઘરેલુ એલપીજીના ભાવમાં પણ રૂ.૫૦નો વધારો કરાયો હતો. ત્યાર પછી એપ્રિલમાં એલપીજીમાં કોઈ વધારો કરાયો નહોતો. હવે આજે તા.૭ મેની મધ્યરાત્રિથી ૫૦નો વધારો ઝીંકી દેવાયો છે. આમ, માત્ર દોઢ વર્ષના સમયમાં રાંધણગેસ રૂ.૬૦૦થી વધીને રૂ.૧૦૦૫ ઉપર થઈ ગયો છે. એટલે કે આ સમયમાં એલપીજીના ભાવમાં ૨૦૦ ટકાનો ભાવ વધારો થયો છે.

May 8, 2022
gujarat-high-court.jpg
1min643

ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે જમીન ખરીદી મામલે ગુજરાત હાઈકોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ખરીદનારે જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી ચૂકવવાનો થાય છે. અત્યાર સુધી બિલ્ડરો જમીન ખરીદનાર પાસેથી જીએસટી ઉઘરાવીને સરકારમાં જમા કરતા હતા. પરંતુ આ મામલે હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ આ બાબત સ્પષ્ટ થઇ ગઇ છે.

સરકાર દ્વારા જમીનની કિંમત 33 ટકા કેવી રીતે નક્કી કરવામાં આવી તે મુદ્દાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેને લઇને હાઇકોર્ટે’ જણાવ્યું હતું કે, જમીનની કિંમત પર નહીં પણ બાંધકામ ખર્ચ પર જ જીએસટી લાગશે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, બાંધકામના કુલ ખર્ચ પર વસૂલવામાં આવતા જીએસટીમાં જમીનની કિંમતને ગણતરીમાં લઈ શકાશે નહીં.”
હાઇકોર્ટે જણાવ્યું છે કે જમીનની કિંમત અલગ દર્શાવવામાં આવી હોય તો માત્ર બાંધકામ ખર્ચ પર જ જીએસટી વસુલી શકાશે.’ છેલ્લા કેટલાક સમયથી જમીન વેચાણ પર જીએસટી લાગું પડે કે નહીં તેને લઇને ગેરસમજ પ્રવર્તી હતી. જીએસટીના ડરથી બિલ્ડરો પણ જમીન ખરીદનાર વ્યક્તિ પાસેથી 12 ટકા અને 5 ટકાના દરે જીએસટી ઉઘરાવીને સરકારમાં જમાં કરાવતા હતા.’

કેન્દ્ર પોતાની યોજનામાં 33 ટકા જમીન કિંમત બાદ કરીને બાકીની રકમ પર જીએસટી વસૂલશે તેવો પરિપત્ર જાહેર કર્યો હતો. તેને હાઇકોર્ટમાં પડકારાયો હતો.’

May 7, 2022
cyclone.jpg
1min571

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

ભારતના હવામાન વિભાગ (IMD)xના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નીચા દબાણનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે, જેના પરિણામે પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન સર્જાશે. તેમણે કહ્યું કે તે 10 મેના રોજ દરિયાકાંઠે પહોંચવાની શક્યતા છે. મહાપાત્રાએ કહ્યું કે તે પહેલા ક્યાં આવશે તે અંગે હજુ સુધી કોઈ આગાહી કરવામાં આવી નથી.

મહાપાત્રાએ કહ્યું, ‘જ્યારે વાવાઝોડું દરિયાકિનારાની નજીક પહોંચે છે, ત્યારે અમે કહી શકીએ છીએ કે તે ક્યાં ટકરાશે. 9 મેથી દરિયાની સ્થિતિ બગડી શકે છે, તેથી માછીમારોએ દરિયો ન ખેડવો જોઈએ. અનુમાન અનુસાર ચક્રવાતી તોફાનની ઝડપ દરિયામાં 80-90 કિમી પ્રતિ કલાકની રહેશે. ચક્રવાતી વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, હવામાન વિભાદે આગામી સપ્તાહે મંગળવારથી શુક્રવાર સુધી ગંગા નદી વિસ્તારમાં પડતા પશ્ચિમ બંગાળના જિલ્લાઓમાં વીજળી અને ભારે વરસાદની ચેતવણી આપી છે.

ઓડિશાના વિશેષ રાહત કમિશનર (SRC) પીકે જેનાએ જણાવ્યું હતું કે NDRFની 17 ટીમો, ODRAFની 20 ટીમો અને ફાયર વિભાગની 175 ટીમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક એસ કે ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.

May 7, 2022
relience.png
1min606

ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આજે માર્ચ ક્વાર્ટરના અને વિતેલ સમગ્ર નાણાંકીય વર્ષ 2021-22ના નાણાંકીય પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કંપનીના ડિરેક્ટર બોર્ડે 31મી માર્ચ, 2022ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ માટે રૂ.10ના પ્રત્યેક ઇક્વિટી શેર ઉપર રૂ.8ના ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં સભાસદોની મંજૂરીને આધિન રહેશે.   

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો માર્ચ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો વાર્ષિક તુલનાએ 20.2 ટકા વધીને રૂ. 18,021 કરોડ થયો છે. તો ગ્રોસ રેવન્યૂ 35.1 ટકની વૃદ્ધિમાં રૂ. 2,32,539 કરોડ નોંધાઇ છે. કંપનીને EBITDA 27.7 ટકા વધીને રૂ. 33,968 કરોડ થયો છે. ત્રિમાસિક દરમિયાન કંપનીની શેરદીઠ આવક 16.7 ટકા વધીને રૂ. 24 થઇ છે.

સ્ટેન્ડએલોન ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 45.6 ટક ઉછળીને રૂ. 11,094 કરોડ અને ગ્રોસ રેવન્યૂ 54.3 ટકા વધીને રૂ. 1,40,061 કરોડ થઇ છે. 

31મી માર્ચે સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ 2021-22માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ ધોરણે રૂ. 67,845 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે જે વાર્ષિક તુલનાએ 26% વધારે છે. તેવ જ રીતે આવક 47 ટકા વધીને રૂ. 7,92,756 કરોડ થઇ છે. EBITDA 28.8% વધીને રૂ.  1,25,687 કરોડ થયો છે.

May 6, 2022
sensex_down.jpg
1min574

અમેરિકન બજારોમાં ગઈકાલે Dt 5/5/22 આવેલા આંચકાની અસર આજે 6/5/22 ભારતીય Share બજારમાં જોવા મળી હતી જેમાં સેન્સેક્સ (BSE Sensex) માં 1000 પોઈન્ટ અને Nifty50 માં 310 પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે 6/5/22 બજાર ખૂલતા જ નિફ્ટી અને સેન્સેક્સમાં 1.5 ટકાથી મોટો ઘટાડો આવ્યો હતો. સૌથી વધારે નુકસાન મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોવા મળ્યું હતું અને તેમાં 2.5 ટકા જેટલો ઘટાડો થયો હતો. આજે India VIX 4 ટકા વધીને 21.11 થયો હતો. એન્જલ વનના સમીત ચવાણે જણાવ્યું કે અમે હમણાં રોકાણ કરવાના બદલે સાઈડલાઈનમાં રહેશું અને બે-ત્રણ દિવસ સુધી સ્થિતિનો અભ્યાસ કરીશું.

At 11 am સેન્સેક્સ 54646 પર અને નિફ્ટી 16368 પર હતો. અમેરિકન બજારમાં ગઈકાલે 5/5/22, રાતે 3 ટકાનો કડાકો (US Market Crash) આવતા ભારતીય બજાર પણ ધ્રુજી ઉઠ્યું હતું.

વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો વ્યાજના દર વધારી રહી છે તેથી દુનિયામાં ફુગાવાથી વિપરીત સ્થિતિ સ્ટેગફ્લેશન આવવાની બીક છે. વૃદ્ધિ નબળી હોવા છતાં ફુગાવાને અંકુશમાં રાખવા માટે રેટ વધારવામાં આવ્યા છે તેની બજાર પર માઠી અસર પડી છે.

ગુરુવારે Dt.5/5/22 બેન્ક ઓફ ઇંગ્લેન્ડે (Bank of England) ચેતવણી આપી હતી કે 2023માં યુકેના અર્થતંત્રમાં સંકોચન આવી શકે છે. ઇંગ્લેન્ડે 10 ટકાથી વધારે ફુગાવાની શક્યતા દર્શાવી છે.

એક દિવસ અગાઉ યુએસ ફેડે (US Fed) પોલિસી રેટમાં અડધા ટકાનો વધારો કર્યો હતો અને હજુ પણ રેટ વધારવામાં આવશે તેવા સંકેત આપ્યા હતા. છેલ્લા 22 વર્ષમાં યુએસમાં રેટમાં સૌથી મોટો વધારો થયો છે જ્યારે યુએસના GDPમાં 1.4 ટકાનો ઘટાડો થયો હતો. ભારતમાં પણ રિઝર્વ બેન્કે (RBI rate hike) પોલિસી રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો છે અને કેશ રિઝર્વ રેશિયો પણ વધાર્યો છે.