CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - Page 10 of 44 - CIA Live

May 24, 2022
kedarnath.jpg
1min655

ભારે ગરમી વચ્ચે ઉત્તર ભારતમાં અનેક રાજ્યોમાં વરસાદ પડવાથી લોકોને ભારે રાહત થઇ હતી. સોમવારે દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશના કેટલાક હિસ્સામાં વરસાદ પડયો હતો. જ્યારે સૌથી વધુ વરસાદ દિલ્હીમાં પડવાથી નીચા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ હતી. બીજી તરફ કેટલાક રાજ્યોમાં હજુ પણ ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. 

જેમ કે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં તાપમાન ૪૫.૯ ડિગ્રી રહ્યું હતું. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં હજુ પણ આગામી પાંચ દિવસ હીટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે દેશના અન્ય કોઇ ભાગમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવ નહીં રહે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. સોમવારે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં હરિયાણાના ફરિદાબાદમાં ૯ સેમી, ગુરુગ્રામમાં ૭ સેમી, દિલ્હીમાં ૫ સેમી વરસાદ પડયો હતો. જોકે સોમવારે દિવસ દરમિયાન દિલ્હીમાં વરસાદનું પ્રમાણ વધ્યું હતું. 

દિલ્હીમાં સોમવારે પવન સાથે વરસાદ પડયો હતો જેનાથી લોકોને ભારે ગરમીથી રાહત મળી હતી. સવારે જ પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે કેટલાક મકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જેને પગલે આઠ લોકો ઘાયલ થયા હતા. જ્યારે વૃક્ષો પડી જવાથી નીચે પાર્ક કરાયેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. પવન સાથે વરસાદ પડવાથી દિલ્હીના અનેક વિસ્તારોમાં વિજળી જતી રહી હતી. જ્યારે જવલપુરી, ગોકલપુરી, શંકર રોડ અને મોતી નગરમાં મકાનો પડી જવાથી આઠ લોકો ઘવાયા હતા. 

વરસાદને કારણે તાપમાનમાં મોટો ઘટાડો થયો હતો.  દિલ્હીમાં હવામાને અચાનક પલટો મારતા ૪૦ જેટલી ફ્લાઇટ્સને અસર પહોંચી હતી. દિલ્હી એરપોર્ટે મુસાફરોને પોતાની ફ્લાઇટની જાણકારી મેળવ્યા પછી જ એરપોર્ટ આવવાની સુચના જારી કરવી પડી હતી.   બીજી તરફ ઉત્તરાખંડમાં પણ વરસાદ પડયો હતો, જેને પગલે કેદારનાથ યાત્રાને હાલ પુરતા અટકાવી દેવામાં આવી છે અને જ્યારે હવામાન સાફ થઇ જાય પછી તેને ફરી શરૂ કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો હતો.

બીજી તરફ વરસાદને પગલે પંજાબથી અન્ય રાજ્યોમાં લઇ જવાતા ચોખાના ૧૫ હજાર બોરા પલળી ગયા હતા. જેને પગલે ચોખા બગડી ગયા હતા અને ગરીબોને મળનારા પંજાબના ચોખા બરબાદ થઇ ગયા હતા. જ્યારે અનેક ખેડૂતોએ ખુલ્લામાં મુકેલું અનાજ અને શાકભાજી પલળી ગયા હતા. ખાસ કરીને ચણા, મગફળી, મટર તેમજ અન્ય કઠોળ પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. જ્યારે મધ્ય પ્રદેશના સાતના જિલ્લામાં મૈહાર હિલ સ્ટેશન પર રોપવેને ભારે વરસાદ અને પવનને પગલે અટકાવી દેવો પડયો હતો જેથી ૨૮ લોકો અધવચ્ચે જ અટવાઇ ગયા હતા.

May 24, 2022
IPL_2022.jpg
1min483

આઇપીએલની મેચો નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે ત્યારે જો મેચમાં વરસાદ કે અન્ય કોઇ કારણસર વિઘ્ન આવે તો પરિણામ માટે સુપર ઓવર પર આધાર રાખવામાં આવશે. જો આ ઑવરો પણ શક્ય ન બને તો લીગ મેચોના દેખાવ પર આધાર રાખવામાં આવશે. આ નિયમો ક્વોલિફાયર ૧, એલિમિનેટર અને ક્વોલિફાયર ૨ આ ત્રણેય મેચો વખતે લાગુ પડશે. આ મેચો માટે અનામત દિવસો રાખવામાં આવ્યા નથી. જ્યારે ફાઇનલ મેચ માટે ૩૦ મી મેનો દિવસ પણ અનામત રાખવામાં આવ્યો છે. 

કોલકાતા ખાતે મંગળવારે ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ સામે કવોલિફાયર ૧ મેચ રમશે અને લખનઊ સુપર જાયન્ટ્સ તેમ જ રોયલ ચેલેન્જર્સ વચ્ચે બુધવારે એલિમિનેટર રાઉન્ડ રમાશે. 

ત્યારબાદ અમદાવાદ ખાતે ક્વોલિફાયર – ૨ અને ફાઇનલ મેચ અનુક્રમે ૨૭ અને ૨૯ તારીખે રમાશે. અનિવાર્ય સંજોગોમાં બન્ ને ટીમ ઓછામાં ઓછી પાંચ ઓવર રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. એટલું પણ શક્ય ન હોય તો સુપર ઓવર રમાશે. જો એ પણ શક્ય ન બને તો લીગ મેચોમાં જે ઉપલા ક્રમે હશે તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે. જો એક ટીમનો દાવ આવે અને બીજી ટીમ ન રમી શકે તો ડીએલએસ મેથડ અપનાવાશે. 

May 17, 2022
gyanvapi.jpg
1min570

Gyanvapi Masjid Survey Will Start From Today Read Abp News Report About  Inside Mosque Area | Gyanvapi Masjid: आज से ज्ञानवापी का फिर शुरू हुआ  सर्वे, मस्जिद के अंदर ABP न्यूज ने

ઉત્તર પ્રદેશની બાબરી મસ્જિદ જેવો જ બીજો વિવાદ વારાણસીની જ્ઞાાનવાપી મસ્જિદને લઇને શરૂ થયો છે. આ મસ્જિદના પરિસરમાં વીડિયોગ્રાફીનું કામ પુરુ થઇ ગયું છે. આ વીડિયોગ્રાફી અને સર્વેની કામગીરી દરમિયાન મસ્જિદની અંદર એક શિવલિંગ મળ્યાનું સામે આવ્યું છે. જેને પગલે જે વિસ્તારમાંથી આ શિવલિંગ મળ્યું છે તેને સીલ કરી દેવા કહ્યું છે. જેથી આ જગ્યા પર કોઇ જ નહીં જઇ શકે. જોકે શિવલિંગ મળ્યાના દાવાને મુસ્લિમ પક્ષ દ્વારા નકારવામાં આવ્યા હતા. 

સાથે જ મસ્જિદમાં પણ હવે માત્ર ૨૦ જ મુસ્લિમો નમાઝ માટે જઇ શકશે. જે સ્થળે શિવલિંગ મળ્યું છે ત્યાં હવે કોઇને પણ જવા નહીં દેવાય, અને તેની સંપૂર્ણ સુરક્ષાની જવાબદારી પોલીસ અને કલેક્ટરને સોપી દેવામાં આવી છે. સોમવારે સર્વેનો ત્રીજો દિવસ હતો. હવે આ સંપૂર્ણ રિપોર્ટ અને વીડિયોગ્રાફીને કોર્ટમાં રજુ કરવામાં આવશે. બીજી તરફ આ મસ્જિદની કમિટીએ કોર્ટમાં દાવો કર્યો છે કે શિવલિંગ મળ્યાના દાવાથી કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. વજૂખાનામાં કોઇ શિવલિંગ નથી, અહીંયા માત્ર એક ફુવારો છે. જેના આકારને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે. 

બીજી તરફ અલ્લાહાબાદ હાઇકોર્ટે સર્વે કરાવવા અને કમિશનરની નિમણંુક માટે જે પણ આદેશ આ મસ્જિદને લઇને આપ્યા છે તેને મસ્જિદ કમિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે. જેની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થઇ શકે છે. બીજી તરફ હિન્દૂ પક્ષનો દાવો છે કે મસ્જિદમાં સર્વેની કામગીરી દરમિયાન ૧૨ ફુટ ઉંચુ શિવલિંગ મળ્યું છે. વાદી પક્ષ લક્ષ્મી દેવીએ આ વિસ્તારમાં પૂજા કરવાની માગ કરતી અપીલ કોર્ટમાં કરી છે. તેમના પતિ સોહનલાલ આચાર્ય પણ સર્વેની ટીમમાં સામેલ છે. સોહનલાલે દાવો કર્યો હતો કે મસ્જિદમાં શિવનું મંદિર હોવાના પુરાવા મળ્યા છે. હવે અમે આ મસ્જિદની પશ્ચિમ તરફની દિવાલના કાટમાળની તપાસની પણ માગણી કરીશું. 

નોંધનીય  છે કે જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ પણ બાબરી મસ્જિદ જેટલો જુનો છે. સૌથી પહેલા ૧૯૯૧માં કોર્ટમાં અપીલ કરાઇ હતી અને પૂજાની છૂટ આપવાની અપીલ કરવામાં આવી હતી. બાદમાં ૧૯૯૩માં અલ્લાહાબાદ હાઇકોર્ટે યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો હતો. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડરની સમય મર્યાદા છ મહિના સુધીની નક્કી કરી હતી. ૨૦૧૯માં વારાણસીની કોર્ટમાં ફરીથી આ મામલે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૧માં જ આ મસ્જિદની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફીનો આદેશ અપાયો હતો. જોકે વીડિયોગ્રાફીનો મુસ્લિમ પક્ષ દ્વારા વિરોધ કરાયો હતો, કોર્ટે ફરી વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો હતો અને તેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.  

કર્ણાટકમાં હનુમાન મંદિર તોડી ટીપૂ સુલ્તાને મસ્જિદ બનાવી હોવાનો દાવો

– મુસ્લિમો પહેલા મંદિર હોવાનું સ્વીકારે છે : ઇશ્વરપ્પા

ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદને લઇને વિવાદ ચાલી રહ્યો છે. એવામાં હવે કર્ણાટકમાં પણ આવો જ એક વિવાદ જાગ્યો છે. કર્ણાટકમાં ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવેલી એક મસ્જિદને લઇને આ વિવાદ છેડાયો છે. 

બેંગાલુરુથી ૧૨૦ કિમી દૂર શ્રીરંગપટ્ટનમાં એક જામા મસ્જિદ આવેલી છે. આ મસ્જિદને ટીપૂ સુલ્તાનના સમયે બનાવવામાં આવી હોવાનો દાવો થઇ રહ્યો છે. જોકે કેટલાક હિન્દૂ સંગઠનોએ હવે દાવો કર્યો છે કે મંદિરને તોડીને ટીપૂ સુલ્તાન દ્વારા આ મસ્જિદ બનાવવામાં આવી હતી. આ દાવા સાથે જ હવે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા આ મસ્જિદમાં પૂજા કરવાની માગણી કરાવવામાં આવી છે. 

મંચના રાજ્ય સચિવ સીટી મંજૂનાથે દાવો કર્યો છે કે ટીપૂ સુલ્તાન સમયના જે પણ ડોક્યૂમેન્ટ્સ હાલ છે તેના પરથી સાબિત થાય છે કે આ મસ્જિદ બનાવવામાં આવી તે પહેલા ત્યાં હનુમાન મંદિર હતું. આ મસ્જિદની દીવારોં પર હિન્દૂ શિલાલેખ પણ મળ્યા છે. જે મંદિર વાળી થ્યોરીને બળ આપે છે. આ સ્થિતિ વચ્ચે કર્ણાટકના પૂર્વ મંત્રી કે એસ ઇશ્વરપ્પાએ કહ્યું હતું કે હવે મુસ્લિમો પણ એ વાતનો સ્વિકાર કરે છે કે ત્યાં મસ્જિદ પહેલા એક મંદિર હતું. 

May 16, 2022
thomas.jpg
1min456

ભારત પહેલીવાર ચેમ્પિયન

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમનો ફાઇનલમાં ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક વિજય: થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં ભારતને પહેલીવાર સુવર્ણ ચંદ્રક

બેંકોક, તા.1પ: ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 73 વર્ષમાં પહેલીવાર થોમસ કપમાં ચેમ્પિયન બની છે. આજે રમાયેલા ફાઇનલમાં ભારતે 14 વખતની પૂર્વ વિજેતા ટીમ ઇન્ડોનેશિયા વિરુદ્ધ 3-0થી ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રતિષ્ઠિત થોમસ કપમાં સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. પાંચ મેચના ફાઇનલ મુકાબલામાં ભારતે બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચમાં યાદગાર વિજય મેળવીને ઇન્ડોનેશિયાને 3-0થી રોળી નાંખ્યું હતું. ભારતીય બેડમિન્ટન ટીમની આ સ્વર્ણિમ સફળતા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા કહ્યંy છે કે આપની સફળતા પર દેશ ગર્વ મહેસૂસ કરી રહ્યો છે. ખાસ વાત એ રહી હતી કે ફાઇનલ પહેલા ઇન્ડોનેશિયાની ટીમ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી, પણ ફાઇનલમાં ભારતીય શટલર્સ સામે નતમસ્તક થઈ ગઈ હતી.

ફાઇનલમાં ભારતીય જીતના હીરો યુવા લક્ષ્ય સેને પહેલા સિંગ્લસમાં ઇન્ડોનેશિયાના ખેલાડી એન્થોની સિનિસુકા ગિનટિંગ વિરુદ્ધ 8-21, 21-17 અને 21-16થી શાનદાર જીત મેળવી હતી. પહેલી ગેમ આસાનીથી હારી જનાર યુવા લક્ષ્ય સેને બાદમાં જોરદાર વાપસી કરીને બાકીની બે ગેમ જીતની ભારતને 1-0ની સરસાઈ અપાવી હતી. આ પછી ડબલ્સ મુકાબલામાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઇરાજ રંકીરેડ્ડીએ ઇન્ડોનેશિયાની જોડી મોહમ્મદ અનસ-કેવિન સંજયા સુકામુલજો વિરુદ્ધ 18-21, 23-21 અને 21-19થી વિજય મેળવીને ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. બીજા સિંગ્લ્સ મેચમાં અનુભવી કિદાંબી શ્રીકાંતે એશિયન ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ખેલાડી જોનાથન ક્રિસ્ટીને 21-1પ અને 23-21થી હાર આપી હતી. આ જીત સાથે ભારતની 3-0થી અતૂટ સરસાઈ થઈ ગઈ હતી અને થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ચેમ્પિયન બની હતી.

થોમસ કપમાં અત્યાર સુધી ફક્ત પાંચ ટીમ જ ચેમ્પિયન
થોમસ કપ અત્યાર સુધી 32 વખત રમાયો છે. જેમાં ફક્ત પાંચ દેશ જ ચેમ્પિયન બન્યા છે. ઇન્ડોનેશિયા થોમસ કપની સૌથી સફળ ટીમ છે. તેનાં નામે 14 ખિતાબ છે પણ આ વખતે તે ભારત સામે હાર્યું છે. ચીનનાં નામે 10 અને મલેશિયાના નામે પ ખિતાબ છે જ્યારે જાપાન અને ડેનમાર્ક એક-એક વખત ચેમ્પિયન થયા છે. હવે ભારત પહેલીવાર વિજેતા બની છે.

May 15, 2022
bloodmoon.jpg
1min427

બ્લડમૂન તરીકે ઓળખાતી પૂર્ણ ચંદ્રગ્રહણની અસાધારણ અને અદ્ભુત ખગોળીય ઘટના રવિવારની રાતથી સોમવારની સવાર સુધી બનશે. આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે સાઉથ અને નોર્થ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ, આફ્રિકા અને ઇસ્ટ પૅસિફિકમાં જોવા મળશે, ભારતમાં જોવા નહીં મળે. ભારતીયો આ ખગોળીય ઘટનાને અમેરિકાના નાસા (નેશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન)ના લાઇવ સ્ટ્રીમ પર જોઈ શકશે. 

ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવાર ૧૫ મેની રાતે ૯.૩૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૭.૦૨ વાગ્યાથી ) સોમવારે પરોઢ પૂર્વે ૨.૫૦ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨.૨૦ વાગ્યા સુધી) થનારા આ ચંદ્રગ્રહણના નાસા પર જીવંત પ્રસારણની સાથે લાઇવ કોમેન્ટ્રી પણ રહેશે. લાઇવ સ્ટ્રીમિંગનો સમય ઇસ્ટર્ન ટાઇમ પ્રમાણે રવિવારે રાતે ૧૧ વાગ્યા (ભારતીય સમય સવારે ૮.૩૩ વાગ્યા)થી ૧૨ વાગ્યા (ભારતીય સમય પ્રમાણે સવારે ૯.૩૩ વાગ્યા સુધી) રહેશે.  આ ગ્રહણના પૂર્ણરૂપમાં ચંદ્ર ચમકતા નારંગીથી લાલ ઈંટ જેવા ઘેરા રંગનો થતો હોય છે. તેથી તેને બ્લડમૂન પણ કહેવાય છે. આવી ઘટના દાયકાઓમાં ક્યારેક બનતી હોય છે. અગાઉ વર્ષ ૧૯૯૨માં આવું  ગ્રહણ થયું ત્યારે ચંદ્ર દૃષ્ટિમાન થતો નહોતો. એ વખતે ફિલિપાઇન્સમાં માઉન્ટ પિનાટૂબો ફાટવાના થોડા વખત પછી થયું હતું.

May 14, 2022
munka.jpg
1min453

દેશની રાજધાનીના પશ્ચિમી વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત ચાર માળની વ્યાપારી બિલ્ડિંગમાં શુક્રવારે Dt.13/5/22 સાંજે આગ લાગવાથી ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને અન્ય 12 લોકો દાઝી ગયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આગ બિલ્ડિંગની પ્રથમ માળથી લાગવાની શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર નિર્માતા કંપનીની ઓફિસ હતી. ધીરે-ધીરે આ આગ બીજા અને ત્રીજી ફ્લોર પર પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે 30 થી વધુ ફાયર એન્જિનોને સેવામાં લગાવવામાં આવી હતી. આ બિલ્ડીંગ પાસે ફાયર વિભાગની એનઓસી નહોતી.

આ ત્રણ માળની બિલ્ડિંગમાં પ્રથમ માળ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ હતી જ્યારે બીજી માળ પર વેર હાઉસ અને ત્રીજા પર લેબ હતી. સૌથી વધારે મોત અત્યાર સુધી બીજી માળ પર થયા હોવાની માહિતી મળી છે. દુર્ઘટના દરમિયાન બીજા ફ્લોર પર મોટિવેશનલ સ્પીચ ચાલી રહી હતી. આ કાર્યક્રમના કારણે ત્યાં વધારે લોકો હાજર હતા. 

May 14, 2022
badminton-1280x768.jpg
1min431
Thomas & Uber Cup Quarterfinals LIVE: Indian men's team defeat Malaysia to  enter semi-finals, confirms bronze - Updates, Scores, Blog, Results

ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે થોમસ કપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમ 43 વર્ષના લાંબા ગાળા બાદ થોમસ કપના સેમિ ફાઇનલમાં પહોંચી છે અને ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક નિશ્ચિત કરી લીધો છે. આ પહેલા વર્ષ 1979માં ભારતીય ટીમ અંતિમવાર સેમિમાં પહોંચી હતી. થોમસ કપમાં કવોલીફાઇ ફોર્મેટમાં ફેરફાર બાદ આ પહેલો મોકો છે કે જયારે ભારતીય ટીમે મેડલ પાકો કર્યોં હોય. ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ રોમાંચક કવાર્ટર ફાઇનલમાં મલેશિયા વિરૂધ્ધ 3-2થી યાદગાર જીત મેળવી હતી.

ઉબેર કપમાં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમ બહાર થઇ ચૂકી છે.

પાંચ વખતની ચેમ્પિયન મલેશિયા વિરૂધ્ધ ભારતીય જોડી ચિરાગ શેટ્ટી-સાત્વિકરાજ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવનાર કિદાંબી શ્રીકાંત, અને એચએસ પ્રણોયને જીત મળી હતી.’ કવાર્ટર ફાઇનલમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર યુવા ખેલાડી લક્ષ્ય સેન વિશ્વ વિજેતા મલેશિયન ખેલાડી લી જી જિયા સામે 21-23 અને 9-21થી હારી ગયો હતો.

બીજા મુકાબલામાં ડબલ્સમાં ચિરાગ-સાત્વિકની જોડીએ મલેશિયન જોડીને 21-19 અને 21-1પથી હાર આપીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. બાદમાં અનુભવી શ્રીકાંતે એનજી યોંગને 21-11 અને 21-17થી હાર આપીને ભારતને 2-1થી આગળ કર્યું હતું. બીજા ડબલ્સ મેચમાં ભારતીય જોડી કૃષ્ણા પ્રસાદ-વિષ્ણુવર્ધનને હાર મળી હતી. આથી સ્કોર 2-2ની બરાબરી પર આવી ગયો હતો. નિર્ણાયક પાંચમા મુકાબલામાં એચએસ પ્રણોયે પર ભારતની તમામ આશા હતી. તેણે મલેશિયાના ખેલાડી હુન હાઓ લેઓંગ વિરૂધ્ધ 21-13 અને 21-8થી શાનદાર જીત મેળવીને ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડયું હતું અને ચંદ્રક નિશ્ચિત કરી દીધો હતો. સેમિમાં ભારતની ટક્કર દ. કોરિયા અને ડેનમાર્ક વચ્ચેની વિજેતા ટીમ સામે થશે.

May 14, 2022
rain_forecast.png
1min408

 હવામાન ખાતાએ કેરળમાં ૨૭ મેએ નૈર્ઋત્યના ચોમાસાનો વરસાદ શરૂ થવાની આગાહી કરી હતી. કેરળમાં ચોમાસું સામાન્ય કરતાં પાંચ દિવસ વહેલું બેસવાની આશા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે કેરળમાં ૨૭ મેએ ચોમાસું શરૂ થવાની શક્યતા છે. આ વખતે નૈર્ઋત્યનું ચોમાસું સામાન્ય તારીખ કરતાં વહેલું બેસવાની આશા છે. 

અગાઉ, ૨૦૦૯માં નૈર્ઋત્યનું ચોમાસું ૨૩ મેએ બેઠું હતું. હવામાન ખાતાના નિષ્ણાતોએ ‘અસાની’ વાવાઝોડાની અસરને લીધે કેરળમાં નૈર્ઋત્યનું ચોમાસું વહેલું શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. 

કૃષિ પર આધારિત દેશના અર્થતંત્ર માટે નૈર્ઋત્યનું ચોમાસું ઘણું મહત્ત્વનું ગણાય છે. ઉત્તર અને પશ્ર્ચિમ ભારતનાં રાજ્યોમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નૈર્ઋત્યના ચોમાસાના વહેલા આગમનની આગાહીથી ઘણી રાહત મળવાની આશા છે. અગાઉ, હવામાન ખાતાએ આંદામાન અને નિકોબારમાં નૈર્ઋત્યનું ચોમાસું એક અઠવાડિયા વહેલું એટલે કે ૧૫ મેએ બેસવાની આગાહી કરી હતી. તમિળનાડુ, પુડુચેરી, કેરળમાં શનિવારે ભારે વરસાદ પડવાની આગાહી છે.

May 13, 2022
parliament.jpg
1min410

ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૧૧, તમિલનાડુ-મહારાષ્ટ્રમાં ૬-૬ બેઠકો પર ચૂંટણી યોજાશે

ભાજપને લાભ છતાં બહુમતીથી દૂર રહેવાની શક્યતા : ઉપલા ગૃહમાં આપનું પ્રભુત્વ વધશે, અકાલી દળને મોટું નુકસાન


દેશના ૧૫ રાજ્યોમાં રાજ્યસભાની ૫૭ બેઠકો પર ૧૦મી જૂને ચૂંટણી યોજાવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આ ચૂંટણી પછી અકાલી દળ ગૃહમાં હાજરી ગુમાવશે જ્યારે ભાજપને મહત્તમ લાભ થવા છતાં તે બહુમતીથી દૂર રહેવાની શક્યતા છે. આ ચૂંટણી પછી ગૃહમાં ‘આપ’નું કદ વધશે.

ચૂંટણી પંચે ગુરુવારે Dt.12/5/22 જાહેરાત કરી હતી કે જૂન અને ઑગસ્ટ વચ્ચે વિવિધ તારીખોએ કેટલાક સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડનારી બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસના નેતાઓ અંબિકા સોની, જયરામ રમેશ તથા કપિલ સિબલ અને બસપના સતિષ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સભ્યો ૨૧મી જૂન અને ૧લી ઑગસ્ટ વચ્ચે નિવૃત્ત થશે. કેન્દ્રીય મંત્રીઓએ આ ચૂંટણીમાં ફરી ચૂંટાઈ આવવું પડશે. રાજ્યસભાની ચૂંટણીનો આગામી તબક્કો વર્ષ ૨૦૨૪માં આવશે.
રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની સૌથી વધુ ૧૧ બેઠકો પર મતદાન થશે જ્યારે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં ૬-૬, બિહારમાં પાંચ, કર્ણાટક, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાંથી ૪-૪, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં ૩-૩, પંજાબ, ઝારખંડ, હરિયાણા, છત્તિસગઢ તથા તેલંગાણામાં ૨-૨ તથા ઉત્તરાખંડમાં એક બેઠક પર ચૂંટણી યોજાશે.

 હાલમાં ૨૪૫ સભ્યાની રાજ્યસભામાં ભાજપના ૯૫, કોંગ્રેસના ૨૯ સાંસદો છે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં ભાજપને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ નુકસાન થશે, જ્યાં તેના ત્રણ સભ્યો વિદાય લઈ રહ્યા છે. આ સિવાય ઝારખંડ અને રાજસ્થાનમાંથી પણ તેના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે, ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સૌથી વધુ લાભ મળશે. ઉત્તર પ્રદેશમાં ખાલી પડી રહેલી ૧૧ બેઠકોમાંથી પાંચ ભાજપની છે. શાસક પક્ષ ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકો જીતે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાનારી રાજ્યસભાની આ ચૂંટણી ઘણી મહત્વની બની જશે.

વધુમાં આ ચૂંટણી પછી ઉપલા ગૃહમાં નવ નિશ્ચિત અને એક સંભવિત બેઠક સાથે આમ આદમી પાર્ટીની તાકાત વધશે. આ દેખાવ સાથે આપ ગૃહમાં ટોચના પાંચ પક્ષોમાં સામેલ થઈ જશે. મહારાષ્ટ્રમાં શાસક પક્ષ શિવસેના-એનસીપી-કોંગ્રેસનું જોડાણ રાજ્યની ત્રણેય બેઠકો સરળતાથી જીતી લેશે જ્યારે ભાજપ તેની ત્રણમાંથી બે બેઠકો જીતશે. આ ચૂંટણી પછી ગૃહમાંથી અકાલી દળના એકમાત્ર સભ્ય નિવૃત્ત થઈ જશે જ્યારે બસપ એક સાંસદ સુધી સિમિત થઈ જશે.

May 13, 2022
electric.jpg
1min465

જર્કે FPPPAમાં વધુ ૨૦ પૈસાનો વધારો કરવાની છૂટ આપી

ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ રૂ. ૨.૩૦થી વધારીને રૂ. ૨.૫૦ કરી આપ્યા

ગુજરાત વીજ નિયમન પંચના નવા નિયુક્ત થયેલા ચેરમેને ગુજરાત ઉર્જા વિકાસ નિગમની ચાર વીજ વિતરણ કંપનીઓને વીજદરમાં ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ વધારે ૨૦ પૈસા લેવાની છૂટ આપી દીધી છે. પહેલી મે ૨૦૨૨થી વીસ પૈસાનો યુનિટદીઠ વધારો લેવાની છૂટ આપી દેવામાં આવી છે. પહેલા ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટદીઠ રૂ. ૨.૩૦ લેવાતા હતા તે વધારીને રૂ. ૨.૫૦ લેવાની વ્યવસ્થા કરી આપી છે. એફપીપીપીએમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો વધારો કરી આપવાને પરિણામે ગુજરાતના ૧.૩૦ કરોડ વીજ જોડાણધારકો પરના વીજબિલમાં વરસે રૂ. ૩૨૪૦ કરોડનો વધારાનો બોજ આવશે.

જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૨ના ત્રિમાસિક ગાળા માટે એફપીપીપીએમાં યુનિટદીઠ ૧૦ પૈસાનો વધારો કરી આપ્યા બાદ હવે બીજો ૨૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ છેલ્લા ચાર જ મહિનામાં એફપીપીપીએમાં યુનિટદીઠ વીજદરમાં ૫૦ પૈસાનો વધારો કરી આપવામાં આવ્યો છે. આમ તો ગુજરાત સરકારની વીજ વિતરણ કંપનીઓએ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ યુનિટદીઠ રૃ. ૨.૬૨ લેવાના થાય છે. તેમાંથી યુનિટદીઠ રૃ. ૨.૩૦ વસૂલવામાં આવતા હતા. મે ૨૦૨૨થી તેઓ હવે યુનિટદીઠ રૃ. ૨.૫૦ વસૂલી શકશે. તેથી મે અને જૂન મહિનાના વીજ બિલમાં યુનિટદીઠ ૨૦ પૈસાનો અને ૨૦૦ યુનિટના વીજ વપરાશકારોને માથે વીજ બિલમાં રૃ. ૪૦ અને ઇલેક્ટ્રિસિટી ડયૂટી સાથે રૃ. ૪૫થી ૪૮નો વધારો આવશે.

વીજદરના યુનિટદીઠ રૃ. ૩.૦૫ના સૌથી નીચા સ્લેબમાં એફપીપીપીએમાં ૪૪ ટકાનો વધારો આવ્યો છે. આ વધારો ૪૪ ટકાનો છે. વીજદર ન વધારવાનો દેખાવ કરીને લોકોને માથે ૪૪ ટકાના વધારાનો બોજ નાખી દેવા માટે માત્ર જર્ક જ જવાબદાર છે. ગુજરાતની મોંઘી વીજળી માટે જર્ક જ જવાબદાર છે.

જર્કે એવો દાવો કર્યો છે કે છેલ્લા છ વરસથી વીજદરમાં કોઈ જ વધારો આપવામાં આવ્યો નથી. પરંતુ બીજીતરફ તેણે એફપીપીપીએને નામે આડકતરી રીતે વીજદરમાં ૪૪ પૈસાનો વધારો આવી દીધો હોવાનું વીજ સેક્ટરના નિષ્ણાત કે.કે. બજાજનું કહેવું છે. છેલ્લા વીસ દિવસમાં યુનિટદીઠ ભાવમાં કરી આપવામાં આવેલા ૩૦ પૈસાના વધારાને કારણે વીજ ગ્રાહકોને માથે મહિને રૃ. ૨૭૦ કરોડનો વધારાનો બોજ આવશે. ગેસ અને કોલસાના ભાવ વધી ગયા છે. તેને કારણે પાવર પરચેજ કોસ્ટ ઊંચી જ જવાની છે. તેથી એફપીપીપીએ વધીને રૃ. ૨.૯૮ સુધી પહોંચી જશે.

ધોળા હાથીને બંધ કરીને ગ્રાહકોનો વીજદર વધારાનો બોજ હળવો કરો

ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથેના અબજો રૃપિયાનો બોજ ઓછો કરવા માટે ગુજરાત સરકારની ધોળા હાથીઓ જેવી વીજ કંપનીઓ બંધ કરી દેવી જોઈએ. આ કંપનીઓ વીજળી પેદા ન કરતી હોવા છતાંય તેને માટે કરવામાં આવેલા મૂડીરોકાણના વ્યાજ, પ્લાન્ટની જાળવણી અને કર્મચારીઓના પગાર ખર્ચનો બોજ તેમને માથે આવે જ છે. તેથી તે બંધ કરી દેવામાં આવે તે વીજગ્રાહકોના હિતમાં છે.

ગુજરાતના પાવર સેક્ટરમાં કેએલટીપીએસના ૪ પાવર પ્લાન્ટ ધોળા હાથી જેવા છે. ૭૫ મેગાવોટના આ પ્લાન્ટમાં એક વરસમાં માત્ર ૪.૮૦ કરોડ વીજળી જ પેદા કરવામાં આવી છે. જે તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતાના માત્ર ૭.૨ ટકા જ છે. જૂન ૨૦૨૧થી ફેબ્રુઆરી ૨૦૨૨ના નવ મહિના સુધી આ પાવર પ્લાન્ટ સાવ જ બંધ રહ્યો હતો. તેને જંગી બોજો એફપીપીપીએના સ્વરૃપમાં ગુજરાતના ૧.૩૦ કરોડ વીજગ્રાહકોને માથે આવ્યો છે. પાનધ્રોના ૬૫૦ મેગાવોટના પાવર પ્લાન્ટના નબળા ઉત્પાદનને કારણએ જ ગુજરાતના વીજ વપરાશકારોને માથે ભાવ વધારાનો બોજ આવી રહ્યો છે. બીએલટીપીએસનો પ્લાન્ટ પણ તેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા સામે માત્ર ૩૭.૮ ટકા વીજળી જ પેદા કરે છે. લિગ્નાઈટથી ચાલતા પાવર પ્લાન્ટમાં યુનિટદીઠ રૂ. ૩થી ઓછા ભાવે વીજળી પેદા થાય છે. પરંતુ આ વીજળી પેદા ન કરીને વીજગ્રાહકોને માથે ખર્ચબોજ વધારવામાં આવી રહ્યો છે.