CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 8 of 21 - CIA Live

May 27, 2021
whatsapp.jpg
1min384

વૉટ્સઍપે સરકારના નવા ડિજિટલ કાયદાને દિલ્હી વડી અદાલતમાં પડકાર્યો હતો.

વૉટ્સઍપે દલીલ કરી હતી કે એન્ક્રિપ્ટેડ મેસેજની માહિતી પૂરી પાડવાની સરકારની માગણી પ્રાઇવસી પ્રૉટેક્શનની વિરુદ્ધ છે.

અરજીમાં જણાવાયું હતું કે કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખીને તેની માહિતી સરકારને આપવાની જોગવાઇ ધરાવતી નીતિ બંધારણમાં અપાયેલા વ્યક્તિગત પ્રાઇવસીના અધિકારનો ભંગ કરે છે.

વૉટ્સઍપના પ્રવક્તાએ બુધવારે નિવેદનમાં જણાવ્યું હતું કે વૉટ્સઍપ પર કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખવાની ફરજ પાડવાનો અર્થ વૉટ્સઍપ પર સંદેશો મોકલનારા દરેકના આંગળાની છાપ રાખવા બરાબર થાય અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની નીતિની વિરુદ્ધ છે તેમ જ બંધારણમાં અપાયેલા પ્રાઇવસીના અધિકારનો પણ ભંગ કરે છે. સરકારના નવા ડિજિટલ કાયદાને જો ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ નહિ અનુસરે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને બીભત્સ સાહિત્ય અને ફૉટા પણ જાતે જ કાઢી નાખવાનો આદેશ આપ્યો છે.

સરકારે ગઇ પચીસ ફેબ્રુઆરીએ નવા ડિજિટલ કાયદાની જાહેરાત કરી હતી.

દરમિયાન, ગૂગલ અને ફેસબુકે જણાવ્યું હતું કે અમે સરકારની નવી માર્ગદર્શિકાને અનુસરવા જરૂરી પગલાં લઇ રહ્યા છીએ.

May 22, 2021
air-india.jpg
1min476

સરકારની એરલાઈન્સ કંપની એર ઈન્ડિયા પર મોટો સાયબર હુમલો થયો હતો. તેમાં એરલાઈન્સના મુસાફરોની મહત્વની માહિતીઓ ચોરવામાં આવી હતી. તેમાં પાસપોર્ટ અને ક્રેડિટ કાર્ડ સાથે સંલગ્ન માહિતી પણ સામેલ છે. એર ઈન્ડિયાએ જાણકારી આપી છે કે, તેનું SITA PSS સર્વર, જે મુસાફરી કરનારાઓની વ્યક્તિગત માહિતીઓ સ્ટોર અને પ્રોસેસ કરતું હતું, તેના પર સાયબર એટેક થયો હતો.

એર ઈન્ડિયાએ આ સાયબર હુમલાની જાણકારી હવે આપી છે. તેણે કહ્યું કે, આ હુમલો ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે કરાયો. તેમાં મુસાફરોની માહિતીની ચોરી કરવામાં આવી. તેમાં મુસાફરોના નામ, જન્મની તારીખ, કોન્ટેક્ટ સાથે જોડાયેલી માહિતી, પાસપોર્ટની જાણકારી અને ટિકિટની માહિતી સામેલ છે.

એર ઈન્ડિયાએ આ ઘટના અંગે કહ્યું કે, ‘અમને આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરપથી પહેલી વખત આ વર્ષે 25 ફેબ્રુઆરીએ જાણ કરવામાં આવી હતી. અમે એ સ્પષ્ટ કરવા ઈચ્છીએ છીએ કે, આ અંગે અમારા ડેટા પ્રોસેસર તરફથી પ્રભાવિત ડેટાની જાણકારી માત્ર 25-03-2021 અને 5-04-2021એ આપવામાં આવી હતી.’

એરલાઈન્સે એમ પણ કહ્યું કે, આ અંગે તે સ્થિતિની યોગ્ય જાણકારી આપવા ઈચ્છે છે. આ જાણકારી 19 માર્ચે તેની વેબાસાઈટ પર આ અંગે અપાયેલી જાણકારી ઉપરાંતની છે. તેણે કહ્યું છે કે, આ સાયબર હુમલામાં સ્ટાર અલાયન્સ અને એર ઈન્ડિયા ફ્રિક્વન્ટ ફ્લાયર ડેટાની સાથે જ ક્રેડિટ કાર્ડના ડેટાની પણ ચોરી કરાઈ હતી.

સરકારી એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાના સર્વરને ઓગસ્ટ 2011 અને ફેબ્રુઆરી 2021 વચ્ચે નિશાન બનાવાયું હતું, આ સાયબર હુમલામાં મુસાફરોના ક્રેડિટ કાર્ડ સહિતની ઘણી મહત્વની માહિતીઓની ચોરી

May 20, 2021
CIA_Live_Logo_New2.jpg
8min781

આ વિડીયો જુઓ અને એ પ્રમાણે ઘરે ટેસ્ટ કરી શકશો

આ વિડીયો અમે અહીં તા.20 મે 2021ના રોજ સાંજે 5 કલાકે પોસ્ટ કર્યો હતો, એ પછી પ્રકાશકોએ યુ ટ્યુબ પર તેને પ્રાઇવેટ કરી દીધો હતો.

એકાદ અઠવાડીયાના સમયગાળામાં હોમ બેઝ રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ બજારમાં મળતી થઇ જશે

ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તા.19મી મે 2021ના રોજ મહત્વની જાહેરાતમાં જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટીંગને વધુ વ્યાપક અને છેવાડા સુધી પહોંચાડવા માટે ટૂંક સમયમાં ભારતમાં હોમ (ગૃહ) બેઝ્ડ રેપિડ એન્ટીજન ટેસ્ટ શક્ય બનશે. કોરોનાના કોઇપણ લક્ષણ ધરાવતી વ્યક્તિ મેડીકલ સ્ટોર પરથી રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ ખરીદીને પોતાનો ટેસ્ટ જાતે કરી શકશે અને તેનું રિપોર્ટિંગ નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશન મારફતે થઇ શકશે. ગ્રામિણ વિસ્તારોમાં કે જ્યાં હજુ સુધી કોરોના ટેસ્ટિંગની સુવિધા નથી અગર તો વિલંબથી ટેસ્ટીંગ રિપોર્ટ મળી રહ્યા છે ત્યાં આ પદ્ધતિ મારફતે ઘનિષ્ટ ટેસ્ટીંગ થઇ શકે તેમ હોવાથી આઇ.સી.એમ.આર.એ ભારતમાં હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

Now, test for Covid-19 at home and get result in 15 minutes: 10 things to  know

ફક્ત કોરોનાના નિર્ધારિત લક્ષણો પૈકી કોઇ એક લક્ષણ ધરાવતા વ્યક્તિઓ હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરી શકશે. તદુપરાંત કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો માટે આ ટેસ્ટ આશીર્વાદ રૂપ બની શકે છે.

ઘરે કોરોનાની ટેસ્ટિંગ માટે રેપિડ એન્ટિજન કિટ કોવિસેલ્ફ ટીએમ (CoviSelfTM)- પેથોકેચ બનાવવામાં આવી છે. આને પુણે સ્થિત માઇલેબ ડિસ્કવરી સૉલ્યૂશન નામની કંપનીએ તૈયાર કરી છે. આ કિટના ઘરે ઉપયોગને લઈને એક એપ પણ બનાવવામાં આવી છે, જેના પ્રયોગની રીત જાણી શકાય. જો કે, આઇસીએમઆરે આના અંધાધુંધ ઉપયોગને લઈને ચેતવણી આપી છે.

આઇસીએમઆરે કહ્યું કે ટેસ્ટ કિટ સાથે મોબાઇલ એપ પરીક્ષણને લઈને સંપૂર્ણ માહિતી આપે છે. આના દરેક યૂઝરને સલાહ છે કે તે ટેસ્ટ પૂરી કર્યા પછી આવેલા પરિણામનો એક ફોટો મોબાઇલ પર લેવો અને એપ પર અપલોડ કરવો. જેથી ફોનમાં રહેલ ડેટા કેન્દ્રના સુરક્ષિત સર્વરમાં એકઠો થશે અને આઇસીએમઆરના કોવિડ-19 ટેસ્ટિંગ પોર્ટલમાં પણ ટેસ્ટની માહિતી પહોંચી જશે. આઇસીએમઆરે કહ્યું કે તેમની પાસે દર્દીઓની માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે.

ICMRએ કહ્યું – જેમનો ટેસ્ટ પૉઝિટીવ આવે, તે પોતાને સંક્રમિત માને- ICMRએ ટેસ્ટ કિટ્સના દુરુપયોગને અટકાવવા માટે કહ્યું કે તે આનો ઉપયોગ એવા લોકો કરે, જેમને કોવિડ-19ના લક્ષણ છે અથવા તે કોઇ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા જેઓ કોરોના સંક્રમિત છે. આના અંધાધુંધ ટેસ્ટિંગની સલાહ આપવામાં આવતી નથી. જેટલા પણ લોકોનો ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે, તે ખરેખર પૉઝિટીવ માનવામાં આવે અને વારંવાર ટેસ્ટિંગની કોઇ જરૂર નથી.

કેટલી હશે ટેસ્ટની કિંમત
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, આ ટેસ્ટ કિટ બનાવનારી કંપની માઇલેબે પણ આની કિંમત નક્કી કરી છે. પાંચ મહિનામાં તૈયાર થયા પછી લૉન્ચિંગના સમયે આના લોકોને 250 રૂપિયા પ્રતિ કિટ પ્રમાણે ચૂકવવાના રહેશે. કંપનીના એમડી પ્રમાણે, આ ટેસ્ટ કિટ આવતા અઠવાડિયે માર્કેટમાં આવી શકે છે.

15 મિનિટમાં આવશે પરિણામ
કહેવામાં આવ્યું છે કે આની મદદથી ટેસ્ટ રિઝલ્ટ જાણવામાં વધારેથી વધારે 15 મિનિટનો સમય લાગશે. પૉઝિટીવ પરિણામ ફક્ત પાંચથી 7 મિનિટમાં જ ખબર પડી જશે, જ્યારે નેગેટિવ રિઝલ્ટ વિશ વધુમા વધુ 15 મિનિટ લાગશે. આ સિવાય ટેસ્ટ કરનાર વ્યક્તિએ પોતાના ફોનમાં માયલેબ કોવેસેલ્ફ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

News In English

Here is all you need to know about the home-based rapid antigen testing kit for Covid-19:

1) The home-based rapid antigen testing kit manufactured by Mylab Discovery Solutions Ltd, Pune, has been validated and approved by the ICMR.

2) Only a nasal swab will be required for this rapid antigen testing.

3) The name of the kit is CoviSelfTM(PathoCatch) COVID-19 OTC Antigen LF device.

4) The kit comes with a pre-filled extraction tube, a sterile nasal swab, one test card, and a biohazard bag. The person undertaking the test will have to download the Mylab coviself app on their mobile phone.

5) The home testing mobile app is available in Google play store and Apple store and must be downloaded by all users.

6) The mobile app is a comprehensive guide of the testing procedure and will provide a positive or negative test result to the patient.

7) There will be two sections on the test card—the control section and the test section.

8) If the bar shows up only at the control section ‘C’, the result is negative, and if the bar appears on both the control section and test (T) section, the test is positive.

9) According to a report in Hindustan Times, the test kit will be priced at ₹250 per kit.

10) It takes 2 minutes to conduct test & 15 minutes to get a result. It will be available by end of next week in more than 7 lakh pharmacies & our online pharmacy partners across India

The Indian Council of Medical Research (ICMR) has approved a home-based rapid antigen testing (RAT) kit for Covid-19, which will be soon available in the market and can be used for detecting positive cases in home setting.

“Home testing by RAT is advised only in symptomatic individuals and immediate contacts of laboratory confirmed positive cases,” ICMR said in an advisory issued on Wednesday.

The move is expected to make testing widely available and accessible, particularly in rural areas. Besides, home-based RAT would also mean symptomatic people will not necessarily have to step out for testing, lowering the risk of transmission.

The Council also advised against indiscriminate testing. It also said that all test positive individuals are advised to follow home isolation and care as per the ICMR protocol.

Currently, the approved kit is manufactured by Mylab Discovery Solutions and home testing should be conducted as per the procedure described by the manufacturer in the user manual. The home testing mobile App is available in Google play store and Apple store and must be downloaded by all users.

All users are advised to click a picture of the test strip after completing the test procedure with the same mobile phone which has been used for downloading the mobile app and user registration.

Data in the App of mobile phone will be centrally captured in a secure server which is connected with the ICMR Covid-19 testing portal, where all data will be eventually stored.

Manufacturer’s instructions must be strictly followed for disposal of the test kit, swab and other materials.

All individuals who test positive may be considered as true positives and no repeat testing is required, ICMR said.

May 20, 2021
WhatsApp_Logo-1920-1280x720.jpg
1min426

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટૅક્નોલોજી મંત્રાલયે વૉટ્સએપને તેની નવી પ્રાઇવસી પૉલિસી પાછી ખેંચવા આદેશ આપ્યો છે, એવી આધારભૂત સૂત્રોએ માહિતી આપી હતી.

સરકારે નોટિસનો જવાબ આપવા માટે વૉટ્સએપને સાત દિવસની મુદત આપી છે અને જો આ સાત દિવસમાં વૉટ્સએપ પાસેથી સંતોષકારક જવાબ નહીં મળે તો કાનૂનને આધારે યોગ્ય પગલાં ભરવામાં આવશે, એમ સરકારે જણાવ્યું છે.

વૉટ્સએપની નવી પ્રાઇવસી પૉલિસી ભારતના વર્તમાન કાયદા અને નિયમોની કેટલીક જોગવાઇઓનો કેવી રીતે ભંગ કરે છે, એ અંગે કેન્દ્ર સરકારે વૉટ્સએપનું ધ્યાન દોર્યું છે. ભારતીય નાગરિકોના અધિકારો અને હિતોની રક્ષા કરવાની સાર્વભૌમ જવાબદારીના પાલન માટે કેન્દ્ર સરકાર ભારતીય કાયદા અંતર્ગત વિવિધ વિકલ્પોની સમીક્ષા કરશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ઘણાં ભારતીયો દૈનિક જીવનમાં વાતચીત કરવા માટે વૉટ્સએપ પર નિર્ભર છે. યુરોપ અને અન્ય દેશોના વપરાશકર્તાઓ માટે વૉટ્સએપની પૉલિસી અલગ છે અને ભારતીયો માટે વૉટ્સએપની નીતિ અલગ છે. ભારતીય વૉટ્સએપ વપરાશકર્તાઓ સાથે ભેદભાવ રાખી તેમની પર અન્યાયી શરતો લાદવાનું વૉટ્સએપનું પગલું સમસ્યારૂપ અને બેજવાબદાર છે, એમ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું.

May 8, 2021
CoWIN.jpg
1min708

ઑનલાઇન વૅક્સિનેશન માટે દેશના નાગરિકોને પડી રહેલી અગવડ અને અન્ય નાની-નાની ભૂલોને ઓછી કરવા માટે સરકાર ૮ મેથી કોવિન ઍપ્લિકેશનમાં ચાર આંકનો સુરક્ષા કોડ ધરાવતી નવી સુરક્ષા સુવિધા ઉમેરી રહી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલાક કેસમાં એવું નોંધાયું છે કે કોવિડની વૅક્સિનેશન માટે કોવિન પૉર્ટલ પર બુકિંગ કરાવ્યા બાદ નિર્ધારિત સમયે વૅક્સિન લેવા ન પહોંચી શકેલા લોકોને તેમના મોબાઇલમાં રસી ન મેળવી હોવા છતાં તેમને રસી આપવામાં આવી હોવાનો મેસેજ મળ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે વૅક્સિનેટરની ભૂલને લીધે વૅક્સિન ન લીધી હોવા છતાં વૅક્સિન આપવામાં આવી હોવાનો મેસેજ મેળવનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે. નવી સુરક્ષા સુવિધા ઉમેરાયા બાદ વૅક્સિન માટેની તમામ ચોકસાઈ કરી લીધા બાદ વૅક્સિન લેનારને ચાર ડિજિટનો એક કોડ પૂછવામાં આવશે, જે ભર્યા બાદ લાભાર્થીના વૅક્સિનેશનનું સ્ટેટસ જાણી શકાશે.

April 17, 2021
cyberfraud.jpg
1min518

સામેની વ્યક્તિ તમારો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરીને પૈસાની માગણી કરી શકે છે : સુરતમાં જ નહીં આવા અનેક કિસ્સાઓ ભારતમાં બની રહ્યા છે

લૉકડાઉન દરમ્યાન સોશ્યલ મીડિયાનો ઉપયોગ મોટા પ્રમાણમાં થઈ રહ્યો હોવાથી એનો ક્યાં અને કેટલો ઉપયોગ કરવો એ દરેક વ્યક્તિ માટે જરૂરી બન્યું છે. હાલમાં સાઇબર ગઠિયાઓ લોકો સાથે ન્યુડ ચૅટ કરી સામેવાળાનો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરી તેમની પાસે પૈસાની મોટા પ્રમાણમાં માગણી કરી રહ્યા હોવાની માહિતી સાઇબર સેલ પાસે પહોંચી છે. ભાંડુપમાં રહેતી પચીસ વર્ષની એક અજાણી વ્યક્તિ સાથે ન્યુડ ચૅટ કરીને સામેની વ્યક્તિએ તેનો વિડિયો સ્ક્રીન રેકૉર્ડ કરી લીધો હતો અને એને વૉટ્સઍપ દ્વારા મોકલીને ૧૫,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી જેની ફરિયાદ ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ છે.

ભાંડુપ (વેસ્ટ)માં સોનાપુર જંક્શન નજીક રહેતા પચીસ વર્ષના યુવાનને સોશ્યલ મીડિયા (ફેસબુક) પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે ‘રિક્વેસ્ટ જોઈને યુવાને તરત માન્ય કરી હતી. એમાં તેણે યુવતીએ હાયનો મેસેજ મોકલતાં યુવક તેની સાથે ચૅટિંગ કરવામાં મશગૂલ થઈ ગયો હતો. બે દિવસ ચૅટ કર્યા બાદ યુવતીએ તેનો મોબાઇલ-નંબર યુવકને આપ્યો હતો જેમાં યુવતીએ વિડિયો-કૉલ કરીને યુવકને પોતાના શરીરનાં અંગો દેખાડ્યાં હતાં. એ દરમ્યાન યુવતીએ પણ યુવકને પોતાના શરીરનાં અંગો દેખાડવા માટે કહ્યું હતું. યુવકે એક્સાઇટમેન્ટમાં આવીને સામે કપડાં કાઢીને પોતાના શરીરનાં અંગો દેખાડ્યાં હતાં. યુવક પોતાના શરીરનાં અંગો દેખાડી રહ્યો હતો ત્યારે યુવતીએ પોતાનો કૅમેરા બંધ કરીને વિડિયો કૉલનો સ્ક્રીન રેકૉર્ડ કરી લીધો હતો. ફોન કટ થવાના થોડી જ વારમાં યુવકને એક વૉટ્સઍપ આવ્યો હતો જેમાં પોતાનો જ વિડિયો દેખાયો હતો અને સામે યુવતીએ કહ્યું હતું કે તું મને ૧૫,૦૦૦ રૂપિયા મોકલ, નહીં તો હું આ વિડિયો સોશ્યલ મીડિયા પર અને યુટ્યુબ પર પોસ્ટ કરી દઈશ. ગભરાયેલા યુવકે તરત ભાંડુપ પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.’

હીરાનો બિઝનેસ કરતા વેપારીને પણ ફ્રેન્ડ-રિક્વેસ્ટ સ્વીકારવાનું ભારે પડ્યું

વાલકેશ્વરમાં રહેતો અને હીરાનો બિઝનેસ કરતો ૨૭ વર્ષનો વેપારી હનીટ્રૅપમાં ફસાઈ ગયો હતો. તેને એક મહિલાની ફેસબુક પર ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હતી. એ ઍક્સેપ્ટ કર્યો બાદ તેમની વચ્ચે ચૅટ ચાલુ થઈ હતી. એ દરમિયાન વેપારીએ તેનો મોબાઇલ નંબર શૅર કર્યો હતો. 

તેમની વચ્ચે ન્યુડ વિડિયો-ચૅટ થઈ હતી જેમાં વેપારીએ પોતાનાં કપડાં પણ કાઢ્યાં હતાં. આ વિડિયો સાઇબર ગઠિયાએ રેકૉર્ડ કરી લીધો હતો. થોડી વારમાં આ ગઠિયાએ તેને વિડિયો મોકલીને પૈસાની માગણી કરતાં વેપારીએ પહેલાં પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. ત્યાર બાદ ૨૦,૦૦૦ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પરેશાન થઈને વેપારીએ મલબાર હિલ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

મલબાર હિલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સૂર્યકાંત બનગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ફરિયાદના આધારે અમે ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે

પોલીસનું શું કહેવું છે?

હાલમાં સાઇબર વિભાગમાં આવા કેસ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. લોકોને સતર્ક રહેવાની અને અજાણ્યા લોકો સામે વિડિયો કૉલિંગમાં આવાં કૃત્યો ન કરવા માટેની અમારી અપીલ છે. આ લોકો સિનિયર સિટિઝનને અને નવયુવાનોને પોતાનો શિકાર બનાવે છે. કેટલાક લોકો ગભરાઈને પૈસા પણ આપી દેતા હોય છે. જોકે થોડો સમય જતાં ફરી એક વાર તેઓ પૈસાની  માગણી કરતા હોય છે. જો તમે પણ આવા ફ્રૉડમાં ફસાયા હો તો પૈસા ન આપી તરત પોલીસ-ફરિયાદ નોંધાવો. – રાજેશ નગવાડે, ઈસ્ટર્ન વિભાગ સાઇબર સેલના સિનિયર ઇન્સ્પેક્ટર 

April 13, 2021
infosys.png
1min425
Infosys share buyback: Infosys board to consider share buyback proposal on  April 14 - The Economic Times

આઈટી સર્વિસ કંપની ઈન્ફોસિસે રવિવારે જણાવ્યું કે, તેના ડાયરેક્ટર બોર્ડ ૧૪ એપ્રિલે સેર બાયબેક પ્રપોઝલ પર વિચાર કરશે. ઈન્ફોસિસે શેર માર્કેટને આપેલ માહિતીમાં જણાવ્યું છે કે, ભારતીય સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી) નિયમન, ૨૦૧૮ પ્રમાણે કંપનીના ડાયરેક્ટર બોર્ડની ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ યોજાનારી બેઠકમાં પૂર્ણપણે ચૂકતા શેર મૂડીના બાયબેક માટે પ્રસ્તાવ અંગે વિચાર કરવામાં આવશે. બેંગાલુરૂની આ કંપનીના ડાયરેક્ટર બોર્ડની બેઠક ૧૩-૧૪ એપ્રિલ ૨૦૨૧એ યોજાવાની છે. આમાં ૩૧ માર્ચ ૨૦૨૧એ પૂરા થતા ક્વાર્ટર અને નાણાકીય વર્ષમાં કંપની અને તેના સબસીડિયરી યુનિટના ફાઈનાન્શિયલ રિઝલ્ટને મંજૂરી અને તેના રેકોર્ડમાં લાવવામાં આવશે. આ અગાઉ, ઈન્ફોસિસે ઓગસ્ટ ૨૦૧૯માં ૮,૨૬૦ કરોડ રૂપિયાની વેલ્યૂએશનના ૧૧.૦૫ કરોડ શેરની પુન: ખરીદી કરી હતી. કંપનીએ આ પહેલા શેર બાયબેક ડિસેમ્બર ૨૦૧૭માં ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનું મૂલ્ય હતું. આમાં કંપનીએ ૧,૧૫૦ રૂપિયા પ્રતિ ઈક્વિટીના ભાવે ૧૧.૩ કરોડ શેરની પુન:ખરીદી કરી હતી.

April 6, 2021
pariksha-pe-charcha.jpg
1min641

દેશના વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’, આ વખતે નવા વર્ચ્યુઅલ ફોર્મેટમાં સાતમી એપ્રિલે યોજાશે. વડા પ્રધાને આ બાબતની જાહેરાત ટ્વિટર પર કરતા જણાવ્યું હતું કે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે આપણા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, એમનાં માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર અનેક રસપ્રદ સવાલો અને યાદગાર ચર્ચા નવા ફોર્મેટમાં યોજાશે.

આ સાથે એમણે એક વીડિયો ટૅગ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા જણાયા હતા કે આપણે ગત એક વર્ષથી કોરોના વાઇરસના રોગચાળાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છીએ અને એ કારણે મારે તમને મળવાનો લહાવો જતો કરવો પડયો છે તથા હું તમારી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ નવી ફોર્મેટમાં વાતચીત કરીશ. એમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને તક તરીકે જોવાની અને જીવનના સ્વપ્નના અંત તરીકે ન જોવાની સલાહ આપી હતી. વીડિયોમાં જણાવાયું હતું કે આ વર્ચ્યુઅલ ઇવૅન્ટમાં વડા પ્રધાન વિદ્યાર્થીઓ સાથે મિત્ર તરીકે વાતો કરશે અને એમના માતાપિતા તથા શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે. આ કાર્યક્રમનું નામ ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ હોય, પણ ચર્ચા ફક્ત પરીક્ષા સુધી જ સીમિત નહીં હોય. ‘પરીક્ષા પે ચર્ચા ૧.૦’નો કાર્યક્રમ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો અને એ વખતે વડા પ્રધાને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી.

March 31, 2021
TRAI.png
9min656

ટેલિકોમ રેગ્યુલેટરીઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ગઇ તા.૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ ભારતની 40 કંપનીઓ, બેંકો વગેરેનું એક લિસ્ટ બહાર પાડ્યું છે જે ભારતમાં લાગુ કરવામાં આવેલા SMSના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. ટ્રાઇના ડિફોલ્ટર્સ લિસ્ટમાં SBI, HDFC બેંક, ICICI બેંક ઉપરાંત LIC, એક્સિસ બેંક, IDBI બેંક, એન્જલ બ્રોકિંગ, બંધન બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેંક, ફ્લિપકાર્ટ, દિલ્હી, આઈડીએફસી ફર્સ્ટનો સમાવેશ થાય છે. યુનિયન બેંક જેવી બેંક મુખ્ય સંસ્થાઓ પણ આ લિસ્ટમાં શામેલ છે.

ટ્રાઇએ કહ્યું કે આ સંસ્થાઓ કન્ટેન્ટ ટેમ્પલેટ આઈડી, પીઈઆઈડી વગેરે જેવા ફરજિયાત પરિમાણોનું પાલન કરી રહી નથી, તેથી તેમને તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી બલ્ક મેસેજિંગની છૂટ આપી શકાય તેમ નથી. જો આ કંપનીઓ તા.૩૧મી માર્ચ પહેલા કોઈ ઈમરજન્સી પગલાં ભરી નહીં શકે તો તેમના ગ્રાહકોને નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઇમેઇલ પર ઓટીપી લેવાનું બંધ થઈ શકે છે.

ગ્રાહકોને આડેધડ મેસેજ કરતી બેંકો અને કંપનીઓનું આખું લિસ્ટ આ રહ્યું

S.No. Principal Entity Name

1 A&A DUKAAN FINANCIAL SERVICES PRIVATE LIMITED

2 Angel Broking Limited

3 AXIS BANK LIMITED

4 BAJAJ FINANCE LIMITED

5 BANDHAN BANK LIMITED

6 BANKOFBARODA

7 BANKOFINDIA

8 Canara Bank

9 Central Bank of India

10 Dakshin Haryana Bijli Vitran Nigam Limited

11 Delhivery Private Limited

12 FEDERAL BANK

13 Flipkart Internet Pvt. Ltd.

14 Freecharge Payment Technologies Private Limited

15 HDFC BANK LIMITED

16 ICICI BANK LIMITED

17 IDBI BANK LIMITED

18 IDFC FIRST BANK LIMITED

19 IndiabulIs Consumer Finance limited

20 INDIAN OVERSEAS BANK

21 INSTAKART SERVICES PRIVATE LIMITED

22 Kotak Mahindra Bank Ltd

23 Kotak Securities Limited

24 LIFE INSURANCE CORPORATION OF INDIA

25 MEDLIFE WELLNESS RETAIL PRIVATE LIMITED

26 National Stock Exchange of India Limited

27 PSI PHI GLOBAL SOLUTIONS PRIVATE LIMITED

28 PUNJAB NATIONAL BANK

29 RAJASTHAN STATE HEALTH SOCIETY

30 RBLBANKLIMITED

31 RELIANCE RETAIL LIMITED

32 SAMSUNG INDIA ELECTRONICS PRIVATE LIMITED

33 SBI Cards and Payment Services Limited

34 STATE BANK OF INDIA

35 Supermarket Grocery Supplied Private Limited

36 TATA AlA LIFE INSURANCE COMPANY LIMITED

37 UNION BANK OF INDIA

38 VEDANTU INNOVATIONS PRIVATE LIMITED

39 WOPLIN BLOCKCHAIN TECHNOLOGIES

40 Yes Bank Ltd

S.No. Defaulter Telemarketers

1 3M DIGITAL NETWORKS PVT LTD (MobTexting)

2 ACL MOBILE LIMITED

3 BBNL BharatNet NMS

4 Bhoopalam Marketing Services Pvt Ltd

5 BULKSMSGATEWAY

6 BUZIBEE TECHNOLOGIES PRIVATE LIMITED

7 Centre for development of Advanced computing

8 Christian Medical College Vellore Association

9 Cosmic Information & Technology Ltd.

10 DiGISPICE Technologies Limited

11 GreenAds Global Pvt Ltd

12 Gupshup Technology India Pvt. Ltd.

13 IMI Mobile Private Ltd

14 InfoBip

15 Infobip India Private Limited

16 INSIGHT CONSULTANCY SERVICES PRIVATE LIMITED

17 Karix MObile Pvt Ltd

18 LOTUS TRANSFORMS PRIVATE LIMITED

19 NAZI ENTERPRISES

20 NETXCELL LIMITED

21 One97 Communications Limited

22 ONEXTEL MEDIA PRIVATE LIMITED

23 Onweb Software Technologies Pvt. Ltd.

24 Parrot Infosoft Pvt Ltd

25 Pinnacle Tele services Private Limited

26 Proactive Professional Services Pvt Ltd

27 PRP SERVICES PVT. LTD.

28 RAMA INFOTECH PVT.LTD

29 Ravience Digital Pvt Ltd.

30 Ravience Digital Pvt Ltd. (Netcore)

31 ROUTE MOBILE LIMITED

32 SJS TECHCROME PRIVATE LIMITED

33 SOLUTIONS lNFlNI TECHNOLOGIES (INDIA) PVT LTD (Kaleyra)

34 Tanla

35 VALUEFIRST DIGITAL MEDIA PRIVATE LIMITED

36 VEGTER SMS SOLUTIONS PRIVATE LIMITED

37 virtuoso Netsoft Private Limited

38 VIVACONNECT PRIVATE LIMITED

39 WALKOVER WEB SOLUTIONS PRIVATE LIMITED

40 Wizhcomm Consultants and Technologies Private Limited

ટ્રાઇએ ફ્રોડ ઓછા કરવા માટે બલ્ક મેસેજિંગની આખી સિસ્ટમ બનાવી છે

ટ્રાઇએ આ સિસ્ટમ અનિચ્છનીય કોલ્સ અને એસએમએસ બંધ કરવા માટે બનાવી છે. કંપનીઓને કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને સંતોષ આપવા તેઓએ ટ્રાઇ દ્વારા સૂચવેલા ફોર્મેટમાં એસએમએસ મોકલવા જોઈએ. આની પાછળનું મુખ્ય કારણ લોકોને નકલી એસએમએસ દ્વારા ફિશિંગ જેવા સાયબર ક્રાઇમથી બચાવવું છે. ટ્રાઇ દ્વારા એસએમએસની છેતરપિંડી રોકવા માટે નવું એસએમએસ રેગ્યુલેશન રજૂ કરાયું હતું. પરંતુ આ પ્રક્રિયાને કારણે અનેક સમસ્યાઓ બહાર આવી હતી. ટ્રાઇએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ દિશાનિર્દેશોમાં બધા ટેલિકોમ ઓપરેટરોએ ડી.એલ.ટી. પર નોંધણી કરાવવાની રહેશે. તેનો હેતુ ઓટીપી છેતરપિંડી અને સ્પામ એસએમએસને અટકાવવાનો છે.

March 13, 2021
cia_society-1280x880.jpg
1min1150

કેન્દ્ર સરકારે શુક્રવારે તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ સ્થળાંતરીય લાભાર્થીઓ માટે ‘મેરા રાશન’ મોબાઇલ ઍપ લોન્ચ કરી હતી, જેના થકી તેઓ વાજબી ભાવની દુકાન શોધી શકે છે, તેમના હકની વિગતો જાણી શકે છે અને તેમના તાજેતરના વ્યવહારોની તપાસ કરી શકે છે.

Govt launches 'Mera Ration' app: Details here

નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા આ ઍપ લોન્ચ કરવામાં આવી છે. હાલમાં આ ઍપ હિંદી અને અંગ્રેજી ભાષામાં છે. ટૂંક સમયમાં આ ઍપ અન્ય ૧૪ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) મુજબ જાહેર વિતરણ સેવા (પીડીએસ) અંતર્ગત અત્યંત ઓછા દરે એટલે કે કિલો દીઠ એકથી ત્રણ રૂપિયાના દરે દેશના ૮૧ કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે અને તેઓને ‘વન નેશન વન રેશન કાર્ડ’ અંતર્ગત દેશના ૩૨ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં રેશન કાર્ડ પોર્ટેબિલીટી સેવાનો લાભ પણ આપવામાં આવે છે.