CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 8 of 20 - CIA Live

April 6, 2021
pariksha-pe-charcha.jpg
1min623

દેશના વિદ્યાર્થીઓ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વાર્ષિક સંવાદ ‘પરીક્ષા પે ચર્ચા’, આ વખતે નવા વર્ચ્યુઅલ ફોર્મેટમાં સાતમી એપ્રિલે યોજાશે. વડા પ્રધાને આ બાબતની જાહેરાત ટ્વિટર પર કરતા જણાવ્યું હતું કે સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે આપણા બહાદુર એક્ઝામ વૉરિયર્સ, એમનાં માતાપિતા અને શિક્ષકો સાથે વિવિધ વિષયો પર અનેક રસપ્રદ સવાલો અને યાદગાર ચર્ચા નવા ફોર્મેટમાં યોજાશે.

આ સાથે એમણે એક વીડિયો ટૅગ કર્યો હતો, જેમાં તેઓ એમ કહેતા જણાયા હતા કે આપણે ગત એક વર્ષથી કોરોના વાઇરસના રોગચાળાના ઓછાયા હેઠળ જીવી રહ્યા છીએ અને એ કારણે મારે તમને મળવાનો લહાવો જતો કરવો પડયો છે તથા હું તમારી સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ નવી ફોર્મેટમાં વાતચીત કરીશ. એમણે વિદ્યાર્થીઓને પરીક્ષાને તક તરીકે જોવાની અને જીવનના સ્વપ્નના અંત તરીકે ન જોવાની સલાહ આપી હતી. વીડિયોમાં જણાવાયું હતું કે આ વર્ચ્યુઅલ ઇવૅન્ટમાં વડા પ્રધાન વિદ્યાર્થીઓ સાથે મિત્ર તરીકે વાતો કરશે અને એમના માતાપિતા તથા શિક્ષકો સાથે પણ ચર્ચા કરશે. આ કાર્યક્રમનું નામ ભલે ‘પરીક્ષા પે ચર્ચા’ હોય, પણ ચર્ચા ફક્ત પરીક્ષા સુધી જ સીમિત નહીં હોય. ‘પરીક્ષા પે ચર્ચા ૧.૦’નો કાર્યક્રમ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાયો હતો અને એ વખતે વડા પ્રધાને વિદ્યાર્થીઓ સાથે પ્રત્યક્ષ વાતચીત કરી હતી.

March 31, 2021
TRAI.png
9min629

ટેલિકોમ રેગ્યુલેટરીઓથોરિટી ઓફ ઈન્ડિયા એ ગઇ તા.૨૦મી માર્ચ ૨૦૨૧ના રોજ ભારતની 40 કંપનીઓ, બેંકો વગેરેનું એક લિસ્ટ બહાર પાડ્યું છે જે ભારતમાં લાગુ કરવામાં આવેલા SMSના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. ટ્રાઇના ડિફોલ્ટર્સ લિસ્ટમાં SBI, HDFC બેંક, ICICI બેંક ઉપરાંત LIC, એક્સિસ બેંક, IDBI બેંક, એન્જલ બ્રોકિંગ, બંધન બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ફેડરલ બેંક, ફ્લિપકાર્ટ, દિલ્હી, આઈડીએફસી ફર્સ્ટનો સમાવેશ થાય છે. યુનિયન બેંક જેવી બેંક મુખ્ય સંસ્થાઓ પણ આ લિસ્ટમાં શામેલ છે.

ટ્રાઇએ કહ્યું કે આ સંસ્થાઓ કન્ટેન્ટ ટેમ્પલેટ આઈડી, પીઈઆઈડી વગેરે જેવા ફરજિયાત પરિમાણોનું પાલન કરી રહી નથી, તેથી તેમને તા.૧લી એપ્રિલ ૨૦૨૧થી બલ્ક મેસેજિંગની છૂટ આપી શકાય તેમ નથી. જો આ કંપનીઓ તા.૩૧મી માર્ચ પહેલા કોઈ ઈમરજન્સી પગલાં ભરી નહીં શકે તો તેમના ગ્રાહકોને નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઇમેઇલ પર ઓટીપી લેવાનું બંધ થઈ શકે છે.

ગ્રાહકોને આડેધડ મેસેજ કરતી બેંકો અને કંપનીઓનું આખું લિસ્ટ આ રહ્યું

S.No. Principal Entity Name

1 A&A DUKAAN FINANCIAL SERVICES PRIVATE LIMITED

2 Angel Broking Limited

3 AXIS BANK LIMITED

4 BAJAJ FINANCE LIMITED

5 BANDHAN BANK LIMITED

6 BANKOFBARODA

7 BANKOFINDIA

8 Canara Bank

9 Central Bank of India

10 Dakshin Haryana Bijli Vitran Nigam Limited

11 Delhivery Private Limited

12 FEDERAL BANK

13 Flipkart Internet Pvt. Ltd.

14 Freecharge Payment Technologies Private Limited

15 HDFC BANK LIMITED

16 ICICI BANK LIMITED

17 IDBI BANK LIMITED

18 IDFC FIRST BANK LIMITED

19 IndiabulIs Consumer Finance limited

20 INDIAN OVERSEAS BANK

21 INSTAKART SERVICES PRIVATE LIMITED

22 Kotak Mahindra Bank Ltd

23 Kotak Securities Limited

24 LIFE INSURANCE CORPORATION OF INDIA

25 MEDLIFE WELLNESS RETAIL PRIVATE LIMITED

26 National Stock Exchange of India Limited

27 PSI PHI GLOBAL SOLUTIONS PRIVATE LIMITED

28 PUNJAB NATIONAL BANK

29 RAJASTHAN STATE HEALTH SOCIETY

30 RBLBANKLIMITED

31 RELIANCE RETAIL LIMITED

32 SAMSUNG INDIA ELECTRONICS PRIVATE LIMITED

33 SBI Cards and Payment Services Limited

34 STATE BANK OF INDIA

35 Supermarket Grocery Supplied Private Limited

36 TATA AlA LIFE INSURANCE COMPANY LIMITED

37 UNION BANK OF INDIA

38 VEDANTU INNOVATIONS PRIVATE LIMITED

39 WOPLIN BLOCKCHAIN TECHNOLOGIES

40 Yes Bank Ltd

S.No. Defaulter Telemarketers

1 3M DIGITAL NETWORKS PVT LTD (MobTexting)

2 ACL MOBILE LIMITED

3 BBNL BharatNet NMS

4 Bhoopalam Marketing Services Pvt Ltd

5 BULKSMSGATEWAY

6 BUZIBEE TECHNOLOGIES PRIVATE LIMITED

7 Centre for development of Advanced computing

8 Christian Medical College Vellore Association

9 Cosmic Information & Technology Ltd.

10 DiGISPICE Technologies Limited

11 GreenAds Global Pvt Ltd

12 Gupshup Technology India Pvt. Ltd.

13 IMI Mobile Private Ltd

14 InfoBip

15 Infobip India Private Limited

16 INSIGHT CONSULTANCY SERVICES PRIVATE LIMITED

17 Karix MObile Pvt Ltd

18 LOTUS TRANSFORMS PRIVATE LIMITED

19 NAZI ENTERPRISES

20 NETXCELL LIMITED

21 One97 Communications Limited

22 ONEXTEL MEDIA PRIVATE LIMITED

23 Onweb Software Technologies Pvt. Ltd.

24 Parrot Infosoft Pvt Ltd

25 Pinnacle Tele services Private Limited

26 Proactive Professional Services Pvt Ltd

27 PRP SERVICES PVT. LTD.

28 RAMA INFOTECH PVT.LTD

29 Ravience Digital Pvt Ltd.

30 Ravience Digital Pvt Ltd. (Netcore)

31 ROUTE MOBILE LIMITED

32 SJS TECHCROME PRIVATE LIMITED

33 SOLUTIONS lNFlNI TECHNOLOGIES (INDIA) PVT LTD (Kaleyra)

34 Tanla

35 VALUEFIRST DIGITAL MEDIA PRIVATE LIMITED

36 VEGTER SMS SOLUTIONS PRIVATE LIMITED

37 virtuoso Netsoft Private Limited

38 VIVACONNECT PRIVATE LIMITED

39 WALKOVER WEB SOLUTIONS PRIVATE LIMITED

40 Wizhcomm Consultants and Technologies Private Limited

ટ્રાઇએ ફ્રોડ ઓછા કરવા માટે બલ્ક મેસેજિંગની આખી સિસ્ટમ બનાવી છે

ટ્રાઇએ આ સિસ્ટમ અનિચ્છનીય કોલ્સ અને એસએમએસ બંધ કરવા માટે બનાવી છે. કંપનીઓને કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને સંતોષ આપવા તેઓએ ટ્રાઇ દ્વારા સૂચવેલા ફોર્મેટમાં એસએમએસ મોકલવા જોઈએ. આની પાછળનું મુખ્ય કારણ લોકોને નકલી એસએમએસ દ્વારા ફિશિંગ જેવા સાયબર ક્રાઇમથી બચાવવું છે. ટ્રાઇ દ્વારા એસએમએસની છેતરપિંડી રોકવા માટે નવું એસએમએસ રેગ્યુલેશન રજૂ કરાયું હતું. પરંતુ આ પ્રક્રિયાને કારણે અનેક સમસ્યાઓ બહાર આવી હતી. ટ્રાઇએ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ દિશાનિર્દેશોમાં બધા ટેલિકોમ ઓપરેટરોએ ડી.એલ.ટી. પર નોંધણી કરાવવાની રહેશે. તેનો હેતુ ઓટીપી છેતરપિંડી અને સ્પામ એસએમએસને અટકાવવાનો છે.

March 13, 2021
cia_society-1280x880.jpg
1min1126

કેન્દ્ર સરકારે શુક્રવારે તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ સ્થળાંતરીય લાભાર્થીઓ માટે ‘મેરા રાશન’ મોબાઇલ ઍપ લોન્ચ કરી હતી, જેના થકી તેઓ વાજબી ભાવની દુકાન શોધી શકે છે, તેમના હકની વિગતો જાણી શકે છે અને તેમના તાજેતરના વ્યવહારોની તપાસ કરી શકે છે.

Govt launches 'Mera Ration' app: Details here

નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઇસી) દ્વારા આ ઍપ લોન્ચ કરવામાં આવી છે. હાલમાં આ ઍપ હિંદી અને અંગ્રેજી ભાષામાં છે. ટૂંક સમયમાં આ ઍપ અન્ય ૧૪ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

નેશનલ ફૂડ સિક્યોરિટી ઍક્ટ (એનએફએસએ) મુજબ જાહેર વિતરણ સેવા (પીડીએસ) અંતર્ગત અત્યંત ઓછા દરે એટલે કે કિલો દીઠ એકથી ત્રણ રૂપિયાના દરે દેશના ૮૧ કરોડ લોકોને અનાજ આપવામાં આવે છે અને તેઓને ‘વન નેશન વન રેશન કાર્ડ’ અંતર્ગત દેશના ૩૨ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં રેશન કાર્ડ પોર્ટેબિલીટી સેવાનો લાભ પણ આપવામાં આવે છે.

March 12, 2021
bharat_e_market.jpg
1min518

ભારતમાં ઓનલાઈન શોપિંગ માટે હવે એમેઝોન, ફિલ્પકાર્ટ સિવાય વધુ એક મોટુ પોર્ટલ ઉપલબ્ધ થયુ છે. ટોચની ઈ કોમર્સ કંપનીઓને ટક્કર આપવા દેશી ભારત ઈ માર્કેટ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. એવો દાવો કરાયો છે કે આ પ્લેટફોર્મ પર સૌથી સસ્તા દરે સામાન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આશરે 8 કરોડ વેપારીઓના બનેલા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) એ વેન્ડર મોબાઈલ એપ્લીકેશન ભારત ઈ માર્કેટ ગુરુવારે દિલ્હીમાં લોન્ચ કરી હતી. જે સીધી રીતે એમેઝોન અને ફિલપકાર્ટને ટક્કર આપશે. તે સંપૂર્ણ રીતે સ્વદેશી ઈ કોમર્સ પ્લેટફોર્મ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ વિઝન પર આધારીત આ પ્લેટફોર્મ અંગે સીએઆઈટીએ દાવો કર્યો છે કે ડિસેમ્બર ર0ર1 સુધીમાં તેમાં 7 લાખ ટ્રેડર્સ જોડવાનો અંદાજ છે અને ડિસેમ્બર ર0ર3 સુધીમાં તેમાં 1 કરોડ ટ્રેડર્સ જોડાઈ જશે. આવુ થતાં જ તે દુનિયાનું સૌથી મોટુ ઈ કોમર્સ પ્લેટફોર્મ બની જશે. આ દેશી મોબાઈલ એપની હરિફાઈ વિશ્વની ટોચની ઈ કોમર્સ કંપનીઓ એમેઝોન, ફિલ્પકાર્ટ અને અલીબાબા સાથે થશે. આ પોર્ટલ પર વેપારીથી વેપારી અને વેપારીથી ગ્રાહક વચ્ચે માલનું ખરીદ-વેચાણ કરી શકાશે.’

ભારત ઈ માર્કેટ પર પોતાની ઈ દુકાન ખોલવા વ્યક્તિએ મોબાઈલ એપથી સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ખાસ બાબત એ છે કે તેમાં નોંધાયેલી કોઈ માહિતી વિદેશ નહીં જાય કારણ કે આ સંપૂર્ણ સ્વદેશી એપ છે. કોઈ પણ વિદેશી ફંડને આ પ્લેટફોર્મ પર સ્વીકારવામાં નહીં આવે. કોઈ પણ વેપારી મેડ ઈન ચાઈના માલ અહીં નહીં વેંચે. દેશના વિવિધ ભાગોમાં ફેલાયેલા વેપારીઓ, કારીગરો, શિલ્પકારો, ઉત્પાદકોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ થશે. આ પોર્ટલ પર કારોબારમાં કોઈ કમિશન વસૂલવામાં નહીં આવે.

February 26, 2021
social_media.jpg
2min527

સોશિયલ મીડિયા અને ઑવર ધ ટૉપ (ઓટીટી-કૅબલ અને ડીટીએચને બદલે ઈન્ટરનેટ પર ઍપ કે વૅબસાઈટ દ્વારા ટીવી શૉ અને મુવી જેવા વીડિયોનું સ્ટ્રીમિંગ) મંચનો દુરુપયોગ થતો અટકાવવા સરકારે ગુરુવારે તે માટેની ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.

ભારતમાં વૉટ્સઍપના ૫૩ કરોડ, યુ ટ્યૂબના ૪૪.૮ કરોડ, ફૅસબુકના ૪૧ કરોડ, ઈન્સ્ટાગ્રામના ૨૧ કરોડ અને ટ્વીટરના ૧.૭૫ કરોડ વપરાશકર્તા છે.

કૉર્ટ કે સરકાર જણાવે તો સોશિયલ મીડિયાના મંચે સોશિયલ મીડિયા મંચ પર વાંધાજનક સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.

સોશિયલ મીડિયા અંગેના નવા નિયમો અંગે બોલતા આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે મહિલાઓની નગ્ન તેમ જ મૉર્ફ કરેલી તસવીરો ૨૪ કલાકમાં સોશિયલ મીડિયા પરથી હટાવી લેવી પડશે.

સોશિયલ મીડિયાના થતા દુરુપયોગ અને તેના પર મૂકવામાં આવતા બનાવટી સમાચારો પર લગામ તાણવા સરકાર દ્વારા આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

નવા નિયમો અનુસાર સોશિયલ મીડિયાના મધ્યસ્થીઓએ ગ્રિવીયન્સ ઑફિસરની નિમણૂક કરવી પડશે અને તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધવાની રહેશે.

ગ્રિવીયન્સ રિડ્રેસલ ઑફિસર ભારતનો રહેવાસી હોય તે જરૂરી હોવા ઉપરાંત સોશિયલ મીડિયા મંચે નિયમોના પાલનનો માસિક અહેવાલ રજૂ કરવાનો રહેશે.

કૉર્ટ કે સરકાર દ્વારા જાણકારી માગવામાં આવે ત્યારે સોશિયલ મીડિયા મંચે વાંધાજનક પૉસ્ટ મૂકનાર મૂળ વ્યક્તિની ઓળખ જાહેર કરવાની રહેશે.

સોશિયલ મીડિયા પાસે વપરાશકર્તાની સ્વૈચ્છિક ચકાસણી કરવાની જોગવાઈ હોવી જોઈએ, એમ આઈટી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું.

પ્રસારમાધ્યમને આપેલી મુલાકાતમાં કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે સોશિયલ મીડિયા મંચને ભારતમાં બિઝનેસ કરવા આવકાર્યું હતું અને લોકપ્રિયતા મેળવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.

દેશના સામાન્ય નાગરિકોનું સશક્તિકરણ કરવા બદલ તેમણે સોશિયલ મીડિયા મંચને વધાવી લીધું હતું.

તેમણે કહ્યું હતું કે ભારતમાં સોશિયલ મીડિયાનું યોગ્ય રીતે નિયમન થાય તે જરૂરી છે અને ફરિયાદોનો નિકાલ ઝડપી બને તે માટે સરકારે યંત્રણા પણ સ્થાપી છે.

ચાવીરૂપ મુદ્દાઓ:

૧) ફરિયાદનો ઝડપી નિકાલ કરવા ત્રિસ્તરીય યંત્રણા.

૨) દ્વિસ્તરીય સ્વનિયમન નિયમો સાથે ત્રિસ્તરીય યંત્રણા રચવામાં આવી છે.

૩) પ્રથમ સ્તરમાં પબ્લિશર અને બીજા સ્તરમાં સ્વનિયમનકારી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્યારે ત્રીજા સ્તરમાં માહિતી અને પ્રસારણ ખાતાની દેખરેખ હેઠળ સમગ્ર યંત્રણાનું નિરીક્ષણ કરતી યંત્રણા કાર્યરત રહેશે.

૪) નવી સોશિયલ મીડિયા નિયામક યંત્રણા હેઠળ ઓટીટી મંચે ચીફ કમ્પલાયન્સ ઑફિસર, નોડાલ કૉન્ટેક્ટ પર્સન અને રૅસિડન્ટ ગ્રિવીયન્સ ઑફિસરની ભરતી કરવી પડશે.

તેણે ૨૪ કલાકમાં ફરિયાદ નોંધી ૧૫ દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવો પડશે.

૫) સુપ્રીમ કૉર્ટ કે હાઈ કૉર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અથવા જે તે ક્ષેત્રની ખ્યાતનામ વ્યક્તિ આ સ્વનિયમનકારી સંસ્થાનું નેતૃત્વ સંભાળશે અને તેઓ પબ્લિશરને સલાહ આપી શકશે.

૬) કોઈપણ વાંધાજનક પૉસ્ટ, ટ્વીટ કે સંદેશો મોકલનાર મૂળ વ્યક્તિની ઓળખ છતી કરવાની રહેશે.

૭) કાયદાનો અમલ કરાવતી સંસ્થા સાથે ૨૪ કલાક સંકલન કરવાની જવાબદારી નોડાલ કોન્ટેક્ટ પર્સનની હશે.

January 1, 2021
train.jpg
1min470

ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટુરીઝમ કોર્પોરેશન (આઇઆરસીટીસી)ની ઇ-ટિકેટિંગ માટેની અપગ્રેડેડ વૅબસાઇટનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે એમણે જણાવ્યું હતું કે દેશની સેવા માટે રેલવે પ્રતિબદ્ધ છે અને રેલવેનો પ્રવાસનો અનુભવ વધુ સુખમય બની રહે એ માટે સતત પ્રયાસ કરતી રહી છે. ઑનલાઇન ટિકિટ બુકિંગ માટેની અપગ્રેડેડ વૅબસાઇટ પ્રવાસીઓ માટે વધુ સુવિધામય સાબિત થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા યોજના અને દૃષ્ટિ પ્રમાણે રેલવેએ પોતાની વૅબસાઇટમાં સતત સુધારો કરતા રહીને એને વિશ્ર્વની સૌથી શ્રેષ્ઠ વૅબસાઇટ બનાવવી જોઇએ.

રેલવે મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે અપગ્રેડ કરાયેલી વૅબસાઇટ અને ઍપ દ્વારા યુઝર્સને ઉચ્ચસ્તરિય સેવાનો અનુભવ થશે. નવા સુધારામાં ગ્રાહકોના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રેલવે ટિકિટિ બુક કરવા માટેની આ વૈશ્ર્વિક કક્ષાની વૅબસાઇટની ડિઝાઇન બનાવતી વખતે રેલવેના ગ્રાહકોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. હવે આ વૅબસાઇટ કે ઍપ દ્વારા ટ્રેનની ટિકિટની બુકિંગ, પ્રવાસ વખતે ભોજનનું બુકિંગ અને રહેવાની વ્યવસ્થાની સગવડ એક સાથે કરી શકાશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉમેરો કરાયો હોવાથી હવે ટિકિટ બુકિંગમાં ઓછો સમય લાગશે. રિફંડ માટેની પ્રક્રિયા પણ સરળ બનાવાઇ છે તથા રેગ્યુલર કે ફેવરિટ પ્રવાસ માટેની ટિકિટ સંબંધિત વિગતો ભરીને આપોઆપ બુક કરી શકાશે.

ટ્રેન માટેની શોધ અને પસંદગી પણ હવે એક જ પાનાં પર મૂકવામાં આવ્યા છે, જેથી બુકિંગ ઝડપથી થઇ શકે. હવે ફક્ત ટ્રેન પસંદ કરીને ‘બુક’ પર ક્લિક કરીને તમે ટિકિટ બુક કરાવી શકશો. અગાઉ દરેક ટ્રેન પર ક્લિક કર્યા બાદ બેઠકની ઉપલબ્ધતા અને ટિકિટનો ભાવ જાણવા મળતો હતો. 

December 28, 2020
driverless_metro.jpg
1min424
India's first 'driverless' train to be flagged off by PM Modi next week.  Details here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ડ્રાઈવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત દિલ્હીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી છે. આ સાથે જ તેમણે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC) સેવાની પણ શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જનકપુરી પશ્ચિમથી બોટનિકલ ગાર્ડન સુધી મેટ્રોના 37 કિલોમીટર લાંબી મેજેંટા લાઈન પર આ સુવિધા શરૂ કરવામાં આવી છે.

ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલી ડ્રાઇવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન દર્શાવે છે કે ભારત સ્માર્ટ સિસ્ટમ તરફ કેટલી ઝડપથી અગ્રેસર બની રહ્યું છે. 2025 સુધી 25 શહેરમાં મેટ્રો દોડાવવાનું લક્ષ્ય છે.

ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવતાં પીએમ મોદીએ કહ્યું કે, આજથી ત્રણ વર્ષ પહેલા મજેન્ટા લાઇનની શરૂઆત થઈ હતી. હવે આ લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રોની શરૂઆત થઈ રહી છે. દેશ ભવિષ્યની જરૂરિયાતો માટે કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલા ભ્રમની સ્થિતિ બનેલી હતી, પરંતુ કોઈ ભવિષ્યની તૈયારી નહોતી. જેના કારણે શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ સામે સપ્લાયમાં ઘણું અંતર આવ્યું. શહેરીકરણને પડકાર માનવામાં આવે અને અવસર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે.

DMRCના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, મેજેન્ટા લાઈન પછી 57 કિલોમીટર લાંબી પિન્ક લાઈન પર ડ્રાઈવરલેસ મેટ્રોની શરૂઆત કરવામાં આવશે. જ્યારે પિન્ક અને મેજેન્ટા લાઈનો તૈયાર કરવામાં આવી હતી તો એને કમ્યુનિકેશન બેઝ્ડ ટ્રેન કન્ટ્રોલ સિગ્નલિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી હતી.

NCMCને એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર સંપૂર્ણપણે સંચાલિત કરવામાં આવશે. તેની સાથે જ દેશના કોઈ પણ હિસ્સાથી ઇસ્યૂ રૂપે ડેબિટ કાર્ડ રખનારા કોઈ પણ વ્યક્તિ તેનો ઉપયોગ કરી માર્ગ પર યાત્રા કરી શકશે. આ સુવિધા 2022 સુધી દિલ્હી મેટ્રોના તમામ નેટવર્ક પર ઉપલબ્ધ થઈ જશે.

મેટ્રોની તમામ લાઇનો પર 2022 સુધી મુસાફરોને કોમન મોબિલિટી કાર્ડથી મુસાફરી કરવાની તક મળશે. ડીએમઆરસી તરફથી હાલમાં 390 કિલોમીટરમાં 11 કોરિડોરના 285 સ્ટેશનોની વચ્ચે મુસાફરોને મેટ્રો સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

December 22, 2020
facebook-cheats.jpg
1min370

કૃષિ કાયદાઓ ખિલાફ આંદોલન ચલાવતા કિસાન સંગઠનોએ સોશિયલ મીડિયા ઉપર પોતાનું અધિકૃત એકાઉન્ટ બનાવ્યું હતું. તા.20મી ડિસેમ્બર 2020ને રવિવારે સાંજે ફેસબૂકે એકાએક 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતાં કિસાન એકતા મોરચાનાં પેજને બ્લોક કરી નાખ્યું હતું. ફેસબુકની આ બદમાશી લાંબુ ટકી શકી નહીં અને ગણતરીનાં કલાકોમાં જ ફેસબૂકને આ પેજ પૂર્વવત્ત કરી દેવાની ફરજ પડી હતી. ફેસબુકના લબાડ તંત્રને હવે સબક શિખવાડવાનો સમય પાકી ગયો છે.

સંગઠને આરોપ મૂક્યો છે કે, તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી પણ પોસ્ટ કરવાની રોક લાગી ગઈ છે. ફેસબૂક ઉપર કિસાનોનાં આંદોલનને દબાવી દેવાનાં આરોપો લાગતાં આજે ફેસબૂક તરફથી સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી હતી કે, તેમની સમીક્ષામાં સામે આવ્યું હતું કે, કિસાન એકતા મોરચાનાં પેજ ઉપર અસાધારણ ઝડપે ગતિવિધિ વધી ગઈ હતી. જેને પગલે ઓટોમેટિક વ્યવસ્થાએ તેનાં પેજને સ્પામ કરી નાખ્યું હતું. જ્યારે આ સમગ્ર મામલાની જાણકારી ફેસબૂકને થઈ ત્યારે ત્રણ કલાકની અંદર જ ફરીથી પેજને ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

જો કે ફેસબૂક તરફથી કિસાનોનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ હોવાનું નકારી દેવામાં આવ્યું હતું.

December 12, 2020
Wistron-1024x554-1.jpg
2min500
Assembly company Wistron looking to expand India factories, possibly for  future iPhone construction | AppleInsider

ભારતમાં આઇફોન બનાવતી કંપનીના પ્લાન્ટમાં કર્મચારીઓએ શનિવાર તા.12મી ડિસેમ્બરના રોજ ભારે તોડફોડ કરી હોવાના અહેવાલો મળ્યા હતા. પગારના મુદ્દે અસંતોષને પગલે કર્મચારીઓએ તોડફોડ કરી હતી. કર્ણાટકના બેંગુલુરુ નજીક સ્થાપવામાં આવેલા વિન્સ્ટ્રોન કંપનીના આઇફોન મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તોડફોડ કરી રહેલા કર્મચારીઓના વિડીયો સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થયા હતા. બેંગલુરુમાં જે કંપનીમાં તોડફોડ થઇ છે એ વિસ્ટ્રોન કંપનીની હેડ ઓફિસ તાઇવાનમાં છે. 

Bengaluru news: Bengaluru: मनमाने तरीके से सैलरी काटने पर भड़के कर्मचारी,  आईफोन मैन्युफैक्चरिंग कंपनी में जमकर तोड़फोड़ - violence breaks out at  wistron corporation iphone ...

પગારના મુદ્દે બેકાબૂ બનેલા કર્મચારીઓએ કંપની કમ્પાઉન્ડમાં સ્થિત કારોને ઉથલાવી નાંખી હતી, સીસી ટીવી કેમેરા, ફર્નિચરની મોટા પાયે તોડફોડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પગારના મુદ્દો બિચકતા કર્મચારીઓએ યુનિટમાં પથ્થરમારો કરી, બારી-બારણાંના કાચ ફોડી નાંખ્યા. કંપની સંપત્તિની ગાડીઓ, ફર્નિચર, કોમ્પ્યુટર અને લેપટોપને પણ નુકસાન પહોંચાડ્યું હતું, 

Workers go on rampage at iPhone manufacturing plant in Karnataka

ટ્રેડ યુનિયનના નેતાનું કહેવુ હતું કે કોન્ટ્રાક્ટ પર રાખેલા કર્મચારીઓને પગાર સમયસર ચૂકવાતો નથી, તેમના નક્કી કરેલા પગારમાં પણ મનફાવે એવી રીતે કાપ મૂકીને ચૂકવવામાં આવી રહી હતી. વિદેશી કંપનીમાં તોડફોડ કરનારા કર્મચારીઓ આ વાતથી પણ રોષે ભરાયા હતા કે નોકરીમાં જોડાતા સમયે જે પગાર નક્કી કરાયો હતો, એ પણ ચૂકવાતો નથી. કંપનીના એક કર્મીનું કહેવુ હતું કે એક એન્જિનીયરને 21 હજાર મહિનાના પગારે નોકરી આપી હતી, પરંતુ અચાનક તેના પગારમાં કાપ મૂકી 16000 કરી દેવાયા અને હાલમાં તેના પગારમાં કાપ મૂકીને 12000 કરી દેવાયો હતો. 

Violence in Wistron Bangalore: Violence breaks out at Wistron Corp's iPhone  manufacturing plant near Bengaluru | Bengaluru News - Times of India - News  Daily

કંપનીના ઉત્પાદન યુનિટમાં કામ કરતા લગભગ તમામ વર્ગના કર્મચારીઓ સાથે આવુ બની રહ્યુ હતું. જેના લીધે કર્મીઓએ રજૂઆત કરી હતી, પરંતુ તેમની સહનશક્તિ તૂટી અને કંપનીમાં તોડફોડ સુધી વાત પહોંચી હતી.

વિસ્ટ્રોન કોર્પોરેશન એપ્પલ માટે આઇફોન 7, લેનોવો, માઇક્રોસોફ્ટ સહિત કંપનીઓ માટે આઇટી ઉત્પાદનો બનાવે છે. અહીં 2900 કરોડ રુપિયાના રોકાણ અને 10,000થી વધુ લોકોને રોજગાર આપવાના પ્રસ્તાવ સાથે રાજ્ય સરકારે બેંગુલુરુ પાસે યુનિટ નાંખવાની પરમિશન આપી હતી. 

December 9, 2020
CIA_Live_Logo_New2.jpg
3min599

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

‘CO-WIN’ આ એક ભારત સરકારની મોબાઇલ એપ્લિકેશનનું નામ છે જે હજુ સુધી લોકો માટે ઉપલબ્ધ નથી થઇ પરંતુ, ‘CO-WIN’ એ ભારતનું એવું ડિજિટલ પ્લેટફોર્મ બની રહ્યું છે કે જે કોવીડ-19 વેક્સિનનો તમામ ડેટાબેઝ ધરાવતી હશે અને સતત અપડેટ થતું પ્લેટફોર્મ હશે. ‘CO-WIN’ એપ્લિકેશન પરથી સામાન્ય વ્યક્તિઓ પોતાનું નામ વેક્સિનેશન માટે નોંધાવી શકશે.

CO-WIN ડિજિટલ પ્લેટફોર્મ પર વેક્સિન માટે કોઇપણ સામાન્ય વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવી શકશે

  • ‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશન જ્યારે લોંચ કરવામાં આવશે ત્યારે એન્ડ્રોઇડ યુઝર્સ કે એપલ યુઝર્સ તેને સરળતાથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે.
  • કોઇપણ સામાન્ય ભારતીય નાગરિક કોરોના વેક્સિન માટે પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.
  • ‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશનમાં 5 મોડ્યુલ હશે. જેમાં 1) એડમિનિસ્ટ્રેટર 2) રજિસ્ટ્રેશન 3) વેક્સિનેશન 4) બેનિફિશ્યરી એન્ક્નોલેજમેન્ટ અને 5) રિપોર્ટ
  • ‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશનના રજિસ્ટ્રેશન મોડ્યુલમાં જઇને સામાન્ય વ્યક્તિ પોતાનું નામ કોવીડ વેક્સિન માટે રજિસ્ટર્ડ કરાવી શકશે.
  • ‘CO-WIN’ મોબાઇલ એપ્લિકેશનના વેક્સિનેશન શિડ્યુલમાં વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિના દસ્તાવેજોના વેરિફિકેશનથી લઇને તેને વેક્સિન અપાઇ છે કે કેમ તે અંગેને લેટેસ્ટ રિપોર્ટ જોવા મળશે.
  • બેનિફિશ્યરી એન્ક્નોલોજમેન્ટ મોડ્યુલથી વેક્સિન લાભાર્થીઓને મોબાઇલ એસ.એમ.એસ. મોકલાશે તેમજ ત્યાંથી જ જેમને વેક્સિન અપાઇ ચૂકી હશે એવા નાગરિકોને પોતાના ક્યુઆર કોડ બેસ્ડ વેક્સિન સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ બની શકશે.
Centre develops Co WIN app to self register for COVID 19 vaccine-ANI - BW  Businessworld
symbolic pic

In English

The central government has introduced a new digital platform called ‘CO-WIN’ for COVID-19 vaccine delivery. There will be a new mobile app as well with the same name that will allow people to register for the vaccine.

Here is all you need to know about the ‘Co-WIN’ app to self-register for COVID-19 vaccine

1) The platform includes a free downloadable mobile application which can help record vaccine data.

2) One can register themselves on it if they want the vaccine.

3) There are five modules in Co-WIN platform, these are administrator module, registration module, vaccination module, beneficiary acknowledgement module and report module.

4) The administrator module is for the administrators who will be conducting these vaccination sessions. Through these modules, they can create sessions and the respective vaccinators and managers will be notified.

5) Registration module is for people to get registered themselves for vaccination. It will upload bulk data on co-morbidity provided by local authorities or by surveyors.

6) Vaccination module will verify beneficiary details and update vaccination status.

7) Beneficiary acknowledgement module will send SMS to beneficiaries and also generate QR(matrix barcode)-based certificates after one gets vaccinated.

8) Report module will prepare reports of how many vaccine sessions have been conducted, how many people have attended those, and on how many people have dropped out.