CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 14 of 19 - CIA Live

February 5, 2020
petrolcars.jpg
1min7060

૨૦૩૫થી બ્રિટનમાં પેટ્રોલ, ડીઝલ અને હાઇ બ્રિડ કારના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

નવેમ્બર મહિનામાં ગ્લાસગો ખાતે યોજાનારી ક્લાઇમેટ ચેન્જ અંગેની કોન્ફરન્સમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન આ અંગેની જાહેરાત કરશે. આ પ્રતિબંધ પાંચ વર્ષ વહેલો અમલમાં આવશે.

બ્રિટને ૨૦૫૦ સુધીમાં ગ્રીન હાઉસ ગૅસના ઉત્સર્જનને નેટ ઝીરો સુધી લાવવાનું વચન આપ્યું છે, જેમાં પ્રદૂષણ ઓછું કરવા વૃક્ષો વાવવા જેવા પગલાં પણ સામેલ છે.

પૃથ્વીના રક્ષણ માટે સ્વચ્છ ટૅક્નોલોજીમાં રોકાણ અને શૂન્ય ઉત્સર્જનના લક્ષ્ય તરફ પ્રયાણ કરવા તરફના બ્રિટનના પ્રયત્નમાં જોડાવા અન્ય દેશોને અપીલ કરવામાં આવશેે. બ્રિટનના એએ મોટરિંગ એસોસિયેશનના પ્રમુખ એડમંડ કિંગે જણાવ્યું હતું કે કારના વેચાણનો નવો લક્ષ્યાંક અતિ પડકારજનક હતો. ૧૫ વર્ષથી ઓછા સમયમાં શૂન્ય ઉત્સર્જન ધરાવતાં વાહનોની સપ્લાય શક્ય છે કે કેમ એ સવાલ કરવો જોઇએ.

February 4, 2020
aadhaar-pan-link.jpg
1min4040

આધાર કાર્ડ સાથે પેનકાર્ડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦ કરોડને વટાવી ગઈ છે. આ બંનેને લિન્ક કરવાની સમયમર્યાદા એક વર્ષ લંબાવી છે, એમ નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે સંસદમાં સોમવારે જણાવ્યું હતું. તેમણે લોકસભામાં માહિતી આપી હતી કે ૨૭, જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ આધાર નંબર સાથે પેનકાડ લિન્ક કરનારાની સંખ્યા ૩૦,૭૫,૦૨,૮૨૪ થઈ છે. આ બંનેના લિન્ક કરવાની મુદત લંબાવીને ૩૧, માર્ચ-૨૦૨૦ કરાઈ છે.

૧૭,૫૮,૦૩,૬૧૭ નાગરિકે પેન સાથે આધાર લિન્ક કર્યું નથી. તેઓને વધુ સમય મળશે. સેન્સિટીવ ડાટા લિન્ક નહીં થાય તેની ખાતરી અપાયેલી છે.

ઈન્કમ ટૅક્સ ઍક્ટ, ઈન્ફોર્મેશન ટૅક્નોલોજી ઍક્ટ અને અન્ય સંબંધિત કાનૂનની જોગવાઈ અંતર્ગત યોગ્ય પગલાં લેવાયા છે, જેથી કરીને ડાટાની વિશ્ર્વસનીયતા જળવાઈ રહે, એમ તેમણે કહ્યું હતું. બેનામી સંપત્તિ પર અંકુશ લાવીને પારદર્શકતા લાવવા પગલાં લેવાયા છે. ૮૫ ટકા ચાલુ અને બચત ખાતા આધાર – પેનકાર્ડ સાથે લિન્ક થયેલા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાના ડાટા અનુસાર બૅંક દ્વારા ૫૯.૧૫ કરોડ રૂપે કાર્ડ ઈસ્યૂ થયા છે.

January 26, 2020
gseb-1280x720.jpg
1min4320

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ના ૧૭.૫૩ લાખ વિદ્યાર્થીઓની ફોટાવાળી રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર મુકાશે. શાળાઓએ ઈન્ડેક્ષ નંબરના આધારે વેબસાઇટ ઉપરથી રસીદ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપવાની રહેશે. બોર્ડની પરીક્ષા ૫ માર્ચથી શરૂ થશે. શિક્ષણ બોર્ડે ટેકનોલોજીની મદદથી પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરાવ્યા બાદ પરીક્ષા રસીદ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા ચાલુ વર્ષેથી કરશે.

વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ ખોવાઈ જતા નવી રસીદ માટે બોર્ડમાં અરજી કરવી પડે છે આથી વિદ્યાર્થીઓથી રસીદ ખોવાઈ જાય તો પણ શાળાને જાણ કરીને બીજી કોપી બોર્ડની વેબસાઇટ ઉપરથી કાઢી શકે તે માટે પરીક્ષાની રસીદ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મૂકવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો હોવાનું શિક્ષણ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું.

શિક્ષણ બોર્ડના સચિવ ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, ધો. ૧૦ના ૧૦.૮૦ લાખ, ધો. ૧૨ સા.પ્ર.ના ૫.૩૦ લાખ અને ધો. ૧૨ સાયન્સના ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાનો ફોટાવાળી રસીદ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. વેબસાઇટ ઉપર પરીક્ષાની રસીદ મૂકી દીધા બાદ શાળાઓને જાણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની પરીક્ષાની રસીદ શાળાઓએ ડાઉનલોડ કર્યા બાદ તેમાં વિદ્યાર્થીના કે તેના પિતાના નામ તેમ જ અટક કે વિષયોમાં કોઇ જ પ્રકારની ભૂલ હોય તો તાકીદે શિક્ષણ બોર્ડની કચેરીને જાણ કરવા શાળાઓના સંચાલકોને શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.

January 25, 2020
yuvika-1280x979.png
7min15760

ISRO powered Young Scientist Program for Std. 9 Students : Registration from 3 Feb.

ઇન્ડીયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચાલુ વર્ષે ધો.9માં અભ્યાસ કરી રહેલા અને સ્પેશ સાયન્સ, રોકેટ સાયન્સ, બ્રહ્માંડ વગેરે વિષયોમાં રૂચી ધરાવતા વિદ્યાર્થીઓ માટે યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામ લોંચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં સમગ્ર ભારતમાંથી ધો.8ની વાર્ષિક પરીક્ષાનું પરીણામ અન્ય પ્રવૃતિઓના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીનું ઘડતર સ્પેશ સાયન્સમાં થઇ શકે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આ માટેના રજિસ્ટ્રેશન ઇસરોની વેબસાઇટ પર તા.3 ફેબ્રુઆરી 2020થી શરૂ કરવામાં આવશે.

ઇસરોના યંગ સાયન્ટીસ્ટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ અંગેની ડિટેઇલ્સ અહીં પ્રકાશિત કરવામાં આવી છે.

સારી રીતે સૂચનાઓ વાંચવા માટે મોબાઇલ ફોનની જગ્યાએ ડેસ્કટોપ કે લેપ્ટોપ પર આ સમાચાર ઓપન કરવા

Indian Space Research Organisation has launched a special programme for School Children called “Young Scientist Programme” “YUva VIgyani KAryakram” (युविका) from the year 2019. The second session of the programme is scheduled to be held during the month of May 2020.   

The Program is primarily aimed at imparting basic knowledge on Space Technology, Space Science and Space Applications to the younger ones with the intent of arousing their interest in the emerging areas of Space activities. The program is thus aimed at creating awareness amongst the youngsters who are the future building blocks of our Nation. ISRO has chalked out this programme to “Catch them young”.

The programme will be of two weeks duration during summer holidays (May 11-22,  2020) and the schedule will include invited talks, experience sharing by the eminent scientists, facility and lab visits, exclusive sessions for discussions with experts, practical and feedback sessions.

3 students each from each State/ Union Territory will be selected to participate in this programme covering CBSE, ICSE and State syllabus. 5 additional seats are reserved for OCI candidates across the country.

The selection will be done through online registration. The online registration will be open from February 03 to 24, 2020. Those who have finished 8th standard and currently studying in 9th standard (in the academic year 2019-20) will be eligible for the programme. Students who are studying in India including OCI (Overseas Citizen of India) are eligible for the programme. The selection is based on the 8th Standard academic performance and extracurricular activities. The selection criteria is given below.

S.NoDescriptionWeightage
1Performance in the 8th Std Examination60%
2Prize in school events conducted by the School or Education board from the year 2016 onwards (like Elocution, Debate, Essay Writing….) at District/State/National/ International Level  (The higher level will be considered for weightage)2/4/6/10%
3Winners of  District/State/National/International Level sports activities conducted by School or Education board from the year 2016 onwards (The higher level will be considered for weightage)2/4/6/10%
4Scouts and Guides/NCC/NSS Member – during the current academic year (2019-20)5%
5Studying in Rural School (Certificate of proof to this effect to be produced from the head of the school – Criteria: The school, where the candidate is studying should be located in Block/Village Panchayath Area)15%
Total100%

Students belong to the rural area have been given special weightage in the selection criteria. In case there is tie between the selected candidates, the younger candidates will be given priority.

રજિસ્ટ્રેશન ડિટેલ્સ

The interested students can register online through ISRO website www.isro.gov.in from February 03, 2020 (1700 hrs) to 24 February 2020 (1800 hrs). The exact link will be available on 03 February, 2020. The list of the provisionally selected candidates from each state will be announced on 02 March, 2020. The provisionally selected candidates will be requested to upload the attested copies of the relevant certificates on or before 23 March, 2020. After verifying the relevant certificates the final selection list will be published on 30 March, 2020.

It is proposed to conduct the residential programme during 11-22 May, 2020, at 4 centres of ISRO. The selected students will be requested to report to any one of the ISRO/DOS centres located at Ahmedabad, Bangalore, Shillong and Thiruvananthapuram. The selected students will be accommodated in ISRO guest houses/hostels. Expenditure towards the travel of student (II AC fare by train from nearest Rly Station to the reporting centre and back), course material, lodging and boarding etc., during the entire course will be borne by ISRO. II AC fare will also be provided to one guardian/parent for drop and pick up of student from the reporting centre.

For any further clarification, please contact yuvika2020@isro.gov.inPh.: YUVIKA Secretariat (Respond & AI) : 080 2217 2269.

January 18, 2020
jeemain.jpg
6min7590

JEE Main January 2020 પરીક્ષાનું ફક્ત પરીણામ જાહેર થયું છે, રેન્ક મે-2020માં જાહેર થશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.18મી જાન્યુઆરી 2020ની સવાર જાણે 9 લાખ પરિવારો માટે સુખદ આશ્ચર્ય લઇને આવી હતી. આ 9 લાખ પરિવારો એ હતા કે જેમના સંતાનોએ હજુ તા.11મી જાન્યુઆરી 2020 સુધી ભારતમાં એન્જિનિયરિંગની નેશનવાઇડ ટેસ્ટ જેઇઇ (જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) મેઇન પરીક્ષા આપી હતી. પરીક્ષા પૂરી થયાના ફક્ત 7 જ દિવસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 8.69 લાખ ઉપરાંત પરીક્ષાર્થીઓનું પરીણામ જાહેર કરી દીધું હતું. અનેક સ્કુલોના આચાર્યો, વિદ્યાર્થીઓને તો કલ્પના પણ ન હતી કે જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ જાહેર થઇ ચૂક્યું છે. સી.આઇ.એ લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા અનેક સ્કુલોના આ બાબતે જાણ કરવામાં આવી હતી.

ગઇ તા.7 જાન્યુઆરીથી તા.11 જાન્યુઆરી વચ્ચે જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં ઓનલાઇન ધોરણે લેવામાં આવી હતી. સ્વાભાવિક છે કે ઓનલાઇન પરીક્ષાનું પરીણામ જો ધારીએ તો કલાકોમાં જ જાહેર કરી શકાય છે પરંતુ, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ સાત દિવસમાં પરીણામ આપ્યું છતાં સમગ્ર દેશમાં સુખદ આશ્ચર્ય ફેલાયું કેમકે ભારતમાં પરીક્ષાના પરીણામો અત્યંત વિલંબથી આવે એ માટે આપણે સૌ ટેવાયેલા છે.

જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020નું પરીણામ 30મી જાન્યુઆરી સુધીમાં જાહેર થવાનું હતું. પરંતુ 18મીની વહેલી સવારે જ જાહેર કરી દેવાયું હતું.

આજે જેઇઇ મેઇન્સ પરીક્ષાનું પરીણામ જાહેર કરવા સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છેકે આજે પરીણામમાં ફક્ત પર્સન્ટાઇલ જ ઘોષિત કરવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા રેન્ક ઘોષિત કરવામાં આવ્યા નથી. એ.આઇ.આર. એપ્રિલ 2020માં લેવામાં આવનારી જેઇઇ મેઇન્સ -2 ના પરીણામ સાથે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ જાન્યુઆરી અને એપ્રિલ બન્ને મેઇન્સ પરીક્ષા આપશે, તેમનો બેમાંથી જે પરીક્ષામાં બેસ્ટ સ્કોર હશે તેને ધ્યાનમાં રાખીને તેમનો એ.આઇ.આર. (રેન્ક) ઘોષિત કરવામાં આવશે.

JEE Main Result Announced In Record Time, 9 Students Score 100 Percentile

The National Testing Agency (NTA), has released the JEE Main result within 8 days of completing the exam, which is a record of sort in the history of competitive examinations. The exam was held from January 6 to 9, in shifts, for more than 11 lakh candidates. Press Trust of India reported that nine candidates scored perfect 100 in JEE Main examination.

JEE Main Result Direct Link

Of the nine who got 100 percentile score in the examination also include Delhi boy Nishant Agarwal. The others are – one each from Gujarat and Haryana, two each from Andhra Pradesh, Rajasthan and Telangana, the news agency quoted the education ministry.

In this national entrance exam for admissions to undergraduate engineering courses held, 8,69,010 candidates had appeared for the exam for BE and BTech courses for which the results have been released now. 

1,38,409 candidates had appeared for for BArch paper and 59,003 for BPlanning paper — the results for both the papers are awaited. 

JEE Main result is available on the official websites of the NTA at nta.ac.in and jeemain.nic.in.

In the last JEE main, 24 students had scored 100 percentile.

The NTA was formed in 2017, after the Central Board of Secondary Education (CBSE) requested to withdraw itself from the responsibility of conducting engineering and medical entrance exams. The board, one of the biggest in the country, conducts class 10, 12 board exams for more than 30 lakh students annually.

JEE Main is also a gateway for admission to engineering (B.Tech) courses in NITs, IIITs, other Centrally Funded Technical Institutions (CFTI), Institutions funded by participating State Governments.

JEE Main is also an eligibility test for the JEE Advanced, which the candidate has to take if they are aspiring for admission to the undergraduate programs offered by the Indian Institute of Technology (IITs).

JEE Main is held twice a year, in January and in April, to give more opportunity to the students to improve their scores in examination if they fail to give their best in first attempt, without wasting their whole academic year. 

The top 2,24,000 rankers are considered eligible to take JEE Advanced. The next JEE Main will be held in April and the exam details will be notified in February.

January 12, 2020
netban.png
1min5130

દેશના જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ-૩૭૦ નાબૂદ કર્યા બાદ પાંચમી ઑગસ્ટ ૨૦૧૯થી કેન્દ્ર સરકાર દ્વારા લદાયેલા ઇન્ટરનેટ અને અન્ય પ્રતિબંધો વિશે સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપતી વખતે સ્પષ્ટ કહ્યું હતું કે સરકાર આ રીતે અનિશ્ચિત સમયગાળા માટે ઇન્ટરનેટની સાર્વજનિક અને ખાનગી સેવા બંધ કરી શકે નહીં. એક મહત્ત્વના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે ઇન્ટરનેટનો ઉપયોગ અને ઇન્ટરનેટ દ્વારા અભિવ્યક્તિનો અધિકાર એ (બંધારણના અધિકારોમાં અભિવ્યક્તિની કલમ ૧૯ (૧) (એ)નો ભાગ છે, સરકારે ઇન્ટરનેટ સહિત અન્ય પ્રતિબંધાત્મક પગલાંઓની એક સપ્તાહમાં સમીક્ષા કરીને કોર્ટને જાણ કરે.

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ એન. વી. રમન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચમાં જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ બી. આર. ગવાઈએ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. કાશ્મીરમાં આપવામાં આવેલા પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટમાં અનેક પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાશ્મીરમાં હિંસાનો એક લાંબો ઇતિહાસ રહેલો છે. આપણે સ્વતંત્રતા અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું પડશે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું પણ જરૂરી છે. સરકાર દ્વારા જરૂર પડે ત્યારે જ ઇન્ટરનેટ બંધ થવું જોઈએ.

ક્રિમિનલ પ્રોસીજર કોડ (સીઆરપીસી)ની કલમ-૧૪૪ લાદવાના સરકારના નિર્ણય સામે પણ થયેલી રિટ અરજીઓની સુનાવણીમાં કોર્ટે ઠરાવ્યું કે કલમ-૧૪૪નો અમલ કરવો એ ઉપચારાત્મક અને નિવારક પગલાં છે અને એનો ઉપયોગ ફક્ત ત્યારે જ થઈ શકે જો હિંસાની શક્યતા હોય અને જાહેર સલામતીમાં જોખમ હોય.

સુપ્રીમના આદેશની મોટી બાબતો…

=લોકોને મતભેદ વ્યક્ત કરવાનો પૂરો અધિકાર છે
= સરકારે એના તમામ આદેશોની એક સપ્તાહમાં સમીક્ષા કરવી જોઈએ
= કાશ્મીરમાં સરકારે એના બિનજરૂરી આદેશ પાછા ખેંચી લેવા જોઈએ.
= તમામ આવશ્યક સેવાઓ ઇન્ટરનેટ સહિત પુનઃ સ્થાપિત કરવામાં આવે.

January 12, 2020
nasa.jpg
1min4020

નાસાએ તૈયાર કરેલા નવા અગિયાર અવકાશયાત્રીઓમાં ભારતીય મૂળના રાજા જૉન વૃપુતુર ચારીનો સમાવેશ થાય છે અને તે નાસાના મહત્ત્વાકાંક્ષી ભાવિ મૂન-માર્શ અને આંતરરાષ્ટ્રીય અવકાશમથક મિશનનો હિસ્સો છે.

નાસાએ ભાવિ મિશનની જાહેરાત કર્યા બાદ વર્ષ ૨૦૧૭માં મળેલી ૧૮૦૦૦ અરજીમાંથી આ અવકાશયાત્રીઓની પસંદગી કરવામાં આવી હતી.

૪૧ વર્ષના ચારીની નાસાએ વર્ષ ૨૦૧૭માં અવકાશયાત્રીના ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી.

ઑગસ્ટ ૨૦૧૭માં તેને અવકાશયાત્રી તરીકેની તાલીમ માટે બોલાવવામાં આવ્યો હતો. તેણે તેની પ્રારંભિક તાલીમ પૂરી કરી હતી અને હવે તે મિશનનો હિસ્સો બનવાને પાત્ર બની ગયો છે.

શુક્રવારે યોજાયેલા એક સમારોહમાં નવા પસંદ કરાયેલા તમામ અવકાશયાત્રીઓને ચાંદીની પીન આપવામાં આવી હતી. હ્યુસ્ટનસ્થિત નાસાના જૉન્સન સ્પેસ સેન્ટર ખાતે એજન્સીના વહીવટકર્તા જિમ બ્રિન્ડેસ્ટાઈને કહ્યું હતું કે વર્ષ ૨૦૨૦માં અમેરિકા ભાવિ મૂન-માર્શ મિશન માટે નવા અવકાશયાત્રીઓને મોકલવાનું હોવાને કારણે અમેરિકા માટે પ્રગતિનું આ મહત્ત્વનું વર્ષ હશે. પસંદ કરાયેલા ૧૧ અવકાશયાત્રી અમેરિકાના શ્રેષ્ઠ લોકોમાંનાં એક છે અને અમારી અવકાશયાત્રીઓની ટુકડીમાં જોડાવું એ તેમના માટે માની ન શકાય તેવી વાત છે, એમ તેમણે કહ્યું હતું.

તેમની પ્રથમ અવકાશયાત્રા પૂરી કર્યા બાદ આ અવકાશયાત્રીઓને ગૉલ્ડ પીન આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

January 8, 2020
CIA_Live_Logo_New2.jpg
1min7410

રીલાયન્સના Jio થી ભરાઇ ગયા લોકોના મન, Jioથી સસ્તા નેટ અને ટીવી પેક તરફ લોકો વળ્યા

રીલાયન્સ જીઓ Jio જ્યારે લોંચ કરવામાં આવ્યું ત્યારે એવું કહેવાયું હતું કે તેનાથી સસ્તું નેટ આખી દુનિયામાં કોઇ આપી શકશે નહીં. પરંતુ, હવે જ્યારે રીલાયન્સ જીઓ Jio ફાઇબરની મફત સ્કીમ પૂરી થઇ ગયા પછી વપરાશકારોને ખબર પડવા માંડી કે રીલાયન્સ જીઓ Jio ના ડેટા પેકમાં કંઇક લોચો છે. કેમકે રીલાયન્સ જીઓ Jio ફાઇબરનો પહેલા છ મહિના ફ્રી વપરાશ કરનારાઓએ અનુભવ્યું કે 100 જીબી જેટલું નેટ તો એક મહિનો શું એક અઠવાડીયામાં ખલાસ થઇ જાય છે. હવે જયારે રીલાયન્સ જીઓ Jio ફાઇબર મફતની જગ્યાએ સ્કીમ લોંચ કરવા માંડી એટલે વપરાશકારો ગણતરી કરવા માંડ્યા છે કે મહિને 500 જીબીનો પ્લાન લેવામાં આવે તો જ પારીવારીક જરૂરીયાત પૂરી થઇ શકે અને મહિને 500 જીબી ડેટાની રીલાયન્સ જીઓ Jio ફાઇબરની સ્કીમ માટે વર્ષે રૂ.13000 જેટલો ખર્ચ કરવો પડે તેમ છે.

લોકોનો ડેટા વપરાશ વધ્યો એ વાત માની શકાય પરંતુ, 100 ગણો વપરાશ વધે એ વાત ગળે ઉતરે એવી નથી

રીલાયન્સ જીઓ Jio ફાઇબરના વપરાશકારો એવું કહી રહ્યા છે કે એના કરતા તો કેબલ ટીવીના મહિને રૂ.350 આપેલા સારા. સૂરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને જીઓ ફાઇબર નેટ યુઝ કરનાર ગોપાલભાઇ પટેલે કહ્યું કે અમે જ્યારે રીલાયન્સ જીઓ Jio ફાઇબર કનેકશન લીધું ત્યારે કહેવાયું હતું કે 100 જીબી ડેટા એક મહિનાની વેલિડીટી રૂપે મળશે. પરંતુ, પરીવારમાં 4 મોબાઇલ અને એ પણ ઘરે હોઇએ ત્યારે જ યુઝ કરતા હતા તો પણ 100 જીબી ડેટા 4-5 દિવસમાં પૂરો થઇ જતો હતો. એ સમયે તો ટીવી ચેનલ્સ પણ લોંચ થઇ ન હતી. હવે જ્યારે રિલાયન્સ જીઓ ટીવી ચેનલ સેટઅપ બોક્સ આપી રહ્યા છે ત્યારે ગણતરી માંડીએ તો મહિને રૂ.1100 જેટલો ખર્ચ ઇન્ટરનેટ અને ટીવી બન્ને માટે થાય છે. એના કરતા તો પહેલા ચાલતું હતું એ કેલબ ટીવી અને ચારેય મોબાઇલમાં અલગ અલગ નેટ લઇએ તે સ્કીમ સસ્તી અને પોષણક્ષમ છે.

એવી જ રીતે ઘોડદોડ રોડ પર રહેતા અલ્કેશભાઇ કહે છે કે પહેલા જ્યારે રીલાયન્સ જીઓ Jio લોંચ નહતું થયું ત્યારે એક જીબી ડેટા મહિને વાપરવા મળતો હતો અને તેમાંથી પણ 200-300 એમ.બી. ડેટા વધતો હતો. પરંતુ, હવે જીઓ આવ્યા પછી તો એવું લાગે છે કે ડેટામાં જ કંઇક પ્રોબ્લેમ છે. રીલાયન્સ જીઓ Jio મોબાઇલમાં હોય કો ફાઇબરમાં નિર્ધારિત ડેટા ક્યારે પૂરો થઇ જાય છે અને રોજ સવારે મોબાઇલ શરૂ થાય અને અડધો કલાકમાં તો મેસેજ આવી જાય કે ડેટા વપરાશ 50 ટકા થઇ ચૂક્યો છે. બપોર સુધીમાં તો મોબાઇલ પર જીઓનું ડેટા પેક પૂરુ થઇ જાય.

ગોપાલભાઇ કહે છે કે એવું જ જીઓ ફાઇબરમાં છે. 100 જીબી ડેટા એટલો મોટો જથ્થો કહેવાય કે મહિનો આરામથી ચાલવો જોઇએ તેની જગ્યાએ એક સામાન્ય ફેમિલી કે જેમનો પહેલા જેટલો જ વપરાશ હતો તેનાથી 25 ટકા વધ્યો એવું માની લઇએ તો પણ 100 જીબી ડેટા ખલાસ થઇ જાય એ વાત માનવામાં આવે એવી નથી.

રીલાયન્સ જીઓ Jio કસ્ટમર કેરમાં કોઇ સાંભળતું નથી

ધડાધડ ખલાસ થઇ રહેલા રીલાયન્સ જીઓ Jioના નેટ પેક અંગે સૂરતમાંથી અનેક લોકો કસ્ટમર કેર પર કોલ કરે છે પરંતુ, કસ્ટમર કેરમાંથી સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આ અંગે રીંગરોડ પર મોબાઇલ શોપ ધરાવતા શૈલેષ શાહ કહે છે કે કસ્ટમર કેરમાંથી અષ્ટમ પષ્ટમ સમજાવવામાં આવે છે કે તમારો વપરાશ, એપ્લીકેશન વગેરેમાં ડેટા યુઝ થાય છે. કસ્ટમર પહેલા જે એપ્લિકેશન યુઝ કરતા હતા એ જ કરતા હોય પહેલા કરતા વપરાશ વધ્યો એમ માની શકાય પરંતુ, સીધો 100 ગણો વપરાશ વધે તે કેવી રીતે માની શકાય

રીલાયન્સ જીઓ Jio ફાઇબર દ્વારા ફ્રી સ્કીમ બંધ કરવામાં આવતા જ હવે લોકો ફરીથી મોબાઇલ નેટ તેમજ ટીવી ચેનલ્સ માટે લોકલ કેબલ ઓપરેટર તરફ વળ્યા છે.

CIA Live દ્વારા રીલાયન્સ જીઓ Jioના અધિકૃત અધિકારી સાથે વાતચીત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ, કોઇ જવાબ આપવા માટે આગળ આવ્યા ન હતા. રીલાયન્સ જીઓ Jio તેમના ખુલાસા માટે અમારો સંપર્ક કરી શકે છે.

January 8, 2020
startup.jpg
1min4280

વિશ્ર્વમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સની સંખ્યા ધરાવવાના સંદર્ભે ભારત ત્રીજા સ્થાને પહોંચ્યું છે અને ખાસ કરીને ડિસરપ્શન ટેકનોલોજીની બાબતમાં ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. રિટેલ, ફૂડ, લોજિસ્ટિક, હોસ્પિટાલિટી, ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ જેવા ઉદ્યોગમાં તો સ્ટાર્ટઅપ્સ છવાઇ જ ગયા છે, પરંતુ હવે વિશ્ર્વની ટોચની કંપનીઓ પણ તેમને આવકારી રહી છે. ભારતમાં અંદાજે ૫૦,૦૦૦ સ્ટાર્ટઅપ્સ છે અને દતેમનો વાર્ષિક વિકાસ દર ૧૨થી ૧૫ ટકા જેવો છે. એ જ સાથે ૩૧ યુનિકોર્ન છે જેનું વેલ્યુએશન એક અબજ ડોલર કરતા વધુ છે.

વૈશ્ર્વિક સંસ્થાકીય રોકાણકારો પાસેથી તેમને ફંડીંગ તો મળી રહ્યું છે પરંતુ જો યોગ્ય પ્રવેશ મળે તો ભારતીય સ્ટાર્ટઅપ્સને તેમના ઇનોવેશન થકી વિશ્ર્વબજારનો મોટો હિસ્સો હસ્તગત કરી શકે છે, એમ ટોરંટો બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર (ટીબીડીસી) અને કોર્પજીની વચ્ચે સંયુક્ત સાહસ સાધવા સંદર્ભે ભારત આવેલા કેનેડાના બ્રેમ્પ્ટન સિટીના મેયર પેટ્રીક બ્રાઉને કહ્યું હતું કે કેનેડામાં ઇનોવેશન અને ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ માટે પુષ્કળ અવકાશ છે.

કેનેડાની ટીબીડીસી, સિટી ઓફ બ્રેમ્પ્ટન અને કોર્પજીની વચ્ચેના આ મેમોરન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગને પગલે વિદેશમાં વિસ્તરણ કરવા ઇચ્છનારા સ્ટાર્ટઅપ્સને માર્ગ મળશે અને કેનેડાના કોર્પોરેટ જગત સાથે સંપર્કિત થવાની તક મળશે. આ સંદર્ભે જ તેઓ મુંબઇ, બેંગ્લોર અને દિલ્હી જેવા સ્ટાર્ટઅપ્સ હબની મુલાકાતે આવ્યાં છે. કેનેડા સરકાર ભારતીય સ્ટાર્ટઅપ્સ સાથે ઇનેોવેશન એક્સચેન્જ ઇચ્છે છે.

January 5, 2020
jeemain.jpg
3min9540

JEE Main : ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે છેલ્લી ઘડીએ કેટલીક ઉપયોગી ટીપ્સ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.6 જાન્યુઆરી 2020ને સોમવારથી સમગ્ર દેશભરમાં એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એકઝામ જેઇઇ મેઇન રાષ્ટ્રવ્યાપી ધોરણે ઓનલાઇન લેવામાં આવશે. હાલમાં ધો.12 સાયન્સ એ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા ગુજરાત સમેત દેશભરના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇન્સ ફર્સ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને દરેકને તેમના રોલ નંબર અનુસાર ટાઇમ સ્લોટ આપવામાં આવ્યા છે.

ધો.12 સાયન્સ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવવાનું કે એક કેલેન્ડર વર્ષમાં જાન્યુઆરી અને મે એમ ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન પરીક્ષા લેવાનું શરૂ ગત વર્ષ 2019માં શરૂ કરાયું હતું.

વિદ્યાર્થીઓ ત્રણ વખત જેઇઇ મેઇન પરીક્ષા આપી શકે છે. પરંતુ, એક કેલેન્ડર વર્ષમાં ફક્ત બે પરીક્ષા લેવાતી હોય છે. ધો.12 પીસીએમ ગ્રુપના વિદ્યાર્થીઓ કોલેજ એડમિશન પૂર્વે બે વખત ટેસ્ટ આપતા હોય છે અને નિયમાનુસાર બે પ્રયત્નો પૈકી જે પ્રયત્નમાં વધારે માર્ક (પર્સન્ટાઇલ) હોય તેને મેરીટમાં ગણતરીમાં લેવામાં આવે છે. 2019માં ફર્સ્ટ અને સેકન્ડ એમ બે વખત જેઇઇ મેઇન આપનારા વિદ્યાર્થીઓના જેઇઇ ફર્સ્ટમાં જ સારા માર્કસ આવ્યા હતા અને તેમને ફર્સ્ટ ટેસ્ટના આધારે જ મેરીટમાં ક્રમ મળ્યો હતો અને આઇઆઇટી તેમજ એનઆઇટીમાં પ્રવેશના હકદાર બન્યા હતા.

આવા 10માથી 6 પરીક્ષાર્થીઓ હતા કે જેમના જેઇઇ મેઇનની બે ટ્રાયલ પૈકી પહેલી ટ્રાયલના જ માર્ક સારા હતા. આવો કોઇ નિયમ નથી પરંતુ, જે વિદ્યાર્થીઓ તા.6 જાન્યુઆરી 2020થી શરૂ થતી જેઇઇ મેઇન્સને લાઇટલી લઇ રહ્યા છે તેમને ખાસ જણાવીએ છીએ કે તેમણે સેકન્ડ ટ્રાયલની જેમ જ ફર્સ્ટ ટ્રાયલને સિન્સીયરલી આપવી જોઇએ.

Last Moment Tips….

  • At this last moment, don’t try to attempt to study any new topic. Reading new topics will confuse you during the exam.
  • Instead of reading new topics, students are advised to revise all the important formulas and concepts two to three times before the exam. It will help you retain what you have already read so far.
  • While in the exam hall, first of all, read all the instructions on the exam paper very carefully.
  • After reading the instructions, you should read the complete question paper before starting with the solution.
  • Next, make mental planning on how you would approach the paper. Mark the questions that look easier and those which are complicated and may require a lot of time to solve.
  • The students should solve the easy questions first. It will not only build your confidence but would also save time for complicated ones.
  • If you are stuck on any question, don’t waste your time. Just use the ‘Save & Mark for Review’ option when you have any doubt. After completing the paper, you can revisit the leftover questions.
  • Don’t panic in case of computer failure or if you don’t know the answer to any question. Keep calm, take a deep breath and sip some water before attempting the question again.