9104 ઉમેદવારો C.A. બન્યા, સુરતનો અનુરાગ બગરીયા દેશમાં 3જા ક્રમે રહ્યો
જયેશ બ્રહ્મભટ્ટ
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આજરોજ સી.એ. ફાઇનલ્સ તેમજ સી.પી.ટી.ના પરીણામોની ઘોષણા કરવામાં આવી હતી. સી.એ. ફાઇનલ્સ પરીણામની વાત કરીએ તો ફક્ત ગ્રુપ એ ની પરીક્ષામાં 38696 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફક્ત 6195 પાસ થતાં ફક્ત ગ્રુપ-1નું પરીણામ 16.01 ટકા આવ્યું હતું.
ગ્રુપ-2માં કુલ 37350 વિદ્યાર્થીઓ બેઠા હતા, જેમાંથી ફક્ત 5075 વિદ્યાર્થીઓ પાસ થતાં ફક્ત ગ્રુપ-2નું પરીણામ 13.59 ટકા આવ્યું હતું.
27727 વિદ્યાર્થીઓએ બન્ને ગ્રુપની પરીક્ષા આપી હતી. આ પૈકી 2520 વિદ્યાર્થીઓ બન્ને ગ્રુપમાં પાસ થવામાં સફળ નિવડ્યા હતા. બન્ને ગ્રુપ પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી ફક્ત 9.09 ટકા હતી. જ્યારે 3658 વિદ્યાર્થીઓ ફક્ત ગ્રુપ-1 પાસ કરી શક્યા અને 693 વિદ્યાર્થીઓ ફક્ત ગ્રુપ-2 પાસ કરી શક્યા છે.
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે 9104 ઉમેદવારોને આજે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની પદવી એનાયત કરવામાં આવી હતી.
સુરતના અનુરાગ બગરીયા નામના ઉમેદવારે 800માંથી 597 માર્કસ મેળવીને કુલ 74.63 ટકા સાથે સમગ્ર દેશમાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હોવાની યાદી આઇ.સી.એ.આઇ. દ્વારા જાહેર કરવામાં આવી હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
