CIA ALERT

Blog - Page 107 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
August 23, 2023
WhatsApp-Image-2023-08-23-at-07.41.30.jpeg
1min778

હાલ સોની એન્ટરટેઇનમેન્ટ ટીવી પર ચાલી રહેલી કૌન બનેગા કરોડપતિ 2023ની સિરીઝમાં સુપરસ્ટાર હોસ્ટ અમિતાભ બચ્ચને એક પ્રતિસ્પર્ધીને એવો સવાલ પૂછ્યો કે જેને લઇને સુરતના ખજોદ ખાતે સાકાર પામેલું સુરત ડાયમંડ બુર્સ ફરીથી સમગ્ર વિશ્વમાં ચમકી ગયું છે. અમિતાભ બચ્ચને સુરત ડાયમંડ બુર્સને અનુલક્ષીને પ્રતિસ્પર્ધીને નીચે મુજબનો સવાલ પૂછ્યો હતો.

Which building record, that stood for 80 years, did the Surat Diamond Bourse break to become the largest office building in the world?

ઉદઘાટન પહેલા જ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બની ચૂક્યું છે સુરતનું ડાયમંડ બુર્સ

સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો છે જ પણ અનેક દ્રષ્ટીએ આ પ્રોજેક્ટ અનોખી ભાત પાડનારો અને અનોખી છાપ ઉભી કરનારો છે. દુનિયામાં સહકારી ક્ષેત્રે રૂ.3600 કરોડ જેટલી વિક્રમી ખર્ચ કરીને એકપણ રૂપિયાનું ધિરાણ લીધા વગર ઉભી થયેલી વિશ્વની સૌથી મોટી ઇમારત પણ સુરત ડાયમંડ બુર્સ છે.

સુરત ડાયમંડ બુર્સ સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ તો છે જ પણ સમગ્ર વિશ્વનું સૌથી મોટું હીરા બજાર પણ આ જ જગ્યાએ વિકાસ પામશે.

સુરત ડાયમંડ બુર્સ જ્યારે સંપૂર્ણ ક્ષમતા અનુસાર કાર્યરત બની જશે ત્યારે ભારતમાં સૌથી વધુ નિકાસ ધરાવતું શહેર સુરત હશે અને રાજ્ય ગુજરાત બની જશે.

August 22, 2023
sgcci-sparkle-1280x419.png
1min497

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ શહેરના અઠવાલાઇન્સ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્પાર્કલ એક્ષ્પો ડિસેમ્બર માસમાં યોજાતો હોય છે પરંતુ, આ વર્ષથી પરંપરા એટલા માટે બદલવામાં આવી છે કે દિવાળી પછી લગ્નસરાની સિઝન માટે ઝવેરાતની ખરીદી થઇ શકે અને તેને લઇને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને વેપાર મળશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ, ર૬ અને ર૭ ઓગષ્ટ, ર૦ર૩ દરમ્યાન સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નું આયોજન

સ્પાર્કલ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા, વીપી વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, હિમાંશુ બોડાવાલા, બિજલ જરીવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન યોજાશે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના રપ જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવતી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે. સુરતની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી આખી દુનિયાને આવશે.

વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે. હવે સુરત ડાયમંડ બુર્સ બની ગયું છે, આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય આવી ગયો છે.મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વેડિંગમાં આઉટફિટ સાથે જ્વેલરી સિલેકશન માટે મહિલાઓ ઘણું રિસર્ચ કરે છે, આથી મહિલાઓનું આ રિસર્ચ સ્પાર્કલ પ્રદર્શનમાં એક જ સ્થળે પૂરું થઇ જશે. કારણ કે, જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગ કલેકશનનું અહીં પ્રદર્શન કરાશે.

સ્પાર્કલ એકઝીબીશનના ચેરમેન તુષાર ચોકસીએ જણાવ્યું હતું કે, ઓગષ્ટ મહિના પછી લગ્નસરા શરૂ થશે. લગ્ન પ્રસંગ હોવાથી લોકો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એકજ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત જેમના ત્યાં લગ્ન પ્રસંગ હોય તેઓ જ્વેલરી કયાંથી ખરીદવી તે બાબતે દુવિધામાં હોય છે. તદુપરાંત જ્વેલરીમાં કયો ટ્રેન્ડ ચાલી રહયો છે? તેનાથી પણ તેઓ વાકેફ હોતા નથી, આથી સ્પાર્કલ પ્રદર્શનમાં સમગ્ર દેશભરની જુદી–જુદી ડિઝાઇનની જ્વેલરીનું પ્રદર્શન થાય છે. જેથી કરીને લોકો એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરી પસંદ કરી તેની ખરીદી કરી શકે છે.

સ્પાર્કલ એકઝીબીશનના કો–ચેરમેનો નિખિલ દેસાઇ, પ્રતાપ જીરાવાલા અને સલિમ દાગીનાવાલાએ આ પ્રદર્શનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરવામાં આવી છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે.આ ઉપરાંત ગોલ્ડમાં પોલ્કી–હેરિટેજ જ્વેલરી અને ડાયમંડમાં એમ્રાલ્ડ–પર્લનું ફયુઝન બ્રાઇડલ જ્વેલરીને વધારે પસંદ કરવામાં આવે છે. આ બધી જ જ્વેલરીનું પ્રદર્શન સ્પાર્કલ એકઝીબીશનમાં કરવામાં આવશે. પોલ્કી–હેરિટેજ જ્વેલરી લોન્ગ લાસ્ટીંગ હોવાથી મહિલાઓ તેની ખરીદી વધારે કરે છે. આ પ્રદર્શનમાં ગ્રાહકોને વિશિષ્ટ શ્રેણીઓની જુદી–જુદી જ્વેલરી જોવા મળશે.

ચાંદીમાં રામમંદિરની થીમની કૃતિ આકર્ષણ જમાવશે

સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીનું અદ્‌ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પણ આકર્ષણ ઉભું કરશે. ચાંદીની પ્રતિમા ઉપરાંત આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

આગામી છ-આઠ માસમાં જેમના લગ્ન થવાના છે તેમને ખાસ આમંત્રણ અપાયા

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના ૬૦૦થી વધુ યુગલો તથા તેમના પરિવારજનોને સ્પાર્કલની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યુગલો એવા છે કે જેઓના થોડા મહિના બાદ લગ્ન થવાના છે, જેથી તેઓને એકજ સ્થળેથી દરેક પ્રકારની જ્વેલરીનું કલેકશન મળી રહેશે. આ પ્રદર્શનમાં બિન નિવાસી ભારતીયો માટે લગ્નસરા તથા રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો માટે ખાસ કલેકશન જોવા મળશે.

August 21, 2023
Cia_business_news-1280x936.jpg
1min402

સુરતના ઉદ્યોગપતિ બી.એસ. અગ્રવાલે એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદરને કરેલી રજૂઆતો બાદ સોલાર સંદર્ભે નવી ગાઇડલાઇન બહાર પડી

અત્યાર સુધી ગુજરાતમાં કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવતા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર તરફથી ઇન્સેન્ટીવ કે સબસિડી આપવામાં આવતી ન હતી. ઉલ્ટાનું સરકારના કેટલાક અધિકારીઓ જોગવાઇનું મનસ્વી અર્થઘટન કરીને એવો હઠાગ્રહ રાખી રહ્યા હતા કે ઔદ્યોગિક એકમની પ્રીમાઇસમાં જ સોલાર પાવર પ્લાન્ટ નાંખવામાં આવે તો જ ઇન્સેન્ટીવ અપાશે. પરંતુ, રાજ્યના ચીફ એડિશનલ સેક્રેટરીની દરમિયાનગીરી બાદ ગઇ તા.18મી ઓગસ્ટે જાહેર કરેલી નવી ગાઇડલાઇન અનુસાર હવેથી રાજ્ય સરકાર રાજ્યમાં ગમે ત્યાં સોલાર પાવર પ્લાન્ટ ઉભો કરનાર ઔદ્યોગિક ગૃહોને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ સબસિડી આપશે. આશ્ચર્યની વાત છે કે અત્યાર સુધી ઔદ્યોગિક એકમોને કેપ્ટીવ સોલાર પાવર પ્લાન્ટ માટે એક પણ રૂપિયાની રાહત અપાતી ન હતી.

સોલાર પાવર ક્ષેત્રમાં સુરતના ઉદ્યોગપતિ બી.એસ. અગ્રવાલ અને અન્યોએ ગયા મહિને જ્યારે રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી એસ.જે. હૈદર સુરત આવ્યા હતા ત્યારે તેમને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી કે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવાની યોજના ધરાવતા ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકાર દ્વારા કોઇપણ પ્રકારનું ઇન્સેન્ટીવ કે રાહત અપાતી નથી. ઉલ્ટાનું કાયદાનું મનસ્વી અર્થઘટન કરવામાં આવે છે. આ મુદ્દે એસ.જે. હૈદરે રાજ્ય સરકારના સંબંધિત વિભાગ સાથે પરામર્શ કરીને નવી ગાઇડલાઇન ગઇ તા.18મી ઓગસ્ટના રોજ જાહેર કરાવડાવી હતી. જેમાં સ્પસ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે જો કોઇપણ ઔદ્યોગિક એકમ કેપ્ટીવ કન્ઝપ્શન માટે સોલાર પાવર પ્લાન્ટ રાજ્યમાં ગમે ત્યાં ઇન્સ્ટોલ કરે તો તેને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર છે.રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચનાઓ હવે ઔદ્યોગિક એકમો સુધી પહોંચાડવામાં આવી રહી છે કેમકે  ઔદ્યોગિક એકમો જો પોતાના સોલાર પાવર પ્લાન્ટ સ્થાપે તો રાજ્યમાં વીજ ઉત્પાદન પર ઘણો લોડ ઓછો કરી શકાય તેમ છે.

વાર્ષિક રૂ.5થી 7 લાખ સબસિડી 5 વર્ષ મળે

કેપ્ટીવ કન્ઝપ્શન માટે સોલાર પાવર પ્લાન્ટ રાજ્યમાં ગમે તે વિસ્તારમાં સ્થાપનાર ઔદ્યોગિક એકમોને તેના મૂડીરોકાણ પર એરીયા બેઝ વર્ષે 5થી 7 ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી પાંચ વર્ષ સુધી આપવામાં આવશે. જેમાં સૌથી બેકવર્ડ એરીયામાં જો પ્લાન્ટ નાંખવામાં આવે તો વર્ષે 7 ટકા, 7 વર્ષ સુધી અને રૂ.35 લાખ સુધી મળી શકે. જો સેમિ અર્બન એરીયામાં પ્લાન્ટ હશે તો વર્ષે 6 ટકા 6 વર્ષ સુધી મહત્તમ રૂ.30 લાખ અને જો મ્યુનિસિપલ એરિયામાં પ્લાન્ટ હશે તો વર્ષે 5 ટકા પાંચ વર્ષ સુધી મહત્તમ રૂ.25 લાખ સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળવાપાત્ર છે.

સુરતીમાં 1 મેગાવોટથી 10 મેગા વોટ સુધીના 25 પ્રોજેક્ટ પાઇપલાઇનમાં

મળતી માહિતી મુજબ સુરતના અનેક ઉદ્યોગપતિઓ પોતાના વીજ વપરાશનું ભારણ ઘટાડવા માટે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. પરંતુ, અત્યાર સુધી રાજ્ય સરકારની એવી કોઇ નીતિ ન હતી કે જેમાં સોલા પાવર પ્લાન્ટના ઇન્સ્ટોલેશનમાં ઇન્સેન્ટીવ કે ઇન્ટરેસ્ટ સબસિડી કે અન્ય કોઇ રાહત મળતી હોય. પરંતુ, હવે તા.18મી ઓગસ્ટ 2023 બાદ પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે અને હવેથી રાજ્યના ઔદ્યોગિક એકમોને પાવર પ્લાન્ટ માટે મોટી રકમની ઇન્ટરેસ્ટ સબસિડી મળે તેમ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે એકલા સુરતમાં જ 1 મેગા વોટથી લઇને 25 મેગા વોટના પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે જેનું કામ હવે આગળ ધપશે.

August 21, 2023
WhatsApp-Image-2023-08-20-at-20.30.50.jpeg
4min683

“વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની પૂર્વ સંધ્યાએ કિરણ હોસ્પિટલ દ્વારા ભારત વડીલ વંદના કાર્યક્રમ

“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા

કિરણ હોસ્પિટલ દ્વારા “સીનીયર સીટીઝનો” માટે એક અનોખી યોજના બનાવવામાં આવી છે તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલમાં તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટેની અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ યોજનાનો પ્રારંભ માનનીય આરોગ્યમંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે રવિવાર તા.20મી ઓગસ્ટે સુરતના સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્સન સેન્ટર ખાતે ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજીને કરવામાં આવ્યો હતો.

“કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન કેલ્થ કેર” યોજનામાં સુરતમાં રહેતા ૨૬ રાજયના ૧૫ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે.

આરોગ્યમંત્રી રૂષિકેશભાઇ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો.

સુરતમાં રહેતા ૨૬ રાજયના સીનીયર સીટીઝન આ યોજનામાં જોડાયેલા હોવાથી આ કાર્યક્રમનું નામ “ભારત વડીલ વંદના” રાખવામાં હતુ. “વર્લ્ડ સીનીયર સીટીઝન ” ની સમગ્ર દુનિયામાં ઉજવણી થાય છે ત્યારે કિરણ હોસ્પિટલ દ્વારા ૨૦ ઓગષ્ટ ને રવિવાર ના રોજ સુરત ખાતે કંઇક અલગ પ્રકારે સીનીયર સીટીઝનોને મદદરૂપ થવાય તેવા ઉદેશ થી “કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના” લોન્ચ કરીને “વર્લ્ડ સીનીયર સીટીઝન ડે” ની ઉજવણી કરવામાં આવી.

આજના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલ, તેમજ મહેમાન તરીકે પદ્મશ્રી પઝદીભાઈ કરજીયા, સદભાવના ટ્રસ્ટના વિજયભાઇ ડોબરીયા, ઉપરાંત કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી, શ્રી ગોવિંદભાઇ ધોળકિયા, શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી રવજીભાઈ મોણપરા, શ્રી મનભાઇ લખાણી તેમજ કિરણ હોસ્પિટલના ટ્રસ્ટીદાતાશ્રીઓ, શહેરના મહાજનો અને યોજનામાં જોડાયેલા ૧૪ હજાર થી વધારે સીનીયર સીટીઝનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

આજના કાર્યક્રમમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સાવણી દ્વારા આ યોજનાની ઉડાણ પૂર્વક માહિતી આપી અને યોજનામાં સીનીયર સીટીઝનોને કેવી રીતે લાભ મળશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અધ્યક્ષ માનનીય આરોગ્ય મંત્રીશ્રી રૂષિકેશભાઇ પટેલે કિરણ હોસ્પિટલ દ્વારા સીનીયર સીટીઝનો માટે આવી યોજના બનાવવા બદલ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઇ સવાણી તેમજ સૌ ટ્રસ્ટીદાતાશ્રીઓને આવા ઉમદા કાર્ય બદલ બિરદાવ્યા હતા.

કિરણ હોસ્પીટલ દ્વારા લાખો લોકોને ક્વોલીટી સેવા પૂરી પાડવામાં આવી છે, આપણે સૌ જાણીએ છીએ કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે આપણે દેશના મોટા મેટ્રો સીટીની હોસ્પિટલોમાં જવું પડતું હતું. તે બધાજ ટ્રાન્સપ્લાન્ટ ઘર બેઠા કિરણ હોસ્પિટલે સુરતમાં શરુ કર્યા અને બહુ મોટી સંખ્યામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પણ કરવામા આવી.

કિરણ હોસ્પિટલની વિવિધ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર ટીમનું આરોગ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે આપણે સન્માન કરવામાં આવ્યું હતું જેમ કે

૧- કિરણ હોસ્પીટલમાં ૩૩ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. રવિ મોહ્ન્કા (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. ગૌરવ ચોબાલ (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. ધર્મેશ ધાનાણી (લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. જયારામ કે (લીવર ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. સ્મિત વઘાસિયા (લીવર ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. ભાવિન લશ્કરી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ),  ડો. આનંદ પ્રસ્તાગીયા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ) અને ડો. દર્શન ત્રિવેદી (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૨- કિરણ હોસ્પીટલમાં ૧૧૨ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. કલ્પેશ ગોહેલ (કીડની ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. પ્રમોદ પટેલ (કીડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. મુકેશ આહીર (કીડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. વિમલ કરગથરા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ), ડો. કૃતિ પટેલ (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ), ડો. અપેક્ષા પારેખ (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૩- કિરણ હોસ્પીટલમાં ૧૨૦ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. હસમુખ બલર  (બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. ધર્મેશ વઘાસીયા (બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. કપિલ દીવેકર (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ ), ડો. હિતેશ નાથાણી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ ) અને ડો. રાહુલ સાવલિયા (પીડીયાટીક  ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૪-કિરણ હોસ્પીટલમાં ૩૫૦ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરનાર  ડોક્ટર ટીમ-  ડો. સંકીત શાહ (કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. હર્ષ જોષી (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ) અને ડો. પરેશ પટેલ (ટ્રાન્સપ્લાન્ટ ઇન્ટેનસીવીસ્ટ)

૫- કિરણ હોસ્પીટલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. આલોક રંજન  (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. વિશાલ વાનાણી (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. નિકિતા ચતુર્વેદી (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ તબીબ), ડો. માલ્કેશ તરસરિયા (કાર્ડિયાક ટ્રાન્સપ્લાન્ટ સર્જન) અને ડો. વિકેશ રેવડીવાલા (ટ્રાન્સપ્લાન્ટ એનેસ્થેટીસ્ટ)

૬-કિરણ હોસ્પિટલમાં  હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડોક્ટર ટીમ-  ડો. અરવિંદ પટેલ (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. આશુતોષ શાહ (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન), ડો. આશિષ ચૌધરી (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન) અને ડો. અંકિત વર્મા (હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ સર્જન)

૭-કિરણ હોસ્પીટલમાં  ઓર્ગન ડોનેશન અવેરનેશ કરનાર ડોક્ટર ટીમ-   ડો. ભૌમિક ઠાકોર (ન્યુરો સર્જન), ડો. હીના ફળદુ (ન્યુરો ફીઝીશ્યન) અને ડો. અલ્પા પટેલ ( ટ્રાન્સપ્લાન્ટ કો ઓર્ડીનેટર)

સદભાવના વૃધાશ્રમમાં ૬૦૦ થી વધારે સીનીયર સીટીઝનોની સેવા કરનાર એવાશ્રી વિજયભાઈ ડોબરીયા જેઓએ ૨૦ લાખથી વધારે વૃક્ષો ઉછેર્યા છે. સુરતના અનેક રસ્તો ઉપર સદભાવના ટ્રસ્ટ દ્વારા ૫૦ હજાર થી વધારે વૃક્ષો રોપી અને તેને ઉછેરવાનું કામ ચાલુ છે. નવા ૧૫ કરોડ વૃક્ષો ઉછેરવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યા છે, રાજકોટમાં ૩૦ એકરમાં ૨ હજાર નિરાધાર વડીલોને માન સન્માન સાથે રાખી શકાય તેવા કેમ્પસનું નિર્માણ કાર્ય ચાલુ છે. આવી અનોખી સેવા કરનાર એવા શ્રી વિજયભાઈ ડોબરીયા નું માનનીય આરોગ્યમંત્રી શ્રી  અને કિરણ હોસ્પિટલ દ્વારા  સન્માન કરવામાં આવ્યું હતું

August 20, 2023
Cia_business_news-1280x936.jpg
1min566

મેન્યુફેકચરીંગ યુનિટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદી–જુદી ચીજવસ્તુઓના પ્રોડકશન અને પેકિંગ સહિતની પ્રક્રિયા વિષે જાણકારી મેળવી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગે શુક્રવાર, તા. ૧૮ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ ઇચ્છાપોર જીઆઇડીસી ખાતે આવેલા યુરો ફુડ્‌સની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી. જેમાં લેડીઝ વીંગના ચેરપર્સન મનિષા બોડાવાલા, કો–ચેરપર્સન ગીતા વઘાસિયા અને સેક્રેટરી પ્લવનમી દવે સહિત ૪૦ જેટલી મહિલા સાહસિકોએ યુરો ફુડ્‌સના પ્રોડકશન યુનિટની મુલાકાત લઇ વિવિધ પ્રોડકટના મેન્યુફેકચરીંગ અને પેકિંગ વિષે જાણકારી મેળવી હતી. યુરો ફુડ્‌સના સપના સાસપરાએ લેડીઝ વીંગને આવકારી પ્રોડકશન યુનિટની વિઝીટ કરાવી હતી.

ઇન્ડસ્ટ્રીયલ વિઝીટની શરૂઆત કવોલિટી ચેક રૂમથી થઇ હતી. જ્યાં પ્રોડકટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઓઇલમાં પ્રોટીન અને ફેટની તપાસ કરવામાં આવે છે. યુરો ફુડ્‌સના યુનિટમાં મુગ દાલ, ચના દાલ, ભાકર વડી, ચીપ્સ, ગાઠીયા અને ચીકી તેમજ લીચી, ગઉવા વિગેરે જ્યુસ બનાવવાની સમગ્ર પ્રક્રિયાને નિહાળી હતી અને તેનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો.

પ્રોડકશન યુનિટમાં ચીપ્સ બનાવવા માટે બટાકાની કવોલિટી તપાસવાથી લઇને તેની સફાઇ અને ત્યારબાદ તેના પેકિંગ સુધીની સમગ્ર પ્રક્રિયાનો લેડીઝ વીંગની મહિલા સાહસિકોએ અભ્યાસ કર્યો હતો. ખાસ કરીને જ્યુસની બોટલ પણ યુરો ફુડ્‌સના યુનિટમાં જ બને છે અને ત્યાં જ તેનું પેકિંગ થાય છે. આ યુનિટમાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી જુદી–જુદી પ્રોડકટ બનાવવામાં આવે છે, જેના વિષે મહિલા સાહસિકોએ માહિતી મેળવી હતી.

August 19, 2023
WhatsApp-Image-2023-08-18-at-21.32.58-1280x853.jpeg
1min574

SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા તા.18મી ઓગસ્ટના રોજ વરાછા રોડ સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે મહિલાઓ માટે અભિલાષા નામથી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ મહિલાઓને વ્યાવસાયિક કારકિર્દીના ઘડતર માટે યોજવામાં આવી હતો.

અભિલાષા કાર્યક્રમમાં મહિલાઓને નોકરીની અને સ્કીલ ડેલપમેન્ટની તકોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશન અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરતની અભિલાષા ઇવેન્ટને સફળ બનાવવા માટે જે ટીમે કામ કર્યું એ ટીમ મેમ્બર્સની સમૂહ તસ્વીર

SJMA સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રેસિડેન્ટ જયંતિ સાવલિયા અને WICCI વુમન્સ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સ સુરતના ડો.રિંકલ જરીવાલાએ સમારોહના મુખ્ય મહેમાન અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલનું મંચ પર અભિવાદન કર્યું હતું.

August 19, 2023
WhatsApp-Image-2023-08-18-at-16.58.56-2-1280x853.jpeg
2min924

બિઝનેસ વુમન, વર્કિંગ વુમન નવા નવા આઇડીયા પર કામ કરેઃ ડો. રેણુકા ગર્ગ

સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાની જરૂર છે : મેયર હેમાલી બોઘાવાલા

ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં ટકી રહેવા સેલ્ફ મોટીવેશન, એબિલિટી, અનુભવ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે સમજણ આપી

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વુમન આંત્રપ્રિન્યોર સેલ દ્વારા ગુરૂવાર, તા. ૧૭ ઓગસ્ટ, ર૦ર૩ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘એમ્પાવરમેન્ટ સર્કલ’ વિષે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર હેમાલી બોઘાવાલા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટના પૂર્વ વિભાગીય વડા ડો. રેણુકા ગર્ગે મહિલા સાહસિકોને બિઝનેસમાં આગળ વધવા અને બિઝનેસ વુમન તરીકે પોતાની ઓળખ ઉભી કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, મહિલાઓ હવે કોઇપણ ક્ષેત્રે પાછળ નથી. તેઓને દરેક ક્ષેત્રે આગળ વધવાની તક મળી રહી છે અને તેઓ આગળ વધી રહી છે. જો કે, મહિલાઓ માટે કામ કરવાની ઘણી ચેલેન્જ હોય છે ત્યારે આવી પરિસ્થિતિમાં તેઓએ પરિવારને સાચવીને આગળ વધવું જોઇએ. પહેલો સહકાર પરિવાર તરફથી લેશો તો કોઇ દિવસ પાછળ રહેશો નહીં. તેમણે કહયું કે, ગુજરાત જીઆઇડીસીમાં રૂપિયા ૧૭૦૦ કરોડનો બિઝનેસ માત્ર મહિલાઓ કરે છે ત્યારે ડાયમંડ સિટી, સિલ્ક સિટી, બ્રિજ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ‘બિઝનેસ વુમન સિટી’તરીકે ઓળખાય તે દિશામાં મહિલા સાહસિકોએ પ્રયાસ કરવાનો છે.

ડો. રેણુકા ગર્ગે જણાવ્યું હતું કે, ઉદ્યોગ સાહસિકતા માટે જે આઇડિયા આપણી પાસે હોય છે તેને અમલમાં નહીં મુકાય ત્યાં સુધી એ આઇડિયા બેકાર છે. જે પ્રોડકટનું ઉત્પાદન કરી તેને માર્કેટમાં લઇ જવી છે તેની માર્કેટમાં ડિમાન્ડ જ ન હોય તો પણ આઇડિયા બેકાર છે, આથી આઇડિયા હમેશા ફિઝીબલ હોવો જોઇએ. બિઝનેસ માટે રિસ્ક લેવો પડશે. આજે બિઝનેસની શરૂઆત કરી અને કાલથી પરિણામ મળશે એ જરૂરી નથી. બિઝનેસમાં ટકી રહેવા માટે પણ નવા નવા આઇડિયાઝ લાવવા પડશે. બિઝનેસમાં નવિનતા લાવવી પડશે ત્યારે જ બિઝનેસમાં લાંબા ગાળે ટકી શકાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બિઝનેસમાં ટકી રહેવા માટે માત્ર માર્કેટીંગ અને ફાયનાન્સ જ નહીં પણ ૩૬૦ ડીગ્રી એન્ગલથી વિચારવું પડશે. બિઝનેસ મેનેજમેન્ટના જેટલા પણ ફંકશન છે તેના વિષે વિચારવું પડશે. બિઝનેસમાં ટકી રહેવા માટે સ્પર્ધા ઘણી છે, પરંતુ હમેશા સ્પર્ધક બનીને નહીં પણ સહકારની ભાવના સાથે એકબીજાને સહયોગ આપીને પણ બિઝનેસને ડેવલપ કરવો પડે છે. બિઝનેસમાં નવી ટેકનોલોજી અપનાવી ગ્રાહકોની જરૂરિયાત મુજબ પ્રોડકટ ડેવલપ કરવી પડશે. તેમણે બિઝનેસમાં ટકી રહેવા માટે સેલ્ફ મોટીવેશન, એબિલિટી, એકસપિરિયન્સ, ફિઝીબલ આઇડિયા અને રિસોર્સ વિષે વિસ્તૃત સમજણ આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સ્વાગત પ્રવચન કરી મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા. ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી અને ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય સેશનમાં હાજર રહયા હતા.

વુમન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન કૃતિકા શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ કાર્યક્રમનું સંચાલન કરી મેયર હેમાલી બોઘાવાલાનો પરિચય આપ્યો હતો. કો–ચેરપર્સન નિમિષા પારેખે વકતા ડો. રેણુકા ગર્ગનો પરિચય આપ્યો હતો. લેડીઝ વીંગના એડવાઇઝર જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેશનનું સમાપન થયું હતું.

August 10, 2023
spb-sahkar-panel.jpeg
4min478

અમિત ગજ્જરની આગેવાની હેઠળની સહકાર પેનલે કર્યો ઋણ સ્વીકાર

રિપોર્ટેડ ઓન 7 ઓગસ્ટ 2023

પીપલ્સ બેંકની ચૂંટણીમાં મુકેશ દલાલની વિકાસ પેનલનો સફાયો, સહકાર પેનલના દરેક ઉમેદવારો મોટા માર્જિનથી જીત્યા

રિપોર્ટેડ ઓન 7 ઓગસ્ટ 2023

11 હજાર કરોડનો વહીવટ ધરાવતી 102 વર્ષ જૂની સુરત પીપલ્સ મલ્ટીસ્ટેટ કો ઓપરેટીવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે ગતરોજ રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે સોમવારે યોજાયેલી મતગણતરીની પ્રક્રિયાને અંતે સત્તાધારી વિકાસ પેનલ કે જેમાં સુરત શહેર ભાજપાના મહામંત્રી મુકેશ દલાલની આગેવાની હેઠળ અનેક ભાજપી નેતાઓ ચૂંટણી લડી રહ્યા હતા, એ વિકાસ પેનલના દરેકે દરેક ઉમેદવારની કારમી હાર થઇ હતી. પીપલ્સ બેંકની ચૂંટણી લડી રહેલા સત્તાધારીઓની વિકાસ પેનલને ભાજપાએ સત્તાવાર રીતે કોઇ મેન્ડેટ આપ્યો ન હતો છતાં ભાજપાના નામે વિરોધી સહકારી પેનલનું કામ કરતા અનેક લોકોને દમ મારનાર સુરત શહેર ભાજપાના મહામંત્રી મુકેશ દલાલ, બે કોર્પોરેટરો ધર્મેશ વાણિયાવાલા, કેયુર ચપટવાલા, શહેર ભાજપાના ખજાનચી શૈલેષ જરીવાલા, શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર દિપક આફ્રિકાવાલા સહિત આખી પેનલની હાર એટલી ખરાબ રીતે થઇ હતી કે આ પેનલનો એકેય ઉમેદવાર પોતાની ડિપોઝીટ બચાવી શકે તેટલા મત પણ મેળવી શક્યા નથી.ગતરોજ રવિવારે યોજાયેલા મતદાનને અંતે કુલ 15180 સભાસદોએ મતદાન કર્યું હતું. આ મતોની ગણતરી આજે સવારે 10 કલાકે દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે શરૂ કરવામાં આવી હતી. પહેલા રાઉન્ડની પ્રક્રિયાથી જ સત્તાધારી વિકાસ પેનલના ઉમેદવારો પછડાય રહ્યા હતા. એક પછી એક પેનલ ટુ પેનલ બેલેટ નીકળી રહ્યા હતા અને પહેલા 5000 મતોની ગણતરીમાં જ 3500 જેટલા મતો પૂર્વ ડિરેક્ટરોની બનેલી સહકાર પેનલના ઉમેદવારોને મળ્યા હતા. જોતજોતામાં બીજા રાઉન્ડની ગણતરી પણ હાથ ધરાઇ હતી અને તેમાં સહકાર પેનલના ઉમેદવારોની લીડ એટલી મજબૂત બની ગઇ હતી કે સત્તાધારી વિકાસ પેનલના ઉમેદવારો હાર પામી ગયા હતા અને એક પછી એક મતગણતરીના સ્થળ છોડી ગયા હતા.

રિપોર્ટેડ ઓન 6 ઓગસ્ટ 2023

પીપલ્સ બેંકની ચૂંટણીમાં 17 ટકા મતદાન, સહકાર પેનલને જોરદાર રિસ્પોન્સ

પાવર પોલિટીક્સને કારણે અનેક વિવાદોને જન્મ આપનાર સુરતની સૌથી મોટી સહકારી બેંક, સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં આજે યોજાયેલી ચૂંટણીમાં ક્રોસ પેનલ વોટીંગની ભરમાર વચ્ચે ગઇ ચૂંટણી કરતા 5 ગણું મતદાન નોંધાયું છે. છેલ્લી ચૂંટણીમાં 80 હજાર શેરહોલ્ડર મતદારો પૈકી માંડ 3 હજારે મતદાન કર્યું હતું. જ્યારે આ વખતે 87237 રજિસ્ટર્ડ શેરહોલ્ડર મતદારો પૈકી 15500 શેરહોલ્ડર મતદારોએ આજે મતદાન કર્યું હતું. આવતીકાલે સવારે 10 કલાકથી મતગણતરીની પ્રક્રિયા દયાળજી આશ્રમ, મજૂરાગેટ ખાતે શરૂ થશે.

સહકાર પેનલને જોરદાર રિસ્પોન્સ મળ્યાના સંકેતો
સુરત પીપલ્સ કો.ઓ. બેંકની આજે યોજાયેલી ચૂંટણીમાં મતદાનની પેટર્ન તેમજ એક ચોક્કસ સમાજના મતદારોએ અપનાવેલા ક્રોસ પેનલ વોટીંગના રૂખને જોતા એવું જણાય આવે છે કે સહકાર પેનલ કે જે બેંકના પૂર્વ ડિરેક્ટરોએ બનાવેલી પેનલ છે તેના બહુમતિ સભ્યોની તરફેણમાં જબરદસ્ત વોટીંગ થયાનું જણાય રહ્યું છે. કુલ 13 ડિરેક્ટરોની બેઠક માટે યોજાઇ રહેલી ચૂંટણીમાં 10 સીટ સામાન્ય વર્ગના ઉમેદવારો, 2 મહિલા કેન્ડીડેટ અને 1 એસસીએસટી વર્ગ પૈકી 10 સામાન્ય વર્ગ માટેની બેઠક પર એક ચોક્કસ સમાજના મતદારોએ પોતાના સમાજના બન્ને પેનલના મતદારોને મત આપ્યો હોવાનું મતદાન કરીને બહાર આવેલા અનેક મતદારોએ એક્ઝિટ પોલમાં જણાવ્યું હતું. સહકાર પેનલને એટલે પણ સમર્થન મળી રહ્યું છે કેમકે વિકાસ પેનલના કેપ્ટન ખુદ મુકેશ દલાલ કે જેઓ બેંકના હાલના ચેરમેન પણ છે, તેમણે તેમની પેનલમાં કેટલાક રાજકારણીઓને સમાવતા બેંકમાં રાજકારણ નહીં ચલાવવા સંદર્ભે સહકાર પેનલે મતદારોમાં ભારે પ્રચાર પણ કર્યો હતો. આમ, આવતીકાલના પરીણામોમાં વિકાસ પેનલને એન્ટીઇન્કમબંસી ફેક્ટર અને રાજકારણમાં જોડાણ નડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

આજે સવારે 9 કલાકથી શહેરના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ સંકુલ ખાતે મતદાન શરૂ થયું હતું. પહેલા જ કલાકમાં 1500થી વધુ શેરહોલ્ડરો મતદાન માટે ઉમટી પડ્યા હતા. મતદાન મથકે મતદારોને રિઝવવા માટે ઉમેદવારોએ પોતાને જે ચૂંટણી ચિન્હો મળ્યા હતા એ પશુ પક્ષીઓના વસ્ત્ર પરિધાન કરેલા કેન્વાસરોને રોકીને છેલ્લી ઘડી સુધી મતદારો તેમનું નામ કે તેના ચિન્હને ન ભૂલે એ રીતે પ્રચાર કર્યો હતો.વનિતા વિશ્રામ સંકુલ ખાતે સવારે 9 કલાકથી શરૂ થયેલું મતદાન સાંજે 6 કલાકે પૂર્ણ થયું ત્યાં સુધી ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. મતદારોને તેમના ઘરેથી મતદાન મથક સુધી લાવવા તેમજ લઇ જવા માટે ટુ વ્હીલ, ફોરવ્હીલ, રીક્ષા સહિતના વાહનોની વ્યવસ્થા જે તે ઉમેદવારોએ સ્વખર્ચે કરી હતી અને એ મુજબ જ ઉમેદવારોના સમર્થકો શેરહોલ્ડરોને પોતાના ઘરેથી મતદાન મથક સુધી દોરી લાવતા જોવાયા હતા.આજે મતદાન દરમિયાન નોંધપાત્ર ઘટના એ પણ બની હતી કે ક્રોસ પેનલ વોટીંગ કરીને આવેલા મતદાર શેરહોલ્ડરોએ પોતાના માનિતા ઉમેદવારોને કોને મત આપ્યા તેના મોબાઇલ ફોન પર લીધેલા ફોટોગ્રાફ્સ પણ દેખાડતા નજરે પડ્યા હતા. મળતી માહિતી મુજબ ચોક્કસ સમાજના મતદારોએ બન્ને પેનલમાં રહેલા પોતાના સમાજના ઉમેદવારોને જ મત આપ્યા અને તે અંગેના ફોટોગ્રાફ પણ મોબાઇલમાં લીધા હતા એ સૂચવે છે કે પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણીમાં ભારે ક્રોસ પેનલ વોટીંગ થયું હતું.સમગ્ર વોટીંગ સમયગાળા દરમિયાન વનિતા વિશ્રામ પર ઉમેદવારો અને તેમના ટેકેદારોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરમાં આજે પીપલ્સ બેંકની ચૂંટણીને સમાંતર લિંબાયત વિધાનસભામાં આવતા વોર્ડ નં.21ની પેટા ચૂંટણી પણ યોજાઇ રહી હતી, એ ચૂંટણીમાં સાવ નિરસ માહોલ જોવા મળતો હતો જ્યારે વનિતા વિશ્રામ સંકુલમાં પીપલ્સ બેંકની ચૂંટણીને કારણે ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જુદી જુદી સહકારી બેંકોએ સહકાર પેનલને સપોર્ટ જાહેર કર્યો

પીપલ્સ બેંકના શેરહોલ્ડરોને સહકાર પેનલની અપીલ

પીપલ્સ બેંકની ચૂંટણીમાં સહકાર પેનલ સામે વિકાસ પેનલનો સાવ ફિક્કો પ્રચાર

રિપોર્ટેડ ઓન 4 ઓગસ્ટ 2023

સુરત પીપલ્સ કો.ઓ. બેંકની આગામી તા.6 ઓગસ્ટે યોજાઇ રહેલી ચૂંટણીમાં સહકાર પેનલના જોરદાર પ્રચાર સામે ભાજપના મહામંત્રી મુકેશ દલાલની વિકાસ પેનલનો પ્રચાર સાવ ફિક્કો જણાય રહ્યો છે. મળતી માહિતી મુજબ શેરહોલ્ડરોનો રૂખ સહકાર પેનલ તરફ વોટિંગનો જણાય રહ્યો હોઇ, વિકાસ પેનલના ઉમેદવારો મોટા ભાગનો સમય પોતાના પ્રચાર કાર્યાલયમાં જ વિતાવી રહ્યા છે જ્યારે સહકાર પેનલનું કેમ્પેન દ્વીસ્તરીય રીતે ચાલી રહ્યું છે. સહકાર પેનલના ઉમેદવારો ડોર ટુ ડોર જઇને શેર હોલ્ડરોના ઘરે જઇને પોતાની આખી પેનલ માટે વોટ માગી રહ્યા છે જ્યારે બીજી તરફ બેક ઓફિસની ટીમ સોશ્યલ મિડીયા થકી અંદાજે 45 હજાર જેટલા મતદારો સુધી પહોંચી ચૂક્યા હોવાની માહિતી મળી છે.

ગુજરાત હાઇકોર્ટના રૂલિંગ પછી પીપલ્સ બેંકની ચૂંટણીમાં પેનલના સમીકરણો બદલાયા

ગુજરાત હાઇકોર્ટે સુરત જિલ્લા રજિસ્ટ્રાર અને સુરત પીપલ્સ કો.ઓ.બેંકના ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલની ઉમેદવારીપત્રો રદ કરવાની કાર્યવાહી સ્થગિત કરી દીધા પછી પીપલ્સ બેંકના પૂર્વ ડિરેક્ટરો ચૂંટણી લડી શકે તેમ હોઇ, હવે નીચે મુજબના ઉમેદવારો જુદી જુદી પેનલમાંથી ચૂંટણી લડશે.

  • અમિત ગજ્જર સહકાર પેનલ
  • મુકેશ દલાલ વિકાસ પેનલ

સુરત પીપલ્સ બેંકમાં રજિસ્ટ્રારે સત્તા બહાર ઉમેદવારીપત્રો રદ કર્યા

રિપોર્ટેડ ઓન 2 ઓગસ્ટ 2023 

સુરત પીપલ્સ બેંકની આગામી  રવિવારે યોજાનારી ચૂંટણીમાં આજે ગુજરાત હાઇકોર્ટની સૂચનાને પગલે જબરદસ્ત વળાંક આવ્યો છે. સુરત પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણીના અધિકારી તરીકે સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રારે પોતાની સત્તા બહાર જઇને 5 સિનિયર ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો રદ કર્યા હોવાનું નોંધીને ગુજરાત હાઇકોર્ટે પાંચેય ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો ગ્રાહ્ય રાખીને તેમને ચૂંટણી લડતા રોકવા નહીં તેવી સ્પષ્ટ સૂચના વચગાળાના આદેશમાં આપી હોવાનું જાણવા મળ્યું છે.સુરત પીપલ્સ કો.ઓ. બેંકની ચૂંટણી કરાવવા માટે બેંક બોર્ડે સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રારની નિમણૂંક કરી હતી. હાલમાં સુરત જિલ્લા સહકારી રજિસ્ટ્રાર તરીકે ધ્રુવિન પટેલ નામના અધિકારી ફરજ બજાવી રહ્યા છે. પીપલ્સ બેંકની ચૂંટણીમાં ચેરમેન મુકેશ દલાલ, મુકેશ ગજ્જર, અમિત ગજ્જર, સંજીવ તમાકુવાલા અને સુનિલ મોદી એમ પાંચ ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલે રદ કર્યા હતા. ઉમેદવારી પત્રો રદ કરવા પાછળ એવું કારણ આપવામાં આવ્યું હતું કે રિઝર્વ બેંકના કાયદા અનુસાર કોઇપણ વ્યક્તિ બેંકના ડિરેક્ટર તરીકે 8 વર્ષથી વધુ સમય સુધી રહી શકે નહીં. ઉપરોક્ત પાંચેય સિનિયર ડિરેક્ટરો આઠથી વધુ વર્ષોથી ડિરેક્ટર પદે રહ્યા હોઇ, જિલ્લા રજિસ્ટ્રાર ધ્રુવિન પટેલે પાંચેયના ઉમેદવારીપત્રો રદ કરી દીધા હતા.આ મુદ્દાને બેંકના ડિરેક્ટરોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેના અનુસંધાને આજે યોજાયેલા હિયરિંગ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે એવી સ્પષ્ટ સૂચના આપી હતી કે જિલ્લા રજિસ્ટ્રારે પોતાની સત્તા બહાર જઇને આ ઉમેદવારીપત્રો રદ કર્યા છે. બેંકીંગ રેગ્યુલેશન્સમાં તેમણે ડખલગીરી કરવી જોઇએ નહીં એ સંદર્ભની ટીપ્પણી સાથે ગુજરાત હાઇકોર્ટે આ ડિરેક્ટરોના ઉમેદવારીપત્રો માન્ય રાખીને તેમને ચૂંટણી લડવા દેવા સંદર્ભની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું હતું.ગુજરાત હાઇકોર્ટના આ સંદર્ભની સૂચનાઓ બાદ આજે સાંજે 5 કલાકે તાબડતોડ તમામ ઉમેદવારોની મિટીંગ રજિસ્ટ્રાર કમ ચૂંટણી અધિકારી ધ્રુવિન પટેલે યોજી હતી. ઉમેદવારોની આ મિટીંગમાં જેમના ફોર્મ રદ કરાયા હતા એ તમામ ઉમેદવારોને પણ હાજર રખાયા હતા.

SPB Elections: સહકાર પેનલનો સોશ્યલ મિડીયા અને ડોર ટુ ડોર જોરદાર પ્રચાર શરૂ

રિપોર્ટેડ ઓન 27 જુલાઇ 2023

સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં ચૂંટણી નિશ્ચિત બની છે. બેંકના ચેરમેન અને સુરત ભાજપના મહામંત્રી મુકેશ દલાલ પ્રેરિત વિકાસ પેનલની સામે સહકાર પેનલે જોરદાર પ્રચાર શરી દીધો છે. મળતી માહિતી મુજબ સહકાર પેનલના ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર કરીને શેર હોલ્ડરોના પોકેટમાં વ્યક્તિગત પ્રચાર શરુ કર્યો છે જ્યારે તેમની બેક ઓફિસ દ્વારા સોશ્યલ મિડીયના માધ્યમથી ખાસ કરીને વ્હોટ્સએપ પર સહકાર પેનલને મતદાન કરવા માટે જબરદસ્ત કેમ્પેન શરૂ કર્યું છે.

SPB Elections: બેંકના ચેરમેને મુકેશ દલાલની પેનલને જોરદાર ટક્કર આપવા સહકાર પેનલનું નિર્માણ

સુરત પીપલ્સ કો.ઓ. બેંક લિ.ની ચૂંટણીમાં ઉમેદવારીપત્રક પરત ખેંચવાની અંતિમ મુદત સુધીમાં થયેલી સમાધાન માટેની દરેક મિટીંગો વિફળ રહ્યા બાદ હવે મુકેશ દલાલની પેનલને ટક્કર આપવા માટે બેંકના પૂર્વ ડિરેક્ટરોની સહકાર પેનલનું નિર્માણ થયું છે. ઉમેદવારીપત્રક પરત ખેંચાવાની મુદત બાદ હવે ઇલેક્શન નિશ્ચિત બન્યું છે. મુકેશ દલાલે પોતાની સત્તાધારી પેનલને વિકાસ પેનલનું નામ આપ્યું છે જ્યારે તેમની સામે બેંકના પૂર્વ ડિરેક્ટરો મુકેશ ગજ્જર, અમિત ગજ્જર, સંજીવ તમાકુવાલા, સુનિલ મોદીએ પોતાની પેનલનું નામ સહકાર પેનલ રાખ્યું છે. સહકાર પેનલ પીપલ્સ બેંકની ચૂંટણીમાં સત્તાધારી પેનલને જોરદાર ટક્કર આપશે એ વાત નિશ્ચિત મનાય રહી છે.

  • સહકાર પેનલના ઉમેદવારો
  • આયુષિ અમિત ગજ્જર
  • આશિષ નટવરલાલ તમાકુવાલા
  • બિપિન મનસુખલાલ સાવલિયા
  • કેતન પ્રવિણચંદ્ર મોદી
  • મહેક નરેન્દ્ર ગાંધી
  • નિમિષ મુકેશચંદ્ર ગજ્જર
  • રાજેન્દ્ર પૂનમચંદ લાલવાલા
  • રોહિત શશિકાંત મહેતા
  • સમિર કાંતિલાલ બોડાવાલા
  • યતિશ ચંદ્રકાંત પારેખ
  • અન્યુતા ગોવિંદ મોદી
  • જસ્મિન જગદીશચંદ્ર મહેતા
  • કૈલાશ મગનલાલ રાંદેરીયા

આ ડિરેક્ટરો સહકાર પેનલને ખુલ્લું સમર્થન કરી રહ્યા છે

  • મુકેશ નાનાલાલ ગજ્જર
  • સુનિલ કનૈયાલાલ મોદી
  • સંજીવ નટવરલાલ તમાકુવાલા
  • અમિત દિલિપભાઇ ગજ્જર

ભાજપના મહામંત્રી મુકેશ દલાલની વિકાસ પેનલના ઉમેદવારો

  • અનિલ દલાલ
  • ક્રિનલ જરીવાલા
  • દિવ્યા બોડાવાલા
  • રાજેશ દૂધવાલા
  • અશોક સોપારીવાલા
  • દિપક આફ્રિકાવાલા
  • ધર્મેશ વાણિયાવાલા
  • કેયુર ચપટવાલા
  • જયેશ દલાલ
  • શૈલેષ જરીવાલા
  • જે.સી. જરીવાલા
  • રાહુલ મારુ
  • મુકેશ દેસાઇ

પરાજયની બીકે પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી પરેશ પટેલની પીછેહઠ

સુરતમાં હેડક્વાર્ટર ધરાવતી ગુજરાતની મોટામાં મોટી મલ્ટી સ્ટેટ કો.ઓ. બેંક, સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં રાજકારણીઓની ઘૂસણખોરી પર બ્રેક લાગી ગઇ છે. સી.આર. પાટીલના ખાસમખાસ ગણાતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પટેલે આજે પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. પરેશ પટેલ સાથે સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પંકજ દેસાઇએ પણ ઉમેદવારી પરત ખેંચી લેતા ચૂંટણી પહેલા જ ભાજપની પેનલ વેરવિખેર થઇ ગઇ છે. હવે પીપલ્સ બેંકની ચૂંટણીમાં મોઢ વણિક સમાજ કે ખત્રી સમાજ સાથે સંકળાયેલા રાજકારણીઓ જ મેદાનમાં રહ્યા છે.11 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી સુરતની મોટામાં મોટી સહકારી ક્ષેત્રની બેંક સુરત પીપલ્સ કો.ઓ. બેંકમાં આગામી તા.6 ઓગસ્ટે યોજાનારી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં ઉમેવદવારી પરત ખેંચવાની આજે અંતિમ મુદત પહેલા 38માંથી 9 ઉમેદવારોએ ઉમેદવારીપત્રક પરત ખેંચી લીધા હતા. પીપલ્સ બેંકની ચૂંટણીમાંથી ઉમેદવારી પરત ખેંચનારામાં સૌથી વધુ ચર્ચાસ્પદ સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ રહ્યા છે. પરેશ પટેલે આજે બપોરે બેંકમાં આવીને પોતાનું વિડ્રોલ ફોર્મ આપી નીકળી ગયા હતા. એ પછી તેમનો સંપર્ક કરી શકાયો ન હતો.

બેંક વર્તુળમાંથી મળતી માહિતી મુજબ પરેશ પટેલ સહિત ભાજપી ઉમેદવારો માટે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો તેઓ ચૂંટણી લડ્યા હોત તો તેમનો પરાજય નિશ્ચિત હતો અને તેમનો પરાજય એટલે ભાજપાનો પરાજય થાય. આવી સ્થિતિમાં પરાજયની બીકે તેમણે ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધું હોવાનું મનાય રહ્યું છે. જોકે તેમણે ઉમેદવારી કરી શું કામ અને કરી તો પરત કેમ ખેંચી એ અંગે ખુદ ભાજપી કાર્યકર્તાઓમાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે. કેમકે જો ચૂંટણી લડવાની હિંમત જ ના હોય તો પછી ઉમેદવારી કરવાનું નાટક શું કામ કર્યું, ઉમેદવારી પરત ખેંચી લેવાના કારણે પણ પીપલ્સ બેંકની ચૂંટણીમાં ભાજપ માટે નીચાજોણું થવા પામ્યું હોવાની લાગણી કાર્યકર્તાઓમાં ફરી વળી છે.પરેશ પટેલ ઉપરાંત સુરત શહેર ભાજપના ઉપપ્રમુખ પંકજ દેસાઇ, વર્તમાન ચેરમેન મુકેશ દલાલના પત્ની નીલાબેન મુકેશ દલાલ, જાણિતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતીશ મોદીના પત્ની દક્ષાબેન અને અરુણાબેન સોપારીવાલા એમ પાંચ એવા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે જે વર્તમાન ચેરમેન મુકેશ દલાલની પેનલના મનાય છે.આ ઉપરાંત પૂર્વ ડિરેક્ટરોની પેનલના રાહુલ ગજ્જર, રાધિકા જગદીશ મહેતા, હેમાંગીની તમાકુવાલા અને આનંદ ગાંધીએ પણ ઉમેદવારી પરત ખેંચી છે. સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં હવે 13 બેઠક માટે 29 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

August 8, 2023
cia_edu-1280x925.jpg
1min786

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારની મેડીકલ-પેરામેડીકલ ફી નિર્ધારણ કમિટીએ મેડીકલ કોલેજોની ફી ઘટાડવાનો નિર્ણય કરતા આજે ગુજરાત સરકાર મેડીકલ એડમિશન કમિટીએ એમબીબીએસ (મેડીકલ) અને બીડીએસ (ડેન્ટલ)માં આપવામાં આવેલા 8113 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરી દેતા પ્રવેશાર્થીઓ અને તેમના વાલીઓને ભારે આંચકો લાગ્યો છે. મેડીકલમાં સેમી સરકારી કોલેજોની ફીમાં કરાયેલા ધરખમ વધારાને કારણે અનેક વિદ્યાર્થીઓએ તેમને પ્રવેશ મળતો હતો છતાં એ જતો કર્યો હતો. સરકારે પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા પછી આજે તા.8મી ઓગસ્ટે મેડીકલ કોલેજોમાં કરાયેલો ફી વધારો પરત ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આથી જે વિદ્યાર્થીઓએ ફી વધારાના કારણે પ્રવેશ લીધો ન હતો એવા વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એ કારણથી મેડીકલ એડમિશન કમિટીએ ચાલુ વર્ષની મેડીકલ અને ડેન્ટલ કોલેજોની પહેલા રાઉન્ડની આખેઆખી પ્રવેશ પ્રક્રિયા જ રદ કરી દેવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે એમબીબીએસમાં કુલ 6858 તથા ડેન્ટલમાં કુલ 1255 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવાની સૂચના આપવામાં આવી હતી એ મુજબ વિદ્યાર્થીઓએ ફી પણ ભરપાઇ કરી દીધી છે. હવે સમૂળગી પ્રવેશ પ્રક્રિયા જ રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઇ ગયા છે.

ગુજરાતમાં મેડીકલ અને પેરામેડીકલ કોલેજોમાં હવે નવેસરથી પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એડમિશન કમિટીની વેબસાઇટ પર આ સૂચના જારી કરવામાં આવી છે

  • આથી શૈક્ષણિક વર્ષ:૨૦૨૩-૨૪ ના પ્રથમ રાઉન્ડ માં MBBS અને BDS કોર્સમાં પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે, પ્રવેશ પ્રક્રીયા દરમ્યાન CEO શ્રી, GMERS સોસાયટી, ગાંધીનગર ના તા.૨૦/૦૭/૨૦૨૩ નાં પત્ર ક્રમાંક:પરચ/સેલ્ફ. ફાય./મેનેજમેન્ટ/પ્રવેશ/ફી/૨૦૨૩-૨૪/ડ-૪/૨૩ થી GMERS મેડીકલ કોલેજોની નવી ટ્યુશન ફી નક્કી કરવામાં આવેલ હતી. જે અન્વયે ગવર્મેન્ટ ક્વોટાની ટ્યુશન ફી રૂ. ૫.૫૦ લાખ, મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. ૧૭.૦૦ લાખ તથા NRI ક્વોટા ની ૨૫,૦૦૦/- US Dollar નકકી કરવામાં આવેલ હતી. પરતું આજ રોજ તા. ૦૮/૦૮/૨૦૨૩ ના રોજ સરકાર શ્રી માં થયેલ મીટીંગ અને CEO, GMRES સોસાયટી, ગાંધીનગર નાં આજ રોજ તા.૦૮/૦૮/૨૦૨૩ ના પત્ર ક્રમાંક:પરચ/સેલ્ફ. ફાય./મેનેજમેન્ટ/પ્રવેશ/ફી/૨૦૨૩-૨૪/ડ-૪/૨૩ થી તેઓની ટ્યુશન ફી નો વધારો પરત ખેંચવામાં આવેલ છે. અને આ પત્ર મુજબ GMERS મેડીકલ કોલેજોની ગવર્મેન્ટ ક્વોટાની ટ્યુશન ફી રૂ. ૩.૩૦ લાખ, મેનેજમેન્ટ ક્વોટા ની ફી રૂ. ૯,૦૭,૫૦૦/- તથા NRI ક્વોટા ની ૨૨,૦૦૦/- US Dollar રાખવા જણાવેલ છે. જેથી પ્રથમ રાઉન્ડની તમામ પ્રવેશ પ્રક્રીયા રદ કરવામાં આવે છે. અને નવેસરથી પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ ચાલુ કરવામાં આવશે, જેનો વિગતવાર કાર્યક્રમ પ્રવેશ સમિતિની વેબસાઈટ પર મૂકવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ભરેલ છે અને અસલ પ્રમાણપત્રો હેલ્પ સેન્ટર પર જમા કરાવીને એડમિશન કન્ફર્મ કરાવેલ છે. તેમજ એડમિશન ઓર્ડર મેળવેલ છે. અથવા તો ફક્ત ટ્યુશન ફી ભરેલ છે, તેવા તમામ વિદ્યાર્થીઓના એડમિશન પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓની ભરેલી ફી હવે પછી યોજાનાર રાઉન્ડમાં મજરે આપવામાં આવશે. જેની દરેક વિદ્યાર્થી અને વાલી એ નોંધ લેવી.
  • જે ઉમેદવારોએ પ્રવેશ સમિતિના પ્રથમ રાઉન્ડ માં MBBS અને BDS કોર્સ માં પ્રવેશ માટે જરૂરી ટ્યુશન ફી ભરી હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવેલ છે. જો તેઓ પોતાના અસલ પ્રમાણપત્રો પરત મેળવવા ઈચ્છતા હોય તો તે ઉમેદવાર (૧) પોતાની અરજી (૨) ફોટો આઈડી ની નકલ અને (૩) અસલ એડમીશન ઓર્ડર હેલ્પ સેન્ટર ખાતે આપી અસલ પ્રમાણપત્રો પરત મેળવી શકશે.
August 7, 2023
Cia_business_news-1280x936.jpg
2min495

સુરતના બંદરે એક સમયે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા, સુરતના આ ઇતિહાસને દર્શાવવાના હેતુથી યાર્ન પ્રદર્શનમાં ૮૪ પ્રકારના યાર્ન દર્શાવતું થીમ પેવેલિયન મૂકવામાં આવશે : ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયા

દેશભરમાંથી ૯૦ જેટલા એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે, તદુપરાંત જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી ડેલીગેશન – બાયર્સ એકઝીબીશનની મુલાકાતે આવશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે યોજાતી પ્રદર્શનોની શ્રેણી અંતર્ગત વર્ષ ર૦ર૩–ર૪ ના બીજા પ્રદર્શન તરીકે ‘યાર્ન એક્ષ્પો– ર૦ર૩’નું આયોજન તા. ૪, પ અને ૬ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનો વિકાસ ઝડપભેર થઈ શકે અને ઉદ્યોગકારોને યાર્ન પ્રોડકશન વિષેની અદ્યતન ટેકનોલોજીની જાણકારી મળી રહે એ આશયથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન અંદાજે ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફૂટ એરિયામાં યોજાશે, જેમાં ૯૦ જેટલા એકઝીબીટર્સ ભાગ લઇ રહયા છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, ભરૂચ, મુંબઇ, ઇચ્છલકરંજી, ઇરોડ, સેલમ, મદુરાઇ, કોઇમ્બતુર, કર્ણાટકા, તેલંગાણા, કોલકાતા, ગોવા (વાસ્કો) અને પૂણેના એકઝીબીટર્સ પ્રદર્શનમાં ભાગ લઇ રહયા છે.

આ વર્ષે યાર્ન એક્ષ્પોનું પાંચમું એડીશન રજૂ કરાશે, જેમાં દેશભરના યાર્ન ઉત્પાદકો એક મંચ પર આવશે તથા યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યાર્ન એક્ષ્પોમાં થીમ પેવેલિયન તરીકે સુરતનો કિલ્લો બનાવવામાં આવશે. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરે ૮૪ દેશોના વાવટા ફરકતા હતા, આથી આ પ્રદર્શનની મુલાકાતે આવનારા ભારતના વિવિધ રાજ્યોના તેમજ વિવિધ દેશોના બાયર્સ સમક્ષ સુરતનો ઇતિહાસ દર્શાવવામાં આવશે, જેના ભાગ રૂપે ૮૪ પ્રકારના યાર્ન દર્શાવતું થીમ પેવેલિયન અહીં મૂકવામાં આવશે.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, શુક્રવાર, તા. ૪ ઓગષ્ટ, ર૦ર૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યાર્ન એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરાશે. જેનો ઉદ્‌ઘાટન સમારોહ સેમિનાર હોલ A, SIECC ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એમએસએમઇ કમિશ્નર સંદિપ જે. સાગલે (IAS) ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત સેન્ચુરી એન્કા લિમિટેડના મેનેજિંગ ડિરેકટર સુરેશ સોદાની, શિરાની અરિયારાથને (Minister (Commercial) Deputy High Commission, Sri Lanka, Mumbai, India), સીજીએસટી સુરતના કમિશ્નર પંકજ કુમાર સિંઘ, યુએસએ સ્થિત કિલનિકલ ડાટા સોલ્યુશન એલએલસીના પ્રમુખ પ્રવિણ પાનસુરિયા અને તરૂણ શર્મા (Indian Subcontinent Officer, Govt. of Umm AI Quwain, Free Trade Zone Authority, UAE) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, દેશભરના વિવિધ રાજ્યો તથા શહેરો જેવા કે ઇરોડ, ઇચ્છલકરંજી, તિરુપુર, તમિળનાડુ, કોઇમ્બતુર, હરીયાણા, હૈદરાબાદ, પાનીપત, વારાણસી, વારંગલ, લુધિયાના, ઇન્દોર, અમરાવતિ, બેંગ્લોર વિગેરેથી જેન્યુન બાયર્સ અને વિઝીટર્સ દ્વારા યાર્ન પ્રદર્શનની મુલાકાત લેવામાં આવશે. વિવર્સ, નીટર્સ, ઉદ્યોગ અગ્રણીઓ તથા ઉદ્યોગ સાહસિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે. વિવિધ યાર્નના ઉત્પાદકો અને બાયર્સ એક છત નીચે એક જ પ્લેટફોર્મ પર ભેગા થતા હોવાથી તેઓની વચ્ચે બિઝનેસ મીટ પણ યોજાશે.

આ ઉપરાંત જાપાન, સિંગાપોર, નેપાલ અને બાંગ્લાદેશથી પણ વિદેશી ડેલીગેશન તેમજ બાયર્સ આ પ્રદર્શનની મુલાકાતે આવનાર છે.

યાર્ન એક્ષ્પો– ર૩ના ચેરમેન ગિરધરગોપાલ મુંદડાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં એકઝીબીટર્સ દ્વારા નેચરલ અને મેન મેઇડ ફેબ્રિકસમાં આવી રહેલા પરિવર્તનો અને વિકાસને દર્શાવતા કોટન, પોલિએસ્ટર, વુલ, સિલ્ક, લિનન, વિસ્કોસ, રેમી અને સ્પાન્ડેક્ષ વગેરે ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, ડોપ ડાઈડ સ્પન, લો ટોર્ક અને ફેન્સી મિલાન્જ જેવા વિવિધ સ્પેશ્યાલિટી ફાઈબર પણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વ્યાપાર ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ આ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. આશરે ર૦ હજારથી વધુ બાયર્સ તથા વિઝીટર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે.

યાર્ન એક્ષ્પોમાં નીચે મુજબના યાર્નની બધી જ વેરાયટીઓનું પ્રદર્શન કરાશે

આ પ્રદર્શનમાં યાર્નની બધી જ વેરાયટીઓ જેવી કે સ્પેશિયલ ફેબ્રિકસ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું ૧૦૦ ટકા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, ડોપ ડાઇડ પોલિએસ્ટર યાર્ન, રિસાયકલ પોલિએસ્ટર યાર્ન, સિસ્લો પોલિએસ્ટર યાર્ન, મિલાન્જ યાર્ન, કેટોનિક યાર્ન, એર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન, સ્લબ યાર્ન, કોટન લુક પોલિએસ્ટર યાર્ન, કોટન ફીલ પોલિએસ્ટર યાર્ન, ફેન્સી પોલિએસ્ટર યાર્ન, ઇનહેરન્ટ ફાયર રેટરડન્ટ યાર્ન અને ઇનહેરન્ટ એન્ટી બેકટેરિયલ યાર્ન વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે.

ફેબ્રિક બનાવવા માટે અત્યાર સુધી પ્લાસ્ટીક જરીનો જ ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હવે બામ્બુ ફાયબર્સમાંથી બનતી ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ ફેબ્રિક બનાવવામાં થઇ રહયો છે. આ ઇકો ફ્રેન્ડલી જરીનો ઉપયોગ કન્વેન્શનલ વિવિંગ અને હાઇસ્પીડ ટેકનોલોજી જેવી કે રેપિયર, એરજેટ અને વોટરજેટ પર વિવિંગ માટે કરી શકાય છે.

આ ઉપરાંત એક્ષ્કયુઝીટ રેઇન્બો મેટાલિક યાર્ન જુદા જુદા ખૂણાઓથી અલગ અલગ રંગ દર્શાવે છે, જેને કારણે કોઈપણ ફેબ્રિકમાં મનમોહક મેઘધનુષ્ય ઝબૂકતું દેખાય છે. સાડીઓ, લેસ અથવા અન્ય કોઈપણ ઉત્પાદનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને ડિઝાઇનર ફેબ્રિકમાં માસ્ટરપીસ બનાવવા માટે તેનો વધુ ઉપયોગ કરી શકાય તેમ છે.