કોરોનાનો ટેસ્ટ કરાવનારી વ્યક્તિની આંગળી પર કાળી શાહી લગાવાશે

Share On :

કોરોના ટેસ્ટીંગમાં બે પ્રકારના લોકો જોવા મળી રહ્યા છે. એક એવા કે જેઓ તમામ પ્રકારના લક્ષણો હોવા છતાં ટેસ્ટીંગથી દૂર ભાગતા હોય છે, પરાણે ટેસ્ટ થાય છે. જ્યારે બીજી તરફ એવા લોકો પણ છે જેઓ બિનજરૂરી રીતે કોરોના ટેસ્ટ કરાવતા હોય છે. બીક, ડર, ભયને કારણે એવા પણ લોકો છે જે અઠવાડીયે અઠવાડીયે ટેસ્ટીંગ કરાવે છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને નવી પ્રથા શરૂ કરી

લોકો વારંવાર કોરોનાનો ટેસ્ટ કરાવી રહ્યા છે ત્યારે અમદાવાદ મનપા દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટેની રણનીતિ બદલી છે. લોકો વારંવાર ટેસ્ટિંગ ન કરાવે એ માટે એકવાર ટેસ્ટ કરનારી વ્યક્તિની આંગળી પર કાળી શાહી લગાવવામાં આવશે તેમજ શરદી-ખાંસીની ફરિયાદ સાથે લોકો ટેસ્ટ કરાવવા પહોંચતાં ટેસ્ટિંગ કરતાં સેન્ટરો પર લાંબી લાઈનો લાગી રહી છે, જેને અટકાવવા માટે હવે ૧૦૦ ડિગ્રી તાવ ધરાવતા દર્દીઓનો જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

જે લોકોને લક્ષણો નથી છતાં પણ તેઓ ડોમમાં અને અન્ય જગ્યાએ ટેસ્ટ કરાવવા માટે આવતા હતા, જેથી હવે જેને કોરોનાનાં લક્ષણો, જેવાં કે તાવ, શરદી, ઉધરસ હોય તેમના જ ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં જેવા કે પોઝિટિવ દર્દીના ઘરમાં રહેલા લોકો અને તેની સાથેના લોકોના ટેસ્ટ કરવામાં આવશે. જેને લક્ષણ નહીં હોય તેને હવે ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :