CIA ALERT

BJP પેજ પ્રમુખોની નિમણૂંક કાયમી ધોરણે : CR પાટીલ : 1/1/21થી નવી મતદાર યાદી અમલી બનશે, તો પણ પેજ પ્રમુખો એ જ રહેશે

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા પછી સગઠનાત્મક કામગીરી કરતા સી.આર. પાટીલે ભરેલા અનેક પગલાંઓ પૈકી સૌથી ઇફેક્ટીવ અભિયાન પેજ પ્રમુખનું છે. હાલમાં (Gujarat BJP) ગુજરાત ભાજપામાં પેજ પ્રમુખ બનીને પેજ સમિતિ સુપરત કરવાની પ્રક્રિયામાં શિર્ષથી લઇને અદનામાં અદના કાર્યકર સુધી હોડ જામી છે.

તા.16મી ડિસેમ્બરે સુરત ભાજપા કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં CiA Live News Web સી.આઇ.એ. લાઇવ તરફથી ભાજપાના ગુજરાત સુપ્રીમો સી.આર. પાટીલને પેજ પ્રમુખ અભિયાન અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમના જવાબો ગુજરાત ભાજપાના કાર્યકરો માટે એક માર્ગદર્શન સમાન બની રહેશે.

પેજ પ્રમુખોની મુદત કાયમી છે એવા સ્ટેટમેન્ટ પછી ભાજપામાં પેજ પ્રમુખો બનવાની હોડ સર્જાય તો નવાઇ નહીં

અમે CiA Live News Web સી.આર. પાટીલને પૂછ્યું કે પેજ પ્રમુખોની મુદત કેટલી તેના પ્રત્યુત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે પેજ પ્રમુખોની મુદત કાયમી છે. અમે સી.આર. પાટીલને વધુ ડિટેઇલમાં પૂછ્યું કે હાલ મતદાર યાદીઓની સુધારણા ચાલી રહી છે અને એમાં 16થી 17 હજાર નવા મતદારો સામેલ કરવામાં આવશે. જો નવા મતદારો આવશે અને હજારોની સંખ્યામાં રદ થયેલા મતદારોના નામો કમી થશે એટલે મતદાર યાદીના પેજ પ્રમુખોનું સ્થાન જે તે પેજ પરથી અન્ય પેજ પર જશે ત્યારે એક જ પેજ પર બે થી ત્રણ પેજ પ્રમુખો પણ આવી જશે ત્યારે શું કરશો આ પ્રશ્નના ઉત્તરમાં સી.આર. પાટીલે કહ્યું કે આ ટેકનિકલ મુદ્દો છે.

તેમણે એમ પણ કહ્યું કે જે નવા મતદારો આવશે તેમાંથી જેઓ પેજ પ્રમુખ બનવા માંગશે તેમને પણ અમે સમાવી લેવાના પ્રયાસો કરીશું. આટલું કહ્યા પછી તેમણે પત્રકાર પરિષદ આટોપી લીધી હતી.

તા.1/1/21ના રોજ નવી સુધારેલી મતદાર યાદી જાહેર થશે ત્યારે પેજ પર તમામ મતદારોના સ્થાન અને પેજ બન્ને બદલાશે

સી.આઇ.એ. લાઇવ CiA Live News Web એ ભાજપાના પ્રદેશ પ્રમુખને એ પણ જણાવ્યું કે હાલમાં ગુજરાતમાં વિધાનસભા મત વિસ્તાર અનુસાર મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. તા.1લી જાન્યુઆરી 2021ના રોજ નવી મતદારયાદીઓ જાહેર થશે. હાલમાં મતદાર યાદી સુધારણા સાથે સંકળાયેલા સ્ટાફના જણાવ્યા અનુસાર નવા મતદારો હજારોની સંખ્યામાં ઉમેરાશે તેમજ કેટલાકના સ્થાન ફેર થશે, કેટલાક મતદારોના નામો કમી થશે, મૃત્યુ પામેલા મતદારોના નામ રદ થશે આમ, હાલમાં જે મતદાર યાદીઓમાં મતદારોના નામ જે તે પેજ પર છે તે અન્ય શીફ્ટ થશે જ થશે.

આમ છતાં, ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સુરત ખાતેની પત્રકાર પરિષદમાં જાહેરાત કરી છે કે પેજ પ્રમુખોની નિમણૂંક કાયમી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :