3/6/25: આજથી અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ
3rd June 2025 at 9:11 AM
1 minute read

અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિમાં આજે સવારે 6.30 કલાકથી બીજા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની શરૂઆત થઈ હતી. ત્રણ દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં રામ દરબાર, શિવલિંગ, ગણપતિ, હનુમાન, સૂર્ય, ભગવતી અને અન્નપૂર્ણાની સાથે શેષાવતાર મંદિરમાં દેવ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
ત્રિદિવસીય સમારોહમાં મંગળવાર અને બુધવારે સવારે 6.30 કલાકથી 12 કલાક સુધી પૂજા-અનુષ્ઠાન થશે. જેમાં 1978 મંત્રોની સાથે અગ્નિ દેવતાને આહુતિ આપવામાં આવશે. તેમજ રામરક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા તથા અન્ય ભક્તિ ભજનોનો પાઠ કરવામાં આવશે. મુખ્ય સમારોહ 5 જૂને થશે. જેમાં રામ દરબાર (શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન)ની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે સાત અન્ય મંદિરોમાં દેવ પ્રતિમાની સ્થાપના થશે.
રામ જન્મભૂમિમાં બીજા પ્રાણ પ્રતિષ્ઠાના પ્રથમ દિવસે પંચાગ પૂજન, મંડપ પ્રવેશ, યજ્ઞ મંડપ પૂજન, ગ્રહ યોગ, અગ્નિસ્થાપન, વન, કર્મ કુટી, જળાધિવાસ અનુષ્ઠાન થશે. શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં રામ દરબાર સહિત તમામ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓના શુદ્ધિકરણની પ્રક્રિયાનો આજે સવારથી આરંભ થયો હતો.5 જૂને થનારો મુખ્ય સમારોહ ઐતિહાસિક હશે. આ દિવસે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે સાથે સાત અન્ય મંદિરોમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
