Ayodhya : રામ મંદિર માટે 2100 કરોડનો સહયોગ મળ્યો

રામ મંદિર નિર્માણ માટે છેલ્લા 44 દિવસથી ચાલી રહેલા રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં 2100 કરોડ રૂપિયાનું દાન એકત્રિત થયું છે.
શનિવારે દાન કરવા માટેનો અંતિમ દિવસ હતો. જેની શરૂઆત 15 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી.
આ અભિયાના શરૂઆતના સમયે 1100 કરોડ રૂપિયા એકત્રિત થવાનું અનુમાન હતું પણ જનતાની અભૂતપૂર્વ ભાગીદારીના કારણે લગભગ 1000 કરોડ રૂપિયા વધારે એકત્રિત થયા છે. શ્રીરામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિના કહેવા પ્રમાણે તમામ વર્ગના લોકોએ રામ મંદિર નિધિ સમર્પણ અભિયાનમાં આગળ વધીને ભાગ લીધો છે.
વિશેષકરીને ધર્મની દિવાલને ધ્યાને લીધા વિના દૂરના ગામોમાંથી ખૂબ દાન એકત્રિત થયું છે. તેમણે કહ્યું હતું કે, શનિવારે દાનની રકમનો આંક 2100 કરોડ રૂપિયાને પાર કરી ગયો હતો. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અંદાજ લગાડવામાં આવ્યો હતો કે મંદિર બનાવવામાં 300-400 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે અને પુરૂ મંદિર બનાવવા પાછળ 1100 કરોડ રૂપિયનો ખર્ચ થશે.’
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


