India : રસીકરણ 16/01/21થી
ભારતમાં ૧૬ જાન્યુઆરીથી કોવિડ-૧૯ સામે રસીકરણની ઝુંબેશ શરૂ કરાશે. ત્રણ કરોડ હૅલ્થકૅર અને ફ્રન્ટલાઇન વર્કરને પ્રાધાન્ય અપાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સામેની રસીકરણની આ સૌથી મોટી ઝુંબેશ ગણાવી હતી.
સરકારે જણાવ્યું હતું કે મોદીએ કોવિડ-૧૯ના રસીકરણની ઝુંબેશ માટેની રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તૈયારીની ઉચ્ચ સ્તરની બેઠકમાં સમીક્ષા કરી હતી અને તે પછી રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
સરકારે સ્પષ્ટતા કરી હતી કે લોહડી, મકર સંક્રાંતિ, પોંગલ, માઘ બિહૂ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને જ ૨૦૨૧ની ૧૬ જાન્યુઆરીથી દેશમાં કોવિડ-૧૯ સામેના રસીકણના કાર્યક્રમને શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
રસીકરણમાં હૅલ્થકૅર, ફ્રન્ટલાઇન વર્કરને પ્રાથમિકતા આપ્યા બાદ પચાસ વર્ષથી મોટી વયના લોકો અને એકથી વધુ રોગના લક્ષણ ધરાવતા દરદીઓને રસી અપાશે. દેશમાં આવા કુલ લોકોની સંખ્યા અંદાજે ૨૭ કરોડ છે.
મોદીએ ઉચ્ચ સ્તરની બેઠક બાદ ટ્વીટ કર્યું હતું કે ભારતમાં કોવિડ-૧૯ સામેની લડતમાં ૧૬ જાન્યુઆરીથી મોટા પાયે રસીકરણ શરૂ કરાશે.
તેમણે જણાવ્યું હતું કે રસીકરણમાં આપણા બહાદુર ડૉક્ટરો, હૅલ્થકૅર અને સફાઇ કર્મચારીઓ સહિતના ફ્રન્ટલાઇન વર્કરને પ્રાધાન્ય અપાશે. ભારતે તાજેતરમાં બે રસી – સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરાયેલી ઑક્સફર્ડની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને તાકીદના વપરાશ માટે મંજૂરી આપી હતી. દેશમાં નોંધાયેલા કોરોનાના અંદાજે ૧.૦૪ કરોડ દરદીમાંથી હાલમાં આશરે ૨,૨૪,૧૯૦ ઍક્ટિવ કૅસ છે. અત્યાર સુધીમાં કોરોનાથી ૧.૫ લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


