CIA ALERT

સુરતમાં બિરાજમાન ‘માં અંબા’ એ માસ્ક પહેર્યો : કોરોના સંક્રમણ અંગે નાસમજ સુરતીઓએ ગંભીરતા સમજવી રહી

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવીડ-19ના ફેલાય રહેલા સંક્રમણની સામે સુરતવાસીઓ પૈકી કેટલાક લોકો ભારે બેદરકારી દાખવી રહ્યા છે જેને લઇને સુરતમાં દિનપ્રતિદિન કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. અનેક ગણ્યમાન્ય વ્યક્તિઓ, સેલિબ્રિટીઓ, રાજકીય નેતાઓ અપીલ કરી ચૂક્યા છે કે કોવીડ 19માં ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે. પણ હજુ 25 ટકા લોકો માસ્ક વગર, સૂચનાઓનું પાલન કર્યા વગર બેધકડ ફરી રહ્યા છે.

બેદરકાર સુરતીઓએ હવે સમજવું પડશે

બેદરકાર રહેલા સુરતીઓ હવે સમજવું પડશે. સુરતમાં બિરાજમાન અને વિશ્વવિખ્યાત અંબિકાનિકેતન મંદિરમાં બિરાજમાન મા અંબાએ પણ આજે માસ્ક ધારણ કરવો પડ્યો છે. સુરતવાસીઓને સમજાવવા માટે આજે અંબિકાનિકેતન ટ્રસ્ટના મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લઇને માં અંબાને માસ્ક પરિધાન કરાવવામાં આવ્યો હતો.

સુરતમાં અંબિકાનિકેતન મંદિરમાં બિરાજમાન મા અંબાના કરોડો ભક્તો છે. માં અંબાને ખુબ માને છે. અબાલવૃદ્ધોમાં માં અંબા માનીતા છે. કોવીડ 19નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો ખાસ તકેદારી રાખે, બિનજરૂરી ફર્યા ન કરે, માસ્ક પહેરે, વારેઘડીયા હાથ ધુએ વગેરે કાળજી રાખે એ માટે અંબિકાનિકેતન ટ્રસ્ટએ અપીલ કરી છે.

અંબિકાનિકેતન ટ્રસ્ટના ઓફિશ્યલ ફેસબુક હેન્ડલ પર આ સ્ટેટસ તા.2 જુલાઇ 2020ના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું

Ambikaniketantrust यांनी वर पोस्ट केले गुरुवार, २ जुलै, २०२०

અંબિકાનિકેતન મંદિર અચોક્કસ મુદત માટે બંધ

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :