અંબાજીના મહામેળાનો પ્રારંભ: લાખો ભાવિકો અંબાજીના દર્શને ઊમટયા
શક્તિપીઠ અંબાજીમાં બુધવાર તા.19મી સપ્ટેમ્બર 2018થી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઇ ગયો હતો. આ મેળો 19મી સપ્ટેમ્બરથી 25મી સપ્ટેમ્બર સુધી સાત દિવસ ચાલશે. મેળામાં લોકો શાંતિથી અને કોઈ વિઘ્ન વગર મા અંબાના દર્શન કરી શકે તે માટે સાત દિવસ માટે દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર કરાયો હતો.અને સુરક્ષાને લઇને વહીવટી તંત્રએ ભક્તાને મેળામાં કોઇ અગવડતા ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

બોલ માડી અંબે…જય જય અંબેનો નાદ
અંબાજીમાં મેળો શરૂ થતાની સાથે જ અંબાજીના બજારોમાં ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. ચારેબાજુ બોલ માડી અંબે…જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો હતો. સાત દિવસ ચાલનારા મેળામાં તેમ જ મા અંબાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચી રહ્યા હતાં. આ વખતના અંબાજીના મેળામાં માઇ ભક્તોને અગવડતા ન પડે તે માટે મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
સવારની આરતી જે સામાન્ય દિવસમાં સવારે 7 કલાકે થતી હતી તે મેળા દરમિયાન સવારે 6:15 વાગ્યાથી 6:45 વાગ્યા સુધી થશે. સવારે 6:45થી 11:30 સુધી દર્શનનો લાભ મેળવી શકાશે. બપોરે 12:30 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી લોકો દર્શનનો લાભ લઈ શકશે. સાંજની આરતી 7:00થી 7:30 સુધી યોજાશે. જ્યારે ભાવિકો સાંજે 7:30 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે. મહામેળામાં ગત વર્ષે 26.73 લાખ માઇ ભક્તોએ મા અંબાના દરબારમાં માથું ટેકવીને ધન્યતા અનુભવી હતી.
ગત વર્ષની સરખામણીએ આ વખતે 28 લાખથી વધુ યાત્રાળુઓ ભાદરવી પૂનમના મહામેળા વખતે અંબાજી આવે તેમ મનાઇ રહ્યું છે. અંબાજી ખાતે મંદિર આ વખતે પરિસરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મહામેળા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં માટે અંબાજીના વિવિધ માર્ગોના 22 વિભાગ પાડીને 609 પોઇન્ટ્સ મુકાયા છે તેમ જ 150 રૂટ પર પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઇ છે. અંબાજીમાં 27 વોચ ટાવર, 7 ક્ધટ્રોલરૂમ, ઘોડેસવાર, પેટ્રોલિંગ-ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે.
મહામેળાનું જીવંત પ્રસારણ અંબાજીમાં 24 કલાકમાં કોઇ પણ સ્થાનેથી નિહાળી શકાય માટે અંબાજીના વિવિધ વિસ્તારોમાં 12 એલઇડી, 30 ટેલિવિઝન સેટ મૂકાયા છે. જેના દ્વારા યાત્રાળુઓ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નીહાળી શકશે. વિવિધ પગપાળા સંઘોનું આગમન થઇ ચૂક્યું છે. સ્વાઇન ફ્લૂ ધીરે-ધીરે માથું ઊંચકી રહ્યો હોઇ. જેના પગલે પગપાળા સંઘના કેમ્પ તેમ જ અંબાજીમાં પણ સ્વચ્છતાની પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


