હેલિકૉપ્ટરનું ઓનલાઇન બુકિંગ શરૂ થતા જ 10 દિવસની ટિકિટ વેચાઇ ગઇ
અમરનાથ યાત્રા માટે હેલિકૉપ્ટરનું ઓનલાઇન બુકિંગ શરૂ થતા જ 10 દિવસની ટિકિટ વેચાઇ ગઇ છે. આ ઉપરાંત શ્રાઇન બોર્ડ હવે શ્રદ્ધાળુઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા પણ આપવા જઇ રહ્યું છે, જેને 2013માં બંધ કરી દેવામાં આવી હતી.
અમરનાથ શ્રાઇન બોર્ડ તરફથી યાત્રીઓને ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી રહી છે. આ સુવિધામાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકે છે, જેમાં તેઓ જરૂરી જાણકારીની સાથે ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ પણ અપલોડ કરી શકે છે. યાત્રા દરમિયાન બાલતાલ/ દોમેલ અને નુનવાન/ પહેલગામ/ ચંદનવાડી બેઝ કૅમ્પ પર હેલ્થ સર્ટિફિકેટની તપાસ કરવામાં આવશે. યાત્રીઓના રિસ્પોન્સ બાદ ઓનલાઇન સેવાને વધારવામાં આવશે.
અમરનાથ યાત્રા માટે બુધવારથી હેલિકૉપ્ટર સેવાનું ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું છે. પહેલા દિવસથી જ શ્રદ્ધાળુઓમાં ઓનલાઇન બુકિંગ માટે ભારે ઉત્સાહ નજર આવ્યો હતો. હેલિકૉપ્ટર સેવા આપવાવાળી કંપનીઓની પહેલા દસ દિવસની ટિકિટ કેટલાક કલાકમાં જ વેચાઇ ગઇ હતી. ઓનલાઇન બુકિંગ સેવા સવારે દસ વાગ્યાથી શરૂ થઇ હતી.
15 જુલાઇ બાદ દરેક દિવસની થોડી ટિકિટ જ ઉપલબ્ધ છે. બોર્ડના જણાવ્યા અનુસાર જેની પાસે હેલિકૉપ્ટરની ટિકિટ હશે, તેને અગાઉથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી. યાત્રા પહેલી જુલાઇથી શરૂ થશે અને 15 ઑગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સંપન્ન થશે. નીલગ્રથ-પંજતરણીથી પ્રતિ વ્યક્તિ એક તરફી હેલિકૉપ્ટર ભાડું 1804 રૂપિયા અને પહેલગામ-પંજતરણીથી 3,104 રૂપિયા નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
