CIA ALERT

આજે છડી મુબારક સાથે અમરનાથ યાત્રા સંપન્ન થશે

Share On :

કોરોનાને કારણે આ વર્ષે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી, પરંતુ યાત્રાના પ્રતીક સમી પવિત્ર છડી મુબારકને અમરનાથની ગુફામાં ત્રીજી ઑગસ્ટના શ્રાવણ પૂર્ણિમાના દિવસે જરૂર સ્થાપિત કરવામાં આવશે જેથી યાત્રાને સાંકેતિકરૂપે સંપન્ન કરી શકાય.

એક વીડિયો સંદેશમાં મહંત દીપેન્દ્ર ગિરિએ જણાવ્યું કે પવિત્ર છડી મુબારક ૩ ઑગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ શ્રી અમરનાથ ગુફામાં પહોંચશે અને ત્યાં બધા ધાર્મિક અનુષ્ઠાન વૈદિક મંત્ર અને પૂજા અર્ચના સાથે સંપન્ન કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાન આશુતોષ (ભગવાન શિવના અનેક નામમાંનું એક નામ) પાસે કોરોનાથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરવામાં આવશે. મહંત દીપેન્દ્ર ગિરિએ વીડિયો સંદેશમાં યાત્રાની પ્રાચીન પરંપરા અને ઇતિહાસથી પણ માહિતગાર કરાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ યાત્રા લગભગ દોઢસો વર્ષ જૂની છે. પ્રશાસન તરફથી કરવામાં આવી રહેલી તૈયારીમાં હેલિકોપ્ટરથી આશરે બે ડઝન લોકોને ગુફા સુધી લઇ જવાનો પ્રબંધ કરવામાં આવી રહ્યો છે. ગુફાનું પવિત્ર શિવલિંગ પીગળીને હવે માત્ર દોઢ ફૂટ રહી ગયું છે. આ વખતે યાત્રા માટે તૈયારી તો કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના કેસો વધી જવાને કારણે યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :