CIA ALERT

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું શંકાસ્પદ મોત

Share On :

પ્રયાગરાજ સ્થિત ગેસ્ટ હાઉસમાંથી અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળી આવ્યો છે.

પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. જેમાં તેઓએ કેટલાંક આરોપો પણ લગાવ્યા છે. જો કે, હજુ સુધી પોલીસે કોઈ સ્પષ્ટતા કરી નથી.

થોડા સમય પહેલાં મહંત નરેન્દ્ર ગિરિનો તેમના શિષ્ય આનંદ ગિરિ સાથે વિવાદ થયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. પણ મોત પાછળનું સાચુ કારણ શું છે એ જાણવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બાદ ફોરેન્સિક અને સ્પેશિયલ ટીમ પણ પહોંચી હતી. તેઓ વિવિધ પુરાવા એકત્ર કરી રહ્યા છે. પ્રયાગરાજ રેન્જ આઈજી કે.પી, સિંહે જણાવ્યું કે, સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે મહંતનું મોત થઈ ચૂક્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યા લાગી રહી છે. મહંત પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી છે. સુસાઈડ નોટમાં તેઓએ કેટલાંક ખુલાસા કર્યા છે.

નરેન્દ્ર ગિરિના નિધન પર પીએમ મોદી અને સીએમ યોગી સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે સમર્પિત રહેતા તેઓએ સંત સમાજની અનેક ધારાઓને એક સાથે જોડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રભુ તેમના શ્રી ચરણોમાં તેમને સ્થાન આપે. ઓમ શાંતિ. તો સીએમ યોગીએ લખ્યું કે, અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિજીના નિધનથી આધ્યાત્મિક જગતમાં મોટી ખોટ પડશે. પ્રભુ રામને પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા શોકાતુર અનુયાયીઓને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :