CIA ALERT

કોર્ટનો અનાદર કરવા બદલ વડતાલ સ્વામીનારાયણ મંદિરના અજેન્દ્રપ્રસાદને 7 દિવસની જેલની સજા

Share On :

નડિયાદ સેશન્સ કોર્ટે આજે વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના કેસમાં અજેન્દ્રપ્રસાદને સાત દિવસની જેલની સજા ફટકારવાનો હુકમ કર્યો છે.

વડતાલ ખાતેથી મળતી માહિતી મુજબ આજે વડતાલ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. પોલીસે મંદિર પરિસરની આસપાસમાં આવેલી દુકાનો બંધ કરાવી દીધી હતી કેમકે આજે વડતાલ સ્વામીનારાયણ મંદિરના ગાદિપતિના વિવાદને લઈને મહત્વના ચુકાદો આવવાનો હતો. અગાઉ સુનાવણી વખતે મુદત પડતા કોર્ટે 16 જુલાઈ પર સુનાવણી મુલતવી રાખી હતી.

કોર્ટે વર્તમાન ગાદીપતિ રાકેશપ્રસાદની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. નડીયાદ સેસન્સ કોર્ટે અજેન્દ્રપ્રસાદને તમામ હોદ્દાઓ પરથી દૂર કરવાનો પણ આદેશ કર્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી છે.

નડીયાદ સેસન્સ કોર્ટે કોર્ટના આદેશનો અનાદર કરવા બદલ અજેન્દ્રપ્રસાદને 7 દિવસની સજા ફટકારવાનો પણ આદેશ કર્યો છે.

2003માં વડતાલ મંદિરના ગાદીપતિ એવા આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેનદ્રપ્રસાદ પાંડેને પરંપરાની વિરુદ્ધ વર્તન કરવા બદલ પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ નિયમ પ્રમાણે પાર્ષદોને દીક્ષા નથી આપી રહ્યા તેમજ ચરણભેટ પણ જમા નથી કરાવી રહ્યા.

બાદમાં દક્ષિણ ઝોન સત્સંગ મહાસભાએ એક ઠરાવ કરીને તેમને પદ પરથી હટાવી દીધા હતા. અજેન્દ્રપ્રસાદ આ મામલે કોર્ટમાં ગયા હતા. 1984માં અજેન્દ્ર પ્રસાદની ગાદીપતિ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :