CIA ALERT

મુંબઈ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ફટાકડા પર પ્રતિબંધ : ગુજરાતમાં ફૂટશે ફટાકડા

Share On :

હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવારમાં ફટાકડાની ભારે ધૂમ હોય પરંતુ, કહેવાતા સિદ્ધાંતવાદીઓ, પર્યાવરણવાદીઓ હવે દિવાળીમાં ફટાકડા નહીં ફોડવાની પેરવી કરી રહ્યા છે અને તેના ભાગરૂપે મુંબઇ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઓડિશા વગેરે રાજ્યોએ તો ફટાકડા પર પ્રતિબંધ લાદી દીધો છે. ગુજરાતમાં સરકારે આ અંગે કશો ફોડ પાડ્યો નથી એનો અર્થ એ સમજવો કે ગુજરાતમાં ફટાકડા ફૂટશે.

મુંબઇ

દિવાળીના તહેવારમાં પણ કોરોનાના આંતકનો ઓછાયો રહેવાનો હોઈ દિવાળીની ઉજવણી દરમિયાન મરિન ડ્રાઈવ, જુહૂ, વરલી સી ફેસ જેવા સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડવા પર મુંબઈ મહાનગરપાલિકાએ પ્રતિબંધ મૂક્યો છે. ફટાકડા ફોડવા સંદર્ભમાં મુંબઈ મહાનગરપાલિકા એક સ્ટાર્ન્ડ ઑપરેટિંગ પ્રોસેજર (એસઓપી) બહાર પાડવાની છે, તે મુજબ મર્યાદિત માત્રામાં ફટાકડા ફોડી શકાશે. જોકે સાર્વજનિક સ્થળે ફટાકડા ફોડનારા સામે મુંબઈ પોલીસની મદદથી મુંબઈ મહાનગરપાલિકાએ સખત કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાએ પગલે આ વર્ષે તમામ તહેવારો સાદગીપૂર્વક ઊજવવામાં આવ્યા છે ત્યારે હિંદુઓના સૌથી મોટા તહેવાર ગણાતા દિવાળીને પણ સાદાઈપૂર્વ ઊજવવાની રાજ્ય સરકારની સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરાને નમ્ર વિનંતી કરી છે. તેથી દર વર્ષની માફક ફટાકડા ફોડવા પર નિયંત્રણ આવી જવાનું છે. પાલિકા આગામી બે દિવસમાં ફટાકડા ફોડવા માટે નિયમાવલી જાહેર કરશે. આ દરમિયાન ફટાકડા ફોડતા સમયે સૅનિટાયઝરનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે એવું એડિશન મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

નવી દિલ્હી

દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ મુકાયો હતો. પ્રદૂષણ વધવાને કારણે દિલ્હીની પરિસ્થિતિ વણસી રહી હોવા વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લોકોને આ વરસે દિવાળીના દિવસોમાં ફટાકડા નહીં ફોડવાની અને ‘આપ’ સરકાર દ્વારા યોજવામાં આવનારા લક્ષ્મીપૂજનના કાર્યક્રમમાં જોડાવાની અપીલ કરી હતી.

પશ્ચિમ બંગાળ

કોલકાતા હાઈ કોર્ટે કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને પશ્ર્ચિમ બંગાળમાં મા કાલી પૂજા, જગદધાત્રી પૂજા અને છઠ પૂજા સહિતના હિન્દુ તહેવારો દરમિયાન ફટાકડા વેચવા તથા ફોડવા પર ગુરુવારે પ્રતિબંધ મૂક્યો હતો.

ન્યાયાધીશો સંજીબ બૅનરજી અને અરિજીત બૅનરજીની ડિવિઝન બેન્ચે બે જાહેર હિત અરજીઓની સુનાવણી દરમિયાન આ આદેશ જાહેર કર્યો હતો. કાળી પૂજા ૧૫મી નવેમ્બરે છે.

અદાલતે એવો પણ આદેશ બહાર પાડ્યો હતો કે ‘આ પ્રતિબંધ જગદધાત્રી, છઠ પૂજા તથા કાર્તિક પૂજા દરમિયાન પણ લાગુ પડશે. દુર્ગા પૂજા દરમિયાન મંડપમાં પ્રવેશની મનાઈ જેવા માર્ગદર્શિકાઓ પણ કાલી પૂજા દરમિયાન લાગુ પડશે.

દુર્ગા પૂજા દરમિયાન અદાલતની માર્ગદર્શિકાઓનો અસરદાર અમલ કરવા બદલ ન્યાયમૂર્તિઓની બેન્ચે રાજ્ય સરકારને બિરદાવી હતી અને પોલીસને આદેશ આપ્યો હતો કે કાલી પૂજા દરમિયાન પણ પ્રતિબંધ સહિતના નિયમો બરાબર લાગુ પડે એની તકેદારી રાખજો.

કાલી પૂજા દરમિયાન ૩૦૦ ચોરસ મીટરના મંડપમાં ૧૫ લોકોને અને વધુ મોટા વિસ્તારના મંડપમાં ૪૫ લોકોને પ્રવેશવાની છૂટ મળશે. અદાલતે વિસર્જન દરમિયાન સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

Hariyana

The Haryana government on Monday declared possession and sale of imported firecrackers as illegal and punishable in the state. Deputy commissioners of all the districts have been directed to be vigilant in this regard and take strict action against the sale and distribution of imported firecrackers.

Additionally, they have also been asked to ensure there is no storage of imported firecrackers by conducting the inspection of all the establishments and taking preventive actions.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :