CIA ALERT
May 26, 20181min12520

ભુજની અદાણી જી. કે. હૉસ્પિટલમાં 20 દિવસમાં 26 બાળકોના ભેદી મોત

Share On :

વડા પ્રધાન રાહત ભંડાળમાંથી રૂ.150 કરોડના ખર્ચે બનેલી અદાણી જી. કે. હૉસ્પિટલ હંમેશાં ચર્ચામાં રહી છે. જયારથી અદાણીને સંચાલન સોંપાયુ ત્યાર પછી બેદરકારીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહ્યા છે ત્યારે હવે હૉસ્પિટલમાં ઉપરાઉપરી થઇ રહેલા બાળકોના મોતને લઇને હૉસ્પિટલ સામે ગંભીર આરોપો થઇ રહ્યા છે. 22 તારીખે એક બાળકના મોત બાદ આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

23 મી તારીખે આ મુદ્દે વાલીઓ સાથે બાળકોના મોત મામલે વિરોધ પ્રદર્શિત કરી આક્ષેપ કરાયો હતો કે 20 દિવસમાં 26 બાળકોના મોત થયા છે. આ અંગે અદાણીના સંચાલકો સામે વિરોધ નોંધાવી તપાસની માગ સાથે જાગૃતોએ મામલો ગંભીર હોવાનુ જણાવ્યુ હતુ. જો કે, હૉસ્પિટલ સત્તાધીશોએ આક્ષેપો ફગાવવા સાથે બાળકોનો મૃત્યુદર ઘટ્યો હોવાનો ખુલાસો કર્યો હતો, પરંતુ આ મામલાએ વિવાદ પકડતાં હવે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તપાસ અહેવાલ મંગાવવા સાથે સંપૂર્ણ ઘટનાની માહિતી સંચાલકો પાસેથી મેળવવાના આદેશ કર્યા છે. તેની સંપૂર્ણ ચકાસણી બાદ કલેકટર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી શકે છે. આ આક્ષેપોને પગલે ગાંધીનગરથી આરોગ્ય વિભાગની એક ટીમ કચ્છ મોકલવાનું નક્કી કર્યું છે. એક તરફ કચ્છમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાનો અભાવ છે. તેવામાં સ્વાભાવિક છે. કે લોકોને અપેક્ષા હોય કે જિલ્લાની મુખ્ય સરકારી હૉસ્પિટલ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થાય, પરંતુ સરકારે જે ઉદ્દેશ સાથે અદાણી ગ્રુપને સંચાલન સોંપ્યુ હતુ તેમાં અદાણી ગ્રુપ ઊણું ઉતર્યું હોવાના પણ આક્ષેપો કૉંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. દરમિયાન છેલ્લા પાંચ મહિનામાં અદાણી જી. કે. હૉસ્પિટલમાં 111 બાળકોના મોત થયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :