France : બેકાબૂ કોરોનાને પગલે ૪ સપ્તાહનું લૉકડાઉન
ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને તા.૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ફ્રાન્સમાં ત્રીજુ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાની જરૂરીયાત આવી ઉભી છે. કોરોનાના પુષ્કળ કેસોને પગલે ફ્રાન્સની હોસ્પિટલમાં ધસારો વધ્યો છે આવામાં આગામી ત્રણ અઠવાડિયા સુધી સ્કૂલો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાના કારણે આ આકરો નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોરોનાના કારણે થતાં મૃત્યુઆંકમાં ઉછાળો આવવાના કારણે આખરે અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે દેશને મુક્ત રાખવાનો નિર્ણય બદલવો પડ્યો છે. તેમણે દેશને જણાવ્યું છે કે, “જો આપણે અત્યારે નિર્ણય નહીં લઈએ તો આપણે કાબૂ ગુમાવવી દઈશું.”
પેરિસમાં અઠવાડિયા સુધી લોકોની અવર-જવર પર પાબંદીઓ લગાવી દેવામાં આવી હતી અને દેશના દક્ષિણ ભાગમાં પણ નિયમો લાગુ કરાયા હતા. પરંતુ હવે શનિવારથી આખા દેશમાં એક મહિના સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કડક પગલા ભરવાનો સમય આવી ગયો છે
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમ્યુનલ મેક્રોને કહ્યું કે લોકડાઉન દરમિયાન કોરોના રસીકરણનું કામ ઝડપથી કરવામાં આવશે અને ગરમી પતે ત્યાં સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી લગાવી દેવાનું લક્ષ્ય છે. રાષ્ટ્રપ્રમુખ મેક્રોન આખા દેશમાં 4 અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે દેશવ્યાપી લોકડાઉન લગાવવાનો નિર્ણ લીધો છે.
મેક્રોને કહ્યું કે, આ નિર્ણય લેવામાં મોડું થાય તે માટેના તમામ પ્રયાસો કર્યા પરંતુ હવે સમય આવી ગયો છે કે કડક રીતે આ પ્રકારના નિર્ણય લેવા જરુરી બન્યા છે.
જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે
https://23a11688aaa46c192002820cbd6b0f7c.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html
ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર આવતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ જણાવ્યું છે કે, સ્થિતિ પ્રમાણે લોકડાઉન જરુરી છે. ફ્રાન્સમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે. ઓફિસ જવાના બદલે વર્ક ફ્રોમ હોમ કરી શકાશે. આ દરમિયાન 10 કિલોમીટર કરતા વધારે દૂર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 46 લાખથી વધુ કેસ નોંધાયા
આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં 46 લાખ કરતા વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ચુક્યો છે અને હાલ ત્રીજી લહેરમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કારણે 95,502 લોકોના મોત થઈ ગયા છે. હાલના દિવસોમાં બ્રિટનના નવા વેરિયન્ટ કોરોના વાયરસના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. WHO મુજબ 31 માર્ચે અહીં એક દિવસમાં 29,575 નવા કેસ નોંધાયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
