દહેજ-ઘોઘા વચ્ચે નવી ફેરી સર્વિસ શરૂ, ફક્ત ૨ કલાકમાં પહોંચાડશે

દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ, પોર્ટ્સ, શિપીંગ અને વોટરવેઝ મંત્રાલય ભારત સરકાર દ્વારા દહેજ-ઘોઘા-દહેજ વચ્ચે એક નવી ફેરી સર્વિસ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ ફેરી મુસાફરો માટે ખૂબ જ આરામદાયક તેમજ ઓછા સમયમાં વધારે અંતર કાપવાની ક્ષમતા ધરાવશે. સંપૂર્ણ એસી બેઠક વ્યવસ્થા ધરાવતી આ ફેરી ફક્ત 2.00 કલાકમાં ઘોઘાથી દહેજ વચ્ચેનું અંતર કાપી શકશે, જ્યારે રોડ મુસાફરીમાં લગભગ 7-8 કલાકનો સમય લાગે છે.
વધુમાં મુસાફરોને સુવિધા રહે તે માટે ઘોઘા અને દહેજની આસપાસના વિસ્તારોમાં બસ ડ્રોપ અને પીકઅપ સુવિધા પણ રાખવામાં આવી છે. આ ફેરી દરરોજ સવારે 10 કલાકે દહેજથી અને ઘોઘાથી બપોરે 3.30 કલાકે પ્રસ્થાન કરશે.
અંક્લેશ્વર-દહેજથી પીકઅપ માટેના સ્થળોમાં વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલનો તથા ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટેના સ્થળોમાં નિલમબાગ જેલ સર્કલ, કાળીયાબીડ પાણીની ટાંકી, સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ અને ઘોઘા ફેરી ટર્મિનલનો સમાવેશ થાય છે. આ ફેરીના કોન્ટ્રાક્ટર એંગ્રીયા સીઇગલ લિમીટેડ છે. ફેરીનું એક તરફી ભાડુ પુખ્ત વયના લોકો માટે રૂ. 350 અને 12 વર્ષથી નાના બાળકો માટે રૂ. 250 નક્કી કરવામાં આવ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
