CIA ALERT
October 24, 20191min5300

SGCCI working on RCEP : ડેરી – એગ્રીકલ્ચર અને એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રી સામે પણ ભય

Share On :

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એક અખબારી યાદીમાં જણાવે છે કે, ચેમ્બર દ્વારા રિપ્રેઝન્ટેશન સેલના કન્વીનર સીએ મિતિષ મોદીની આગેવાની હેઠળ મંગળવારે, તા. રર ઓકટોબર ર૦૧૯ના રોજ સાંજે ૬ઃ૦૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘આરસેપ’ની ચર્ચા કરવા માટે મિટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ટેક્ષ્ટાઇલ ઉપરાંત ડેરી એન્ડ એગ્રીકલ્ચર અને એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રીના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના રિપ્રેઝન્ટેશન સેલના કન્વીનર સીએ મિતીષ મોદી

ચેમ્બરના રિપ્રેઝન્ટેશન સેલના કન્વીનર સીએ મિતીષ મોદીએ સર્વેને આવકારી ‘આરસેપ’ વિશે સૂચનો આપવા માટે અનુરોધ કર્યો હતો. ચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ તેમજ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા શ્રી રજનીકાંત મારફતિયાએ જણાવ્યુ હતુ કે, આરસેપને કારણે ચાઇના સસ્તા ભાવે તેની પ્રોડકટનું ભારતમાં વેચાણ કરશે. આથી નાના વેપારીઓ તો ખતમ થઇ જશે. બિઝનેસમાં ટકી રહેવા માટે નાના વેપારીઓએ એક પ્લેટફોર્મ પર આવીને કલસ્ટર નાંખવા પડશે અને એક જ સ્થળે સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડકટનું ઉત્પાદન કરવુ પડશે. સાથે જ નોન ટેરીફ બેરીયર્સ માટે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવે.

ચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ શ્રી રોહિત મહેતા

ચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ શ્રી રોહિત મહેતાએ જણાવ્યુ હતુ કે, ચાઇના તથા અન્ય દેશોની ભારતમાં રહેલી કોન્સ્યુલેટ ઓફિસો દ્વારા ટ્રેડ માટેના પણ પ્રયાસ કરવામાં આવે છે. જયારે આપણા દેશની અન્ય દેશોમાં આવેલી કોન્સ્યુલેટ ઓફિસો દ્વારા આવા કોઇ પ્રયાસ થતા હોય તેવુ દેખાતુ નથી. આપણી મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી કવોલિટી પ્રોડકશનના ઇશ્યુ સામે સર્વાઇવ કરી રહી છે ત્યારે આરસેપને કારણે આ ઇન્ડસ્ટ્રી પૂર્ણપણે અસરગ્રસ્ત થઇ જશે. આથી આપણા દેશની પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટે બધા દેશો માટે એકજ લાયસન્સ જેવી પદ્ધતિ સરકાર દ્વારા લાવવામાં આવવી જોઇએ.

ડેરી ઇન્ડસ્ટ્રીના હિમાંશુ મહેતા

ડેરી ઇન્ડસ્ટ્રીના શ્રી હિમાંશુ મહેતાએ જણાવ્યુ હતુ કે, સરકારે ડેરી – એગ્રીકલ્ચર અને ટેક્ષ્ટાઇલને આરસેપમાંથી બહાર રાખવુ જોઇએ. ડેરીમાં આપણે ત્યાં એવી પદ્ધતિ છે કે પશુપાલક દુધને નાની મંડળી સુધી પહોંચાડે છે અને ત્યારબાદ તે દુધ મોટી મંડળી સુધી પહોંચે છે. જેથી લોજીસ્ટીક અને ટ્રાન્સપોર્ટેશનને કારણે પ્રોડકટની કોસ્ટ વધી જાય છે. જયારે ન્યુઝીલેન્ડ તથા અન્ય દેશોમાં એકજ સ્થળે હજારો પશુઓને રાખીને દુધ કાઢવામાં આવે છે. આથી ‘આરસેપ’ બાદ આપણી ઇન્ડસ્ટ્રી કોઇપણ પ્રકારે અન્ય દેશો સામે ટકી શકશે નહીં.

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના સંદીપ દુગ્ગલે

ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના શ્રી સંદીપ દુગ્ગલે જણાવ્યુ હતુ કે, આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને માઠી અસર થશે. ભારતમાં જે વિવિધ ચીજવસ્તુઓનું પ્રોડકશન થઇ રહયુ છે તે બંધ થઇ જશે. પ્રોડકશન માર્કેટ ખતમ થઇ જશે અને ભારત કન્ઝમ્પ્શન માર્કેટ બની જશે. જો કે, આ કરારને કારણે ભારતમાં બનતી પ્રોડકટને ચાઇના સિવાયના અન્ય ૧૪ દેશોમાં ઝીરો ડયુટીથી એક્ષ્પોર્ટ કરવાની પણ તક ઉભી થશે. પણ જો ભારતની પ્રોડકટ અન્ય દેશોમાં વેચાશે નહીં તો ભારતનો બિઝનેસ સંપૂર્ણપણે ખતમ થઇ જશે.

ચેમ્બરની એમએસએમઇ સેકટર કમિટીના ચેરમેન પંકજ ત્રિવેદી

ચેમ્બરની એમએસએમઇ સેકટર કમિટીના ચેરમેન તેમજ એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા શ્રી પંકજ ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, આરસેપને કારણે એન્જીનિયરીંગ ઇન્ડસ્ટ્રી પણ ખતમ થઇ જશે. આમ પણ ભારતમાં દર વર્ષે એન્જીનિયરીંગ ક્ષેત્રે પ્રોડકશન ઘટી રહયુ છે. પ્રોડકશન ૩૭ ટકાથી ઓછુ થઇ જશે તો એક પ્રકારે ગુલામ થતા જઇશું. આથી હાલ પણ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે ટેકનોલોજી અપગ્રેડેશન કરવુ જ પડશે અને ઉત્તમ ગુણવત્તાવાળી પ્રોડકટ બનાવવી પડશે.

એક્ષ્પોર્ટર પ્રકાશ મહેતા

એક્ષ્પોર્ટર શ્રી પ્રકાશ મહેતાએ જણાવ્યુ હતુ કે, ચાઇના વિશ્વમાં અન્ય દેશોમાં નહીં પણ માત્ર ભારતમાં જ તેની પ્રોડકટ વેચવા માટે આતુર છે. તેની પાસે જે વધારે પડતુ ઉત્પાદન થઇ ચૂકયું છે તેને ભારતમાં જ ડમ્પ કરવાની ફિરાકમાં છે. આરસેપ કરાર થતાની સાથે જ તે આખુ ઉત્પાદન ભારતમાં ડમ્પ કરી દેશે. જેથી ભારતમાં મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રી બંધ થઇ જવાની શકયતાને નકારી શકાય નહીં.

અંતે મિટીંગનો ટૂંકમાં સાર રજૂ કરતા સીએ મિતીષ મોદીએ જણાવ્યુ હતુ કે, આરસેપ તમામ ઇન્ડસ્ટ્રીને અસરગ્રસ્ત કરી નાંખે તેમ છે. પરંતુ જો કદાચ આરસેપ લાગુ થઇ જાય તો ઇન્ડસ્ટ્રીને ટકી રહેવા માટે નોન ટેરીફ બેરીયર્સ જેવા કે સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચર વધારવામાં આવે, ઇન્ડસ્ટ્રીને ફાયનાન્શીયલ સપોર્ટ કરવામાં આવે અને ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવામાં આવે, પ્રોડકટને એક્ષ્પોર્ટ કરવા માટે બધા દેશો માટે એકજ લાયસન્સ પદ્ધતિ સરકાર દ્વારા લાવવામાં આવે તેમજ અન્ય દેશોમાં ભારતની હાઇ કમિશનરની ઓફિસો દ્વારા ટ્રેડના પ્રમોશન માટે ડેટા પ્રોવાઇડ કરવામાં આવે વિગેરે મામલે ચેમ્બર દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :