CIA ALERT
January 22, 20191min6480

વરાછાના સાધના વિદ્યાભવન ટ્રસ્ટના 3-3 વિદ્યાર્થીઓના JEE Mainમાં એ-વન પર્સન્ટાઇલ

Share On :

વરાછા રોડ પર છેલ્લા 48 વર્ષથી કાર્યરત સાધના વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત કે.સી. કોઠારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓએ તાજેતરમાં જાહેર થયેલા જે.ઇ.ઇ. મેઇન 2019 પેપર-1 પરીક્ષાના પરીણામમાં એ-વન ગ્રેડ પર્સન્ટાઇલ હાંસલ કરીને સાધના વિદ્યાભવનનું નામ સમગ્ર ગુજરાતમાં જ નહીં દેશભરમાં નામ રોશન કર્યું છે. શાળામાં અભ્યાસ કરતા જયદીપ રમેશભાઇ મકવાણાએ કુલ 94.24 પર્સન્ટાઇલ, હર્ષ અશોકભાઇ ડોબરીયાએ કુલ 92.83 પર્સન્ટાઇલ અને ગૌરવ દિલીપભાઇ કાતવાએ કુલ 90.78 પર્સન્ટાઇલ જે.ઇ.ઇ. મેઇન પેપર-1 2019 જેવી રાષ્ટ્રવ્યાપી પરીક્ષામાં હાંસલ કરતા શાળા પરિવારના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઇ કતારગામવાળા સમેત ટ્રસ્ટગણ તેમજ સંચાલક મંડળએ તમામને શુભેચ્છાઓ પાઠવી છે. આ ત્રણ ઉપરાંત શાળાના 9 જેટલા વિદ્યાર્થીઓએ જેઇઇ મેઇનમાં 80 પ્લસ પર્સન્ટાઇલ હાંસલ કર્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારો ફી મુક્તિ આપી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :