CIA ALERT

છેલ્લી ઘડીએ જોઇ લઇશું, સ્કુલમાં નહીં ધ્યાન આપનારા બોર્ડના વિદ્યાર્થીઓને પારવાર પસ્તાવો : ધો.12નું પરીણામ નબળું આવવાનો ડર

Share On :

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા અને એવરેજ પરીણામ લાવતા હજારો વિદ્યાર્થીઓ એવી માગણી કરી રહ્યા છે કે અમને માસ પ્રમોશન કે ધો.12ના ઇન્ટર્નલ માર્કર્સના આધારે પરીણામ નથી જોઇતું, વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપીને વધુ માર્કર્સ લાવી શકાશે એવી દલીલ કરી રહ્યા છે. હકીકતમાં આ એવા વિદ્યાર્થીઓ છે જેમણે શાળાકીય શિક્ષણ ધો.11-12માં કશું ધ્યાન કેન્દ્રીત કર્યું ન હતું અને પરીક્ષા આવે ત્યારે જોઇ લઇશું એવા ઓવર કોન્ફીડન્સમાં આવા હજારો વિદ્યાર્થીઓએ હવે નબળા પરીણામનો સામનો કરવાનો વખત આવ્યો છે.

The online survey, led by the study abroad platform The WorldGrad, was conducted among more than 4,000 users who registered on the platform in the last two months. It showed that 60 per cent of the students do not think that it is a good idea to use pre-boards and internal school marks to calculate their Calss XII results.

ક્રિશ નામનો વિદ્યાર્થી સુરતમાં રહે છે, સીબીએસઇની સ્કુલમાં અભ્યાસ કરે છે, આ વિદ્યાર્થી કહે છે કે મારે ધો.12નું ઇન્ટર્નલ એસેસમેન્ટના આધારે તૈયાર થનારું પરીણામ નથી જોઇતું. હુ જો એન્યુઅલ બોર્ડ પરીક્ષા આપીશ તો વધારે માર્કર્સ લાવી શકું. આ વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું કે તમે આંતરિક મૂલ્યાંકનના માર્કર્સથી કેમ સંતુષ્ઠ નથી ત્યારે તેણે કહ્યું કે ઇન્ટર્નલ માર્કર્સ વખતે સ્કુલમાં ધ્યાન આપ્યું જ ન હતું. ધો.10માં પણ એવું જ કર્યું હતું કે છેલ્લા બે મહિના તૈયારી કરીને 80 પ્લસ લાવી શક્યો હતો. આ વર્ષે મારી પરીક્ષા આપવાની પૂરી તૈયારી છે પણ હવે માસ પ્રમોશન અને આંતરિક મૂલ્યાંકનને કારણે મારા માર્કર્સ ઓછા આવશે એમ ક્રિશે જણાવ્યું.

કેટલાક વિદ્યાર્થીઓની એવી પણ દલીલ છે કે ઓનલાઇન સિસ્ટમથી સ્કુલો જ સેટ ન હત

આંતરિક મૂલ્યાંકનથી રિઝલ્ટ આપવાનો વિરોધ કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ તથા વાલીઓની એ દલીલ પણ વ્યાજબી છે કે શહેરોની કેટલીક સ્કુલોને બાદ કરતા શહેરમાં આવેલી અન્ય સ્કુલો, ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સ્કુલોમાં આખું વર્ષ ઓનલાઇન શિક્ષણના નામે કે ઓનલાઇન ટેસ્ટના નામે કશું થયું નથી, જો સ્કુલો જ સિસ્ટમથી સેટ ન થઇ હોય તો વિદ્યાર્થીઓનો શું વાંક

વાલીઓ અને વિદ્યાર્થીઓ આમાંથી બોધપાઠ લે

હાલમાં હજારો વિદ્યાર્થીઓ એવા છે જેઓ ધો.11-12ના શાળાકીય શિક્ષણની જાણી જોઇને અવગણના થાય તેવા નિર્ણયો લે છે. આવા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે બોર્ડના વર્ષમાં આંતરિક મૂલ્યાંકન કે આંતરિક પરીક્ષાઓ નહીં આપીશું તો સ્કુલ શું કરી લેશે, સ્કુલના અભ્યાસ પર ધ્યાન નહીં આપીશું તો શાળા કશું બગાડી શકવાની નથી. આવી ગેરમાન્યતાઓને કારણે આ વખતે હજારો વિદ્યાર્થીઓને પોતાનું ધો.12નું પરીણામ ગમતું નથી. હવે પછીના ધો.11-12ના વાલીઓ વિદ્યાર્થીઓ એ વાતનો બોધપાઠ લે અને નીચે મુજબનું કામ કરવાથી દૂર રહે.

જેમકે

  • શાળામાં ગયા વગર ડમી સ્કુલમાં એડમિશન લઇને ફક્ત એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવી
  • સ્કુલના આંતરિક મૂલ્યાંકન પદ્ધતિને નજર અંદાજ કરવી
  • સ્કુલની આંતરીક કસોટીઓ, યુનિટ ટેસ્ટને પ્રાધાન્ય આપવું નહીં.
  • પ્રવેશ પરીક્ષાઓ જેટલું જ જરૂરી શાળાકીય શિક્ષણ પણ છે
  • આઇ.આઇ.ટી., એન.આઇ.ટી.માં એડમિશનનું સપનું જ્યારે જુઓ ત્યારે એ વાસ્તવિક રીતે શક્ય છે કે નહીં તેની ચકાસણી કરો, ગુજરાત બોર્ડ, ગુજરાતમાંથી કેટલા વિદ્યાર્થીઓ જેઇઇની પરીક્ષા આપે છે અને કેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રવેશ મળે છે એની વિગતો જાણો એટલે બધો ખ્યાલ આવી જશે, પછી નક્કી કરો કે જેઇઇ આપણા માટે જરૂરી છે કે નહીં

ઘણાને ધો.12ની માર્કશીટ જોવાની નહીં ગમે અને એને સુધારી પણ નહીં શકે

ધો.12ની માર્કશીટ એ શૈક્ષણિક કારકિર્દી માટેનો પહેલો પડાવ છે. હવે આ વર્ષે બોર્ડની એકઝામ થવાની નથી એટલે આંતરીક મૂલ્યાંકનના આધારે માર્કર્સ મૂકાશે. જીવનભર માટે ધો.12ની માર્કશીટ એ સંભારણું બની રહેતી હોય છે. પરંતુ, હવે હજારો વિદ્યાર્થીઓ એવા છે જેઓ આંતરિક મૂલ્યાંકનનો વિરોધ કરી રહ્યા છે. કેમકે તેમને ધો.12ની પોતાની જ માર્કશીટ નહીં ગમે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :