CIA ALERT

12 સાયન્સના માટે મહત્વના સમાચાર : આ વર્ષે GUJCETનું વેઇટેજ 50 ટકા : હજુ પણ સમય છે મહેનત કરવા માંડો, સારી કોલેજમાં ચાન્સ મળી શકે

Share On :

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠે મિડીયા કર્મીઓ સાથે વાતચીતમાં એવી માહિતી આપી છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 અને 2022-23ના વર્ષમાં એન્જિનયરિંગમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું વેઇટેજ 50 ટકા રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે નિમેલી કમિટીએ લીધો છે. અત્યાર સુધી જીટીયુ સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશનું મેરીટ તૈયાર કરવામાં ધો.12ના પરીણાનું 60 ટકા વેઇટેજ અને ગુજકેટ પરીણામનું 40 ટકા વેઇટેજ હતું. પરંતુ, હવે આ વર્ષ અને આગામી વર્ષે ગુજકેટનું વેઇટેજ 50 ટકા કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12ના પર્ફોર્મન્સ અને ગુજસેટના પરિણામને એકસમાન વેઈટેજ આપવામાં આવશે. આ નવો નિયમ આ વર્ષ ઉપરાંત આવતા વર્ષ માટે પણ લાગુ રહેશે”, તેમ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું.  

ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ 11 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી અને નવીન શેઠ આ કમિટીના ચેરમેન છે. ધોરણ 12ના શૈક્ષણિક વર્ષનું પરિણામ મેરીટ આધારિત પ્રોગ્રેશનથી નક્કી કરવામાં આવશે.

ગુજસેટની પરીક્ષા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી તેમજ એગ્રીકલ્ચર કોર્સની સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં એડમિશન લેવા માગતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાએ દર વર્ષે યોજવામાં આવે છે.

કમિટીના ચાર સભ્યોએ ગુજસેટની પરીક્ષાને 100 ટકા વેઈટેજ આપવાના સૂચન કર્યા હતા. “એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ લેવા ગુજસેટની પરીક્ષાના રિઝલ્ટને પૂરેપૂરું વેઈટેજ આપવાની સલાહ કમિટીના કેટલાક સભ્યોએ આપી હતી. જોકે, આ વિકલ્પ સંભવ નહોતો કારણકે તેના લીધે વિદ્યાર્થીઓએ મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશનને આધારે મેળવેલું ધોરણ 12નું રિઝલ્ટ નકામું બની જાત”, તેમ નવીન શેઠે ઉમેર્યું.

તદપરાંત એન્જિનિયરિંગ એડમિશન સહિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપ અથવા બાયોલોજી વિષય સાથે પાસ થનારા વિદ્યાર્થી માટે માપદંડ નક્કી કરતી કમિટીએ આ જાહેરાત કરી છે. નવીન શેઠના કહેવા મુજબ, 15 જેટલા એન્જિનિયરિંગ કોર્સ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાં ધોરણ 12માં મેથ્સના બદલે બાયોલોજી પસંદ કરનારા વિદ્યાર્થીઓ એનરોલ થઈ શકે છે. ડેરી ટેક્નોલોજી, રબર ટેક્નોલોજી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, એગ્રિકલ્ચર ટેક્નોલોજી, કેમિકલ અને બાયો-કેમિકલ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્ડ રોબોટિક્સ, બાયો-ઈન્ફોર્મેટિક્સ, નેનો ટેક્નોલોજી અને ટેક્સટાઈલ એન્જિનિયરિંગ સહિતના કોર્સનો સમાવેશ કરાયો છે. આ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન લેતાં પહેલા ઉમેદાવારોએ મેથેમેટિક્સનો ‘બ્રિજ’ કોર્સ પૂરો કરવો પડશે.

મિકેનિકલ, કમ્પ્યૂટર સાયન્સ અને સિવિલ એન્જિનિયરિંગ જેવા એન્જિનિયરિંગ કોર્સમાં આવતા વર્ષથી બાયોલોજી વિષય સાથે ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ એનરોલ નહીં કરી શકે, તેમ નવીન શેઠે કહ્યું.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12નું રિઝલ્ટ તૈયાર કરવા માટે 25:25:50ના રેશિયોનો ઉપયોગ કરશે. મતલબ કે, વિદ્યાર્થીના ધોરણ 12, 11 અને 10ના પર્ફોર્મન્સનું 25:25:50ના રેશિયોમાં મૂલ્યાંકન કરી બારમા ધોરણનું પરિણામ તૈયાર થશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :