CIA ALERT

સિંગાપોર જતા ભારતય પ્રવાસીઓ માટે 21 દિવસનું ક્વોરન્ટાઇન

Share On :

કોરોનાના ડબલ મ્યુટન્ટ અને વધુ ચેપી ગણાતા વાઇરસના પ્રસારને રોકવા માટે સિંગાપોરની સરકારે ભારતથી આવતા તમામ પ્રવાસીઓ માટે ૧૪ દિવસના બદલે ૨૧ દિવસનો આઇસોલેશન સમય ફરજિયાત કર્યો છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જોકે, ભારતથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકવાની હાલમાં કોઇ યોજના નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

૧૪ દિવસના ક્વોરન્ટાઇનને કારણે ૯૮ ટકાથી વધારે કોરોના કેસોની જાણ થઇ જશે અને ૨૧ દિવસના ક્વોરન્ટાઇન સમયને કારણે કોરોનાના લગભગ બધા જ કેસોની જાણ થઇ જશે, એમ એક પબ્લિક હેલ્થ સ્કૂલના વાઇસ-ડીને જણાવ્યું હતું.

દુનિયાભરમાં ફેલાયેલા રોગચાળાને લઇને સિંગાપોરે સુરક્ષાના નવા નિયમો જાહેર કર્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :