CIA ALERT

વેક્સીન લેનાર દર ૧૦ હજારે માત્ર ૨ કે ૪ લોકોને કોરોના સંક્રમણ : રસીકરણ જ કોરોના કન્ટ્રોલ કરી શકે

Share On :

Jayesh Brahmbhatt 98253 44944

કેન્દ્ર સરકારે બુધવાર તા.૨૧મી એપ્રિલ ૨૦૨૧ના રોજ જારી કરેલા આંકડાઓ પ્રમાણે જે વ્યક્તિએ વેક્સીનનો એક ડોઝ લીધો હોય તેને કોરોના સંક્રમણ થવાની શક્યતાઓ બિલકુલ નહીવત્ત છે. કેન્દ્રના ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વેક્સીનનો એક ડોઝ લેનાર દર ૧૦૦૦૦ (દસ હજાર) વ્યક્તિઓએ ફક્ત ૨ કે ૪ લોકોને કોરોના સંક્રમણ થયું છે. આ સંક્રમણ બિલકુલ નહીવત કહી શકાય. આનો મતલબ એ થાય કે વેક્સીન કોરોના સામે ઉચ્ચ દરજ્જાનુંં રક્ષણ આપે છે.

કોરોના વેક્સીનનો એક કે બન્ને ડોઝ લીધા પછી કોરોના થાય તો તેને બ્રેક થ્રુ ઇન્ફેકશન કહેવાય છે. આ બ્રેક થ્રુ ઇન્ફેકશનના આંકડાઓ જોયા પછી ભારતીય વૈજ્ઞાનિકો છાતી ઠોકીને કહી રહ્યા છે કે વેક્સીનેશન જ કોરોનાને અસરકારક રીતે કન્ટ્રોલ કરી શકશે.

રસી લીધા પછી જે લોકોને કોરોના સંક્રમણ થયું છે એવા બ્રેક થ્રુ ઇન્ફેકશનના કેસોમાં પણ મોટા ભાગે ફ્રન્ટલાઇન કોરોના વર્કરનો સમાવેશ થાય છે.

Getting infection after vaccination is known as breakthrough infection. 2-4 per 10,000 breakthrough infections have occurred, which is a very small number,” Dr Balram Bhargava, secretary, department of health research and director-general of ICMR, told reporters on Wednesday 21st April 2021

કોરોના વેક્સીન લેનારને ચેપની શક્યતા અત્યંત ઓછી

દેશમાં રસીકરણની રફ્તાર મંદ રહેવાનું કારણ રસીની અછત ઉપરાંત તેનાં પ્રત્યે જનતામાં ગેરસમજ અને શંકાકુશંકાઓ પણ છે. જો કે હવે આવા તમામ સંશય દૂર થઈ જાય તેવા આંકડા સરકાર તરફથી જારી કરવામાં આવ્યાં છે. જે મુજબ અત્યાર સુધીમાં રસી લેનાર લોકોમાંથી કુલ મળીને 0.02થી 0.04 ટકા જેટલા લોકો જ કોરોનાથી સંક્રમિત થયા છે. એટલે કે 10 હજાર લોકોમાંથી વધીને બેથી ચાર લોકોને જ રસી લીધા પછી કોરોનાનો ચેપ લાગે છે.

સરકારી આંકડા અનુસાર 20 એપ્રિલ 2021 સુધીમાં દેશમાં કોવિશીલ્ડ 11.6 કરોડ લોકોને આપવામાં આવી હતી. જેમાં પહેલો ડોઝ લેનાર 10.03 કરોડ લોકોમાંથી ફક્ત 1174પ લોકો જ કોરોનાગ્રસ્ત બન્યા હતાં. જે કુલ સંખ્યાનાં માત્ર 0.02 ટકા જ છે. કોવિશીલ્ડનો બીજો ડોઝ લેનાર 1.પ7 કરોડ લોકોમાંથી પ04 લોકોને રસી લીધા પછી સંક્રમણ લાગ્યું હતું. જે કુલ સંખ્યાનાં માત્ર 0.03 ટકા છે.

એ જ રીતે કોવેક્સિન અત્યાર સુધીમાં કુલ 1.10 કરોડ લોકોને આપવામાં આવી છે. પહેલો ડોઝ લેનારા 93,56,436 લોકોમાંથી 4,208 લોકો સંક્રમિત થયા હતા, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે અને બીજો ડોઝ લેનારા 17,37,178માંથી માત્ર 695 લોકોને કોરોના થયો હતો, જે કુલ સંખ્યાના 0.04 ટકા છે.

The vaccine prevents you from getting the disease in the form of severe illness

The vaccine prevents you from getting the disease in the form of severe illness. It may not prevent you from getting the infection. It’s important to understand that even after the vaccine, we may have a positive report. That is why it is important to wear a mask even after getting the vaccine,” said Dr Randeep Guleria, director at All India Institute of Medical Sciences.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :