CIA ALERT

ચુનીલાલ નાથુભાઈ બોડાવાલા ચેરીટેબલ ટ્રસ્ટનો ૧૬મો રકતદાન શિબિર ઉત્સાહભેર સંપન્ન

Share On :

ચુનીલાલ નાથુભાઈ બોડાવાલા ચેરીટેબલ ટ્રસ્ટનો૧૬મો રકતદાન શિબિર તા.8મી ઓગસ્ટને રવિવારે “ઉષા કિરણ” કદમપલ્લી , ટીમલીયાવાડ , નાનપુરા ખાતે યોજાયો હતો.

રક્તદાન શિબિરનો શુભારંભ ડો. મુકેશભાઇ જગીવાળાએ પોતાના જન્મ દિવસ ની ઉજવણી તરીકે ૧૫૯મી વાર રકતદાન કરીને કર્યો હતો, કોઇ વ્યક્તિએ 159મી વાર રક્તદાન કર્યું એ બાબત ઈન્ડિયાનો એક રેકોર્ડ છે એવું એમણે જણાવ્યું હતું.

આ શિબિરમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ આશિષભાઈ ગુજરાતી , ઉપપ્રમુખ હિમાંશુભાઈ બોડાવાલા , ધી સૂરત પીપલ્સ કો. ઓ. બેંકના લિ. ના પ્રમુખ મુકેશભાઇ દલાલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

શિબિરમાં કુલ ૮૪ યુનિટ રકત એકઠું કરીને સુરત રકતદાન કેન્દ્ર ને આપવામાં આવ્યું હતું.

શિબિરને સફળ બનાવવા માટે સુરત રકતદાન કેન્દ્ર ના ડો. તેમજ સ્ટાફ ના સભ્યો અને ટ્રસ્ટના કમલભાઈ, નિલેશભાઈ, જતીનભાઈ, રિતેશભાઈ, ચેતનભાઇ, હેતલભાઈ, સમીરભાઈ અને ટ્રસ્ટના પરિવાર ના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :