કોરોના વચ્ચે સ્વતંત્રતા દિવસની ઉજવણી અંગે સરકારની એડવાઇઝરી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શુક્રવારે સ્વતંત્રતા દિવસ સાથે જોડાયેલી એડવાઇઝરી જાહેર કરી છે. આ બધા સરકારી ઑફિસ, રાજ્ય સરકાર અને રાજ્યપાલોને મોકલવામાં આવી છે. એડવાઇઝરીમાં સ્વતંત્રતા દિવસ પર સામુહિક આયોજનોથી બચવાની સલાહ આપવામાં આવે છે.
એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદીનું પર્વ ઉજવવા માટે ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવે. હોમ મિનિસ્ટ્રીએ આ પ્રકારની એડવાઇઝરી દેશમાં કોરોના વાયરસને કારણે વધતાં સંક્રમણને ધ્યાનમાં જારી કરી હોવાનું જણાવ્યું છે.
આ રહી કેન્દ્ર સરકારની એડવાઇઝરી




એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે સંક્રમણના જોખમને જોતાં કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગ, માસ્ક, સેનિટાઇઝેશન જેવા ઉપાયોનો સ્વીકાર કરવો પડશે. ભીડ એકઠી ન થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હોમ અને હેલ્થ મિનિસ્ટ્રીની પહેલાથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સનું પાલન કરવાનું રહેશે. વેબ કાસ્ટ દ્વારા સમારંભનું સીધું પ્રસારણ કરવામાં આવે.
રાજ્ય સરકારને સલાહ
રાજ્ય સરકારને સલાહ આપવામાં આવી છે કે કાર્યક્રમ માટે ડૉક્ટર્સ, બીજા હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓને સન્માન આપવા માટે સમારંભમાં આમંત્રિત કરવા. એવો લોકો જેમણે કોરોનાને માત આપી છે, એટલે કે જે સંક્રમણ થયા પછી સ્વસ્થ થઈ ગયા છે, તેમને પણ સમારંભમાં બોલાવી શકાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


