શહેરમાં તપાગચ્છાધિપતિની નિશ્રામાં બેંગ્લુરુનો 14 વર્ષના મુમુક્ષુ દીક્ષા લેશે
વિક્રમ સંવત-૨૦૭૪માં દેશભરમાં ૧૫૦થી વધુ દીક્ષા સંપન્ન થઈ ચૂકી છે ત્યારે અમદાવાદમાં બેંગ્લૂરુનો ૧૪ વર્ષીય કિશોર મુમુક્ષુ કૌશિક રાઠૌડ તપાગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં તા.૧૨મી મેના રોજ દીક્ષિત થઈ આચાર્ય અરવિંદસાગરસૂરીશ્વરજીના ચરણે જીવન સમર્પણ કરશે. અમદાવાદમાં ગચ્છાધિપતિ આચાર્ય કૈલાસસાગરસૂરિજી સમાધિભૂમિ, કૈલાસ તીર્થ, અંકુર જૈન સંઘ, અંકુર રોડ, નારણપુરા ખાતે ત્રિદિવસીય ‘રજોહરણ દાનોત્સવ’નો પ્રારંભ તા.૧૦મી મેથી થશે. જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને દેશ-વિદેશથી પણ ગુરુભક્તો આવી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
