CIA ALERT
17. May 2024
May 30, 20191min9500

Related Articles



Gujarat : રાજ્યસભાની બે બેઠકો જીતવા ભાજપનો તખતો

Share On :
Print Friendly, PDF & Email

લોકસભાની અમેઠી બેઠક પર સ્મૃતિ ઈરાની અને ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચૂંટણી જીતી જતાં હવે રાજ્યસભાની બે બેઠકો પર રાજીનામું આપવું પડશે જેથી રાજ્યસભાની બે બેઠકો પર ફરી ચૂંટણી યોજાશે. આ બેઠકો પર 60 ધારાસભ્યો મળીને એક સાંસદ ચૂટી શકે એમ હોઈ ત્યારે ફરી આ બે બેઠકો જાળવી રાખવા ભાજપે કોંગ્રેસના 8થી 11 ધારાસભ્યો પાસે ક્રોસ વોટીંગ કરાવવા તખતો તૈયાર કરી દીધો હોવાનું બિનસત્તાવાર સૂત્રો જણાવી રહ્યા હતા. રાજ્યસભાની ચૂંટણીને લઈ રાજકીય મહોલ ફરી ગરમાયો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપે રાજયસભાની બંને બેઠકો કબ્જે કરવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના રાજકીય કૂટનીતિ શરૂ કરી દીધી હતી. રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ભાજપે બંને બેઠકો જીતવા માટે રાજકીય ઓપરેશન શરૂ કરી દીધુ છે.

અમરેલીમાં નારણ કાછડિયાને મદદ કરનાર અમરીશ ડેર, વિક્રમ માડમ, અલ્પેશ ઠાકોર, શિવલાલ ભૂરિયા, ભરત ઠાકોર, ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ શકે છે. નીતિન પટેલને કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર પણ મળ્યા હતા જોકે, બન્ને નેતાઓએ નીતિન પટેલને મળ્યા બાદ ભાજપમાં જોડાવવા અંગે ઈન્કાર કર્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો નીતિન પટેલને મળ્યા હતા. ભાજપને રાજ્યસભાની બે બેઠકો ફરી મેળવવા ભાજપે કોંગ્રેસના 11 જેટલા ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવો તખતો તૈયાર કર્યાનું બિન સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા હતા.

જો ગુજરાતની બે રાજ્યસભા બેઠકોનું ગણિત સમજીએ તો, ભાજપના બે નેતાઓ લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપે તો ખાલી બેઠકો સામે ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો ઊતરે તો તેવી સ્થિતિમાં ભાજપના સભ્યોને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘૂંટવા પડે, જ્યારે બાકીના ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે તેમ છે. પેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 105 થયું છે, જ્યારે કોંગ્રેસ 72 ધારાસભ્યો ધરાવે છે તેવી સ્થિતિમાં ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી ભાજપના ધારાસભ્યો ઘટીને ફરીથી 99 થશે. અત્રે મહત્ત્વનું છે કે, કોંગ્રેસના સાથી એવા બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્ય છે,

લોકસભાની ચૂંટણીમાં ભલે અત્યારે આ બે નાના પક્ષો સાથે ગઠબંધન થયું નથી. છેલ્લે રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના કારણે કોંગ્રેસને જીત મળી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ચૂંટાતા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે અને બંને બેઠકો ભાજપને પાછી મેળવવી હોય તો કોંગ્રેસના 11 ધારાસભ્યોના મત ઓછા કરવા પડે. આથી રાજ્યમાં હવે રાજકીય નિષ્ણાતો દ્વારા રાજનીતિ પોતાની ચરમસીમાએ પહોંચશે તેવી શકયતા રાજકીય અગ્રણીઓ જણાવી રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :