CIA ALERT
19. March 2024

ઇન્ડીયા Archives - CIA Live

March 18, 2024
CFC-2.jpeg
1min20

સુરત: :જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે દેશના પહેલા મેગા કોમન ફેસિલિટી સેન્ટરને મુંબઈના SEEPZ SEZમાં ખુલ્લો મૂકાયો છે. ભારત સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન તેમજ જાહેર વિતરણ તેમજ ટેક્સટાઈલ મંત્રી શ્રી પિયુષ ગોયલે મુંબઈના SEEPZ SEZમાં આવેલા ભારતના અગ્રણી મેગા કોમન ફેસિલીટી સેન્ટરના લોકાર્પણ સમારોહમાં હાજરી આપીને પ્રસંગને શોભાવ્યો હતો. ભારત રત્નમ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રમોટ કરવામાં આવેલું મેગા સીએફસી છે. GJEPC, SEEPZ SEZના સક્રિય સમર્થન સાથેઆ પ્રોજેક્ટનું સંચાલન કરે છે.  

આ મહત્વપૂર્ણ સમારોહમાં GJEPCના વાઈસ ચેરમેન શ્રી કિરીટ ભણસાલી, SEEPZ-SEZના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર, IRS શ્રી રાજેશ કુમાર મિશ્રા, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ IAS શ્રી વિપુલ બંસલ, ભારત રત્નમ મેગા CFCના વર્કિંગ ગ્રુપના હેડ શ્રી કોલિન શાહ અને SEEPZના સંયુક્ત ડેવલપમેન્ટ કમિશનર શ્રી સી.પી.એસ ચૌહાણે હાજરી આપી હતી.

ભારત રત્નમ- મેગા CFCનો હેતુ જેમ અને જ્વેલરી પ્રોડક્ટોના ઉત્પાદન અને ડિઝાઈન માટે ટેકો પૂરો પાડવાનો છે. તે વર્તમાન ગુણવત્તા, ઉત્પાદકતા, માનવબળની કુશળતા, ઘરેલુ R&D, ટેક્નોલોજીની પ્રગતિ તેમજ ખર્ચની હરિફાઈક્ષમતામાં વધારો કરશે. સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ તેમજ ઈન્ડસ્ટ્રી માટે નિપુણ માનવબળને વિકસિત કરવા માટે તેમાં ટ્રેનિંગ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે.  

પોતાના પ્રારંભિક સંબોધનમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે, “ભારત રત્નમ મેગા સીએફસી મેક ઈન ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયાના નવા યુગની શરૂઆત કરે છે. તે ભારતના ખરા હીરા તરીકે ઉભર્યું છે અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનો વધુ એક ચમકતો દાખલો છે. નોંધપાત્ર 14 મહિનામાં પૂર્ણ થયેલું આ સેન્ટર પોતાની વિશ્વ સ્તરની સવલતો સાથે ઉત્કૃષ્ટતાના પ્રકાશસ્તંભ તરીકે ઉભું છે અને ભારતના ભાવિ માટે સીમાચિહ્ન પૂરું પાડે છે. અત્યંત આકર્ષક ટ્રેનિંગ અને સ્કીલિંગ સેન્ટર 1600 જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરશે, જેઓ દર વર્ષે માનવબળમાં જોડાશે. આ તમામ પહેલ ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરીની મેડ ઈન ઈન્ડિયા બ્રાન્ડનું સર્જન કરવામાં મદદરૂપ થશે, જેના માટે આ દુનિયાને આકાંક્ષા અને ઈચ્છા હશે, તેમજ આ દુનિયા જેની તરફ જોશે. ભારત રત્નમ ઈનોવેશન, આર્થિક વૃદ્ધિ અને ટેક્નોલોજીની પ્રગતિને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.”GJEPCના ચેરમેન, શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમે જ્યારે ભારતરત્નમ-મેગા CFCનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ત્યારે આ અભૂતપૂર્વ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા બદલ હું શ્રી પિયુષ ગોયલનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમનું અવિરત સમર્પણ અને દૂરંદેશી નેતૃત્વ  આ પરિવર્તનકારી પહેલ ને ફળીભૂત કરવા માટે નિમિત્ત બની રહ્યું છે. તે અમારા ઉદ્યોગ માટે ગેમ ચેન્જર છે અને તે અમને 75 અબજ ડોલર ની નિકાસના લક્ષ્યાંક ને હાંસલ કરવામાં અને 2047 સુધીમાં વિકસિત ભારતના અમારા વિઝનને સાકાર કરવા તરફ પ્રેરિત કરશે.

March 18, 2024
WhatsApp-Image-2024-03-17-at-18.13.14.jpeg
3min27

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એક્ષ્પોના ઇતિહાસમાં સૌથી વધુ મેદની હાલ ચાલી રહેલા ઓટો એક્ષ્પો 2024ના પ્રથમ ત્રણ દિવસમાં ઉમટી પડી છે. ત્રણ દિવસમાં 50 હજાર પ્લસ વિઝિટર્સે ચેમ્બરના ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી. રવિવારે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતેના ઓટો એક્ષ્પોમાં ભીડભાડના દ્રશ્યો સોશ્યલ મિડીયા પર ભારે વાઇરલ થયા છે. સોશ્યલ મિડીયાના વિવિધ માધ્યમો પૈકી એક્સ અને ઇન્સ્ટા પર ચેમ્બરના ઓટો એક્ષ્પોના વિઝ્યુઅલ્સ ભારત અને વિદેશની અનેક કાર મેન્યુફેક્ચરીંગ કંપનીના ડાયરેક્ટર્સ અને ટોપ ઓફિશ્યલ્સે જોયા અને તેના પર કોમેન્ટ્સ પણ કરી છે. ભારતના ટોપ કાર ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને આ પ્રકારના ઓટો એક્ષ્પોમાં રસ પડ્યો છે જ્યાં વિઝિટર્સ ફક્ત જોવા નથી આવી રહ્યા તેઓ ખરીદી પણ કરી રહ્યા છે. ઓટો એક્ષ્પોને જે પ્રકારનું માઇલેજ સુરતમાં અને સોશ્યલ મિડીયામાંથી મળી રહ્યું છે એ જોતા 2025માં યોજાનારા ચેમ્બરના ઓટો એક્ષ્પોનું લેવલ કંઇક જુદા પ્રકારનું હશે અને સંભવ છે કે સરસાણા ડોમથી પણ વધુ જગ્યામાં બીજા હંગામી ડોમ ઉભા કરીને ઓટો એક્ષ્પો યોજવો પડે.

રવિવાર તા.17મી માર્ચે ચેમ્બર ઓફ કોમર્સના ઓટો એક્ષ્પોમાં ભારે ભીડ ઉમટી પડી

સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સ્કીમ અને ઓફરને કારણે કાર–બાઇક ખરીદવા લોકોનો અદ્‌ભૂત ધસારો

એકઝીબીશનમાં લોકો ગાડીનું બુકીંગ કરી રહયા છે અને ત્યાંથી ડિલીવરી પણ થઇ રહી છે, રવિવારે આખું પાર્કીંગ ફૂલ થઇ ગયું હતું

Visitors

AUTO EXPO 2024
15/3/24 Day-1 7370 Visitors

16/3/24 Day-2 – 12730 Visitors

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

ઓટો એક્ષ્પોમાં વિવિધ બ્રાન્ડની કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સનું પ્રદર્શન કરનારા બધા જ એકઝીબીટર્સ દ્વારા સ્પેશિયલ માર્કેટીંગ ઓફર આપવાની શરૂઆત કરવામાં આવી છે. દરેક એકઝીબીટર્સે તેમની પ્રોડકટ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સ્કીમ અને ઓફર આપતા વાહન ખરીદવા માટે લોકોનો અદ્‌ભૂત ધસારો જોવા મળી રહયો છે. એકઝીબીશનમાં લોકો ગાડીનું બુકીંગ કરી રહયા છે અને ત્યાંથી ડિલીવરી પણ થઇ રહી છે. રવિવારે લોકો એટલી મોટી સંખ્યામાં પ્રદર્શન જોવા માટે આવ્યા હતા કે આખું પાર્કીંગ ફૂલ થઇ ગયું હતું.

દરમ્યાન રવિવારે સાંજે ૪:૩૦થી ૬:૦૦ કલાક દરમ્યાન સ્ટંટ શો પણ યોજાયો હતો, જેમાં વિવિધ બાઇક રાઇડર્સ દ્વારા અદ્‌ભૂત સ્ટંટ કરવામાં આવ્યા હતા, જે જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ૭૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને વીન્ટેજ કારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

કરોડો રૂપિયાની ઇલેકટ્રીક અને હાઇબ્રીડ કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને ૬ જેટલી વીન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ૭૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને વીન્ટેજ કારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગઇકાલે પ્રથમ દિવસે ૭૩૭૦ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી હતી. જ્યારે આજરોજ બીજા દિવસે ૧ર૮૪૪ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લેતા બે દિવસમાં કુલ ર૦ર૧૪ જેટલા લોકોએ આ એક્ષ્પોની વિઝીટ કરી હતી. આવતીકાલે રવિવાર હોવાથી વિઝીટર્સનો આંકડો બમણો થવાની સંભાવના છે.

વર્ષ ૧૯ર૬માં અમેરિકામાં બનેલી ફોર્ડ કંપનીની ટી મોડેલની કાર પ્રદર્શનમાં મૂકાઇ છે. આ કાર વિશ્વની પહેલી માસ પ્રોડકશન કાર છે. જેમાં ૪ સિલિન્ડરવાળું એન્જીન છે. આ કારની ડિઝાઇન ઘોડાવાળી બગ્ગી પરથી લેવામાં આવી હતી.

વર્ષ ૧૯૩૦માં અમેરિકામાં બનેલી ફોર્ડ કંપનીની એ ફેટોન મોડેલની કાર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ કારમાં પણ ૪ સિલિન્ડરવાળું એન્જીન છે. આ કાર ટોપ સ્પીડ પ્રતિ કલાકે ૧૦પ કિલોમીટરની છે.

વર્ષ ૧૯૩રમાં અમેરિકા ખાતે બનેલી હડ્‌સન એસેકસ કારને પણ પ્રદર્શન મૂકાઇ છે. ભારતમાં આ એક જ ગાડી ઉપલબ્ધ છે, જેને ઓટો એક્ષ્પોમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ કારની ટોપ સ્પીડ પ્રતિ કલાકે ૧૧ર કિલોમીટર છે.

ભારતને જ્યારે આઝાદી મળી તે સમયે ૧૯૪૭માં અમેરિકા ખાતે બનેલી બ્યુઇક રોડમાસ્ટર પહેલી ઓટોમેટિક હાયડ્રોલિક કાર હતી. જેમાં વિન્ડો, સનરૂફ અને સીટ આગળ પાછળ થતી હતી. આ વીન્ટેજ કારમાં ૪૯૦૦ સીસીનું એન્જીન છે. આ કારની લંબાઇ ર૧ ફૂટ છે. આ વિન્ટેજ કારમાં સ્ટ્રેઇટ આઠ સિલિન્ડરવાળું એન્જીન છે, જે પ્રતિ કલાકે ૧૩૮ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

વર્ષ ૧૯૪૮માં અમેરિકા ખાતે બનેલી ઓલ્ડ્‌સ મોબાઇલ ડાયનેમિક ૭૬ સિરીઝ વિન્ટેજ કાર પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ વિન્ટેજ કારમાં સ્ટ્રેઇટ છ સિલિન્ડરવાળું એન્જીન છે, જે પ્રતિ કલાકે ૧૧૧ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

આ ઉપરાંત વર્ષ ૧૯૬પમાં જર્મની ખાતે બનેલી ફોકસવેગન કંપનીની બીટલ મોડલની કાર પ્રદર્શનમાં મૂકાઇ છે, જે પ્રતિ કલાકે ૧રપ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ ઓટો એકઝીબીશન ગણાય છે. જેમાં આ વર્ષે વોલ્વો કંપનીની XC 40 Recharge કારને લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે હયુન્ડાઇ કંપનીની Creta N Line અને BYD seal કારને દેશમાં પ્રથમ વખત સુરતના ઓટો એક્ષ્પોમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવી છે. મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.

March 18, 2024
Cia_business_news-1280x936.jpg
1min15

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– ર૦ર૪’નું પ્રદર્શન યોજાશે

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે, તમામ સેગમેન્ટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્‌સ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરાશે

ઓટો એક્ષ્પોમાં ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા રૂ. પ લાખથી પ કરોડ સુધીની કારનું પ્રદર્શન, લોકો સપનાનું વાહન ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઇવ લઇ શકશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની છઠ્ઠુી એડીશન યોજાઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧પ માર્ચ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, એસઆઇઇસીસી ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસદ સભ્ય તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પધારશે અને તેમના વરદ્‌ હસ્તે આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (ય્બહભ)ના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવ અને કાર એન્ડ બાઇક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરા સ્પેશિયલ ગેસ્ટ્‌સ તરીકે સ્થાન શોભાવશે.

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં દેશ – વિદેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ દ્વારા તેઓના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ, એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ એકઝીબીશન ગણાય છે. આ એક્ષ્પો ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવીનતમ નવીનતાઓ અને વિકાસનું પ્રદર્શન કરશે. આ પ્રદર્શન ઉદ્યોગકારો, વ્યાવસાયિકો અને ઉદ્યોગ સાહસિકો માટે ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ટેકિનકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક આ એક્ષ્પો પૂરી પાડશે. આ એકઝીબીશનમાં મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરાશે, આથી આ પ્રદર્શનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે.

મુખ્ય આકર્ષણો….
– તમારા સપનાનું વાહન ખરીદતા પહેલા ટેસ્ટ ડ્રાઇવ
– રૂ. પ લાખથી પ કરોડ સુધીની કાર
– ઇલેકટ્રીક અને હાઇબ્રીડ વ્હીકલનું વિશાળ પ્રદર્શન
– પ્રથમ વખત મોટર હોમ / વેનીટી વાન
– પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ
– ઓટો કમ્પોનન્ટ્‌સ, એકસેસરીઝ, વર્કશોપ ટુલ્સ એન્ડ ઇકવીપમેન્ટ્‌સ
– તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના વ્હીકલનું પ્રદર્શન
– ઓટોમોબાઇલ ક્ષેત્રમાં નવી ટેકિનકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક

March 15, 2024
voting.jpg
1min29

છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે.

January 17, 2024
Bharat-Ratnam-CFC-1.jpg
1min145

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16/01/2024 મુંબઇના સ્પેશયલ ઇકોનોમિક ઝોનમાં નિર્માણ પામેલા હીરા ઉદ્યોગ માટે અત્યંત આવશ્યક કોમન ફેસેલિટી સેન્ટર ભારત રત્નમ્ નું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. હીરા ઉદ્યોગ માટે જરૂરી તમામે તમામ ટેસ્ટીંગથી લઇને ટ્રેનિંગ સુધીની સુવિધાઓ, મેટલ પ્રિન્ટર સુધીની ફેસેલિટી ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

સુરતના અનેક હીરા ઉદ્યોગકારોએ જણાવ્યું કે મુંબઇ સીએફસીને કારણે હીરા ઉદ્યોગની અનેક મહત્વની પ્રક્રિયાઓ સચોટ રીતે અને ઝડપથી પૂર્ણ કરી શકાશે.ભારત રત્નમ મેગા કોમન ફેસેલિટી સેન્ટર ફોર જેમ એન્ડ જ્વેલરીની કલ્પના જીજેઈપીસી દ્વારા કરવામાં આવી હતી. જીજેઇપીસી અને નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સિલ દ્વારા ફિઝિબિલિટી સ્ટડી અને પ્રોજેક્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ રિપોર્ટ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને એસઈઈપીઝેડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ નું અમલીકરણ એસઈઈપીઝેડ ઓથોરિટી સાથે જીજેઈપીસી દ્વારા નામાંકિત મેગા સીએફસી સમિતિ હેઠળ કરવામાં આવ્યુંહ તું. જીજેઈપીસી એ ભારત રત્નમ મેગા સીએફસી ચલાવવા અને તેનું  સંચાલન કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.”ભારત રત્નમ મેગા સીએફસી એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જીજેઈપીસી ઈન્ડિયા અને એસઈઈપીઝેડ સેઝ ઓથોરિટી દ્વારા દેશમાંથી નિકાસ કરવા માટે પ્રમોટ કરાયેલ એક સામાજિક-આર્થિક પ્રોજેક્ટ છે.જીજેઈપીસી ના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, મેગા કોમન ફેસેલિટી સેન્ટરને કારણે હીરા ઝવેરાતનું નિકાસ લક્ષ્ય ને 7 બિલિયન ડોલર થી બમણું એટલે કે 15 બિલિયન ડોલર કરવાની ઉદ્યોગની યોજના માટે ગેમચેન્જર પુરવાર થશે, ભવિષ્યમાં આ જ નિકાસ 30 બિલિયન ડોલર સુધી પણ પહોંચાડી શકાશે.

December 30, 2023
sri-ram.jpg
1min415

આજે ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી હાકલ કરી છે કે આખું વિશ્વ તા.22મી જાન્યુઆરીની રાહ જોઇ રહ્યું છે. તેમણે 22 જાન્યુઆરીના રોજ પ્રતીક્ષિત કાર્યક્રમ માટે અયોધ્યામાં પ્રવાસ ન કરવા લોકોને વિનંતી કરી, ભારપૂર્વક જણાવ્યું કે મંદિરના નગરમાં ઐતિહાસિક દિવસે ફક્ત આમંત્રિત વ્યક્તિઓએ જ હાજરી આપવી જોઈએ. તા.22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે.

PM Modi inaugurates new airport in Ayodhya ahead of Ram Temple consecration  on Jan 22 - India Today

પીએમ નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને આગામી તા.22 જાન્યુઆરીએ તેમના ઘરોને દીવાઓથી પ્રકાશિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. “આ ઐતિહાસિક ક્ષણ ખૂબ જ સદભાગ્યે આપણા જીવનમાં આવી છે. આપણે દેશ માટે એક નવો સંકલ્પ કરવાનો છે અને પોતાને નવી ઉર્જાથી ભરવાનો છે. આ માટે, હું તમામ 140 કરોડ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ 22 જાન્યુઆરીએ તેમના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવે અને દીપાવલી ઉજવે, ”પીએમે કહ્યું.

વધુમાં, તેમણે સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા માટેના સામૂહિક પ્રયાસને પ્રોત્સાહન આપતા, 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં તીર્થસ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહ્વાન કર્યું હતું.

રામ લાલાને પાકું ઘર અપાયુંઃ પીએમ મોદી

પીએમ મોદીએ રામ લાલાના નિવાસસ્થાનને તંબુમાંથી કાયમી માળખામાં રૂપાંતરિત કરવાનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રના વિકાસ માટે વારસાની જાળવણીનું મહત્વ નોંધ્યું હતું. “રામ લાલા એક તંબુમાં હતા, આજે પાકું ઘર માત્ર રામ લાલાને જ નહીં પરંતુ દેશના ચાર કરોડ ગરીબોને પણ આપવામાં આવ્યું છે. ભારતને વિકસિત દેશ બનાવવાની ઝુંબેશને અયોધ્યાથી નવી ઉર્જા મળી રહી છે.” .

“આજે, અહીં રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ માળખાકીય સુવિધાઓને લગતા કામો ફરી એકવાર દેશના નકશા પર ગૌરવ સાથે આધુનિક અયોધ્યાની સ્થાપના કરશે. આજનો ભારત તેના તીર્થસ્થળોને સુંદર બનાવી રહ્યું છે. અને ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં પણ ડૂબી ગયો છે,” તેમણે ઉમેર્યું.

દિવસની શરૂઆતમાં, PM એ સુધારેલ અયોધ્યા રેલ્વે સ્ટેશન, અમૃત ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું અને ચાલુ વિકાસ પહેલના ભાગ રૂપે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી.

રામ મંદિર રામ જન્મભૂમિના આદરણીય સ્થળ પર છે, જે ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ જગ્યા પર પહેલા બાબરી મસ્જિદનો કબજો હતો. 2019 માં, ભારતની સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી ચુકાદો આપ્યો, મંદિરના નિર્માણ માટે હિન્દુઓને વિવાદિત જમીન આપી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના અહેવાલથી પ્રભાવિત થયેલો નિર્ણય, તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની નીચે બિન-ઈસ્લામિક માળખું હોવાનું સૂચવે છે.

5 ઓગસ્ટ, 2020 ના રોજ, એક સમારોહમાં રામ મંદિરના નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી, જેનું સંચાલન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ચાલુ બાંધકામની દેખરેખ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરે છે.

October 27, 2023
Cia_business_news-1280x936.jpg
1min239

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અમેરીકામાં યોજાઇ રહેલી ગ્લોબલ મિલેટ્સ મીટમાં ઉપસ્થિત રહેનારા 100થી વધુ દેશોના ડેલિગેટ્સ માટે અમેરીકાના ન્યુયોર્ક સ્થિત ઇન્ડીયન એમ્બેસીએ સુરતની અતુલ બેકરીને 2 હજાર કિલો (2 ટન) મિલેટ્સ બિસ્કીટનો ઓર્ડર આપ્યો હતો, સુરતના ઇચ્છાપોર ખાતે મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતી અતુલ બેકરીએ આ ઓર્ડર સફળતાપૂર્વક ડિસ્પેચ પણ કરી લીધો છે.

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ન્યુટ્રીશીયસ ધાન તરીકે ખ્યાતિ પામી રહેલા મિલેટ્સની ગ્લોબલ મિલેટ્સ મીટ અમેરીકામાં યોજાઇ રહી છે. ભારતમાં બાજરી, જુવાર, રાગી તેમજ જુદા જુદા પ્રકારના ફાઇબર યુક્ત ઑટ્સનો સમાવેશ શ્રીઅન્ન એટલે કે મિલેટ્સમાં થાય છે. મિલેટ્સને વધુ પ્રચલિત બનાવવા તેમજ બાળકો નાનપણથી જ મિલેટ્સ આધારીત વાનગીઓ આરોગે તે માટે મિલેટ્સમાંથી અવનવી વેરાઇટીઝ બની રહી છે.

અમેરીકામાં યોજાઇ રહેલી વર્લ્ડ મિલેટ્સ મીટ્સમાં ઉપસ્થિત રહેનારા જુદા જુદા દેશોના ડેલિગેટ્સમાં મિલેટ્સ બેઝ વેરાઇટીની વહેંચણી કરવા માટે સુરતની બેકરીને ન્યુયોર્ક સ્થિત ઇન્ડીયન એમ્બેસી તરફથી 2 હજાર ટન મિલેટ્સ બિસ્કીટ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો હતો.

સુરતમાં બિસ્કીટ બનાવીને અમેરીકામાં સપ્લાય કરનાર જાણિતી અતુલ બેકરીના ઑનર અતુલ વેકરીયાએ જણાવ્યું હતું કે મિલેટ્સ બિસ્કીટની વેરાઇટી તેમણે પહેલીવાર જ ઉત્પાદન કર્યું હતું અને ભારતમાં હજુ એકેય પેકેટ વેચાયું નથી અને 2000 કિલોનો માલ અમેરીકામાં સપ્લાય કરી દીધો છે. બાજરી, રાગી, ઓટ્સ અને શક્ય એટલી કુદરતી સાધન સામગ્રીમાંથી મિલેટ્સના બિસ્કીટ તૈયાર કર્યા હતા, તેના સેમ્પલિંગ અમેરીકાની ચુસ્ત કડકાઇભરી પ્રક્રિયામાંથી પસાર થયા અને એ પછી તેમણે ઓર્ડર સપ્લાય કર્યો છે.

October 20, 2023
-ઓફ-કોમર્સ-1280x853.jpg
1min158

આગામી તા.21મી ઓક્ટોબરને શનિવારના રોજ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 83 વર્ષ પૂર્ણ કરીને 84માં વર્ષમાં પ્રવેશ કરશે. આ પ્રસંગે ભારતમાં સૌપ્રથમ વખત ચેમ્બર ટુ ચેમ્બર કોન્ફરન્સ યોજવાના ભાગરૂપે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે દેશના 84 ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગપતિઓને સુરત આવવા માટે ખાસ નિમંત્રણ આપ્યા છે. શનિવારે જ ચેમ્બર ઓફ કોમર્સના મિશન 84 અન્વયે એક્ષ્પોર્ટ વધારવા માટે તૈયાર કરવામાં આવેલા ડિજિટલ પ્લેટફોર્મના ફર્સ્ટ ફેઝનું લોચિંગ પણ કરવામાં આવશે.

સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વર્ષગાંઠે યોજાયેલા આખો દિવસના ભરચક કાર્યક્રમોની વિગતો આપતા ચેમ્બર પ્રેસિડેન્ટ રમેશ વઘાસીયા, વાઇસ પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, સંજય પંજાબીએ જણાવ્યું હતું કે આગામી શનિવાર તા.ર૧મી ઓકટોબરે SGCCIના ૮૪મા સ્થાપના દિને ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજના હસ્તે મિશન ૮૪ અંતર્ગત ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મનું લોન્ચીંગ કરવામાં આવશે. સમારોહમાં ઉપસ્થિત ઉદ્યોગકારો હજારો કરોડનું એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦ર૭ સુધીમાં ભારતને પ ટ્રિલિયન યુએસ ડોલરની ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. એના માટે ઉદ્યોગકારોને ૧ ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, આથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધરાયો છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, વ્યાપારિક દૃષ્ટિએ ૧૬મી અને ૧૭મી સદીમાં સુરત આખા વિશ્વમાં ઘણું જાણીતું થઇ ગયું હતું. કારણ કે તે સમયે વેપારીઓ દરિયાઇ માર્ગે સુરતમાં વ્યાપાર કરવા માટે આવતા હતા. ૧૭મી સદીમાં જર્મન, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, બ્રિટીશ વગેરે વેપારીઓ સુરત આવ્યા હતા. તે સમયે અમેરિકન વેપારીઓને કોટન જોઇતું હતું, જે સુરત તેઓને પૂરુ પાડતું હતું. સુરતમાં તે સમયે કોટન ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ હતી. એટલે સુરતથી તેઓને કોટન એક્ષ્પોર્ટ કરવામાં આવતું હતું. ત્યારબાદ સુરત ખાતે એમ્બ્રોઇડરી, જરી અને જરદોશી વર્ક થવા લાગ્યું હતું. સુરત ખાતે પારસી સ્ટાઇલમાં જરદોશી થતું હતું.

૧૬મી સદીમાં સુરતમાં ર લાખ લોકો વસવાટ કરતા હતા અને સુરતના ઘણા ઉદ્યોગ સાહસિકો અન્ય દેશોમાં જઇને વ્યાપાર કરતા હતા. સુરત તે સમયે આગ્રા, બુરહાનપુર, અમદાવાદની સાથે કનેકટેડ હતું. જ્યારે ઔરંગાબાદ અને હૈદરાબાદ થકી મછલીપટ્ટનમ સાથે જોડાયેલું હતું. આ રૂટથી મટિરિયલ્સ સુરત આવતું હતું અને સુરતમાં પ્રોડકટ બનતી હતી અને અન્ય દેશોમાં એક્ષ્પોર્ટ થતી હતી. સુરત, બીજા પાસેથી મટિરિયલ ખરીદીને કપડું બનાવતું હતું અને ત્યારબાદ સુરતથી એક્ષ્પોર્ટ કરતું હતું. સુરતના બંદરે તે સમયે વર્ષે ૧૬૦૦થી ૧૭૧૦ જેટલા શીપ ચાલતા હતા. ૧૭મી સદીમાં સુરત એ ટ્રેડ સેન્ટર બની ગયું હતું અને જાપાન તથા અન્ય દેશો સાથે કનેકટેડ હતું.

સુરતના ઇતિહાસ પર એક નજર કરીએ તો સુરતના માધ્યમથી ગુજરાત અને ભારત સાથે વિશ્વના ૮૪ દેશો/બંદરોના વેપારીઓ ૧૬મી અને ૧૭મી સદીમાં વ્યાપાર કરતા હતા. તે સમયે ટેકનોલોજીના અભાવ વચ્ચે પણ જુદા–જુદા પ્રકારના ફેબ્રિકસ અને મરી મસાલા સુરતના બંદરેથી એક્ષ્પોર્ટ થતા હતા. હવે તો ઘણી ટેકનોલોજી આવી ગઇ છે. સુરતના બંદરે, ૮૪ જેટલા દેશો/બંદરોના વાવટા ફરકતા હતા અને આખા ભારતમાં, સુરતમાં જ એક એવો તાલુકો છે કે જેનું નામ આંકડા પરથી પડયું છે અને એ ચોર્યાસી તાલુકા તરીકે ઓળખાય છે.

ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું કે, સુરતનો નાતો ૮૪ નંબરથી રહયો છે અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર – ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો તા. ર૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ ૮૪મો સ્થાપના દિવસ છે. આ દિવસે ચેમ્બર ઓફ કોમર્સ ૮૪માં વર્ષમાં મંગળ પ્રવેશ કરશે, આથી ચેમ્બર ઓફ કોમર્સ, ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત કરવાના હેતુથી મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધર્યો છે. જે અંતર્ગત ઉદ્યોગકારો માટે ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, જેનું લોન્ચીંગ ર૧મી ઓકટોબરે ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીના વરદ હસ્તે કરાશે.

આ ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ગુજરાત ઉપરાંત સમગ્ર દેશના ૮૪૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવશે. આ ઉદ્યોગકારોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની એક્ષ્પોર્ટ સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની જાણકારી તેમજ એક્ષ્પોર્ટ વધારવાની દિશામાં તેઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત ભારતની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સ અને જુદા–જુદા દેશોની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને પણ આ ઓનલાઇન પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરવામાં આવશે. એવી જ રીતે ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તથા વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા ૮૪ જેટલા એમ્બેસેડરોને ઓનબોર્ડ કરવામાં આવશે.

મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વિવિધ દેશોના કોન્સુલ જનરલોએ તથા તેઓના પ્રતિનિધિ મંડળોએ મુલાકાત લીધી હતી. એવી જ રીતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે નવી દિલ્હી સ્થિત તથા મુંબઇ સ્થિત વિવિધ દેશોના કોન્સુલ જનરલો સાથે મુલાકાત કરી તેઓની સમક્ષ મિશન ૮૪ પ્રોજેકટ રજૂ કર્યો હતો અને તેઓને એમાં જોડાવા માટે અનુરોધ કર્યો હતો. આ તમામ કોન્સુલ જનરલોએ મિશન ૮૪માં જોડાવા માટે સહમતિ આપી દ્વિપક્ષીય વ્યાપારને વધારવા માટે સાથે મળીને પ્રયાસ કરીશું તેમ જણાવ્યું છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના ઔદ્યોગિક સંગઠનો જેવા કે FICCI, ASSOCHAM અને CII વિગેરે સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી અને તેઓએ પણ મિશન ૮૪માં જોડાવા માટે સહમતિ આપી છે. આ બધાની સાથે મળીને માર્કેટ રિસર્ચ અને પ્રોડકટ રિસર્ચ કરીને વ્યાપારને વધારવાનો છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અન્ય દેશોમાંથી આયાત થતા પ્રોડકટનું ભારતમાં જ ઉત્પાદન કરવાનું છે અને અન્ય દેશોમાં તેનું એક્ષ્પોર્ટ પણ કરવાનું છે. આ મિશનને લઇને ચેમ્બર ઓફ કોમર્સ આગળ વધી રહયું છે અને તે માટે સુરત અને સમગ્ર ભારતના ઇતિહાસને જાણી તેના અદ્‌ભુત વારસાને આગળ વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ પ્રોજેકટ હાથ ધરાયો છે.

ર૧મી ઓકટોબરે દેશની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ એક પ્લેટફોર્મ પર આવશે તથા વ્યાપાર – ઉદ્યોગના વિચારોનું આદાન પ્રદાન કરી ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે

ર૧મી ઓકટોબરે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ૮૪મા સ્થાપના દિવસે નવા વિચારો, નવી દિશા અને નવું પ્રયાણના ભાગ રૂપે મિશન ૮૪ પ્રોજેકટ અંતર્ગત આખા દિવસનો કાર્યક્રમ યોજાશે. જેમાં ભારતની ૮૪થી વધુ ચેમ્બર ઓફ કોમર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. શનિવાર, તા. ર૧ ઓકટોબર, ર૦ર૩ના રોજ પ્લેટિનમ હોલ, SIECC, સરસાણા, સુરત ખાતે સવારે ૧૦:૦૦ કલાકે C TO C એટલે કે ‘ચેમ્બર ટુ ચેમ્બર’ કાર્યક્રમ યોજાશે. જેમાં તમામ ચેમ્બર ઓફ કોમર્સ એક પ્લેટફોર્મ પર આવશે અને એકબીજાને વ્યાપાર – ઉદ્યોગના વિચારોનું આદાન – પ્રદાન કરશે. ત્યારબાદ બપોરે રઃ૦૦થી સાંજે ૪:૦૦ કલાક દરમ્યાન C TO M એટલે કે ‘ચેમ્બર ટુ મેમ્બર’ કાર્યક્રમ યોજાશે. જેમાં ઉદ્યોગકારોને જુદી–જુદી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતપોતાના પ્રાદેશિક વિસ્તારમાં વ્યાપાર – ઉદ્યોગની તકોથી માહિતગાર કરવામાં આવશે.

કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાની હાજરીમાં તેમના વિભાગ સંબંધિત અને અન્ય ઉદ્યોગકારો હજારો કરોડનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે

ર૧મી ઓકટોબરે સાંજે ૪:૩૦ કલાકે ભારતના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજી સાથે ઇન્ટરેકટીવ સેશન યોજાશે. જેમાં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ તથા ટેક્ષ્ટાઇલ, ડાયમંડ વગેરે અન્ય ઉદ્યોગની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો વધુમાં વધુ એક્ષ્પોર્ટ કરવાનો સ્વયંભૂ સંકલ્પ લેશે. અત્રે નોંધનીય છે કે, ભારત સરકારના કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ તેમજ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરના કેન્દ્રિય મંત્રી ડો. મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં, કેમિકલ્સ એન્ડ ફાર્મા ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારોએ રૂપિયા ૧૭,પ૯૩ કરોડથી વધુનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લીધો હતો. એવી રીતે કેન્દ્રિય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાજીની હાજરીમાં તેમના વિભાગ સંબંધિત અને અન્ય ઉદ્યોગકારો હજારો કરોડનો એક્ષ્પોર્ટ કરવા સ્વયંભૂ સંકલ્પ લેશે.

October 7, 2023
cia_multi-1280x1045.jpg
1min211

તમામ બાબતો પછી એ રાજનીતિક હોય કે સ્પોર્ટસ હોય કે વેપાર વાણિજ્ય હોય, ભારતનો વિશ્વભરમાં દબદબો વર્તાવાનો શરૂ થઇ ચૂક્યો છે. આજે તા.7મી ઓક્ટોબર 2023ને શનિવારે સવારે ચીનથી સમાચાર એવા આવ્યા કે સમગ્ર વિશ્વના રમતગમત ક્ષેત્રમાં ભારતના વધતા દબદબામાં વધુ એક મોરપીચ્છ ઉમેરાય ગયું.

હાલ ચીનમાં ચાલી રહેલા એશિડાય રમતોત્સવમાં ભારતે શનિવારે 100 મેડલોની સિદ્ધિ હાંસલ કરી છે. એશિયાડ રમતોત્સવમાં પહેલીવાર એવું બન્યું છે ભારતના રમતવીરોએ 100 કે તેનાથી વધુ મેડલો અંકે કર્યા છે.

Image
September 29, 2023
.jpg
1min406

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતમાં રૂ.2 હજારના દરની નોટને ચલણમાંથી પરત ખેંચી લેવાના આશય સાથે આ નોટના વ્યવહારુ ઉપયોગ માટે આપેલી કટઓફ ડેટ આવતીકાલ તા.30મી સપ્ટેમ્બર છે. છેલ્લા છ મહિનામાં દક્ષિણ ગુજરાતમાંથી અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો બેંકોમાં જમા થઇ ચૂકી છે. આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે નવી ગાઇડલાઇન જારી થાય તેવી શક્યતાઓ બેંકર્સ જૂથમાંથી સંભળાય રહી છે.
તા.8મી નવેમ્બર 2016ના રોજથી ભારતમાં રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો નાબૂદ થઇ હતી અને રૂ.500ની નવી અને રૂ.2000ની ચલણી નોટ પ્રથમ વખત ચલણમાં મૂકવામાં આવી હતી. 71 મહિના બાદ આવતીકાલ તા.20મી નવેમ્બર 2023ના રોજ રિઝર્વ બેંકે આપેલી સૂચના અનુસાર રૂ.2000ના ચલણી નોટનો વ્યવહારુ ભારત સહિત વિદેશોમાં પણ ઉપયોગ બંધ થઇ જશે. દક્ષિણ ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી સરકારી બેંકો, સહકારી બેંકો અને પ્રાઇવેટ બેંકો મળીને અત્યાર સુધીમાં અંદાજે રૂ.3500 કરોડની જંગી રકમની રૂ.2 હજારના દરની ચલણી નોટો જમા થઇ ચૂકી છે અને આ પૈકીની મોટા ભાગની નોટો રિઝર્વ બેંકને સુપરત પણ કરી દેવામાં આવી છે. છેલ્લા એકાદ મહિનાથી તો બેંકોમાં અઠવાડીયે માંડ એકાદ બે ખાતેદારો દ્વારા પાંચ-પંદર નોટો જમા કરાવવામાં આવી રહી છે. સામાન્ય રહેવાસીઓ પાસે હવે રૂ.2000ની દરની નોટો વધુ સંખ્યામાં હોવાની કોઇ શક્યતા નથી રહી એમ બેંકીંગ વર્તુળોમાંથી જાણવા મળે છે.
બેંકર્સ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી એકાદ બે દિવસમાં રિઝર્વ બેંક દ્વારા રૂ.2 હજારના દરની નોટ અંગે વધુ એક ગાઇડલાઇન જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે. એવું બની શકે કે ફક્તને ફ્કત બેંકમાં જ રૂ.2 હજારના દરની ચલણી નોટ જમા કરાવી શકાય તેવી અવધિ આપવામાં આવે પરંતુ, હજુ સુધી રિઝર્વ બેંકે આ અંગે કોઇ જ ગાઇડલાઇન બહાર પાડી નથી. ફક્ત શક્યતાઓ જોવાય રહી છે.