CIA ALERT

ગુજરાત Archives - CIA Live

February 23, 2026
image-27.png
1min17

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 23, 2026
image-23.png
1min50

રાજકોટ મહાનગરપાલિકા (RMC) સોમવારે (23મી ફેબ્રુઆરી) શહેરના ઈતિહાસનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. જંગલેશ્વર અને આજી નદીના પટમાં દાયકાઓથી સરકારી અને મનપાની જમીન પર ખડકાયેલા 1489 મકાનો તોડી પાડવા માટે તંત્રએ આખરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર રાજકોટમાં કડક પોલીસ બંદોબસ્ત અને કલમ-163 લાગુ કરી દેવામાં આવી છે.

મહાપાલિકા દ્વારા આ ઓપરેશન માટે વિશાળ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. 1130થી વધુ મનપા કર્મચારીઓ (ખાસ એપ્રન અને હેલમેટ સાથે). 260થી વધુ વાહનો જેમાં જેસીબી, હિટાચી, બ્રેકર અને ડમ્પરનો સમાવેશ થાય છે. આજી નદી પટની 55,000 ચો.મી. અને ટી.પી. રોડની 32,000 ચો.મી. મળી કુલ 87,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાશે.

વિસ્તારની સંવેદનશીલતાને જોતા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી કડક નિયમો લાગુ કર્યા છે. 23મીથી 25મી ફેબ્રુઆરી સુધી સમગ્ર રાજકોટમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત 26મી ફેબ્રુઆરી સુધી શહેરમાં 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર મનાઈ છે. 2500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત પહેરો ગોઠવી દેવાયો છે. કોઈપણ પ્રકારના કાંકરીચાળા કે વિરોધના કિસ્સામાં તુરંત ધરપકડના આદેશો અપાયા છે.

તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે અગાઉ આ વિસ્તારના અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા, જેનો પુરાવો વીડિયો દ્વારા જારી કરાયો છે. આથી, આ વખતે કોઈ પણ નવું આવાસ કે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે નહીં. રવિવાર સાંજ સુધીમાં અંદાજે 225 પરિવારોએ સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા.

February 19, 2026
image-20.png
1min15

ગુજરાતના દેવામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગૃહમાં સરકારે માહિતી આપી હતી કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યના દેવામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2023-24થી વર્ષ 2028-29 સુધીના અંદાજો સરકારના બજેટના દસ્તાવેજોમાં દર્શાવાયા છે. તે જોતા કહી શકાય કે, રાજ્યના જાહેર દેવામાં સતત અને મજબૂત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2023-24માં ગુજરાત રાજ્યનું કુલ જાહેર દેવું રૂ. 3,52,717 કરોડ હતું. જે વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ વધીને રૂ. 4,30,320 કરોડ પર પહોંચ્યું હતું. આ માત્ર એક વર્ષના ગાળામાં આશરે ₹રૂ. 77,000 કરોડથી વધુનો ઉછાળો દર્શાવે છે.

નાણાં પ્રધાને ગુજરાત સરકારનું વર્ષ 2026-27 માટે જે બજેટ રજૂ કર્યું છે તેના દસ્તાવેજો મુજબ વર્ષ 2025-26માં 4,45,537 કરોડ અને વર્ષ 2026-27માં ગુજરાત સરકારનું કુલ દેવું વધીને 4,87,069 કરોડ થવાનો અંદાજ છે. જ્યારે, સરકારના દેવાનો આ આંકડો 2028-29 સુધીમાં વધીને રૂ. 5,66,845 કરોડ સુધી પહોંચે એવો અંદાજ મૂકાયો છે.

આગામી 5 વર્ષમાં રાજ્યનું જાહેર દેવું આશરે ₹2.24 લાખ કરોડ જેટલું વધી જશે એટલે કે 2023ની સરખામણીએ 2029માં સરકારનું જાહેર દેવું 65 ટકા જેટલું વધારે હશે. દર વર્ષે સરેરાશ ₹45,000 કરોડનું નવું દેવું ઉમેરાય તેવો અંદાજ છે. જોકે, સારી બાબત એ છે કે રાજ્યનું કુલ ઉત્પાદન પણ 68 ટકાના દરે વધવાની ધારણા છે. દેવું વધવા છતાં, GSDPના પ્રમાણમાં દેવાની ટકાવારી 14.38 ટકાથી ઘટીને 13.74 થશે. આનો અર્થ એ છે કે રાજ્યની આવક વધવાની ક્ષમતા દેવા કરતા સહેજ વધુ ઝડપી છે.

સૌથી વધુ ચોંકાવનારો આંકડો રાજકોષીય ખાધનો છે, જે 251 ટકાનો વધવાનો અંદાજ છે. વર્ષ 2023-24માં આ ખાધ માત્ર 23,463 કરોડ હતી. જે 2028-29માં વધીને 82,518 કરોડ થઈ શકે છે. આ ખાધ સૂચવે છે કે સરકાર ખર્ચને પહોંચી વળવા માટે ઉધાર લેવા પર વધુ નિર્ભર રહેશે. વર્ષ 2023-24માં સરકાર પાસે રૂ. 33,477 કરોડની મહેસૂલી પુરાંત હતી. જે 2028-29 સુધીમાં ઘટીને રૂ. 22,000 કરોડ થવાની શક્યતા છે. આ ઘટાડો સૂચવે છે કે વહીવટી ખર્ચ અથવા વ્યાજની ચુકવણીમાં મોટો હિસ્સો વપરાઈ જશે.

February 15, 2026
gujarat-vidhansabha.jpg
1min29

: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ 16 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. સત્રની શરૂઆત બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. જે બાદ ગૃહમાં ટૂંકો વિરામ રહેશે. સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખ થશે, જે બાદ મોટું આકર્ષણ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી રહેશે.

વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામ સામે છે. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે જેનો પ્રસ્તાવ ધારાસભ્ય દિનેશ ઠાકોર રજૂ કરશે. બીજી તરફ ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે. આ ચૂંટણી ‘ધ્વનિ મત’ દ્વારા કરવામાં આવશે.

બજેટ સત્રનું શિડ્યુલ અને મહત્ત્વની વિગતો

  • કુલ સમયગાળો: 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ
  • કામકાજના દિવસો: 23 દિવસ
  • સામાન્ય બજેટ: 17 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે
  • કુલ બેઠકો: 26 બેઠકોનું આયોજન

આ સત્રમાં શું ખાસ હશે?

  • નવા વિધેયકો: સરકાર આ સત્રમાં સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે.
  • સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન ‘યુનિફોર્મ સિવિલ કોડ’ સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.
  • કેન્દ્ર-રાજ્ય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્યના પડતર અને ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.

February 14, 2026
guj_gov_logo.png
14min25

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. સમગ્ર રાજ્યમાં 37 મામલતદારોની બદલીનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 165 લોકોને મામલતદાર તરીકે બઢતી સાથે બદલી પણ આપી છે. આ અંગે ગાંધીનગરથી અધિકારીક આદેશ આપવામાં આવ્યો છે. બઢતી તથા બદલીના આદેશ કરવામાં આવ્યા છે. 

નાયબ મામલતદારમાંથી મામલતદારમાં બઢતી

ક્રમઅધિકારીનું નામહાલનો જિલ્લોનિમણૂંકની જગ્યા (મામલતદાર તરીકે)
1ડિમ્પલબેન પી. સાંગાણીયાવલસાડડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પાટણ
2વિશાલ એચ. જેપીવાલાનવસારીચૂંટણી મામલતદાર, મોરબી
3પુલિન ટી. ઠાકરમહેસાણાકચ્છ
4વિશાલ ડી. ત્રિવેદીભાવનગરચૂંટણી મામલતદાર, અમરેલી
5જયેશકુમાર વી. ધોકિયાજૂનાગઢચૂંટણી મામલતદાર, ગીર સોમનાથ
6એચ. એમ. સોમાણીભાવનગરડેપ્યુટી રજીસ્ટ્રાર-GRT, અમદાવાદ
7કેતનભાઈ પી. ત્રિવેદીભાવનગરકલેક્ટર કચેરી, બોટાદ
8મહેન્દ્રસિંહ પી. ઝાલાભાવનગરચૂંટણી મામલતદાર, જૂનાગઢ
9મેહુલકુમાર એચ. રાવલસુરેન્દ્રનગરકોટડા-સાંગાણી, રાજકોટ
10હિતેન્દ્રસિંહ એન. ગોહિલસુરેન્દ્રનગરચીફ ઓફિસર, થાનગઢ (ડેપ્યુટેશન)
11ભગીરથસિંહ ડી. ચુડાસમાઅમદાવાદAUDA, આણંદ
12નિશા કે. લાખાણીરાજકોટમૂળી, સુરેન્દ્રનગર
13યતિનકુમાર પી. ભાડજાઆણંદજનસંપર્ક અધિકારી (PRO), ડાંગ
14જયદીપ એસ. પટેલઅમદાવાદઅધિક ચિટનીસ, ખેડા
15દીપમાલા જી. બચાણીઅમદાવાદડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
16પુષ્પરાજ જી. ઓલીક્ષ્ત્રિયાગાંધીનગરAUDA, અમદાવાદ
17પરેશ એ. દેસાઈઅમદાવાદજનસંપર્ક અધિકારી (PRO), ગાંધીનગર
18ચિરાગ એચ. પ્રજાપતિઅમદાવાદશામળાજી, અરવલ્લી
19હિતેશકુમાર જે. ચૌહાણગાંધીનગરSSRD-1, અમદાવાદ
20રણજિતસિંહ આઈ. રાઠોડઅમદાવાદફાગવેલ, ખેડા
21વનરાજસિંહ એચ. બારડઅરવલ્લીજનસંપર્ક અધિકારી (PRO), પંચમહાલ
22હરેશકુમાર બી. પટેલસાબરકાંઠાહડાદ, બનાસકાંઠા
23નિલેશ એ. રાઠોડઅમદાવાદડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
24વિશાલભાઈ એ. મકવાણાઅમદાવાદમહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગર
25નરેન્દ્રસિંહ ડી. ચાવડાઅમદાવાદમાતર, ખેડા
26અલ્પેશ એન. રાવલબનાસકાંઠાએક્સ્ટ્રા ચિટનીસ, વડોદરા
27ચૈતન્ય બી. સંઘાણીઆણંદNRG ફાઉન્ડેશન, ગાંધીનગર
28કિરણસિંહ એ. વિહોલમહેસાણાપોશિના, સાબરકાંઠા
29ઉપેન્દ્રસિંહ કે. વાઘેલાઅમદાવાદચોટીલા, સુરેન્દ્રનગર
30મીનલબેન વી. પટેલસાબરકાંઠાકલેક્ટર કચેરી, અરવલ્લી
31રામદેવસિંહ જે. ઉમટઅમદાવાદચૂંટણી મામલતદાર, બોટાદ
32ચંદ્રેશ એન. પોરાધિયાપાટણસ્પીપા (SPIPA), અમદાવાદ
33ગૌતમકુમાર એસ. દરજીમહેસાણાકાંકરેજ, બનાસકાંઠા
34રામાજી વી. બારી (રાજપૂત)કચ્છધરણિધર, વાવ-થરાદ
35હરદેવસિંહ આર. પઢિયારસુરેન્દ્રનગરજનસંપર્ક અધિકારી (PRO), કચ્છ
36ભાવના એલ. રબારીઅમદાવાદનડિયાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી
37મુકેશભાઈ એમ. દેસાઈખેડાચિટનીસ, આણંદ
38કુલદીપસિંહ એ. મોડઅમદાવાદધોલેરા SIR ઓથોરિટી
39હરદીપસિંહ બી. સોલંકીસુરતચિટનીસ-TASP-રાજપીપળા, નર્મદા
40માનસી એન. પારેખસુરેન્દ્રનગરજનસંપર્ક અધિકારી (PRO), જૂનાગઢ
41યોગેશકુમાર એમ. પટેલસાબરકાંઠારાહ, વાવ-થરાદ
42કિરણકુમાર કે. ગોસ્વામીપાટણઓગડ, બનાસકાંઠા
43રાજેશકુમાર આર. દેસાઈઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
44સમ્રાટ કે. બ્રહ્મભટ્ટઅમદાવાદઆણંદ શહેર
45કિરીટસિંહ આર. વાઘેલાગાંધીનગરસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
46તકદીરકુમાર યુ. સોલંકીસાબરકાંઠાકલેક્ટર કચેરી, અરવલ્લી
47શૈલેષકુમાર બી. પ્રજાપતિખેડાગોવિંદ ગુરુ લીમડી, દાહોદ
48ભાવેશ એસ. ધાનાણીકચ્છમજુરા, સુરત શહેર
49આકાશકુમાર એમ. શ્રીમાળીમહેસાણાચૂંટણી મામલતદાર, બનાસકાંઠા
50નિલયકુમાર એચ. પટેલખેડાઘાટલોડિયા, અમદાવાદ
51સંકેતકુમાર એ. શાહસાબરકાંઠાવડગામ, બનાસકાંઠા
52પ્રિયંકકુમાર બી. પટેલસાબરકાંઠામહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
53શાહીના એમ. દિવાનઅમદાવાદવિજિલન્સ સેલ, આદિજાતિ વિકાસ
54નિકુંજ વી. સાવલાવડોદરાભરૂચ (શહેર)
55મોહમદજાબીર એસ. ઘોરીબનાસકાંઠામહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
56હિરેન બી. મકવાણારાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
57અરવિંદ એ. રાઠોડજામનગરPSO-IORA કલેક્ટર કચેરી, રાજકોટ
58કલ્પેશકુમાર કે. દવેભાવનગરઅમરેલી (શહેર)
59સુનીલકુમાર જી. મહેતાઅમદાવાદસ્પીપા (SPIPA), અમદાવાદ
60નિકુલકુમાર એ. પટેલમહેસાણાPSO-IORA કલેક્ટર કચેરી, અમદાવાદ
61વૈભવ કે. વ્યાસકચ્છચીફ ઓફિસર, મુન્દ્રા (ડેપ્યુટેશન)
62આશિયાનાબાનુ એસ. શેખઅમદાવાદડેપ્યુટી મેનેજર (લેન્ડ), TCGL
63વનરાજસિંહ કે. રાજપૂતઅમદાવાદસાયલા, સુરેન્દ્રનગર
64રંજન વી. સોલંકીઆણંદચૂંટણી મામલતદાર, ખેડા
65પ્રકાશચંદ્ર એન. પટેલમહેસાણાહક્કપત્રક મામલતદાર, બનાસકાંઠા
66સંદીપ જી. રૈયાણીવડોદરાહાલોલ, પંચમહાલ
67અમિતા એન. ભાવસારવડોદરાડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પંચમહાલ
68પ્રણવકુમાર એચ. આચાર્યરાજકોટજમીન સંપાદન અધિકારી કચેરી, રાજકોટ
69શ્વેતા ટી. પટેલસુરતભરૂચ-અંકલેશ્વર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
70નિકી એચ. પ્રજાપતિખેડાચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, વડોદરા
71સવસીભાઈ આર. પટેલગાંધીનગરઇરીગેશન સેસ રિકવરી, ખેડા
72શૈલેષભાઈ ડી. બારૈયાભાવનગરબોટાદ (શહેર)
73સુવિધાબા જે. રાઠોડરાજકોટA.T.V.T. મહેસૂલ વિભાગ, ગાંધીનગર
74કિરણકુમાર આર. દેસાઈમહેસાણાલોથલ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
75જૈમિનીબેન કે. ગોસ્વામીસાબરકાંઠાચિટનીસ ટુ કમિશનર, મધ્યાહન ભોજન
76કલ્પેશ એ. રાયકાઅમદાવાદજમીન સંપાદન અધિકારી કચેરી, સુરત
77પ્રણવ કે. પારેખભાવનગરબાબરા, અમરેલી
78રીતેષકુમાર ટી. શ્રોફઅમદાવાદએક્સ્ટ્રા ચિટનીસ, પંચમહાલ
79જલ્પા બી. બાલ્ધારાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, જામનગર
80સ્નેહલ એમ. જાડેજાઅમદાવાદPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
81અમરતભાઈ એમ. ચૌધરીમહેસાણાએસ્ટેટ ઓફિસર, અંબાજી મંદિર
82નીરવ વી. દવેભાવનગરવડિયા, અમરેલી
83અભિષેક એ. ગોહિલબનાસકાંઠાદિયોદર, વાવ-થરાદ
84કિંજલ કે. ભટ્ટઅમદાવાદPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
85ધવલ એમ. બેંકરવડોદરાઅંબિકા, સુરત
86ચારુલાતાબેન એમ. પાનારાવડોદરામામલતદાર (પ્રોટોકોલ), નર્મદા
87હીર એ. વંજનીરાજકોટઅધિક ચિટનીસ, જૂનાગઢ
88જીગ્નેશકુમાર એચ. પટેલવડોદરાસંખેડા, છોટાઉદેપુર
89બીજલભાઈ એમ. ત્રામટાસુરેન્દ્રનગરઅમરેલી (ગ્રામ્ય)
90તેજલ પી. જોશીગીર સોમનાથચુડા, સુરેન્દ્રનગર
91અંકિત એન. પરમારદાહોદગોધર, મહીસાગર
92અશ્વિનકુમાર કે. ચાવડાઅમદાવાદGUDA, ગાંધીનગર
93નિધિ જી. જોશીપાટણRERA-1, ગાંધીનગર
94કવિતાબેન એન. પાટીલવલસાડઆસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, વાંસદા
95ધવલકુમાર કે. પરમારસાબરકાંઠાPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
96તૃષા જે. સોનીવડોદરાચિટનીસ, દાહોદ
97જય એલ. રાજવઢારાજકોટચૂંટણી મામલતદાર, સુરેન્દ્રનગર
98વિશાલકુમાર એચ. શુક્લાજૂનાગઢચીફ ઓફિસર, સિહોર (ડેપ્યુટેશન)
99હર્ષદકુમાર એલ. મકવાણાપાટણPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
100હિતેશ વી. દુધાતસુરતઉકાઈ, તાપી
101નિખિલ આર. જોશીમોરબીચિટનીસ, સુરેન્દ્રનગર
102જીગ્નેશકુમાર વી. જાનીમહેસાણાભાભર, વાવ-થરાદ
103હીના વી. શાહગાંધીનગરચૂંટણી મામલતદાર, અમદાવાદ
104રાજેન્દ્રસિંહ એ. રાવગાંધીનગરચૂંટણી મામલતદાર, આણંદ
105નિધિ પી. ચાવડાસુરેન્દ્રનગરહળવદ, મોરબી
106વિજયકુમાર એમ. મકવાણામહેસાણાજનસંપર્ક અધિકારી (PRO), અમદાવાદ
107જયેશ ડી. જકાસણિયાવડોદરાઅરેઠ, સુરત
108મિતેશ એસ. કનેજિયાખેડાકડવાલ, છોટાઉદેપુર
109વિરંગકુમાર બી. વ્યાસપંચમહાલડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, દેવભૂમિ દ્વારકા
110અજયસિંહ પી. રાણાભાવનગરડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગીર સોમનાથ
111મહેન્દ્ર ડી. ભાલોડીરાજકોટખાંભા, અમરેલી
112ભાવિકા કે. મોદીસાબરકાંઠાઆસિ. મેનેજર, હેન્ડલૂમ કોર્પોરેશન
113દીપકકુમાર જી. ગઢવીબનાસકાંઠાઊંઝા, મહેસાણા
114અનિરુદ્ધસિંહ બી. ઝાલાદેવભૂમિ દ્વારકાચીફ ઓફિસર, ભચાઉ (ડેપ્યુટેશન)
115સુરેન્દ્રસિંહ એમ. રાજપૂતબનાસકાંઠાધોલેરા SIR ઓથોરિટી
116જનાર્દન પી. દવેઅરવલ્લીPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
117હિતેન્દ્રકુમાર એમ. ચૌધરીમહેસાણાઆસિ. પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ખેડબ્રહ્મા
118શિલ્પાકુમારી એલ. રાઠોડસુરેન્દ્રનગરચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, અમદાવાદ
119ધવલ એમ. પરમારપાટણસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
120પ્રકાશકુમાર કે. ચૌધરીબનાસકાંઠાડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કચ્છ
121જ્યોતિકાબેન કે. પરમારપાટણસ્પીપા (SPIPA), અમદાવાદ
122મમતા આર. ચૌહાણઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
123અખિલભાઈ એ. દેસાઈઅમદાવાદકોઠંબા, મહીસાગર
124જોગીદાન બી. ગઢવીરાજકોટડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ગાંધીનગર
125સંદીપકુમાર એ. ઝવેરીઅમદાવાદચીફ ઓફિસર, ચકલાસી (ડેપ્યુટેશન)
126કિશોરકુમાર બી. બારિયાસુરતજનસંપર્ક અધિકારી (PRO), તાપી
127સુહાગ કે. બારોટખેડાજમીન સંપાદન, ગાંધીનગર
128મંજુ કુમારી આર. ચૌધરીમહેસાણાPSO-IORA, મહેસૂલ નિરીક્ષણ કમિશનર કચેરી
129હર્ષદકુમાર વી. ચાવડાસાબરકાંઠાચિટનીસ ટુ એડિશનલ કલેક્ટર, ગાંધીનગર
130પ્રમિલા વી. ગજરેખેડાVUDA, વડોદરા
131કાર્તિકસિંહ એ. વિહોલમહેસાણાઇરીગેશન સેસ રિકવરી, આણંદ
132ગીતાબેન એમ. માલવીબનાસકાંઠાકલેક્ટર કચેરી, વાવ-થરાદ
133પ્રણવકુમાર બી. પુરોહિતગાંધીનગરજમીન સંપાદન અધિકારી કચેરી, અમદાવાદ
134મિહિર એ. શાહમહીસાગરજનસંપર્ક અધિકારી (PRO), દાહોદ
135જીજ્ઞા એચ. ત્રિવેદીઅમદાવાદઆસિ. ઇલેક્શન કમિશનર, SEC
136વિપુલકુમાર એન. સોલંકીઆણંદએક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-કોર્ટ ૨, અમદાવાદ
137મેહુલકુમાર આઈ. પરમારઆણંદચીફ ઓફિસર, કપડવંજ (ડેપ્યુટેશન)
138તેજલ એન. માલવિયાવડોદરાસાપુતારા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી
139બિપિન એમ. શાહઆણંદકલેક્ટર કચેરી, મહીસાગર
140વીરેન્દ્રકુમાર એ. વામદેવમહેસાણાસમી, પાટણ
141પરિક્ષિત આર. પરમારજામનગરધારી, અમરેલી
142કિરણકુમાર કે. કરોલિયાવડોદરાસુખસર, દાહોદ
143ભાવેશકુમાર ડી. પટેલસાબરકાંઠાસાઠંબા, અરવલ્લી
144દિપેન કે. દેસાઈપાટણજનસંપર્ક અધિકારી (PRO), સુરેન્દ્રનગર
145મહેશકુમાર ડી. માળીબનાસકાંઠાહક્કપત્રક મામલતદાર, કચ્છ
146વિજયસિંહ પી. પરમારભરૂચચીકદા, નર્મદા
147દેવાંગ આર. મેવાણીઅમદાવાદવિજિલન્સ સેલ, વડોદરા
148જીજ્ઞાશાબેન કે. ભટ્ટપોરબંદરચીફ ઓફિસર, રાણાવાવ (ડેપ્યુટેશન)
149સોનલ યુ. સાંગાણીસુરતડેડિયાપાડા, નર્મદા
150શૈલેષકુમાર એચ. દેસાઈગાંધીનગરસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
151અશ્વિનકુમાર કે. બારૈયાભાવનગરજૂનાગઢ (શહેર)
152આદિત્ય એસ. ત્રિવેદીઅમદાવાદખેડા
153હેમા એન. દેસાઈખેડાકલેક્ટર કચેરી, છોટાઉદેપુર
154અંકુર એમ. લાડાણીજૂનાગઢડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, પોરબંદર
155અર્જુનસિંહ જે. ચૌહાણવડોદરાવઘઈ, ડાંગ
156સંગીતાબેન એમ. દેસાઈઅમરેલીવિજયનગર, સાબરકાંઠા
157કામિની જી. રાઠોડબનાસકાંઠાચૂંટણી મામલતદાર, પાટણ
158પંકજકુમાર એસ. પરમારઅરવલ્લીડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, મહીસાગર
159નરેન્દ્રસિંહ એ. રાવગાંધીનગરભિલોડા, અરવલ્લી
160પ્રવિણભાઈ જી. સોલંકીકચ્છથાનગઢ, સુરેન્દ્રનગર
161રજનીભાઈ એમ. વૈષ્ણવસુરતઆહવા, ડાંગ
162મહેશ કે. બાલિયાબોટાદજસદણ, રાજકોટ
163વનરાજસિંહ ડી. બારિયાઅમદાવાદસેટલમેન્ટ કમિશનર કચેરી, ગાંધીનગર
164હાર્દિકકુમાર એસ. જોશીદાહોદમોરવા હડફ, પંચમહાલ
165ભાવેશકુમાર પી. ઇટાલિયાસુરતવડોદરા શહેર-પૂર્વ
February 13, 2026
somnath_temple-1280x720.jpg
1min25

મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ મંદિર ટ્રષ્ટ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિ હોવાથી આગમી 48 કલાક માટે સોમનાથ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા રાખવામાં આવશે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં મહાશિવરાત્રિનો પર્વ ધામધૂમ રીતે ઉજવવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રના અંદાજ મુજબ આ મહાશિવરાત્રિ દરમિયાન 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ આવી શકે છે.

સોમનાથ મંદિર ટ્રષ્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

સોમનાથ મંદિરના દ્વાર આગામી 15 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 04:00 વાગ્યે ખુલશે જે સતત 42 કલાક સુધી એટલે કે 16 ફેબ્રુઆરીની રાત સુધી ખુલ્લા રહેશે. જેથી શિવ ભક્તો કોઇપણ સમયે દર્શનનો લ્હાવો લઈ શકશે.

સોમનાથમાં ભક્તોની ભારે ભીડ આવતી હોવાથી તેમની સુરક્ષા અને સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ભક્તોની સુરક્ષા માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરક્ષાની વાત કરીએ તો, પ્રવેશદ્વાર પર સિક્યુરિટી ગેટની સંખ્યા 6 થી વધારીને 10 કરી દેવામાં આવી છે. અહીં 500થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સતત તૈનાત રહેશે. આ સાથે ઇમરજન્સી માટે 24 કલાક મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રાખવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ભક્તોની અવરજવર માટે વન-વે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી અહીં આવતા ભક્તોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે! અત્રે નોંધનીય છે કે, સોમનાથમાં મહાશિવરાત્રિ નિમિત્તે ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કૈલાશ ખેર પણ હાજર રહેશે. મહાશિવરાત્રિ દરમિયાન સોમનાથ આવતા શિવભક્તોને અદ્ભૂત અનુભવ થશે.

February 12, 2026
image-17.png
1min21

  • ત્રણ મિનિટ અને 10 સેકન્ડના છ છંદોવાળા વંદે માતરમનો દેશભરમાં અમલ
  • જ્યારે જન ગણ મન અને વંદે માતરમ સાથે ગાવાના થાય ત્યારે વંદે માતરમને પ્રાથમિકતા આપવાના આદેશથી વિવાદની શક્યતા
  • સ્કૂલ-કોલેજોમાં પણ સંપૂર્ણ વંદે માતરમ ફરજિયાત, થીયેટરોને છૂટછાટ : ગ્રહ મંત્રાલયે ગાઇડલાઇન જાહેર કરી

હવેથી દેશભરમાં રાષ્ટ્રગાન વંદે માતરમ સંપૂર્ણ ગવાશે, એટલુ જ નહીં હવેથી રાષ્ટ્રગીત જન ગણ મન અને રાષ્ટ્રગાન વંદેમાતરમ બન્ને સાથે ગાવાના થાય કે વગાડવામાં આવે તો તેવી સ્થિતિમાં વંદે માતરમને પ્રાથમિકતા આપવાની રહેશે, એટલે કે પહેલા રાષ્ટ્રગાન વંદે માતરમ ગવાશે કે વગાડાશે પછી રાષ્ટ્રગીત જન ગણ મન ગવાશે. વંદે માતરમ રાષ્ટ્રગાનનું અખંડ એટલે કે પૂર્ણ વર્ઝન ત્રણ મિનિટ અને ૧૦ સેકન્ડનું માનવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને કહ્યું છે કે રાષ્ટ્રગાન વંદે માતરમના તમામ છ છંદો ગાવા કે વગાડવા ફરજિયાત રહેશે, અધુરુ વંદે માતરમ વગાડવું કે ગાવું નહીં. આ દરમિયાન તમામ નાગરિકોએ વંદે માતરમના સન્માનમાં ઉભા રહેવાનુ રહેશે, જોકે જ્યારે કોઇ ફિલ્મમાં ગાવામાં આવે કે સમાવેશ કરવામાં આવે ત્યારે દર્શકો પાસેથી ઉભા થવાની અપેક્ષા ના રાખી શકાય.

વંદે માતરમના ૧૫૦ વર્ષની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. સાથે જ સ્કૂલ પ્રશાસનને તિરંગો, રાષ્ટ્રગાન, રાષ્ટ્રગીત પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃકતા આવે તેવા પ્રયાસો કરવા પણ કહ્યું છે. આ તમામ નવા આદેશો સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. વંદે માતરમની રચના બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી, પ્રથમ વખત ૧૮૯૬માં કલકત્તામાં કોંગ્રેસના અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે વંદે માતરમ ગાયું હતું, જે બાદમાં દેશની સ્વતંત્રતાનો એક હિસ્સો બની ગયું અને સ્વતંત્રતા સેનાનીઓ, ક્રાતિકારીઓએ પણ તેને આઝાદીની ચળવળમાં અપનાવ્યું. અત્યાર સુધી રાષ્ટ્રગીત જન ગણ મન અને પછી રાષ્ટ્રગાન વંદે માતરમ એવો ક્રમ ચાલતો આવ્યો છે પરંતુ હવે કેન્દ્ર સરકારે રાષ્ટ્રગાન વંદે માતરમને રાષ્ટ્રગીત જન ગણ મન પહેલા પ્રાથમિકતા આપી છે. જેને કારણે રાજકીય વિવાદ છેડાય તેવી પણ શક્યતાઓ છે.

વંદે માતરમ અંગે કેન્દ્રની ગાઇડલાઇન

  • તમામ સરકારી કાર્યક્રમો, સ્કૂલોમાં સંપૂર્ણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવશે.
  • જ્યારે પણ વંદે માતરમ ગાવા કે વગાડવામાં આવે ત્યારે તમામ લોકોએ ઉભા થવાનું રહેશે.
  • પદ્મ એવોર્ડ કાર્યક્રમોમાં પણ હવેથી વંદે માતરમ ફરજિયાત ગાવાનું રહેશે.
  • રાષ્ટ્રપતિ જે પણ કાર્યક્રમમાં હાજર રહે ત્યાં વંદે માતરમ ફરજિયાત કરવામાં આવ્યું છે.
  • થીયેટરોમાં વંદે માતરમ ફરજિયાત વગાડવાનું રહેશે પરંતુ ઉભા થવું ફરજિયાત નહીં રહે.
February 8, 2026
image-11.png
1min52

વધતા અકસ્માતોનું એક કારણ આંખો આંજી દેતી સફેદ એલઈડી લાઈટ્સને પણ માનવામાં આવે છે, આવી લાઈટ્સના ઉપયોગને રોકવા માટે રાજ્ય પરિવહન વિભાગે નિર્દેશ જાહેર કર્યા હતા. પોતાના વાહનોમાં લગાવેલી ગેરકાયદે LED લાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં 3094 વાહનચાલકો દંડાયા હતા.

સમગ્ર ગુજરાતમાં હાઇ-ઇન્ટેન્સિટી એલઇડી લાઇટનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે અન્ય લોકો વિઝિબિલિટી ઓછી થઈ જાય છે અને અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ચલાવવામાં આવેલી આ ઝુંબેશમાં રાજ્યના 3094 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદમાં 260 વાહનચાલકોને, અમદાવાદ પૂર્વમાં 85 વાહનચાલકોને, આણંદમાં 40 વાહનચાલકોને, ARTO બાવળામાં 133 વાહનચાલકોને, ARTO મોડાસામાં 104 વાહનચાલકોને, વલસાડમાં 288 વાહનચાલકોને, સાબરકાંઠામાં 20 વાહનચાલકોને, ખેડામાં 46 વાહનચાલકોને, મહેસાણામાં 170 વાહનચાલકોને, વડોદરામાં 168 વાહનચાલકોને, ગાંધીનગરમાં 95 વાહનચાલકોને, સુરેન્દ્રનગરમાં 48 વાહનચાલકોને અને કચ્છમાં 136 વાહનચાલકોને ચલણ મોકલવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદમાં વ્હાઇટ એલઈડી લાઈટ્સ રાખનાર વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના સુભાષબ્રિજ આરટીઓ અનુસાર વર્ષ 2026ના આરંભના 28 દિવસમાં 275 કેસ નોંધવામાં આવ્યા હતા અને રૂ. 2.75 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

January 30, 2026
md-drugs.png
1min58

દેશમાં નશીલા પદાર્થોના વધતા જતા દૂષણ વિરુદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી સફળતા મેળવી છે. સુરતના પલસાણા નજીકથી પસાર થતી એક લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાંથી રૂ.10 કરોડની કિંમતનું 35 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યા બાદ, આ રેકેટના છેડા કર્ણાટકના મૈસૂર સુધી પહોંચ્યા છે. NCBએ મૈસૂરમાં ગુપ્ત રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી (ફેક્ટરી) પર દરોડો પાડી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.

પલસાણા હાઈવે પર ફિલ્મી ઢબે ઓપરેશન

ચોક્કસ બાતમીને આધારે, NCBની ટીમે 28 જાન્યુઆરીએ સુરત જિલ્લાના પલસાણા પાસે કર્ણાટક પાસિંગની એક ટોયોટા ફોર્ચ્યુનર કારને આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી આશરે 35 કિલોગ્રામ અત્યંત શુદ્ધ કક્ષાનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરત પોલીસની પણ મદદ લેવામાં આવી હતી.

ત્યારબાદ પલસાણામાં આવેલી ‘દાસ્તાન રેસીડેન્સી’ માં મુખ્ય સૂત્રધાર મહિન્દ્રા કુમાર વિશ્નોઈના મકાન પર દરોડો પાડતા 1.8 કિલોગ્રામ અફીણ, રૂ. 25.6 લાખની રોકડ અને મોટી માત્રામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ ડ્રગ્સ કર્ણાટકના મૈસૂર સ્થિત હેબ્બલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તૈયાર કરવામાં આવતું હતું. ક્લિનિંગ કેમિકલ બનાવવાની આડમાં અહીં હાઈટેક સાધનોથી સજ્જ ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. NCBએ આ લેબોરેટરીને સીલ કરી ત્યાંથી 500 કિલોથી વધુ કેમિકલ જપ્ત કર્યું છે.

મુખ્ય આરોપી મહિન્દ્રા વિશ્નોઈ રીઢો ગુનેગાર છે અને તેના વિરુદ્ધ અગાઉ રાજસ્થાન અને ગુજરાતમાં NDPSના કેસ નોંધાયેલા છે. ચોંકાવનારી વિગત એ છે કે, વિશ્નોઈએ અગાઉના કેસમાં જ્યારે તે જેલમાં હતો, ત્યારે અન્ય કેદીઓ સાથે મળીને ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, બજારની માગ અને સપ્લાય ચેઈન વિશે માહિતી મેળવી હતી. વર્ષ 2024માં જામીન પર મુક્ત થયા બાદ તેણે આ ગુપ્ત લેબ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં ડ્રગ્સના અનેક કન્સાઈનમેન્ટ રાજસ્થાનમાં સપ્લાય કર્યા હોવાની કબૂલાત કરી છે.

પોલીસે આ મામલે મહિન્દ્રા વિશ્નોઈ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના વતની છે.

શું જપ્ત કરાયું?

  • 35 કિલો MD ડ્રગ્સ (કિંમત આશરે 10 કરોડ)
  • 1.8 કિલોગ્રામ અફીણ
  • રૂ. 25.6 લાખ રોકડ
  • 500 કિલોગ્રામથી વધુ કેમિકલ
  • ટોયોટા ફોર્ચ્યુનર કાર

હાલમાં NCB આ ડ્રગ્સ કાર્ટેલના અન્ય સભ્યો અને કેમિકલ સપ્લાય કરનારાઓના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી રહી છે.

January 30, 2026
SIR.png
1min35

ગુજરાતમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR)ની કામગીરી વિવાદમાં રહી છે કેમકે, મતદારોના નામ રદ કરવા માટે લાખોની સંખ્યામાં વાંધા લેવાયાં છે. ચોંકાવે તેવી વાત એછેકે, ખોટા નામ, સહી હોવા છતાં ચકાસણી વિના ફોર્મ-7 સ્વિકારી લેવાયાં છે. એટલુ જ નહીં, ગુજરાતમાં 9.88 લાખ મતદારોના નામ રદ કરવાના ઇરાદે ફોર્મ-7 ભરાયાં છે. આ જોતાં કોંગ્રેસે રાજ્ય ચૂંટણીપંચ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી વિરોધ નોધાવ્યો છે. સાથે સાથે એવી માંગ કરવામાં આવી છેકે, ખોટા ફોર્મ-7 ભરનારાં સામે ફોજદારી રાહે ગુનો નોધવો જોઇએ.

રાજ્યમાં મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે ત્યારે 70 લાખથી વઘુ મતદારોનું મેપિંગ થઇ શક્યુ નથી. ત્યાં મતદારોના નામ બારોબાર કરવાની પેરવી થઇ રહી છે, ત્યારે વિપક્ષોએ રાજ્ય ચૂંટણીપંચને નિશાન બનાવ્યુ છે કેમકે,ગુજરાતમાં એકે પણ વિધાનસભા બેઠક એવી નથી જ્યાં દસ હજારથી વઘુ ફોર્મ-7 ભરાયાં ન હોય. મહત્ત્વની વાત એછેકે, મતદારનું નામ રદ કરવા માટે ફોર્મ-7 ભરનારાં વ્યક્તિએ પુરાવા રજૂ કરવા ફરજિયાત છે છતાંય કોઈ ચોકસાઇ દાખવવામાં આવી નથી. એવો આક્ષેપ કરાયો છેકે, ખોટા નામ, ખોટી સહી હોવા છતાંય પણ ફોર્મ-7 સ્વિકારી લેવાયાં છે જે ગંભીર બેદરકારી છે. ગત વખત કરતાં આ વખતે લાખો વાંધા રજૂ થતાં શંકા જન્મી છે. આ ઉપરાંત બીએલઓ ના પાડી હોવા છતાંય અધિકારીઓએ ફોર્મ સ્વિકારી લીધા છે. 18મી જાન્યુઆરી અંતિમ તારીખ હોવાથી છેલ્લાં ત્રણેક દિવસમાં લાખો ફોર્મ-7 ભરાયાં છે જેના સીસીટીવી ફુટેજ જાહેર કરવા માંગ ઊઠી છે.

કેન્દ્રીય ચૂંટણી પંચનો નિયમ છેકે, એકથી વધુ સ્થળે મતદાર તરીકે નામ હોય, ખોટા ફોર્મ-7 ભરાય તો જેલ-દંડની જોગવાઇ છે. આમ છતાંય લાખો ફોર્મ ભરાયાં છે. કોંગ્રેસના પ્રતિનિધીમંડળે રાજ્ય ચૂંટણીપંચમાં રજૂઆત કરી કે, ખોટા ફોર્મ-7 ભરનારાની યાદી જાહેર કરો. એટલુ જ નહી, ખોટુ ફોર્મ-7 ભરાયુ હોય તો ફોજદારી રાહે પગલાં ભરો.

ઉલ્લેખનીય છેકે, મતદાર તરીકે નામ ઉમેરવા માટે 6.88 લાખ ફોર્મ-6 ભરાયાં છે. ટૂંકમાં નવા મતદારોના નામ ઉંમેરવા કરતાં મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ વધુ ભરાયાં છે. જોકે, રાજ્ય ચૂંટણીપંચ ફોર્મ-7ને લઇને કોઈ ફોડ પાડવા તૈયાર નથી.

વાંધો ઉઠાવનાર અરજદાર પુરાવા રજૂ ન કરે તો, ફોર્મ-7 દફતરે થાય તેવી જોગવાઇ છે તેમ છતાંય રાજ્ય ચૂંટણીપંચ બીએલઓને ઘેર ઘેર મોકલી ચકાસણી કરાવે છે. પુરાવા વિનાના ફોર્મ-7 રદ કરવા માટે કાર્યવાહી થતી નથી. કોંગ્રેસનો આરોપ છેકે, રાજ્ય ચૂંટણીપેચનું કહેવુ છેકે,9 લાખથી વધુ ફોર્મ-7 મળ્યા છે ત્યારે દોઢ લાખ ફોર્મની એન્ટ્રી કરાઇ છે. તેનો અર્થ એકે, અન્ય લાખો ફોર્મ ખોટા છે.