કલા, સંગીત અને સર્જનાત્મકતા સાથે જીવંત સાંસ્કૃતિક સાંજનો અનોખો અનુભવ થશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત શહેરમાં કલા પ્રેમીઓ માટે આકર્ષક અને અનોખો સાંસ્કૃતિક મહોત્સવ ‘સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬’ કલા ઉત્સવનું આયોજન તા. ર૧ અને રર ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સાંજે પઃ૦૦થી રાત્રે ૧૦:૦૦ કલાક દરમિયાન ડુમસ સ્થિત લંગરથી કિનારા સુધી કરવામાં આવ્યું છે. ખુલ્લા અને જીવંત વાતાવરણમાં યોજાનારા આ કાર્યક્રમમાં શહેરના કલાકારો તથા સર્જકો દ્વારા વિવિધ પ્રકારની કલા કૃતિઓ, ચિત્ર પ્રદર્શન, લાઈવ આર્ટ ડેમોન્સ્ટ્રેશન, સંગીત અને અન્ય પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે. આ મહોત્સવમાં મુલાકાતીઓ હેન્ડમેડ ક્રાફ્ટ્સ, સર્જનાત્મક ઉત્પાદનો અને કલાત્મક પ્રસ્તુતિઓનો અનોખો અનુભવ મેળવી શકશે.
આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ કલાને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો તથા સમાજમાં કલા પ્રત્યે રસ અને જાગૃતિ વધારવાનો છે. પરિવારમૈત્રીપૂર્ણ વાતાવરણમાં આયોજિત આ કાર્યક્રમમાં મિત્રો અને પરિવાર સાથે આવીને કલાની ઉજવણીનો માહોલ માણવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખુલ્લી જગ્યામાં યોજાનાર આ સાંસ્કૃતિક ઉત્સવ શહેરના યુવાનો, કલા રસિકો અને સર્જનાત્મક લોકો માટે ખાસ આકર્ષણ બનશે.
કલાકારો માટે ભાગ લેવા તક
કાર્યક્રમમાં વિવિધ કલાકારોને પણ ભાગ લેવા માટે તક આપવામાં આવી છે. શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ કલાકાર તરીકે આ ઉત્સવમાં ભાગ લઇ શકશે. કલાકારો માટે રૂ. ૧,૦૦૦ની નામમાત્ર નોંધણી ફી નક્કી કરવામાં આવી છે, જે ઉત્સવ પૂર્ણ થયા બાદ તેઓને સંપૂર્ણ પરત આપવામાં આવશે. આ પહેલ દ્વારા નવા અને પ્રતિભાશાળી કલાકારોને પોતાના કામને લોકો સમક્ષ રજૂ કરવાની તથા કલા જગત સાથે જોડાવવાની અનોખી તક મળશે.
આ રીતે સુરત આર્ટ સ્ટ્રીટ ર૦ર૬ સુરત શહેર માટે સર્જનાત્મકતા, કલા અને સાંસ્કૃતિક ઊર્જાનો ભવ્ય ઉત્સવ સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦ર૬’
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ર૧, રર અને ર૩ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિ–દિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦ર૬’નું આયોજન કરાયું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું ૧૩મું અને એકજ વર્ષમાં બીજી વખત આયોજિત થનારું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકિઝબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે.
ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં એકિઝબિટર્સ દ્વારા વર્લ્ડ–ક્લાસ ટેક્ષ્ટાઇલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે, જેમાંથી કેટલીક મશીનરીઓ તો વિશ્વમાં અને ભારતમાં પ્રથમ વખત સુરતમાં આ એક્ષ્પોમાં લોન્ચ કરાશે અને પ્રદર્શન માટે મુકવામાં આવશે. આ બાબત સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં આગવી ઓળખને વધુ મજબૂત બનાવશે અને દેશ–વિદેશના ખરીદદારો, ઉત્પાદકો તથા ટેકનોલોજી નિષ્ણાતો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં પોઝિશન પ્રિન્ટીંગ મશીન, પોઝિશન એમ્બ્રોઇડરી મશીન, હાઇ સ્પીડ રેપિયર લુમ, હાઇ સ્પીડ એરજેટ લુમ, હાઇ સ્પીડ વોટરજેટ લુમનું પ્રદર્શન કરવામાં આવશે. સાથે જ વેલ્વેટ એરજેટ મશીનરીનું પ્રદર્શન કરાશે. એક્ષ્પોમાં એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકિઝબિશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ ર૦ર૬નો ઉદ્ઘાટન સમારોહ શનિવાર, તા. ર૧ ફેબ્રુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉષાકાંત મારફતિયા હોલ, એસ.આઇ.ઇ.સી.સી., ચેમ્બર ઓફ કોમર્સ રોડ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં ઉદ્ઘાટક તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જળ શકિત મંત્રી અને સુરત એરપોર્ટ કમિટીના ચેરમેન શ્રી સી.આર. પાટીલ પધારશે અને તેમના વરદ્ હસ્તે એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસિએશનોને સીટેક્ષ એકિઝબિશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. ૧પ,૦૦૦થી વધુ વિઝીટર્સનું ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ આવી ગયું છે. ભારતભરમાં ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા રપ,૦૦૦થી વધુ લોકો ૧પ૦ કરતા પણ વધારે શહેરોમાંથી સીટેક્ષ એકિઝબિશનની વિઝીટ કરશે.
ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, અગાઉ જેકાર્ડ લુમ્સ સ્થાપિત કરવા માટે ફેક્ટરીમાં અંદાજે રર ફૂટ જેટલી વિશાળ જગ્યાની જરૂર પડતી હતી, જેના કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે આવી મશીનરી સ્થાપિત કરવી મુશ્કેલ બનતી હતી. પરંતુ આ એકિઝબિશનમાં પ્રદર્શિત થનારી અદ્યતન જેકાર્ડ લુમ્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે ફેક્ટરીમાં માત્ર ૭ ફૂટ જેટલી સીમિત જગ્યામાં પણ તેને સ્થાપિત કરી અસરકારક રીતે ઉત્પાદન મેળવી શકાય છે.
આ કોમ્પેકટ ડિઝાઇનના કારણે જગ્યાની બચત ઉપરાંત મશીનરીનું ઇન્સ્ટોલેશન સરળ બનશે, ઉર્જા અને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે તથા નાના ઉત્પાદન એકમો માટે પણ ઉચ્ચ ગુણવત્તાવાળા જેકાર્ડ ફેબ્રિકનું ઉત્પાદન શક્ય બનશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઓછી જગ્યામાં વધુ કાર્યક્ષમ ઉત્પાદન આપતી આવી મશીનરી ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખાસ કરીને શહેરના ગીચ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારો માટે અત્યંત લાભદાયક સાબિત થશે.
સીટેક્ષ એક્ષ્પો ર૦ર૬ના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સીટેક્ષ એકિઝબિશનમાં સુરત ઉપરાંત નવી દિલ્હી, મુંબઇ, લુધિયાના, વડોદરા, અમદાવાદ, કોઇમ્બતુર, ઠાણે, પાનીપત, કોલ્હાપુર, પુણે, દાદરા, ભીલવાડા અને વલસાડ મળી કુલ ૧૧૦ એકિઝબિટર્સે ભાગ લીધો છે. આ એકિઝબિટર્સ દ્વારા વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું અને એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે. અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકિઝબિટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.
વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ થશે
ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે ઐતિહાસિક ગણાય તેવું વિશ્વમાં પ્રથમ વખત ૪૯૦ સેન્ટીમીટર લંબાઇ ધરાવતા ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ કરવામાં આવશે. સુરતમાં વર્ષ ર૦૦૯–૧૦ દરમિયાન બે પનાવાળું મશીન વિકસાવવામાં આવ્યું હતું, જેના દ્વારા એકસાથે બે સાડીઓનું ઉત્પાદન શકય બન્યું હતું. ત્યારબાદ વર્ષ ર૦૧પમાં ત્રણ પનાવાળું રેપિયર જેકાર્ડ મશીન બજારમાં આવ્યું, જેના પર એકસાથે ત્રણ સાડીઓ બનાવવી શકય બની. હાલમાં વિશ્વભરમાં ત્રણ પનાવાળા મશીનો જ કાર્યરત છે, ત્યારે સુરતમાં પ્રથમ વખત લોન્ચ થનારું ચાર પનાવાળું અદ્યતન રેપિયર જેકાર્ડ મશીન ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આ હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન દ્વારા એકસાથે ચાર સાડીઓનું ઉત્પાદન શકય બનશે, જેના પરિણામે ઉત્પાદકોને ઉત્પાદન ક્ષમતા વધારવા ઉપરાંત લગભગ રપ ટકા સુધી પ્રોડકશન કોસ્ટમાં ઘટાડો થવાની શકયતા છે. વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચના કારણે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્પર્ધામાં મજબૂત બનવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
હાઇસ્પીડ એરજેટ મશીનનો પણ ડેમો રજૂ થશે
આ ઉપરાંત સીટેક્ષ એક્ષ્પોમાં હાઇ ટેકનોલોજીવાળી એરજેટ મશીનરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ૧૩,૦૦૦ ડોલરની કિંમતવાળું એરજેટ મશીન ઉપલબ્ધ છે, જ્યારે એક્ષ્પોમાં રજૂ થનાર હાઇસ્પીડ એરજેટ મશીન આશરે ૯,પ૦૦ ડોલરની કિંમતમાં ઉપલબ્ધ કરવામાં આવશે. આ મશીનનો લાઇવ ડેમો પણ રજૂ કરવામાં આવશે, જેના કારણે ઉત્પાદકોને ઓછી કિંમતમાં વધુ કાર્યક્ષમ અને ઝડપી ટેકનોલોજી અંગે માહિતગાર થવાની તક મળશે.
નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી રજૂ કરાશે
આ એકિઝબિશનમાં આધુનિક ટેક્ષ્ટાઇલ પ્રિન્ટિંગ અને મશીનરી ક્ષેત્રની નવી અને અત્યાધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. એઆઇ સોફટવેરથી સજ્જ ચય્’ઝઃન્ભ્દ્ય–ણ હેડ આધારિત નવી પોઝિશન પ્રિન્ટર મશીનના નમૂનાઓ (૮ અને ૧૬ હેડ વેરિઅન્ટ) રજૂ કરવામાં આવશે. નવી પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પણ પ્રદર્શન પણ મુકાશે. આ ઉપરાંત ફોઇલ મશીનના નમૂનાઓ તથા ડાયરેકટ–ટુ–ફેબ્રિક પ્રિન્ટર મશીનના ૧૬, ર૪, ૩ર, ૪૮, ૬૪ અને ૯૬ હેડવાળા વિવિધ વેરિઅન્ટસ પણ પ્રદર્શિત કરવામાં આવશે, જે ઉચ્ચ ગુણવત્તાવાળા અને મોટા પાયે પ્રિન્ટિંગ માટે યોગ્ય છે.
અદ્યતન સકર્યુલર નિટિંગ મશીન રજૂ કરાશે
આ એક્ષ્પોમાં સકર્યુલર નિટિંગ મશીનની અદ્યતન શ્રેણી પણ રજૂ કરવામાં આવશે. તેમાં સિંગલ જર્સી સકર્યુલર નિટિંગ મશીન (૩૪ ડાયમીટર × ર૮ ગેજ × ૧૦ર ફીડર્સ) ઓપન વિથ સાથે ૩૦થી ૪પ આરપીએમ હાઇ સ્પીડ પર કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત ડબલ જર્સી સકર્યુલર નિટિંગ મશીન (૩૪ ડાયમીટર × ર૮ ગેજ × ૧૦૮ ફીડર્સ) પણ પ્રદર્શિત થશે, જેમાં ઇન્ફ્રારેડ નીડલ બ્રેકેજ ડિટેકટર અને સ્ટિચ લેન્થ મીટર જેવી અદ્યતન સુવિધાઓ સામેલ છે, જે ઉત્પાદનની ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવામાં સહાયક બને છે.
સીટેક્ષ પ્રદર્શન દ્વારા ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના સાહસિકો, ઉત્પાદકો અને ટેકનોલોજી રસિકોને નવી પેઢીની મશીનરી અને પ્રિન્ટિંગ સોલ્યુશન્સ વિશે જાણવાની તથા આધુનિક ઉત્પાદન ક્ષમતાઓને નજીકથી સમજવાની મહત્વપૂર્ણ તક મળશે. આ રીતે સીટેક્ષ એક્ષ્પો ટેક્ષ્ટાઇલ મશીનરી ક્ષેત્રની નવીનતા, કાર્યક્ષમતા અને ખર્ચ ઘટાડતી ટેકનોલોજીઓ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે.
ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૬ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.
: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ 16 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે. સત્રની શરૂઆત બપોરે 12:00 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે. જે બાદ ગૃહમાં ટૂંકો વિરામ રહેશે. સત્રના પ્રથમ દિવસે શોક દર્શક ઉલ્લેખ થશે, જે બાદ મોટું આકર્ષણ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદની ચૂંટણી રહેશે.
વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ સામ સામે છે. કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારે ઉમેદવારી નોંધાવી છે જેનો પ્રસ્તાવ ધારાસભ્ય દિનેશ ઠાકોર રજૂ કરશે. બીજી તરફ ભાજપ તરફથી મંત્રી જીતુ વાઘાણી પૂર્ણેશ મોદીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવા માટેનો પ્રસ્તાવ રજૂ કરશે. આ ચૂંટણી ‘ધ્વનિ મત’ દ્વારા કરવામાં આવશે.
બજેટ સત્રનું શિડ્યુલ અને મહત્ત્વની વિગતો
કુલ સમયગાળો: 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ
કામકાજના દિવસો: 23 દિવસ
સામાન્ય બજેટ: 17 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે
કુલ બેઠકો: 26 બેઠકોનું આયોજન
આ સત્રમાં શું ખાસ હશે?
નવા વિધેયકો: સરકાર આ સત્રમાં સાત જેટલા નવા બિલ (વિધેયકો) રજૂ કરવાની તૈયારીમાં છે.
સમાન નાગરિક સંહિતા (UCC): આ સત્ર દરમિયાન ‘યુનિફોર્મ સિવિલ કોડ’ સંબંધિત મહત્ત્વના વિધેયકો રજૂ થાય તેવી પ્રબળ શક્યતા છે.
કેન્દ્ર-રાજ્ય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા રાજ્યના પડતર અને ચાલુ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ આ વર્ષે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે 15 ટકાનો વધારો જોવા મળી શકે છે. અંદાજવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર 3.90 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરશે. નાણાં વિભાગે આ અંગેની તમામ તૈયારીઓ તેજ કરી દીધી છે.
ભગવાન ભોળાનાથની આરાધના માટે મહાશિવરાત્રિનું પર્વ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ મનાવાશે. હિન્દુ ધર્મની માન્યા અનુસાર વર્ષમાં ચાર રાત્રિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. જેમાં હોળી, દિવાળી, દુર્ગાષ્ટમીની કાલરાત્રિ અને મહાદેવની પૂજા સાથે જોડાયેલી મહાશિવરાત્રિ છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રિ પર એક લોટો ગંગાજળ શિવલિંગ પર ચઢાવવાથી વર્ષમાં આવતી તમામ માસિક શિવરાત્રિનું પુણ્ય મળે છે.
મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે બુધ-શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ રહેશે. બુધ-સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ રહેશે. સૂર્ય-શુક્રની યુતિથી શુક્રાદિત્ય યોગ બનશે. શનિ કુંભ રાશિમાં રહેવાથી રાશ નામના મહાપુરુષ રાજયોગ બનશે. કુંભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુની એકસાથે હાજરીથી ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે.
શાસ્ત્રો અને પુરાણોમાં જેટલા પણ દેવતાઓનું વર્ણન છે તેમાં દેવાધિદેવ મહાદેવ જ સરળતાથી મળી પ્રસન્ન થઈ શકે છે. જેમનો ગંગાજળના એક માત્ર ટીપાથી અભિષેક કરી શકાય છે. શિવનો અર્થ બ્રહ્મા થાય છે. શરીરમાં શક્તિ અને પુરુષનું જે સમાહિત સ્વરૂપ છે તે બ્રહ્મ છે અને તે શિવ છે. આ ગૂઢ રહસ્યને સમજવા માટે સાધકને શિવમય થવું પડે છે.
મહાશિવરાત્રિના દિવસે જે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રિ પર મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તોએ જલ, દૂધ, મધ અને ઘીથી પૂજન કરવું જોઈએ. મહાશિવરાત્રિ પર લક્ષ્મીની કામના કરનારા વ્યક્તિએ બિલીપત્ર, સુખની કામના કરનારાએ ભાંગ, મોક્ષની કામના માટે ધતૂરો ચઢાવવા જોઈએ.
પૌરાણિક માન્યતા અનુસાર એક ભીલ શિકારની રાહમાં બિલિના વૃક્ષ પર આખી રાત બેસી રહ્યો હતો. આ દરમિયાન તેને કોઈ શિકાર મળ્યો નહોતો પરંતુ શરીરની હિલચાલના કારણે બિલપત્ર તૂટીને નીચે શિવલિંગ પર પડ્યા હતા. આ કારણે શિવને જાણતા-અજાણતા જ અભિષેક થયો. માન્યતા છે કે તે રાત્રિ શિવરાત્રિ હતી. જે બાદ ભગવાન શિવે પ્રસન્ન થઈને ભીલને કહ્યું કે, તે સમગ્ર રાત્રિ જાગરણ કરીને મારું પૂજન કર્યું છે, તેથી હું તને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપું છું અને તારી ઈચ્છા પૂર્ણ થશે.
જાપાનના નવ નિયુક્ત વડાપ્રધાન Sanae Takaichi સાને તાકાઈચીએ ઇતિહાસ રચી દીધો છે. તેઓના નેતૃત્વ નીચેની જાપાનની સત્તારૂઢ પાર્ટી ચૂંટણીમાં બે તૃતીયાંશ બહુમતિ તરફ આગળ વધી રહી છે. તેઓના વિજય સાથે તેઓના રૂઢીવાદી એજન્ડાને મજબૂત જનાદેશ મળી ગયો છે. હજી સુધીમાં પ્રાપ્ત થયેલા આંકડા પ્રમાણે જાપાનની સંસદનાં નીચલા સદનમાં તાકાઈચીએની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)નાં નેતૃત્વ નીચેના ગઠબંધને નીચલા ગૃહની ૪૬૫ માંથી ૩૫૨ સીટ જીતી છે. એકલી LDP એલડીપીએ જ ૩૧૬ની બહુમતી પ્રાપ્ત કરી છે.
જાપાનના સૌથી પહેલા મહિલા વડાપ્રધાન બન્યા પછી માત્ર ચાર જ મહિનામાં ચૂંટણી યોજાવી, તેઓએ સ્પષ્ટ જનાદેશ માગ્યો હતો. તેઓએ કહ્યું હતું કે જો તેઓની પાર્ટી બહુમતી પ્રાપ્ત કરી ન શકે, તો તેઓ પદત્યાગ કરશે. સ્નેપ-ઇલેકશન તેઓ માટે મોટો જુગાર હતો. પરંતુ તેમાં જબ્બર બહુમતી સાથે, તેઓ સફળ થયા હતા.
૨૦૨૪માં એલડીપીએ સંસદના બંને ગૃહમાં બહુમતી ગુમાવી હતી અને કોમીટો પાર્ટી સાથેનું ગઠબંધન તૂટી ગયું હતું. દશકો જૂનું આ ગઠબંધન તૂટતા એલડીપીને ધક્કો તો લાગ્યો જ હતો.
ચૂંટણી પરિણામો દર્શાવે છે કે, તાકાઈચીની વ્યકિતગત લોકપ્રિયતાએ જ પાર્ટીને સહાય કરી હતી. તેઓની પાર્ટીનું એપ્રૂવલ રેટિંગ મહદઅંશે ૭૦ ટકા ઉપર જ રહ્યું છે.
સાને તાકાયીચીને પોતાની જનતાનો સપોર્ટ તે સમયે મળ્યો છે કે જ્યારે જાપાન અને ચીનના સંબંધો વચ્ચે તણખા ઝરી રહ્યા છે. અત્યારે બંને દેશો વચ્ચેના સંબંધો તળીએ જઈ પહોંચ્યા છે. તાકાઈચીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, ‘જો ચીન તાઈવાન સામે કોઈ લશ્કરી કાર્યવાહી કરશે તો જાપાન તેમાં હસ્તક્ષેપ કરશે જ. તાઈવાન એક સ્વતંત્ર અને લોકશાહીવાદી દ્વિપ છે. ચીન તેની ઉપર પોતાનો દાવો કરે છે. તેવામાં તાકાઈચીના આ નિવેદનથી ચીન-જાપાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે અને બંને દેશો એકબીજા સામે શત્રુતાપૂર્ણ કાર્યવાહી અને બયાનબાજીમાં પડી ગયા છે. હવે કેટલાક તારણો જોઈએ :
(૧) જાપાની મતદાતાઓ, તાકાઈચીની સીધીસાદી, મહેનતુ ઇમેજથી આકર્ષાયા છે. પરંતુ તેમના તીવ્ર રાષ્ટ્રવાદી વિચારો અને સંરક્ષણ પર વજન આપવાના નિવેદનોને લીધે ચીન ગિન્નાયું છે.
(૨) તેઓ સૈન્યની ક્ષમતા અને લશ્કરી ખર્ચ બંને વધારવા માગે છે. વાત સીધી છે. તેઓ ચીનનો વધતો પ્રભાવ રોકવા માગે છે.
(૩) તાકાઈચી વડાપ્રધાન પદે નિશ્ચિત થયા કે લગભગ તુર્ત જ ટ્રમ્પ અને મોદીએ તેઓને વધાઈ આપી હતી. પરંતુ ચીને તુર્તજ વધાઈ પણ આપી નથી.
(૪) જાપાને સંરક્ષણ ખર્ચમાં જબરજસ્ત વધારો કર્યો છે. તેથી ખીજાયેલા ચીને કહ્યું છે કે જાપાન સામે રાજદ્વારી રીતે જવાબ આપશે. હવે બંને દેશો વચ્ચે વ્યાપાર અને નિવેશના મુદ્દાઓ પર ક્ષેત્રીય સ્તરે ટકરાવ થશે તે નક્કી છે. બંને વચ્ચે પ્રતિસ્પર્ધા પણ વધશે. સંભવ તે પણ છે કે માત્ર ચીન જાપાન સંબંધો જ નહીં પરંતુ સમગ્ર એશિયાનો સંરક્ષણ માહોલ બદલાઈ શકે.
(૫) કેટલાક એક્ષપર્ટસ કહે છે કે, હવે સંપૂર્ણ બહુમતી મળ્યા પછી તાકાઈચી ચીન સામેનું વલણ થોડુ નરમ પણ કરે. તેઓએ મતદાન પૂર્વે એએફપીને જણાવ્યું હતું કે, હવે તેઓને ૨૦૨૮ સુધી ચૂંટણી વિષે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે હવે પછીની ચૂંટણી યોજાશે, તો જાપાન માટે શ્રેષ્ઠ હકીકત તે બની રહેશે કે તે ચીન સાથે સંબંધો સુધારવા ઉપર ધ્યાન આપે.
દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. અદાલતે આ પ્રકારની છેતરપિંડીને લૂંટ ગણાવતા અત્યંત ગંભીર ટિપ્પણી કરી છે. ખાસ કરીને ગુજરાત અને દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે, ડિજિટલ અરેસ્ટ જેવા ગંભીર ગુનાઓની તપાસ માટે જરૂરી મંજૂરીઓ (સેન્ક્શન) આપવામાં સહેજ પણ વિલંબ ન કરવામાં આવે, જેથી તપાસ પ્રક્રિયા ઝડપી બની શકે.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, અત્યાર સુધીમાં સાયબર ઠગ ટોળકી દ્વારા અંદાજે રૂ. 54,000 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયા (RBI) દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર'(SOP)ને સમગ્ર દેશમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે.
અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે, આવા કિસ્સાઓમાં બૅંકોની બેદરકારી અથવા અધિકારીઓની મિલીભગતની શક્યતાને નકારી શકાય નહીં. RBIની SOP મુજબ, જો કોઈ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તાત્કાલિક ડેબિટ કાર્ડ હોલ્ડ પર રાખવા જેવી ત્વરિત કાર્યવાહી થવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકના નાણાં બચાવી શકાય.
સુપ્રીમ કોર્ટે આ મામલે CBIને દેશભરમાં નોંધાયેલા ડિજિટલ અરેસ્ટના કેસોની ઓળખ કરી તેની વિસ્તૃત તપાસ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત ટેલિકોમ વિભાગ (DoT), RBI અને અન્ય એજન્સીઓને ચાર અઠવાડિયામાં સંયુક્ત બેઠક યોજીને એક ડ્રાફ્ટ તૈયાર કરવા જણાવાયું છે. આ સમન્વયનો મુખ્ય હેતુ એજન્સીઓ વચ્ચે માહિતીની આપ-લે અને છેતરપિંડી રોકવાનો છે.
કોર્ટે માનવીય અભિગમ અપનાવતા કહ્યું કે, ડિજિટલ અરેસ્ટનો શિકાર બનેલા લોકો ઘણીવાર માનસિક અને આર્થિક રીતે તૂટી જતાં હોય છે. આવા પીડિતોને વળતર આપવા માટે એક અસરકારક માળખું તૈયાર કરવું જરૂરી છે. વળતરની પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણોમાં ફસાવાને બદલે વ્યવહારિક અભિગમ રાખવો જોઈએ, જેથી પીડિતોને રાહત મળી શકે.
ઈરાનમાં માનવાધિકાર અને મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીને ઈરાની સરકારે ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. તેમને વધુ એકવાર સાડા સાત વર્ષની વધારાની જેલની સજા ફટકારવામાં આવી છે, જેના કારણે વિશ્વભરમાં ઈરાની શાસન સામે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ નવા ચુકાદા સાથે નરગીસની જેલની સજા 44 વર્ષ થઇ ચૂકી છે. નરગીસ અત્યાર સુધીમાં 13 વખત ધરપકડ અને 5 વખત દોષિત ઠરી ચૂક્યા છે.
53 વર્ષીય નરગીસ મોહમ્મદી એક જાણીતા ઈરાની એક્ટિવિસ્ટ, એન્જિનિયર અને લેખિકા છે. તેઓ નોબેલ વિજેતા શિરીન એબાદી દ્વારા સ્થાપિત ‘ડિફેન્ડર્સ ઓફ હ્યુમન રાઈટ્સ સેન્ટર’ (DHRC) ના ઉપાધ્યક્ષ છે. નરગીસ છેલ્લા દાયકાનો મોટાભાગનો સમય જેલમાં જ વિતાવી ચૂક્યા છે. ઈરાની સત્તાવાળાઓ તેમના પર રાજ્ય વિરુદ્ધ પ્રચાર કરવાનો અને વિરોધ પ્રદર્શનો યોજવાનો આરોપ લગાવે છે, જ્યારે તેમના સમર્થકોનું કહેવું છે કે આ બધું માત્ર તેમના શાંતિપૂર્ણ આંદોલનને દબાવવા માટે કરવામાં આવી રહ્યું છે.
નરગીસ મોહમ્મદીને 12 ડિસેમ્બર, 2025 ના રોજ મશહદ ખાતે પકડવામાં આવ્યા હતા. તેઓ ત્યાં માનવાધિકાર વકીલ ખોસરો અલીકોર્ડીની શોકસભામાં હાજરી આપવા ગયા હતા. ઈરાની સરકારે તેમના પર ભડકાઉ ભાષણ આપવા, નિયમો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા અને શાંતિ ભંગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
જ્યારે 2023 માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર જાહેર થયો ત્યારે તેઓ તેહરાનની કુખ્યાત જેલમાં બંધ હતા. આ સન્માન તેમના બાળકોએ તેમના વતી સ્વીકાર્યું હતું. 2021 થી તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના આરોપો હેઠળ 13 વર્ષની સજા ભોગવી રહ્યા છે. નરગીસ ફાઉન્ડેશન મુજબ, ઈરાની વહીવટીતંત્ર તેમને શારીરિક અને માનસિક રીતે તોડવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેમનો જુસ્સો હજુ પણ અડગ છે.
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આજે તા.8મી ફેબ્રુઆરીને રવિવારથી દેશભરમાં મેડીકલ અને પેરામેડીકલમાં પ્રવેશ માટે ફરજિયાત સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજીના રજિસ્ટ્રેશન શરૂ કરવા સાથે તેની તારીખની પણ સત્તાવાર ઘોષણા કરી છે. આ વખતે નીટ યુજી આગામી તા.3 મે 2026ને રવિવારના રોજ બપોરે 2થી 5 દરમિયાન લેવામાં આવશે. ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ તા.8 ફેબ્રુઆરીથી તા.8મી માર્ચ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ તારીખ પછી જન્મેલા વિદ્યાર્થીઓ નીટ યુજી 2026 પરીક્ષા નહીં આપી શકે
નીટ યુજી પરીક્ષાના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી, નર્સિંગ (સેન્ટ્રલ) ઉપરાંત વેટરનરી સાયન્સ અને આ વર્ષથી ફિઝિયોથેરાપી કોર્સમાં પણ પ્રવેશ આપવાની જાહેરાત દેશના જુદા જુદા રાજ્યોમાં કરી દેવામાં આવી છે. ગુજરાતમાં હજુ ફિઝિયોથેરાપી કોર્સ અંગે જાહેરાત કરવામાં આવી નથી. આમ છતાં ધો.12 બાયોલોજી વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નીટ યુજી પરીક્ષા આપીને તેમાં સારો સ્કોર લાવવો હિતાવહ છે, કેમકે ગુજરાત સરકાર નીટના રજિસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયા પછી જાહેરાત કરશે તો અનેક પ્રવેશાર્થીઓને ફિઝિયોથેરાપી કોર્સમાં પ્રવેશ નહીં મળી શકે.
વિદેશી વિદ્યાર્થીઓએ પણ નીટ યુજી 2026 પરીક્ષા આપવી ફરજિયાત
180 મિનિટ અને 720 માર્કની નીટ યુજી પરીક્ષાની પેટર્ન
મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે જેનો સ્કોર હોવો ફરજિયાત છે એ નીટ યુજીની પરીક્ષાની પેટર્ન એવી છે કે કુલ 180 મિનિટની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ કુલ 180 સવાલોના જવાબ આપવાના હોય છે. એક સવાલના સાચા ઉત્તરના 4 માર્ક મળી શકે છે, જ્યારે એક સવાલના ખોટા ઉત્તર બદલ એક માર્ક માઇનસ થાય છે. જેમાં બાયોલોજી, બોટનીના કુલ 90 સવાલો જેના કુલ માર્ક 360 તેમજ કેમેસ્ટ્રી અને ફિઝિક્સના 45-45 સવાલો જેના બન્ને વિષયો મળીને કુલ માર્ક 360 હોય છે.
હોળીના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત, મુંબઈ અને દિલ્હી જેવા દેશના વિવિધ ભાગોમાં રહેતા લોકો માટે ભારતીય રેલવેએ ખુશીના સમાચાર આપ્યા છે. તહેવાર નિમિત્તે વતન જનારા મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે રેલવે તંત્ર દ્વારા વિવિધ રૂટ પર કુલ 94 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, હોળી દરમિયાન મુસાફરોને ટિકિટ માટે પડતી મુશ્કેલીઓ નિવારવા પૂર્વ રેલવે દ્વારા આ વિશેષ ટ્રેનોનું આયોજન કરવામાં આવ્યું છે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોની માગને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ સર્વિસ શરૂ કરવામાં આવી રહી છે અને જો જરૂર પડશે તો આગામી દિવસોમાં ચોક્કસ રૂટ પર વધુ ટ્રેનો પણ દોડાવવામાં આવશે.
કયા રૂટ પર કેટલી ટ્રેનો દોડશે?
ગુજરાત-મુંબઈ કનેક્ટિવિટી: માલદા ટાઉન અને ઉધના (સુરત, ગુજરાત) વચ્ચે 8 ટ્રેનો તેમજ માલદા અને મુંબઈ વચ્ચે કિઉલ-પટના થઈને 8 સ્પેશિયલ ટ્રેનો દોડશે.
ઉત્તર પ્રદેશ-બિહાર રૂટ: કોલકાતા અને રક્સૌલ વચ્ચે 10 ટ્રેનો, કોલકાતા અને મધુબની વચ્ચે 8 ટ્રેનો તેમજ કોલકાતા અને ગોરખપુર વચ્ચે પટના થઈને સૌથી વધુ 20 ટ્રેનો ચલાવાશે.
દિલ્હી અને પશ્ચિમ બંગાળ: હાવડા અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો તથા માલદા ટાઉન અને આનંદ વિહાર વચ્ચે 8 ટ્રેનો ઝાઝા-ગયા થઈને દોડશે.
અન્ય રૂટ: હાવડા અને ખાતીપુરા વચ્ચે 8, સિયાલદહ અને પુરી વચ્ચે 8, આસનસોલ અને ગોરખપુર વચ્ચે 6 તેમજ કોલકાતા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે 2 સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું આયોજન છે.
રેલવેની આ વિશેષ સેવાથી હોળીના તહેવારમાં વતન જતા લાખો મુસાફરોને મોટી રાહત મળશે. ખાસ કરીને કન્ફર્મ ટિકિટ ન મળવાની સમસ્યા હળવી થશે અને મુસાફરો સુવિધાજનક રીતે મુસાફરી કરી શકશે. તહેવારના સમયે ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસૂલવામાં આવતા મસમોટા ભાડામાંથી પણ મુસાફરોને મુક્તિ મળશે અને શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ શાંતિથી પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકશે.
આજ 07/02/2026 થી ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એવા ટી20 વર્લ્ડ કપ 2026નો શંખનાદ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકાની યજમાનીમાં રમાનારા આ મહાકુંભમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે મેદાન પર રમાનારી મેચોની સાથે-સાથે મેદાનની બહારની રાજનીતિ અને વિવાદો પણ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આ વખતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે.
વર્લ્ડ કપના પ્રથમ દિવસે ક્રિકેટ પ્રેમીઓને ત્રણ મેચનો ડોઝ મળશે. ઉદ્ઘાટન મેચ સવારે 11 વાગ્યે કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે ટક્કર થશે. દિવસની સૌથી લોકપ્રિય મેચ સાંજે 7 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં યજમાન ભારત અને અમેરિકાની ટીમો આમને-સામને હશે.
રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિદાય બાદ ભારતીય ટીમ સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની આ ટીમ સૌથી સંતુલિત માનવામાં આવી રહી છે. ઓપનિંગમાં ઈશાન કિશન અને અભિષેક શર્માની જોડી જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે ભારત આ વખતે યજમાન દેશ વર્લ્ડ કપ ન જીતી શકે તેવો મિથક તોડી શકે છે. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજો ટીમની તાકાત છે.
ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ સુરક્ષા અને IPL કોન્ટ્રાક્ટ વિવાદને કારણે બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો, જેના સમર્થનમાં પાકિસ્તાને પણ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જોકે, ICC એ સ્પષ્ટ કર્યું છે કે ટુર્નામેન્ટ નિર્ધારિત સમયપત્રક મુજબ જ ચાલશે. આ વિવાદો વચ્ચે નેપાળ અને ઈટાલી જેવી એસોસિએટ ટીમો પણ આ વખતે મોટો ઉલટફેર કરવા તૈયાર છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.