તમને અલી મુબારક અમને બજરંગ બલી : યોગી આદિત્યનાથ
યોગીએ મધ્યપ્રદેશમાં ચૂંટણી સભા સંબોધતા કમલનાથના નિવેદનને આધાર બનાવીને સ્ફોટક નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસને તેમના મુસ્લિમ મતો એટલે કે અલી મુબારક અને અમને એટલે કે ભાજપને બજરંગ બલી જ ચૂંટણી જીતાડશે.

મધ્ય પ્રદેશમાં 28 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ ધમપછાડા કરી રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે શનિવારે ભોપાલમાં એક રેલીનું સંબોધન કરતા તેમણે કોંગ્રેસ હુમલા કર્યા હતા. તેમણે કમલનાથના વીડિયોનો હવાલો આપ્યો હતો જેમાં તેઓ કથિત રીતે જણાવી રહ્યા હતા કે, જો ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયના 90 ટકા વોટ પડશે નહી તો કોંગ્રેસને મોટું નુકસાન થઇ શકે છે.
યોગી આદિત્યનાથે આ નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, કમલનાથજીનું એક નિવદેન હું વાંચી રહ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે, અમને એસસી/એસટીના વોટ નથી જોઇતા. કોંગ્રેસને માત્ર મુસ્લિમોના વોટ જોઇએ છે. કમલનાથજી તમને તમારો અલી મુબારક, અમને બજરંગબલી મદદ કરશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


