CBI પછી RBI, મોદી સરકાર ફિક્સમાં : રિઝર્વ બેંકનું સન્માન નહીં કરતી સરકારે ભોગવવું પડે છે

આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યે સરકારની દરમિયાનગીરી મુશ્કેલીજનક હોવાનો સાફ મત વ્યક્ત કર્યો
સીબીઆઇ બાદ હવે આરબીઆઇમાં કેન્દ્ર સરકારની દરમિયાનગીરી સામે વાંધો ઉઠ્યો છે અને વાંધો અન્ય કોઇએ નહીં પણ રિઝર્વ બેંકના ઉચ્ચ અધિકારીએ ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેન્દ્ર સરકારની ડખલગીરીને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નરેન્દ્ર મોદી સરકાર માટે સારા દિવસો નહીં હોવાની સ્થિતિ હવે સાર્વત્રિક રીતે જોવા મળી રહી છે.
આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ તા.26મી ઓક્ટોબર 2018ના રોજ મધ્યસ્થ બેન્કની સ્વતંત્રતા અને ઓછો અધિકારોને લઈને સરકાર પર કટાક્ષ કર્યો અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. આચાર્યએ જણાવ્યું કે સરકાર ચૂંટણી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને T-20 મેચ જેવા વિચારો સાથે નિર્ણયો લે છે, જ્યારે આરબીઆઈ ટેસ્ટ મેચ રમે છે. તેમનો ઈરાદો હંમેશા જીત મેળવવાનો રહે છે, પરંતુ ભવિષ્યના પડકારોને પણ ધ્યાનમાં રાખવા પડે છે.
આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર આચાર્યએ કહ્યું હતું કે જે સરકાર મધ્યસ્થ બેન્કની સ્વાયત્તાનું સન્માન નથી કરતી, તેને આર્થિક મોરચે નુકસાની સહન કરવી પડે છે. આવુ કરવું કોઈપણ સરકાર માટે સેલ્ફ ગોલ કરવા જેવું પુરવાર થાય છે.
આચાર્યએ જણાવ્યું હતું કે આરબીઆઈ ટૂંકા ગાળાના લાભની અવગણના કરે છે કારણ કે લાંબા ગાળામાં સારા પરિણામો મેળવી શકાય અને નાણાકીય સ્થિરતા જળવાઈ રહે. આરબીઆઈના ડેપ્યુટી ગર્વનરે વધુમાં ઉમેર્યું હતું કે સરકારના ચંચૂપાતથી આરબીઆઈનું કામ પ્રભાવિત થાય છે. તેમણે કેન્દ્રીય બેન્કથી અલગ પેમેન્ટ રેગ્યુલેટર નિયુક્ત કરવાના સરકારના પ્રયારો પર પણ નિશાન સાધ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


